Page #1
--------------------------------------------------------------------------
________________
થilllllllll
Illllllllll IDMIlIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
ગ્રંથ અને ગ્રંથકાર
પુસ્તક: ૧? લેડી વિદ્યાબહેન ર. નીલકંઠ
ગ્રંથે પરિચય સાથે.
lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
સને ૧૯૬૦
llllll
તૈયાર કરનાર, હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ, બી. એ.,
IIIIIIIIIIIIIIIIIIIIIIllllllllllllllllllllllllllllllllll
કિસ્મત એક રૂપિયા
milllllAlli
lllll
Page #2
--------------------------------------------------------------------------
________________
સંવત્ ૧૯૮૬ આવૃત્તિ ૧ લી
ઈ. સ. ૧૯૩૦
પ્રત ૧૬૦૦
અમદાવાદ—ધી “ડાયમંડ જ્યુબિલી ” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
પ્રકાશક,
ગુજરાત વર્તાકયુલર સાસાઇટી તરફથી . હીરાલાલ ત્રિભાવનદાસ પારેખ, આસિ॰ સેક્રેટરી. અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પરિચય ગ્રંથ અને ગ્રંથકાર એ પુસ્તકના પ્રકાશનનું પ્રયોજન બતાવવાની ભાગ્યે જ જરૂર હોય. પ્રસ્તુત પુસ્તકની યોજના ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ કરી ત્યારે એમાં છબીઓ આપી એને વધારે સુશોભિત કરવાને ઈરાદો હતો, પરંતુ એ જને અમલમાં નથી મૂકી શકાઈ તે અમારી દિલગીરી છે. પૂરતી છબીઓ મળી શકી નથી, એ અને બીજા કારણોથી આ વર્ષ એ બાબત પડતી મૂકી છે. હવે જ્યારે નવેસરથી એ પુસ્તક છપાશે ત્યારે એ ધારણું પાર પડશે એવી ઉમેદ છે.
સદરહુ પુસ્તકની ઉપયોગિતા દેખીતી છે. ગુજરાતી સાહિત્ય અત્યારે એટલી કક્ષાએ પહોંચ્યું છે કે તેના શિષ્ટ ગ્રંથ-ગ્રંથકારોનો પરિચય આવકારદાયક થઈ પડે. આવી એકત્રિત કરેલી માહિતીની કીમત હાલ કરતાં ભવિધ્યમાં અનેકગણું વધી જવા સંભવ છે. અમુક નાટક પ્રેમાનંદનાં કે નહીં એવા સંશયગ્રસ્ત ને પાછળથી ઉભા ન થાય એ કાર્ય આવું પુસ્તક કરી શકે. જુના વખતના એટલે સો વર્ષ પૂર્વે લખાએલા ગ્રંથો કેટલાક નાબૂદ થઈ ગયા છે, તેમનાં નામ અને તેમના કર્તાઓનાં નામ શિષ્ટ સાહિત્યમાંથી લગભગ નષ્ટ થઈ જવા આવ્યાં છે. પ્રાચીન કાળના હસ્તલિખિત ગ્રંથ પરથી કર્તાનાં નામ શોધવાં, તેની સાલ કાઢવી વગેરે મુશ્કેલીઓ નવા જમાનામાં જણાતાં તેના નિવારણ તરીકે પ્રસ્તુત પુસ્તક જેવાં પુસ્તક પાછળના જમાનાને માહિતીનું આધારભૂત સાધન પૂરું પાડે એવો સંભવ છે.
સાહિત્યમાં આગળ વધેલા બધા દેશમાં આ પ્રકારની સાધન સામગ્રી જોવામાં આવે છે, અને તેને પ્રતિદિન વધારેને વધારે સમૃદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ આ પુસ્તક માત્ર આરંભ રૂપે જ પ્રકટ કર્યું છે. ઘણા ગ્રંથકારે તેમાં રહી ગયા હશે. તે સર્વેને સોસા ઈટીનું જાહેર આમંત્રણ છે કે તેઓ કૃપા કરી પોતાની તરફથી હકીકત મોકલી આપે જે નવીન આવૃત્તિમાં દાખલ થઈ શકે. આવું પુસ્તક પ્રતિ વર્ષે નહીં તે બે ત્રણ વર્ષે નવું પ્રકટ થાય એ ઈષ્ટ છે. તે જ પ્રગતિમાન સાહિત્યની સાથે સાથે એ માહિતી સંપૂર્ણ રહી શકે.
વિદ્યમાન ગ્રંથકારને આમાં પરિચય છે. એ હકીકત તેમના પિતાના તરફથી મંગાવેલી અને પુરી પાડેલી હોવાથી ઘણે ભાગે માત્ર bare facts જ મોકલવામાં આવે એ સ્વાભાવિક છે. બીજાના મુખમાં શેભે એવી
Page #4
--------------------------------------------------------------------------
________________
કેટલીક હકીકતા જાતે મેાકલતાં સ`કાચ થાય એ પણ બનવાજોગ છે. સાસાઇટીની આપીસ તરફથી એ હકીકતાને વણી લેવા અને જાણીતી વાતા બહાર આણવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે.
શરૂઆતમાં કરેલા ૧૯૨૯ ના ગ્રંથ-પ્રકાશનના અવલેાકન પરથી જણાશે કે આપણા સાહિત્યનાં કેટલાંક અંગે! વિકાસ પામ્યાં છે અને કેટલાંક હજી અવિકયાં રહ્યાં છે. બાળસાહિત્ય એ આ દશકામાં પ્રમાણમાં ઘણી પ્રગતિ પામ્યું છે અને હજી પણ પામે એવાં ચિહ્નો જણાય છે. વિજ્ઞાનના સાહિત્યમાં નહીં જેવી પ્રગતિ થઇ છે એ આ વિજ્ઞાનના જમાનામાં અસહ્ય છે. આપણા વિજ્ઞાનવેત્તાએ હજી આપણી ભાષા તરફ જોઇએ તેટલા આકર્ષાયા નથી એ સિદ્ધ થાય છે. પારિભાષિક શબ્દોના અભાવ એ જો કાઇ તેનું કારણ તાવે તે સ્વીકારી શકાય તેમ નથી. ઉલટું સાહિત્યને અભાવે શબ્દના અભાવ છે અને શબ્દો તેથી જ રૂઢ થવા પામતા નથી. શબ્દોની મુશ્કેલી હશે પણ તે નિવારી ન શકાય તેવી નથી.
છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્યમાં અને તેના પ્રચારમાં થયેલા વધારાનુ' માપ એકલા ગ્રંથા પરથી જ તે કાઢવામાં આવે તે એ સાહિત્યને અન્યાય થાય. માસિકે અને વમાનપત્રા દ્વારા વિવિધ પ્રકારનું સાહિત્ય પ્રચાર પામે છે. સેકડે! લેખકે તે લખે છે. ગ્રંથકાર થવાની લગભગ પ્રથમ ભૂમિકા એ સમાં છે એમ કહીએ તે ખાટું નથી. ગ્રંથેામાં નહીં ખેડાએલા વિષયેાને પણ એમાં સ્થાન મળે છે. જો કે એ સાહિત્ય ચિરસ્થાયી નથી છતાં જનતાને કેળવવાનું મહેલું કાર્ય એ કરે છે એ નિઃસંશય છે; વાર્તાએ, મુસાફરીના લેખા, અશાસ્ત્રના લેખા, વિજ્ઞાનના લેખા, કાવ્યા વગેરેને ભારે સમૂહ માસિકે અને વર્તમાન પત્રામાં પ્રસિદ્ થાય છે. સર્વે લેખકેાને તેને ગ્ર ંથરૂપે બહાર પાડવાની અનુકૂળતા ન હાય એ માની શકાય તેવું છે. એમાંના કેટલાક વર્તમાન પત્રા અથવા માસિકાના દૃષ્ટિબિન્દુથી લખેલા એટલે ઉંડા ચિંતન વાળા નહીં હૈાય પણ ગંભીર લેખા પણ શિષ્ટ પત્રામાં હોય છે એ નિર્વિવાદ છે. વર્તમાન પત્રાની વીસ વરસ પરની ફાઇલા જુએ તે હાલની જીએ તેા આ ભેદ સ્પષ્ટ જણાશે અને એના એક મુખ્ય ચિહ્ન તરીકે પાની ભાષા એ પોતે મહાટા પુરાવા છે. આપણી ભાષામાં અસૂચન કેટલું બધું વધ્યું છે, પ્રયાગા કેટલા વધારે વપરાય છે, અને સામાન્ય રીતે ભારે ગણાતા શબ્દો હવે રૂઢ થઈ ધરગથુ વિષયા માટે પણ વપરાશમાં આવ્યા છે. આનું એક દૃષ્ટાંત યાદ આવે છે;
Page #5
--------------------------------------------------------------------------
________________
જે નોંધવાથી સમજાશે. આજથી ઘણાં વર્ષ પૂર્વે અમદાવાદ પ્રાર્થના સમાજ તરફથી પ્રાનામાળાનું પુસ્તક છપાએલું તેની પાછળ કઠણ શબ્દોને એક કાષ આપેલા છે. એ કાષના અડધા ઉપરના શબ્દો હવે એટલા પ્રચલિત થઇ ગયા છે કે તેના અથ જણાવવાની અત્યારે જરૂર પણ ન રહે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ એટલે શબ્દસમૃદ્ધિ પણ વધતી જાય છે એ સાહિત્યના વિકાસનું શુભ ચિહ્ન છે. ભાષામાં વિચાર પ્રદર્શિત કરવાની જેમ જેમ વધારે જરૂર પડે છે તેમ શધ્યેાજના વિસ્તૃત થતી જાય છે.
ગુજરાત વર્નાક્યુલર સેાસાઇટીએ આ પુસ્તક પ્રકટ કરી જે કાય કરવાના પ્રયત્નને શુભ આર્ભ કર્યાં છે તેની સફળતાનેા તમામ આધાર ગ્રંથકર્તીના સહકાર ઉપર રહેલા છે. જેટલે જેટલે અંશે એ સહકાર વધશે તેટલે અંશે ભવિષ્યની આવૃત્તિએ વધારે મહત્ત્વવાળી થશે. જે ગ્રંથકારાને આમંત્રણ આપવાનું રહી ગયું હાય અથવા જેમણે આમંત્રણના જવાબ ન આપ્યા હોય તેમને આગ્રહપૂર્વક વિનંતિ કરવાની કે આ કાર્ય જાત— માહિતીની જાહેરાતનું નથી; પરંતુ એક વિશિષ્ટ પુસ્તક, ગુજરાતી સાહિત્યની સેવા બજાવવાની ઇચ્છા રાખે છે તેને સહાયતા કરવાનું છે એમ માની હકીકત પેાતાની તેમ જ પેાતાની જાણુના ખીજા ગ્રંથકારાની મેાકલાવી સહકાર કરવા.
આ પુસ્તકની અપૂર્ણતાએ પુરી કરવા લેખક વ તરફથી વિશેષ સહાયતાની આશા સાથે ગુજરાતી ભાષાના વાંચનારા સમક્ષ તે રજુ કરવાની રજા લઇએ છીએ.
અમદાવાદ. તા. ૨૦-૮-૧૯૩૦
}
વિદ્યાખહેન રમણભાઇ નીલક
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સાસાઇટીની નેાકરીમાં જોડાયા પછી તુરતજ આન. સેક્રેટરી સ્વ. રા. અ. લાલશંકરભાઇએ સન ૧૮૬૪ સુધીમાં પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી પુસ્તકાની છાપેલી યાદી બતાવી તે ધેારણે ગુજરાતીમાં છપાયલાં સઘળાં પુસ્તકાની એક વર્ગીકૃત સૂચિ તૈયાર કરવાનું મને સૂચવ્યું; પણ ચાલુ આપીસ કામ એટલું બધું વ્યવસાયવાળું અને જવાબદારીભર્યું કે તે કા` પાછળ ધ્યાન આપવાને ભાગ્યેજ સમય મળતા; અને એકાદ માસમાં તે પડતું મૂકવું પડેલું; પણ ત્યારથી એ કામાં મારૂં ચિત્ત પરાવાયલું; વળી પૂણામાં ડક્કન વર્નાક્યુલર ટ્રાન્સલેશન સાસાઈટી, છાપેલી સરકારી ત્રિમાસિક યાદી પરથી એવી એક સૂચિ મરાઠી ગ્રંથાની કરાવતી હતી તે જાણવામાં હતું. એટલે એ કા કેવી રીતે આટાપાય એના વિચાર આવ્યા જ કરતા. અને પ્રસંગેાપાત વડાદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના આસિ. ક્યુરેટર શ્રીયુત મેાતીભાઇ અમીનને ભેટા થતા, તેના લાભ લઇ, એ વિષય એમની સાથે ચર્ચા પણ ખરા. તેની ઉપયેાગિતા એમના લક્ષમાં પૂરેપૂરી સેલી હતી અને એમના ખાતા તરફથી એવું કાર્ય ઉપાડી લેવાય તેા સેાસાટી સહકાર કરે, એમ એમને મે'વાતમાં જણાવેલું, પણ એ નરરત્ને જેમ પુસ્તકાલયના અંગના અનેક પ્રશ્ન ઉકેલી ગુજરાતમાં પુસ્તકાલયની હિલચાલને, તેનાં મૂળ ઉંડાં નાંખીને, આગળ વધારી છે, તેમ એ સૂચિનું કાર્ય એમણે જાતજવાબદારી પર ઉપાડી લીધું, અને મને તાંધતાં આનંદ અને સંતોષ થાય છે કે એ પ્રશસ્ય પણ ભગીરથ કાય એમના શુભ પ્રયાસ અને આગ્રહથી સફળ થઇ આપણે આઠ હજાર ગુજરાતી પુસ્તકાની એક વર્ગીકૃત સૂચિ' એ નામનું એક માઢું દળદાર, મહત્ત્વનું અને ઉપયેાગી રેફરન્સ પુસ્તક મેળવવાને ભાગ્યશાળી થયા છીએ; એ પણ વળી એક સુયેાગ છે કે સદરહુ સૂચિ સન ૧૯૨૮ સુધી આવીને અટકે છે અને પછીનાં સન ૧૯૨૯ નાં પ્રકાશનની નોંધ કરવાના અવસર સાસાઇટીને સાંપડયા છે; પ્રસ્તુત ગ્રંથ અને ગ્રંથકાર”નું પુસ્તક પ્રતિ વર્ષ નિયમિત રીતે નિકળતું રહે તે વાર્ષિક પ્રકાશનની નોંધ કરવાનું ચાલુ રહેવા સંભવ છે.
ઈસુનું વર્ષ ૧૯૦૭ એ નામથી લેખ લખી સ્વ. રણજીતરામે સાહિત્યમાં અને અન્ય સંસ્કૃતિના ક્ષેત્રમાં પ્રગતિની વાર્ષિક સમાલોચનાનું કા આદરેલું અને એ પ્રથા આગળ ચાલુ રહે એ ઉદ્દેશથી સાસાઇટીના મણિ મહાત્સવના Catalogue of Native Publications in the Bombay Presi dency up to 1864.
*
Page #7
--------------------------------------------------------------------------
________________
અવસરે એમણે એન. સેક્રેટરીને એક પત્ર લખી મોકલી, તે માટે યોજના કરવાનું સૂચવ્યું હતું.
કારોબારી કમિટીએ તે પરથી વાર્ષિક સમાલોચના માટે રૂ. ૧૦૦) નું પારિતોષિક જાહેર કરી સન ૧૯૦૯ ની ગ્રંથ પ્રસિદ્ધિનું અવલોકન કરવાનું કાર્ય છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકરને સોંપ્યું; સન ૧૯૧૦ નું પ્રો. કાન્તિલાલ છગનલાલ પંડયાને આપ્યું; પણ એ બંને સજજનેને, દૂર સ્થળે રહેવાનું અને ત્યાં સાધનની પૂરતી અનુકૂળતા નહિ તે કારણે અને વળી એકજ વષ ની સમાલોચના કરવામાં કંઈક અપૂર્ણતા આવી જવાની અને કોઈને અજાણે અન્યાય થવાની ભીતિથી, તેઓએ તે કાર્ય કરવામાં શિથિલતા દાખવેલી. તેથી તે મુશ્કેલી દૂર કરવાને કમિટીએ સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સન ૧૯૦૯, ૧૯૧૦ અને ૧૯૧૧, એમ ત્રણ વર્ષનું સામટું અવલોકન કરવાનું જણાવી તે વર્ષોનાં પ્રકાશનો પણ તેમને મુંબઈ મોકલી આપ્યાં હતાં; તેમ છતાં એ ધારેલો હેતુ સિદ્ધ થયો નહિ.
આમ નિરાશા મળતાં સન ૧૯૧૬ નું સાહિત્યનું અવલોકન કરવાનું ગુજરાત સાહિત્ય સભા તરફથી મેં માથે લીધું અને પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવના પ્રમુખપદે તે લેખ વાંચ્યો હતો. તે પ્રસંગે એમણે પ્રમુખસ્થાનેથી એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું તે તેના અંગે એક વિશેષ લાભ થયો હતો. | દરમિયાન સોસાઇટી તરફથી વાર્ષિક સભાના દિવસે, એકાદ જાણતા વિદ્વાનને નિમંત્રણ કરી, સાહિત્ય, ઈતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષય પર વ્યાખ્યાન અપાવવાની રઢિ દાખલ કરી, જે હજુ ચાલુ છે.
આ પુસ્તકના પ્રારંભમાં સદરહુ વાર્ષિક વ્યાખ્યાન મુકવાની ધારણ રાખી હતી. શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ચાલુ વર્ષનું વાર્ષિક વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું હતું; પણ અત્યારની સત્યાગ્રહની લડતમાં તેઓ જોડાતાં, તેમને જેલનિવાસ પ્રાપ્ત થયો એટલે એ કાર્ય મૂલત્વી રાખવું પડયું; હાલ તુરત એ સ્થાન સન ૧૯૨૮ નાં પ્રકાશનનું અવલોકન એ લેખને આપ્યું છે, જે ઉપર નિર્દેશેલ અખતરાના અનુસંધાનરૂપ છે.
ડાંક વર્ષ પર શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા–એઓએ સ્વ. વૃજલાલ શાસ્ત્રીની મૃત્યુ તારીખ અને વાર પૂછાવેલા, પણ તે વિષે કશી ખાત્રી લાયક માહિતી મળી શકી નહિ. તે દિવસથી અર્વાચીન ગ્રંથકારોનાં જીવનચરિત્રનાં સાધને–એમનાં જીવનને લગતી હકીકત, બને તેટલી વિશ્વસનીય, વિગતવાર અને પ્રમાણભૂત એકઠી કરવાને અને નોંધવાને કંઈક
Page #8
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થા થવા મનમાં ગડમથલ કર્યો કરતા; તે સંજોગમાં શ્રીયુત વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અમદાવાદમાં સ્થાયી આવી વસતાં, અને સેાસાઇટી તરફથી કાંઇ સાહિત્યનું કાર્ય સંપાદન કરવાની–મળવાની તેમણે ઇચ્છા પ્રદર્શિત કરતાં, કમિટીએ તેમને પ્રાચીન કવિઓની ચિરત્રાવળી, ઉપલબ્ધ પ્રસિદ્ધ વૃત્તાંત પરથી તૈયાર કરી આપવાનું સોંપ્યું.
આ પ્રમાણે રફતે રફતે અને ક્રમસર એ યેાજના આગળ ચાલુ રાખી, ગુજરાતી ગ્રંથકર્તાઓની ચરિત્રાવળી, એમનાં જીવનની સાધનસામગ્રી, કાઇ રૂપે અભ્યાસીને અને વાચકને સુગમ અને ઉપયોગી થાય, એ તેમાં મુખ્ય હેતુ હતેા.
પ્રસ્તુત ગ્રંથમાં તેથી પ્રાચીન લેખક-કવિઓના સમાવેશ કર્યાં નથી અને અર્વાચીનમાં પણ પ્રથમ વિદ્યમાન ગ્રંથકારાના જીવનચરિત્રની હકીકત, એમનીજ પાસેથી અને તેટલી મેળવી, તે નોંધ, ખાસ કરીને એમના ગ્રંથાની યાદી, તેના પ્રકાશનની સાલ સાથે આપીને, જેમ બને તેમ તે પ્રમાણભૂત થાય એવા પ્રયત્ન કર્યો છે.
અહિં મારે ઉપકાર સાથે કહેવું જોઇએ કે જે ગ્રંથકર્તાઓને છાપેલુ માહિતીપત્રક મેકલી આપ્યું હતું, તેમાંના ઘણાખરાએ તેમાં જરૂરપુરતી વિગતા ભરી મેાકલીને અને પછી તે તેાંધતા કાચા ખરડા તપાસી જઇને, મારૂં કાય જેમ સરળ કરી આપ્યું હતું તેમ તેમાંની વિગતે તેટલે દરજ્જે વિશ્વસનીય છે, એવું પ્રમાણપત્ર આપ્યું છે એમ કહી શકું.
વળી વિદ્યમાન ગ્રંથકારામાંના ઘણાંનાં નામેા આ સંગ્રહમાં મળી નહિ આવે. જે જે ગ્રંથકારાને છાપેલું માહિતીપત્રક માકલી આપેલું, તેમાંનાં કેટલાકની હકીકત વખતસર લખાઇ આવી નહાતી અને ખીજા ભાઈએ ચાલુ રાજકીય લડતમાં જોડાતાં, તેમની પાસેથી કામપુરતી માહિતી મેળવવાનું પણ કઠિન થઇ પડયું હતું.
આ સંજોગમાં એ ઉણપ આગળનાં પુસ્તકામાં જરૂર દૂર કરવામાં આવશે. તે પછી અર્વાચીન વિદેહીનાં ચરિત્રા ઉતારવાની ઉમેદ રાખી છે.
પ્રસ્તુત સંગ્રહમાં વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને પુરાતત્વ વિષેનાં લેખા, રેફરન્સની સવડ માટે, કરી છાપવાના તેમજ ગુજરાતી માસિકામાં આવી ગયલા મૌલિક અને અગત્યના લેખાતી સૂચિ, જેમ ઇંગ્રેજી જલેામાં આવે છે તેમ, આપવાના વિચાર હતા; પરંતુ પુસ્તકનું કદ ધાર્યાં કરતાં બહુ વધી જવાથી એ વિભાગ ઉમેરવાનું આ વખતે બની શક્યું નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________
હવેથી સદરહુ સૂચિ તેમ વાર્ષિક પ્રકાશનની યાદી લિડનમાંથી છેલ્લાં બે વર્ષથી પ્રસિદ્ધ થતી એન્યુઅલ બિબ્લોગ્રાફી ઓફ ઇડિયન આર્કોલોજીAnnual Bibliography of Indian Archaeology-ની પેઠે, સટીક અપાય એવી ધારણા રાખી છે.
ઈગ્રેજીમાં આ જાતનાં અને અનેક વિષય પરનાં સંખ્યાબંધ પુસ્તકો મળી આવશે. એવું રેફરન્સ સાહિત્ય આપણે અહિં ઉભું કરવાને આ એક શરૂઆતને પ્રયોગ છે; તેની સફળતાને આધાર આ કાર્યમાં લેખકવર્ગ જે પ્રમાણમાં સહકાર અને મદદ કરશે તે પર અવલંબી રહેશે. વસ્તુતઃ આવાં પુસ્તક એકલે હાથે સંપાદન થઈ જ શકે નહિ; સૌના સહકારની સાથે તેની ઉપયોગિતા વધારવા સારૂ મદદરૂપે નવાં નવાં દૃષ્ટિબિન્દુઓ, સૂચનો મળતાં રહે, એ પણ એટલું જ જરૂરનું છે; તો જ તે વિકાસ પામે અને ખીલે અને એક સ્થાયી રેફરન્સનું પુસ્તક થઈ પડે.
અંતમાં “કુમાર કાર્યાલય'ના પ્રાણસંચારક અને કળામર્મજ્ઞ શ્રીયુત બચુભાઈ રાવતને મારે ઉપકાર માનવો જોઈએ; જેમણે આ કાર્યમાં શરૂઆતથી કેટલીક વ્યવહારુ સૂચનાઓ કરવાની સાથે, નવા લેખકબંધુઓને માર્ગદર્શક અને મદદગાર થઈ પડે, એ દષ્ટિએ, પ્રેસકોપી અને પ્રફરીડિગ” વિષે એક મનનીય લેખ, મારી માગણીથી ખાસ લખી આપ્યો છે.'
અને શ્રીમતી લેડી વિદ્યાબહેને, પ્રસ્તુત પુસ્તકનો પરિચય લખી આપીને, મને વિશેષ આભારી કર્યો છે, એમ કહું તો તે અતિશયોક્તિભર્યું નથી જ.
અમદાવાદ તા. ૨૦-૮-૧૯૩૦
હીરાલાલ ત્રી, પારેખ,
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષય, ૧ ગ્રંથ પરિચય
અનુક્રમણિકા
ર પ્રસ્તાવના
૩ સન ૧૯૨૯ નું ગ્રંથ પ્રકાશનઃ અવલે।કનઃ ૪ પુસ્તકાની વર્ગીકૃત યાદીઃ સન ૧૯૨૯: ૫ ગ્રંથકાર ચરિત્રાવળીઃ વિદ્યમાનઃ
૧ અતિસુખશંકર ક્રમળાશ'કર ત્રિવેદી .. ૨ અરદેશર ફરામજી ખબરદાર... ૩ આત્મારામ મેાતીરામ દીવાનજી...
૪ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ... ૫ અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી.. ૬ અંબાલાલ ઝુલાખીરામ જાની... ૭ કલ્યાણરાય નથુભાઈ જોશી... ૮ કલ્યાણજી વિઠ્ઠલભાઇ મહેતા... ૯ કાન્તિલાલ છગનલાલ પડયા... ૧૦ કેશવપ્રસાદ છેાટાલાલ દેસાઈ... ૧૧ કેશવલાલ હરગાવિંદદાસ શેઠ... ૧૨ દી. ખા. કેશવલાલ હ દુરાય ધ્રુવ... ૧૩ કનૈયાલાલ માણેકલાલ મુનશી... ૧૪ દી. બા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી... ૧૫ કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા...
૧૬ ખુશવન ચંદુલાલ ઠાકાર... ૧૭ ગજેન્દ્રશ કર લાલશંકર પડયા... ૧૮ ગિજુભાઇ ભગવાનજી બધેકા... ૧૯ ગૌરીશંકર ગાવનરામ જોશી... ૨૦ ચતુર્ભુજ માણુકેશ્વર ભટ્ટ... ૨૧ ચન્દ્રશંકર ન દાશંકર પંડયા... ૨૨ ચંદ્રશંકર અમૃતલાલ ખુચ... ૨૩ ચંપકલાલ લાલભાઈ મહેતા... ૨૪ ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી... ૨૫ ચિમનલાલ દામેાદરદાસ ત્રિપાઠી.. ૨૬ ચુનીલાલ વમાન શાહ...
ல்
99
,,
29
29
,,
59
22
K
99
99
12
29
22
"1
99
22
29
99
,,
65
::::
” -
७
૯
૧૨
૧૪
૧૬
૧૮
૨૦
૨૨
२४
૨૬
૩૫
૩૮
૪૩
૪૫
૪૬
૪૭
૫૦
૫૧
૫૩
૫૮
૫૯
૬૦
૧
ર
” ૧૯
પૃષ્ઠ.
૩
૧-૩૨ ૩૩-૫૬
૩-૨૦૮
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૭ છગનલાલ વિદ્યારામ રાવળ.... ૨૮ છગનલાલ હરિલાલ પંડયા.. ૨૯ છોટાલાલ નરભેરામ ભટ્ટ. ૩૦ જન્મશંકર મહાશંકર બુચ.... ૩૧ જનાર્દન હાનાભાઈ પ્રભાસ્કર... ૩૨ જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ.... ૩૩ તિન્દ્ર હરિહરશંકર દવે.• ૩૪ જીવનલાલ અમરશી મહેતા... ૩૫ ડૉ. સર જીવનછ જમશેદજી મોદી... ૩૬ જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ... ૩૭ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી... ૩૮ ડોલરરાય રંગીલદાસ માંકડ... ૩૯ શ્રીમતી તારાબહેન મોડક૪૦ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી.... ૪૧ દેશળજી કહાનજી પરમાર ૪૨ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી... ૪૩ ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા... ૪૪ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ.. ૪૫ નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા.... ૪૬ નર્મદાશંકર દેવશંકર મહેતા ૪૭ નર્મદશંકર બાલાશંકર પંડયા... ૪૮ નમ દાશંકર વલ્લભજી દ્વિવેદી, ૪૯ નવલરામ જગન્નાથ ત્રિવેદી... ૫૦ નેહાનાલાલ દલપતરામ કવિ• ૫૧ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ... પર પાલનજી બરજોરજી દેસાઈ... પ૩ પ્રાણજીવન વિશ્વનાથ પાઠક.... ૫૪ પોપટલાલ ગોવિંદલાલ શાહ... ૫૫ બટુભાઈ લાલભાઇ ઉમરવાડિયા ૫૬ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર... ૫૭ ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા.. ૫૮ મગનભાઈ ચતુરભાઈ પટેલ ૫૯ મહમદ સાદીક...
, ૧૦૦ ૧૦૨
૧૦૪ છે ૧૦૮ ક ૧૧૨ ક ૧૧૪ , ૧૧૫
ક ૧૧૬
, ૧૨૦
૧૨૫ ૧૨૭ ૧૨૯
૧૩૧ ૧૩૫
૧૩૯
૧૪૧
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
૬૦ મનુભાઇ હરગાવિંદદાસ કાંટાવાળા... ૬૧ મણિલાલ નથુભાઇ દોશી... ૬૨ મણિલાલ છખારામ ભટ્ટ
૬૩ મેાહનલાલ પાવતીશકર દવે...
૬૪ મજીલાલ જમનારામ દવે...
૬૫ મંજુલાલ રણછેાડલાલ મજમુદાર...... ૬૬ યજ્ઞેશ હરિહર શુકલ... ૬૭ રમણલાલ વસંતલાલ દેસાઈ... ૬૮ રમેશ રંગનાથ ધારેખાન... ૬૯ રવિશંકર ગણેશજી એંજારિયા... ૭૦ રાજેન્દ્ર સેામનારાયણ દલાલ...
૭૧ રામલાલ ચુનીલાલ મેાદી... ૭૨ રામનારાયણ વિશ્વનાથ પાક... ૭૩ રામમેાહનરાય જસવતરાય દેસાઇ...
૭૪ રજિતલાલ હરિલાલ પંડયા... ૭૫ વિજયરાય કલ્યાણરાય વૈદ્ય,..
૭૬ વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય... ૭૭ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ...
૭૮ લેડી વિધાગવરી રમણભાઇ નીલકંઠે ૭૯ સૌ. વિમળાગવરી મેાતીલાલ સેતલવાડ... ૮૦ સૌ. શારદા સુમંત મહેતા...
૮૧ શકરપ્રસાદ છગનલાલ રાવળ...
૮૨ શિવપ્રસાદ દલપતરામ પંડિત... ૮૩ શંભુપ્રસાદ છેલશ'કર જોષીપુરા...
૮૪ સાકરલાલ અમૃતલાલ દવે...
૮૫ સીતારામ સીંગભાઇ શર્મા... ૮૬ સારાબજી મ. દેશાઈ...
૮૭ રા. બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા ૮૮ હુરભાઇ દુર્લભજી ત્રિવેદી...
૮૯ ડા. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ...
૯૦ હિરરાય ભગવતરાય મુચ... ૯૧ હિંમતલાલ ગણેશજી અંજારિયા...
૬ પરિશિષ્ટઃ પ્રેસકાપી અને પ્રુફ્રીડિંગ
39
33
,,
22
૧૫૬
૧૫૯
૧૬૦
, ૧૬૨
, ૧૬૩
૧૬૬
૧૬૮
૧૭૦
૧૭૩
29
99
""
22
..
.
,,
29
..
..
""
,,
29
૧૮૨
૧૮૪
૧૮૫
૧૮૭
૧૯૦
૧૯૩
.
- ૧૯૪
,,
19
99
૧૪૩
૧૪૫
૧૪૮
૧૫૧
૧૫૨
23
૧૭૫
૧૭૬
""
૧૭૮
૧૮૦
""
99
” ૨૦૨
,,
૨૦૫
૨૦૬
૨૦૯
૨૧૦
૧૯૫
૧૯૭
૨૧૧-૨૨૩
Page #13
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાર્નિ,
ક અવલોકન
પ્રસ્તુત લેખને છેડે સન ૧૯૨૯માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત
યાદી આપી છે, તે પુસ્તકની સંખ્યા આશરે ૬૧૦ની સંખ્યા થવા જાય છે; પણ એ સિવાય એવાં બીજાં કેટલાંક
પુસ્તકો બાકી રહેલાં હશે, જે સાધનના અને માહિતીના અભાવે સદરહુ ગણત્રીમાં આવ્યાં નહિ હોય; અને તે ઉપરાંત શાળાપયોગી અર્થ અને નોસની ચોપડીઓ, નાટકોનાં ગાયનોની ચોપડીઓ, અને અલાઉ બજારૂવાર્તાઓ અને કવિતાની ચોપડીઓ, જેની નોંધ એમાં કરવામાં આવી નથી; એ બધી પ્રસિદ્ધિઓને ઉપરની સંખ્યામાં અડસટે ઉમેરીએ તે તેની કુલ સંખ્યા લગભગ સાડી સાતમેં પુસ્તકોની થવા જાય; એટલે કે, દરરોજનાં બે પુસ્તકે સરેરાશ પ્રસિદ્ધ થયાં છે, એવું અનુમાન તે પરથી ખેંચી શકાય; અને તેને બીજી રીતે સમર્થન પણ મળે છે. તાજા બહાર પડેલા મુંબાઈ ઇલાકાના સન ૧૯૨૮-૨૯ના વાર્ષિક
રીપોર્ટમાં સન ૧૯૨૮માં ગુજરાતી ગ્રંથ પ્રકાશનની સાધન સંખ્યા ૫૦૬ની આપી છે, અને એ તે પ્રસિદ્ધ વાત
છે કે એ નોંધમાં દેશી રાજ્યો-જેમકે, વડોદરા, ભાવનગર, રાજકોટ, ગોંડલમાં પ્રકટ થતાં પુસ્તકોનો સમાવેશ થતો નથી; અને હમણું હમણું ત્યાંથી ચેકબંધ પુસ્તકો પ્રસિદ્ધ થાય છે, એમ કે પણ સામાન્ય વાચક કહી શકશે.
વળી બીજી ભાષાઓ-મરાઠી, હિન્દી, કાનડી, બંગાળી વગેરેમાં પ્રતિ ગ્ર ટી આ વર્ષે પ્રકટ થતાં પુસ્તકોની સંખ્યા અને તેની વર્ગીકૃત એનાં પ્રકાશન સાથે યાદી ઉપલબ્ધ થાય, તે હિન્દની મુખ્ય મુખ્ય દેશી સરખામણી
** ભાષાઓમાં કયી દિશામાં અને શી પ્રગતિ થતી રહે
' છે, તેનું માપ કાઢવાનું સુગમ બને. ઉપર ઉલેખ કરેલા સરકારી વાર્ષિક રીપોર્ટમાં મરાઠી પુસ્તકોની સંખ્યા ૬૭૭, કાનડીની ૮૫ અને હિન્દીની ૧૦૧ બતાવેલી છે. પરંતુ
Page #14
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
મરાઠી પુસ્તકમાં મધ્ય પ્રાંતનાં અને દેશી રાજ્યો, જેમકે ઈંદોર, ગ્વાલીઅર, ઔધનાં તેમજ કાનડી માટે મૈસુર, નિઝામનું સંસ્થાન વગેરે સ્થળોનાં પ્રકાશને આવી જતાં નથી.
પણ સમગ્ર રીતે અવલોકતાં, આપણે સ્વીકારવું પડશે કે ગુજરાતી કરતાં મરાઠીમાં અને હિન્દીમાં વધુ પુસ્તકો પ્રકટ થાય છે. મહારાષ્ટ્રનો વિદ્યાવ્યાસંગ જાણીતો છે; અને હિન્દીને સ્થળપ્રદેશ બહાળા વિસ્તારવાળા છે, તેમ ભારતવષ ની એક સામાન્ય ભાષા તરીકે તેની પસંદગી થયેલી છે. બંગાળી માટે માહિતી મળી નથી; પણ બધી દેશી ભાષાઓમાં તે વિશેષ ખીલેલી અને સમૃદ્ધ છે, એ સામાન્ય અભિપ્રાય છે.
આ પ્રમાણે વાર્ષિક ગ્રંથ પ્રકાશનમાં ગુજરાતીનું સ્થાન છેક ચોથે નંબરે આવે છે; અને તેની પ્રસિદ્ધિની સરખામણું ઈંગ્લાંડમાં પ્રસિદ્ધ થતાં પુસ્તક સાથે કરવામાં આવે તો આપણે ક્યાં ઉભા છીએ, અથવા કેવી પ્રગતિ કરીએ છીએ, તેની કંઈક ઝાંખી થાય. - તા. ૧૦મી. જાન્યુઆરીના પબ્લીક ઓપિનિયન “Public opinion”
નામક સાપ્તાહિકમાં સન ૧૯૨૯માં ઈગ્રેજીમાં પ્રસિદ્ધ ઈંગ્રેજી પુસ્તક સાથે થયેલાં પુસ્તકોની સંખ્યા ૧૨૯૧૨ આપી છે; તેમાં સરખામણી વાર્તાનાં પુસ્તક અગ્રસ્થાન લે છે, અને તેની સંખ્યા
૩૭૦૬ આપી છે. બીજું સ્થાન બાળસાહિત્યને મળે છે; અને તેની સંખ્યા ૧૫૩૩ છે. એ દૃષ્ટિએ આપણે અહિં બાળસાહિત્ય પ્રથમ સ્થાન લે છે, જેની કુલ સંખ્યા ૧૬૪ છે, જ્યારે નવલકથા બીજે નંબરે આવે છે, અને તેની સંખ્યા ૭૪ નોંધાયેલી છે.
