Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૮].
[૪૫ માને છે. શરીરને સરખું રાખો, સાત્ત્વિક ખોરાક ખાઓ તો પરિણામ શુદ્ધ થશે, -એમ માની શરીરાદિમાં આત્માને શોધે છે. પર્વતના એકાંત સ્થાનમાં કે શરીરની ક્રિયામાં આત્મા નથી, જાણવા-દેખવાનો પ્રકાશ શરીરમાંથી આવતો નથી, નોકર્મરૂપી ગુફામાં તેને કાંઈ દેખાતું નથી; ચકરાવો થઈ રહ્યો ત્યારે તે પરિણતિ ફરવા લાગી.
શ્રીગુરુ પૂછે છે કે – “તું શું શોધે છે?” ત્યારે પરિણતિ કહેવા લાગી કે “મારા રાજાને ખોળું છું, પણ તે અહીં દેખાતો નથી.”
અહીં ગુરુ કેવા હોય તે બતાવે છે. પોતાની પરિણતિ શરીરમાંથી આવે ને શરીરથી ધર્મ થાય-એમ મનાવે તે સાચા ગુરુ નથી.
શ્રીગુરુએ કહ્યું કે તારો રાજા અહીં જ છે, શરીરમાં નથી. તારા જાણવા-દેખવાના પરિણામ પર તરફ વળે છે તે હવે શરીરાદિ પર તરફ વાળીશ નહિ, અંદરમાં જા. અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં તારો રાજા રહે છે. તે ત્રીજી ગુફાનું નામ ભાવકર્મગુફા છે. તારા હાથમાં રહેલી દોરી આ ગુફા સુધી આવી છે. તે દોરી તેના હાથની હુલાવી ચાલે છે. જો તે ન હોય તો દોરી પોતાની મેળે ન ચાલે. જાણનાર વસ્તુ ન હોય તો આ શરીર છે ને આ રાગ મને થયો એવું જાણવાનું બનત નહિ, માટે વિચારીને એ શક્તિ અથવા દોરીને અનુસરીને ચાલ્યો જા. દોરીને છોડીશ નહિ. ત્યાંથી એ પરિણતિ પેલી દોરીના આધારે દ્રવ્યકર્મગુફામાં પસી જુએ છે કે આ દોરીની ક્રિયા કોણ કરે છે?
શરીરમાંથી ખસીને કર્મ ઉપર આવ્યો છે, કર્મ ઘટે અથવા પુણ્ય બંધાય તો કાંઈ હાથ આવશે કે નહિ તેમ વિચાર કરે છે. કર્મની સ્થિતિ-રસ ઘટાડીએ તો આત્મા મળે એમ કર્મમાં આત્માને શોધવા માંડયો.
આ કોણ હલાવે છે? વિચાર કરે છે કે મેં જેવા ભાવ કર્યા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com