Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૭]
[ ૧૬૩
અને અશુભ પરિણામરૂપે પરિણમે છે વિભાવ વડે વૃદ્ધિ-હાનિ પામે છે, પણ અંત૨માં જાઓ તો આત્મા એકરૂપ બિરાજે છે, તે સમ્યગ્દર્શનનો વિષય છે.
ત્રીજા બોલમાં વ્યંજનપર્યાયની વાત લીધી હતી. આકૃતિઓ પલટતી હતી. છતાં અસંખ્ય પ્રદેશમાં ઓછાવત્તાપણું થયું નથી. કેવળદશા પામે કે નિગોદમાં રહે તોપણ નિશ્ચયથી એકપણું છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેમ અહીં કાળમાં અર્થપર્યાય લીધી છે. સમ્યગ્દષ્ટિ જીવ વ્યવહારને જાણે છે, પણ આદરતો નથી. વિભાવનું ઓછાવત્તાપણું પર્યાયમાં છે છતાં એકરૂપપણું મારામાં છે એમ તે માને છે. સામાન્યપણું દ્રવ્યનું તથા ક્ષેત્રનું કહ્યું ને અહીં સામાન્યપણું કાળનું કહ્યું તે સમ્યગ્દર્શનનો વિષય છે.
(૫) હવે, ભાવની વાત કરે છે. સોનામાં પીળાશ, ચીકાશ, વજન વગેરે અપેક્ષાએ ભેદ છે, ગુણભેદે ભેદ છે, પણ સોનું વસ્તુએ તો એક છે. તેમ આત્મામાં અનંત ગુણો છે, તે ગુણભેદનો વિકલ્પ ચિત્તના સંગે ઊઠે છે. હું જ્ઞાન છું, હું દર્શન છું-એવા ભેદ પડે છે, ગુણભેદે ભેદ છે. ગુણભેદનો વિકલ્પ કર્મના લક્ષ ઊઠે છે પણ વસ્તુમાં ગુણભેદ નથી. સોનામાં વાનભેદે, સ્પર્શભેદે ભેદ દેખાય છે, તેમ આત્મામાં અનંત ગુણો છે. તે ભેદ અને વિકલ્પ વ્યહારનયનો વિષય છે, પણ જ્ઞાન-દર્શનચારિત્ર કોઈના પ્રદેશો જુદા નથી, ગુણ-ગુણી પ્રદેશે અભેદ છે.
(૧-૨ ) વ્યવહારનયથી પર્યાયમાં કર્મનો સંબંધ છે, છતાં નિશ્ચયથી આત્મા કર્મથી બંધાયેલો નથી, તેમ જ સ્પર્શાયેલો નથી. દ્રવ્યે એકરૂપ છે.
(૩) વ્યવહારનયથી પર્યાયમાં અનેક પ્રકારના આકારો થાય છે, છતાં નિશ્ચયથી આત્મા ક્ષેત્રે અસંખ્યપ્રદેશી એકરૂપ છે.
(૪) વ્યવહારનયથી સ્વકાળે અનેક પ્રકારની અર્થપર્યાયોમાં હાનિવૃદ્ધિ થાય છે, છતાં નિશ્ચયથી આત્મા સ્વકાળે એકરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com