એ બતાવી આપે છે કે જનતાની અભિરુચિ હાલમાં કયી જાતના
સાહિત્ય માટે છે. વળી ઈંગ્લાંડનાં અને ગુજરાતનાં સરેરાશ પુસ્તક પ્રકાશનના કુલ આંકડાઓની તુલના કરતાં તુરત સમસંખ્યા જાશે કે ત્યાં સરેરાશ દરરોજ ૩૫ પુસ્તકનું પ્રકાશન
થાય છે; જ્યારે અહિ તેની સંખ્યા, ઉપર ગણત્રી બતાવી તે મુજબ, માત્ર (૨) બેની થવા જાય છે, અને તેના ગુણદોષ, ઉપગિતા, મૌલિકતા વિષે અહિં કંઇ વિવેચન નહિ કરતાં તેનું સૂચન માત્ર બસ થશે.
Page #15
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
આવી આંકડાની ગણત્રી કરવામાં ઇંગ્લાંડાદિ પાશ્ચાત્ય દેશામાં જેવી સુગમતા અને સગવડ રહેલાં છે તેવી વ્યવસ્થા આપણે અહિં નથી. ત્યાં પુસ્તકનું પ્રકાશન અને વેચાણ કા, લેખક જાતે કરતા નથી; પણ સામાન્ય રીતે કાઇ પ્રકાશઃ વ્યકિતને વા મંડળીને અને પુસ્તક વેચનારને તે સોંપી દેવાય છે; અને એ બધા પ્રકાશકનું એક સંગઠિત મંડળ હોય છે, તેની પાસેથી વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાની સંપૂર્ણ અને વર્ગીકૃત યાદી જોઇએ ત્યારે મેળવી શકાય છે. વળી કેટલીક પ્રકાશન સંસ્થાએ અને પુસ્તક વેચનારાએ તે નવાં પુસ્તકાની પોતે જૂદી માસિક યાદીએ પ્રકટ કરે છે; તેથી વાર્ષિક પ્રકાશનના આંકડા મેળવતાં ત્યાં ઝાઝી તકલીફ પડતી નથી.
પ્રકાશક મંડળનું સગઢન
મ્યુઝિયમ
બીજી સવા ત્યાં એ છે કે કાયદાની રૂઇએ બ્રિટિશ મ્યુઝિયમને પ્રત્યેક પ્રકાશનની એક એક પ્રત ભેટ મળે છે, જેના સંગ્રહ થવાનું અને સાચવવાનું કાર્ય તેના પર ક્રૂરજીઆત નાંખેલું છે, જ્યારે બીજી પાંચેક સંસ્થાઓને જે પ્રકાશનની પ્રત તેના તરફથી માંગવામાં આવે તે જ અપાય છે. આથી મેાટે લાભ એ થાય છે કે તે પુસ્તકા એક સ્થળે જોવા તપાસવાની સહજ તક મળે છે, તેમજ તે સંગ્રહ કાયમ સચવાઈ રહે છે.
થિતિ
પણ આપણે અહિંની પરિસ્થિતિ જૂદી છે. નામદાર મુંબાઇ સરકાર તરફથી સન ૧૯૮૨ કે ૮૬-૮૭ પછી નિયમિત રીતે અત્યારની પરિ- દર ત્રણ માસે ઈલાકામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકેાની એક વર્ગીકૃત યાદી સરકારી ગેઝીટમાં છપાય છે; પણ તેમાં આગળ જણાવ્યું તેમ દેશી રાજ્યેાની હદમાં છપાતા ગ્રંથાની નોંધ થતી નથી; અને બીજું છાપખાનાના કાયદાથી જે પુસ્તકા સરકારને ભરવામાં આવે તેના વ્યવસ્થિત અને સંપૂર્ણ સંગ્રહ પણ કાઈ એકસ્થળે સચવાતા હાય એમ જાણવામાં નથી; અને વર્ષ પૂરૂં થતાં એ પ્રકાશનનું વિહંગાવલેાકન ઉપરી અધિકારી–મહુધા એકાદ યુરે।પિયન ગૃહસ્થ,-૩૦૦ શબ્દોની અંદર મર્યાદિત, અહારથી લખાઈ આવેલા, જૂદા જૂદા ગૃહસ્થાના વાન્તિક પરથી કાઢે છે, એનું મૂલ્ય કેટલું આંકવું એના વિચાર કરવાનું અમે વાચક પર છેાડીએ છીએ,
૩
Page #16
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
ખરી રીતે સન ૧૮૫૫ સુધી દેશી ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્ત
કેનું કેટલોગ સરકાર તરફથી પ્રકટ થયેલું, તેમાંના વાર્ષિક સમાલોચના મરાઠી વિભાગની સમાલોચના સ્વર્ગસ્થ મહાદેવ ગોવિંદ
રાનડેએ જે ધોરણે અને વ્યાપક રીતે કરેલી છે, તે એટલી વિચારશીલ અને વિવેકપૂર્વક થયેલી છે કે મરાઠી વિવેચન સાહિત્યમાં તે લેખ અદ્યાપિ મનનીય લેખાય છે. તદનુસાર એ કાર્ય કઈ જાણીતા ગુજરાતી સાહિત્યના વિવેચકને સપાવું જોઈએ છીએ, અને વખતે તેમ કરવામાં સરકારની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગતી હોય તે તે કાર્ય દેશી ભાષાના કૅલેજ અધ્યાપકને સપાવું જોઈએ, જેઓ ચાલુ સાહિત્યપ્રવાહ સાથે નિકટ પરિચય અને સંસર્ગમાં હોઈને તેની યથાર્થ પરીક્ષા અને તુલના કરી શકે.
વળી કોઈ અભ્યાસને વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં પુસ્તકો જેવા
તપાસવાની જિજ્ઞાસા થઈ આવે તે કોઈ એવું સ્થળ મધ્યસ્થ પુસ્તક કે કોઈ એવી સંસ્થા નથી કે જેમાં તેને સંપૂર્ણ સંગ્રહ સંગ્રહ થયેલે અને સચવાયેલો હોય. ખાસ કરીને
પુસ્તકોના વર્ગીકરણ માટે આવા સંગ્રહની આવશ્યક્તા વિશેષ રહે છે; અને પ્રો. બળવંતરાયે “પુસ્તકાલય ' માસિકમાં (માર્ચ, ૧૯૩૦ ) આઠ હજાર પુસ્તકોના વર્ગીકૃત કેટલૈંગિની સમાલોચના કરતાં જે મહત્ત્વની સૂચનાઓ કરેલી છે, તે લક્ષમાં લેતાં આવા એકત્રિત સંગ્રહ વિના તેને અમલ જ થઈ ન શકે એ સ્પષ્ટ વાત છે; અને કદાચ એવો સંગ્રહ કરવાને કઈ તરફથી પ્રયત્ન થાય છે તેમાં મુખ્ય મુશ્કેલી જે તે પુસ્તક મેળવવામાં આવી પડે છે. પ્રથમ તે, કોઈ જાણતા પુસ્તક વેચનારને ત્યાંથી તે પુસ્તક મળી શકે નહિ; બીજું ગ્રંથકર્તાનું પૂરું સરનામું જાણવામાં હોય નહિ; ત્રીજું, પોટેજ ખર્ચ એટલું જાદે અને ભારે હોય છે કે બે આનાની ચોપડી પર પાંચ આના પટેજ નુરના ભરવા પડે છે અને છેલું પુસ્તકની ઉપયોગિતા કે ગુણદોષ વિષે કંઈ પણ માહિતી ઉપલબ્ધ નહિ અને કેટલીકવાર એવા નિરર્થક અને માલ વિનાનાં, કચરા પુસ્તકોનાં નામ મળી આવે છે કે જે મંગાવવાની ઇચ્છા જ થાય નહિ.
આ સંજોગોમાં વ્યવહારૂ અને વાજબી માર્ગ એ જણાય છે કે સાહિત્ય પરિષદ દ્વારા વારંવાર માગણી કરીને અને પ્રાંતિકધારાસભામાં ઠરાવ આણીને સરકારને જે ત્રણ પ્રતે પ્રેસ-છાપખાના તરફથી બક્ષિસ આપવામાં આવે
Page #17
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
છે, તેમાંની એક પ્રત ગુ. વ, સોસાઈટી વા સાહિત્ય પરિષદ મંડળને ફરજિયાત આપવાનું દબાણ કરવામાં આવે; અને તે હક્કના બદલામાં બ્રિટિશ મ્યુઝીઅમની પેઠે તેના સંગ્રહ અને સાચવણું માટે એ સંસ્થાઓ જવાબદાર રહે.
થાણામાં આવેલું મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ દિશામાં સ્તુત્ય કાર્ય કરી રહેલું છે. વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી અને ગુ. વ. સોસાઈટીની લાયબ્રેરીના સંગ્રહ નાના નથી; પણ તેને સંપૂર્ણ કરવાને અને તેના કાયમ સંગ્રહ માટે ઉપર નિર્દિષ્ટ કર્યા મુજબ કાયદાથી કંઇક વ્યવસ્થા થાય, કંઇક સવડ અને મદદ મળે તોજ એ પ્રશ્નનો ઉકેલ સહેલાઈથી અને ઝટ થઈ શકે, એવું અમારું માનવું છે. આ પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં પડતી મુશ્કેલી પણ તે પુસ્તક એક
મધ્યસ્થ સ્થળે વાંચવા તપાસવાની સવડ મળતાં દૂર પુસ્તકનું વગી થાય; અને તે પછી પ્રો. બળવંતરાય સૂચવે છે તેમ કિરણ ગ્રંથનું વર્ગીકરણ, તે અનુવાદ છે કે સ્વતંત્ર ગ્રંથ છે;
અનુવાદ હોય તો કયી ભાષામાંથી અને તેનાં એકથી વધુ ભાષાંતરો થયાં હોય, જેમકે શાકુંતલ, તેને ઉલ્લેખ-નેધ કરવાનું બની શકે, અને તેને એકથી વધુ વિષય ખંડમાં બતાવવા ક્રોસ રેફરન્સ આપવાનું સુગમ બને. સન ૧૯૧૧-૧૨ માં રવ. ભાઈ ચીમનલાલ દલાલે એક હજાર ગુજરાતી પુસ્તકોની વગીકૃત યાદી, નમુના રૂપે તૈયાર કરી હતી અને હમણું જ પુસ્તકાલય સહાયક સહકારી મંડળે આઠ હજાર ગ્રંથની એક મોટી વર્ગીકૃત સૂચિ બહાર પાડી છે અને તે પુસ્તક લાઈબ્રેરીઅનને નવાં મળતાં પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં મોટે અંશે માર્ગદર્શક અને મદદગાર થાય જ; તેમ છતાં કેટલીક ગુંચ ઉભી રહેવાની જ. દાખલા તરીકે બારડોલી સત્યાગ્રહની લડત’ એ પુસ્તકને કયા વિષય વિભાગમાં દાખલ કરવું ? રાજકીય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કે કાયદા-કેસ તપાસમાં ? અમદાવાદનું ચિત્ર આલ્બમઃ ચિત્ર, સ્થાપત્ય, ઇતિહાસ, કે રેફરન્સમાં ? પણ તે વિષેની ચર્ચા “પુસ્તકાલય” જેવા માસિકમાં ઉપયોગી અને રસિક થઈ પડે. કેટલીક વાર ટીકારૂપે કહેવામાં આવે છે કે આપણું સાહિત્યમાં
ભાષાંતરગ્રંથોની સંખ્યા વધુ છે; અને મૌલિક પુસ્તકો ભાષાંતર ગ્રંથો પ્રમાણમાં જૂજ લખાય છે; પણ જેમને એ ભાષાંતર
ગ્રંથની સુગ છે તેમને અમે આપણે પરિસ્થિતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં લક્ષમાં લેવાની અને તપાસવાની વિનંતિ કરીશું.
Page #18
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
જેને આપણે સામુદાયિક કેળવણુ કહીએ છીએ તેને આરંભ બહુજ અર્વાચીન છે અને તે માટે સરકાર તરફથી ચાલુ પ્રયત્ન થવા છતાં વસ્તીના છે ટકાને પૂરું અક્ષરજ્ઞાન હજી મળેલું નથી. શરૂઆતનાં પાઠ્ય પુસ્તકો અંગ્રેજી પુસ્તકોના અનુવાદ જ હતા અને તે અનુવાદ સીધા ઈગ્રેજીમાંથી નહિ પણ મરાઠી અનુવાદ પરથી થતા હતા. તે સમયે ગુજરાતી લખાણ પર મરાઠીની છાયા વિશેષ હતી; અને સ્વ. નારાયણ હેમચંદ્ર બંગાળીમાંથી અનુવાદ કરવા માંડવ્યા પછી તે ભાષાસાહિત્યને પરિચય આપણે અહિં દિનપ્રતિદિન વધતે. ચાલ્યો આવે છે, અને તેના પરિણામે કેટલીક સુંદર બંગાળી કૃતિઓનાં ભાષાંતરે આપણને પ્રાપ્ત થયેલાં છે, અને તે લોકપ્રિય નિવડયાં છે. હિન્દી ગ્રંથેનાં ભાષાંતર પણ ગુજરાતીમાં શેડાંક થયેલાં છે, પણ તેની અસર આપણું સાહિત્ય પર ઝાઝી થયેલી જણાતી નથી; જો કે ઈગ્રેજી અમલ પૂર્વ હિંદી-વજનો ઉપયોગ આપણે અહિં વિશેષ હતો અને તે ગ્રંથે જ ઉંચ વર્ગમાં સામાન્ય રીતે વંચાતા અને સંગ્રહાતા હતા; અને બ્રિટિશ અમલ સ્થપાયા પછી, તેની રાજનીતિના અને વહીવટના પરિણામે અને બીજા વિધવિધ કારણોને લઈને પાશ્ચાત્ય સાહિત્ય, ઈતિહાસ, વિચાર અને સંસ્કૃતિએ આપણું એકલા સાહિત્ય પરજ નહિ પણ સમગ્ર સમાજજીવન પર એટલી બધી ઉંડી અને પ્રબળ અસર કરેલી છે કે તેમાંથી આ સમયમાં ભાગ્યે જ પોતાના વિચારમાં કે વર્તનમાં કઈ વ્યક્તિ મુક્ત રહી હશે? કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું અર્વાચીન સાહિત્ય ઘડાયું છે તેમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યની છાયા અને અસર સર્વત્ર અને મોટા પ્રમાણમાં અચૂક નજરે પડશે.
પરંતુ આ પ્રશ્નમાં વિચારવાને મુદ્દે માત્ર એ રહે છે કે સાહિત્યમાં ભાષાંતરનું સ્થાન અને પ્રમાણુ શું અને કેવું હોવું જોઈએ. તે પુસ્તકે એટલાં બધાં ન જોઈએ કે તે સ્વતંત્ર અને મૌલિક કૃતિઓને તેની સંખ્યાના ભારથી દાબી દે; તે એવાં નિર્માલ્ય, નીરસ અને તદ્દન સામાન્ય કોટિનાં ન હોય કે જે અરૂચિકર થઈ પડે; જેમાં સાહિત્યનું ઉંચું રણ કે કોઈ ઉત્તમ આદર્શ ન હોય; જે સાહિત્યને ઉન્નત કે સમૃદ્ધ ન કરતું હોય.
ઉદાહરણ તરીકે આપણે અંગ્રેજી ભાષાસાહિત્યનું દષ્ટાંત લઈશું તે જણાશે કે તેને જ્યાં જ્યાંથી શબ્દો આવશ્યક અને ઉપયોગી લાગ્યા ત્યાં ત્યાંથી તે શબ્દો તેમાં વપરાશમાં લેવાયા છે અને દુનિયાભરના સાહિત્યમાંનું
Page #19
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
એવું કાઈ કિમતી પુસ્તક, પછી તે ગમે તે દેશ કે ભાષાનું હોય, નહિ જડે કે જેને ઈંગ્રેજીમાં સમગ્ર સાર કે અનુવાદ પ્રકટ થયલે મળી નહિ આવે; અને તે કારણે ઈંગ્રેજી સાહિત્ય આજે અત્યંત સમૃદ્ધ, વિવિધ પ્રકારનું, વૈભવભર્યું અને પૂરૂં વિકસેલું અને ખિલેલું છે.
આર્યવર્તનું ઐકય
જેના ગાઢ સસ અને નિકટ સહવાસમાં આપણે પ્રતિદિન આવીએ તેના ભાષાસાહિત્યની અને આચારવિચારની આપણા જીવનપર અને આપણા સાહિત્યપર અસર અચૂક થાય એમ આપણા પાછલેા ઈતિહાસ કહે છેજ. આપણી આ સંસ્કૃતિની રચના અને વ્યવસ્થા એવી રીતે ઘડાઇ છે કે હિન્દના કાઇ પણ ભાગમાં આપણે વિચરતા હોઇએ-અને આપણાં તીસ્થાના તે! હિન્દની ચારે દિશામાં પથરાયલાં છે અને જ્યાં અદ્યાપિ હજારે મનુષ્યા, સ્ત્રી પુરૂષા યાત્રાએ જાય છે—છતાં આપણે એક પ્રકારના આચારવિચાર અને ભાવનાની સામ્યતા અને સળંગતા તથા જાતિએકતા નિહાળીએ છીએ; તે પછી એક બીજા પ્રાંતના સાહિત્યને વિશેષ પરિચય થાય અને એ રીતે પરસ્પર સંબંધ દૃઢ અને ગાઢો થાય, એમ કાણુ નહિ ઈચ્છે ? તે ઉપરાંત જેને આપણે સાહિત્ય અને સંસ્કૃતિની અમર કૃતિએ કહી શકીએ, તેનેા આનંદ મેળવવાને કાણ ઉત્સુક નહિ અને ? બંગાળામાંથી એક ટાગાર કે એક શરદ બાબુ, મહારાષ્ટ્રમાંથી એક તિલક કે એક વૈદ્ય, એક ગડકરી કે એક કાલ્પાટકર, પજાબમાંથી એક સર મહમદ ઇકબાલ કે એક લજપતરાય, સંયુક્ત પ્રાંતમાંથી એક ગૌરીશ'કર ઓઝા કે એક પ્રેમચદ કે એક મૌલાના શિખલી સાહેબ વગેરેની કૃતિઓના અનુવાદ ગુજરાતીમાં ઉતારવામાં આવે તે પર પ્રાન્તના સાહિત્યના પરિચય વધવાની સાથે, ત્યાંની ઉત્તમ કૃતિથી આપણું સાહિત્ય વિશેષ સમૃદ્ધ અને પ્રકાશિત થાય; અને એ તે પ્રસિધ્ ખીના છે કે છગનલાલ પંડયાની કાબરી, દી. બા. કેશવલાલની મેળની મુદ્રિકા, પ્રધાનની પ્રતિજ્ઞા, સ્વપ્નની સુંદરી, મહાદેવભાઇનું ચિત્રાંગદા, નવલરામનું ભટ્ટનું ભાપાળુ, મણિલાલનું ગુલાબસિંહ, પ્રેા. બળવંતરાયનું પ્લુટાર્ક, ઉત્તમલાલનું ગીતા રહસ્ય, પંખુ પુરાણીના ગીતા નિષ્ક અને પૂર્ણ યાગ, અરવિંદ કૃત—તેમ સુધાહાસિની, શિલરનું વિલ્હેમ ટેલ નાટક, જીવન સંધ્યા, બંકિમનું કૃષ્ણચરિત્ર, લેન્ડેરના કાલ્પનિક સંવાદે, કવનું આત્મવૃત્તાંત, વગેરે વગેરે અનુવાદ પુસ્તકાથી ગુજરાતી સાહિત્ય ઉજ્જવળ બન્યું છે એમ કાણુ નહિ કખૂલે ?
७
Page #20
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
વસ્તુતઃ આપણા ગ્રંથ સંગ્રહાલયને બારીકાઇથી તપાસીશું તે તેમાં મૌલિક અને સ્વતંત્ર પુસ્તકા કરતાં તરજુમાનાં પુસ્તકા બહુ મેટી સંખ્યામાં મળી આવશે; અને તે ખરી રીતે આપણને ખેદનું કારણ ન હોવું જોઇએ. સામાન્ય રીતે બુદ્ધિશાળી લેખક પરભાષામાંથી એકાદ સારા ગ્રંથના તરજુમા કરવાનું ભાગ્યેજ કબૂલે; એ કાય કઠિન છે તે માટે નહિ; પણ મૂળ ગ્રન્થને પેાતાની ભાષામાં ઉતારતાં એનું વ્યક્તિત્વ લુપ્ત થાય છે અને એમ કરવાને કયેા સમ લેખક તત્પર હોય ? પણ આપણે એવી સ્થિતિમાં મુકાયલા છીએ કે તેને વશ થયા વિના આપણે છૂટા નથી.
પરંતુ આજકાલ એક ખાટી પ્રથા આપણા લેખકવર્ગમાં પેસી ગઈ છે, તે પ્રતિ દુક્ષ કરાય એમ નથી. ઈંગ્રેજી, બંગાળી, મૂળ ગ્રંથ વા લેખને હિંદી અને મરાઠીમાંથી, હમણાં હમણાં, સંખ્યાબંધ નામનિર્દેશ નવા લેખકૈા, માસિકા અને વર્તમાનપત્રમાં, અનુવાદ
કે રૂપાંતર કરી લેખા, વાર્તા અને નાટકા લખી મેાકલે છે; પણ તેના મૂળ લેખક વા ગ્રંથને નાનિર્દેશ સરખા કરતા નથી. બહુ તા કાઈક વખત સૂચિત, ઈંગ્રેજી પરથી, કે અનુવાદ એટલેાજ ઉલ્લેખનોંધ કરીને સંતેષ પામે છે; પણ તે કાઇ રીતે યોગ્ય તેમ વાજી નથી. ન્યાયની ખાતર લેખકે મૂળ ગ્રંથ વા લેખકનું આખું નામ દર્શાવવું જોઈએ, જેથી મૂળ કૃતિ સાથે જરૂર પડયે તેને સરખાવી તપાસી જોવાય; તેના ગુણદોષ પણ પારખી, તારવી શકાય; અને તેમ કરવાથી માસિકેામાં ખાસ કરીને “ સાહિત્ય ”માં અપહરણ સંબંધી જે સંખ્યાબંધ ચર્ચાપત્રા લખાઈ આવે છે તે લખાતાં અટકે. ( જીઓ, જુલાઈ માસનું · સાહિત્ય ’–રા. રામચંદ્રનું ચર્ચાપત્ર. )
66
વાસ્તવિક રીતે મૂળ લેખકનું નામ તેમ તેની કૃતિને નિર્દેશ થવા, એ જેમ ન્યાયયુક્ત તેમ તે તરજુમાની યથાર્થતા જોવા
અપહરણ
વિચારવા અને તુલના કરવા સારૂ આવશ્યક છે.
બ્રહ્માંડના ભેદ ' નામક એક રેશમાંચક કથાનું પુસ્તક ઘેાડા સમય પર બહાર પડયું હતું; પણ તેમાં કોઈ સ્થળે સૂચન સરખું એ નહતું કે તે એક અનુવાદના ગ્રંથ છે; વાચક સામાન્ય રીતે તેને એક સ્વતંત્ર કૃતિ તરીકે સમજે. વસ્તુતઃ તે ગાઈ પ્રુથખી નામના એક અંગ્રેજ ગ્રંથકારના રીટન એફ ડાકટર નિકાલા’! અનુવાદ છે. આવું તે ધણું બને છે; પણ
८
"
Page #21
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
એ પ્રથા પ્રશસ્ય નથી; ખાટી છે, એમ સાહિત્યની પ્રગતિ ઈચ્છનાર કાઈ હિતેચ્છુ અવસ્ય કહેશે.
કેટલીક વાર અમુક લેખકની કૃતિમાં, અમુક ગ્રંથ વા ગ્રંથકારની છાયા અને અસર હાવાની ફરિયાદ થાય છે; પણ એવી છાયા અને અસર અનિવાય` છે; અને ચે!સર, શેકસપીઅર, કિટસ વગેરે જાણીતા ગ્રંથકારાકવિએનાં નામેા, ઉદાહરણ તરીકે, આપી શકાય, જેમની કૃતિઓમાં બહારના સાહિત્ય અને લેખકેાની અસર પરેાક્ષ અને અપરાક્ષ જરૂર બતાવી શકાય, ખરી રીતે રા. નરસિંહરાવે કવિશ્રી ન્હાનાલાલના એક પ્રસિદ્ધ કાવ્યતા “ હલવે હાથે તે નાથ! મહીડાં લેાવજો,
મહીડાંની રીત્ય ન્હાય હાવીરે લેાલ.
(જીએ ‘ગુજરાત' કાર્તિક ૧૯૮૫) સબંધે અપહરણના દોષ બતાવવા પ્રયત્ન કર્યાં હતા, તેને અપહરણ ન કહી શકાય અને એવા દોષમાંથી અમારૂં માનવું છે કે બહુ જ થાડા લેખકા મુક્ત માલુમ પડશે.
29
આ લગત સન ૧૯૨૯ ના પ્રકાશનની યાદી આપેલી છે, તેમાંનાં બધાં પુસ્તકા તપાસવા--અવલેાકવાનું પ્રાપ્ત થયું હેતાએ સંખ્યામાં ભાષાંતર પ્રથાનું કેટલું પ્રમાણ છે તે કઇક ચાક્કસ રીતે તારવી શકાત; તેમ છતાં મૂળ સ્વતંત્ર લખાણ કરવા તરફ હજી જોઇએ તેવી વૃત્તિ કેળવાઇ નથી; અને અનુવાદ અને રૂપાંતર કરવા તરફ વિશેષ વલણ રહે છે, એવી છાપ મન પર રહે છે જ.
ગત વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં પુસ્તકાની સંખ્યા વિચારતાં આપણે અગાડી જોયું કે તેમાં બાળસાહિત્ય પ્રથમ સ્થાન લે
બાળસાહિત્ય
છે અને તેની સંખ્યા ૧૬૪ ની છે. આ વિભાગમાં આટલી સુંદર પ્રગતિ છેલ્લા દશકામાં થયલી જણાશે. સન ૧૯૨૦ માં અમદાવાદમાં છઠ્ઠી સાહિત્ય પરિષદ્ મળેલી તે વખતે આપણે અહિં બાળસાહિત્ય નહિ જેવું હતું તેથી તે કેવી રીતે ઉભુ કરવું, તે સંબંધી યેાગ્ય વિચાર અને ચર્ચા કરવા તેમજ વ્યવહારૂ ચેાજના ઘડવા એક જૂદી કમિટી નિમાઇ હતી; પણ તે પછી તે માટે જૂદી જૂદી સંસ્થાઓ અને વ્યક્તિએ તરફથી છૂટક છૂટક પણ ખંતપૂર્વક અને સતત પ્રયત્ને થતા રહ્યા છે, તેનું એ છષ્ટ અને આનંદજ્નક પરિણામ છે.
બાળ કેળવણી પ્રતિ વિશેષ મહત્વ અને લક્ષ આપતા દક્ષિણામૂર્તિ
૯
Page #22
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
ભવનના કાર્ય વાહકાને બાળકો માટે વાચનસાહિત્યની ખેાટ સાલતાં તેમણે તે પૂરી પાડવા બાળવાર્તા-પાંચ ભાગમાં–દાદાજીની વાતા, ડેાશીમાની વાતા, બાલગીતા—એ ભાગમાં–વગેરે પુસ્તકા તૈયાર કરી છપાવ્યાં; પણ એટલાથી ખાળકાની જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન માટેની પિપાસા સ તાષાય એમ નહતું; તેથી તેમણે બાળ સાહિત્યમાળા ૮૦ મણકામાં અને તે સસ્તી કિંમતે, કાઢવાનું ખીડું ઝડપ્યું. તે સાહસમાં એમ કહેવું જોઇએ કે તેમને સફળતા મળી છે, પણ જેને આપણે mass production-જયાબંધ માલ-વસ્તુની પેદાશ કહી શકીએ, એ જાતની વસ્તુના ગુણદોષ અને લાલ આ માળાના મણકામાં સ્વતઃ આવી જાય છે; અને જેને ઈંગ્રેજીમાં Knowledge of information-જ્ઞાન માહિતી કહે છે તે આ માળાનેા પ્રધાન હેતુ જણાય છે. આ માળાના પ્રયાજકે વિરુદ્ધ એક ભારે આક્ષેપ એ મૂકાયા છે કે તેના લખાણમાં પ્રાંતિક કાઠિયાવાડી ખેલ-શબ્દો, પ્રયાગ, વાયા, પુષ્કળ−ઝાઝા પ્રમાણમાં વપરાયા છે અને તે આ માજીના દક્ષિણ તરફના–વાચકાને સમજવાની મુશ્કેલી પડે છે અને તેના પુંઠાના ર્ગીન કાગળ વગેરેમાં એક પ્રકારની-drabness-monotony જણાઇ તે બાળકોના રૂચતાં—આકતાં નથી.
વળી કલ્પનામય અને ચમત્કારની વાતે બાળકાને જે વધુ ગમે છે અને તેમની રસવૃત્તિ અને કલ્પનાને સાખે છે અને ઉત્તેજે છે, તેને આમાં કાંઇક અભાવ દેખાય છે.
એ દૃષ્ટિએ ગાંડિવ બાળસાહિત્ય ચઢીતું છે; અને તેના કાગળ, પુંઠા, છપાઈ, ચિત્રા, બધું સુંદર અને સરસ, આંખને ચોંટી પસંદ પડે, એવું ઉત્તમ કેટનું છે. વળી તેમાં અમે ઉપર ઉલ્લેખ કર્યાં તે કલ્પનાનું તત્ત્વ પ્રધાન અંશે હાય છે; અને તેથી બાળકે તેને હાંસે હાંસે અને રસપૂર્વક વાંચે છે, તેમજ તે લેવાને આકર્ષાય છે.
આપણે જોઇશું તે ખાળસાહિત્યમાં બાળમાનસને એકદમ અનુકૂળ થાય એવી કલ્પના અને ચમત્કારના પ્રસંગેા તથા મનાવા ખાસ વર્ણવવામાં આવે છે, તેના ઉદાહરણ તરીકે Alice in wonderland અથવા ગ્રીમ અને એન્ડરસનનાં Fairy Tales નાં પુસ્તકાનાં નામેા રજી કરી શકાય, જે જગપ્રસિદ્ધ ગ્રંથા છે; અને ગયે વર્ષે Roma Wilson નામની એક ખાઇએ Green Magic નામથી જગતની પરી-વાર્તાઓમાંથી એક
૧૦
Page #23
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
અો સંગ્રહ તારવી કાઢી છપાવ્યો હતો, તે પ્રસ્તુત મુદ્દાનું સમર્થન કરશે. અમે અહિં નીતિબોધનો સીધો ઉપદેશ કરતી વાતને અલગ રાખી છે; તેને ઉપયોગ છે, પણ જે વાતથી આડકતરી રીતે તેમના મન પર છાપ પડીને અસર થાય છે તેના જેટલી મહત્તા આ વાતોને અપાશે નહિ. મનુષ્ય સ્વભાવમાં રહેલા એ સામાન્ય ત –અંશેના કારણે
એક દેશમાંની વાતે બીજા દેશમાં ધીમે ધીમે પ્રવેશ લોકકથા પ્રતિ કરતી, ફરતી અને આગળ વધતી, મળેલી માલુમ પડે અભિરુચિ છે. હમણાં મરાઠી લોકકથા ભા. ૧, એ નામનું
પુસ્તક બહાર પડ્યું છે, તેમાંની બે ત્રણ વાર્તા દક્ષિણમૂતિ ભવને છાપેલી બાળ વાર્તાના સંગ્રહમાં આવી જાય છે, અને આપણું પંચતંત્ર, કથાસરિત્સાગર, વગેરે ગ્રંથે ઈરાન, ગ્રીસ અને લૈટિન મુલકમાં જઈ કેવા ફેરફાર અને પરિવર્તાનને પામ્યા છે તે વાત તુલનાત્મક કથા વાર્તાના અભ્યાસીની જાણ બહાર નથી જ.
બાળકોની પેઠે મોટાઓને પણ વાર્તા-નવલકથા વાંચવાનું ખૂબ ગમે છે; તેથી બીજા કોઈ પુસ્તક કરતાં વાર્તાઓનાં પુસ્તકે મોટી સંખ્યામાં પ્રકટ થાય છે અને તેનો ફેલાવો અને માગણી પણ લાઈબ્રેરીઓની ઇમ્યુબુક તપાસીશું તો બીજી કઈ જાતનાં પુસ્તક કરતાં બહોળા પ્રમાણમાં માલુમ પડશે, પછી ભલે તે મુંબાઈની રોયલ એશિયાટિક સોસાઈટીની શાખા જેવું વિધાનનું અભ્યાસ મંડળ હોય.
વળી જનતામાં પ્રસિદ્ધિ અને ખ્યાતિ, એક નવલકથાકારને જેટલી મળે છે એટલી બીજા અગ્રગણ્ય વિદ્વાન લેખકોને મેળવતાં ઘણે સમય જોઈએ છીએ; તેથી બુદ્ધિશાળી તેમ જાણીતા લેખકે મોડા વહેલા નવલકથા લખવાને લલચાય–પ્રેરાય છે; પણ તેમાં બધાને એકસરખી ફત્તેહ મળતી નથી. મનુષ્યજાતિમાં આ વૃત્ત છેક પુરાતન કાળથી–જ્યારથી મનુષ્યજાતિને ઈતિહાસ ઉપલબ્ધ થાય છે ત્યારથી નજરે પડે છે, અને કથાવાર્તા મનુષ્યના આનંદનું, સુખ અને સંતોષનું, બેધ અને જ્ઞાનનું એક અપૂર્વ સાધન જરૂર રહેવાનું જ.
અમુક એક હાને વર્ગ નવલકથા પ્રતિ અસંતેષ–અરુચિ અને ઉદાસિનતા દાખવે છે, તેની સાથે અમે એકમત થતા નથી; તેમ તે પ્રતિ સહાનુભૂતિ પણ ધરાવતા નથી. અમને નવલકથાનું વાચન ગમે છે; એટલું જ નહિ પણ તેને અમે જીવન વિકાસ માટે આવશ્યક ગણુએ
૧૧
Page #24
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
છીએ. તે આપણી સમક્ષ દુનિયાનું કલ્પનિક વા આદર્શમય, અમુક સ્થળ વા બનાવોનું, ચોક્કસ પ્રકારના મનુષ્યસ્વભાવનું, ન્યાય અને નીતિનું, સ્નેહનું અને સત્યનું, સંસારની ઘટનાઓનું ચિત્ર એવી અસરકારક રીતે–પછી તે વર્ણનાત્મક શૈલીનું, ઐતિહાસિક, તાદાત્મક (realistic) કે મનુષ્યની લાગણુઓ કે ભાવનાનું પૃથક્કરણ કરતું હોય–રજુ કરે છે, કે આપણે એકવાર ચાલુ દુનિયાને વિસરી જઈએ છીએ, અને તેમાંના પાત્રો સાથે સમભાવી બની, તેમનાં સુખદુઃખ અને અભિલાષા, મુશ્કેલીઓ અને મુંઝવણ, જાતે જતા–અનુભવતા ન હોઈએ એવી આપણું મનોદશા થઈ પડે છે; અને તેજ આપણું કલ્પનાને ઉત્તેજી, આપણી લાગણી અને મનોરથોને પોષી, ઉન્નત કરી, આપણું ચારિત્ર ઘડવામાં અને ખીલવવામાં સહાયભૂત થાય છે; અને સાથે સાથે એક પ્રકારનો મીઠો આનંદ મેળવી દુનિયાની વ્યથાને અને દુઃખને ઘડી વાર ભૂલી જઈએ છીએ.
આમ એક નવી કાલ્પનિક સૃષ્ટિ સર્જવામાં એક નવલકથાકાર એટલે દરજજે સફળ નિવડે તેટલે દરજજે એની કૃતિ લોકપ્રિય અને આદરણીય થવાનો સંભવ છે. આ ધરણે અવલોકતાં, સન ૧૯૨૯તી નવલકથાઓમાં શ્રીયુત મુન
શીનું “કોટિલ્ય ભગવાન ” નું પુસ્તક આપણું ખાસ નવલકથા ધ્યાન ખેંચે છે. તે હજુ અપૂર્ણ છે છતાં પ્રાચીન
હિંદનું જે સુરેખ અને વૈભવપૂર્ણ ચિત્ર દોરે છે, પ્રસિદ્ધ ઐતિહાસિક પાત્રોને તેના પૂર્ણ રૂઆબમાં, પ્રતિભા પાડતાં રજુ કરે છે; અને તત્કાલીન સમાજજીવનનું રસિક ખ્યાન આપે છે, તે વાંચતાં વાંચતાં આપણાથી લેખકને સહજ ધન્યવાદ અપાઈ જાય છે.
