Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૨]
[૧૩૧ જણાવ્યો છે, જીવ ગતિ કરે ત્યારે ધર્મદ્રવ્ય નિમિત્ત છે, પણ તેથી જીવ પરાધીન છે-એમ નથી.
આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાન ને આનંદની લગડી છે. તેની રુચિ, જ્ઞાન ને રમણતાને અનુભવપ્રકાશ કહે છે. સર્વજ્ઞ પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાણીમાં આ કહ્યું હતું.
તારી ભાવનામાં અવિનાશી રસની ધારા ચવ્યા કરે છે. ગોળના રવામાંથી મીઠો રસ ઝરે છે, તેમ ધ્રુવ સ્વભાવનાં શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતામાં અવિનાશી રસ વહે છે. તે પર્યાય છે, પણ તે સાદિ અનંતકાળ સુધી ટકે છે, માટે અવિનાશી છે. ચિદાનંદની એકાગ્રતાથી અવિનાશી રસની ધારા વહે છે.
અજ્ઞાની પણ સ્વભાવે પ્રભુ છે, પર્યાયમાં ભૂલ્યો છે. બીજાનો સમજાવ્યો સમજે તેવો નથી ને સ્વભાવની રુચિ કરે તો તેને કોઈ ફેરવી શકે તેમ નથી. પ્રથમ પ્રતીતિ કર. અંતરષ્ટિ ને લીનતા સિવાય બીજો માર્ગ નથી. મિથ્યાત્વ ટાળવાનો એ જ ઉપાય છે. વ્યવહારનાં લખાણ આરો આવે તેમ નથી. વસ્તુમાં વાદવિવાદ નથી. પ્રથમ તો વસ્તુની રુચિ થવી જોઈએ. તારી ભાવનાથી જૂઠા ભવ બનાવ્યા. પુણ્ય-પાપની લાગણી, નિમિત્તની રુચિ ને વ્યવહારનો આદર-એની ભાવનાથી તું ધ્રુવ સ્વભાવને ચૂકયો છે ને તેથી જૂઠા ભાવ ઉત્પન્ન કર્યા છે. એવો બદફેલ એટલે કે ભવને ઉત્પન્ન કરવાનો ભાવ એક સ્વભાવકલ્લોલ પ્રગટતાં મટે છે. જ્ઞાયક સ્વભાવનો પર્યાય પ્રગટયો ત્યારે મિથ્યાભાવ મટી જાય છે. વસ્તુની આ મર્યાદા છે.
દેખ, તું ચેતન છો, આ શરીર વગેરે જડ-અજાણ છે, તેમાં તારું સુખ નથી છતાં માને છે. શરીર અનુકૂળ હોય ને વ્રત ખૂબ કરીએ તો સુખ થશે એમ માને છે.
તું મફતનો તેને ચોંટયો છે, તે તેને ચોંટતા નથી. અચેતન ચીજ તારી પાછળ પડી નથી. “મન વિના ધર્મ થાય? કાન વિના સાંભળાય ? કાળ સારો જોઈએ ને?” –એમ શરીરાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com