Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
[૯૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૩] એક રકમે પચીસ લાખનું દાન આપી રેકર્ડ તોડયું” – એમ કહી જડનો ધણી બનાવી હાંસી કરે છે. જગતમાં દ્રવ્યો પોત-પોતાને કારણે પરિણમે છે, છતાં અજ્ઞાની કહે કે મારાથી આ કામ થયાં. તેમ માનવું ને કહેવું તેથી હાંસી થાય છે. અનાદિથી હાંસી થઈ રહી છે. મનુષ્યદેહ મળવા છતાં પોતાના આત્માની સંભાળ ન કરી. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો” ની જેમ આત્માનું કલ્યાણ ન કરે ને જગતનું કલ્યાણ કરવા માટે રાગ કરે, રાગની રુચિ કરે છે. પોતે જ્ઞાનાનંદ હોવા છતાં રાગને ભલો માનવો તે હાંસી સમાન છે, છતાં લાજ ધરતો નથી. ફરી ફરીને એ જ જુઠી રીતને પકડે છે. જે જે શરીર ધારણ કર્યા તેમાં રુચિ કરીને જે જે પ્રકારનો રાગ કર્યો તેમાં રુચિ કરી છે ને હાંસી થઈ રહી છે, છતાં લાજ ધરતો નથી. ફરી ફરી એની એ જ જૂઠી વાતને પકડી છે.
તારા જ્ઞાનમાં ખોડખાંપણ નથી. એવું તારું પદ છે. “આંબલીનું નામ લેતાં મોઢામાં પાણી આવે” , “લાડવા બનાવવાની વિધિ બતાવે ત્યાં મોઢામાં પાણી આવે” , તેમ અહીં કહે છે કે તારા મલાવા કર્યો તને આનંદ આવે એવી તું ચીજ છો. કથા-વાર્તામાં એમ આવે છે. લક્ષ્મણે રાવણને માર્યો, ત્યાં લક્ષ્મણનું નામ સાંભળતાં ઉમળકો આવે છે, તેમ અહીં તારા આત્માની વાત સાંભળતાં ને કહેતાં આત્મબળ અને આનંદ ઊછળે એમ છે. એની વાત કરતાં અનુપમ આનંદ આવે એવું પદ છે.
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्व्यो भावि निर्वाण-भाजनम् ।।
(પદ્રનંદિપંચવિંશતિકા) જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. શરીર, મન, વાણી ને પુણ્ય-પાપ વિનાનો આત્મા જ્ઞાયક છે, એવી વાત સ્વલક્ષે સાંભળે તો આનંદ આવે એમ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com