એવું બીજું વાર્તાનું પુસ્તક જે વાંચવાનું ગમે અને આનંદ આપે, જેને આશય આપણું સામાજિક જીવનને લગતાં અનેકવિધ પ્રશ્નો ચર્ચા. વાને મુખ્યતવે છે, તે રા. રમણલાલ દેસાઈનું “કોકીલા' નામનું પુસ્તક છે; તેમાં એક પત્રકારનું જીવન આલેખવાની સાથે મજુર અને મૂડીવાળા વચ્ચેની અથડામણ અને તેના અંગે ઉપસ્થિત થતા પ્રશ્નો તેમ ગ્રામ્યજીવનને મધુરે આનંદ અને ભોળા-સાદા ગ્રામ્ય જનેની સાદાઈ અને ભલમનસાઈ અને તેમનો ઉભરાઈ જતે પ્રેમ, એ બધું આલાદક થઈ પડે છે. વળી મુખ્ય પાત્ર કોકીલાને એવી તે મૃદુ, મનેહર, લાવણ્યભરી અને સ્નેહાળ વર્ણવી છે
૧૨
Page #25
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
કે ‘ કૌમુદીકાર ’ના શબ્દોમાં કહીએ તો એવી જીવનસખી મેળવવા, કાઇપણુ પેાતાને સુખી સમજે.
ટુંકી વાર્તાનાં પુસ્તકામાં રા. રામનારાયણની ‘દ્વિરેફની વાતા’ અને શ્રીયુત ધુમકેતુના તણખા-ભા. ૨', એ જાતની વાર્તામાંનું. ઉંચું લેવલ જાળવી રહ્યા છે. રા. પાઠકની માનસસ્વભાવ પારખવાની અને તેનું પૃથક્કરણ કરવાની શક્તિ અને સમજ, એ વાર્તાઓતે નિઃશંક જીવંત રાખશે. શ્રીયુત ધુમકેતુ એમની વાર્તામાંના પાત્રા સાથે એવા સહૃદયી બની રહે છે અને વાર્તાના ઉઠાવ એવી રીતે ગુંથે છે કે તે પ્રસંગ આપણે બણે કે આપણી આંખ સમક્ષ ધીમે ધીમે વિકસતા અને પ્રત્યક્ષ થતે હાય ઍમ જોઇએ છીએ; તેમાં જ લેખકની કલમની સાર્થકતા-સચોટતા રહેલાં
આ સિવાય ચુંબન અે બીજી વાતેા, વિકલી વાર્તા, વિનેદ વાટિકા અડાલજાકૃત વીરની વાતે-ભાગ. ૩ જો, હું કરીશજનું મહાત્મ્ય, પુષ્પલતિકા, સમાજની વેદીપર, વગેરે વાચવા જેવા વાત્તાઁ ગ્રંથા છે.
જેને હળવું, માઁળુ અને હાસ્યપ્રચૂર સાહિત્ય કહી શકાય, તેમાં દાલ ચિવડાની દશ વાતે, (જેમાંના પ્રવેશક તેના લેખક રા. રાયચુરા વિષે જાણવા જેવી માહિતી આપે છે ) બુદ્ધિનું બજાર, ડહાપણના સાગર, મસ્તફકીરની મસ્તી, મસ્તકીરની વાતે, ઉંધિયું, ફઇબા કાકીની વાતને સમાવેશ થાય છે અને તેમાંના દરેક લેખકનું વ્યક્તિત્વ, તેમની લાક્ષણિક શૈલીથી જૂદુ અને સ્પષ્ટ તરી આવે છે.
ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતી, સ્વદેશ, ગુજરાતી પંચ અને પ્રજાબંધુની ભેટા, કચ્છને કેસરી, કચ્છજો નૂર, અંગ્રેજી રાજ્યને ઉષ:કાળ અને સારટને મુત્સદ્દી વીર, એમાંના વિષયને લેખકે સારા ન્યાય આપેલેા છે, અને ગુજરાતના ઇતિહાસના અભ્યાસી અને રસિક વાચકબંધુને કચ્છો નૂર' એ પુસ્તક વાંચવાની અમે ખાસ ભલામણ કરીશું.
અનુવાદના ગ્રંથામાં બંકીમની ત્રણ વાર્તાઓ-પુષ્પાંજલી નામથી, અને દેવી ચૌધરાણી ગાંડિવ મ ંદિર સુરત તરફથી, રાજમા` પણ એક બંગાળી ગ્રંથ પરથી—જેમાં ગાંધી યુગની છાપ પડેલી છે; મેન્ટેક્રિસ્ટ-જાણીતા ફ્રેન્ચ લેખક ડુમાના વાર્તાના ભા. ૩-૪, પારસમણિની શોધમાં રાઇડર હેગાર્ડના King's Soloman's mines પરથી; પંજાબનું પ્રચંડ કાવતરૂં બંગાળી પરથી, ક્રાન્તિકારી લગ્ન-રુશિયન વાર્તા પરથી, જ્યુલિયન વનની ૮૦ દિવ
૧૩
Page #26
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
સમાં દુનિયાની મુસાફરી, યોગિનીકુમારી ભા. ૨-એક ઇટાલિયન ગ્રંથ પરથી સૂચિત, વગેરે વગેરે ધ્યાન ખેંચે છે.
અને બીજી સામાન્ય કૃતિઓમાં અજોજી ઠાકર ભા. ૨, તાતી તત્વાર મધ્યકાલીન ભારતનું રાજપૂતજીવનનું ચિત્ર દોરતું પુસ્તક-સુલતાના રઝિયા, સંગ્રામ ક્ષેત્ર (છેલ્લી લડાઈનો ખ્યાલ આપતું), હષિકેશચંદ્ર ભા. ૪ વગેરે રસદાયક જણાશે.
જુના લોકસાહિત્યમાં કથાવાર્તાનાં પાંચ છ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે; કચ્છની જુની વાર્તાઓ, કાઠિયાવાડની દંતકથાઓ, કાઠિયાવાડની જુની વાર્તાઓ-ભા. ૨, ગુજરાત કાઠિયાવાડ દેશની વારતા-ભા ૩, શેરડી શૌર્યકથાઓ, સોરઠી વિરાંગનાઓ, વગેરે, પણ તેમનું વાચન રા. મેઘાણી સંપાદિત “રસધાર'ના પાંચ ભાગના પ્રકાશન પછી ફિકકું થઈ પડે છે.
ઐતિહાસિક સંશોધનના નમુના તરીકે ગુજરાત સાહિત્ય સભાના રજત મહોત્સવ પ્રસંગે દી. બા. કેશવલાલભાઈનો “યુગ પુરાણનાં ઐતિહાસિક તો” એ નિબંધ જેમ કિંમતી તેમ મૌલિક છે અને ઈ. સ. ના પહેલા સિકાની સમાજસ્થિતિ પર તે સારો પ્રકાશ પાડે છે. ખુશી થવા જેવું છે કે એ લેખ ઈગ્રેજીમાં બિહાર ઓરિસ્સા રીસર્ચ સોસાઈટીના જર્નલમાં હમણું પ્રકટ થયો છે, તેથી તે બહોળો વંચાઈને વિ૬ વર્ગનું વિશેષ ધ્યાન ખેંચશે.
સંશોધનની સાથે જેને આપણે સંયોગીકરણ-synthesis કહીએ, એટલે કે ઉપલબ્ધ સાધનોને સારી રીતે વાંચી તપાસી તેને વ્યવસ્થિત રીતે સંયોજી એક રસમય અને વિશ્વસનીય પુસ્તક રજુ કરવામાં આવે, એ જાતનું પાટનગર અમદાવાદ'નું પુસ્તક છે. લગભગ પણ રોકાપર લખાયેલા મગનલાલ વખતચંદના પુસ્તકને અને અમદાવાદ ગેઝીટીઅર, જે બંને અત્યાર સુધી રેફરન્સનાં પુસ્તકપણુ અપ્રાપ્ય જેવાં હતાં, તેનું આ પુસ્તકે સ્થાન લીધું છે; એટલું જ નહિ પણ એ ગ્રંથમાં જે ઉણપ અને દોષ હતા તે આમાંથી દૂર થઈ, સદરહુ પુસ્તક સ્થાયી ઉપયોગનું તેમ તે વાંચતાં આનંદ અને જ્ઞાન પ્રાપ્ત થાય એવું સરસ બન્યું છે.
જેને કાચી સામગ્રી-સાધન પુસ્તક source book કહીએ એ પ્રકારનું ગુર્જર ફૈબસ સભાએ પ્રસિદ્ધ કરેલું રા. નર્મદાશંકર દ્વિવેદી સંપાદિત ગુજરાતનાં અતિહાસિક સાધનો' નામક પુસ્તક છે, અને અભ્યાસીને તે ખચિત મહત્વનું થઈ પડશે. ડે. સર જીવણજી જમશેદજી મેદીએ, સોસાઈટી
૧૪
Page #27
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું થંચ પ્રકાશન
તરફથી આપેલા વાર્ષિક વ્યાખ્યાનમાં, જેમના નામ પરથી આપણો દેશ ગુજરાત કહેવાય છે, તેમના મૂળ નિવાસસ્થાન વિષે જાણવા જેવી હકીકત પૂરી પાડી છે. પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૧લામાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ આબુ પરના ઉત્કીર્ણ લેખોને સંગ્રહ કર્યો છે. સ્વર્ગસ્થ દેવશંકર વૈકુંઠજી ભટ્ટનું સિહોરની હકીકત, તેમ પારસી પ્રકાશ ભા. ૩ અને દરબારે અકબરી એ બધાં પુસ્તક ઇતિહાસના અભ્યાસીને ઉપકારક થાય એવાં છે.
સેરઠી બહારવટીઆ ભા. ૨-૩ બહાર પાડી શ્રીયુત મેઘાણીએ આપણા દેશમાં બ્રિટિશ અમલ પૂર્વે, પોતાનો વિરોધ દર્શાવવાને ગ્રહણ કરવામાં આવતી બહારવટાની પ્રથા અને એ લોકના નેકટેક અને શિરસાટાનાં સાહસ-જેમના માટે જનતામાં એક પ્રકારનો ભય તેમ પક્ષપાત છે, -નાં વૃત્તાંત સારી માહિતી મેળવી, રસિક રીતે વર્ણવ્યાં છે, તેનું વાચન રસપ્રદ નિવડી, સાહસ અને શૂરાતન માટે જુઓ ને તે માટે માન અને પ્રશંસાની લાગણી પેદા કરશે. દેશમાં રાજકીય હિલચાલ માટેની લાગણું હમણાં હમણાં ખૂબ અને
ચારે દિશામાં પ્રકટી ઉઠી છે, તેના પરિણામે એ વિચાર રાજકીય સાહિત્ય અને લાગણીને ઉત્તેજે અને બળ આપે એવું નવું
સાહિત્ય તૈયાર થાય જ, અને તે ક્ષેત્રમાં અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ, અરાદ્ધસે સત્તાવનના બળવાની બીજી બાજુ (મી. થેમ્સનના The other side of the medalના સારરૂપ અનુવાદ), ઈટાલીન મુકિતયજ્ઞ અને મિસરને મુક્તિસંગ્રામ એ મુખ્ય છે. જેઓ નાત જાતના ઇતિહાસમાં રસ ધરાવે છે, તેમને રા. ધનપ્રસાદ મુનશી રચિત “ભાર્ગવ બ્રાહ્મણોનો ઇતિહાસ” એ પુસ્તક જેવા વિચારવા જેવું છે. આજકાલ આત્મવૃત્તા, સ્મરણ ચિત્રો, નેંધપોથી પુષ્કળ લખાય
–છપાય છે; તેથી ચાલુ અને પાછલે ઇતિહાસજીવનચરિત્ર બનાવો વિષે આપણને ઘણું નવું જાણવા વિચારવાનું
મળે છે; પણ તેમાંના ઘણાખરામાં સ્થાયી અને તાત્ત્વિક અંશે ઝાઝા નહિ મળી આવે. તેની અસર–રસ તાત્કાલિક જ માલુમ પડશે. પરંતુ મહાત્મા ગાંધીજીનું સત્યના પ્રયોગો-આત્મવૃત્તાંત, જેમ તે ગુજરાતી જનતા માટે એક કિમતી ભેટ-વારસે છે, તેમ સાહિત્ય જગતમાં તેનું સ્થાન ઉંચું અને અનોખું રહેવાનું અને કેટલાંક ચિરસ્થાયી આત્મકથને, જેવાં કે Confessions of st. Augustine, Russ
૧૫
Page #28
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
Oue's confessionsની પેઠે નવી અને ભાવિ પ્રજાને તે ગ્રંથ પ્રેરણાત્મક અને બળપ્રેરક થઈ પડશે. ગુજરાતી ભાષા માટે મહાત્માએ જે સુંદર કાર્ય કર્યું છે, અને તે માટે મમત્વ પ્રજામાં ઉભું કર્યું છે; તે સેવા કાર્ય કદી ભૂલાશે નહિ. વળી એમના પુસ્તકને દેશ પરદેશમાં જુદી જુદી ભાષાઓમાં તરજુમા થાય
એ, ખરે, ગુજરાતી ભાષા માટે ગૌરવભર્યું છે; જે કે મહાત્માજીના અસાધારણ વ્યક્તિત્વને અને પ્રભુતાને હિસે તેમાં થોડે નથી.
આ યુગના ગાંધીજી જેવા બીજા સમર્થ પ્રજાકીય નેતાઓ, લેનિન અને ઝગુલ પાશાના જીવનચરિત્ર “અમર મહાજન' એ નામથી “સૌરાષ્ટ્ર કાર્યાલયે' બહાર પાડ્યાં છે અને એજ સંસ્થાનું દેશભક્ત–લાલાજી -લજપતરાયનું પુસ્તક મનનીય જણાશે. એજ કક્ષામાં મૂકી શકાય એવું બીજું હાનું પુસ્તક શ્રીયુત વલ્લભભાઈનું ચરિત્ર છે; અને તે ભાઈશ્રી મહાદેવભાઈએ એમની મોહક અને વિનોદભરી શિલીમાં આલેખ્યું છે. શ્રીયુત નારાયણ ઠકકુરના વીર વૈરાગી અને ગુરૂ ગોવિંદસિંહ એ નામનાં બે પુસ્તકો હિન્દુ જાતિનું ગૌરવ અને ખમીર દર્શાવનારાં તેમ તેમનામાં જુસ્સો આણનારાં છે. ધર્મગ્રંથમાં શ્રીયુત મશરૂવાળાના રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહા
વીરનાં પુસ્તકો આદરણીય જણાશે; પણ જનતાને ધર્મ અને તત્વ- રા. જેઠાલાલના રસેશ શ્રીકૃષ્ણમાં વિશેષ આનંદ પડશે. જ્ઞાનનું સાહિત્ય તે એક ભક્તિપૂર્ણ અને બધપ્રદ પુસ્તક છે. તેમ ઈસ્લા
મન પયગમ્બર, ચાર ઈશ્વરભક્ત, દિલોજાન દસ્ત, નવનાથ કથામૃત, સોરઠી સંત, સ્વામી ભાસ્કરાનંદજી, ભગવાન ચૈતન્ય દેવ, એ પુસ્તકો ભાવિકોને આકર્ષશે; અને વિદ્યાર્થી બંધુઓને શ્રીયુત નૃસિંહપ્રસાદ રચિત સુતપુત્ર કર્ણ અને શ્રીયુત પાઠકનું ભારતના ભડવીરો વાંચવાની ભલામણ કરી શકાય.
પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ થઈ પડયો છે કે આપણે અહિં આપણાં ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનને અભ્યાસ દિવસે દિવસે ઓછે થતો જો, બકે નાશ પામતો જાય છે. આપણી સંસ્કૃત પાઠશાળાઓ જ્યાં આગળ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, વેદાંત વગેરે વિષયો શિખવાતા તે શિખનાર હવે કોઈક જ મળી આવશે; વસ્તુતઃ ક્રિયમાણ અને જ્યોતિષ, સંધ્યાદિ વિષયો લેનારા ઘણુંખરા મળી આવશે. આપણા વેદ, દર્શન, ઉપનિષદ્દ, પુરાણ વગેરે પ્રતિ દુર્લક્ષ થાય છે એમ સખેદ કહેવું જોઈએ. આ સ્થિતિમાં ગુજરાતી
૧૬
Page #29
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
માં એ વિષયાનું–ધમ અને તત્ત્વજ્ઞાનનું પદ્ધતિસર અધ્યયન અને તેના અંગે ચર્ચા અને વિવેચનને અવકાશ નહિ જેવાં હોય તે શું નવાઇ પામવા જેવું નથી ? જે કાંઈ ઉપલબ્ધ થાય છે તે પ્રાચીન ધમ ગ્રંથાનું નવેસર પુનઃમુદ્રણ, અનુવાદ, ભાષ્ય કે સાર હેાય છે. સ્વતંત્ર રીતે તાત્ત્વિક ચર્ચા કે તુલના કરતું, નવીન દૃષ્ટિબિન્દુ કે તુલનાત્મક વિચાર રજુ કરતું સાહિત્યગ્રંથ જવલેજ પ્રસિદ્ધ થાય છે.
આની સરખામણીમાં પાશ્ચાત્ય દેશમાં ધમ અને વિજ્ઞાનને સમન્વય કરતા-ચતા એકથી વધુ લેખકેા ધર્માચાર્યો અને વૈજ્ઞાનિક-જેમકે ડિન ઈંજ, ડે. ખાસ, પ્રેા. વાહઇટહેડ અને પ્રે. યુલિયન હલ્લી-મળી આવે છે, અને તે ધ વિચારની પ્રગતિની, સજીવતતાની નિશાની છે, જ્યારે આપણું ધર્મ સાહિત્ય સ્થિતિસ્થાપક, રૂઢિવશ, પર પરાપર અવલંબતું અને ચેતનરહિત નજરે પડે છે.
આવા નિરાશામય વાતાવરણમાં એક આશાજનક કિરણ ગત વર્ષના પ્રકાશનમાં નજરે પડે છે અને તે શ્રીયુત મારૂવાળાનું જીવનશેાધન’ નામનું પુસ્તક છે. જેમ કાઇ અભ્યાસી, એકાદ પેાતાને પ્રિય અને સાનુકૂળ વિષય લઇને યુનિવર્સિટીની એમ. એ; વા પી. એચ ડી, ની પદવી એક નિબંધ રજી કરીને મેળવે છે, એવી જાતને આ લેખ છે. તેમાં જેતે નિણૅયાત્મક વા નિશ્ચયાત્મક કહી શકાય અથવા તે ચર્ચાસ્પદ નહિ હેાય એવું, તે લખાણ નથી. પણ એક અભ્યાસી, પેાતાના નિર્ણયા, ચાકસાઇ, પ્રમાણુ, ત અને જ્ઞાન વડે વિભૂષિત કરી, તેાલન અને અભિપ્રાય માટે આગળ ધરે, એવું એક ઉંચી કાટિનું તે પુસ્તક છે, જે ચર્ચા અને વિવેચન માગી લે છે. વાસ્તવિક રીતે અહિંના ‘મજલિસે ફિલસૂફાન’ જેવા-study-circle અભ્યાસમ`ડળમાં આવા ગૂઢવિષયની જૂદી જૂદી દષ્ટિએ ચર્ચા થવી ટે છે. જેમકે, લેખકબંધુએ જીવનનું ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ, એ ચતુર્વ ભાગમાંથી છેલ્લા મેાક્ષને સ્થાને જ્ઞાનને મૂકવાની દલીલ કરી છે; પણ જીવનનું અંતિમ ધ્યેય મેાક્ષ હાઇને, તે શબ્દ જ અમને યેાગ્ય અને વાજખી લાગે છે. જ્ઞાન તે તેનું–મેાક્ષનું સાધન માત્ર છે; તેથી જે શબ્દપરપરા છેક પરાપૂર્વથી ઉતરી આવે છે, તેમાં એ નવા ફેરફાર કરવા કેટલે દરજ્જે વાસ્તવિક અને ન્યાયયુક્ત થશે એ મુદ્દો ચર્ચાવા અને વધુ વિચારાવા ોઇએ છીએ.
વળી સાંખ્ય દન વિષે શ્રીયુત મશરૂવાળાએ જે વિવરણ આધુનિક
૧૭
Page #30
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
પદ્ધતિને અનુસરી અને વિજ્ઞાનની નવી નવી શેધ અને વાદને લક્ષમાં લઈને કર્યું છે, ને તે પર વિશેષ પ્રકાશ પાડી, કેટલાક નવીન દૃષ્ટિબિન્દુ-અભિપ્રાય દર્શાવ્યા છે, તે પણ તપાસાવા-વિચારવા જોઈએ છીએ. પરંતુ તે કાર્ય એક નિષ્ણાત સમાલોચકના હાથે વા અભ્યાસીમંડળમાં જ સારી રીતે થઈ શકે.
પ્રસ્તુત પુસ્તકની પેઠે કઈ નવીન અગર સ્વતંત્ર ગ્રંથ નહિ પણ ધાર્મિક-તાવિક વિષયને દલીલપૂર્વક ચર્ચ, શ્રી તત્વાર્થ નિબંધસંગ્રહ શ્રીયુત મનુભાઈ પંડયાને લખેલો છે.
ઐતિહાસિક દૃષ્ટિએ લખાયલ “રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય” એ વિષય પર શ્રી ડોલરરાયને નિબંધ શિવમતાવલંબીઓએ ખાસ જોવો જોઈએ; અને તે શ્રીયુત દુર્ગાશંકરના શિવધર્મ પુસ્તકના અનુસંધાન-પૂર્તિરૂપે છે, એમ કહી શકાય.
અનુવાદ ગ્રંથમાં શ્રીયુત જેઠાલાલનું અણુભાષ્ય અગ્ર સ્થાન લે છે; અને બીજાં આગળનાં બે ભાગે-રા. બા. કમળાશંકર અને પ્રિન્સિપાલ આનન્દશંકરભાઈના અનુવાદ ગ્રંથ-શાંકર ભાગ્ય અને શ્રી ભાષ્યની પંક્તિમાં મૂકી શકાય એવું તે ઉત્તમ છે; ખાસ કરીને તેમાં વિસ્તૃત ઉપઘાત દર્શનશાસ્ત્રના અભ્યાસીને વિચારણીય જણાશે.
અષ્ટાવક્ર ગીતા, ભક્તિ રસાયન, તત્ત્વાર્થ સૂત્ર ભા. ૧, જીવનસિદ્ધિ, ટોલસ્ટોયના The Christian Teaching ને અનુવાદ, શ્રીમતી ભગવતી સૂત્ર, કાષ્ટાધ્યાયી, સેવાકુંજ એક જુના ઈટાલિયન તત્વજ્ઞાનનાં પુસ્તકને અનુવાદ-એ સર્વ આપણા ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ કરે છે; અને તે આવકારદાયક પ્રસિદ્ધિઓ છે.
પૂર્વે આપણું લોકે, જે નિષ્ઠાથી અને ભક્તિભાવથી, હિંદમાંના દૂર દૂરના અને જૂદા જૂદા સ્થળે આવેલા તીર્થસ્થાનની યાત્રા, અનેક પ્રકારની અગવડો અને વિટંબણાઓ વેઠીને કરતા હતા, તે માટેનો પ્રેમ અને આદર નવા શિક્ષિત વર્ગમાંથી, રેલ્વે મોટરો વગેરે પ્રવાસનાં સાધનો અને બીજી અનુકૂળતાએ વધવા છતાં, ઓછો થતો જાય છે, અને કેળવણી પૂરી થતાં જ અને સંસાર વ્યવહારમાં પડતાં અગાઉ, એકવાર પ્રવાસે નિકળી જૂદા જૂદો અનુભવ મેળવવો જોઈએ, એ દૃષ્ટિએ પણ તે તરફ કાંઈ લક્ષ અપાતું નથી તેથી આપણું પ્રવાસસાહિત્ય કંગાલ રહે છે; અને જે કાંઈ લખાય છે, તે યાત્રાળુઓની દષ્ટિએ, માર્ગદર્શક અને માહિતી પુરતું હોય છે, જેમકે, કાશ્મીરથી
Page #31
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
નેપાલ, નેપાલ અને આસામનો પ્રવાસ વગેરે. મુનિશ્રી જયન્ત વિજયજીએ આબુ ભા. ૧ લો. યાત્રાળુઓ માટે લખે છે; પણ તેમાં જાણવા જેવી ઐતિહાસિક હકીકત ઉમેરેલી છે. યાત્રાળુ, ઇતિહાસરિસિકો અને અભ્યાસકે સૌને રસ પડે અને આનંદજનક થાય એવું માત્ર રા. દુર્ગાશંકર શાસ્ત્રીનું ગુજરાતનાં તીર્થસ્થાનો’નું પુસ્તક છે અને તે સંગ્રહવા જેવું છે. અમદાવાદનું ચિત્ર આલબમ, રા. રવિશંકર રાવળ અમદાવાદની મુલા
કાત લેનારને માટે નિયોજ્યું છે; અને તેમાં આપેલાં ચિત્ર, સ્થાપત્ય, ચિત્રો વિષે, સ્થાપત્યની દષ્ટિએ અગત્યનું જાણવા જેવું
અને ઉપયોગી જ્ઞાન અમદાવાદનું સ્થાપત્ય,રા.રત્નમણિરાવે લખેલા ગુજરાતના પાટનગર પુસ્તકમાંના કેટલાંક પ્રકરણે સુધારાવધારા સહિત, જૂદાં છપાવેલાં તે આપે છે.
સ્વતંત્ર ચિત્રો દોરનાર ચિત્રકારે આપણે અહિં જૂજ મળી આવશે. આજથી પંદરેક વર્ષપર અહિંની મ્યુનિસિપલ સ્કુલના એક શિક્ષક સ્વ. મગનલાલે, સિદ્ધરાજ અને રાણકદેવી અને હિંદ માતા એ બે ચિત્રો કાઢેલાં; પણ તેની કદર તેના મૃત્યુ બાદ થઈ હતી.
પણ કુમાર કાર્યાલય’ અમદાવાદમાં નિકળ્યા પછી રા. રાવળની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રચારકાર્યથી ગુજરાતીઓમાં કળા પ્રતિ એક પ્રકારની આસક્તિ બંધાતી જાય છે; અને કળાને અનુકૂળ અને ઉત્તેજક વાતાવરણ ઉભું થાય છે, અને તેની પ્રત્યક્ષ અસરનાં પરિણામ અનેક મળી આવશે; તેમાં શ્રીયુત કનુભાઈ દેસાઈનું ચિત્ર આલ્બમ એક છે; અને એ ભાઈની પીંછીની સર્વત્ર પ્રશંસા થતી સાંભળીને આપણને ગુજરાતીઓને સ્વાભાવિક આનંદ થઈ આવે છે. આપણા દેશમાં વૈદ્ય હકીમોનો તેટો નથી. દવાઓની જે બહોળા
પ્રમાણમાં જાહેરાત થાય છે, તે બતાવી આપે છે કે આરોગ્ય, વેદકનાં તે માટે કેટલી મોટી માગણી હોય છે; તે પ્રમાણમાં એ ગ્રંથ વિષયનું સાહિત્ય પણ ઠીક બહાર પડે છે; પણ જેને
આપણે અનુભવસિદ્ધ અને ખાત્રીલાયક કહી શકીએ એવું અલ્પ જ હોય છે. ઘણાંખરાં તે ઇંગ્રેછપરથી અને પ્રાચીન સંસ્કૃત વૈદ્યક ગ્રંથેના સાર અને અનુવાદ જ હોય છે.
વળી શાળાઓમાં આરોગ્યનું કંઈક જ્ઞાન અપાય છે, તે કારણે પાઠયપુસ્તક તરીકે વાંચી શકાય એવાં પુસ્તકો રચાય છે.
૧૯
Page #32
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
આ ગયે વર્ષે પ્રસિદ્ધ થયેલાં ગ્રંથમાં હમણાં હમણાં જેના પ્રતિ વિશેષ લક્ષ અપાય છે, તે દાંત, ક્ષય, આહારશાસ્ત્ર વિષેનાં પુસ્તકો જેવા જેવાં છે. આયુર્વેદ વિજ્ઞાન વૈદ્ય મહાદેવપ્રસાદે લખેલું, ગર્ભવિદ્યા, રોગ અને આરોગ્ય, દૂધને ખરાક, ઈગ્રેજીમાં અનુવાદો-તેમ નાડીજ્ઞાન અને ભિષજ રત્નાવલી વગેરે સંસ્કૃત પરથી, હિન્દને સમસ્ત શત્રુ અને દારૂનાં દુઃખ એ મદ્યપાન નિષેધ વિષેનાં પુસ્તકે આપણું ખાસ ધ્યાન રેકે છે. ચાલુ કેળવણી પદ્ધતિ-પ્રાથમિક અને માધ્યમિક–આપણે અહિં સુધારા
અને ફેરફાર માગી રહી છે. તે માટે બે વર્ષ પર કેળવણી વિષયક, એક કમિશન પણ નિમાયું હતું; પણ આજકાલ
બાળકેળવણીને પ્રશ્ન પુષ્કળ વિચારાય અને ચર્ચાય છે, તેમાં મોન્ટેસરી પદ્ધતિ ઝાઝું લક્ષ ખેંચે છે અને તેને લગતું સાહિત્ય-ખાસ કરીને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન-ભાવનગર તરફથી ઠીક પ્રમાણમાં નિકળતું રહે છે. વળી ગોંડલ રાજ્ય ગુજરાતી કોષનું કાર્ય આ
ળ્યું છે, એટલું જ નહિ પણ તે સાથે આપણને એક નવીન વાચનમાળા આપી છે, એ કાર્યની નેંધ લેવાનું પણ આપણે વિસરવું જોઈએ નહિ. કેળવણની પેઠે વ્યાયામ પણ જનતાનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યું છે.
ગામે ગામ પ્રત્યેક નિશાળમાં વ્યાયામની તાલીમ વ્યાયામ ફરજીયાત કરવાની ધગશ પેદા થઈ છે; અને એ
પ્રવૃત્તિને પોષક થાય એવું સાહિત્ય પણ લખાવા અને પ્રકટ થવા માંડયું છે. જેમકે, રા. હરરાયકૃત રમત, કસરત અને ડ્રીલ, છે. માણિક્યરાવનું કસરત અને આરોગ્ય, શ્રી કાન્તનું પુસ્તક, તરવાની કળા; તેમજ સ્કાઉટ માટેનાં પુસ્તક–ખસુસ કરીને રા. ગજાનનનું પુસ્તક “સ્કાઉટિંગ અને બીજી વાત” ઉપયોગી અને ઉપકારક જણાશે. છે. વિજ્ઞાનની સામાન્ય સંજ્ઞા હેઠળ તેના જુદા જુદા વિભાગમાં નેધેલાં
યાદીમાંનાં પુસ્તકો પૈકી કઈ એવું નથી કે જે મૌલિક વિજ્ઞાન સાહિત્ય વા મહત્ત્વનું લેખાય. ખેતીવાડી વિભાગમાં શ્રીયુત
વાલજીત ગેરક્ષા કલ્પતરૂ, ગૌરક્ષા અને ગૌસેવાની મહત્તા અને ઉપયોગિતાનું જનતાને ભાન કરાવે છે. સહકાર વિભાગમાં મી. બ્રેઈનનું પુસ્તક સેક્રેટીસની સફર, સહકારના ધોરણે ગામડાઓની પુનરુ રચના કેવી રીતે અને સુલભતાથી સાધી શકાય તે સમજાવે છે. ખગોળમાં
૨૦
Page #33
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
પ્રત્યક્ષ પંચાંગનું પુસ્તક નક્ષત્રની વાસ્તવિક ગતિ પરથી આપણું પંચાંગ તૈયાર કરવાને અને ચાલુ પંચાંગમાં તે પ્રમાણે સુધારો અને ફેરફાર કરવાનો આગ્રહ કરે છે, તે વાજબી છે. તેમજ હુન્નર ઉદ્યોગમાં ફેટોગ્રાફી અને શિવણકામ અને સ્ત્રીને
શણગાર એ પુસ્તકે તે વિષયોમાં પ્રવેશ કરનારને હુન્નર ઉદ્યોગ કળા મદદગાર થશે. આપણું જુનું દેશીનામું ઘસાતું જાય વગેરે છે; અને નવી બુક-કિપિંગ-પાશ્ચાત્ય ધોરણે ચેપડા
લખવાની રીતિ–નો ઉપયોગ વિશેષ થત–વધતું જાય છે, તેનું જ્ઞાન મેળવવામાં રા. દુર્ગાશંકર યાજ્ઞિકકૃત વ્યાપાર વિજ્ઞાન અને દેશીનામું પ્રમાણભૂત હોઈ તે એક પાઠય પુસ્તકની ગરજ સારશે.
આ સિવાય મેતીનાં તોરણ, ઘરને શણગારવામાં સહાયભૂત થશે અને વાયોલિન શિક્ષક તથા સંગીત શિક્ષણ સુત્રાવલી, સંગીતનો પરિચય કરાવશે. રા. ડુંગરશી ધરમશી જે કોઈ પ્રશ્ન હાથ ધરે છે, તેમાં છેક ઉંડા ઉતરે છે અને તે વિષયને સારી રીતે છણ, તેને નિષ્કર્ષ કાઢી આપે છે; અને એમના અન્ય લેખોની પેઠે એમણે લખેલે ભાટીઆ વહાણવટાનો જુને ઇતિહાસ કેટલીક જાણવા જેવી માહિતી નેધે છે; તેમ જુગતરામ દવેકૃત રાનીપરજમાં રેંટીઓ, નવી ખાદીની હિલચાલ ગરીબોને આર્થિક મદદ મેળવવામાં કેવી રીતે ઉપયોગી થઈ પડે તેને અને ખ્યાલ આપે છે.
આપણે અહિં વિજ્ઞાનનો અભ્યાસ તેમ સંશાધન નહિ જેવું છે એમ કહી શકાય. જે કાંઈ અભ્યાસ થતો હશે તે અંગ્રેજીમાં અને તે કોલેજપાઠશાળામાં; પણ તેને-વિજ્ઞાનના લખાણને ગુજરાતીમાં ઉતારવામાં પારિભાષિક શબ્દોની મોટી મુશ્કેલી નડે છે અને બીજું એ વિષયને લોકપ્રિય કરવામાં સામાન્ય જનતાનું વિજ્ઞાનનું જ્ઞાન એટલું બધું ઓછું અને તેની એ જ્ઞાનભૂમિકા એટલી નીચી હોય છે કે અન્ય દેશોમાં કેટલાક સિદ્ધાંતો અને માહિતી જનસમૂહને પરિચિત છે એમ સ્વીકારી લેવામાં આવે છે પણ તે ધોરણ આપણા દેશ માટે બસ થતું નથી. છેક સામાન્ય અને જાણતી હકીકતથી તેની શરૂઆત કરવાની હોય છે.
વળી એ વિષય પર લોકોપયોગી વ્યાખ્યાનમાળા ગોઠવવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ અંતરાયરૂપ થઈ પડે છે; જેવી કે, તેના માટે યોગ્ય સ્થાનની, જરૂરી સાધનોની, ચિત્રોની, પ્રવેગ કરવાની અનુકૂળતાની અડચણે હોય છે, જેથી કંટાળીને તે કામ અધવચ મૂકી દેવું પડે છે.
૨૧
Page #34
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
ખરું કહીએ તો આપણે અહિં જેને વિજ્ઞાનની રસવૃત્તિ-કે વિજ્ઞાન પ્રતિ પક્ષપાત bias કહીએ એવું બહુ ડું નજરે પડશે.
દાખલા તરીકે, સોસાઈટી તરફથી સન ૧૯૨૫ માં વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર–જેવા કે, ખેતીવાડી ભૂસ્તરવિદ્યા, પ્રાણવિદ્યા (biology), વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર પર પુસ્તક લખી આપવા જાહેરાત અપાઈ હતી; પરંતુ બીજી બધી શાખાઓ જેવી કે, સાહિત્ય, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, જીવનચરિત્ર વગેરેમાં ભાષાંતર માટે લગભગ સે લેખકોએ માગણી કરી હશે; પણ પ્રસ્તુત વિજ્ઞાનના વિષય પર લક્ષમાં લેવાય એવી એક પણ જુદી અરજી મળી નહોતી; એ ઉપરના અનુમાનનું સમર્થન કરે છે. સામાન્ય નીતિ અને જ્ઞાન વિભાગમાં બેધપ્રદ, નીતિષક, સામાન્ય
જ્ઞાન અને માહિતી આપનારાં બધી જાતનાં પુસ્તકોને સામાન્ય જ્ઞાન સમાવેશ કરેલો છે; તેમાં પેટા-વિભાગ પાડી શકાય; અને નીતિ પરંતુ તે સર્વ પુસ્તકો જેવા તપાસવાની સવડના
અભાવે તેમ કરવું અનુકૂળ થયું નથી. રા. પરમાનંદ કાપડીઆએ “અંત સમયે ” એ શીર્ષક નીચે, આપણે કેટલીક અનિષ્ટ સામાજિક રૂઢિઓ પર પ્રહાર કરી તે સદંતર તજવાને ભાર મૂક્યો છે, તેને તાત્કાલિક અમલ થવાની જરૂર છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે આર્યોના સંસ્કારની નવી આવૃત્તિ છપાવી છે, એ પણ એક મહત્વનું પુસ્તક છે. જીવનસિદ્ધિ ટેલિસ્ટયના The Christean Teaching ને અનુવાદ છે, તે અનુવાદ સાથે થયા છે અને તેમાંનું લખાણ વિચારપ્રેરક અને ઉત્તેજક જણાશે. ગૃહલક્ષ્મી બંગાળી પુસ્તક પરથી અને સ્વ. ચૈતન્યબાળાના ગુજરાતી બહેને પ્રત્યે ત્રણ લેખે, સ્ત્રીધિની અને સુંદરીઓને શંગાર-ભા. ૨ એ પુસ્તકો બહેનોને ગમશે; અને સંગ્રહ ગ્રંથમાં-Common place books શુભસંગ્રહ ભા. ૪ અને ૫ અને સાદી શિખામણના મણકાઓ બોધપ્રદ અને ઉપયોગી વાચન સાહિત્ય પૂરું પાડે છે. રાજકીય વિચાર અને હિલચાલ જનતાનું હમણાં હમણાં ખૂબ ધ્યાન
ખેંચે છે પણ તેને લગતું સાહિત્ય પ્રમાણમાં જુજ છપાય રાજકીય ગ્રંથે છે; એશિયાનું કલંક-એમાં જાપાને કેરિયાને કેવી રીતે
દાબી રાખ્યું છે તેની કરૂણ કથા છેઃ નવા હિંદી રાજકીય સુધારાનો પ્રશ્ન અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યા છે, તેમાં બ્રિટિશ હિન્દ
२२
Page #35
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
સાથે દેશી રાજ્યોને શે! અને કેવા પ્રકારના સંબંધ હાય તેનું નિરાકરણ સૂચવતા, અટલર કમિટીનેા રીપોર્ટ, અને અમૃતલાલ શેઠનું, ‘રાજસ્થાનતી સમસ્યાએ’ એ પુસ્તક અગત્યનાં છે. નરીમાન હાર્વર્કસ, જાહેર બાંધકામ ખાતાનું કામકાજ કેવું અંધેર રીતે થાય છે તેનું પાકળ ફાડે છે; પણ એ બધી પ્રસિદ્ધિઓમાં મહત્વનું અને સારી રીતે લખાયલું પુસ્તક બારડેાલી સત્યાગ્રહને ઇતિહાસ' છે. તે જેમ રાજકીય લડતમાં એક નવીન શસ્ત્રમા` પ્રજાને ખતાવે છે તેમ તેમાંનું વૃત્તાંત-ગામનું અને ગ્રામ્યજીવનનું વાસ્તવિક ચિત્ર રજુ કરે છે. વળી તેમાં લેખકની સમર્થ કલમ તેની રસભરી અને રમુજી વનશૈલીથી તેમ ભાષા લાલિત્યથી તેની રસિકતા, સચેટતા અને આકર્ષણમાં એર વૃદ્ધિ કરે છે.
