Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬]
[ ૩૧
૫. અસંખ્યભાગ હાનિ, ૬. સંખ્યભાગ હાનિ-એ છ છ પ્રકારે ગુણ હાનિવૃદ્ધિરૂપ પરિણમન થયા કરે છે. એવા છ ભેદોરૂપે પરિણતિ આ અનિત્ય ગુણને લીધે થાય છે. પોતાનું પ્રયોજનરૂપ કાર્ય કરવું છે તે અનિત્યને લીધે થાય છે. આત્મા સર્વથા કૂટસ્થ નથી પણ તેમાં સમયે સમયે નવી નવી અવસ્થા થયા કરે છે. અનિત્યગુણ ન હોય તો પર્યાયમાં નવાં નવાં કાર્યો થઈ શકે નહિ. આત્મા નિત્યપરિણામી છે. આત્મામાં નિત્ય અને અનિત્ય એવા બે ગુણો છે.
૪૯. ભેદ :- જો ભેદ નામનો ગુણ ન હોય તો દ્રવ્ય-ગુણનો ભેદ રહેત નહિ. આત્મા દ્રવ્યે એક છે ને ગુણો અનંત છે. જો ભેદ ન હોત તો આત્મા એક તેમ જ ગુણ પણ એક થઈ જાત અથવા ગુણો અનંતા હોવાથી આત્મા પણ અનંત થઈ જાત, પણ એમ બને નહિ. દ્રવ્યે એક છે ને ગુણો અનેક છે. આમ દ્રવ્ય-ગુણમાં ભેદ છે. તે ભેદગુણને લીધે છે.
ધર્મ કરનારને આવું યથાર્થ જ્ઞાન થવું જોઈએ. પરમતત્ત્વના શ્રવણની જિજ્ઞાસા નથી તે આ સાંભળવા ન આવે, પણ ક્રિયાકાંડમાં ૨સ લીધા કરે. તત્ત્વની વાત સાંભળવી દુર્લભ છે, ને પછી ગ્રહણ કરવી ને ધારણ કરવી દુર્લભ છે, પછી રુચિગત કરવી દુર્લભ છે.
૫૦. અભેદ :- જો અભેદ નામનો ગુણ ન હોય તો ગુણ ને દ્રવ્યના પ્રદેશો જુદા થઈ જાત. શરીર, મન, વાણીથી જુદો આત્મા વસ્તુરૂપે એક છે, તે અભેદગુણને લીધે છે. અભેદ ગુણ ન હોય તો દરેક ગુણ દીઠ એક એક વસ્તુ થઈ જાત એટલે કે વસ્તુ અનંતી થઈ જાત, પણ એમ બનતું નથી. આત્મામાં અનંતા ગુણો હોવા જતાં દ્રવ્ય ને ગુણ પ્રદેશે અભેદ છે. તે અભેદગુણને લીધે છે.
૫૧. અસ્તિ :- જો અસ્તિગુણ ન હોય તો આત્મા પરરૂપ થઈ જાત, ને તો આત્માની નાસ્તિ થઈ જાત, પણ એમ હોતું નથી. અસ્તિગુણથી પોતે સદાય ટકી રહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com