Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦]
[ શ્રી અનુભવ પ્રકાશ અભેદ સ્વભાવની શ્રદ્ધા રાખે છે. જેમ છોકરી પોતાની માની શ્રદ્ધા રાખે છે, તેમ ધર્મી જીવ એકલા અભેદ સ્વભાવની શ્રદ્ધા રાખે, બાકી ગમે તેટલી પુણ્યની સામગ્રી મળે તોપણ ધર્મી લલચાતો નથી.
જેમ સૂર્ય ઉગતાં અંધકાર નાશ પામે છે, તેમ ચૈતન્યસૂર્યનો પ્રકાશ થતાં વિકાર મરી જાય છે ને શુદ્ધ વીતરાગી દશા થતાં આત્મા પણ પર્યાયમાં શુદ્ધ થાય છે. પુણ્ય-પાપના પરિણામ અનાત્મા છે. અનાત્મભાવ-પરિણામ મટાડી આત્મપરિણામ કરવા તેમાં કૃત્યકૃત્યતા છે. શુદ્ધ પરિણામ જ કરવા યોગ્ય છે, બાકી બધું અકૃત્ય છે. નિમિત્તો ને વ્યવહાર હોય ખરા, પણ તે સંસારભાવ છે. યોગી-ભાવલિંગી મુનિઓ જાણે છે કે શરીરની નગ્ન દશા જડની અવસ્થા છે, ૨૮ મૂળગુણ પાલનનો વિકલ્પ રાગ છે તે મુનિપણું નથી. આત્મામાં લીન થવું તે યોગીપણું છે. કુંદકુંદાચાર્ય, નેમિચંદ્ર આચાર્ય, પૂજ્યપાદસ્વામી આદિ આચાર્યો મહા યોગીશ્વર હતા. આત્મામાં જોડાણ કરવું તે યોગ છે, તેમાં પ્રધાન તે યોગીશ્વર છે, મુનિને નગ્નદશા જરૂર હોય છે. કોઈ વસ્ત્ર-પાત્ર રાખીને મુનિપણું માને તે મિથ્યાદષ્ટિ છે ને નગ્ન અવસ્થા થઈ માટે મુનિપણું છે-એમ નથી. ચિદાનંદ ભગવાનની શ્રદ્ધા જ્ઞાન ને લીનતા કરી આત્મામાં જોડાણ કરે તે યોગી અથવા મુનિ છે. મુનિઓ શરીરની નગ્ન અવસ્થાના ૨૮ મૂળગુણ પાલનની ક્રિયાના કર્તા તથા પ્રેરક નથી.
કોઈ મુનિ છઠું આવશ્યક કરે, ધ્યાન કરે, ધારણા કરે અને બાહ્ય સમાધિ કરે તે બધાં નિમિત્ત છે. તે પ્રકારનો વિકલ્પ આવે છે પણ આનંદકંદ સ્વભાવનો અનુભવ કરે તો તે બધાને નિમિત્ત કહેવાય. નિશ્ચય પ્રગટયા વિના વ્યવહાર કેવો? અજ્ઞાની જીવ વ્યવહારથી નિશ્ચય માને છે તે ભૂલ છે. પોતાનું સ્વરૂપ ચિદાનંદ ધ્રુવ છે, તેના પરિણામથી અનંત સુખ થયું, પોતાના પદની આસ્તિકયતા થઈ. મારા પદમાં આનંદ છે, અમૃતનો અનુભવ છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com