Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
[ ૬૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૧] કે આત્મા નથી, પણ જે સમ્યજ્ઞાન પ્રગટયું તે આત્મા છે.
અહીં એટલું વિશેષ છે કે આવરણ ટળવા છતાં જ્ઞાન જેટલું પરનું લક્ષ કરે તેટલું અશુદ્ધ છે, કારણ કે તે પરમાં અટકે છે. જ્ઞાન વિકલ્પ કરે તેટલું અશુદ્ધ છે ને પોતાનું કામ કરે તેટલું શુદ્ધ છે. જ્ઞાનનો ઉઘાડ સ્વજ્ઞયને પકડી લીન રહે તેટલું જ્ઞાન શુદ્ધ છે. અને જાણતાં... પરને જાણે તે રાગનું કારણ નથી પણ સ્વને ચૂકી પરમાં રોકાય તે અશુદ્ધ છે.
કેવળજ્ઞાન છદ્મસ્થ ને ગુપ્ત છે, વ્યક્તરૂપે નથી; પણ પરોક્ષ જ્ઞાનમાં ધર્માજીવ નક્કી કરે છે કે ત્રિકાળી શક્તિરૂપે નિરાવરણ છે તેની પ્રતીતિ કરી આનંદને વધારે અથવા ધર્મને વધારે છે. એક પછી એક નિર્મળતાના અંશોને ભેદથી જોવા તે વ્યવહાર છે, આત્મામાં અભેદતા થાય તે નિશ્ચય છે. જઘન્ય જ્ઞાની સમકિતી પોતાની શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય છે. એ નિશ્ચય છે. રાગની ભાવનાથી શુદ્ધ થાય છે એમ કહ્યું નથી.
“ જેવી મતિ તેવી ગતિ” –એ વચન છે. નિત્ય જ્ઞાયકમૂર્તિ છું એવી મતિ કરે તો કેવળજ્ઞાનનું પરિણમન થાય છે, રાગને મુખ્ય કરી મતિ કરે તો સંસારનું પરિણમન થાય છે.
- અજ્ઞાની જીવ દેહને મારો માને છે, તેથી દુઃખી થાય છે. તેને આત્માનું ભાન નથી, તેથી તેને મૃત્યુનો ભય લાગે છે. દેહની સ્થિતિ પૂરી થવી તે દુઃખનું કારણ નથી. એકતાબુદ્ધિ તે દુઃખનું કારણ છે. જેને આત્માનું ભાન છે તેને દેહના વિયોગ વખતે આનંદ થાય, દુઃખ ન થાય. -આમ પોતાની સમ્યક્રમતિથી કેવળજ્ઞાનનું પરિણમન થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com