Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
સમાધાન :- યોગી એટલે જોડાણ કરનાર. જે પર્યાય રાગમાં જોડતો તે અયોગી છે, ને આત્મામાં જ્ઞાનપર્યાયને જોડે તે યોગી છે તે સિવાય અન્ય કોઈ યોગી નથી. વેશધારી કે જટાધારી તે યોગી નથી. આત્માને સાધે તે યોગી છે. ભરત ચક્વર્તીને ૯૬૦૦૦ રાણીઓ હતી, છતાં આત્માનું ભાન હતું તેથી યોગી હતા. બાકી મુનિ થાય પણ આત્માનું ભાન ન હોય તે યોગી નથી જે આત્માના ભાનપૂર્વક ત્રણ કષાયને ટાળી મુનિ થયા, તે મહાયોગી છે ને સર્વજ્ઞપદ તેનું ફળ છે.
66
7)
જ્ઞાન મારું સ્વ-રૂપ છે. રૂપ એટલે વર્ણ-ગંધ નહિ, અરૂપી પણું મારું સ્વરૂપ છે. ચિદાનંદ મારું સુખધામ છે. એ મારું સ્વરૂપ છે. આવો અંતર્ગતભાવ તે જ મોક્ષનો ઉપાય છે. “ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. ચિદાનંદનું વલણ કરી અપૂર્ણ શુદ્ધતા પ્રગટે તે ઉપાય છે. તે ઉપાય વડે ઉપેય એટલે મોક્ષફળ પમાય છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ ”–આ એક જ રીત છે.
ઇન્દ્રપદ ને ચક્રવર્તીપદ આકુળતામાં નિમિત્ત છે. આમ જે ભવથી થાક્યો હોય તેને માટે આ વાત છે, પણ શેઠ થઈશું, પૈસાવાળા થઈશું
એવો ભાવ તે સંસારમાં રખડવાનો ભાવ છે. વર્તમાન પર્યાયને સ્વભાવ તરફ વાળતાં શુદ્ધપદ આરાધી શકાય છે, એ જ કલ્યાણની રીત છે. નિજપદ જ્ઞાનાનંદ છે, રાગાદિ તે નિજપદ નથી. મુનિવરો સ્વપંથને સાધીને સમાધિને પામ્યા. આધિ-સંકલ્પવિકલ્પ, વ્યાધિ-શરીરનો રોગ, ઉપાધિ-૫૨માં એકત્વબુદ્ધિ, તેનાથી રહિત અંતર્મુખ થવું તે સમાધિ છે. કુંભક અને રેચકની ક્રિયા તે સમાધિ નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણે સમાધિ છે. જેમ સૂર્યને અને અંધકારને એકપણું નથી. તેમ પુણ્યપાપ આંધળા છે, તેને મારા ચૈતન્ય સાથે એકપણું નથી. એવા આત્માને સાધીને નિગ્રંથ પુરુષો સિદ્ધપદને પામી અશરીરી થયા. આ સિદ્ધ દશા પામવાની રીત છે.
આત્મા પોતાને ભૂલીને મલિન થયો છે. એક રજકણ બીજા રજકણને અડે નહિ, તો પછી આત્મા રજકણને અડે તેમ બને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com