Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૮]
[ ૧૭૧ તેં કરેલ છે. ચિદાનંદ સ્વરૂપને ચૂકીને શરીર મારું ને રાગદ્વેષ મારા-એમ માની બેઠો છે. મોટા દરિયાની આડ ચાર હાથની ચાદર રાખી હોય તો આખો દરિયો ઢંકાઈ ગયો હોય-એમ દેખાય છે, તેમ પરવસ્તુને પોતાની માનવારૂપ ઊંધી માન્યતાની ચાદરથી ચિદાનંદ આત્મા ઢંકાઈ ગયો છે. તે ભ્રમણા પોતે કરી છે. પોતાની ભૂલથી ચૈતન્યસમુદ્રને ભાળતો નથી. જ્ઞાનસ્વભાવી આત્મા છે, શરીર અને રાગ છે તે અજ્ઞાન તત્ત્વ છે, તે પ્રકાશ કરનાર નથી. શરીર ને વિકારની આડે પોતાનો પ્રકાશ ભાસતો નથી. તું તને ન માન તોપણ તારું રૂપ એવું ને એવું પડ્યું છે, કાંઈ બહાર ગયું નથી.
જેમ નટે બળદ અગર કૂતરાનો વેશ ધર્યો તેથી કાંઈ તે મનુષ્ય મનુષ્યપણું છોડી બહાર ગયો નથી. પશુનો વેશ ન ધારે તો તે માણસ જ છે. તેમ શરીર, મન, વાણી મારાં નથી, હું તો જ્ઞાનજ્યોતિ છું, –એમ સાચું જ્ઞાન કરે તો આત્મા એવો ને એવો છે, ને તે દેહનો સ્વાંગ ન ધરે.
એક ડાબલીમાં રત્ન પડ્યું છે. રત્નમાં કાંઈ બગડયું નથી. ઢાંકણું દૂર કરે તો રત્ન એવું ને એવું છે, તેમ શરીરમાં જ્ઞાનઘન રત્ન છે. અશરીરી આત્માની ભાવના કરે તો આત્મરત્ન એવું ને એવું છે. પર્યાયમાં થતા રાગની વાત અહીં ગૌણ છે. નિત્યાનંદ સ્વરૂપ એવું ને એવું છે. પોતે ચિદાનંદની દષ્ટિ કરે ને ભાવકર્મ મારાં છે એવી દષ્ટિ છોડે તો આત્મા એવો ને એવો છે. આત્મા કર્મ ને શરીરની મધ્યમાં પડેલો છે. તે શુભાશુભ ભાવ કરી પર્યાયમાં અટકયો હોવા છતાં સ્વભાવે એવો ને એવો છે, ને સિદ્ધદશા વ્યક્ત થાય છે ત્યારે શક્તિ તો એવી ને એવી છે. એ બન્ને અવસ્થામાં સ્વરૂપ તો જેવું ને તેવું જ છે. એવો શ્રદ્ધાભાવ એ જ સુખનું મૂળ છે.
કેવળજ્ઞાનની પર્યાયને પણ ન જો, પહેલી અવસ્થા શુદ્ધ ન હતી ને પછી શુદ્ધ થઈ એવા ભેદને ન જો. ગુપ્ત ને પ્રગટ અવસ્થા-ભેદ એટલે દ્રવ્ય ને પર્યાયના ભેદને ન જો. એક સમયનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com