Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૮]
[૧૦૫ આ સમ્યગ્દર્શનની વાત ચાલે છે, તેને અનુભવ કહે છે. સ્વભાવમાં પરિભ્રમણ નથી-એમ શ્રદ્ધા કરે, મુનિઓને આનંદકંદમાં લીનતા હોય છે તેવા અનુભવમાં સ્થિર રહે, તેને ધન્ય છે.
પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તેના સમ્યકજ્ઞાનથી અવલોકન કરતાં અખંડ રસધારા વરસે તે અનુભવ છે. પુણ્ય-પાપ ખંડધારા છે, ચિદાનંદના આશ્રયે રસધારા વરસે છે, એમ જાણી મિથ્યાત્વભાવ મટાડે. વિકાર મારું સ્વરૂપ છે એવી માન્યતા મટાડે તો સમ્યગ્દર્શન થાય ને પરિભ્રમણ મટે.
ધર્માત્મા વિચારે છે કે હું શક્તિની ખાણ છું, સુખનિધાન છું, મારું જ્ઞાનસ્વરૂપ છે, પરમ પ્રકાશ છે, વ્યવહાર ને શરીરની ક્રિયાનો જાણનાર છું પણ કરનાર નથી. વળી જેને કોઈની ઉપમા નથી એવું મારું પદ છે.
આવું આત્માનું સ્વરૂપ છે. આકાશવત્ અવિકારીપદ છે. કર્મનું અવલંબન લીધું તેથી સંસાર થયો છે-એમ વિચારે છે. કર્મ આત્માને વિકાર કરાવતું નથી, સ્વભાવનું અવલોકન છોડી પુણ્ય-પાપના ભાવ કરે તે વિકાર ને સંસાર છે. જેમ આકાશને લેપ લાગતો નથી, વાદળાં આવે ને જાય તોપણ આકાશમાં લેપ લાગતો નથી, તેવો મારો આત્મા છે. શરીર, મન, વાણી આદિ આવે ને જાય તોપણ લેપ નથી. કર્મના નિમિત્તે લેપ લાગેલ છે પણ સ્વભાવમાં લેપ નથી.
પ્રશ્ન :- આનંદકંદ આત્મામાં પરના નિવાસનો અવકાશ નથી, કર્મ જડ-રૂપી છે ને આત્મા ચૈતન્ય-અરૂપી છે, તેમાં કર્મ વગેરે પરનો અવકાશ નથી, પણ સંયોગદષ્ટિ કરી સંસાર ઊભો કરે છે, ભૂલ કોઈએ કરાવેલ નથી, કર્મ આત્મામાં નથી, બન્ને ભિન્ન ભિન્ન છે, તો સંસાર અથવા ઉદયભાવ ક્યાંથી થયો?
સમાધાન - સોનાની ખાણમાં સોનું ગુપ્ત છે, કર્મરૂપી દળિયાંમાં ચિદાનંદ ભગવાન એવો ને એવો પડ્યો છે. ધૂળ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com