Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
ફંદમાં સુખ માને છે. વ્યવહા૨૨ત્નત્રયનો જે રાગ છે તે પણ પરદ છે. તેને સુખનો કંદ માને છે. વ્રત, ભક્તિ આદિની વૃત્તિ ઊઠે તે વિકાર છે, તે આત્માનું સ્વરૂપ નથી. પોતાના શાંત સ્વરૂપમાં એકાગ્રતા છોડી રાગની એકાગ્રતા કરે છે તે દુ:ખ છે.
શરીરને અગ્નિની ઝાળ લાગે ત્યારે કહે કે મારે જ્યોતિનો પ્રવેશ થાય છે! જો કોઈ એ અગ્નિજવાળા બુઝાવે તો તેનાથી લડે, કેમ કે તેવો અજ્ઞાની જીવ અગ્નિને દેવી માને છે, તેથી બુઝાવનાર પ્રત્યે દ્વેષ કરે છે. અજ્ઞાની બાઈ પતિ પાછળ સતી થાય છે, તે બધો અજ્ઞાનભાવ છે. તે અગ્નિમાં પડે ને કોઈ બુઝાવે તો દ્વેષ કરે; તેમ લક્ષ્મી, કુટુંબ, મહેલ વગેરે તરફની તૃષ્ણા તે અગ્નિ છે. તેમાં કોઈ પદાર્થો કોઈ લઈ લ્યે, પૈસા લઈ લ્યે તો તેને શત્રુની જેમ દેખે ને ક્રોધ કરે. જ્યારે ધર્માત્મા તેવા પ્રસંગે વૈરાગ્યભાવના કરે છે.
વિચરતો વળી
સ્મશાનમાં,
“ એકાકી વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, ૫૨મ મિત્રનો જાણે પામ્યા યોગ જો.
99
અહો ! શ૨ી૨ મારે જોઈતું નથી, જેને જોઈતું હોય તે લઈ જાઓ. દુ:ખનાં નિમિત્તો લૂંટો તો લૂંટો, છેદો તો છંદો, બાળો તો બાળો, અમે તો આનંદમૂર્તિ છીએ, એમાંથી આનંદના ઝરણાં વહે છે. શરીરદિ દુઃખનાં નિમિત્તો છે. સિંહ આવે છે તેને શરીર ખોરાક માટે જોઈએ છે ને અમારે જોઈતું નથી. જેમ કોઈને ઘરમાંથી સર્પ કાઢવો હોય ને વાદી સર્પને લેવા આવે તો મેળ ખાઈ જાય છે; તેમ ધર્માત્મા અંતરસ્વરૂપમાં વધી ગયો છે, શરીર તેના કાળે છૂટશે, જેને શરીર જોઈતું હોય તે અમારા મિત્ર છે. ધર્માત્માને મિત્રદષ્ટિ છે. અમે આત્મા છીએ, શરીર કોઈનું લીધું લેવાતું નથી પણ અમે જ્ઞાનસ્વભાવી છીએ, ત્રિકાળ રહેના૨ છીએ. આમ સ્વભાવમાં સ્થિરતા થવાનો કાળ, શ૨ી૨ છૂટવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com