Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦]
[ શ્રી અનુભવ પ્રકાશ એમ ન કહેવાય પણ દીકરો છે એમ કહેવાય. વ્યવહારમાં પણ એ રીત છે કે છતાને અણછતો ન કહે તેમ શરીર શૂલ ધૂળ છે, કર્મ સૂક્ષ્મ ધૂળ છે. તેમાં આત્મા નથી, પણ અંતરમાં આત્મા છે-એમ કહેવાય.
તે આત્મા રાગ અને કર્મમાં ન દેખાય, તેમ જ શરીરમાં પણ ન દેખાય, તેથી આત્મા ચાલ્યો ગયો છે એમ કહેવાય નહિ. વ્યવહારમાં રીત છે કે છતા પદાર્થને અછતો ન કરે, પણ હે ચિદાનંદ ! તારું તો આશ્ચર્ય આવે છે કે દર્શન-જ્ઞાન શક્તિ છતી હોવા છતાં મને દેખાય નહિ. મને જણાય નહિ, હું આત્મા હુઈશ કે કેમ? એમ કહે છે તે અચરજ લાગે છે.
પરણેલો માણસ વિદેશમાં બાર વરસ ગયો હોય, તેથી તેને કુંવારો ન કહેવાય; એમ અહીં કહે છે કે તું તારી છતી ચીજને ભૂલી ગયો છે. વિકારાદિ અણછતી ચીજને તે છતી કરી છે. જાણનાર-દેખનાર સ્વભાવ સત્ છે, તે છતી શક્તિ છે. લોકમાં કહે છે કે સત્ ન છોડવું. ચિદાનંદ ભગવાન આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રુવવાળો છે. જૂની પર્યાય ટળે છે, નવી પર્યાય ઊપજે છે ને ગુણોરૂપે ધ્રુવ રહે એવું સત્ તારા દ્રવ્યનું લક્ષણ છે. એવા છતા પદાર્થને અછતો ન કરાય. આવી છતી શક્તિ હોવા છતાં અણછતી રાખી છે તેનું કારણ કહેશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com