Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૯]
| [ ૧૧૩ રસ જીવ લેતો નથી, પણ તે પ્રત્યેના રાગનો રસ લે છે ને ન ગોઠે ત્યારે દ્વેષનો રસ લ્ય છે. પોતાના આનંદને ચૂકી શોકને અનુભવે છે, શરીરની પીડાને ભોગવતો નથી પણ અરતિના પરિણામને ભોગવે છે. આ રીતે પરમાનંદશક્તિરૂપ ગુણ દુઃખ-વિકારરૂપ પરિણમ્યો. કર્મની વાત લીધી નથી. અંતર્મુખદષ્ટિ કર-એમ કહે છે. જગતમાં જે આનંદ મનાય છે તે બધું દુઃખ છે. એ રીતે જીવનો પરમાનંદગુણ દુઃખ-વિકારરૂપ પરિણમ્યો.
એ પ્રમાણે આ જીવના બીજા ગુણો જે-જે વિકારી થાય છે તે બીજા ગ્રંથોથી જાણવા. કર્તા નામનો ગુણ છે, તે રાગદ્વેષ કરી વિકારરૂપે પરિણમે છે. નિર્મળતા વ્યક્ત કરવાની શક્તિરૂપ કર્મગુણ છે, તે દુઃખરૂપ પરિણમે છે. કરણ-સાધન નામનો ગુણ વિકારનું સાધન કરી રહ્યો છે ને ઊલટો પરિણમે છે. સંપ્રદાન, અપાદાન, અધિકરણ, વૈભાવિક વગેરે ગુણો ઊલટા પરિણમે છે. જેટલા ગુણો ઊંધા પરિણમ્યા છે, તે ગુણોના વિકારને ચિદ્ધિકાર નામ કહેવું. ગુણ-ગુણની અનંતી શક્તિ કહી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ, સ્વચ્છત્વ, વિભુત્વ આદિ દરેક ગુણની અનંતી શક્તિ છે. એક સત્તા નામનો ગુણ છે, તે અનંતા ગુણોમાં વિસ્તર્યો છે, માટે ગુણની અનંતી શક્તિ કહેવાણી. એક આત્મામાં અનંતા ગુણો છે. દર્શન અસ્તિપણે, જ્ઞાન અસ્તિપણે, એવી અસ્તિપણાની અનંતી શક્તિ છે. બધા ગુણોની આસ્તિકયતા સત્તાથી થઈ. “છે' એવા ગુણથી અનંતા ગુણોની અતિ થઈ. જો સત્તા ન હોય તો તેનું અસ્તિત્વ કેવી રીતે હોય? તે ગુણોનું ઉપાદાનકારણ તે-તે ગુણ છે, પણ સત્તાગુણ નિમિત્ત છે. સત્તા ગુણ અનંતા ગુણોની જાહેરાત કરે છે. “છે' એવા ગુણે બધા ગુણોને શાશ્વત રાખ્યા. દ્રવ્યનું લક્ષણ સત્ છે. જ્ઞાનગુણ “છે” એમ કેમ કહેવાય? સત્તાને લીધે બધામાં “છે” –પણું વ્યાપેલું છે. દરેક ગુણ અસહાય છે, પણ તે ગુણ “છે” એ કેમ લાગુ પાડયું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com