Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૦].
[૧૨૩ અવગાઢ=નિશ્ચય પ્રતીતિ. અંતર્મુખ શક્તિને અવલોકતાં મોક્ષનગર નજીક આવે, એટલે કે પોતાની પૂર્ણ શુદ્ધતા નજીક થાય.
પોતે જ્ઞાયક ચિદાનંદમૂર્તિ છે એવી શ્રદ્ધા ને રમણતારૂપી પરિણતિના ખેલ કરી પોતે સંસારથી પાર થાય, તેમાં ખેદ નથી. જ્ઞાયક મારું સ્વરૂપ છે, તેમાં એકાગ્ર થતાં સંસારરૂપી દરિયો પાર કરી આનંદ પામે. આત્માનો રમતિયાળ ની રમત કરી મુક્તિ પામે છે.
સંસારદરિયામાં પુણ્ય-પાપના કલ્લોલો ઊઠે છે, ભ્રાંતિ, અજ્ઞાન ને રાગ-દ્વેષના કલ્લોલો ઊઠે છે, તેવા ભવસમુદ્રનો પાર ચિદાનંદના ખેલથી પમાય છે.
પુણ્ય-પાપ આદિ વિકારને મારા માની સંસાર વિષમનો આદર કર્યો છે. ભેદજ્ઞાન વડે ગુપ્ત શક્તિની પ્રતીતિ ને રમણતા કરી રમતમાત્રમાં સંસારનો પાર પમાય છે, પણ અજ્ઞાનીએ શુભાશુભમાં લીનતા કરવાથી સંસારને વિષમ કર્યો છે. પુણ્ય-પાપ મારાં તે સંસાર છે, ને સ્વભાવની પ્રતીતિ ને રમણતા કરી પૂર્ણ દશા પ્રગટે તે મોક્ષ છે. બને અવસ્થાઓ છે. પર્યાયમાં સંસાર છે ને તેનો અભાવ કરી મોક્ષ કરે તે પણ પર્યાય છે. નિજપરિણતિએ મોક્ષ છે ને પર પરિણતિએ સંસાર છે. નિજ આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા એવી નિજપરિણતિથી મોક્ષ છે, ને વિકારાદિ પરપરિણતિથી સંસાર છે.
સત્સંગથી ને અનુભવી જીવના નિમિત્તથી સ્વરૂપની નિજપરિણતિ થાય. અહીં જ્ઞાનીનું નિમિત્તપણું બતાવે છે. પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની પરિણતિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે થતી નથી, તેમ એકલા શાસ્ત્રના નિમિત્તની પણ વાત નથી. આવી રીતે વિષમ મોહ મટે ને પરમાનંદને ભેટે.
નિગ્રંથ સંતોએ સ્વરૂપ પામવાનો રસ્તો સહેલો કર્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com