Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬]
શ્રી અનુભવ પ્રકાશ સ્વર્ગનો ભવ હો કે નરકનો હો, રાજાનો હો કે રંકનો હો-તે બધા પુણ્ય-પાપના ફળમાં સંસાર છે.
ગમે તે નિમિત્તો જુદાં જુદાં હોય ને ગમે તે રાગ જુદો જુદો હોય છતાં હું જ્ઞાતા-દ્રષ્ટા છું-એવી દષ્ટિ ચૂકે તે પોતાનું નિધાન લૂંટાવે છે. પર તરફનો ભાવ વિકાર છે, તેને ધર્મ માનવો તે આત્મા માટે બેકાર-નકામો છે. પ્રથમ વિશ્વાસ કરવો જોઈએ. સત્યમાંથી સત્ય આવશે.
સંયોગો પલટતા જાય છે ને પુણ્ય-પાપ પણ અનિત્ય છે. સંયોગોને આશ્રયે થતો વિકારીભાવ અનિત્ય છે ને શાશ્વત સ્વભાવના આશ્રયે થતી અધિકારી દશા સ્વભાવ સાથે અભેદ થાય છે, માટે તે પર્યાયને પણ શાશ્વત કહી છે. દયા-દાનાદિ ભાવો વિકાર છે, નિમિત્તો ફરે છે ને વિકારો પણ ફરે છે. ચિદાનંદ સ્વભાવ એકરૂપ છે, તેના આશ્રયે પ્રગટતી પર્યાયને એક ન્યાયે અવિનાશી કહી છે કેમકે તે ધ્રુવ એકાકાર સ્વભાવ સાથે અભેદ થયેલ છે.
- અજ્ઞાની જીવ ભવવિપત્તિ ભરે છે, ભૂલ મટાડતો નથી. પોતે પુણ્ય-પાપને પોતાનાં માને છે, મિથ્યાભાવને લીધે પરને એટલે કે વિકારને મારો માને છે, જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહિ. જડ કર્મ વિકાર કરાવ્યો નથી. ભ્રાંતિ, રાગ, દ્વેષ તે જીવના પરિણામ છે. તેને પોતાના માને છે, તેથી વિકારરૂપ ભાસે છે પણ ચિદાનંદ ભાસતો નથી. શુભાશુભભાવ, જપ, તપ, ભક્તિ તે આત્માનો જાતિસ્વભાવ નથી. જો જાતિસ્વભાવ હોય તો આત્મામાંથી છૂટો થાય નહિ. સિદ્ધમાં શુભાશુભ ભાવો નથી, માટે તે તારો પણ જાતિસ્વભાવ નથી. તેને જાણે તે તારો સ્વભાવ છે.
આ રાગ થયો, આ દયાભાવ થયો-એને જાણનાર ચેતના છે, તે કેવળ જીવ છે. ચેતના એકલો જીવનો સ્વભાવ છે, પુણ્ય-પાપ જીવનો જાતિસ્વભાવ નથી, માટે ભેદજ્ઞાન કરો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com