Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧૪, સોમ ૨૯-૧૨-૫૨
પ્ર.- ૨૩
આમા જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. તેની પ્રતીતિ ને લીનતા તે આત્માનો અનુભવ છે ને તે ધર્મ છે. તે અનુભવના સ્વાદ વિના અજ્ઞાની શું કરે છે તે વાત ચાલે છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. શરીર, કર્મ આદિ અજીવ છે, પુણ્ય-પાપ વિકાર છે; જડ અને વિકારની સાથે જે એકત્વબુદ્ધિ કરે છે તેને આત્માનો અનુભવ થતો નથી, તેને સંસારનો અનુભવ છે. શરીર, મન, વાણી, બૈરાં-છોકરાનો અનુભવ જીવ કરતો નથી. જીવ કાં તો સ્વભાવનો અનુભવ કરે અથવા વિકારનો અનુભવ કરે. રાગને અનુભવી અજ્ઞાની મજા માને છે.
જેમ કૂતરો હાડકાંને ચાવે છે અને તેથી પોતાનાં ગાલ, ગળું ને પેઢામાંથી લોહી ઊતરે તેને જાણે કે સારો સ્વાદ આવે છે. ત્યાં હાડકાનો સ્વાદ નથી પણ લોહીનો સ્વાદ છે; તેમ ચિદાનંદ આત્માની રુચિ છોડીને મૂઢ જીવ સ્ત્રી, લક્ષ્મી, લાડવા-દૂધપાક વગેરે જે પદાર્થો હાડકાં સમાન છે તેમાં સુખ માને છે. ત્યાં પર ચીજોનો સ્વાદ નથી પણ પોતાની એકાગ્રતારૂપી રાગનો સ્વાદ આવે છે. હરખ-શોક દુઃખમય છે. ચક્રવર્તી તથા ઇંદ્ર વગેરે સમકિતી સમજે છે કે પરમાં સુખ નથી. અજ્ઞાની પરમાં સુખ માને છે. અમારે બે-પાંચ લાખની મૂડી છે, અમારે મોટા મહેલ છે એમ માની તેમાં સુખ માને છે.
વિકારની પરિણતિ, હરખ-શોક બધો પરફંદ છે. જ્ઞાન ને આનંદસ્વભાવમાંથી આનંદનાં ઝરણાં આવવાં જોઈએ, તેને બદલે પર ચીજોમાં સુખ માને છે. પોતે સિદ્ધસ્વરૂપી છે તેને ભૂલી પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com