Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧૦, શુક્ર ૨૬-૧૨-પર
પ્ર.- ૨૦
અનુભવપ્રકાશ કહો કે ધર્મ કહો ન, અહીં તેની વિધિ બતાવે છે. આત્મામાં સર્વજ્ઞસ્વભાવ શક્તિરૂપે છે તેમાંથી પર્યાયો પ્રગટે છે. જેને પૂર્ણપદની પ્રાપ્તિ કરવી હોય તેણે સર્વજ્ઞશક્તિની પ્રતીતિ લાવીને પુરુષાર્થનું જોર અંતરમાં વાળવું જોઈએ. પર્યાયમાંથી આવરણ ટળતાં પૂર્ણ જ્ઞાન પ્રગટ ન થાય એમ બને નહિ ને તેનું સાધન પોતામાં ન હોય એમ બને નહિ.
સર્વ જ્ઞાનના પ્રતીતિભાવમાં આનંદ વધ્યો, જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું. જે જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તેમાં જ્ઞાનબળની પ્રતીતિ કારણ છે, રાગ કે નિમિત્ત જ્ઞાનનું કારણ નથી. બીજું ઉપચારકારણ તો જાણવા માટે છે. આત્મા જાણનાર સ્વભાવી છે માટે તેમાં અજાણપણું રહે તેમ બને નહિ ને પુદ્ગલ અચેતન છે માટે તે જરાપણ જાણે તેમ બને નહિ. જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવી એ એક જ ધર્મનો પ્રાથમિક માર્ગ છે.
કેવળજ્ઞાન પ્રગટ નથી ત્યાંસુધી જ્ઞાન પરોક્ષ છે. સાધકનું જ્ઞાન રાગમાં અટકે છે, તોપણ જ્ઞાન જ્ઞાનને જ વેદીને સ્વજાતિનો આનંદ થાય તેનું નામ સમ્યગ્દર્શન-શાનઅચારિત્ર છે. તે જ્ઞાન સ્વરૂપનું થયું, સ્વ-સંવેદન થતાં જ્ઞાન સ્વરૂપનું થયું. જે જ્ઞાન એકલા રાગને નિમિત્તમાં અટકતું તે સ્વસંવેદન ન હતું. પોતાની પ્રતીતિના જોરે જે સ્વસંવેદના જ્ઞાન પ્રગટે છે મોક્ષનું કારણ છે. આ સાધકની વાત ચાલે છે.
આત્મા ચિદાનંદમૂર્તિ છે, તેનું એક અંશે વંદન થવું તે સર્વ સંવેદનનું અંગ છે. જ્ઞાન જ્ઞાનની જાતને વેદ (પુણ્ય-પાપને ન વેદ) તે કેવળજ્ઞાનનું અંગ છે. વ્યવહારથી કે દેહની ક્રિયાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com