Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧૪, ગુરુ ૩૦-૧૨-૨૨
પ્ર.- ૨૪
કર્મ જડ છે. આત્મા તેના વડે બંધાતો નથી. કર્મથી બંધાયો તેમ કહેવું તે વ્યવહારકથન છે.
જડની શક્તિ નાની છે. તારી શક્તિ મોટી છે. તું કર્મમાં જોડાઈને રાગ કરે છે, એકલાં કર્મ જ હોત ને તારામાં ભૂલ ન હોત તો તારી શક્તિ હણાત નહિ, કેમકે તારી શક્તિ મોટી છે.
- તારી શુદ્ધ શક્તિ મોટી છે ને શરીર, વાણી, મન, પુણ્ય-પાપ મારાં છે, એમ માની ઊંધાઈ તું કરે છે. તે ઊંધી શક્તિ પણ મોટી છે. કર્મથી તને નુકસાન નથી, તે જડ છે, તેની નાની શક્તિ છે તારો શુદ્ધ સ્વભાવ મહંત છે. કર્મ કિંચિત્ રોકતાં નથી. જીવની મૂર્ખાઈ પણ મોટી છે. કર્મની જોરાવરી નથી. તારી ચિંતવણી તારે ગળે પડી છે. હું દયા પાળનાર છું, હું જાત્રા કરનાર છું-એવો વિકલ્પ મારું સ્વરૂપ છે, તે જ ચિંતવણી તારે ગળે પડી છે. જડ કર્મને ખબર નથી, ચૈતન્યશક્તિ પરમાનંદમય છે, તેને ચૂકી હું રાગી છું, હું ભક્તિ કરું છું, હું વિકારી થઈ ગયો-એવી માન્યતા ચોરાશીમાં રખડવાનું કારણ છે.
ચિદાનંદનું ચિંતવન કરે કે મારો જ્ઞાન ને આનંદ મારામાં છે તો ધર્મ ને અનુભવ થાય.
હું રાગી છું, હું પરનું ભલું કરી શકું છું તેવી ચિંતવણી અશુદ્ધ અનુભવ છે, તેને લીધે જીવ રખડે છે, કર્મ પકડતું નથી, કર્મ તો તારા જ્ઞાનનું જ્ઞય છે પણ અજ્ઞાની શરીરથી ને વ્યવહારથી ધર્મ માને છે તે માન્યતા તેને ચોરાશીમાં રખડાવે છે.
પરને દેખી પોતાને ભૂલ્યો. હું ચિદાનંદ છું એમ ચૂકી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com