Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૦]
| [ ૫૫ થાય છે; તે વખતે જાણવાના પરિણામને અંતરમાં વાળવા તે ધર્મ છે. દેવ-ગુરુ-શાત્રે આ કહ્યું છે, દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેમાં જ્ઞાન વ્યાપેલું છે, દર્શન પણ ત્રણેમાં વ્યાપેલું છે. આમ જ્ઞાનને અંતરમાં વાળવું એ જ નિજ અનુભવનો માર્ગ છે. આ માર્ગ સર્વજ્ઞોએ જોયો છે. સ્વરૂપ પ્રાપ્ત કરવાનો માર્ગ સુગમ છે, પણ તેને દષ્ટિગોચર કરવો જ દુર્લભ છે. દયાદાનાદિ પરિણામ ઘણીવાર કર્યા છે, તેથી તે સહેલા લાગે છે. ખરેખર વસ્તુ તો સુગમ છે. ચૈતન્યના પરિણામ અને આધીન છે, માટે સુલભ છે, ખોટા અભ્યાસ વડે અંતર્મુખ ઉપયોગ કરવો દુર્લભ છે; કષાય મંદ કરીએ તો લાભ થાય, વ્યવહાર કરીએ તો લાભ થાય-એમ પરમાં ને વ્યવહારમાં રુચિ છે, તેથી અહીં દુર્લભ કહેલ છે.
રાગમાં કર્તાપણાની રુચિ છોડી ત્રિકાળી હું જ્ઞાતા છું—એમ રુચિ રાખીને દેખ તો જે કાળે જે રાગ થવાનો તે થવાનો, ને તેનું લક્ષ જ્યાં જવાનું ત્યાં જવાનું. પરપદાર્થો ઉપર ને રાગ ઉપર દષ્ટિ છે તેને સ્વ તરફ વાળવી એ જ સુખનો ઉપાય છે.
ધર્માત્મા કહે છે કે શ્રીગુરુના પ્રસાદથી હું એ માર્ગને પામ્યો છું. તેને ગુરુના સ્વરૂપની ખબર છે. જે દયા-દાનાદિના રાગથી ધર્મ મનાવે તે ગુરુ નથી. નિશ્ચયથી તો પોતાના આત્માથી માર્ગ પામ્યો છે, પણ વ્યવહારથી ગુરુના પ્રસાદથી પામ્યો એમ કહ્યું, તેમાં નિમિત્ત કેવાં હોય તે બતાવે છે તથા વિનય બતાવે છે. એમના પ્રસાદથી આ અનુભૂતિને પામ્યો છે.
મારો આત્મા પરથી પૃથક્ અખંડ જ્ઞાન-આનંદપણે અનુભવપ્રકાશમાં રહેલો છે. ધર્મનો નિવાસ મારા અનુભવપ્રકાશમાં રહેલો છે, તે ચિત્તમાં કે પુણ્ય-પાપમાં નથી. જાણવા-દેખવાના પરિણામ વડે પરિણામી એવા આત્માને પકડવો તે સુલભ છે, પણ ઊંધી દષ્ટિથી દુર્લભ લાગે છે. રાગ અને પરમાં પરિણામને રોકી દીધા છે તેથી સ્વભાવની રુચિ થતી નથી.
મારો સુખનિવાસ વચનગોચર નથી, ભાવનાગમ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com