Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ થાય એમ જ્ઞાન જાણે. વળી સ્વરૂપનું જ્ઞાન જ અનુપમ પદનું સર્વસ્વ છે. આત્મા જ્ઞાન અને આનંદનો પિંડ છે, તે જ્ઞાન સર્વસ્વને જાણે. એ જ મારું ધન છે. કોઈ પુણ્ય-પાપ કે નિમિત્ત સાધન નથી. ટૂંકી વિધિથી અંતરની વાત કરી છે. એ સ્વરૂપના જ્ઞાન વિના પરને પોતાનું માની અજ્ઞાની દુઃખી થાય. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે :
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.
સ્વરૂપના જ્ઞાન વિના એટલે કે મારો આત્મા નિત્યાનંદ છે તેની સમજણ વિના, તેના તરફ સ્વસમ્મુખદશા થયા વિના, રાગ અને શરીરની ક્રિયાને અજ્ઞાની મારી માની દુઃખી થઈ રહ્યો છે ને ચાર ગતિમાં રખડે છે, અનંત દુઃખો ભોગવી રહ્યો છે.
હવે પ્રશ્ન પૂછે છે કેઃ- પરની માન્યતા કેમ મટે? હજારો રૂપિયાની કમાણી થાય ત્યાં હર્ષ આવે, વિષયમાં મજા આવે, દીકરાના શબ્દથી રાજી થાય –આમ પર પદાર્થમાં પોતાપણાની માન્યતાથી હર્ષ માને છે, વિકારમાં દુઃખ હોવા છતાં સુખ માને છે, તે જીવ હું આનંદસ્વરૂપ છું-એમ ક્યારે માને? પર તરફની વૃત્તિ તૂટે તો માને. પરમાં ઠીક પડે છે એવી માન્યતાવાળાને પરમાં અમો છીએ ને પર પદાર્થો તે જ અમો છીએ-એ માન્યતા રહેલી છે, પર ચીજને લીધે મજા છે અથવા દુ:ખ છે-એવી માન્યતા પરને પોતાનું માન્યા વિના હોઈ શકે નહિ. તે માન્યતા કેવી રીતે મટે ?
સમાધાન :- હું જ્ઞાનસ્વરૂપ છું ને રાગ-દ્વેષાદિથી જુદો છું. એવા ભેદજ્ઞાન વડે નિજના અંશને તથા પરને ન્યારા ન્યારા જાણે. જ્ઞાનનો અંશ રાગને જાણે, દર્શનને જાણે. સમ્યકજ્ઞાન સ્વભાવસમ્મુખ થતાં થાય છે. રાગાદિ પરિણામ પરસનુખ થતાં થાય છે. તે અંશ મારો નથી એમ ભેદજ્ઞાન દ્વારા બંનેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com