Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૬]
[૯૩ દયા પાળશું ને વ્રત પાળશું તો ધર્મ થશે-એમ અજ્ઞાની માને છે. પુણ્ય-પાપથી ધર્મ માની તેનું રક્ષણ કરવા માગે છે, તે જીવ પણ જડની સેવા કરે છે, ચૈતન્યને ભૂલી જાય છે. પરંતુ પોતાના આત્માનું ભાન કરે કે હું જ્ઞાનસ્વરૂપ છું, તો જૂઠ જાણી તજી દે છે. મૃગલાને સૂર્યના તાપના કારણે ખારી જમીનમાં પાણી દેખાય છે, ત્યાં જળ નથી પણ મૃગે જળ માન્યું છે. તેમ શરીરથી ધર્મ થાય, દાનથી ધર્મ થાય, પરની સેવા કરીએ તો ધર્મ થાય. એમ જે માને છે તે પરને આત્મા માને છે, અને આત્મા માનતો નથી.
ચિદાનંદ આત્માના જુદા જુદા વેષ દેખાય છે, તે આત્મા સાથે એકમેક થયા નથી. પૂણ્ય-પાપથી લાભ કે ધર્મ માને તે મૃગજળમાં પાણી માનવા બરાબર છે. માટે સાચી વસ્તુ જ્ઞાનથી જાણો. આત્મા જ્ઞાન ને આનંદથી ભરેલો છે. અજ્ઞાનથી થએલી ભૂલ જ્ઞાનથી ટળે તેમ છે.
શ્રીગુરુ વારંવાર આ સાર કહે છે કે તું જ્ઞાતા-દષ્ટા છો, રાગ કે શરીર સાથે મેળ કરવો રહેવા દે, પણ જ્ઞાન સાથે મેળ કર. વાણિયાનો છોકરો માછીમાર સાથે સંગ કરે તે શોભે નહિ. તેમ જ્ઞાનાનંદ સ્વભાવને વિકાર સાથે એકતાબુદ્ધિ કરવી ને તેનાથી કલ્યાણ થશે એમ માનવું તે ચૈતન્યને શોભતું નથી.
શ્રીગુરુ આમ સાચો ઉપદેશ આપે છે ને શિષ્યને ખ્યાલમાં આવે છે, છતાં અવિધાનું આવરણ છે. કર્મનું આવરણ કહ્યું નથી. પુણ્યપાપથી કલ્યાણ માને તે અવિધા છે, તેનું આવરણ છે તેથી જૂઠાને સાચું. માને છે. રસ્સીમાં સર્પ ત્રિકાળ નથી, તેમ આત્માના સ્વરૂપમાં પર મારું માનવા રૂપી ઊંધી માન્યતા નથી. આ શરીર હું અને આનાથી મને લાભ-એવી કલ્પના પર્યાયમાં ઊભી કરે છે, પણ તે કલ્પના ત્રિકાળી સ્વરૂપમાં નથી.
સંપૂર્ણ સમુદ્રના જળથી ધોવા છતાં દેહુ તો અપાવન જ છે, પરંતુ તેને પાવન માની રહ્યો છે. શરીરને પવિત્ર રાખું તો વિચાર સારા આવે-એમ અજ્ઞાની માને છે. જો તેમ હોય તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com