Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ શ્રી અનુભવ પ્રકાશ જ્ઞાનપર્યાય હીણી થઈ શકે નહિ. જ્ઞાનની હીણી દશા થાય ત્યારે જ્ઞાનાવરણીય કર્મને નિમિત્ત કહેવાય. ત્યાં નિમિત્તનૈમિત્તિક સંબંધ સમજાવ્યો છે. આનંદના રસના પાકમાં કર્મ નિમિત્ત થાય એવું નથી. માટે તે બધાં કર્મો મારાં નથી.
હવે દયા, દાન, જપ, તપ, વગેરેના વિભાવની વાત કરે છે. વિભાવ સ્વભાવને મલિન કરે છે. રાગની મંદતા થતાં જે જ્ઞાનનો ઉઘાડ થાય, ને એકલા ૫૨ને પકડે તે ખરેખર ચૈતન્યની પર્યાય નથી.
(૧) શરીરની ક્રિયા તો અચેતન છે.
(૨) રાગાદિ પરિણામ વિભાવ હોવાથી આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, માટે તેને અચેતન કહેલ છે.
(૩) મિથ્યાદષ્ટિને રાગની મંદતા વડે થએલો જ્ઞાનનો ઉઘાડ અથવા ક્ષયોપશમભાવ ખરેખર ચૈતન્યની પર્યાય જ નથી, માટે તેને અચેતન કહેલ છે. જ્ઞાનીને જે જ્ઞાનનો ઉઘાડ છે તે સ્વ-૫૨ પદાર્થોને યથાર્થ જાણે છે. વસ્તુ ત્રિકાળ છે, જ્ઞાનગુણ ત્રિકાળ છે, તેની પર્યાય સ્વ-પર પ્રકાશક છે, પણ જ્ઞાનસ્વભાવને એકલો પર પ્રકાશક માનવો તે અજ્ઞાન છે. તે ચૈતન્યની જાત નથી. એકાંતે ૫૨ પ્રકાશક જ્ઞાનપર્યાયથી પોતાને લાભ થશે-એમ માનવું તે મિથ્યાત્વ છે, વિભાવ છે, તે સ્વભાવને મલિન કરે છે. વિભાવાદિ પરિણામ સ્વભાવ સાથે તન્મય નથી; માટે તે પણ મારા નથી. અંતર્મુખ પરિણામથી લાભ છે ને ૫૨ તરફના વલણથી નુકશાન છે. બાહ્યમાં લાભ માને તેને અંતરમાં વળવાનો અવકાશ રહેતો નથી.
મારું ચેતનાપદ હું પામ્યો. શરીર તે હું નહિ, કર્મ મને પાક આપે નહિ. વિભાવાદિ પરિણામ પોતાની પર્યાયનો અપરાધ છે, છતાં તે ત્રિકાળી સ્વભાવ નથી, મારું પદ જાણવા-દેખવાનું છે. રાગપદ કે શ૨ી૨પદ મારું નથી. આમ શ્રવણ કરે, ગ્રહણ કરે, ધારણ કરે, ને રુચિગત કરે તેને સુખ પ્રગટે.
ચેતનપદ કેમ પમાય ? આત્માનું લક્ષણ જ્ઞાન છે. આત્મામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com