Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮]
| [ શ્રી અનુભવ પ્રકાશ કેવળજ્ઞાન પ્રગટતું નથી. અંદર જે જ્ઞાન-દર્શનશક્તિ છે, તેની સન્મુખ થઈ જ્ઞાનનું જ્ઞાનપણે જાણવું તે સ્વ-સંવેદન જ્ઞાન છે ને તેના કારણે કેવળજ્ઞાન પ્રગટે છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે તેને વેદવામાં આવે તે મોક્ષમાર્ગ છે, રાગને વેદવામાં આવે તે સંસાર છે. જ્ઞાનનું વેદન જ્ઞાની જાણે, પણ અજ્ઞાની જાણે નહિ. તે તો રાગ-વ્રતાદિમાં ધર્મ માની સંસારને વેદે છે. પોતે પોતાને જાણતાં સ્વ-અનુભવ થયો તે પોતે જાણે, બીજા જાણે નહિ. અજ્ઞાનીને ભરોસો આવે નહિ. સર્વજ્ઞ થયા તે મારી જાતના છે. પોતે પોતાનો પુરુષાર્થ કરી પૂર્ણ થયા તે સર્વજ્ઞ છે ને સર્વજ્ઞશક્તિને પ્રતીતિમાં લાવી જ્ઞાનને વેધું તે મોક્ષમાર્ગ છે. પ્રમત્ત-અપ્રમત્તભાવ મારું સ્વરૂપ નથી, હું એકલો જ્ઞાયકભાવ છે. તેનું વેદન જ્ઞાની જાણે.
જ્ઞાનસ્વરૂપથી બહાર જેટલા વિકલ્પ ઊઠે તે સંસાર છે. વ્યવહારરત્નત્રયાદિનો વિકલ્પ સંસાર છે. આત્મા દેહ, મન ને વાણીથી જુદો છે, પુણ્ય-પાપ સંસાર છે, તેનાથી રહિત શુદ્ધ આત્માની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા તે મોક્ષમાર્ગ છે; બાકી રાગાદિ પરિણામ સંસારમાર્ગ છે.
જે જ્ઞાનાનંદ સ્વભાવ છે તેનાથી વિપરીત ભાવ સંસાર છે. જ્ઞાનસ્વભાવી આત્મામાં એકાગ્ર થવાથી અથવા ગુણ-ગુણીની અભેદતાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના પરિણામ આવે છે તથા વ્રત, તપ, જપ, દયા, દાન વગેરે શુભભાવ બધો સંસાર છે ને આત્માનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
આ વિધિ કબૂલ કરવાનું વીર્ય ન હોય તે જીવ અંતરપરિણામ લાગે ક્યાંથી?
જ્ઞાનાનંદનું સ્વરૂપ-આચરણ કરે અથવા અંશે સ્થિર થાય તે સાધક છે. સાધક અવસ્થામાં મોક્ષમાર્ગ છે. જ્ઞાનાનંદજ્યોતિના અવલંબને જે દશા પ્રગટે તે મોક્ષમાર્ગ છે ને પૂર્ણદશા થાય તે મોક્ષ છે. બાકી રાગાદિ પરિણામ કજાત છે-સંસાર છે. અજ્ઞાની જીવ કજાતને માહાભ્ય આપી સંસારમાં રખડ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com