Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૧૭૨ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ વિકાર હોવા છતાં શક્તિ એવી ને એવી છે, તે અવસ્થા પ્રગટ થઈ
ત્યારે શક્તિ એવી ને એવી છે. આવી શ્રદ્ધા સુખનું મૂળ છે. પુણ્યભાવ સુખનું કારણ નથી. પર્યાયમાં સ્વભાવની શ્રદ્ધા કરી માટે સ્વભાવ નવો થયો? ના, ને પુણ્ય-પાપની રુચિ હતી ત્યારે સ્વભાવ ચાલ્યો ગયો હતો? ના, બન્ને વખતે જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા તો એવો ને એવો છે. પ્રમત્ત-અપ્રમત્તના ભેદો વખતે ભગવાન આત્મા એવો ને એવો જ છે. એવી શ્રદ્ધા કર. ધ્રુવ સ્વભાવની શક્તિ ને વ્યક્તિ એવા ભેદને ન જો. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે, આત્મા અનાકુળ શાંતિનો ભંડાર છે. મારી પર્યાય પૂર્ણરૂપે પ્રગટે તો તે શક્તિ ખરી, ને પ્રગટ ન થાય તો તે શક્તિ ખોટી-એ વાત છોડી દે. અંતરશક્તિ ધ્રુવરૂપ પડી છે. પીપરમાં ચોસઠ પહોરી તીખાશની શક્તિ બધે વખતે અંદર પડેલી છે, તેમ જ્ઞાન ને આનંદની તાકાતવાળો સ્વભાવ સદાય એવો ને એવો છે. ધ્રુવશક્તિ, સામર્થ્યશક્તિ કે ચિશક્તિ એવી ને એવી પડેલી છે. આવી પ્રતીતિ કરવી તે સુખનું મૂળ છે.
લીંડીપીપર નાની હોવા છતાં તેમાં પૂર્ણ તીખાશ પ્રગટવાની તાકાત છે; તેમ ચિદાનંદ આત્મામાં પૂર્ણ તાકાત છે. અંતર્મુખ દષ્ટિ કરે તોપણ એ જ તાકાત છે ને કોઈને અંતર તાકાત ન ભાસે તોપણ એ જ તાકાત છે. આવી પ્રતીતિ કરે તે અનુભવનું મૂળ છે.
જીવને લીંડીપીપરની તાકાત વિષે શંકા પડતી નથી. પોતે એમ ને એમ લીંડીપીપર ખાધી હોય તો પણ તેની તાકાતની શંકા પડતી નથી. કોઈને સિદ્ધપદ ન ભાસે તોપણ અંતરમાં તાકાત ભરેલી છે. “જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી.” વસ્તુ જ્ઞાયકમૂર્તિ છે, માટે શક્તિ ને પર્યાય વચ્ચે ભેદ ન પાડ, એવી શ્રદ્ધા સુખનું મૂળ છે.
પણ વર્તમાન ક્ષણિક દશાથી જુએ તો સુખ ન પામે. જેની દૃષ્ટિ શુદ્ધ ચિદાનંદ ઉપર નથી તે સુખ ન પામે. પર્યાયમાં અશુદ્ધતા છે તેની દષ્ટિ છોડ, અશુદ્ધદષ્ટિથી સંસાર થશે ને એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com