Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૧]
[૧૯૧ નથી ને ઉદ્દેશી–આધઃકર્મી આહારાદિ તો તે પણ વિષયારૂઢ છે. મુનિપણું પાલન ન કરી શકે તો જૈનદર્શનમાં દંડ નથી, તેણે નીચલી ભૂમિકામાં રહેવું. પણ મુનિ થઈને દીવાબત્તી રાખે, ઘડિયાળ રાખે, સાથે તંબૂ આદિ રક્ષણ રાખે, પોતા માટે બનાવેલ આહાર લે તો તે વિષયારૂઢપણું છે. તેવા મુનિ સાચા નથી. તેને ગુરુ તરીકે સ્વીકારે તે ગૃહીત મિથ્યાદષ્ટિ છે.
દિગમ્બર જૈનાચાર્યોએ રચેલા ચારે અનુયોગમય શાસ્ત્ર જિનવાણી છે. સર્વજ્ઞ ત્રિલોકનાથે દિવ્યધ્વનિદ્વારા કહેલાં શાસ્ત્રષખંડાગમ, સમયસાર, પ્રવચનસાર વગેરે ગ્રંથો સિવાયનાં બધાં કલ્પિત શાસ્ત્રો છે, તેને માનવાં, મનાવવાં તે તેમાં સાચી વાત છે એમ માનવું ને મનાવવું તે ગૃહીત મિથ્યાત્વ છે, ને તે અગૃહીત મિથ્યાત્વને પુષ્ટ કરે છે.
મુનિને આહાર દેવાથી સંસાર પરિત (અંતવાળો–ટૂંકો) થાય એમ માને, વ્યવહારથી નિશ્ચય માને તે મિથ્યાત્વ છે. આને ગૃહીત મિથ્યાત્વ કહે છે. આને લીધે જીવ ચાર ગતિમાં રખડે છે.
ઊંધી માન્યતા બહિરાત્માને સિદ્ધ કરે છે. આવો મિથ્યાત્વભાવ સેવે છે તે સંસારમાં રખડવાના પાયા પાકા કરે છે, તેને ચાર ગતિમાં રખડવાની પનોતી બેઠી છે, તેણે રખડવાનું નક્કી કર્યું છે.
યથાર્થ સ્વરૂપને પ્રરૂપે ને અનેકાંત સ્વરૂપ બતાવે તે સશાસ્ત્ર છે. નિમિત્ત નિમિત્તથી છે ને નિમિત્તથી ઉપાદાન નથી–એમ યથાર્થ બતાવે છે. આ પુસ્તક ગૃહસ્થનું લખેલ છે એમ કહી દુર્લક્ષ કરવા જેવું નથી. મુનિના સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ને શ્રાવકના સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ફેર નથી. ચારિત્રમાં ફેર છે. આ ગ્રંથમાં યથાર્થ વસ્તુ બતાવી છે.
(૨) “સમ્યભાવ સાધક છે ને વસુસ્વભાવ જાતિ સિદ્ધિ થવી સાધ્ય છે.” સાચો ભાવ થવો તે સાધક છે. યથાર્થ ભાવ એટલે કે રાગ તે રાગ છે, સ્વભાવ તે સ્વભાવ છે-એમ સાચો ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com