શુદ્ધ સાહિત્ય ગ્રંથેામાં આપણે પ્રથમ નિબંધ અને વિવેચનનાં પુસ્તક જોઇએ. કવિતા અને સાહિત્ય ભા. ૪ માં સ્વ. સર નિષધ વિવેચન રમણભાઈના હાસ્યરસ પરના વિસ્તૃત નિબંધ, એમની ટુંકી વાર્તાઓ અને એમના કાવ્યાના સંગ્રહને સમાવેશ થયેલે છે. એ ગ્રંથમાળાના આગળના મણકાએામાં રમણભાઇને એક તત્ત્વદર્શી વિવેચક તરીકે આપણને પરિચય થયા હતા; પણ આ પુસ્તકમાં આપણે તેમને એક હાસ્યરસના પ્રવચક, ટૂંકી વાર્તાઓના પ્રયાજક અને એક વિ તરીકે જોઇએ છીએ; અને તે એમની નામના અને કીર્તિમાં ઉમેરેા કરે છે, એમનેા હાસ્યરસ ખીલવવાની ખૂબીને નમુનેા, એમની ટુંકી વાર્તા ‘ચીઠ્ઠી’માં ષ્ટિગાચર થાય છે. તેએ એક સમથ અને કુશળ પ્રબંધકાર હતા, એમ તેમને હાસ્યરસ પરના નિબંધ વાંચતા પ્રતીતિ થશે; અને ન્યાયવૃત્તિ, નમ્રતા, પ્રભુમાં શ્રદ્ધા, સત્યશોધન અને સેવાભાવ, જે એમના જીવનના લાક્ષણિક ગુણા હતા તે એમની કવિતામાં સ્પષ્ટ રીતે તરી આવતા અને ખીલી દીપી ઉઠતા જોઈ શકાશે.
સાહિત્યગ્રંથા
મધ્યકાલિન સાહિત્યના ઇતિહાસ ખંડ ૫ મે, એ મુંબાઈની સાહિત્ય સંસદની પ્રવૃત્તિનું શ્રીયુત મુનશીની ઉમદા મહત્વાકાંક્ષાનું સુંદર ફળ છે. આપણા ગુજરાતી સાહિત્યને પ્રમાણભૂત અને વિસ્તૃત ઇતિહાસ લખાતાં વિલંબ થશે. જે સાધને અત્યારે ઉપલબ્ધ છે, તેની પ્રથમ વિશ્વસનીય નોંધતપાસ અને તારવણી થવાની જરૂર છે. હજી ઘણું સાહિત્ય અસ્તવ્યસ્ત
૨૩
Page #36
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
વિખરાયેલું હાથપ્રતમાં રહેલું છે, તે પૂરું જોવાયું કે તપાસાયું નથી. વળી એ હાથપ્રતની સારી યાદી તૈયાર થઈ નથી; તેમ તે જોવા વાંચવાની અનુકૂળતા પણ નથી. તેમ છતાં સંસદે જે અખતરે જૂદા જૂદા લેખકને સહકાર મેળવીને અજમાવી જોયો છે તે સ્તુતિપાત્ર છે. એથી કેટલુંક પ્રારંભનું કાર્ય ઉકેલાયું છે; ભાવિ કાર્યકરે માટે માર્ગ ખુલ્લો થયો છે. સદરહુ પુસ્તકના ગુણદોષ, જે એવા શરૂઆતના કાર્યમાં હમેશ હોય છે તે દેખીતા છે. અમને તે સાહસ ગમ્યું છે અને પ્રજાએ તેને સત્કાર કરવો ઘટે છે.
શ્રીયુત ચતુરભાઈ પટેલે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગુજર્જર ભાષા સાહિત્ય પ્રવેશ નામનું એક નાનું પુસ્તક રચ્યું છે, તે નવા શિખાઉને ઉપયોગી થશે. નૈવેદ્ય અને પ્રાચીન સાહિત્ય એ બે નિબંધસંગ્રહ ટાગેરના લેખોના અનુવાદ છે; અને તેની આ બીજી આવૃત્તિ છે, એ દર્શાવે છે કે, એ જાતનાં સાહિત્ય માટે આપણે અહિં અભિરુચિ વધતી જાય છે. ઉદુબેધન અને સંસારમંથનમાં શ્રીયુત ન્હાનાલાલના છૂટક નિબંધ અને વ્યાખ્યાનોને સંગ્રહ થયેલો છે અને તે એમના પરિપકવ વિચાર માટે તેમજ એમની સૂત્રાત્મક શૈલીના નમુના રૂપે આદરણીય અને મનનીય જણાશે. એ સંગ્રહ થવાની જરૂર જ હતી. - શ્રીયુત મુનશીનું સુવર્ણયુગનાં સર્જન, એ વ્યાખ્યાન આપણું પ્રાચીન ઇતિહાસને અવલોકી, એમની સર્જક કલ્પનાશક્તિ અને પ્રખર બુદ્ધિ, જે મનગમ્ય ઐતિહાસિક ચિત્રો આપણી સમક્ષ વિધવિધ રંગે પુરી, રમ્ય શૈલીમાં રજુ કરે છે, તેની દીપ્તિના તેજમાં આપણે મોહવશ થઈ જઈએ છીએ; એવી તે જાદુઈ અને પ્રબળ અસર ઉત્પન્ન કરે છે.
નિબંધલેખન આપણે અહિં હજુ બરોબર વિકસ્યું નથી; પણ જે બે સંગ્રહ ગત વર્ષમાં છપાઈ બહાર પડ્યા છે તે, “રસધાર’ કુમારિકા બહેન વિનોદિનીની પ્રથમ કૃતિ, ભવિષ્ય માટે સારી આશા ઉપજાવે છે. અને પ્રો. દુકાળનું પેયણાં હળવુ છતાં ટકોર કરતું, માર્મિક, બુદ્ધિ વિનાદ સાથે વિચારને ઉત્તેજતું નિબંધ લેખન અન્ય લેખકોને એ માર્ગ વિચરવા પ્રેરશે એમ આપણે ઈચ્છીશું. હવે કાવ્ય તરફ વળીએ. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર મેકલેએ એક
સ્થળે કહેલું છે કે જેમ સુધારે યાંત્રિક ઔદ્યોગિક કાવ્યપ્રસિદ્ધિ યુગ વધતો જશે તેમ કવિતાને પ્રવાહ ધીમે-મંદ
થતે જશે. અત્યારે કાવ્યો ઓછાં લખાય છે, એમ
૨૪
Page #37
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
તો નથી; પણ આગળ કવિતાને જે પ્રતાપ પડતું હતું, તેની જીવન પર જે બહળી અસર થતી હતી, તેને તે પ્રભાવ અને તેજ ઓછાં થયાં છે, એમ રવીકારવું પડશે. પહેલાંના પેઠે ડાયરે જામ્યો હોય અને એકાદ કવિ, ભાટ કે ચારણ વચ્ચે બેસી તેનાં કવિત લલકારતો હોય, એ કાવ્યવિનોદ સાંભળવાને અત્યારે કોઈને પહેલાના જેટલી મનની શાનિત તેમ સમય પણ રહેલાં નથી.
વળી લાંબાં કાવ્યો લખવાની પ્રથા લગભગ લુપ્તજ થવા બેઠી છે અને વીરરસ કાવ્ય તો એક સ્વપ્નવત બની ગયું છે. આપણને જાણીને આનંદ પામવાનો છે કે, ગુજરાતના એક નામાંકિત અને અગ્રગણ્ય કવિ શ્રીયુત નિહાનાલાલે, જે ગ્રંથ આપણું પ્રાચીન સંસ્કૃતિના અમૂલ્ય વારસારૂપ ગણાય છે, તેના ભરચક રત્નભંડારમાંથી “કુરુક્ષેત્ર” નામક એક વીરકાવ્ય રચવાનું આરંભ્ય છે. તેના આજ સુધીમાં છ કાંડ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને તેના વાચકે તરફથી તેની પ્રશંસા થતી સાંભળી છે. હમણું વળી એમ જાણવામાં આવ્યું છે કે એક કાવ્યરત્ન પરીક્ષકે તે સાંભળીને-ભાવનગર રાજ્ય તરફથી-કવિશ્રીને આજીવન રૂ. ૫૦૦) નું વર્ષાસન બાંધી આપ્યું છે.
ઈલાંડના માજી રાજકવિ સ્વર્ગસ્થ રબર્ટ બ્રિજીસનું The Testament of Beauty નામનું એક લાંબું કાવ્ય ઠાક, માસ પર પ્રકટ થયું છે, તેની ખૂબ તારીફ થયેલી છે અને ઉત્તમ કાવ્યો સાથે તેની તુલના અને ગણના થાય છે, તેમ ગુજરાતના આ મહાકવિનું “કુરુક્ષેત્ર લોકપ્રિય નિવડી, તે એક જીવંત કૃતિ થશે, એવાં એક અનુપમ અને અપ્રતિમ કાવ્યના અંશો-ગુણ તેમાં રહેલા જોવાય–અનુભવાય છે.
બીજાં કાવ્ય પુસ્તકોમાં કવિશ્રી ખબરદારની ભજનિકા અને રાસચંદ્રિકાને સારો સહકાર થયેલો છે; અને શ્રીયુત કેશવ શેઠના રાસ માટે સતત માગણી રહ્યા કરે છે, એમ તેમને રાસનો છેલ્લો સંગ્રહ “રાસમંજરી' કહી આપે છે. સ્ત્રીવર્ગમાં એમના રાસે પુષ્કળ પ્રચાર અને પ્રસિદ્ધિ પામ્યા છે, તે જેમ કવિની લોકપ્રિયતા તેમ એમના રાસોની સરસતા અને માધુર્યને. ખાત્રીલાયક પુરાવે છે.
શ્રીયુત મેઘાણી સંપાદિત ચુંદડીના બે ભાગ એમના અન્ય સંગ્રહોની પેઠે આદરપાત્ર થયા છે; પરંતુ સાહિત્યરસિકોને એમનાં “ઋતુગીતો' અને ખસુસ કરીને એમની સ્વતંત્ર કૃતિ “કિલ્લોલ' વધુ આકર્ષશે. આપણું પ્રાચીન લોકસાહિત્ય, કથાવાર્તા અને ગીતોનો પુનર દ્વાર, ઐતિહાસિક અને
૨૫
Page #38
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
શાસ્ત્રીય રીતે કરવાનો યશ અને માન, એમને જ છે, અને તે બદલ પ્રજા એમની હમેશ અણું રહેશે.
પ્રો. બળવંતરાયના “ભણકાર”ની પૂરવણી, જે કાવ્યગુણપરીક્ષક છે, તેમને ખચિત ગમશે જ; પણ ઉછરતી નવી પ્રજાનું માનસ શ્રીયુત દેશળજી પરમારનાં ગૌરીનાં ગીતમાં સારી રીતે ઝીલાયું છે; તેમાં નવયુવક અને નવયુવતિના મનોરથ અને આદર્શને કાવ્યમાં ઉતારવાનો પ્રયત્ન નજરે પડે છે.
આ ઉપરાંત પુનરાવૃત્તિ થયેલા અને પરચૂરણ કાવ્યગ્રંથે મોટી સંખ્યામાં મળી આવે છે. નાટક મૂળે જ એાછાં લખાય છે; અને જે ગણ્યાગાંઠયાં મળી આવે
છે, તેમાં સ્વતંત્ર અને સફળ થયેલી કૃતિઓ તે જૂજ નાટક, જ હોય છે. વળી હમણાં હમણાં બાલનાટકો અને એકાંકી
નાટક લખવાનો પ્રચાર વધતો જાય છે, એ પ્રગતિસૂચક ચિહ્ન છે. દક્ષિણામૂર્તિ ભવન તરફથી પ્રકટ થયેલું “ભયને ભેદ' સૂચક અને બાળકને આનંદ આપે એવું એક નાનું નાટક છે. શ્રીયુત નર્મદાશંકરનું ધ્વજારેપણ, ચાલુ રાષ્ટ્રીય ધ્વજની હિલચાલને પોષક થશે. શ્રીયુત પંડયાનું ત્રિવેણું પણ બાલમાનસ-તેના તફાની અને ટીખલી સ્વભાવનુંઅદ્ભુચિત્ર દોરે છે. ભાષાંતર નાટકમાં શ્રીયુત મનસુખલાલ ઝવેરીનું સ્મૃતિભ્રંશ' અને રા.
બાબુરાવનું ‘હાઈમાટ', બન્ને ગ્રંથો આવકારદાયક ઉમેરે ધ્રુવ સ્વામિનીદેવી, કરે છે. પહેલું કવિ કાલિદાસના શાકુંતલનો નવેસર
અનુવાદમૂળને અનુસરત છે અને હાઈમાટમાં અર્વાચીન ત્રીજીવનને લગતા પ્રશ્નોની ચર્ચા છે. પણ લોકપ્રિય નિવડેલાં અને વધુ ચર્ચાયલાં એવાં બે નાટકે-ધ્રુવસ્વામિની દેવી અને કાકાની શશી શ્રી. મુનશીનાં લખેલાં છે. પ્રાચીન દેવીચરિત્રમ્ નામક નાટકને એક ખંડિત ભાગ પ્રાપ્ત થયો છે, તેમાંની વસ્તુ લઈને ગુપ્ત સમયનું, ખસુસ કરીને ગુજરાતના ઇતિહાસના એક વિકટ પ્રસંગ પર પ્રકાશ પાડતું, એક સરસ નાટક તેમણે છે. ધ્રુવ સ્વામિની દેવીને જાજરમાન સ્વભાવ અને વિપરિત તેમજ વિપદ સ્થિતિમાં એનું ટેકીલું અને સ્વમાનભર્યું વર્તન તેમ ચંદ્રગુપ્તનાં પરાક્રમ અને સાહસિકતા; હુણ સરદારને ગંભીર અને કટોકટીના પ્રસંગે સિફતથી પરાસ્ત કરવામાં વાપરેલી કુનેહ અને ખબરદારી તથા અંતના ભાગમાં પિતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે તેણે ધારણ કરેલો એક ગાંડા મનુષ્યને સ્વાંગ-એ સઘળું નાટકમાં રસમય વાતાવરણ
Page #39
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
ઉભું કરવામાં સફળ નિવડે છે અને તે ચિત્તને રોકાયેલું અને રંજિત-મગ્ન રાખે છે. પરંતુ એક ઐતિહાસિક નાટક તરીકે તેનું મૂલ્ય વિશેષ છે; છતાં એમની અન્ય કૃતિઓ જેવી કે, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા જેટલું સરસ તો એ નાટક નજ કહી શકાય. એમની બીજી કૃતિ કાકાની શશી ઉપરોક્ત નાટક કરતાં વધારે લોક
પ્રિય નિવડી છે; તેનું કારણ, તે નાટક સ્ટેજપર મુંબાકાકાની શશી. ઈમાં અને અન્ય સ્થળે ભજવાયું છે એ ખરું; પણ તે
વધારે આકર્ષણ અને ચર્ચાનું મુખ્ય કારણ બન્યું તે તેમાંનાં મુખ્ય પાત્ર શશી, તેના પાલક અને ઉછેરનાર સોલિસિટર મનહરલાલ જેને શશી કાકા કહીને સંબોધતી હતી તેની સાથેનું લગ્ન છે. આપણું સમાજમાં આવાં લગ્ન છેક નથી જ થતાં એમ કાંઈ નથી. એક ભત્રીજી સાથે
ક્યાં નથી પરણતે ? વા એક આશ્રિતને મોટી કરી, તેની સાથે લગ્ન કર્યાના દાખલા, જેમકે કલાપી–ભનાના પણ–મોજુદ છે; તેમ છતાં ચાલુ રૂઢિની વિરુદ્ધ હોવાથી અને શ્રીયુત મુનશી જેવા પ્રણાલિકાભંગવાદી તેના પ્રયોજક હોઈ, સમાજના અમુક વર્ગ તરફથી તેના પ્રતિ સપ્ત આક્ષેપ થતા સંભળાયેલા. પણ એ નાટકની લોકપ્રિયતા અને વાહવાહમાં તેના વિરોધી પક્ષને અવાજ ગુંગળાઈ ગયો. અહિં કહેવું જોઈએ કે તેમાં દેષો છે; તે એમની ઉત્તમ કૃતિ નથી. પણ જનસમૂહના રંજનાથ દાખલ કરવા પડેલા અંશે તેમાં વધુ પ્રમાણમાં છે; તેથી તે નાટક લોકચિને ગમ્યું છે, અને પંકાયું છે, એ નિર્વિવાદ છે.
રા. ચંદ્રશંકરે નાટકની મૂળ વસ્તુ કેવી રીતે ઉભવી હતી તેનું સૂચન “બે ઘડી મોજ'માં સદરહુ નાટક વિષે લખતાં કર્યું છે, કે મુનશીના પંચગીનીના બંગલાના માળીએ, એની પાલક આશ્રિત સાથે લગ્ન કરેલું તે પરથી એનું વસ્તુ લેવાયું છે, પરંતુ જે કઈને તેમાં અપહરણને દોષ જેવ–શોધવો જ હોય તો, જાણીતા શિયન નાટકકાર તજનિફના બેચલર” નામક નાટકની છાયા-અસર, નકલ જાણે અજાણે ઉતરી આવતી હોય એવું કંઈક ભાસે છે. એમણે શશીના લગ્નના પ્રશ્નને ત્રીજીવન, સ્ત્રીજીવનના સમાન હકક અને સ્વાતંત્ર્ય સાથે એ સાંકળી અને થી દીધો છે કે લેખક પોતે એ લગ્નગ્રંથી જેડી તેની હાંસી કરે છે કે પ્રશંસા કરે છે, એ સમજાતું નથી. આખા નાટક દરમિયાન લેખક તદ્દન તટસ્થ વૃત્તિ સાચવે છે, એ તેની ખૂબી છે.
२७
Page #40
--------------------------------------------------------------------------
________________
-
ગ્રંથ અને ગ્રંથકાર
કોષ અને રેફરન્સનાં પુસ્તકમાં શ્રીયુત કેતકરનો પ્રયાસ, મરાઠી જ્ઞાન
કોષને ગુજરાતીમાં ઉતારવાને જેમ ભગીરથ, તેમ જોખમ કિષ-રેફરન્સ ગ્રંથે. ભરેલો છે, માત્ર અનુવાદથી એ કાર્ય સરે એમ નથી.
તેની સંકલના અને તેના સાધનની તૈયારી કરવામાં રચવામાં સ્વતંત્ર ગુજરાતી લેખક મંડળ ઉભું થવું જોઈએ કે, જે એનું તંત્રી મંડળ બને. - ગુજરાતી જોડણું કોષ પ્રકટ કરીને ગુજરાત વિદ્યાપીઠે શુદ્ધ ભાષા લેખનના કાર્યમાં ઘણું સરળતા કરી આપી છે અને તેને પ્રચાર અને ઉપયોગ વધતાં, જે અનિયમિતતા અને અચોકસ ધારણ લેખનમાં સામાન્ય રીતે અત્યારે પ્રવર્તે છે, તે ધીમે ધીમે વપરાશથી અને ટેવથી ઓછું થઈ જશે, એમ અમારું માનવું છે. * એજ રીતે ગુજરાતીમાં અત્યાર આગમચ પ્રકટ થયેલાં પુસ્તકોની વિસ્તૃત અને વર્ગીકૃત એક યાદી–આઠ હજાર ગ્રંથોની છપાવી, વડોદરાના પુસ્તકાલય સહાયક સહકારી મંડળે ખર્ચાળ સાહસ ખેડી, એક મહત્વનું
અને પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. જેમ આપણું સાહિત્યનો અભ્યાસ - ઝીણવટથી ઉડે અને વધુ વધતો જશે, તેમ તેની ઉપયોગિતા અને મૂલ્ય
સમજવામાં આવશે, અને તેની કદર પણ થશે. - , - શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરીનો પૌરાણિક કથાકોષ, “નર્મકથાકેશ 'ને - પડખે રાખે છે એટલું જ નહિ, પણ આપણું કાવ્યસાહિત્યના અભ્યાસીને રેફરન્સ અને ઉપયોગ માટે વિશેષ મદદગાર થાય તેવો છે.
ઉપર પ્રમાણે ગત વર્ષના પ્રકાશનનું કામપુરતું અને મુદ્દાસર 'નિરીક્ષણ કર્યા પછી, દેશમાં એ વર્ષમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હતી અને
સમાજમાં કેવું પરિવર્તન થઈ રહ્યું હતું, તે તેના પડખે મૂકી જોયાથી ચાલુ આ વસ્તુસ્થિતિને યથાર્થ અને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. - એ વર્ષમાં મહાત્માજીનો મણિમહોત્સવ ઉજવાઈ પ્રજાએ એ મહા
પુરુષ પ્રત્યેનો પિતાનો પૂજ્ય ભાવ, પ્રેમ અને ભક્તિ મુખ્ય નેંધવા ગ્ય પ્રદર્શિત કર્યો છે; વડોદરા-નરેશ સર સયાજીરાવે - બનાવે. રા. બા. રાજરત્ન હરગોવિંદદાસભાઈને સાહિત્યમાર્ત
- ૭નો સુવર્ણચંદ્રક અપી, એ વયોવૃદ્ધ સાક્ષરની લાંબી સાહિત્ય સેવાઓની કદર બુ0; ગુજરાત સાહિત્ય સભાએ ૨૫ વર્ષ પૂરાં થતાં, રજત ઉત્સવ નિમિત્ત, પાટનગર અમદાવાદ' એ નામનું એક મહત્વનું, મૂલ્ય
૨૮
Page #41
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
વાન અને દળદાર પુસ્તક-સચિત્ર-પ્રસિદ્ધ કર્યું અને પહેલવહેલું લેખન-સંમેલન ભર્યું. તે પછી તુરતજ, ગુજજર તણોએ, સુરત નજદિક આવેલા ડુમસમાં બીજું લેખક સંમેલન યોજ્યું હતું; એ બધું પરસ્પર સંબંધ જોડાવા, નિકટ પરિચયમાં આવવા અને એક પ્રકારનો ભાઈચારે વધારવા, ઉછરતા લેખકવર્ગમાં જે ઉત્કંઠા અને લાગણું ઉદ્દભવી છે, તેની શુભ આગાહી છે. આવાં સંમેલનના લાભ અનેક છે, એ સમજાવવાની જરૂર જ નથી.
" આવું ત્રીજું સંમેલન બાલસાહિત્ય લેખકનું ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિમંત્રણથી મળ્યું હતું.
આપણે અગાડી જોઈ ગયા છીએ કે હાલમાં બાલસાહિત્ય સારી સંખ્યામાં અને સંતોષ પમાય એવું બહાર પડે છે.
પરંતુ ફક્ત તેની સંખ્યા પર, તેમાં થતા ઉમેરા તરફ નજર ન રાખતાં, તેની તૈયારીમાં ઉચ્ચ અને શિષ્ટ ધોરણ સચવાય; તેમાં વિવિધતા અને નવીનતા આવે; તે પાછળ કંઇક ઉદેશ કે ભાવના મૂર્તિમંત રહેલાં હોય, એ ગુણપ્રમાણ સંખ્યા કરતાં મહત્વનું ગણાવું જોઈએ.
ઉપરોક્ત સંમેલનનો આશય અમારા સમજવા પ્રમાણે બાળસાહિત્ય વિષે મુખ્ય સિદ્ધાંતની ચર્ચા કરી માર્ગદર્શક અને મદદગાર નિવડે, એવી કોઈ સંકલના, કાર્યક્રમ કે વ્યવસ્થા ઉભી કરવાનો હતો.
તે વખતે ચર્ચા અને વિચાર વિનિમયાર્થે શ્રીમતી તારાહેન મોડકે વાંચેલો બાલસાહિત્ય વિષેનો લેખ એ વિષયના અભ્યાસીએ, ખાસ કરીને બાલસાહિત્યના મણકાઓને ઉપયોગ કરનારે વાંચવા જેવો છે.
એ પ્રસંગે શ્રીયુત ગિજુભાઈ બધેકાને કેળવણીના ક્ષેત્રમાં એમના સુંદર કાર્ય માટે અને નવું બાલસાહિત્ય રચવામાં આપેલા સંગીન ફાળા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો, એ પણ એક નોંધવા જેવી બીના છે. સારાની સાથે માઠા બનાવોમાં પૂજ્ય વયોવૃદ્ધ પંડિત જયકૃષ્ણ ઈદ્રજીના
અવસાનથી આપણે વનસ્પતિશાસ્ત્રને એક પૂરેપૂરો અવસાન નેંધ. નિષ્ણાત, બુદ્ધિશાળી, બહોળે જાણકાર અને
અનુભવી અભ્યાસી તથા વિદ્વાન પુરૂષ ખાય છે. એ વિષયમાં જેમનું જ્ઞાન પ્રમાણભૂત લેખાય એવા ગુજરાતીઓમાં તેઓ એકલા જ અને અજોડ હતા; વળી જે પ્રતિષ્ઠા અને માન,
२८
Page #42
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
ઇતિહાસ અને પુરાતત્ત્વના વિષયેામાં, સ્વ. પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ પ્રાપ્ત કર્યા હતાં, તેવું ઉંચુ` સ્થાન સ્વસ્થ એ વિદ્યાના નિષ્ણાતામાં મેળવ્યું હતુ.એમનું વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક અને કચ્છની વનસ્પતિઓનું પુસ્તક, જેમ કિમતી અને કાયમ ઉપયાગના ગ્રંથે છે, તેમ એ વિષયમાં રસ લેનારાઓને મદદગાર અને માદઅેક પણ થશે.
ખીજું અવસાન વધારે ખેદજનક છે; તેએ કાઈગ્રંથકાર નહાતા; પણ સ્ત્રીકેળવણી માટેની ધગશથી જ્યાં જ્યાં એમણે પોતાનું પ્રવૃત્તિકેન્દ્ર જમાવ્યું હતું, ત્યાં ત્યાં સ્ત્રી કેળવણીને પ્રચાર કરવા, તેને ક્ષેત્ર-વિસ્તર વધારવા અને તેને ગતિ અને વેગ આપવા પુષ્કળ શ્રમ સેવેલે એટલુંજ નહિ, પણ પોતાના આદમય રહેણીકરણી અને સેવાકાથી તેમના નિકટમાં આવનાર સા કાઈ ના ચાહ સંપાદન કરેલા; અને અનેક મિત્રે અને વિદ્યાર્થીનીએએ-જેઓ છાપામાં કવચિત્ લખે છે, એમના મૃત્યુ વિષે છાપામાં પા અને લેખા માકલેલા તે બતાવે કે, મરનાર શ્રીયુત દાણી કેટલા બધા દિલસેાજ અને લોકપ્રિય હતા. એમનું અકાળે અને ન્હાની વયે થયલું અવસાન ખરેખર એક ગમગીન બનાવ છે.
પણ આ સાને ઢાંકી દે અને પ્રજામાં નવેા, વધુ વેગવાન જુસ્સા અને જોર પેદા કરે એવી દેશમાં વ્યાપી રહેલી રાજકીય પ્રવૃત્તિ હતી.
કલકત્તા કૈાન્ગ્રેસે અંતિમ રાવ કૌં હતા કે–સન ૧૯૨૯ના વર્ષ દરમિયાન સરકાર તરફથી સસ્થાનિક સ્વરાજ્ય આપવા કાંઇ પણ પ્રયાસ થતા માલુમ નહિ પડે તેા તેની આખરે બીજી કેાન્ગ્રેસની બેઠકમાં સંપૂર્ણ સ્વરાજ્યનું ધ્યેય જાહેર કરવું..
ટ્રૅશસ્થિતિ.
તે અરસામાં અફગાનિસ્તાનમાં બખેડે શરૂ થયા, અને શાહ અમિનુલ્લાને રાજગાદી છેાડવી પડી; બીજી તરફ મહાત્માએ બ્રિટિશ માલના અહિષ્કારની લડત આરંભી ને આખા દેશમાં પટન કરવા માંડયું.
તે આગમચ સાયમન કમિશનના બહિષ્કાર જામીજ રહ્યા હતા. ત્રીજી તરફ કામ્યુનિસ્ટેાનું-સામ્યવાદીઓનું જોર વધવા માંડયું અને તે અળને ઉગતું ચાંપી દેવા સરકારે મિરત કેસ ઉભા કર્યાં. સાથે સાથે ધારાસભામાં જાહેર સલામતીનું ખીલ ( ખરડા) આણ્યું'. પણ પરિસ્થિતિ લક્ષમાં લઈ પ્રમુખે તે પર રૂલીંગ આપી, તેને વધારે ચર્ચાતું અટકાવ્યું. તે વખતે જ ધારાસભામાં એમ્બ પડચા,
Public safety bill
३०
Page #43
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
વળી રાજદ્વારી કેદીઓએ જેલસત્તાના અઘટિત અને સખ્ત વર્તન અને અંકુશ વિરુદ્ધ વિરોધ રૂપે ઉપવાસ આદર્યો, તેમાં જતીન્દ્ર બાબુનું મૃત્યુ થયું; એથી દેશ વધારે ખળભળી ઉઠ્યો.
એવામાં ઈંગ્લાંડમાં કામદાર વર્ગ–labour party અધિકારપર આવ્યો.
ચોથી તરફ સાયમન કમિશન અને એઈજ ઓફ કન્સેટ કમિશન -સંમતિ વય કમિટીને કાર્યક્રમ ચાલુ હતા, તેની ધમાલમાં વળી હીટલી કમિશન, પછાત કોમ સુધારણે તપાસ કમિટી અને બેન્કીંગ ઈન્કવાયરી કમિટીથી વિશેષ ઉમેરો થયો.
પાંચમી બટલર કમિટીના રીપેટથી રાજા મહારાજાએ વિચારમાં પડી ગયા, અને તેમના તરફથી ઈગ્લાડ ડેપ્યુટેશન મોકલવા તેઓ અધીરા થઈ રહ્યા.
છઠ્ઠી તરફ નેહરૂ રીપેર્ટમાંના કમી પ્રતિનિધિતત્વનો ભાગ મુસલમાન બિરાદરો અને હાની કેમો, જેવી કે શિખ વગેરેને પસંદ ન પડવાથી એ રીપેર્ટ ખોરંભે નંખાયો; અને જાણે કે આ બધી ચળવળ, ધમાલ, મને વ્યગ્રતા અને ચિંતા પુરતાં ન હોય તેમ અસ્પૃશ્ય જાતિના બંધુઓએ મંદિર પ્રવેશ માટે સત્યાગ્રહ શરૂ કર્યો.
દેશનું રાજકીય વાતાવરણ વર્ષારંભથી તંગ, ઉશ્કેરાયેલું અને ઝટ ભભુકે લઈ ઉઠે એવી તપ્ત સ્થિતિમાં હતું તેમાં ઉપર નેંધાયેલા બનાવોથી વિશેષ બેચેની અને અજંપો ઉપસ્થિત થઈદેશને મામલો વધારે ગંભીર અને કઠિન બની રહ્યો.
તેના નિવારણ અર્થે અને ફરી શાનિત વ્યાપે એ હેતુથી હિંદી રાજકીય સુધારાનો પ્રશ્ન ચર્ચવાને નામદાર વાઈસરોય લોર્ડ ઈર્વિને Round Table Conference-સર્વ પક્ષની પરિષદ–ભરવાનું જાહેર કર્યું; તદર્થ ડિસેમ્બર મહિનાની અધવચમાં તેના કાર્યક્રમ સંબંધી સમજુતી કરવા પાંચ અગ્રેસર હિંદીઓનું એક ડેપ્યુટેશન મહાત્માજીની સરદારી હેઠળ વાઈસરોયની મુલાકાતે ગયું; પણ રાજકીય સુધારાની ચર્ચામાં સંસ્થાનિક સ્વરાજ્યના બંધારણના પ્રશ્નને મુખ્ય અને મહત્વનું સ્થાન આપવા પરત્વે મતભેદ ઉપસ્થિત થતાં, સઘળી બાજી પલટાઈ ગઈ; સમાધાનીની આશા વ્યર્થ ગઈ અને છેલ્લી લાહોર કન્ટેસે સંપૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો એટલું જ નહિ, પણ સરકારે લોકમત અને લોક લાગણીને અવશ્ય
Page #44
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
માન આપવું જ જોઈએ, એ સિદ્ધાંત પર, દેશ માટે દાદ મેળવવા અને સમસ્ત જગતનું તે પ્રતિ ધ્યાન દોરવા મહાત્માજીએ આગેવાની લઈ પ્રથમ અન્યાયી મીઠાના કરના કાયદાને સવિનય ભંગ કરવા-બેઠે બળ આદરવા–પગે કુચ કરતા કરતા સુરત જીલ્લામાં વલસાડ પાસે આવેલા દરિયાપરના દાંડી ગામે જવાનું નકકી કર્યું.
આ બધું એટલું તાજું છે, સ્મરણચિત્ર પર ઉંડું કાતરાઈ ગયેલું છે, કે તેને નિદેશે માત્ર બસ છે.
આ પહેલાં જગતે અનેક સશસ્ત્ર યુદ્ધની કુચે જોઈ છે, જેમકે હનીબાલની, એલેકઝાંડરની, નેપોલિયનની; પણ તેની સરખામણીમાં મહાત્માજીની અમદાવાદથી દાંડીની ૭૯ સત્યાગ્રહીઓ સાથેની, નિઃશસ્ત્ર સૈનિકોની કુચ ઈતિહાસમાં અજોડ અને સર્વોપરિ લેખાશે અને તે સત્યાગ્રહની લડતના કીર્તિસ્તંભરૂપ થઈ રહેશે.
તે કુચ કઈ સ્વાર્થ માટે, કોઈ લાભની પ્રાપ્તિ અર્થ, કોઈ જાતના વિજય, સત્તા કે ધનસંપાદન માટે નહતી; પણ કેવળ ન્યાય ખાતર, દેશના હક્ક અને સ્વાતંત્ર્ય ખાતર; ન્યાય, નીતિ અને સત્યના ધોરણને અવલંબીને હતી, જેને સમાન દાખલો બીજા કેઈ દેશમાં અથવા કોઇ સમયમાં નહિ મળી આવે.
ન્યાય, નીતિ અને સત્યને અનુસરી થયેલું કોઈ કાર્ય કદી નિષ્ફળ ગયેલું કે અહિતકારક નિવડેલું જાણ્યું સાંભળ્યું નથી; બલકે સમસ્ત પ્રજાઓને ઇતિહાસ અને સર્વ ધર્મોને ઉપદેશ એકજ સનાતન સત્ય ઉચ્ચારે છે કે સત્યમેવ જયતે.
૩ર
Page #45
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાની વર્ગીકૃત યાદી
પુસ્તકાની વર્ગીકૃત યાદી.
(સન ૧૯૨૯)
પુસ્તકનું નામ. અમીના (બીજી આવૃત્તિ) અશ્વેજ હાકેાર ભા. ૨ જો આજકાલની કેળવણી એટલે સમાજની સન્ધ્યા, પ્રથમખંડ ( ખીજી આવૃત્તિ )
ઉંધિયું એંસી દિવસમાં દુનિયાની મુસાફરી અંગ્રેજી રાજના ઉષ:કાળ અને પીંઢારાઓને દૌરદમામ કચ્છની જીની વાર્તાઓ કચ્છજો નૂર
કચ્છને કેસરી યાને ઘેઘેા અને ચનેસર
કાઉન્ટ આફ મેન્ટક્રીસ્ટે
ભા. ૩, ૪ કાઠિયાવાડની દંતકથાઓ કાઠિયાવાડની જુની વાર્તાઓ
ભા. ૨ જો
ક્રાન્તિકારી લગ્ન કૃતજ્ઞી કેશર કોની ખરી?
નવલકથા
લેખક વા પ્રકાશકે.
કાકિલા
કૌટિલ્ય ભગવાન
ખલકના ખેલ ભા. ૧ લે
ખુબસુરતીનું ખપ્પર
ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા ભા. ૩ જો
શયદા.
ઉછંગરાય કે. ઓઝા.
