Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦]
[ શ્રી અનુભવ પ્રકાશ પાન કરે. પૂર્ણાનંદ પદનું કારણ પોતાનો અનુભવ છે. આ કાળે અનુભવ થઈ શકે છે, આત્માના અંતરઆનંદનો રસ આવ્યો તેને અનુભવ કહે છે.
હે આત્મા! શુભરાગથી તારો પાર પમાય એમ નથી, અંતર્મુખ વિશ્રામ કરે તો થાક ઉતરે તેમ છે. પોતાના સ્વકાળમાં અનાકુળ સ્વભાવ પડ્યો છે. જડ ઇન્દ્રિય આત્માનું કાંઈ હુરતી નથી. તેના ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય તેના કારણે છે, તે મૂર્ત જડ છે અને આત્મા અમૂર્ત ચૈતન્ય છે. બન્નેનાં કાર્યો જુદાં છે, પણ જે જ્ઞાનપર્યાય પરને પોતાનાં માને તે ભાવેન્દ્રિય ચોર છે. તે જ્ઞાનપર્યાયને અંતરમાં વાળવી ને શરીરની માયા ભૂલવી એટલે કે શરીર મારાથી જુદું છે એમ માનવું. પોતે પરમેશ્વર સ્વરૂપ છે, મારો ભગવાન બીજો કોઈ નથી. પરમાણુની પર્યાય ઈશ્વર કે જીવ કરી શકે નહિ, જ્ઞાનીને શુભરાગ આવે છે પણ તેનાથી પરમાણુની અવસ્થા થતી નથી. ધર્મી શુભરાગને પણ અધર્મ માને છે. અજ્ઞાની જીવ ચિદાનંદની પુષ્ટિ ચૂકી બાહ્ય ક્રિયાકાંડની પુષ્ટિ કરે છે.
જ્ઞાનીએ કાયાની માયા ભૂલી પોતાનું સ્વરૂપપદ પોતામાં નિહાળ્યું. ભગવાન ઘટમાં નથી પણ અઘટઘટમાં એટલે કે શરીર વિનાના પોતાના સ્વરૂપમાં છે. જ્ઞાનાનંદ જલ શરીરના પરમાણુરૂપી કાંકરાથી જુદું છે. આવા જુદા તત્ત્વને નિહાળવું તે અનુભવ છે. મારું જ્ઞાન ઉપમા વિનાનું છે, તે મારામાં વ્યાપીને રહ્યું છે, રાગ સાથે વ્યાપ્યું નથી, -આમ અનુપમ ચિતૂપને ઓળખવું તે ધર્મ છે.
દયા-દાનાદિથી ધર્મ થાય છે, રાગ મારી ચીજ છે, એવા ભ્રમભાવને મટાડ્યો ને અંતરમાં દિવ્યશક્તિરૂપ ભગવાન દીઠો. ધ્રુવસ્વરૂપ અચલ વસ્તુ પડી છે, આવું ભાન થવું તેને સમ્યગ્દર્શનરૂપ ધર્મ કહે છે.
પ્રથમ શ્રવણ કરીને પોતાનું સ્વરૂપ ખ્યાલમાં લેવું જોઈએ. સ્વભાવમાં અભેદ થવાની ટેવ છે પણ રાગ સાથે અભેદ થવાની ટેવ નથી, પર્યાયને અંતરમાં એકાગ્ર કરવાનો જ અભ્યાસ થઈ ગયો છે, - એવી અભેદ ટેવવાળો દેવ દીઠો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com