Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
પૂર્ણ રમણતા થાય, ૫૨ રમણતાનો એક અંશ ન રહે ને આવરણ પણ ન રહે એવો ચારિત્રગુણ છે. આવા અનંતાગુણો દ્રવ્ય સાથે અભેદ થાય ને આવરણ ન રહે એવી દરેક ગુણની શક્તિ છે. તેવો સભ્યભાવ સાધક થયો ને ગુણમાં તેવો ભાવ થવો તે તેનું ફળ છે. અહીં ગુણની તાકાતની વાત ચાલે છે. આત્મામાં સ્થિરતા કરી ને આનંદ થવો તે અનુભવ છે.
ગુણોને આવરણ નથી. વળી તેનામાં ઊણપ ન રહે તેવી દરેક ગુણની શક્તિ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ગુણોનું સામર્થ્ય એવું છે કે તેને આવરણ ન રહે ને અધૂરો ન રહે, પોતે પોતાથી નિર્મળરૂપે થાય, પૂર્ણ થાય-એમ નક્કી કરે તો ગુણની જાતિ નક્કી કરી કહેવાય. આવી તાકાત દરેક ગુણની છે. સમ્યભાવ સાધક છે ને વસ્તુની જાતિ સિદ્ધ થવી સાધ્ય છે. આત્મા નામનો પદાર્થ છે, તેમાં જ્ઞાનની પર્યાય વડે એમ નક્કી કરે કે કોઈ પુણ્યની ક્રિયાથી ગુણ પરિણમશે નહિ. સમ્યભાવ તેને કહીએ કે જે દરેક ગુણને સમ્યક્ જાતિરૂપ નક્કી કરે તથા તે ગુણ સ્વયં પૂર્ણપણે પરિણમવાને લાયક છે. કોઈ રાગને લીધે નહિ કે નિમિત્તને લીધે નહિ. આવો સમ્યભાવ સાધક છે. દરેક ગુણ નિર્વિકલ્પ છે એટલે કે દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમે તેવો છે. કર્મનું આવરણ ટળે માટે ગુણ પૂર્ણરૂપે પરિણમે છે એમ નથી, પણ પોતાના કારણે પૂર્ણરૂપે પરિણમે છે. આવા ગુણની જાતિ નક્કી કરવી તે સમ્યભાવ છે ને ગુણની જાતિ પ્રગટ થવી તે સાધ્ય છે. મારો જ્ઞાનગુણ અભેદરૂપે પરિણમવાનો છે ને આવરણ રહિત પરિણમવાની તાકાતવાળો છે. મારો ચારિત્રગુણ ત્રિકાળ છે, તે અભેદપણે પરિણમે એવી તાકાતવાળો છે. સ્થિરતામાં એક અંશ ઓછો ન રહે ને આવરણ પણ ન રહે તેવો તેનો સ્વભાવ છે. આવી ચારિત્રગુણની જાતિ છે. જેવા ગુણ છે તેવા સમજવા જોઈએ. દ્રવ્યની જાતિ દ્રવ્યમાં, ગુણની જાતિ ગુણમાં ને પર્યાયની જાતિ પર્યાયમાં એમ નક્કી કરવું જોઈએ. આત્માના આનંદગુણની જાતિ એવી છે કે તે પોતે અભેદ થઈ પૂર્ણાનંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com