પુષ્પ,
છેાટાલાલ ડાહ્યાભાઇ જાગીરદાર. ૧૯૯૭ પ્રભુદાસ સુંદરજી નંદાણી, રણછેાડલાલ હરિલાલ ભટ્ટ.
૨૦-૦
૧-૮-૦
રાજારામ જીવરામ.
૪-૦-૦
વ્રજલાલ ભગવાનલાલ છાયા. ૧−૮-૦ નારાયણ વસનજી દેકુર
એક ગ્રેજયુએટ.
ધીરસિંહ વ્હેરાભાઈ ગાહીલ, ગાવિંદ પ્રેમશ’કર ત્રિવેદી.
રણછેડજી કેસુરભાઇ મીસ્ત્રી. શિવજી દેવસિંગ શાહ. હરિલાલ વલ્લભદાસ.
કિમત.
૩-૮-૦
૧-૮-૦
૦-૧૨-૦
ગુપ્તદત્ત.
એક. મી.
૩૩
-૦-2
૩-૦-૦
(દરેકના)
૨-૦-૦
૨૮-૦
૦=૨=૦
૨-૦-૦
રમણલાલ વસંતલાલ દેસાઈ. ૨-૦-૦ કનૈયાલાલ માણેકલાલ મુનશી. ૨–૦-૦
રતિલાલ ભાણજી ઠક્કર.
૧૮-૦
૧-૮-૦
૧-૮-૦
01710
Page #46
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
ગંગા-એક ગુર્જર કથા- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧–૪–૦ ચુંબન અને બીજી વાતે પ્રસ્થાન કાર્યાલય. ૧-૪-૦ ઝેરી જમાત
ભ્રમર.'
૦–૨–૬ ટળવળતા તુરાબ (બીજી આવૃત્તિ) એ. એલ. કુંડલાવાળા ૧–૪-૦ ડહાપણનો સાગર
જદુરાય દ. ખંધડીઆ ૧-૮-૦ ડિટેકટીવ જયન્તનાં અભૂત નાગરદાસ ઈ. પટેલ ૨–૮–૦
પરાક્રમો દાલચીવડાની દસ વાર્તાઓ ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧-૮-૦ દ્વિરેફની વાતે
રામનારાયણ વિ. પાઠક ૧–૪-૦ દેવી ચૌધરાણું
ગાંડિવ સાહિત્ય મંદિર ૧-૮-૦ તણખા ભા. ૨ જે
ધૂમકેતુ
૧ -૮-૦ તાતી તલવાર
ચાંપશી વિ. ઉદેશી
૧ -૪-૦ નવનિધને સંસાર અથવા એક દુર્લભ સ્લામ ધ્રુવ વૈદ્યકવિ ૧–૮–૦ અધુરું ભણેલા હિંદુ યુવકની કર્મકથા ન કહેવાયેલી વાત
છેલશંકર ગોવિંદજી શુકલ ૦–૮–૦ પ્રધાનપુત્રીના પરાક્રમો રમણલાલ નાનાલાલ
૦-૧૦૦ પાષાણ પ્રતિમા યાને માનવમૂર્તિ પ્રમોદરાય વ્ર, મહેતા પારસમણિની શોધમાં નટવરલાલ વિમાવાળા ૨ -૦-૦
(બ્રહ્માંડને ભેદ ખંડ, ૨ ) પુષ્પાંજલિ
રમણિકલાલ જયચંદ દલાલ ૧–૦-૦ પુષ્પ લતિકા
ચુનીલાલ જયશંકર ઓઝા ૧-૦-૦ - પૃથુરાજ ચૌહાણ અને મણિલાલ છબારામ ભટ્ટ ૧–૪-૦
ચંદ–બરદાઈ (છઠ્ઠી આવૃત્તિ) પૃથ્વીરાજ ચૌહાણ અને હતભાગી પુષ્પ
૦-૧૨-૦ હિંદુસ્તાન ભા. ૧લો (બીજી આવૃત્તિ). છે કે, ભા. ૨ જે ( , ) ,
૦-૧ર-૦ પ્રેમના જાદુ
મધુકર”
૧–૦-૦ પંજાબનું પ્રચંડ કાવતરું સચીન્દ્રનાથ સાન્યાલ ૧-૮-૦
- ભા. ૧, ૨. (ગાંડિવ સાહિત્ય મંદિર) ફઈબા કાકી
છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર ૧-૮-૦ ફેન્સી ફારસ
જદુરાય દ. ખંધડીઆ ૩૪
૨–૦
૨
-૮-૦
Page #47
--------------------------------------------------------------------------
________________
ભાનુ અને ખીજી વાર્તાઓ
બુદ્ધિનું બજાર મસ્તફકીરની વાર્તાઓ મસ્ત ફકીરની મસ્તી (બીજી આવૃત્તિ)
મેાગલ શહેનશાહતની
રજપુત રમણીએ
ચેગિની કુમારી ભા. ૨ જો
રસનાં ચટકાં
રણવીરની તલવાર રસિલી વાત્તાઁ
રાજમા
પુસ્તકાની વર્ગીકૃત યાદી
લાલકુંવર
વિલાસમાં વિનાશ વિનાદ–વાંટિકા
વિશ્વ ગ્રાંતિના વિનાશ
વીરની વાતા, ભા. ૩ જો
વીરહાક
શિવાજીની સુરતની લૂટ
(ચોથી આવૃત્તિ.)
શીરીનની કહાણી
સમાજની વેદી પર સામાજિક ટુંકી વાર્તાઓ સ્કાઉટિંગ અને બીજી વાતા
સુલ્તાના રઝિયા સ્નેહ સમાધિ
સેારડી વીરાંગનાની વાર્તાઓ
સેારડી સમશેર સારઠી શૌય કથાઓ
મીસીસ ઝીણી કે. પેમાસ્તર જદુરાય ૬. ખંધડીઆ ‘મસ્ત કીર્’
સયદ ×ીઝ હુસેન
શ્રીમાન્ વિશ્વવંદ્ય
‘એકાર’
સારહને મુત્સદી વીર સૌરાષ્ટ્રની રસધાર, ભા. ૧ લેા (બીજી આવૃત્તિ)
૩-૪-૦
૧-૮-૦
બાલકૃષ્ણ ચુનીલાલ જેશી ૧-૮-૦ ગાકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા ૧—૮-૦ મહાશંકર ઈંદ્રજી વે
310-0
દીનશા નવરેાજી પાવરી
૧-૮-૦
૩-૮-૦
ચંદુલાલ જેઠાલાલ વ્યાસ કિશાર-વકીલ
કાન્તિલાલ લક્ષ્મીશંકર ભટ્ટ તારાચંદ પી. અડાલજા
૧-૦-૦
૨૨-૦
શયદા
૩-૮-૦
સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૪-૦
સ્વ. દાદી તારાપેારવાલા ‘નિર’જન’
શ્રીમાળી શુભેચ્છક કાર્યાલય ગજાનન . ભટ્ટ
‘સાદીક’
રતિલાલ ભાણજી ઠેર
ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા
ગુણવંતરાય આચાય
જિકુમાર
૨-૦-૦
૦-૧૨-૦
૧-૮-૦
૨-૦-૦
૧-૦-૦
ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ઝવેરચંદ મેધાણી
૩૫
૫-૦-૦
ર
-૦-૦
.........
૧-૦-૦ ૩-૮-૭
01710
-૦-૦
૦-૧૦-૦
૧-૮-૦
==૪-૦
૧-૦-૦
Page #48
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
સંગ્રામ ક્ષેત્ર સંત તુકારામ હલીકેશચંદ્ર, ભા. ૪ થો હું કરીશજનું માહાત્ય
જ્યારામ ભવાનીશંકર બધેકા ૪–૮-૦ “પુષ્પ”
૦-૧૨-૦ રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ ૩–૯-૦ સુરેન્દ્ર ભા. પાઠકજી
}--- ભાલચંદ્ર ગણપતરામ વ્યાસ
ઇતિહાસ, અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ જીવણલાલ હરિપ્રસાદ દિવાન ૦-૪-૦ અરાઢમેં સત્તાવનના બળવાની ચુનીલાલ પુષેતમદાસ બારેટ –૩-૬ બીજી બાજુ ઈટાલીને મુક્તિયજ્ઞ
નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૦-૬-૦ ઇંગ્લેન્ડના ઈતિહાસનું પ્રથમદર્શન મહાશંકર પિપટભાઈ આચાર્ય ૧-૦-૦ ખંભાતને ઇતિહાસ અને ચિત્ય- શ્રી સ્થંભ જૈન મંડળ
–૦ પરિપાટી ગુજર-ગુજરાતને નામ આપનારા ડૉ. જીવનછ જમશેદજી મોદી ૦-ર-૦ ગુજરાતનાં ઐતિહાસિક સાધનો નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી ૧-૦-૦ ગુજરાતનું પાટનગર અમદાવાદ રત્નમણિરાવ ભીમરાવ દિવેટીઆ ૪-૦-૦ ગેટ વે ઓફ ઈન્ડિયા
સી. એન. વકીલ
૦ -૫-૦ દરબારે અકબરી
સાદીક” પારસી પ્રકાશ–દફતર ૪થું રૂસ્તમજી બરજોરજી
૨–૦-૦ ભા. ૩ જે (ઈ.સ. ૧૯૦૫-૧૯૯૬) પ્રાચીન લેખ સંગ્રહ, ભા. ૧ લો. શ્રી વિદ્યાવિજયજી ૨–૦-૦ બરજેર નામું (સચિત્ર) ધનજીભાઈ એન. પાટિલ ૫-૦૦ ભાર્ગવ બ્રાહ્મણનો ઈતિહાસ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી ૩–૦-૦ મિસરને મુક્તિસંગ્રામ, ઝવેરચંદ મેઘાણી ૦-૧૨-૦
ખંડ ૧ લે. મેવાડની જાહેરજલાલી ધનજીભાઈ વિઠ્ઠલદાસ પટેલ ૧-૦-૦
(નવમી આવૃત્તિ.) યુગ પુરાણનાં એતિહાસિક તો દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૦–૮–૦ રામને ઇતિહાસ
આત્મારામ મોતીરામ દિવાનજી ૦-૧૨૩૬
૩-૮-૦
Page #49
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોની વર્ગીકૃત યાદી
વિચાર સ્વાતંત્ર્યનો ઈતિહાસ ખુશવદન ચંદુલાલ ઠાકર ૧-૦-૦ સિહોરની હકીકત
દેવશંકર વૈકુંઠજી ભટ્ટ ૨-૦-૦ સેરઠી બહારવટીઆ, ભા. ૨ જે ઝવેરચંદ મેઘાણી ૧–૮–૦ , , ભા. ૩
૧ –૪-૦ સંસ્કૃતિની ઉત્પત્તિ
રમણલાલ વસંતલાલ દેસાઈ ૧–૧૩૦૦ હિન્દના ઈતિહાસની વાતે ભરતરામ ભાનુસુખરામ મહેતા ૦ -૧ર-૦ હિન્દની પ્રજાને ટુંકો ઈતિહાસ એમ. એમ. કામદાર ૦–૧૧-૦ હિંદુસ્તાનને શાળાપયોગી ઇતિહાસ કરસનદાસ નારણદાસ બુકસેલર ૨–૦-૦
જીવનચરિત્ર, અમર મહાજન કકલભાઈ કોઠારી
૦-૧૨-૦ આત્મકથા, ભા. ૨ જે મહાત્મા ગાંધીજી ઈસ્લામના પયગમ્બર
હકીમ બદ્ર નિઝામી રાહતી ....... ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના નટવરલાલ ઇચ્છારામ દેસાઈ ...............
સાક્ષરજીવનની રૂપરેખા કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ બાલકૃષ્ણ કાશીનાથ વિહાંસ ૦–૨-૦ ગુરૂ ગોવિંદસિંહ
નારાયણ વિસનજી ઠકુર ૧-૧૦-૦ ચાર ઈશ્વરભકતો
. ૦–૦-૩ ચેતન્ય પ્રભુ
નર્મદાશંકર બાલાશંકર પંડયા ..... ચંદ્રગુપ્ત મૌર્ય
જયસુખરાય પી. જોશીપુરા ૦-૧૦-૦ છોટુભાઈ કૃષ્ણરામ ભટ્ટને ઉમિયાશંકર જેશંકર મહેતા ....
સ્મરણાંજલિ દિલેજાન દોસ્ત હિમ્મતલાલ
૦–૧– નરસિહ મહેતે
ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા ૦-૧૦-૦ નવનાથ કથામૃત, ભા. ૧ તથા ૨ શિવશંકર ગોવિંદરામ યાજ્ઞિક ૪-૦-૦ નેલ્સનનું જીવનચરિત્ર
હીરાલાલ હરજીવન ગણાત્રા ૧–૦-૦ પુરુષોત્તમ મહારાજનું ચરિત્ર બુદ્ધ અને મહાવીર
કિશોરલાલ ઘ. મશરૂવાલા ભગવાન ચિતન્યદેવ
નર્મદાશંકર બાલાશંકર ભારતના ભડવીરો
રામનારાયણ ના. પાઠક ૩૭
Page #50
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
મુકુટ લીલામૃત-પંચમ બિંદુ- પંડિત જગન્નાથ પ્રભાશંકર ૦–૧૨–૦ રસેશ શ્રી કૃષ્ણ યાને શ્રીકૃષ્ણ જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૨–૦-૦
ચરિત્ર રામ અને કૃષ્ણ
કિશોરલાલ ઘ. મશરૂવાલા ૦-૧૦-૦ લાલાજી (નરવીર)
કકલભાઈ કોઠારી અને ઝવેર- ૦-૧૦-૦
ચંદ મેઘાણું વડોદરામાં ચાલીસ વર્ષ ગોવિંદભાઈ હાથીભાઈ ૧–૮–૦ વીર વૈરાગી
નારાયણ વિસનજી ઠક્કર ૧-૧૦-૦ વીર વલ્લભભાઈ
મહાદેવ હરિભાઈ દેસાઈ ૦–૨-૬ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને કાશીરામ ભાઈશંકર ઓઝા ૨–૦-૦
અગ્રગણ્ય સ્ત્રીપુરુષો ભા. ૧લો.
છે , ભા. ૨ જે પ્રેમી” ૨–૦-૦ (શ્રીમદાઘ) શંકરાચાર્ય દુર્ગાશંકર કલ્યાણજી દવે ૦–૬-૦ સ્મરણાંજલિ
ઉમિયાશંકર જેશંકર મહેતા • • સ્વામી ભાસ્કરાનંદજી
નાજુકલાલ ના. ચોકશી ૧–૪- સ્વામી રામદાસ બાબાજી તારાકિશોર ચૌધરી ૧-૮-૦
કાઠિયાનું જીવનચરિત્ર સૂતપુત્ર કર્ણ
નાનાભાઈ કાલિદાસ ભટ્ટ ૦–૩-૦ સોરઠી સંતો (બીજી આવૃત્તિ) ઝવેરચંદ મેઘાણી
૦–૧૦–૦ (શ્રીયુત રાજ્યરત્ન) હરિલાલ ગોવિ- પુરુષોત્તમ ભાણજી પરીખ ૦-૧૦-૦ ન્દજી પરીખ એમનું જીવનચરિત્ર.
ભૂગોળ, સ્થળ વર્ણન-પ્રવાસ. અમદાવાદનું આલબમ (સચિત્ર) રવિશંકર મ. રાવળ ૨–૦-૦ આબુ, ભા. ૧ લો
જયન્તવિજયજી
૧-૦-૦ કાશ્મીરથી નેપાળ
હરિચંદ લક્ષ્મીચંદ મહેતા ૨–૦-૦ ગુજરાતનાં તીર્થસ્થાનો દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧–૦–૦ નેપાલ અને આસામ પ્રવાસ મણિલાલ જગજીવન દ્વિવેદી ૦-૧૪-૦ હિન્દુસ્તાન અને એશિયા ખંડ પ્રીતમરાય વૃજરાય દેસાઈ ૦૫-૦
(સામાન્ય)
૩૮
Page #51
--------------------------------------------------------------------------
________________
પુરતની વર્ગીકૃત યાદી
“પુષ્પ”
લલિતકળા, સ્થાપત્ય. કનુ દેસાઇના રેખાચિત્રો કનુ દેસાઈ
૨ -૦-૦ અમદાવાદનું આલબમ
રવિશંકર એમ. રાવળ ૨–૦-૦ અમદાવાદનું સ્થાપત્ય રત્નમણિરાવ ભીમરાવ
નાટક, અમેરિકન ડોકટર
પુષ્પ’
૦ -૪-૦ અપટુડેટ સેમ્પલ્સ
૦-૧૨-૦ અકકલના નમુના
૦–૮–૦ આદર્શ ગામડું
સ્વામીશ્રી પરમાનંદજી ૦–૬–૦ ઈદુ કુમાર, ભા. ૨
'કવિ ન્હાનાલાલ દલપતરામ ૧-૮-૦ (બીજી આવૃિત્ત.) કાકાની શશી
કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧-૪-૦ ત્રિવેણું
યશવંત પંડયા
૦ -૫-૦ ધ્વજારોપણ નર્મદાશંકર પંડયા
૦-૫-૦ ધ્રુવ સ્વામિની દેવી
કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧-૪-૦ નિરાધાર
ઈરાની એન. બલસારા ૧-૦-૦ પ્રહલાદ
૦–૮–૦ પ્રેમ કુંજ (નવી આવૃત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧–૦-૦ ભયને ભેદ
દક્ષિણામૂર્તિ વિદ્યાથી ભુવન • • રાજર્ષિ ભરત
કવિ ન્હાનાલાલ દલપતરામ ૧–૮–૦ વિશ્વગીતા
૧–૮–૦ શંકુન્તલાનું સંભારણું
૧–૪–૦ સ્મૃતિ ભ્રંશ
મનસુખલાલ મગનલાલ ઝવેરી ૦-૧૨-૦ હાઈમાટ
બાબુરાવ ગે. ઠાકર
૦–૮–૦ કવિતા. આત્મવિકાસ ભજનાવલિ માનચંદ કુબેરદાસ પટેલ ૧–૦-૦
(બીજી આવૃત્તિ) આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા મુનિશ્રી નેહાનચંદ્રજી ૧–૮–૦ ઉમા ગીતાવળી (બીજી આવૃત્તિ) ગુણસુંદરી કાર્યાલય
૦ -૫-૦
જુગતરામ દવે
Page #52
--------------------------------------------------------------------------
________________
કલ્લેાલિની ( ખીજી આવૃત્તિ) કાઠિયાવાડી દુહા
કાવ્ય સમુચ્ચય, ભા. ૧ લેા. (બીજી આવૃત્તિ.)
કાવ્યાનંદ નિધિ, વિભાગ ૪ થા ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત ૧-૮-૦ કિલ્લાલ ઝવેરચંદ મેધાણી લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૨૦-૦
કીર્તનસંગ્રહ, ભા. ૨ જે કુરુક્ષેત્ર–શરશય્યા યુગ પલટે
કવિ ન્હાનાલાલ દલપતરામ
૦-૧૦-૦
૦-૮-૦
39
(બીજી આવૃત્તિ) —મહાસુદન (,,)
22
કૃષ્ણ કુમારી
ગજેન્દ્ર મેાક્ષ સ્તાત્ર
ગીત સંગ્રહ
ગુજરાતી દુહા સંગ્રહ ગૌરીનાં ગીતા ચા યાત્રા ચુંદડી, ભા. ૧ લા ભા. ૨ જો
29
ચંદ્ર દૂત
છેલ્લાં આંસુ ભા. ૧, ૨ છેટમની વાણી, ગ્રંથ ૩ જો જનેાઇનાં ગીતા
ગ્રંથ અને ગ્રંથકાર
જીહુતી જા જંગે રૂસ્તમ સાહરાખ (શ્રી) દયારામકૃત કાવ્ય મણિમાલા, ભા. ૫ મે
નિર્ઝરિણી
નિરંજન ગીતા
પંચડંડ અને બીજાં કાવ્યા એ હાથ જોડી
૦-૧૨-૦
દામેાદરદાસ ખુ. એટાદકર ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા ૧—૦-૭ રામનારાયણ વિ. પાઠક
૧-૦-૦
,,
""
01210
૦-૧૦-૦
૦-૧૨-૦
',
""
અમૃતલાલ એન. ભટ્ટ મંગલેશ્વર સે।મનાથ ભટ્ટ સીતારામ નથુભાઈ
મેાતીલાલ તરાત્તમ કાપડીઆ ૦-૪-૦
દેશળજી પરમાર
શાન્તિશકર વે. મહેતા ઝવેરચંદ મેઘાણી
...s
૦-૮-૦
01110
0-310
૦-૧૪-૦
૦-૧૦૦
૦-૧૦-૨
',
મનસુખલાલ મ. ઝવેરી
‘ પુષ્પ ’
સસ્તું સાહિત્ય વક કાર્યોલય ૧—૦-૦ હરિશંકર વિદ્યાથી
અરદેશર ખરશેŕજી દેસાઇ • —૨-૦ શાવકશા દ્વારાશા ક્ નારાયણદાસ પરમાન દદાસ શાહ ૧-૧૨-૦
૧–૪-૩
0-2-0
01110
દામેાદરદાસ ખુ. એટાદકર ૦—૧૨-૦ ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી ૧૦-૦ મનુલાલ રણછેડલાલ મજમુદાર ૧-૮-૦ મુનિશ્રી છેટાલાલજી
૭-૪-૨
૪૦
Page #53
--------------------------------------------------------------------------
________________
પુસ્તકૅની વર્ગીકત યાદી
••••••••
ભજનિકા
અરદેશર ફરામજી ખબરદાર ૦-૧૪-૦ ભજનાવળી
બાશી માજી રાજબા સાહેબ ૨–૦-૦ ભણકાર-પૂરવણ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ૦–૧૨–૦ મેઘદૂત
કવિ ન્હાનાલાલ દલપતરામ ૧–૪-૦ રણદંદુભી
જયકૃષ્ણ સી. સુરતી ૦–૩-૦ રસિયાના રાસ
ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧–૦-૦ રાસ તરંગિણું (ચોથી આવૃત્તિ) દામોદરદાસ ખુ. બોટાદકર ૯-૧૦-૦ રાસ ચંદ્રિકા
અરદેશર ફરામજી ખબરદાર ૧–૦-૦ રાસ મંજરી કેશવ હ. શેઠ
૦-૧૪-૦ રાસ મંદિર (બીજી આવૃત્તિ) ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧–૦-૦ રાસ, ભા. ૨ જે (બીજી આવૃત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧-૦-૦ ઋણછોડની વાણી, ભા. ૨ જે અદાસ ઉમેદભાઈ પટેલ
•••••• ઋતુ ગીત ઝવેરચંદ મેઘાણી
૦-૧૨-૦ ઋષિ વાણું જે. ભેસાની
૨–૦-૦ લગ્ન ગીત
ચુનીલાલ મગનલાલ પટેલ વરસાદને કેહેર (છઠ્ઠી આવૃત્તિ) મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ ૦–૬–૦ વિસનગરા નાગર સ્ત્રીમાં ગવાતાં ગીતો ... ... વિભુની વાટે
વલ્લભજી ભાણજી મહેતા ૦–૧૨–૦ વિવિધ ધોળ તથા પદસંગ્રહ, લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૧–૦-૦
ભા. ૨ જે. વેદાંત પ્રકાશ મંજરી, ભા. ૨ જે. રાઘવજી માધવજી શર્મા વૈરાગ્ય શતક
મણિલાલ ઈરછારામ દેસાઈ ૦–-૮-૦ (શ્રી) સત્સંગ સુબોધ રત્નમાળા ગોવિંદલાલ કલ્યાણજી પરીખ ૧–૦-૦ સાહિત્ય કુંજ
લક્ષ્મીશંકર માંકડ સ્ત્રોતસ્વિની
દામોદરદાસ ખુ. બોટાદકર ૦–૧૨–૦ હરિલીલાષોડશ કલા, ભા. ૨ જે અંબાલાલ બુલાખીદાસ જાની ૦-૧૨-૦ હદયની રસધાર
જદુરાય ડી. ખંધડીઆ
ધર્મ અને તત્વજ્ઞાન, અસ્પતમાન જરથુસ્ત્રની કેપ્ટન સોરાબજી રૂસ્તમજી બમનજી ૦-૧૦-૦
જંદગી અને શિક્ષણ
Page #54
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
અષ્ટાવક્ર ગીતા
એમ. સી. ભટ્ટ
૧-૮-૦ અમૃત તવ યાને અમર બેધ છગનલાલ ઘેલાભાઈ મહેતા ૨–૮–૦ આત્મા અને પુનર્જન્મ ઝાર હાસીમ યુસફ ભરૂચા ૦–૬–૦ આધ્યાત્મિક વિકાસક્રમ સુખલાલજી સંગજી પંડિત ૦-૬-૦ ઉપનિષદ જ્યોતિ, ભા. ૧-૨ મગનભાઈ ચતુરભાઈ પટેલ ૪-૦-૦
(દરેકના) કર્મ વિચાર, ભા. ૩ જે [ઉદય પ્રભુદાસ બેચરદાસ પારેખ ૦–૮–૦ કન્યા શિક્ષણ
લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૦–૨-૦ કુસુમાવલિ
સાકરલાલ ગણેશજી શાસ્ત્રી ૧-૦-૦ ગણપતિ પૂજા
બાલકૃષ્ણ કાશીનાથ વિદાસ ૦–૮–૦ ગજેન્દ્ર મેક્ષ સ્તોત્ર
મંગલેશ્વર સેમિનાથ ભટ્ટ .......... ગીતાભ્યાસ
ચુનીલાલ શામળજી ત્રિવેદી ૧–૦-૦ ચાર ઇશ્વરભકતે
૦–૦-૩ ચોરાશી વૈષ્ણવની વાર્તા લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૧–૪-૦ જરૂર આટલું તે વાંચજો જ હરિલાલ ગણપતરામ શાહ ૦–૨-૦ જગત ગુરૂ
અહમદ વલીમહમદ ૦-૮-૦ જીવન શોધન
કિશોરલાલ ઘ. મશરૂવાળા ૦–૧૨–૦ જીવનસિદ્ધિ
સાકરલાલ અમૃતલાલ દવે જૈન દીક્ષા
વાડીલાલ મોતીલાલ શાહ ૨-૦-૦ તત્ત્વજ્ઞાનનાં નિબંધ
મનુભાઈ વિદ્યાનંદ પંડયા ૧–૦-૦ તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૧ લો પંડિત સુખલાલજી ૦–૧૨–૦ ધર્મ પ્રવચન
વિજય ધર્મસૂરિ નિરંજન ગીતા
ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી ૧–૦-૦ જૂરી શેધ–બોધવચન- ગણપત નૂરી રવામિ પ્રભુમય જીવન (ત્રીજી આવૃત્તિ) મણિલાલ નભુભાઈ દોશી –૮–૦ પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર ભદ્રશંકર જયશંકર શાસ્ત્રી ૧-૦-૦ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત શેખર હરિશંકર ઓમકાર શાસ્ત્રી –૪–૦ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અથવા રણછોડલાલ વંદ્વાવનદાસ પટવારી –૮–૦ શુદ્ધાદ્વૈતના મૂળતો , ભા. ૧ લો
(બીજી આવૃત્તિ.) પંચ રત્ન ગીતા
સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ૦-૬-૦
૪૨
Page #55
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાની વર્ગીકૃત યાદી
કરે હરનામું ખસેા બાવન વૈષ્ણવની વાર્તા બ્રહ્મવાદ અને માયાવાદ (શ્રીમદ્) બ્રહ્મસુત્રાણુભાષ્ય, ભા. ૨ જો (અ. ૩-૪)
આળ ભાગવત
ભગવદ્ ગીતા
(શ્રી) ભક્તરાજની પુષ્પમાળા,
પ્રથમ ભાગ.
(શ્રીમદ્) ભગવતી સૂત્ર
ભક્તિ રસાયન માંગરાલની ગાદીના મહાન આલીઆએ
મેત ઉપર વાએજ (ત્રીજી આવૃત્તિ) રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય વિષ્ણુ સહસ્ત્ર નામ
વિષ્ણુ સહસ્રનામ વીર ધર્માંતે ઢ ઢેરા
વીર સ્તુતિ ( દ્વિતીયાવૃત્તિ. ) વેદ માય અથવા રુદ્રાષ્ટાધ્યાયી વેદાંત પ્રકાશ મ’જરી, ભા. ૨ જો વૈયાશિક ન્યાયમાળા શ્રીનાથજીને ઇતિહાસ
સત્યનારાયણની કથા
સેવાકુ જ
પાલનજી બરજોરજી દેસાઇ જેઠાલાલ ગેાવનદાસ શાહ ઈશ્વરલાલ મગનલાલ શાહ જેઠાલાલ ગેાવનદાસ શાહ
(શ્રી) જ્ઞાન સૂર્યોદય, પૂર્વાધદ્વિતીયભાગ
જ્ઞાનામૃત
શ્રીમતી મંજુદેવી પડયા
વિહારો
૧-૦-૦
મલ્હારજી ભક્તરાજ માણેકલાલ ૧—૪-૦
જમનાદાસ
શ્રી શિક્ષાપત્ર-બૃહત્હહિરરાયજીકૃત સુંદરલાલ મણિલાલ
શુદ્દાદ્વૈત સિદ્ધાંત
...GOO
મુનિરાજશ્રી ન્યાયવિજયજી
હિરલાલ જીવરાજભાઈ પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ રાધવજી માધવજી શાં ઘેટાલાલ નરભેરામ ભટ્ટ
લલ્લુભાઇ છગનલાલ દેસાઇ
ભગવાનદાસ હરખચંદ દોશી ૧૦-૦-૦ મેાતીલાલ રવિશંકર ઘેાડા હરગેાવનદાસ હરિકશનદાસ
૧-૦૦
—}-૦
જેડાલાલ ગાવનદાસ શાહ
.........
21010
ડૉ. જીવનજી જમશેદજી માદી ૦-૧૨-૦ ડીલરરાય માંકડ
૦-૪-૨
વિનાયકરાવ માણેકલાલ
મ. મ. મહેતા
મેાતીલાલ જેઠાલાલ
-~૰
31010
નીલકંઠદાસજી શાસ્ત્રી
૪૩
0=7-0
હ
.........
૦—૧-5
.......
01310
૨૮-૦
.........
૧-૮-૦
૦૪-૦
૧૦-૦
-7-0
૦-૫-૦
મલ્હારજી ભક્તરાજ માણેકલાલ ૨~~૦-૦
જમનાદાસ
.........
૧-૪-૦
Page #56
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
આરોગ્ય, વૈદક વગેરે. અકસ્માત અને ઓચીંતી માંદ રૂસ્તમજી એદલજી શેઠના ૦–૮-૦
ગીના તાત્કાલિક ઇલાજે આહાર શાસ્ત્ર
અશ્વિન ભાનુસુખરામ મહેતા ૦-૧૪-૦ આરોગ્ય (બીજી આવૃત્તિ) પ્રભુશંકર નરભેરામ વ્યાસ ૦–૧૨–૦ આરોગ્ય દર્શન (છઠ્ઠી આવૃત્તિ) રતિલાલ ચુનીલાલ દિવાન ૦-૬-૦ આરોગ્ય વિજ્ઞાન અને ગૃહવ્યવસ્થા ભાનુસુખરામ નિર્ગુણરામ ૦–૮-૦ આયુર્વેદસિદ્ધ વિજ્ઞાન મહાદેવપ્રસાદ નારાયણશંકર શાસ્ત્રી ૧–૦-૦ કેટલાક રેગે, ભા. ૧-૨ ડો. ચંદુલાલ સેવકરામ દ્વિવેદી ૦-૧૨-૦ ગર્ભવિદ્યા
પ્રાણલાલ પ્રભાશંકર બક્ષી ૦-૧૨-૦ ગામડાનું આરોગ્ય
રેવ. જે. રાજસ ચાર રોગ
૦ –૦-૩ તન્દુરસ્તી અને શહેર સુખાકારી ડો. દીનશા બમનછ માસ્તર ૦–૨-૦
(બીજી આવૃત્તિ). દમ, શ્વાસ અગર હાંફણ જટાશંકર જેશંકર દવે ૧ -૮-૦ દારૂના દુઃખ
o-o-3 દાંત અને તેની માવજત એસ. જે. મેવાવાલા ૦૨-૦ દૂધને ખોરાક: તેનો ચમત્કાર બી. પી. માદન
૧–૧૨–૦ | (ચેથી આવૃત્તિ.) નાડીઝાન તરંગિણી મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ ૨–૦-૦
(ત્રીજી આવૃત્તિ.) નાડી જ્ઞાન તથા અનુપાન તરંગિણ પૂર્ણચંદ્ર અચલેશ્વર પુરોહિત ૨–૦-૦
[બીજી આવૃત્તિ ]: (શ્રી) ભષજય રત્નાવલી અને જેઠાલાલ દેવશંકર દવે ૫-૦-૦
ચક્રદત્ત-પૂર્વાધરેગ અને આરોગ્ય
સેવકલાલ માણેકલાલ દવે ૧-૫-૦ વિલાયતી કકશાસ્ત્ર
હરિલાલ વલભદાસ ૧-૮-૦ (બીજી આવૃત્તિ) વૈદ્યના અનુભૂત પ્રયોગો જેઠાલાલ દેવશંકર દવે ૧-૮-૦ સામર્થ્યથી પ્રાપ્તિ
૧-૮-૦ હાડપિંજર
કેશવરાવ બાબારાવ દિવેટિયા –-૦ ४४
| HIMPITT HITTTIIN
Page #57
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
હિંદને સમસ્ત શત્રુ
ડેવીડ પ્રેમચંદ
૦–૧-૦ હિસ્ટીરિયાદિ વાતોગ દર્શન છગનલાલ લલુભાઈ શાહ ૧-૪-૦ ક્ષયરોગ નિવારણ
વૈદ્ય જટાશંકર જેશંકર ૧ -૮-૦ ક્ષય એટલે શું? (બીજી આવૃત્તિ) 3. પ્રાણજીવનભાઈ ૦–૨-૦
કેળવણી. ઘરમાં મેન્ટેસરી
તારાબહેન મેડિક દ્વિતીય મેન્ટેસરી સંમેલન ડોલ્ટન યોજના
હરભાઈ ત્રિવેદી પ્રાથમિક કેળવણી પદ્ધિત લાલભાઈ અમથાભાઈ
૧-૧૨-૦ બાળ કેળવણું
બાપુભાઈ જાદવરાય વૈષ્ણવ ૦-૧૩-૦ ભગવતસિંહજી વાચનાલય
••••••••• (આઠ પુરત) ભગવતસિંહજી પાઠય પુરતકમાળા
૦–૬–૦ ગુ. પુસ્તક-૧, ૨, ૩.
(દરેકના) ભૂમિતિ ભૂમિકા
ચીમનભાઇ ડાહ્યાભાઈ પટેલ ૦-૪-૦ માનસશાસ્ત્રની દૃષ્ટિએ
શાન્તિલાલ સારાભાઈ ઓઝા ૦-૧૩-૦ શિક્ષણકલા મેંટેસરી પદ્ધતિને આત્મા નરેન્દ્ર સિકંદરરાય દેસાઈ ૧–ર– રખડુ ટોળી-પ્રથમ ખંડ ગિજુભાઈ બધેકા વિદ્યાશાળા
હિમ્મતલાલ કલ્યાણજી બક્ષી ૧–૦-૦ શબ્દપોથી
માણેકલાલ હરિલાલ
૦–૨-૦ શિક્ષણનો શાસ્ત્રાર્થ
મગનલાલ દલસુખરામ ૦-૧૧-૦ હિદી શિક્ષિકા
ડાહ્યાભાઈ રામશંકર ઠાકર ૦-૧૨-૦
વ્યાયામ, કબીંગ
એ. બી.
૦-૪-૦ કસરત અને ડીલ
હરરાય અમુલખરાય દેસાઈ ૦–૧૨–૦ કસરત અને આરોગ્ય
પ્રે. માણિકયરાવ ગુજરાત વ્યાયામ પરિષદ છોટુભાઈ બાલકૃણુ પુરાણ ••••••• ઘરમાં રમવાની રમત
બાલુભાઈ કરસનદાસ (નવમી આવૃત્તિ.)
૪૫
Page #58
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
તરવાની કળા વીરબાળા માર્ગદર્શિકા
શ્રીકાન્ત મુકુંદરાય મહેતા ૦-૭-૦ લેડી વિદ્યાગવરી રમણભાઈ ૦–૬–૦ નીલકંઠ ગજાનન ઉ. ભટ્ટ હરખચંદ લક્ષ્મીચંદ ૦-૪-૦ બાપુભાઈ કુબેરદાસ પટેલ ૦–૬–૦
સ્કાઉટિંગ અને બીજી વાતો સૂર્ય નમસ્કાર સૂર્ય ભેદન
૧-૦-૦
વિજ્ઞાન.
