Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧, બુધ ૧૭-૧૨-પર
પ્ર. - ૧૧
આત્માનો આનંદકંદ સ્વભાવ છે. તેની આનંદદશા સ્વરૂપશ્રદ્ધાથી થાય છે. તે સ્વરૂપશ્રદ્ધા કેમ થાય? તે કહીએ છીએ. રાગ કે પુણ્યથી અનુભવદશા થાય એમ કહ્યું નથી. સ્વરૂપશ્રદ્ધાથી આનંદનો અનુભવ થાય છે. જ્ઞાન તે આત્માનું લક્ષણ છે. રાગ, પુષ્ય, વ્યવહાર કે નિમિત્ત આત્માનું એંધાણ નથી. કેવું છે સ્વરૂપ? અખંડિત ગુણનો પુંજ છે તથા તેની પર્યાયનો ધરનાર છે. આમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે લીધા. તેની પર્યાય તેણે ધારી રાખી છે. વળી જ્ઞાનાદિ ગુણની પરિણતિરૂપ એટલે કે તેની પર્યાયરૂપ એવી નિજ વસ્તુનો નિશ્ચય થયો એ શ્રદ્ધા છે.
હવે ભેદ પાડીને કહે છે. શ્રદ્ધામાં નિર્ણય કર્યો છે કે જ્ઞાનનો સ્વભાવ જાણવા માત્ર છે, રાગ કરે કે નિમિત્ત લાવે કે દૂર કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી, પણ રાગ તથા નિમિત્તાદિને જાણનાર છે. નિશ્ચયથી પોતાને જાણનાર અને સ્વ-પરપ્રતિભાસરૂપ જ્ઞાન છે. દર્શન દેખવામાત્ર છે. વિકારને ઉપજાવે-ટાળે કે સંયોગોને લાવે કે છોડે એવું સ્વરૂપ નથી. સત્તા ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે. સતત નવી અવસ્થા ઊપજે, પૂર્વ પર્યાય નાશ પામે ને પોતે કાયમ ટકે એવી સત્તા છે. બીજાનું કરે તેવું આત્માનું સ્વરૂપ નથી. વળી વીર્યગુણથી પરને ચલાવે કે પરને સમજાવે તેવું બળ આત્મામાં નથી. વસ્તુમાં અનંતા ગુણોના સામર્થ્યની પ્રાપ્તિમાત્ર કાર્ય વીર્યનું છે. આમ શ્રદ્ધા કરવી જોઈએ. આત્મા કેવળ આવા ગુણોનો પિંડ છે. તેવી પ્રતીતિ-ભાવ કરવો તેને શ્રદ્ધા કહીએ. આવા ગુણોવાળો આત્મા છે, -એમ જે દેવ-ગુરુ-શાસ્ત્ર કહે તે પ્રત્યેની રાગસહિત શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધા કહે છે ને નિજસ્વરૂપની શ્રદ્ધાને નિશ્ચયશ્રદ્ધા કહે છે. આવી શ્રદ્ધા કરવાથી ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com