Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૩]
| [ ૭૩ તો ત્રિકાળ છે, પર્યાયમાં વિકારનો અનુભવ કરવો તે અપૂર્વ નથી પણ અંતરમાં એકાગ્રતા કરવી તે અપૂર્વ છે. પોતાના આત્માની પર્યાય પોતામાં કેમ જોડાય તે કહીએ છીએ.
શરીર, મન, વાણી વગેરે પદાર્થોથી પરામુખ થઈ હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું એમ વારંવાર અવલોકન કરે. જે પરને જાણે તે પોતે કોણ છે-એમ વારંવાર અવલોકવાના ભાવ કરે તે અનુભવપ્રકાશ છે.
પ્રશ્ન :- પણ અંતરમાં તો કાંઈ દેખાતું નથી ?
સમાધાન - શું દેખાતું નથી ? પોતે દેખનાર છે, તે દેખવાનો પ્રયત્ન કરતો નથી તેથી દેખાતું નથી. શરીર, રાગ વગેરે જ્ઞાનની અસ્તિમાં જણાય છે, પણ અજ્ઞાનીને પોતાના જ્ઞાનનું માહાભ્ય આવતું નથી. નદીના એક કાંઠથી દસ માણસ ઊતરીને બીજે કાંઠે ગયા ને ત્યાં એક માણસ ગણવા મંડયો, તો તેને નવ માલૂમ પડયા, કેમકે પોતાને ગણતો નહોતો, તેથી એક જણ નદીમાં તણાઈ ગયો એમ માનીને રડવા લાગ્યા; તેમ આ શરીર, દુકાન, પૈસા, કોલસા છે એમ જ્ઞાનમાં જણાય છે, પણ તું કોણ છો? દષ્ટાંતમાં જેમ ગણનાર પોતાને ભૂલ્યો તેમ અહીં પોતે પોતાને એટલે જાણનાર ભૂલ્યો. અનેક પ્રકારના રોગ થાય છે, તેમાં આ સત્ય બોલવાનો ભાવ, આ પુણ્યનો ભાવ, આ ગુરુ પ્રત્યે બહુમાનનો ભાવ, આ દયાનો ભાવ એમ જાદું જુદું જ્ઞાન જાણે છે. ખરેખર તો તે જ્ઞાનનું જ્ઞાન છે, પણ અજ્ઞાની જીવ પરનું તથા રાગનું જ્ઞાન માને છે. જુદા જુદા રાગ થયા તેની રાગને ખબર નથી, તેને જાણનાર તો જ્ઞાન છે. જ્ઞાનસ્વભાવી પોતે છે એમ નહીં જાણતાં એકલા પરને જ જાણવું તે મિથ્યાજ્ઞાન છે.
અહીં કહે છે કે આત્મા વડુ જ્ઞાનવાન છે કે જેનાં વખાણ બહુ થાય છે. શાસ્ત્રો જેનાં ગાણા ગાય છે ને સર્વજ્ઞ જેને કહે છે. લોકો કહે છે કે “ચાલો વ્યાખ્યાન સાંભળવા,” પણ તે વ્યાખ્યાન કોનું? તે આત્માનું વ્યાખ્યાન છે. બધાએ આત્માનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com