ખેતીવાડી: ખેતીવાડીની પાઠમાળા, ભા. ૨ જે દુલેરાય સી. અંજારિયા ૦-૧૨-૦ ગોરક્ષા કલ્પતરુ
વાલજી ગોવિંદજી દેસાઈ ૦-૬-૦ ઉભિ શાસઃ સિંહ-કુદરતનું અવલોકન માર્તડ શિવભદ્ર પંડયા ૦–૬-૦ મધુ મક્ષિકા અને ભ્રમર ઇન્દ્રવદન દલસુખરામ દેસાઈ ૦-૧૧-૦ શાલી હેત્ર યાને અશ્વવિદ્યા મગનલાલ ગુલાબભાઈ દેસાઈ ૧-૦-૦ સિંહ
માર્તડ શિવભદ્ર પંડયા ૦–૬–૦
સહકારઃ જર્મનીમાં સહાકાર્ય દ્વારા ખેતી- રમણલાલ નાનાલાલ ••••••
વાડીની ખીલવણું ડેન્માર્કમાં સહકાર રશિયન દેશમાં સહકાર સહકાર
મગનલાલ દ્વારકાદાસ શાહ ૧-૮-૦ સેક્રેટીસની સફર
બ્રેઈન ખગોળ-તિષ: તારાશાસ્ત્ર
છેલશંકર મણિશંકર ૦-૧૨-૦ નક્ષત્રમાળા
નરહરિ દ્વા. પરીખ ૦–૧-૦ પ્રત્યક્ષ પંચાંગ
હરિહર પ્રા. ભટ્ટ
૦–૨-૦ ભવિષ્ય ફળ
વાસુદેવ શામળદાસ વૈદ્યશાસ્ત્રી ૦–૮-૦ ૪૬
Page #59
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાની વર્ગીકૃત યાદી
સચિત્ર ત્રિકાળ જ્ઞાનદર્શક અથવા ચંદ્રકાન્ત સી. શાહ અદ્ભુત વિદ્યાઓના મહાસાગર,
ગ્રંથ ૧ લેા.
સાયન જ્યાતિષ માર્ગીપદેશિકા, લલ્લુભાઈ ગેાકળદાસ પટેલ
પ્રથમ ભાગ
હુન્નરાપયેાગી:
ફોટોગ્રાફી
મેાતીનાં તારણ
વ્યાપાર વિજ્ઞાન અને દેશીનામું શિવણકામ, ભા. ૧ લે સ્ત્રીને શણગાર
વહાણવટુઃ
ભાટીઆ વહાણવટાના જીને ઇતિહાસ
ભુસ્તરશાસ્ત્રઃ
ભૂ રચના
માટીના પ્રાકૃત્તિક ઈતિહાસ
જનાર્દન યશવંત દીધે
કસનજી જીવરાજ મેાતીવાળા દુર્ગાશ'કર શિવશકર યાજ્ઞિક જાનકીબાઇ પ્રધાન
ગુલખાનુ હાર્મસ
અશાસ્ત્રઃ
રાનીપરજમાં રેટીએ
માનસશાસ્ત્રઃ
મનેાખળ
ડુંગરશી ધરમશી
સમાજશાસ્ત્રઃ
સમાજ શાસ્ત્રના સિદ્ધાંતા
સ’ગીતઃ
વાયેલિન શિક્ષક
શકર દત્તાત્ર્ય પાક
સંગીતના ઇતિહાસ-ઉત્તર હિંદ-વિભ્રકુમાર શિવરાય દેસા
સંગીત શિક્ષણ સૂત્રાવલી
નારાયણુશકર પંચાક્ષરી
સવિતાવ્હેન ત્રિવેદી
જુગતરામ દવે
૫૦-૦
પ્રભુલાલ મીતમલાલ પઢિયાર
४७
.
મેાતીલાલ ઉત્તમરામ અલમૌલા ૦-૧૧-૦ કેશવલાલ નાનાલાલ દીક્ષિત ૦-૧૩-૦
૧-૪-૦
૨ ૦ ૦ ૦-૧૨-૦
—}=૦
૦–૧૨-૦
૧-૮-૦
૦-૪૦
૦-૧૨-૦
૦-૧૨-૦
૦-૧૪-૦
=}-૦
900000...
q=~.
Page #60
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
ગણિતઃ ધનgટ ગણિત યાને ચરસ નારણદાસ મથુરભાઈ દેસાઈ ૨–૦-૦
લાકડાનું પરિમાણ મુંબાઈના વ્યાપારી હિસાબ રવિશંકર એ. મહેતા અને ૨–૦-૦
દલપતરામ કે. દવે. સામાન્ય જ્ઞાન અને નીતિ. અર્પણ
સુશિલ
૦-૧૨-૦ આર્યકુમારિકા
માવજી દામજી શાહ ૦–૨-૦ આર્ય સંસારની સમીક્ષા છોટાલાલ હરગોવિંદદાસ આદર્શ કુમાર
અમૃતલાલ ચુનીલાલ મોદી આર્યોનાં સંસ્કાર (બીજી આવૃત્તિ) મોતીલાલ જેઠાલાલ . ૦–૮–૦ આહાર યા જીવનયાત્રા ખુશાલચંદ પુંજીરામ બહેરા –૪-૦ અંત સમય
પરમાનંદ કુંવરજી કાપડીઆ ........ કુસુમાવલિ
સત્સંગ સુધા કાર્યાલય-બોટાદ ૧–૦-૦ ગુજરાતી બહેને પ્રત્યે ત્રણ લેખો સ્વ. સૈ. ચૈતન્યબાળા ૦-૧૧-૦ ગૃહલક્ષ્મી
મહાશંકર ઈન્દ્ર દવે ચારિત્ર મંદિર
મણિલાલ નભુભાઈ દોશી ૦–૮–૦ ચાણક્ય નીતિસૂત્રો
પ્રસન્નકુમાર મણિલાલ દેસાઈ ચાર આંસુ
ખલીફ
૧–૪–૦ જગત પાછળનું જગત
આનંદ”
૦-૧ર-૦ જીવનસિદ્ધિ
સાકરલાલ અમૃતલાલ દવે ૦-૦૦ જીવન વહેણ વસઃ નાયક
૦-૧૨-૦ જીવન અને વર્તનના મહાન નિયમ વિઠ્ઠલરાય હૈમતરાય પ્રધાન ૦ –૪-૦ નારીધમ પ્રકાશ (બીજી આવૃત્તિ) શાસ્ત્રી લક્ષ્મીરામ ક્રીશ્નદાસ ૦–૧૦-૦ પવિત્રતાને પંથે (પાંચમી આવૃત્તિ) મણિલાલ નથુભાઈ દોશી .... પ્રગતિને પંથે
પ્રેમચંદ વિધાનંદ પંડયા ૧-૧-૦ પારેવા
ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૦–૮-૦ ભાનુ સ્મૃતિ
જગમોહનદાસ ધરમદાસ ••••• માનવ ધર્મ
મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજી.•••• રામકૃષ્ણ ઉપદેશ
રવામી બ્રહ્માનંદ ૪૮
Page #61
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાની વર્ગીકૃત યાદી
રુઢિબંધનને છેડે લગ્ન અને ભવિષ્યની માતા
વમાન સ્ત્રીજીવન
વિજયની ચાવી
વીર ધર્મને ઢઢેરે (બીજી આવૃત્તિ) વીર ધર્માંતા પુનરાહાર
વૃદ્ધે લગ્નના ભવાડા
શુભ સંગ્રહ, ભા. ૪ થે ભા. ૫ મે
''
સાદી શિખામણ, ભા. ૫ મે ( ખીજી આવૃત્તિ )
સાદી શિખામણ, ભા. ૬ ઠ્ઠો સામાજિક સુખરૂપતા સ્ત્રી મેાધિની
સુમેધ રત્નાકર (બીજી આવૃત્તિ) સુંદરીઓના શણગાર, ભા. રજો સેવા મા
સયમ સામ્રાજ્ય
ક્રાંતિ
અટલર કમિટીના રીપે બારડેલી સત્યાગ્રહને! ઇતિહાસ રાજસ્થાનેની શમસ્યા
છેટાલાલ ઘેલાભાઇ મેાહનલાલ નરેાત્તમદાસ શાહ ૧—૧-૦
હારવે નરીમાન બદનક્ષી કેસ
માવજી દામજી શાહ અંબાલાલ શિવલાલ પટેલ મુનિરાજશ્રી ન્યાયવિજયજી
29
મગનલાલ શકરભાઈ
રાજકીય.
એશિયાનું કલંકઃ કારીઆની કથા ઝવેરચંદ મેઘાણી
(ત્રીજી આવૃત્તિ)
.
29
કાન્તિલાલ સારાભાઇ ઝવેરી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય —૮-૦
૧-૮-૦
૩-૦-૦
મગનલાલ શંકરભાઈ ચીમનલાલ ગાંધી વલ્લભજી ભાણજી મહેતા કર ગેાપાળજી ઓધવજી મનુભાઇ એલ. જોધાણી પ્રભુશકર નરભેરામ વ્યાસ મણિલાલ નથુભાઈ દોશી
29
શકરદત્ત પાતીશ કર શાસ્ત્રી સૌરાષ્ટ્ર કાર્યાલય
મહાદેવ હિરભાઈ દેસાઈ અમૃતલાલ ૪. શેઠ
સત્યપ્રકાશ કાર્યાલય
સાહિત્ય, વિવેચન–નિબંધ.
* 100
01110
-~。
.....
........
01110
૩-૦-૦
૦-૧૧-૦
o=2-0
૧૦-૦
૧-૮-૦
૦—૧-૦
૦-૬-૭
0-20-0
0—3-0
400 * Coo
૦-૧૨-૦
૧-૮-૦
૫૦ - ૦
સાહિત્યઃ
કવિતા અને સાહિત્ય, ભા. ૪થા રમણભાઈ મહીપતરામ નીલકઠું ૧---૦-૦ પ્રાચીન સાહિત્ય
રવિન્દ્રનાથ ટાગોર
૪૯
027 000
Page #62
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
૪-૦૦
મધ્યકાલીન સાહિત્ય, ખંડ પ. સાહિત્ય સંસદ વાર્તાશેલી
ફિરોજશાહ રૂ. મહેતા. વ્યાકરણ: ગુજર ભાષાસાહિત્ય પ્રવેશ ચતુરભાઈ પુરુષોત્તમદાસ પટેલ ૦–૮–૦ નિબંધ: ઉદબોધન
કવિ ન્હાનાલાલ દલપતરામ –-૦-૦ ગદ્યાવલિ
આશાભાઈ ન. પટેલ ૧-૧૨-૦ નૈવેદ્ય (બીજી આવૃત્તિ) નરસિંહભાઈ ઈશ્વરભાઈ ૦–૮–૦ પરિષદ પ્રવૃત્તિ, ભા. ૩જે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ૦–૧૨–૦ પુષ્પાંજલિ
લતીફ” પોયણાં
જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળ ૨–૦-૦ ફુલગુંથણી
સાંકળચંદ ભૂલાભાઈ ચુડગર ૦–૮-૦ રસધાર
મિસ વિનંદિની ૨. નીલકંઠ ૦-૧૦-૦ સાહિત્યમાં નવીન દૃષ્ટિબિન્દુ “ધૂમકેતુ’ સુવર્ણયુગનાં સર્જન કનૈયાલાલ માણેકલાલ મુનશી સંસાર મંથન (બીજી આવૃત્તિ) કવિ નાનાલાલ દલપતરામ ૧-૮-૦
કેષ-જ્ઞાનકોષ વગેરે રેફરન્સ પુસ્તકે. આઠ હજાર ગુજરાતી પુસ્તકોની પુસ્તકાલય સહાયક સહકારી ૮-૦-૦ વર્ગીકૃત નામાવલિ
મંડળ લિ. ગુજરાતી પુસ્તકાલય માટે વર્ગીકૃત છે ,
પદ્ધતિ ગુજરાત પુસ્તકાલય સર્વ સંગ્રહ
૦-૧૨-૦ ગુજરાતી જ્ઞાનકોષ પુ. ૧ ડો. કેતકર જમીન જાગીરને ભોમીઓ દામોદરદાસ રેવાદાસ
૫ -૮-૦ જેડનું કેષ ગુજરાત વિદ્યાપીઠ
૩૦-૦ પુરતકાલય સર્વ સંગ્રહ પુરતકાલય સહાયક સહકારી ૧–૦-૦
| મંડળ લિ. પૌરાણિકથા કે, ભા. ૩જે ડાહ્યાભાઈ પી. દેરાસરી
કાયદા-કટ કેશ વગેરે. ખડગ બહાદુરે કરેલ હિરાલાલ | પ્રાણજીવન કે. દેસાઈ ૧–૪-૦
અગ્રવાલ ખુન કેસ અને રાજ- } કુમારી મયાદેવી કેસ
૧-૦-૦
૦
૦
૦
૦ *
Page #63
--------------------------------------------------------------------------
________________
પુરતની વર્ગીકૃત યાદી
E*
ડાન્સર મીસ મેડ એલન બદનક્ષી કેસ
, ૦–૮૨૦ હાર નરીમાન બદનક્ષી કેસ સત્યપ્રકાશ કાર્યાલય ૫-૦-૦ હિન્દુ” કેસ
ગુલાબભાઈ રણછોડજી દેસાઈ • •
બાલ સાહિત્ય, બાલ સાહિત્યમાલા (નં. ૧) [શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર)
આખા સેટના રૂ. સાડા પાંચ; છૂટક અંકનો
દેઢ આનો. જુગતરામના પાઠ
શ્રી જુગતરામ વૈ
શ્રી ગિજુભાઈ ગધેડું ને ઘેટું દાદા દર્શને બાલ નાટક ૨ સવારથી માંડીને કુદરતમાં મોતીયો રામજીભાઇ પડી ગયા ! મંગેશને પોપટ
શ્રીમતી તારાબહેન મેડિક ધબીડ ધુએ છે
શ્રી ગિજુભાઈ પીરૂ અને છાણું થાપી આવ્યાં
શ્રીમતી તારાબહેન મામાની જાન્ય
શ્રી ગિજુભાઈ વાડામાં : રોજનીશી બાળકોને બીરબલ-૨ છેટાં રહેજો માબાપ
શ્રી રામભાઈ પાઠક મારી ગાય
શ્રી. ગિજુભાઈ કમળાબહેનના પાઠ
શ્રીમતી કમળાબહેન ગિરિ શિખરો
શ્રીમતી તારાબહેન
૫૧
Page #64
--------------------------------------------------------------------------
________________
કાળા હાથ, કાળી દાઢી ખળાવાડ અને પૂછું !
આતરાતી દીવાલા-૧
,,
મુ ચરિત્ર
ગૂજરાત-મહારાષ્ટ્ર જોડકણાં
કહેવત સ`ગ્રહ
હરિશ્ચંદ્ર
22
એમ કેમ ? સાજા રહીએ
ગ્રંથ અને ગ્રંથકાર
વ્યાકરણ પેાથી વરત સંગ્રહ
રમત જોડકણાં
બાળ ડાયરી
ચાપગાંની ચતુરાઈ
ખીરબલના ખન્ધુ (બીજી આવૃત્તિ) ખાયણાં
ગધેડાનું રાજ
ખરી પુરી (બીજી આવૃત્તિ.) કુલ (ત્રીજી આવૃત્તિ.) જાદુઈ હાર (બીજી આવૃત્તિ) મકના મસ્તાના
ભૂલ ભૂલામણી સવાકાની આપવીતી
અંગાળી રખલ
અલિદાન
ખાટી ખાટી વાતા
શ્રી ગિજુભાઈ
99
19
શ્રી. કાકા સાહેબ
99
,,
શ્રી. ગિજુભાઈ ગિજીભાઇ અને તારાન્હેન
શ્રી. ગિજુભાઇ
99
99
શ્રીમતી તારાબ્ડેન શ્રી. ગિજુભાઇ
29
29
""
21
29
12
,,
ગિજુભાઈ અને તારાન્હેન
ગાંડીય સાહિત્ય મદિર (નં. ૨) વલ્લભદાસ અક્કડ અને નટવરલાલ વિમાવાળા
નટવરલાલ વિમાવાળા
21
99
""
19
',
ઇશ્વરલાલ વિમાવાળા નટવરલાલ વિમાવાળા
29
,,
પર
39
35
ચીમનલાલ પ્રાણલાલ ભટ્ટ નટવરલાલ વિમાવાળા
..
99
99
: : : : :
૦-૩-૦
૦-૪-૦
૦-૮-૦
૦-૧-૦
૦-૧-૦
-૪-૦
01110
૦૪-૦ ૦—૧-૬
૦—૧-૦
---૭
==}-૦
૭-૫-૦
૦૪-૦
Page #65
--------------------------------------------------------------------------
________________
પુસ્તકૅની વર્ગીકૃત યાદી
સિપાઈ દાદા
૦–૨-૬ બાળ વિહાર, ભા. ૧ ઈશ્વરલાલ વિમાવાળા ૦-૧૨-૦ મિયાઉં (બીજી આવૃત્તિ) નટવરલાલ વિમાવાળા ૦૧-૦ ધૂપસળી ( 9 )
by , અને
૦ -૪-૦
વલ્લભદાસ અકકડ વસંત બાલશિક્ષણ પ્રચારમાળા.(નં. ૩) [શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર.]
ગુરછ બીજે બાળ ગૃહ
શ્રી. ગિજુભાઈ નવી દષ્ટિ
શ્રીમતી તારાબહેન મોડક ૦૧-૦ દવાખાને જઈ ચડ્યો
શ્રી. ગિજુભાઈ
૦ –૧-૦ બાળ પ્રેમ
શ્રીમતી તારાબહેન મેડક બાળકની માગણું ને હઠ
૦–૧-૦ તેફાની બાળક શ્રી. ગિજુભાઈ
૦–૧-૦ બાળકની આવડતનું પ્રદર્શન શ્રીમતી તારાબહેન મેડક સાંજની મેજે
શ્રી. ગિજુભાઈ .
૦–૧-૦ ઢીંગલીની રમત
શ્રીમતી તારાબહેન મેડિક નવા આચારે
શ્રી. ગિજુભાઈ
૦૧-૦ [બાલજીવન કાર્યાલય (નં. ૪)
નાગરદાસ ઈ. પટેલ વસંત (બીજી આવૃત્તિ.) સૌ. અર્યમન મહેતા સ્વામીભક્ત સુરપાળ
માધવરાવ ભાસ્કરરાવ કર્ણિક ૦–૨-૦ આનંદધારા, ભા. ૧૯ રમણલાલ નાનાલાલ શાહ ૦–૬–૦ » , ભા. ૨
૦–૮–૦ આનંદકુંજ ભા. ૧લે સારી સારી વાત
૦– ૮–૦ ફુલમાળા, ભા. રજે
૦-૧૨-૦ બાવલાનાં પરાક્રમો સૌ. હંસા મહેતા
૧––૦-૦ હંસ રાણું
રમણલાલ નાનાલાલ શાહ ૦–૮–૦ બોલ હાસ્ય
૦ -૯-૦ દેશ દેશની દંતકથાઓ
૦ –૮-૦ પ્રધાનપુત્રીનાં પરાક્રમો
૫૩
અજિત
૦
૦
Page #66
--------------------------------------------------------------------------
________________
મીની માશી ખીલેારી પહાડ સૂતપુત્ર ક [બાળગ્રંથાવલી] (નં. ૫)
શ્રી રીખવદેવ તેમ રાજુલ શ્રી પાર્શ્વનાથ
પ્રભુ મહાવીર
વીર ધન્ના
મહાત્મા દૃઢ પ્રહારી
અભયકુમાર રાણી એલણા
ચંદનબાળા
ઇસ્લામીકુમાર
જંબુસ્વામી
અમરકુમાર
શ્રીપાળ
મહારાજા કુમારપાળ
પેથડકુમાર
વિમળશાહ વસ્તુપાળ-તેજપાળ
એમા દેદરાણી
ગ્રંથ અને ગ્રંથકાર
જગડુશાહ
ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માએ
~-~∞
૦-૩-૦
29
ન્હાનાભાઇ કા. ભટ્ટ
૦-૩-૦
[ધીરજલાલ ટાકરશી શાહ] દરેક સેટ
નગ૨૦ની
22
અર્જુનમાળી ચક્રવતી સનત્કુમાર ગણધર શ્રી ગૌતમસ્વામી
ભરત બાહુબલિ આ કુમાર મહારાજા શ્રેણિક વીર ભામાશાહ
મહામત્રી ઉદામન
મહાસતી અંજના રાજર્ષિ પ્રસન્નચંદ્ર
મયણ રેહા
ચંદન મલયાગિરિ
કાન કઠિયારા
મુનિશ્રી હરિકેશ કપિલ મુનિ સેવામૂર્તિ નદિયે શ્રી સ્થૂલિભદ્ર
મહારાજા પ્રતિ
પ્રભુ મહાવીરતા દશ શ્રાવકા
સ્વાધ્યાય
[ચરોતર એજ્યુકેશન સેાસાઈટી] (નં. ૬)
પ્રહ્લાદ
જુગતરામ દવે
૫૪
કિંમત રૂ.
ઢાઢ;વી. પી.
પેાલ્ટેજ છ
આના અલગ
Q=૪-૦
Page #67
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
૦
૦
૦
૦.
હેન
ચંદ્રશંકર ભટ્ટ બાલારાજા
છગનલાલ હ. પંડયા ૦૧-૦ મનોરમા
મેંઘીબહેન ગીત સંગ્રહ સીતારામ નથુભાઈ
૦-૨૦ વીરકથાઓ
ચંદ્રશંકર મ. ભટ્ટ [બાળક કાર્યાલય] (નં. ૭) ફૂલ છાબ ભીખાભાઈ પુ. વ્યાસ
૦–૮૦ બાળકની ૧૩ વાતો બાળક પુ. ૭મું (બાળકની ફાઈલ) છે ,
૩-૦-૦ પુિસ્તકાલય સહાયક સહકારી મંડળ] (નં. ૮) ચાર બાલસંવાદો ચન્દ્રશંકર મ. ભટ્ટ
૦ -૩-૦ સીંદબાદ શેઠ
૦–૭– કુમાર વીરસેન
૦–૬–૦ નળ દમયંતી
૦–૩-૦ બાળકાવ્યો
આશાભાઈ નરસિંહભાઈ અને ૦–૩-૦
ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ [કુમાર કાર્યાલય] (નં. ૯) બાળવાર્તાવલી, ભા. રજો સૌ. હંસા મહેતા સ્કાઉટિંગ અને બીજી વાત ગજાનન ઉ. ભટ્ટ
૧૩-૦ [જેઠાલાલ છગનલાલ ચોધરી] (નં. ૧૦) કંસવધ
જે. છ. ચૌધરી ૦––૦ રાજસૂય યજ્ઞ
૦–૪-૦ જરાસંધ વધ
-૪-૦ સીતા હરણ ડાહ્યું કેણ ?
૦–૩-૦ બજરંગી હનુમાન
૦–૩-૦ [પ્રકીર્ણ] (નં. ૧૧) અલિબાબા ગુજરાત સાહિત્ય મંદિર
૦-પ-૦ કિશોર કથાઓ ગિજુભાઈ
૦–૮–૦ ગાંધીજી
જુગતરામ દવે
૦-૩-૦ જાતક કથા
લીલાબહેન છોટાલાલ પરીખ ૦-૩-૦ ૫૫
૦
૦
? 6
૦
૦.
Page #68
--------------------------------------------------------------------------
________________
દાદીમાની વાતા ન કહેવાયલી વાતે
નવાં અને જુનાં બાળઉખાણા
અચુ
ખાળ ઉખાણા બાળ જોડકણાં
માળ પત્રા
ખાળગીત, ભા. ૧લેા
બાળ રામાયણ ખીરબલનેા હાસ્યભંડાર
ભયના ભેદ
ભેર
મેાજડીનાં મૂલ્ય રાજાજીની વાતે
લાકડાના પેપટ
ગ્રંથ અને ગ્રંથકાર
વાણ
વાંદરાની વાતા શબ્દથી
ઉદય (વાર્ષિક)
ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળના પ્રથમ પચીસીને ઇતિહાસ
ગુજરાતી વ્યાયામ પરિષદ બીજી ગુજરાતી પત્રકાર પરિષદને રીપોટ
સામ્હેન કાનુગા છેલશકર ગોવિંદજી શુકલ
કાનજી કાલિદાસ જોશી. ગેવિંદરામ બાલાશંકર ઠાકર [શારદા મંદિર] કાનજી કાલિદાસ જેશી
મહિલા મિત્ર, પુ. પસું વીણા (વાર્ષિક) સાહિત્યકલા મહે।ત્સવ અંક(કરાંચી) સાહિત્ય ખંડ
39
વલ્લભદાસ અક્કડ
ચુનીલાલ કુબેરદાસ શાહ લીલાવતીબ્ડેન
વાર્ષિક-પરચુરણ વગેરે.
તંત્રી અને પ્રકાશક, બાજીરાવ જોષી
રણછેડજી કેસુરભાઇ મીસ્ત્રી ઉમિયાશંકર જી. ઠાકર
મનસુખરામ દામેાદર મહેતા જે. રાજસ માણેકલાલ હિરલાલ
૦૨-૦
-2-0
01710
પેસ્તનજી જમશેદજી દક્ષિણામૂર્તિ વિદ્યાથી ભુવન ગિજુભાઈ અને જુગતરામ ઉમિયાશ`કર જીવણલાલ ઠાકર ૦~૨-૬
સૌ. સૌદામિની મહેતા સનાતન જન્મશકર બુચ
જૈન યંગમેન્સ સેાસાટી
પ
01310
૦-૮-૦
-૪-૦
૦૨-૦
01§10
૦-૧૦-૦
૨-૮-૦
200.00
0-20
.-.-.
01110
01910
.........
-૨-૦
૧-૦-૦
AUTORI.
100
છેટુભાઇ બાલકૃષ્ણ પુરાણી હીરાલાલ ત્રીભોવનદાસ પારેખ ૦—૪-૦
૦-૧૨-૦
૧-૦-૦
.........
-૮-૦
Page #69
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
(વિદ્યમાન)
Page #70
--------------------------------------------------------------------------
Page #71
--------------------------------------------------------------------------
________________
અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી
અતિસુખ શંકર કમળાશંકર ત્રિવેદી
[ પ્રોફેસર, એમ. એ. એલએલ. બી.] તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે; જન્મ સુરતમાં ઇ.સ. ૧ ૮૫ ને ૧૫ મી ઍપ્રિલના રોજ થયું હતું. એમના પિતાશ્રી સ્વ. રા. બા. કળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતના એક અગ્રગણ્ય સાક્ષર હતા અને એમના સંસ્કારો સર્વ એમના પુત્રમાં પૂર્ણ રીતે ઉતરી આવેલા છે. એમના પિતા ને કરીને અંગે ફરતા રહેતા, તેથી જૂદે જુદે સ્થળોએ એમણે શિક્ષણ લીધું t. 1. સન ૧૯૦૪ માં બી. એ; અને સન ૧૯૬ માં તેઓ એમ. એ; થયા હતા. સન ૧૯૦૭ માં એલ એલ. બી. ની પરીક્ષા પસાર કરી; પણ વિદ્યા પ્રતિ વિશેષ પ્રેમ હોવાથી અધ્યાપકની નોકરી પસંદ કરી; અને આજ ઘણાં વર્ષોથી (૧૯૧૧ પછી) વડોદરા કૉલેજમાં તેઓ ફિલસુફી અને તત્ત્વજ્ઞાનના સીનીઅર પ્રોફેસર તરીકે કામ કરે છે. તે ઉપરાંત દલેજના ગુજરાતીના વર્ગો પણ લે છે. ૧૯૨૧માં તેઓ Ethics(નીતિશાસ્ત્ર)ના નિવર્સિટિ લેકચરર નીમાયા હતા. તેઓએ મેટ્રિકથી એમ. એ. સુધીની પરીક્ષાઓમાં વર્ષો સુધી પરીક્ષક તરીકે કામ કર્યું છે.
એમની પ્રવૃત્તિ સાહિત્ય અને કેળવણીના વિષયોમાં વિશેષ નજરે પડશે.
તેઓ લાંબી મુદતથી મુંબઈ યુનિવર્સિટીના ફેલો છે; સિન્ડિક તરીકે મિણે ત્રણ વર્ષ કામ કર્યું છે, વળી ઍકેડેમિક કાઉન્સિલના સભ્ય નિમાયા છે. અભ્યાસ કરતા હતા ત્યારથી “બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, “વસત”
ગેરેમાં તેઓ લેખ લખી મોકલતા અને પોતે દક્ષિણનો પ્રવાસ કરેલો તેનું રસિક વર્ણન કાવ્યમાં ઉતાર્યું છે. એમણે એમનું પ્રથમ પુસ્તક ઈ. સ. ૧૯૧૦ માં જાપાનની કેળવણી પદ્ધતિ” મી. શાર્પના રીપોર્ટ પરથી ગુ. વ. નાસાઈટી માટે લખેલું; અને તે પછી ઈ.સ. ૧૯૧૩ માં ગીકૃત “યુરેપના સુધારાને ઇતિહાસ લખેલું. તેમનાં સ્વતંત્ર પુસ્તક “નિવૃત્તિ વિનોદ' અને સાહિત્ય વિનોદ' એ નામથી છપાયેલાં છે; તે ગ્રંથે લોકપ્રિય નિવડ્યા છે. તે ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં પુસ્તક લખેલાં છે, જેની માગણી વિદ્યાથી સમૂહમાં વિશેષ રહે છે.
એમના ગ્રંથની યાદી: જપાનની કેળવણીની પદ્ધતિ (પ્રે, શાપના અંગ્રેજી પુસ્તકનું ભાષાંતર) [૧૯૧૦
Page #72
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
યુરેપના સુધારાને ઇતિહાસ (ગીના ઐતિહાસિક પુસ્તકના છેડા ભાગનું ભાષાન્તર)
[૧૯૧૩] નીતિશાસ્ત્ર (રંશડૅલના Ethics P. B. Series નું ભાષાન્તર) [૧૯૧૭] નિવૃત્તિ વિદ
[૧૯૧૭] નીતિ વિવેચન પ્રિ. વિજરીને ર. ઝાલાની સાથે
[૧૯૧૮] ત્રિવેદી વાચનમાળા પ્રવેશિકા તથા પુ. ૧ થી ૭ સુધી. તિમના પિતાની સાથે [૧૯૨૨-વડોદરા સેંટ.]
[૧૯૨૩–બ્રિટિશ સેટ] સાહિત્ય વિનોદ
[૧૯૨૮] Studies in Deductive Logic
[1912] Studies in Inductive Logic.
[1914] Psychology.
[1919] Ethics.
[1920] Logic in an easy chair.
[1925] ઉપલી યાદી ઉપરાંત, તેમના છૂટક લેખો, સંવાદે ને ભાષણોની યાદી થાય તેમ છે; પણ તે છૂટાં છૂટાં માસિકમાં ને અન્યત્ર પ્રસિદ્ધ થએલાં છે. તેમના હાસ્યરસથી ભરપૂર સંવાદો કોલેજોમાં ને અન્યત્ર મેળાવડાઓમાં ઘણીવાર ભજવાયા છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
અરદેશર ફરામજી ખબરદાર
અરદેશર ફરામજી ખબરદાર
સ્વ. મલખારી પછી પારસી લેખકેામાં કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી વાચકે!માં બહુ જાણીતા અને લેાકપ્રિય છે. એમને જન્મ ઇ. સ. ૧૮૮૧ માં નવેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે દમણમાં થયા હતા. એમનું કુટુંબ પોર્ટુગીઝ રાજ્યમાં પ્રતિષ્ઠિત લેખાતું. એમની પાંચ વર્ષની ઉમર હશે ત્યારે એમના પિતાશ્રી ફરામજી કાવસજી યુવાવસ્થામાં ૨૬ મા વર્ષે પાડાના રોગથી મુંબાઇમાં મૃત્યુ પામ્યા હતા. ખબરદારની અટક એમના કુટુંબીજનોની બહાલી અને હુંશિયારીથી એમના વિડલેને મળેલી. એમણે અંગ્રેજીને અભ્યાસ મુંબાઈમાં ન્યુ હાઇસ્કુલમાં કર્યાં હતા. કવિતા અને સંગીતના શોખ તો એમને ન્હાનપણથી પ્રાપ્ત થયલા. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓએ કવિતા લખવા માંડેલી; તેથી એમના મિત્રા પણ એમને કવિ તરીકે સંમેાવતા હતા.
શાળા છેડયા બાદ દમણમાં આવી રહેલા. અહિંથી તેમણે માસિક મહ ’’ નામનું માસિક, જે સ્વ. દાદી તારાપારવાળાના તંત્રીપદ હેઠળ ચાલતું હતું, તેમાં સેા દ્રષ્ટાંતિક દેહરાએ હિરફાઈમાં લખી મેાકલેલા; અને તેની ઘટતી તારીફ થઇ હતી,
એમને કાવ્યસંગ્રહ પહેલવહેલા સન ૧૯૦૧ માં કાવ્યરસિકા ’’ નામે પ્રકટ થયલે.. તે પછી નવી ઢબની કવિતા પાશ્ચાત્ય વિચાર અને અભ્યાસથી ર્ગાયલી, લખવી શરૂ કરેલી. તેમાં તેમને એમના ગુરૂ મી. નલભાઈ દોરાબજી ભરડા તેમજ એમના મિત્ર મી. પેસ્તનજી ખ. તારાપારવાળા તરફથી પૃષ્ઠ પ્રાત્સાહન મળ્યું હતું. જ્યારે એ કાવ્યેાના સંગ્રહ “ વિલાસિકા ” નામથી પ્રથમ બહાર પડયા ત્યારે સૌ કાઈ તેથી મુગ્ધ થયા હતા અને જાણીતા વિવેચક શ્રીયુત નરસિંહરાવે તેની સમાલેાચના કરી, વાચકવર્ગનું તે પ્રતિ વિશેષ લક્ષ ખેંચ્યું હતું. તે પછી પ્રકાશિકા, ભારતના ટંકાર, સ ંદેશિકા, કલિકા, ભજનિકા અને રાસચ`દ્રિકા એ નામથી એમના કાવ્યગ્રંથ એક પછી ગુજરાતી જનતાને મળતાં રહેલાં છે; અને તે સતા સારે। સત્કાર થઈ, રસભર વંચાય છે.
ઇ. સ. ૧૯૦૮ ની સાલથી એએ ગુજરાત છેાડી મદ્રાસ જઇ ત્યાં સહકુટુંબ ધંધા અર્થે ઠરીઠામ થયા છે અને ત્યાં સાઈકલ અને મેટરને વેપાર મેટા પાયા પર ચલાવે છે.
<<
અસ્વસ્થ તખીઅતના કારણે તેઓ જાહેરમાં ઝાઝા બહાર આવી રાફતા નથી; પણ પ્રસંગેાપાત્ કાઇ મેળાવડામાં ભાષણ આપવાનું બની
'સ્
Page #74
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
આવે છે ત્યારે એમના વ્યાખ્યાને ઉત્કટ લાગણી, સાચી દાઝ, તટસ્થ વિચાર અને વિવેચનથી ખૂબ અસર ઉપજાવે છે. ભાવનગર સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષ-પદેથી આપેલું વ્યાખ્યાન, અથવા મુંબમાં ઉજવાયલા વસન્તાત્સવ પ્રસંગે આપેલું વ્યાખ્યાન, તેના દ્રષ્ટાંતરૂપ રજી કરી શકાય.
કવિશ્રી ન્હાનાલાલની ડૅાલનશૈલી વિરુદ્ધ એમણે દર્શાવેલા વિચારે એ એક વખત સાહિત્યસૃષ્ટિમાં ખળભળાટ (Sensation) કરેલા; અને એમની દલીલેામાં કંઇક તથ્ય છે, એમ ઘણાંને લાગેલું,
સ્વ. મલબારીના સઘળાં કાવ્યત્ર થામાંથી તેમની સારી કવિતાઓની ચૂંટણી કરી એક ગ્રંથમાં સંગ્રહીને તેમજ તેમાં એમના જીવન તેમજ એમની કવિતા વિષે એક સારા, વિસ્તૃત અને વિદ્વત્તાભર્યાં ઊપાદ્ઘાત લખીને એમણે એકપક્ષે મરનારની તેમજ ખીજે પક્ષે ગુજરાતી વાંચનાર આલમની પ્રશસ્ય સેવા કરી છે, એમ ઉપકારસહ નોંધાવું જોઇએ.
વળી એએએ ઇંગ્રેજીમાં પણ ઘણાં કાવ્યેા રચેલાં છે, જેમાંના એક સંગ્રહ Silken Tassel–નામથી પ્રસિદ્ધ થયàા છે. એમના ધણા ગુજરાતી તથા અંગ્રેજી ગ્રંથા હજી અપ્રસિદ્ધ છે, જે હવે પછી પ્રગટ થશે. એમના ગ્રંથાની યાદી:
કાવ્યરસિકા વિલાસિકા
પ્રકાશિકા
મલબારીનાં કાવ્યરત્ના ( સંપાદક )
ભારતના ટંકાર
પ્રભાતને તપસ્વી
કુકકુટ દીક્ષા
સંદેશિકા
કલિકા
ભજનિકા
રાસન્દ્રિકા ભા. ૧ લે.
પ્રકાશન વ. ( ઇ. સ. ૧૯૦૧ )
( ૧૯૦૫ )
( ૧૯૦૮ )
( ૧૯૧૭ )
( ૧૯૧૯ )
( ૧૯૨૦ )
( ૧૯૨૦ )
( ૧૯૨૫ )
( ૧૯૨૬ )
( ૧૯૨૮ )
( ૧૯૨૯ )
( ૧૯૨૮ )
The Silken Tassel
—અંગ્રેજી ઊર્મિ કાવ્યેા.
