Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૫ ]
[૧૫૧
પણ પરસેવો નીકળે છે, માટે શરીર અરુચિમય છે, તેની કોઈ અવસ્થા તારાથી નથી ને તેનાથી તને સુખ નથી. વળી શ૨ી૨ મળમૂત્રની ખાણ છે. માટે તેની રુચિ છોડી. જ્ઞાનાનંદ સ્વભાવની રુચિ કર. આત્માને ચૂકી શરીરમાં સ્નેહ કરીને જન્મ-મરણમાં રખડો છો. તમારી પાછળ જન્મ-મરણ લાગી રહ્યાં છે. શરીર જન્મતાં હું જન્મ્યો, શરીર મરતાં હું મર્યો–એમ અજ્ઞાની માને છે–એમ અનાદિથી જન્માદિનાં દુઃખ સહ્યાં છે.
મોટા પુરુષની રીત છે કે તેથી સાથે જે હોય તેને તે ન છોડે, તેવી રીતનો ભાવ તેં કર્યો છે. અનાદિકાળનું શરીર મારું માન્યું તેને કેમ છોડયું જાય? શરીર, મન, વાણીને કેમ જુદાં કરાય ? આમ મહંત થઈશ નહિ. શરીર, મન, વાણીની ક્રિયા મારી છે એવી મિથ્યા માન્યતારૂપી પાપ છોડો તો મહંત થવાય.
શરીર તો પાપનું રૂપ છે, આત્મા જ્ઞાનાનંદ પવિત્ર છે. શરીરને પવિત્ર માની પોતાની પવિત્રતા ચૂકી ગયો છે, માટે તમે ધર્મના અંગને સમજો. શરીર અનંત ગયાં, તેને મારાં માની પકડી રહ્યા છો. શરીર, મન, વાણી ૫૨નું ધન છે, ૫૨ને લેવાની બુદ્ધિ મિથ્યાભ્રાંતિ છે. તેને છોડતો નથી તેથી અનંતકાળ દુ:ખી થયો. પર-પરિગ્રહની આદત છોડતો નથી. પોતે ચૈતન્ય ભિન્ન છે, તેની શ્રદ્ધા કરતો નથી.
હૈ આત્મા! તારી શાહુકારી તારા જ્ઞાન-ને આનંદમાં છે. હું દેવ થયો, પૈસાવાળો થયો, ઘણા નોકરનો સ્વામી થયો–એમ પરનો સ્વામી થયો તે ચોરી છે. નિજધન જ્ઞાન છે તેને ઓળખો.
લક્ષ્મી વગેરે ચીજો તેના કારણે આવે ને જાય છે છતાં ગાંડો જીવ માને કે મારે લીધે તે ચીજો આવે ને જાય છે.
“શરીરે સુખી તો સુખી સર્વ વાતે,” એમ અજ્ઞાની માને છે ને તેવા મનાવનાર પણ હોય છે તે બધું અજ્ઞાન છે. જ્ઞાનાનંદ હું છું, વિકાર કૃત્રિમ છે, શરીર પર છે-એવા વિવેકને ગ્રહો તો શાહપદ પામશો. શરીરનો એક રજકણ સાથે આવે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com