Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૯, ગુરુ ૨૫-૧૨-૫૨
પ્ર. - ૧૯
સ્વભાવસભુખનો પુરુષાર્થ એ જ અનુભવપ્રકાશ છે. અનંતા ગુણોના પિંડરૂપ સ્વભાવની પ્રતીતિ કરતાં જે મોક્ષમાર્ગ પ્રગટે છે, તે અનાદિ કાળથી કેમ પ્રગટયો નહિ? કર્મ કે ક્ષેત્ર કારણ નથી પણ પોતે વિપરીતરૂપે પરિણમે છે, માટે મોક્ષમાર્ગ પ્રગટતો નથી. આત્મામાં સમ્યકત્વ નામનો ગુણ છે, તેની ઊંધી અવસ્થા થઈ તેથી વિપરીતને
અવિપરીત માને, સ્વને પર માને, વિભાવને સ્વભાવ માને-આમ વિપરીત માને છે. કર્મોએ પરિણાવેલ નથી. આત્મામાં જ્ઞાન-દર્શન ગુણ છે, તે પરમાં અટકીને હીણા થયા છે. આત્મામાં સમ્યકત્વગુણ પોતાનો છે, પણ વિપરીત બુદ્ધિ કરીને મિથ્યાત્વરૂપ પરિણમ્યો. પુણ્યને હિતકર માને, સ્વભાવને દુઃખરૂપ માને, -એમ માની વિપરીતતા કરેલ છે. ઊંધી રમત કરે કે સવળી રમત કરે તે પોતે કરે છે. રમતિયાળ પોતે રમે છે, બીજી ચીજ કાંઈ કરતી નથી.
હવે, ચારિત્રગુણ આત્મામાં છે. જે યથાખ્યાતચારિત્ર સિદ્ધને પ્રગટ થયું તે ક્યાંથી પ્રગટયું? ચારિત્રગુણમાંથી તે પ્રગટે છે; પણ અનાદિથી શરીર, મન, વાણી, દયા-દાનાદિમાં તથા કામ-ક્રોધાદિમાં આચરણ કરે છે ને તેને સ્વઆચરણ માને છે, પણ તે બધો વિભાવભાવ છે. –આમ ચારિત્રગુણની વિપરીતતા કરી રહ્યો છે. અહીં ચારિત્રમોહનીય કર્મને યાદ કરેલ નથી. આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને આચરે ને રમે એવો ગુણ છે, તેને બદલે જડની ક્રિયાથી સ્વઆચરણ માને, શરીરના વીર્યથી આત્માના અંતવીર્યને મદદ થાય-એમ માને, બ્રહ્મચર્યના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com