( Published by IFowler Wright Ltd., London. )
Page #75
--------------------------------------------------------------------------
________________
આત્મારામ મોતીરામ દીવાન આત્મારામ મતીરામ દીવાનજી બી. એ. ]
એ જ્ઞાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. એમના પિતાનું નામ મોતીરામ ઈચ્છારામ દીવાની અને માતાનું નામ કમળાગવરી છે. એમને જન્મ સન ૧૮૭૩ માં સુરતમાં થયો હતો. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે સુરતમાં લીધેલું. સન ૧૮૯૧ માં મેટ્રોક થયા બાદ નંબઈની વિલસન કોલેજમાં તેઓ જોડાયા હતા. સન ૧૮૯૬ માં તે કેમેસ્ટ્રી અને ફીઝીકસ એચ્છિક વિષય લઈને બી. એ. થયા. ડિગ્રી મળ્યા પછી તેઓ સરકારી કેળવણી ખાતામાં આસિસ્ટંટ માસ્તર તરીકે એલિફનસ્ટન હાઈસ્કૂલમાં નિમાયા હતા; અને જાતમહેનત, પ્રમાણિકતા, સતત ઉઘોગથી તેઓ તે ખાતામાં એક પછી એક મેટી પાયરીઓએ, છેક એજ્યુકેશનલ
સ્પેકટર, ઉત્તર વિભાગ–ના હોદ્દાએ પહોંચી, એ જગાએથી નિવૃત્ત થયા હતા. એ એમની બાહોશી અને કાર્યદક્ષતાનું ફળ હતું.
કેળવણી ખાતામાં વહિવટી કામમાં, ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર અને પરસનલ આસિસ્ટંટ ટુ ધી એજ્યુકેશનલ ઇન્સપેકટર તરીકે ઘણું વષો કામ કરવામાં કાઢેલાં; તેમ છતાં લેખનકાર્ય અને સાહિત્યના અભ્યાસ માટેની એમની અભિરુચિ ઝાંખી પડી નહોતી. એમને આરામ એટલે કોઈ પ્રકારનું કંઇક લેખનકાર્ય.
ગુ. વ. સોસાઈટી માટે એમણે “ખગોળવિદ્યા', “ખગોળ સંબંધી વ્યાખ્યાન', “મિરાતે સિકંદરી” અને “રામને ઈતિહાસ' વગેરે ઉપયોગી ગ્રંથો લખી આપેલાં છે. “ખગોળવિદ્યા” અને “ખગોળ સંબંધી વ્યાખ્યાન'ની તો ત્રણ આવૃત્તિઓ નિકળી ચૂકી છે અને મિરાતે સિકંદરી માટે માગણી થયા કરે છે, એ એમના ગ્રંનો ઉપાડ કે સારે છે તે દર્શાવે છે.
સાહિત્ય પરિષદ ભંડોળ કમિટી માટે એમણે ફિરસ્તાકૃત ગુજરાતના ઇતિહાસ વિભાગનો અનુવાદ કરી આપલે અને કેળવણી ખાતા માટે એમણે જુદાં જુદાં વિષયો પર લખેલાં પુસ્તકો અનેક છે, જેની યાદી નીચે આપી છે.
એમના અભ્યાસના પ્રિય વિષયે ખગોળ, ઇતિહાસ અને ભૂગોળ છે. નોકરીમાંથી કારગ થયા પછી તેઓ સુરત શહેરની એક યા બીજી સેવાપ્રવૃત્તિમાં પોતાનો સમય પસાર કરે છે. હમણું સોસાઈટી માટે “ગ્રીસને ઇતિહાસ” લખી રહ્યા છે. એટલે કે કાર્ય, કાર્ય અને કાર્ય એ એમના જીવનનો મુદ્રાલેખ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સન ૧૯૦૫
છે ૧૯૦૫
એમના ગ્રંથની યાદી ૧. પશુના ઔષધનું શાસ્ત્ર
[ ઈગ્રેજી પુસ્તકનું ભાષાંતર ] ૨. શારીર અને ઈકિય વિજ્ઞાનશાસ્ત્ર
[ અંગ્રેજી અનુવાદ.] ૩. અશ્વ પરીક્ષા [ ઇગ્રેજી અનુવાદ] ૪. સુરત જીલ્લાની ભૂગોળ ૫. ખગોળ સંબંધી વ્યાખ્યાનમાળા ૬. ભૂગોળવિદ્યાના મૂળતત્ત્વો ભા. ૧ ૭. છ , ભા. ૨ જે ૮. ખગોળવિદ્યા ૯. મિરાતે સિકંદરી ૧૦. ફિરિસ્તાકત ગુજરાતનો ઈતિહાસ ૧૧. માધ્યમિક શાળા માટે ભૂગોળવિદ્યા ભા. ૧ ૧૨.
ભા. ૨ ૧૩.
:
ભા. ૩
ભા. ૪ ૧૫,
ભા. ૫ ૧૬. પ્રાથમિક શાળા
ભા. ૧ ૧૭. કન્યાશાળા
ભા. ૧ ૧૮. છે
છ ભા. ૨ ૧૯. પ્રાથમિક શાળા ,
ભા. ૨ ૨૦. છે
" , ભા. ૩ ૨૧. રેમને ઇતિહાસ
૧૯૦૫ + ૧૯૦૬ ૧૯૦૭ ૧૯૦૮ ૧૯૦૮ ૧૯૧૦ ૧૯૧૪
૧૯૧૭ ,, ૧૯૨૩
૧૯૨૩ ૧૯૨૩ ૧૯૨૩
بع
ه
૧૪.
مے فی
ع
૧૯૩૪ ૧૯૨૫ ૧૯૨૬ ૧૯૨૮ ૧૯૨૯ ૧૯૨૯
ع
Page #77
--------------------------------------------------------------------------
________________
આનન્દ્રશંકર બાપુભાઇ ધ્રુવે
આનન્દ્રશંકર બાપુભાઇ ધ્રુવ
પ્રિન્સિપાલ અને પ્રેશવાઈસ ચાન્સેલર, બનારસ હિંદુ યુનિવર્સિટીએમ. એ. એલએલ. બી.
એમના જન્મ અમદાવાદમાં સંવત્ ૧૯૨૫ (ઇ. સ. ૧૮૬૯)ના મહા માસમાં થયા હતા. તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના પિતા પ્રથમ મહીકાંઠા એજન્સીમાં કારકુન અને પછી ક્રમે ક્રમે ચડતાં કાઠિયાવાડ એજન્સીમાં દફ્તરદાર નિમાયા હતા; કડિયાવાડની !કીમાંથી પેન્શન લીધા પછી કેટલાંક રાજ્યના સીમાડા નક્કી કરવાના કામમાં સરકારે રાકેલા હતા. તે થોડાક સમય વડાદરા રાજ્યના સાંતી રસન્સિ ખાતે વકીલ હતા. આનન્દ્રશંકર એમના પિતાને સાત પુત્રી વચ્ચે એકના એક પુત્ર હતા એટલે ન્હાનપણથી લાડકોડમાં ઉછરેલા, અમના પિતા ધર્મનિષ્ઠ અને પ્રાચીનપન્થી વ્યક્તિ હતા; અને એ ગુણાની છાયા અસર એમના પુત્રમાં વારસામાંhereditary ઉતરેલી પ્રતીત થાય છે.
કેળવણીની રાત તે વખતના પ્રચલિત નિયમ મુજબ ગામડી નિશાળથી શરૂ થઈ હતી. પછી ગુજરાતી નિશાળમાં દાખલ થઈ તે અંગ્રેજી નિશાળમાં દાખલ થયા. ત્યાં પણ પાસે પેાતાના શિક્ષકાને બુદ્ધિ અને જ્ઞાનથી સંતાપ આપ્યા હતા; અને તે ઉત્તમ વિદ્યાર્થીની પક્તિમાં ગણાતા. મેટ્રિકની પરીક્ષા પાત યુનિવર્ટિમાં જે નંબરે પસાર કરી હતી. એમના ગુરુએ! પૈકી—જેમનાં નામ તે અદ્યાપિ મરે છે તે- રણછેાડલાલ ખભાતા, પ્રોફેસર જમરોદ∞ અરદેશર દલાલ, વિષ્ણુ કાયવર્ટ, કાવસજી સોંજાણા, અને ભાસ્કર શાસ્ત્રી હતા. તેમનું સંસ્કૃતનું જ્ઞાન પણ ઘણું ઉત્તમ અને સંપૂર્ણ મનાતું. અમદાવાદમાં તે વખતે મિથિલાપુરીના એક વિદ્વાન–સંસ્કૃત પતિશ્રી બચ્ચા ઝ!–જેમનું નામ અસાધારણ વિદ્રત્તા અને તીક્ષ્ણ બુદ્િ માટે કાશી અને મિથિલામાં અદ્યાપિ સુધા પ્રખ્યાત છે—તેઓશ્રી રાજરાજેશ્વર શકરાચાય ના શાસ્ત્રીપદે પધાર્યા હતા અને અમદાવાદમાં નિવાસ કર્યો હતા.તેમના તથા એમના ભાઈ યદુનાથ ઝા, નિધિનાથ ઝા વગેરે પડિતાના નિવાસને લાભ પણ ઘણાં વર્ષોં પાતે પાતાના સંસ્કૃત જ્ઞાનની વૃદ્ધિ અર્થે એમ. એ., થતાં સુધી પરીક્ષા બહારના વિષયેામાં લીધા હતા. ગુજરાત કૉલેજમાં દાખલ થયા પછી પાહે તેના સંસ્કૃત દેસર કાથવર્કની સારી પતિ સપાને કી હૈ વ તેમના સંસ્કનની પણમા
'
Page #78
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
કરતા હતા.તેમજ કોલેજના પ્રિન્સિપાલ જમશેદજી અરદેશર દલાલ પણ શ્રીયુત આનન્દશંકરભાઈના અંગ્રેજી જ્ઞાનનાં પણ તેવાંજ વખાણ કરતા હતા. બંને અધ્યાપકેના એ પ્રિય શિષ્ય હતા. કૅલેજના જીવનમાં તે વખતની ફર્સ્ટ બી. એ. ની પરીક્ષામાં ગણિતના વિષયમાં નિષ્ફળ જવાથી તે વર્ષે સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવ્યા છતાં એમણે ઇનામ ગુમાવ્યું. તે પછીને વર્ષે ફર્સ્ટ બી.એ, અને બી. એ. ની પરીક્ષા એક સાથે આપી બીજે વર્ષે બંનેમાં ઉત્તીર્ણ થયા હતા. તેમના સંસ્કૃત જ્ઞાનથી તેમજ અભ્યાસથી તેમના પ્રોફેસર કાથવટે સાહેબ મુગ્ધ બન્યા હતા; એટલું જ નહિ પણ અમને મળેલી માહિતી ખરી હોય તે સ્વ. પ્રો. મણલાલ નભુભાઈ દ્વિવેદી યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક પણ આનન્દશંકરભાઈના સંસ્કૃત જ્ઞાન વિષે ઉચ્ચ મત ધરાવતા હતા. પરિણામે તેમની સાથે પરિચય થયે, જે આગળ જતાં મિત્રોરૂપે ઉદ્દભવ્યો હતો તે સુવિદિત છે. બી. એ. થયા પછી એમ. એ; અને એલ એલ. બી. ની પરીક્ષાનો અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા.
ઈ. સ. ૧૮૮૨ માં તેમનું પ્રથમ લગ્ન થયું હતું. સન ૧૮૯૦ માં વિધુરાવસ્થા પ્રાપ્ત થતાં, સન ૧૮૯૧ માં ફરી લગ્ન થયેલું; અને સન ૧૯ ૦ ૩ માં એમના બીજા પત્ની મૃત્યુ પામેલાં. તે પછી એમણે ફરી લગ્ન કર્યું નથી. એમના સંતાનમાં બે પુત્રીઓ અને બે પુત્રો છે, જેમાંના એક ધ્રુવભાઈ ઓકસફર્ડની ડિગ્રી લઈ આવેલા છે અને બીજા હાના પુત્ર પ્રફ્લાદભાઈ હાઈકેટ વકીલ છે.
સન ૧૮૯૩ માં પ્રો. કાથવટેની બદલી થતાં, તેમને સંસ્કૃતના અધ્યાપક નિમવામાં આવ્યા હતા. કૅલેજમાં જેટલો સમય રહ્યા તેટલો સમય માત્ર સંસ્કૃત ન શિખવતાં અંગ્રેજી, ન્યાય, તત્ત્વજ્ઞાન વગેરે વિષયના વર્ગ લેતા અને છેવટે પ્રિન્સિપાલ તરીકે પણ તેમણે કેટલોક સમય કાર્ય કર્યું હતું. સરકાર હસ્તક કોલેજ સંપાયા બાદ કેટલેક વર્ષે તેમની બદલી એલ્ફીન્સ્ટન કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે થઈ; પરંતુ તે જ અરસામાં બનારસ હિંદુ યુનિવર્સિટી માટે પંડિત મદનમોહન માલવિયાજીએ એક સારા પ્રિન્સિપાલની માગણી કરતાં, મહાત્મા ગાંધીજી અને સર લલ્લુભાઈએ એમનું નામ સૂચવ્યું. ત્યારથી (૧૯૨૦) તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને
-વાઇસ ચાન્સેલર તરીકે કામ કરે છે, અને એમનું એ કાર્ય વશરવી નિવડ્યું છે, એમ ચાદિશામાથી સાંભળવામાં આવતી પ્રશંસા પરથી કહી શકાય.
Page #79
--------------------------------------------------------------------------
________________
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
શરૂઆતમાં તેઓ સ્વ. મણિલાલ નભુભાઈના “સુદર્શનમાં લેખો લખતા અને પાછળથી એમના મૃત્યુ બાદ કેટલોક સમય તે માસિકને ચલાવેલું; પણ સ્વદેશ અને માતૃભાષાની જરૂરિયાત લક્ષમાં લઈને સન ૧૯૦૨ માં “વસન્ત” નામનું નવું માસિક કાઢયું, જેને રજત મહોત્સવ સન ૧૯૨૭ માં ભારે દબદબાથી ઉજવવામાં આવ્યો હતો.
સન ૧૯૨૮ માં તેઓ નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયા હતા અને તેના આગલા વર્ષે બીજી ગુજરાતી પત્રકાર પરિષદના સ્વાગત મંડળના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. તેમજ સન ૧૯૨૦ માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં મળેલી તેનું સ્વાગત કરવાનું માન પણ એમને મળેલું. | ગુજરાતમાં જ નહિ પણ અખિલ ભારતવર્ષમાં એક પ્રતિષ્ઠિત તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે તેમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે; અને એથી જ સન ૧૯૨૮ માં મદ્રાસમાં મળેલી ચોથી ફિલોસોફિકલ કોગ્રેસના તેમને પ્રમુખ નિમવામાં આવ્યા હતા અને તે આગમચ બનારસમાં મળેલી બીજી ફિલોસોફિકલ કોગ્રેસના ઈન્ડિયન સેકશનના તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ચુંટાયા હતા. તેઓ હિન્દુસ્થાનની સર્વ યુનિવર્સિટીના મંડળના (ઇન્ટર યુનિવર્સિટી બોર્ડના) આ વર્ષે ચેરમેન નીમાયા છે.
ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં તેઓ ઉંચું સ્થાન લેંગવે છે અને તેમના લખેલા ગ્રંથે અને લેખો અનેક છે.
એમના ગ્રંથની યાદી: શ્રીભાષ્ય ભા. ૧, ૨
સન ૧૯૧૩ ધર્મવર્ણન
૧૯૧૩ નીતિશિક્ષણ
૧૯૧૪ આપણો ધર્મ
૧૯૧૬ હિન્દુ ધર્મની બાળપોથી
૧૯૧૮ હિન્દુ વેદધર્મ
ક ૧૯૧૯
Page #80
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અબાલાલ બાલકૃષ્ણુ પુરાણી [ બી. એ., ]
એએ જ્ઞાતિએ ભટ્ટમેવાડા બ્રાહ્મણ છે. એમનું મૂળ વતન ભરૂચ; પણ જન્મ સુરતમાં સં. ૧૯૫૦ માં થયેા હતા. એમના પિતાનું નામ ખાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને માતાનું નામ જડાવ મ્હેન નૌતમરામ જોશી, જેમનું પિયર સુરતમાં હતું. એટલે સુરતમાંથી શિક્ષણની શરૂઆત કરેલી, પણ પ્રાથમિક કેળવણી ભરૂચમાં લીધેલી. પાંચ ઈંગ્રેજીના ધેારણ વડાદરામાં ખાનગી ઘેર શિખેલા, પછી વડેાદરા શયાજી હાઈસ્કુલમાં દાખલ થયલા અને સન ૧૯૦૯ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી હતી. પ્રિવિયસ અને ઇન્ટરનેા અભ્યાસ વડાદરા કાલેજમાં કર્યાં હતા; ખી. એ., માટે તેએ મુંબાઇ સેન્ટ ઝેવીઅસ કાલેજમાં ગયા હતા. સન ૧૯૧૩ માં તેમણે ખી. એ. (આનસ) ની પરીક્ષા પ્રીઝીકસ અને કેમીસ્ટ્રી ( પદા વિજ્ઞાન અને ૨ સાયનશાસ્ત્ર ) ઐચ્છિક વિષષ લઇને પાસ કરી હતી. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, એ એમના પ્રિય વિષયેા છે.
અભ્યાસ પૂરા થયા પછી તેએ લેખન વાચન અને જનસેવાના કાય માં ગુંથાયલા રહ્યા છે. સન ૧૯૨૩ થી તે તેઓ બીજી બહેર પ્રવૃત્તિઓ છેડી દઈ પાંડીચેરીમાં શ્રીયુત અરવિંદ ઘેષના આશ્રમમાં યોગસાધના માટે જોડાયા છે. એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૧૭ માં પ્રકટ થયું હતું; અને તે ખારોસલના જાણીતા દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના ‘ભક્તિયેાગ” નામક બંગાળી પુસ્તકને અનુવાદ છે. તે પછી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય માટે તેમણે ટાગેારના સંસ્મરણાનું પુસ્તક લખી આપ્યું હતું. શ્રીયુત અરવિંદ ઘેષે પાંડીચેરીમાં જઇ વસ્યા પછી આય” માસિક કાઢેલું, તેના પદ્ધતિસર અને નિયમિત રીતે અભ્યાસ કરીને, એમાં પ્રસિદ્ધ થયેલા લેખા અને ગ્રંથાને લાભ એએ ગુજરાતી જનતાને આપતા રહ્યા છે, એ એમની મેટામાં માટી અને ઉત્કૃષ્ટ સેવા છે. તે સિવાય મા. પેાલ રીશારના To the Nations-જગતની પ્રજાઓને લગતા પ્રાત્સાહક નિબંધ ગુજરાતીમાં ઉતાર્યાં છે; અને ટાગારનું ‘સાવના’તું પુસ્તક, જેને અનુવાદ એમણે કરેલેા છે તે હાલમાં મુકસેલર સાકરલાલ બુલાખીદાસ તરફથી છપાય છે. એમનાં લેખા, અવારનવાર જૂદા જૂદા માસિકામાં પ્રસિદ્ધ થાય છે, તે જો એકત્રિત કરી, સંગ્રહ રૂપે બહાર પડે તે તે એક માટું દળદાર પુસ્તક થઈ પડે.
પણ એ બધામાં ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિનું મંડાણ એમના મેટા
૧૨
Page #81
--------------------------------------------------------------------------
________________
અંબાલાલ બાલકૃષ્ણ પુરાણું [બી. એ.]
ભાઈ છોટુભાઈ સાથે એમણે કરેલું, એ કાર્ય કદી વિસરાશે નહિ; અને એ પ્રવૃત્તિનાં મૂળ એટલા ઉંડા નંખાયાં હતાં કે તેમણે ગુજરાત છોડે લગભગ દશ વર્ષ થવા આવ્યાં છે છતાં, એ પ્રવૃત્તિ જીવંત અને પગભર રહેલી છે. એ એમની વ્યવસ્થા શક્તિનું ઉંચું પ્રમાણપત્ર છે.
એમના પુસ્તકોની યાદી ૧ ભક્તિયોગ
સં. ૧૯૭૪ [અશ્વિનીકુમાર દત્તના પુસ્તકને અનુવાદ] ૨ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણે સં. ૧૯૭૪ ૩ ગીતા-નિષ્કર્ષ [ અનુવાદ ]
સં. ૧૯૭૮ ૪ પૂર્ણયોગ ખંડ ૧ લો [કમયોગ] સન ૧૯૨૨ ૫ , ખંડ ૨ જે [જ્ઞાનયોગ] સન ૧૯૨૨ ૬ એગિક સાધન [બે આવૃત્તિઓ સં. ૧૯૮૦ ૭ સૂત્રાવલી [અનુવાદ]
સં. ૧૯૮૨ ૮ પૂર્ણયોગ ખંડ જ છે [આત્મસિદ્ધિ) સન ૧૯૨૬ -૯ “મા” [અનુવાદ]
સને ૧૯૨૮ ૧૦ ગીતા-મર્મ
સન ૧૯૨૮ ૧૧ સાધના [છપાય છે, અનુવાદ] સન ૧૯૩૦
૧૩
Page #82
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અંબાલાલ બુલાખીરામ જાની (ખી, એ., )
એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમના જન્મ નડિયાદમાં આસા સુદ ૧૫ ને સેામવારના રાજ સ. ૧૯૩૬ માં તા. ૧૮ મી ઓકટોબર ૧૮૮૦ ના રાજ થયા હતા. એમના પિતાનું પૂરૂં નામ બુલાખીરામ મનસુખરામ જાની અને માતાનું નામ ધનલક્ષ્મી (પિતા) મણિરામ પંડયા હતું. એમનું વતનસ્થાન નડિયાદ છે. ગુજરાતી સાત ધારણાને અભ્યાસ નડિયાદમાં કરેલા. હાઇસ્કુલનું શિક્ષણ નડિયાદ અને અમદાવાદમાં અને કાલેજ કેળવણી મુંબાઇ અને જુનાગઢમાં લઈ, બી. એ., ની પરીક્ષા સન ૧૯૦૭માં ફ્રીઝીકસ અને કેમીસ્ટ્રીના ઐચ્છિક વિષય સાથે પસાર કરી હતી. સા. શ્રી. ગેાવનરામ ત્રિપાઠી મરણ પામતાં વિજ્ઞાનનું ક્ષેત્ર છેાડી તેમને માસ્તરની લાઇનમાં પડવું પડયું. શરૂઆતમાં (૧૯૦૭) માં તે પન્નાલાલ હાઇસ્કુલમાં સાયન્સુ અને ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયલા; પણ ૧૯૦૯ ના એપ્રિલથી જાણીતા ગુજરાતી'' પત્રના સહતંત્રી તરીકે એમની નિમણુંક થતાં, તે જગાપર અદ્યાપિ કામ કરે છે. ત્રિમાસિક “સમાલેાચક''ના તંત્રી ખાતામાં કામ કર્યું અને ૧૯૧૪ માં તેમના સહ તંત્રીત્વ હેઠળ “સમાલેાચક” માસિક થયું હતું. ૧૯૧૪-૨૧ સુધી તેના સહતંત્રી હતા. એટલે કે એમનું આખુંય જીવન પત્રકારિત્વમાં ગયું છે. પત્રકારિત્વનું જીવન સખ્ત, શ્રમવાળુ અને વ્યવસાયી હાવા છતાં, અવકાશને સમય એમણે સાહિત્યના અભ્યાસ અને લેખન વાચનમાં ગાળેલા છે. એમના પ્રિય વિષયેા પ્રાચીન ગુજરાતી સાહિત્ય, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને વેદાંત પ્રથા છે.
સન ૧૯૦૭ માં તેમણે અખાભક્ત અને તેની કવિતા એ શિષ કવાળા એક લેખ લખ્યા હતા.
એમનાં લેખા અને ગ્રંથાની યાદી નીચે નોંધી છે તે પરથી જોઇ શકાશે કે એમની પ્રવૃત્તિ કેટલી વિવિધ છે. વળી તેએ! શ્રી॰ ફ્રાસ સભાના આસિ. સેક્રેટરી તરીકે પણ કેટલુંક ઉપયેાગી કાર્ય કરી રહ્યા છે. ફ્રાંસ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિના બે ભાગ એમણેજ તૈયાર કર્યાં છે, જે પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસ કરનાર માટે ખરેજ બહુ કિંમતી છે. પરિષદ ભંડાળકમિટી માટે એમણે કવિ સામળકૃત સિંહાસન, બત્રીસી તેમજ ગુ. વ. સેાસાઇટી માટે સુભદ્રાહરણ અને હરિલીલા
૧૪
Page #83
--------------------------------------------------------------------------
________________
અંબાલાલ બુલાખીરામ જાની (બી. એ)
ષોડશકલાના કાવ્યગ્રંથ એડિટ કરી આપેલા છે, તે એમના પ્રાચીન કાવ્ય સાહિત્ય પ્રતિના અનુરાગની પ્રતીતિ કરાવે છે.
તેઓ શ્રીમન્નસિંહાચાર્યએ સ્થાપેલા શ્રી શ્રેયસ્ સાધક અધિકારી વર્ગના અધિકારી ૧૯૦૭ થી છે; અને શુદ્ધ તેમજ ચુસ્ત સનાતની છે.
એમના લેખે અને ગ્રંથની યાદી ૧ અભક્ત અને તેની કવિતા (નિબંધ) સન ૧૯૦૭ ૨ ધાર્મિક આખ્યાનની ઉત્પત્તિને નિબંધ સન ૧૯૦૮ તથા નાકરચરિત
સન ૧૯૧૩ ૩ સુદામાચરિત (વિવેચન) *
સને ૧૯૦૯-૧૦ [નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ–તુલનાત્મક નિબંધ) ૪ પ્રેમાનંદના નાટકે (સંભવાસંભવને
વિચાર એક વિવેચન) સન ૧૯૧૪ ૫ મહાકવિ પ્રેમાનંદના
સન ૧૯૧૯ (પ્રથમાવૃત્તિ) સુભદ્રાહરણનું સંશોધન તથા
ઊપઘાત–ટીકા સાથે૬ હરિવંશનું ગુજરાતી ભાષાંતર ભાગ ૧ લે સન ૧૯૨૦-૧૯૨૫
,, ભાગ ૨ જે સન ૧૯૨૪, ૧૯૨૫ ૭ સિંહાસન બત્રિશી (શામળકૃત)ભાગ ૧ લો સન ૧૯૨૪
' , ભાગ ૨ જે , ૮ ભેજ અને કાલિદાસ
સન ૧૯૧૮ ૯ હિતોપદેશ (મૂળ અને ટીપ્પણ સહિત
ભાષાંતર) સન ૧૯૨૬ ૧૦ હરિલીલા ષોડશકલા (ભીમ કવિકૃત) ભા. ૧ સન ૧૯૨૮
, , [ટીકા] ભા. ૨ જે સન ૧૯૨૯ , , ને ઊપઘાત
૧૯૩૦ ૧૧ હસ્તલિખિત પુસ્તક સવિસ્તર નામાવલિ ભા. ૧ લો સન ૧૯૨૩
, ભા. ૨ જે સન ૧૯૨૯ સંક્ષિપ્ત નામાવલિ કેટલેંગ સન ૧૯૨૯
Page #84
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
કલ્યાણરાય નથુભાઈ જોષી (બી. એ.)
એઓ બેટ-દ્વારકાંના વતની છે. એમને જન્મ ઓખામંડળના બેટ શંખકારમાં તા. ૧૨ મી જુલાઈ ૧૮૮૫ ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ ઓધવજી અને માતાનું નામ દિવાળીબા છે. એ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના છે.
એમણે માર્મિક શાળાના ઉપરના બે ધારણોનું અને ઉંચું શિક્ષણ બધું મુંબાઈમાં જ લીધું હતું. સન ૧૯૦૪ માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા, વિજ્ઞાનમાં ઉપલે નંબરે આવી પસાર કરી હતી અને તે બદલ એમને ઉત્તમરામ મેમોરિયલ કેલરશીપ મળી હતી. તે પછી ચાર વર્ષ એમણે એલ્ફીન્સટન કૅલેજમાં અભ્યાસ કર્યો હત; અને સન ૧૯૦૮ માં બી. એ, ની પરીક્ષા વિજ્ઞાનના ઐચ્છિક વિષય સાથે, બીજા વર્ગમાં પાસ કરી હતી. વળી કાંગા પ્રાઇઝ અને કૅલેજ સ્કેલરશીપ મેળવ્યાં હતાં.
તે પછી એઓ વડોદરા રાજયની નોકરીમાં જોડાયા અને અત્યારે તેઓ પાટણની હાઈસ્કુલમાં હેડમાસ્તર છે. એમના પ્રિય વિષય વિજ્ઞાન અને પુરાતત્ત્વ છે. એઓ વડેદરા હતા તે અરસામાં જાણીતું
કેળવણ' માસિક બંધ પડવાની તૈયારીમાં હતું તેની જવાબદારી અને તંત્રીપદ એમણે સ્વીકારી, સન ૧૯૧૬ થી ૧૯૨૦ સુધી તે સફળતા પૂર્વક ચલાવ્યું હતું. સન ૧૯૧૨ માં વાચનમાળામાંના વિજ્ઞાનના પાઠ શિખવવામાં મદદગાર થાય એવી માર્ગોપદેશિકાના ત્રણ ખંડ બહાર પાડ્યા હતા. એક લેખક તરીકે એમને હિસ્સો ગુજરાતી સાહિત્યમાં ઘેડે નથી, તે એમના ગ્રંથની સૂચિ છેવટે નોંધી છે, તે પરથી ઝટ ખ્યાલમાં આવશે.
નોકરીના અંગે જ્યાં જ્યાં એમનું જવાનું થાય છે, ત્યાં ત્યાં એઓ જન સેવા અને કેળવણી પ્રચારના કાર્યમાં આગળ પડતો ભાગ લે છે અને ત્યાંની પ્રવૃત્તિ વ્યવસ્થિત અને નિયમિત કરવાનો પ્રયત્ન કરે છે, એ એમની વડોદરામાંની, દ્વારિકામાંની અને પાટણમાંની પ્રવૃત્તિ પરથી જોઈ શકાશે.
વળી એમની નજર નીચે વડોદરા રાજય તરફથી ઓખામંડળમાં ઐતિહાસિક ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, અને તે હજુ જારી છે. તેમાંથી સ્કંદગુપ્ત પૂર્વેનાં અવશેષો મળી આવેલાં છે; પણ ચોક્કસ પરિણામ પર, તે કાર્ય પૂરું થયે, આવી શકાય. અત્યારે માત્ર તક જ કરવો રહ્યો.
એમના લખેલાં અંશે એક છે અને તે એક જ ક્ષેત્રમાં નહિ, પણ
Page #85
--------------------------------------------------------------------------
________________
કલ્યાણરાય નથુભાઇ બેષી
વિવિધ વિષયેા પર છે; તે એમની કાયશકિત, મુદ્ધિ અને જ્ઞાન કેટલાં વિકસેલાં છે, તેનું ભાન કરાવે છે.
એમના ગ્રંથાની યાદી:
વાચનમાળાના વિજ્ઞાનના પાઠે શિખવવાની માર્ગદર્શિકા-પ્રથમ ખંડ
–દ્વિતીય ખંડ
—તૃતીય ખંડ
29
,,
,,
હિંદુસ્તાનનું ભૂગાળ શાસ્ત્ર દેશ દેશની રસમય વાતા દેશ દેશની માર્મિક વાતા સજીવ અને નિર્જીવ સૃષ્ટિ ભા. ૧
ભા. ૨
ઇન્દ્રિય વિજ્ઞાન અને સૃષ્ટિશાસ્ત્ર માનવ દેહ ધમ વિદ્યા–આરેાગ્યવિજ્ઞાન વિજ્ઞાનની વાતે
સૃષ્ટિની ઉત્પત્તિ
આરેાગ્ય વિજ્ઞાનની વાતા
ભૂપૃષ્ટ વિચાર
રાષ્ટ્રીય પડધા સ્નેહગીતા
શરીરના સંચા
સ્નેહ જયેાત ( સ્નેહ ગીતાને ખીજો ભાગ )
સમાજ શાસ્ત્ર પ્રવેશિકા
એશિયાની એળખાણુ ભા. ૧ લે
ભા. ૨ જો
ભા. ૧
ભા. ૨
99
પાણીના પરાક્રમ
99
ઈંગ્લિાંડનું વહાણવટું હરિલાલ દેસાઈના સંસ્મરણા સૃષ્ટિની ખાલ્યાવસ્થા આર્યોંની ઓળખાણ
૩
૧૭
સન ૧૯૧૧-૧૨
સન ૧૯૧૨
સન ૧૯૧૩
૧૯૧૪
29
:9
,,
,, '
27
97
,,
,,
..
""
19
ܐܕ
,,
22
99
29
29
,,
22
99
.
99
,,
,,
૧૯૧૪
27
77
૧૯૧૫
૧૯૧૬
૧૯૧૭
૧૯૧૭
46
39
૧૯૧૯
39
૧૯૨૦
92
૧૯૨૨
૧૯૨૩
૧૯૨૫
"
૧૯૨૬
૧૯૨૮
૧૯૨૮
૧૯૨૯
Page #86
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથકાર ચરિત્રાવળી '
કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા
એઓ વાંઝ, તાલુકે ચોર્યાસી, સુરત જીલ્લાના વતની છે. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર છે. એમના પિતાનું પૂરું નામ વિઠ્ઠલભાઈ ખુશાલભાઈ અને માતાનું નામ ધનીબહેન દુર્લભભાઈ પટેલ છે. એમનો જન્મ તા. ૭ મી નવેમ્બર ૧૮૯૦ ના રોજ વાંઝમાં થયો હતો. સાત ધોરણ શિખ્યા પછી છે. રા. ટ્રેનિંગ કૉલેજમાં ત્રણ વર્ષ પૂરાં કરેલાં; અને પાછળથી તેમણે થોડુંક અંગ્રેજી તેમજ હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓનું વસ્તુઓ છું જ્ઞાન સંપાદન કરેલું છે.
એમને પ્રિય વિષય ઇતિહાસ અને અર્થશાસ્ત્ર છે. એમનું જીવનસૂત્ર જનસેવા છે. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી છે અને સુરત જીલ્લામાં એક અગ્રેસર કાર્યકર્તા છે.
સ્વ. રણજીતરામને પરિચય અને સહવાસમાં તેઓ આવેલા અને એમના ગાઢ મિત્ર થઈ પડેલા. ગોપ–કાવ્યનું પુસ્તકPastoral poems પ્રકટ કરેલું, તે રણજીતરામની સૂચનાથી; અને તેનો ઉપોદઘાત પણ રણજીતરામે જ લખી આપેલો.
સુરતમાં પાટીદાર બોર્ડિંગ સ્થાપવામાં તેમને મુખ્ય હાથ હતે. “ પટેલ બંધુ ” માસિક પણ એમના તંત્રીપદ નિકળતું; અને એક કોમી પત્ર હોવા છતાં તેમાં પ્રસિદ્ધ થતા લેખો, કાવ્યો વગેરે આનંદદાયક જણાઈ અન્ય વાચકને તે વાંચવાને આકર્ષતા.
વળી સાહિત્ય અને લેખનકાર્ય માટે એમને એવું મમત્વ હતું કે એ માટે તેઓ કેટલોક સમય અમદાવાદ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાઈ, એ સંસ્થાને સાત આઠ પુસ્તક લખી આપેલાં હતાં, જેની યાદી છેવટે મેંધી છે. સુરત સાહિત્ય પરિષદ વખતે પણ એમણે તે કાર્યમાં ઉત્સાહભર્યો ભાગ લીધો હતો.
એમના હસ્તક ચાલતી પાટીદાર બોર્ડિંગ સમાજસેવા પ્રવૃત્તિનું એક મધ્યસ્થ કેન્દ્ર થઈ પડેલી છે.
મહાત્માજીએ દેશનું સુકાન હાથ ધર્યા પછી, ઉપર ઉલ્લેખ કર્યા મુજબ તેઓ એમના માનીતા અનુયાયી થઈ પડ્યા છે. સન ૧૯૧૯માં અસહકાર વખતે તેમણે મુખ્ય ભાગ લીધેલ અને રાષ્ટ્રીય શાળાઓ માટે કેટલાંક પુસ્તક પણુ રચી આપ્યાં હતાં. ખરી રીતે કલ્યાણજી અને દયાળજીની જેડી સુરત
Page #87
--------------------------------------------------------------------------
________________
કલ્યાણભાઇ વિઠ્ઠલભાઇ મહેતા
જીલ્લાના કાય કત્તાએમાં અદ્વિતીય ગણાય છે; અને એ રાષ્ટ્રીય લડતના કાર્યમાં એમને કારાવાસની છ માસની સજા પણ થયલી, અને તે જેલ અનુભવ, પ્રથમ એમના ‘નવયુગ’ અઠવાડિકમાં અને પછીથી ‘ગાંડિવ’માં સવિસ્તર છપાયા છે. અત્યારે તેએ દેશમાં રાષ્ટ્રીય ચળવળ માટું માજી કરી રહ્યું છે, તેની ટાચ પર પાતે ઉભેલા છે.
એમના ગ્રંથાની યાદી:
બાલ–પ્રાર્થના ( કાવ્યેામાંથી ચૂંટણી ) ગાપકાવ્યા (સ્વ. રણજીતરામની પ્રસ્તાવના સાથે ) ટુંકી વાર્તાઓ ભા. ૩ જે.
ગુરુ નાનક
ગુરુ ગાવિંદસિંહ ( હિન્દીને અનુવાદ ) જન જાસૂસતી આત્મકથા (હિન્દીને અનુવાદ ) ફ઼િદ્વિપમાં ૨૧ વર્ષ ( હિન્દીના અનુવાદ )
( બંગાળાના અનુવાદ )
લાક રહસ્ય કમળાકાન્તનું દફ્તર, પત્રા અને જુખાની. (,, દેશકી ન (સત્યાગ્રહ ગીતા ) હૃદયમંથન ( શ્રી॰ મુનશીની પ્રસ્તાવના સાથે) દોલત કાકા અથવા ક ંજુસની ક`કથા (હિન્દીનું ભાષાંતર) સ્વરાજ્ય કી ન ( કાવ્યેાની ચૂંટણી ) બાળવાડી ભા. ૧, ૨, ૩, ( રાષ્ટ્રીય શાળા માટે) ગુજરાતનું નૂર ( દરખાર શ્રી ગાપાળદાસનું ચરિત્ર. ) ( કાકા કાલેલકરની પ્રસ્તાવના સાથે ) વિજયનગરનું હિન્દુ સામ્રાજ્ય (ઈંગ્રેજીના અનુવાદ ) ( બંગાળી વ્યાખ્યાનનું ભાષાંતર )
પ્રેમ
૧૯
,)
સન ૧૯૧૪
,,
39
22
.
