Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮]
[ શ્રી અનુભવ પ્રકાશ આ શરીર જડ છે, તેનાથી લાભ-નુકસાન છે એ માન્યતા મોટું પાખંડ છે. તે આત્મા સાંભળ્યો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી. તારા ચિદાનંદમાં ખામી પડી છે. જડને પોતાનું માનવું છોડ. શરીર જાદુ છે, તો પછી શરીરનાં સગાંવહાલાં, બૈરાં-છોકરાં તો તદ્દન જુદાં છે. “દષ્ટિએ દોલત છે, ” ચિદાનંદ આત્માની શ્રદ્ધા કરવાથી પોતાની અંતરદોલત પ્રગટે છે.
શરીર મારું નથી” એમ કોઈ ઓધે ઓધે કહે, પણ હું આત્મા છું તો શરીર ચાલે, વાણી બોલાય-એમ માનનાર શરીરને પોતાનું જ માને છે. આત્મા હોય તોપણ ઘણીવાર શરીર ચાલતું દેખાતું નથી. સંધિવા વગેરે વખતે જીવની ઇચ્છા હોવા છતાં શરીરની ચાલવાની ક્રિયા થતી નથી, કારણ કે શરીરની દશા સ્વતંત્ર છે.
અજ્ઞાની માને છે કે આત્મા પ્રેરક થઈને શરીરને ચલાવે છે, તે મૂઢતા છે. પરમાણુ દ્રવ્ય છે ને દ્રવ્યનું લક્ષણ સત્ છે. તે સત્ ઉત્પાદવ્યય-ધ્રુવ સહિત છે. નવી અવસ્થારૂપે ઊપજે છે, પૂર્વ અવસ્થારૂપે નાશ પામે છે ને ગુણોરૂપે ધ્રુવ રહે છે. આમ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે એમ સમજવું જોઈએ.
તું એક વાર સાંભળ. તું જ્ઞાનાનંદ છો, પુરુષ, સ્ત્રી કે નપુંસક કે દેવ તું નથી. પુણ્ય-પાપ પર્યાયમાં થાય છે તે મૂળ ચીજ નથી. પોતે
અવિનાશીપદરૂપ છે-આમ સમજે તો પોતાના પદમાં અવિનાશી પુરીનો રાજા થાય. પોતાનું જ્ઞાન થતાં પૂર્ણદશા થતાં અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનનો અપાર મહિમા છે, એવી શક્તિ ગુમ છે, તે પ્રગટ કરવાની પ્રતીતિ કર. પરને પોતાનું માની દુઃખ પામે છે. કોઈ મડદાને વસ્ત્ર, આભૂષણ પહેરાવે ને માને કે મેં પહેર્યા છે. મફતનો જૂઠું માને છે. શરીરને સ્નાન વગેરે કરાવ્યું પણ તે તો શરીરની અવસ્થા છે, છતાં તે અવસ્થા મેં કરી એમ માને છે. સ્ત્રી, વિષય, લાડવા, દાળ, ભાતને ભોગવી માને કે મેં ભોગવ્યા. એમ જડની ક્રિયાને પોતાની માને છે એ મૂઢતા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com