Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૧૨, રવિ ૧૪-૧૨-પર
પ્ર.- ૮
જેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે તેમ આત્માનો સ્વભાવ જ્ઞાન ને આનંદ છે. તેની પ્રતીતિ કરી આનંદનો અનુભવ થવો તે શાંતિનો ઉપાય છે. આવા આત્માને પર પદાર્થમાં મારાપણાની માન્યતા કેમ મટે? પોતે આનંદ અને જ્ઞાનરૂપ વસ્તુ છે તેની ઓળખાણ કરી નથી, તેથી પરમાં પોતાનું સ્વરૂપ માને છે. તે માનવાનું શી રીતે છૂટે તેનો ખુલાસો કરે છે. મારું સુખ મારા જ્ઞાનના વેપારમાં છે, અન્ય ઠેકાણે નથી. હું ચૈતન્યસ્વભાવને અનુસરીને થતા જાણવા-દેખવાના ભાવોને ધારક છું, પણ તે સ્વભાવને ભૂલી ગયો છું, ને અનુપયોગ અર્થાત્ શરીર, મન, વાણી તથા પુણ્ય-પાપની લાગણીઓ કે જે જડ છે તેમાં અનાદિકાળથી રત થયો છું. તે મારાં ને હું એનો એમ માની રહ્યો છું. અનંત આનંદના સ્થાનરૂપને ભૂલ્યો છું તેથી જડ પદાર્થો તથા રાગને મારા માન્યા છે. તેથી સુખ ક્યાંથી થાય? ન જ થાય. આત્મા ત્રિકાળ આનંદસ્વભાવી પદાર્થ છે. તેને ભૂલી વિકાર તથા જડને મારા માની આનંદ ચૂક્યો છું, તેથી ધર્મ કેમ થાય? શાંતિ કેમ મળે? દેહ દેવળના રજકણથી આત્મા જુદો છે. નિજાનંદ સ્વરૂપ વિકારની આડમાં દેખાતું નથી, વિકારને જ પોતાનું સ્વરૂપ માને છે, તેથી દુઃખી થઈ રહ્યો છે. ચિદાનંદભગવાન પોતાને ભૂલી પોતાના ચૈતન્યપ્રકાશને નહિ માનતો, શુભાશુભ રાગને કરવા જેવા માને છે તેથી સુખ પામતો નથી.
હવે ધર્માત્મા વિચાર કરે છે કે મેં તે ઉપયોગના પ્રકાશને સાક્ષાત્ યોગ્ય સ્થાનરૂપ કર્યો છે અજ્ઞાનવડ જાણવા-દેખવાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com