"7
..
,,
....
"2
99
22
22
,,
25
29
29
""
૧૯૧૫
36
27
૧૯૧૬ .
29
૧૯૧૭
29
૧૯૧૯
99
૧૯૨૦
૧૯૨૧
""
૧૯૨૨
૧૯૨૪
૧૯૨૫
Page #88
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
કાન્તિલાલ છગનલાલ પંડયા. [એમ. એ; પીએચ.વ.]
જ્ઞાતિએ એઓ વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ સન ૧૮૮૬ માં તા. ૨૪ મી ઓગસ્ટે નડિયાદમાં થયો હતો. એમના માતા અ. સૌ. સમર્થલમી, ગોવર્ધનરામનાં હાનાં હેન, જેમને “સરસ્વતીચન્દ્ર”ના ત્રીજા ભાગની આરંભની “નિવાપાંજલિ” અર્પિત થઈ છે. એમના પિતા શ્રીયુત છગનલાલ હરિલાલ પંડયા એક જાણીતા ગુજરાતી સાક્ષર છે અને એમની સંસ્કારિતા અને ગુણજ્ઞતા એમનામાં પણ ઉતરી આવેલી છે. તેમનાં લગ્ન પણ તેવાજ બીજા એક સંસ્કારી કુટુંબમાં સ્વ. તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીના જ્યેષ્ઠ પુત્રી સૌ. ઉમાંગલક્ષ્મી સાથે થયું હતું, જે લગ્ન એમના જીવનની સુખવૃદ્ધિ અને ઉન્નતિ સાધવામાં બહુ મદદગાર થઈ પડયું હતું. ખેદ એ થાય છે કે એ બહેન લાંબુ જીવ્યા નહિ અને સન. ૧૯૨૬ ના જાન્યુવારીમાં એમનું અવસાન થયું. સન ૧૯૦૭માં તેમણે બી.એ; ની અને સન ૧૯૧૦ માં એમ.એ; ની પરીક્ષાઓ પાસ કરી હતી. વિજ્ઞાનનેખાસ કરીને રસાયનનો અભ્યાસ-મુંબાઈમાં છે. ગજજરની લેબોરેટરીમાં અને કેટલોક સમય બેંગલોરમાં આવેલા તાતાએ સ્થાપેલા “ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑવ સાયન્સ” માં કર્યો હતો. તે પછી સન ૧૯૧૩ માં તેઓ આગ્રાની સેન્ટ જોન્સ કૉલેજમાં રસાયનશાસ્ત્રના અધ્યાપક નિમાયા હતાં; અને હાલમાં ત્યાં જ કામ કરે છે. વચ્ચે (સન ૧૯૨૦–૨૩) ડાંક વર્ષ ઈગ્લાંડ જઈ ડોકટોરેટની ડીગ્રી લઈ આવેલા; અને યુરોપ અમેરિકાદિ દેશમાં વધુ જ્ઞાન અર્થે પ્રવાસ કરેલો, જેને રસિક અહેવાલ એમણે પોતે “સમાલોચક” માસિકમાં પત્ર દ્વારા આપેલ છે. સન ૧૯૨૪ માં સાતમી ગુ. સાહિત્ય પરિષદ ભાવનગરમાં મળેલી ત્યારે તેઓ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ નિમાયા હતા. અત્યારે ગુજરાતીઓમાં વિજ્ઞાનના વિષયમાં રસપૂર્વક અગ્ર ભાગ લેતા એમના જેવા જૂજ મળી આવશે. ખાસ ખુશી થવા જેવું એ છે કે તેઓ આગ્રા યુનિવરસિટિના ધી ફેકલ્ટી ઓફ સાયન્સના ડિન નિમાયેલા છે તેમજ હિન્દી યુનિવરસીટી બનારસના સાયન્સ ફેકલ્ટીના એક સભ્ય છે. | ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય ઉભું કરવાને તેઓ તીવ ઉત્કંઠા ધરાવે છે અને તક મળે, એક પણ પ્રસંગ, એક વા બીજા માસિકમાં કે વર્તમાનપત્રમાં વિજ્ઞાન વિષે કંઇને કંઈ ઉપયોગી કે જાણવા જેવી માહિતી આપ
२०
Page #89
--------------------------------------------------------------------------
________________
કાંતિલાલ છગનલાલ પંડ્યા.
વાનું ચૂકતા નથી. દુર પ્રાંતમાં વસવા છતાં, ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિથી પૂરતા વાકેફ રહેવા તેઓ પ્રયત્ન કરે છે, એ તે પ્રતિ એમને તીવ્ર અનુરાગ દાખવે છે.
સ્વ. ગોવર્ધનરામનું જીવનચરિત્ર આલેખી, ગુજરાતી સાહિત્યમાં એક લેખક તરીકે તેમણે સારી કીર્તિ સંપાદન કરી હતી. માસિકમાં એમના લેખ, ઉપર લખ્યું તેમ અવારનવાર પ્રસિદ્ધ થતાં જ રહે છે; અને તેને જે સંગ્રહ કરવામાં આવે તો બે ત્રણ વૅલ્યુમ થાય એટલું લખાણ મળી આવે.
એમના ગ્રંથની યાદી: ગોવર્ધનરામનું જીવન ચરિત્ર.
સન ૧૯૧૦.
Page #90
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
કેશવપ્રસાદ છેોટાલાલ દેસાઇ, (બી. એ. એલએલ. બી.,)
એએ જાતે બ્રહ્મક્ષત્રિય છે અને એમના વડીલેા મૂળ વતની નડિયાદ પાસે આવેલા ગામ અલીણાના છે. એમના જન્મ તા. ૨૦ મી નવેમ્બર ૧૮૮૮ ના રાજ અમદાવાદમાં થયેા હતે. એમના પિતાનું નામ ડા. છેટાલાલ હરિલાલ દેસાઇ અને માતાનું નામ ઈશ્વરી છે. એએ ખાર વર્ષની ઉંમરના હતા તે વખતે એમના પિતાનું અકાળ અવસાન થયું હતું; એટલે એમની કેળવણીને ભાર એમના માતા પર આવી પડયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ નં. ૧ માં એમણે પ્રાથમિક શિક્ષણ મેળવેલું. સન ૧૯૦૫ માં મેટ્રિકની પરીક્ષા અમદાવાદ સરકારી હાઇસ્કુલમાંથી ( હાલની રણછેાડલાલ છેોટાલાલ હાઇસ્કુલ) પાસ કરેલી અને સન ૧૯૦૯-૧૦ માં બી. એ., ની ડીગ્રી, ગુજરાત કૅલેજમાંથી ઇતિહાસને ઐચ્છિક વિષય લઇને મેળવી હતી. તે પછી સન ૧૯૧૧-૧૨ માં એએએલએલ. મી. થયા હતા. ત્યારથી એમણે સાહિત્યમાં અને જાહેરજીવનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ એક વ અમદાવાદમાં ગાળ્યા પછી, તેએ મુંબઈમાં જઈ વસ્યા. અને ક્રમે કરીને ઇંડસ્ટ્રીઅલ અને પ્રુડેનશીઅલ જીંદગીના વીમાની દેશી કંપનીના મેનેજર થયા છે; તેમ છતાં સાહિત્ય અને સેવાકાય પ્રતિને એમને અનુરાગ પૂર્વવત્ ચાલુ રહ્યા છે. છેલ્લાં સેાળ વર્ષથી એમનું જ્ઞાતિનું ‘ બ્રહ્મક્ષત્રિય ’ ત્રિમાસિક'' તેઓ નિયમિત રીતે ચલાવે છે; વળી જીનાં અને જાણીતાં “સ્ત્રીમેાધ” માસિકનું તંત્ર એમના હાથમાં ૧૯૨૦ ની સાલથી આવ્યું. તે પછી સ્ત્રીએાધ”માં પણ સુધારાવધારા થવા પામ્યા છે. એક સારા સ્ત્રી માસિક તરીકે તેની ગણના થયલી છે અને તેની પ્રતિષ્ઠા જામેલી છે, તે માટે અંશે એમના પ્રયાસને જ આભારી છે.
આ બધા વ્યવસાય સાથે તેએ સ્ત્રીજીવનના વિકાસ અને પ્રગતિ સાધવાના કાર્ય માં, સહકારી હિલચાલના પ્રચાર વધારવામાં, તેમ સમાજ સુધારણાની અને સાહિત્યની પ્રવૃત્તિમાં તેઓ એકસરખા રસ લે છે અને તેમાં પેાતાના ફાળા યથાશક્તિ આપે જાય છે, એ ખુશી થવા જેવું છે. એમના પ્રથમ લેખ સન ૧૯૧૬ માં લખાયલા. તે અરસામાં તેમણે Public Library નામના એક અમેરિકન ગ્રંથને અનુવાદ કરેલા, તે પ્રથમ કટકે કટકે ‘બુદ્ધિપ્રકાશ' માં અને ખીજા માસિકામાં છપાયલેા અને પાછળથી ‘ પુસ્તકાલય’ એ નામે એક સ્વત ંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે.ગુજરાતી ભાષામાં ‘પુસ્તકાલય”
રર
Page #91
--------------------------------------------------------------------------
________________
કેશવપ્રસાદ છેટાલાલ દેસાઇ,
te
વિષે એ એકજ પુસ્તક છે. સામળભટ્ટની સિંહાસન બત્રીસીના વાચકેાને પરિચય કરાવવા, લેમ્પસ કૃત શેક્સપીઅર કથાની પેઠે, ગદ્યમાં સાર, પ્રથમ ‘સ્ત્રીખાધ’ માટે તૈયાર કરેલા, તે પછીથી ગુ. વ. સાસાઇટીએ એ ભાગમાં છપાળ્યેા છે. એમનું પુસ્તક ગૃહજીવનની સુંદરતા ’' ની ત્રણ આવૃત્તિએ થઇ ચૂકી છે, એ તેની લાકપ્રિયતા સૂચવે છે. તે લેાકપ્રિય થઈ પડવાનું એક કારણું એમની સરલ, ઘરગથ્થુ લેખનશૈલી છે અને ખીજું ગમે તેવા ગૂઢ અને કઠિન વિચારે ઝટ અને સ્પષ્ટ સમજી શકાય એવી રીતે દર્શાવવામાં તે વિષયપરના કાણુની સાથે એમનું બુદ્ધિકૌશલ્ય મદદગાર થાય છે અને તે ધારી અસર ઉપજાવી શકે છે. તેઓ એક અસરકારક ( effective) લેખકની સાથે સારા વક્તા પણ છે.
“ બાળસાહિત્ય ના વિકાસમાં તેઓ ખૂબ રસ લે છે. તેથી તેમણે “સ્ત્રીખાધ’’ સાથે “બાળક” વિભાગ જોડીને ખાળકા માટે માસિક વાંચન આપવા માંડયું છે.
એમના ગ્રંથાની યાદીઃ
પુસ્તકાલય મારી વીસ વાતા
39
રાજ્યનીતિને સંક્ષિપ્ત ઇતિહાસ
( ભાષાંતર )
( ભાષાંતર )
ગૃહજીવનની સુંદરતા સિંહાસન બત્રીસીની વાતા ભા. ૧-૨. (પદ્મમાંથી ગદ્ય.) સહકાર પ્રવેશિકા
( ભાષાંતર )
66
99
આ ઉપરાંત · પુનટના અને સહકારી તત્ત્વ લખેલી પત્રિકાઓ પણ છપાઈ પ્રસિદ્ધ થઇ છે.
""
સ્ત્રીએ અને મતાધિકાર “ ધર્મ
::
ગ્રામ પુનટના
૩
સન ૧૯૧૬
૧૯૧૯
૧૯૨૦
૧૯૨૩
૧૯૨૬
૧૯૨૮
29
22
,,
29
29
અને નીત્યજીવન’
..
વગેરે તેમની
Page #92
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
-
=
કેશવલાલ હરગોવિંદદાસ શેઠ
એઓ જ્ઞાતિએ ખડાયતા વણિક છે. એમને જન્મ ખેડા જીલ્લામાં ઉમરેઠ ગામમાં સંવત ૧૯૪૫ ના કાતિક વદ બીજના દિવસે થયો હતે. એમના પિતાનું નામ હરગોવિંદદાસ દ્વારકાદાસ શેઠ અને માતાનું નામ નાથીબહેન છે. એમનું મૂળ વતન ઉમરેઠ છે. ત્યાંની યુબિલિ હાઈસ્કૂલમાં છ ધોરણ સુધી એમણે અભ્યાસ કર્યો હતો. પછી તેઓ અમદાવાદમાં આવી વસ્યા હતા. અહિં તેમણે ઈગ્રેજી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓને ખાનગી રીતે અભ્યાસ કરવાનું જારી રાખી, આજીવિકા અર્થે સ્વતંત્ર માલ્કિીનું ખડાયતા મુદ્રણકલા મંદિર ખોલ્યું છે. એમના પ્રિય વિષયો લૈંજિક અને તત્ત્વજ્ઞાન છે; પણ જે વિષયને તેઓ છેડે છે તેને એમની કલમ તેજસ્વી કરી મૂકે છે. શરૂઆતમાં તેઓ અહિંના અઠવાડિક પત્ર “ગુજરાતીપંચ” અને “પ્રજાબંધુ' માં લેખક તરીકે રહ્યા હતા, પરંતુ એમના સ્વતંત્રતાપ્રિય સ્વભાવને કેટલાક અંકુશ ન રૂચ્યા એટલે અંતે એમણે એક જાદુ માલિકીનું છાપખાનું કાઢી, જ્ઞાતિમાસિકનું તંત્રીપદ હાથમાં લીધું. તેમજ બીજી અનેક રીતે સાહિત્યમાં પિતાને હિસ્સો આપવા તેમજ સાહિત્ય પ્રકાશનના કાર્યને આગળ વધારવા તેઓ સારા યત્નો કરી રહ્યા છે.
પ્રજાબંધુ' પત્રમાં હતા ત્યારે એમણે તે પત્ર માટે બે ભેટનાં પુસ્તક કાસ્ટેન્ટિનેપલની કથા” અને “શંભાજીનું રાજ્યારોહણું લખી આપ્યાં હતાં; અને તે અનુવાદગ્રંથે હોવા છતાં લેખકનું વ્યક્તિત્વ તેમાં દેખા દેતું હતું. પણ એ બધા કરતાં એક કવિ તરીકે એમનું નામ સારા ગુજરાતમાં જાણતું થયેલું છે. એમને એ રસપ્રવાહ, આપણે ખુશી થવા જેવું છે કે, સતત વહેતે, વેગભર વહેતો રહ્યા છે. છેલ્લાં દશ વર્ષમાં એમણે સ્વદેશ ગીતાવલિ' “સ્નેહ સંગીત “પ્રભુચરણે,' “રાસ' “અંજલિ અને રાસ મંજરી,' વગેરે પુસ્તકે ગુજરાતી પ્રજાને ભેટ ધર્યા છે; અને ગુજરાતી રસિક વાચકવર્ગે પણ તેને એટલાજ ઉલટથી સત્કાર કર્યો છે.
વળી એમની જ્ઞાતિ સેવા પણ એટલી જ જવલંત ઝળકી ઉઠે છે. જ્યારથી “ખડાયતા મિત્ર’ નું તંત્રીપદ એમના હસ્તક આવ્યું છે ત્યારથી જ્ઞાતિમાં સુધારાર્થે એઓ ભારે ચળવળ કરી રહ્યા છે; અને એમના લખાણની સારી અસર થતી માલુમ પડી આવે છે. એ સુધારો સુગમ બને, સિદ્ધ થાય, તે અર્થે જ્ઞાતિબંધુઓને તેને સંદેશ પહોંચાડવા, આ
Page #93
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હરગોવિંદદાસે.
યુગનું એક ઉપકારક સાધન–ટુંકી વાર્તા–એને ઉપયોગ કરવાનું તેઓ ચૂકયા નથી. એ રીતે જ્ઞાતિ સુધારા માટે, જુદી જુદી દષ્ટિએ લખેલી એમની વાર્તાઓ “કળિયુગની વાતો' તેમ “ફુલછાબ એ નામથી પ્રસિદ્ધ થયેલી છે, તે સાહિત્યની દૃષ્ટિએ પણ પ્રિયકર થશે.
તેમજ પિતાની જ્ઞાતિના અગ્રેસર પુરુષને જ્ઞાતિજનોને પરિચય કરાવવા, “જીવન સ્મરણ” એ નામથી એક પુસ્તક એમણે તૈયાર કર્યું છે; એ બતાવી આપે છે કે જ્ઞાતિસેવા અર્થે તેઓ કેવા કેવા પ્રયત્નો આદરે છે.
એમના ગ્રંથની યાદી: પ્રવાસીના પત્રે
સં. ૧૯૭૨ સ્વદેશ ગીતાવલિ (ડે. હરિપ્રસાદ વૃજરાય દેસાઈની પ્રસ્તાવના સાથે] , ૧૯૭૫ સ્નેહ સંગીત
, ૧૯૭૫ પ્રભુ ચરણે પ્રાર્થના કોન્ટેન્ટિનેપલની કથા
૧૯૭૭ શંભાજીનું રાજ્યારોહણ રાસ [કવિશ્રી નેહાનાલાલની પ્રસ્તાવના સાથે કળિયુગની વાત અંજલિ
૧૯૮૨ જીવન સ્મરણે
• ૧૯૮૪ રાસમંજરી
૧૯૮૫ ફૂલ છાબ
૧૯૮૬
'૧૯૭૯
૧૯૮૧
ર૫
Page #94
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ બી.એ., (દીવાન બહાદુર)
એમને જન્મ સંવત ૧૯૮૫ ના આશ્વિન વદિ ૬ (તા. ૧૭ મી ઍકબર ૧૮૫૯) ને સોમવારને દિને ગાયકવાડી રાજ્યના દહેગામ પરગણાના બહિયલ ગામમાં થયો હતો. તેઓ ઋવેદની શાંખાયની શાખાના છે. તેમના ગોત્રનું નામ ભારદ્વાજ છે. અંગિરા, બૃહસ્પતિ તથા ભરદ્વાજ એ ત્રિપ્રવર છે. તેઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર છે. તેમના કુટુંબમાં નાગજીભાઈ એ નામે પરમ વૈષ્ણવ પૂર્વે થઈ ગયા છે, જેઓ બસો બાવન ભકતેમાંના એક હતા. કેશવલાલની અવટંક ધ્રુવ' છે, જેનો અર્થ “જકાત વસુલ કરનાર અમલદાર” (Custom Officer) એવો થાય છે. તેમના કુટુંબમાં મજમુદારી, દેશાઇગીરી અને ધ્રુવગીરી એ ત્રણે પૂર્વે એક વાર હતાં. તેમના પિતાશ્રીનું નામ હર્ષદરાય ને માતુશ્રીનું નામ રેવાબાઈ હતું. “ચન્દ્ર પત્રના તંત્રી તથા “કુંજ વિહાર'ના કર્તા સદગત શ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવ તેમના મોટા ભાઈ થાય.
તેમને વિદ્યાભ્યાસ અમદાવાદમાં ખાડિયામાં મયા મહેતાની ગામઠી નિશાળે શરૂ થયું હતું. “ટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ” એ સૂત્રમાં શ્રદ્ધાવાળા મયા મહેતાથી છોકરાઓ બહુ જ ત્રાસતા. તે નિશાળે ભણી રહ્યા પછી પહેલા નંબરની ગુજરાતી નિશાળમાં કેશવલાલ દાખલ થયા. ત્યાં ગુજરાતી ચેથા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
- હાઈસ્કૂલમાં તેઓ હતા ત્યારે જે શિક્ષકોએ એમના પર ઉંડી છાપ પાડી હતી તેમાં ત્રણ ગૃહસ્થાનાં નામે જાણવા જેવા છે. (૧) સ્વ, લલુભાઈ પ્રાણવલ્લભદાસ; (૨) દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ; અને (૩) કવિ દલપતરામ.
- કવિ દલપતરામના સંસર્ગથી એમને ગુજરાતી કવિતા અને પિંગળ પ્રતિ વિશેષ રૂચિ થયેલી. અંબાલાલભાઇએ એમના સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપેલું અને લલ્લુભાઈએ સારા ગદ્ય નિબંધલેખન માટે એમની વૃત્તિ કેળવેલી, જે બધા અંશે એમનામાં પાછળથી સારી રીતે ખીલી, દીપી ઉઠયા છે.
વળી એમના સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ વાત છે કે તેમના મોટા ભાઈ સદ્દગત સાક્ષરશ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવની તેમના ઉપર
Page #95
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.
ઘણી અસર થઈ છે. “કેશવ-હરિનું જોડલું” આપણું સાહિત્યના ઇતિહાસ ગગનમાં સર્વદા જવલંત તિથી પ્રકાશશે એ નિઃસંશય છે. એમણે એક વખત વાતચિતમાં કહ્યું હતું, કે “મહારામાં જે કાંઈ ગુણ હોય તે મહારા ભાઇને લીધે જ છે મૂળથીજ કાંઈ સ્વયં વિચાર કે અપૂર્વ બુદ્ધિ (originality) મહારામાં નહિ–હું તો માત્ર અનુકરણ કરવામાં કે કોઈ બતાવે તે કરવામાં સમજું. મહારા ભાઈ સર્વ બાબતમાં મહારા પ્રોત્સાહક અને માર્ગદર્શક હતા. હું તો એમની પાછળ ખેંચાતો જાઉં એટલું જ.” અતિશય ઉત્સાહ અને ત્વરા એ હરિલાલનાં પ્રધાન લક્ષણ હતાં, અને એ ઉભયના સહગામી તથા અનુગામી ગુણ અને દોષ બંને તેમનામાં હતાં. તેમણે પિતાના ઉત્સાહી યુવકમિત્રોના સાહાટ્યથી “સત્ય માર્ગદર્શક સભા” એ નામનું એક મંડળ સ્થાપ્યું હતું. વળી તેમના નાનકડા મિત્રમંડળ તરફથી મુખપાઠને માટે માંહોમાંહે ઇનામ અપાતાં, ને તેમાં કેશવલાલ પણ હરિફાઈ કરતા. મુખપાઠ કરવાની પદ્ધતિને લીધે તેમની સ્મરણ શક્તિને બહુજ સારી કેળવણી મળી, અને તેને માટે તેઓ તેમના ભાઈને આભારી છે. તે મિત્રમંડળ તરફથી કોઈ કોઈ વખત નાટક પણ ભજવાતાં. એક વખતે તેઓએ શકુન્તલા' નાટકનો પ્રયોગ કર્યો હતે. સંક્ષેપમાં, તેમના મોટાભાઈની અનેક દેશીય પ્રવૃત્તિઓથી તેમના ઉપર બહુ અસર થઈ હતી. કુમળી વયમાંથી વિદ્યા તથા સાહિત્યના વાતાવરણમાં ઉછરેલ બાળકને તે વિષયો ઉપર અભિરુચિ અને આસક્તિ થાય તેમાં શું આશ્ચર્ય ?
તેમના ભાઈની અનેક પ્રકારની ઉંડી અસર ઉપરાંત અન્ય મહાન પુરુષોની તથા સંસ્થાઓની પણ તેમના ઉપર અસર થઈ હતી. પિતાના ભાઇનું જોઈને સંસ્કૃત સાહિત્ય ઉપર તથા પ્રાચીન ધળ ઉપર અભિચિ તે થઇજ હતી; તે અભિરુચિમાં આર્ય સમાજના આદ્ય પુરુષ સ્વામીશ્રી દયાનંદ સરસ્વતીનાં ઉત્સાહમય વ્યાખ્યાનોથી અત્યંત વૃદ્ધિ થઈ. તેઓ
જ્યારે અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સ્વામીશ્રી અમદાવાદમાં પધાર્યા હતા અને ત્યાં તેમનાં જુસ્સાદાર વ્યાખ્યાનોએ ઘણાજ ખળભળાટ કરી મૂક્યો હતો. કેશવલાલ પણ તેમનાં વ્યાખ્યાન સાંભળવા નિત્ય જતા. સ્વામીશ્રીના તે વ્યાખ્યાનેથી કેશવલાલભાઈ ઉપર દેશભક્તિની બાબતમાં તથા ધર્મવિચારની બાબતમાં સ્થાયી અસર થઈ હતી. આ ઉપરાંત તેઓનું વિદ્યાર્થીજીવન અત્યંત ઉજજવલ હતું ને તેઓ દર વર્ષે પરીક્ષામાં ઉંચે નંબરે
૨૭
Page #96
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
પાસ થવાથી તેમને ઈનામા તથા ‘ફૅાલરશિપ’ મળતાં. મેટ્રિકયુલેશનની પરીક્ષા ૧૮૭૬ ની સાલમાં પાસ કરી તેએ મુંબાઈની એલ્ફીન્સ્ટન કાલેજમાં દાખલ થયા.
તે વખતે એલ્ફીન્સ્ટન કાલેજનું મકાન ભાયખળે હતું. તેઓ ત્યાં રેસિડન્સી'માં રહેતા. તેમના સહાધ્યાયીઓમાં રા. મણિભાઇ નભુભાઇ દ્વિવેદી, રા. નરસિંહરાવ ભેાળાનાથ દિવેટીઆ, રા. છગનલાલ હરિલાલ પંડયા, રા. છગનલાલ ઢાકારદાસ મેાદી, મી. કરીમઅલ્લી નાનજીઆણી, સ્વ. શ્રીધર રામકૃષ્ણે ભાંડારકર વગેરે હતા. તે મંડળમાંથી રા. મણિલાલ સર્વ કરતાં વધારે વાંચતા. તેમની અભ્યાસપદ્ધતિ વ્યવસ્થિત તથા નિયમસર હતી. જે વિષય ચાલતા હોય તે સંબંધી અનેક પુસ્તકા વાંચી, તેમાંથી ઉતારા વગેરે કરી, તેઓ પોતે હાથે જ નેટસ' કહાડતા અને તે એવી ઉત્તમ ગણાતી કે સર્વ વિદ્યાર્થીઓ તે વાંચવાને માગી લેતા. અહિં કાલેજમાં કેશવલાલને સંસ્કૃતના સારા અભ્યાસ કરવાની વિશેષ તક મળી, તે સમયે અભ્યાસકાળ ત્રણ વતા હતા અને પરીક્ષાએ એ હતી–એક એક્.ઇ. એ. (ફર્સ્ટ એકઝામિનેશન ઇન આર્ટ્સ) અને ખીજી ખી. એ., એક્. ઈ. એ. માં ૧૮૭૮ ની સાલમાં બીજા વર્ગોમાં તેએ પાસ થયા. ૧૮૮૦ની સાલમાં તેઓને ખી.એ; ની પરીક્ષામાં જવાનું થાત પરન્તુ મંદવાડને લીધે જઇ શકયા નહિ. ૧૮૮૧ ની સાલમાં સ્વ. ત્રિભુવનદાસ કલ્યાણુદાસ ગજ્જર, તથા શ્રીયુત ચિમનલાલ હરિલાલ સેતલવાડ વગેરે તેમના સહાધ્યાયીએ થયા. શ્રીયુત કેશવલાલનું સંસ્કૃત જ્ઞાન બહુ સારૂં હોવાથી તે બે જણા તેમની સાથે સંસ્કૃત વાંચતા. નવાઈની વાત એ છે કે સાહિત્યમાં અત્યંત પ્રીતિવાળા હેાવા છતાં કેશવલાલે પેાતાના ઐચ્છિક વિષય તરીકે ગણિતશાસ્ત્ર લીધું હતું. ખી. એ; માં તેમની પાસે કાદંબરીનું છાપેલું પુસ્તક ન હેાવાથી પેાતાના મેટાભાઈવાળું હસ્તલિખિત પુરતક (manuscript) તે વાપરતા, જેના ઉપયેાગ પછીથી પીટસને પોતાની કાદંબરી છપાવવામાં કર્યો હતા. પ્રેા. રામકૃષ્ણે ગેપાળ ભાંડારકરની કેશવલાલ ઉપર બહુ પ્રીતિ હતી, અને તેમના સંસર્ગથી કેશવલાલને સંસ્કૃત ઉપર અત્યંત આસક્તિ થઇ. તેમના સમયમાં પ્રે।. દસ્તુર તથા જસ્ટિસ ચન્દાવરકર કાલેજમાં દક્ષિણા ફેલેા હતા, અને મેરેટ સાહેબ અંગ્રેજી સાહિત્યના પ્રેાફેસર હતા. પ્રે. એરેટને કેશવલાલના Patriotism ( દેશભક્તિ ) ઉપરના અંગ્રેજી નિબંધ બહુ પસંદ પડયા હતા, અને તે માટે તેમણે વર્ગોમાં કેશવલાલની પ્રશ'સા કરી
૨૮
Page #97
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.
હતી. અન્તે ૧૮૮૨ ની સાલમાં તેએ બી. એ; ની પરીક્ષામાં બીજા વર્ગોમાં પાસ થયા, અને એક દૃષ્ટિએ જોતાં તેમનું વિદ્યાર્થીજીવન પૂરૂં થયું.
૧૮૮૨ ની સાલમાં ડા. ભાંડારકરના પ્રમાણપત્રને લીધે તેએ અમદાવાદની ‘મેલ ટ્રેનિંગ કોલેજ’માં સંસ્કૃતના શિક્ષક તરીકે નીમાયા. તે વખતે રા. સા. મહીપતરામ ટ્રેનિંગ કાલેજના પ્રિન્સિપાલ હતા. આ સમયમાં ગુજરાતીમાં પ્રાચીન કાવ્યમાળા તથા સંસ્કૃતમાં કાવ્યમાળા બહાર પડવા માંડી, અને તે બંનેને કેશવલાલ ધ્યાનપૂર્વક અભ્યાસ “મુગ્ધાવમેધ ઔકિતક” નામનું સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક તેમના ભાઇ હરિલાલે પ્રકટ કર્યું હતું તેના ઉપર સમાલેાચના લખી કેશવલાલે પ્રકટ કરી.
કરતા. વળી
ટ્રેનિંગ કાલેજમાં હતા ત્યારે મીનું “ કેમ્પેરેટિવ ગ્રામર આવ્ ધિ માડન આય ન લેંગ્વેજિસ્ આવ્ ઇન્ડિઆ” એ નામનું અંગ્રેજી પુસ્તક તેમની પાસે આવ્યું, અને તેથી શબ્દશાસ્ત્ર અથવા ભાષાશાસ્ત્ર (Philology) પ્રતિ તેમનું લક્ષ વિશેષ ખેંચાયું, તેમજ તેને લીધે તુલનાત્મક પદ્ધતિથી (comparative method) અભ્યાસ કરવાના સંસ્કાર તેમનામાં દૃઢ થયા. આ ઉપરાંત ‘ઈંડિઅન ઍન્ટિકવરી’' નામના અંગ્રેજી માસિકમાં “ધી એજ એક્ વિશેાખદત્ત,” અર્થાત “મુદ્રા રાક્ષસના કર્તો વિશાખદત્તને સમય” એ વિષય ઉપર અંગ્રેજી લેખ પ્રકટ કર્યાં હતા. આ બધું સને ૧૮૮૨ થી ૧૮૮૭ સુધીમાં થયું હતું. આ પાંચ વર્ષના સમય તેમણે ટ્રેનિંગ કાલેજમાં સંસ્કૃત તથા ગુજરાતીના શિક્ષક તરીકે ગાળ્યા હતા.
'
સન ૧૮૮૭ માં કેશવલાલ ટુંકા વખતને માટે ભુજની આલ્ફ્રેડ હાઇસ્કુલના હેડમાસ્તર તરીકે કચ્છમાં ગયા, અને ત્યાંથી ૧૮૮૮ ના જુલાઇમાં અમદાવાદની ટ્રેનિંગ ફૅાલેજમાં પેાતાની મૂળની જગ્યાએ પાછા આવ્યા. પરંતુ જે અલ્પ સમય તેઓ કચ્છમાં પહેલી વાર રહ્યા તે સમય તેમણે નકામે ગાળ્યા ન હતા. હેડમાસ્તર તરીકેનાં પેાતાનાં કત્તબ્યા ઉપરાંત પેાતાના અભ્યાસ તે! તેમણે જારીજ રાખ્યા હતા. એક તે તેમણે ‘જૂની ગુજરાતીના નમુના” પ્રકટ કર્યાં, તે નમુનાનેા હેતુ એવા હતા કે કવિ દલપતરામે તથા રા.ખા.હરગોવિન્દદાસ કાંટાવાળાએ જે એમ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા હાલમાં છે એવીને એવીજ પહેલાં હતી, અને તેમાં કાંઇ ફેરફાર થયા નથી” તે વાત ખરી નથી એમ દાખલા આપીને સિદ્ધ કરવું. નમુના તરીકે ૧૫૦૭ ૨૯
Page #98
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
માં લખાયલા વસન્ત વિલાસ”માંથી તથા ૧૪૫૦ માં લખાયલા ગદ્યકથા સંગ્રહ”માંથી ઉતારા અપાયા હતા. આ અરસામાં જ મુદ્રારાક્ષસના ભાષાંતરની પ્રથમાવૃત્તિ છપાતી હતી, જે ૧૮૮૯ માં બહાર પાડવામાં આવી હતી આ ઉપરાંત એક મીજી મમત પણ જાણવા જેવી છે. કેશવલાલ જ્યારે કાલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે “ગીત ગાવિન્દ”નું દેશી રાગામાં ગુજરાતી ભાષાંતર કરવા માંડયું હતું.
પોતે જે દોઢેક વર્ષની મુદ્દત માટે ભુજમાં ગયા હતા તે મુદ્દત પૂરી થવાથી ૧૮૮૧ ના જુલાઇ માસમાં તેએ પાતાની પહેલાંની જગ્યા ઉપર અમદાવાદ પાછા આવ્યા. ૧૮૯૨ ની સાલમાં નડિયાદ નિવાસી સ્વ. ખાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆના “કૃષ્ણ મહેાધ્ય”માં ગીત ગાવિંદનું ભાષાંતર છપાયું. તે પછી “અમરુશતક''નું સમશ્લાકી ભાષાંતર કેશવલાલે કરવા માંડયું, અને તેની પ્રથમાવૃત્તિ ૧૮૯૪માં બહાર પડી. અમરુશતક”ના અનુવાદ કેશવલાલની રસજ્ઞતાને તેમજ તેમની વિદ્વત્તાને એક ઉંચા પ્રકારને નમને છે.
સન ૧૮૯૪ માં વળી પાછા તે કચ્છમાં ગયા, પરંતુ આ વખતે તેમને હાદા તેને તે ન હતા. આ વેળાએ તેા તેમનુ કામ મહારાજા રાવસાહેબનાં કુંવર કુંવરીને શીખવવાનું હતું, અને તેથી તેએ ‘યુટર હું મહારાજ કુમાર' કહેવાતા. ૧૮૯૫ ની સાલમાં તેમના ઉપર એ માટા ધા આવી પડયા. એક તે તેમનાં પ્રથમ પત્ની અ. સૌ. ચતુરલક્ષ્મી સૂતિકાજવરથી મરણ પામ્યાં, તેમજ તેમના મા દશ્યક તથા પ્રાત્સાહક ભ્રાતા હરિલાલ પણ તેજ વર્ષોમાં ગુજરી ગયા.આ કૌટુમ્બિક વિત્તિએથી ઉદ્વેગ પામતા પોતાના ચિત્તને તેમણે સંસ્કૃત સાહિત્યના અભ્યાસમાં પરાવ્યું, અને તેઓ જેટલા વખત કચ્છમાં રહ્યા તેટલામાં સંસ્કૃત તથા ગુજરાતી સાહિત્યને ઘણા ભાગ તેમણે વાંચી નાંખ્યા. ૧૮૯૮ માં - રેલા વિચાર પ્રમાણે મૂળ સંસ્કૃતના રાગેામાં જ ગીત ગેાવિન્દ્વ' નું ગુજરાતી ભાષાંતર કરી કરી ૧૮૯૬ ની સાલમાં તેની પ્રથમાતિ બહાર પાડી, તે ૧૮૯૭ માં “ અમરુશતક ની ખીજી આવૃતિ પ્રકટ કરી. ૧૮૯૮ માં તેમનાં ખીજા પત્ની પણ સુતિકાવરથી ગુજરી ગયાં. ૧૮૯૮ થી ૧૯૦૦ સુધીનાં ત્રણ વર્ષ મુદ્રારાક્ષસનું મૂળ સંસ્કૃત અને તે ઉપર અંગ્રેજી નેટસ્ તથા ઊપેાઘાત તૈયાર કરવામાં તેમણે ગાળ્યાં, અને પોતાની અગાધ
39
૩૦
Page #99
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.
વિદ્વત્તા તથા અથાગ શ્રમના પરિણામરૂપે સંસ્કૃત મુદ્રારાક્ષસ તેમણે ૧૯૦૦ ની સાલમાં બહાર પાડયું. તેમના આ પુસ્તકની જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન કાખી અને હિલ્ડાબ્રાન્ટ ખૂબ પ્રશંસા કરી હતી અને ત્યારથી તેમના સાથે પત્રવ્યવહારના સંબંધ ચાલુ થયા.
સન ૧૯૦૨ માં અમદાવાદ હાઇસ્કુલના ક્સ્ડ અસિસ્ટંટ ટીચર' તરીકે તેઓ કચ્છથી પાછા આવ્યા, અને તેજ હાઈસ્કુલમાં અપ્રિલ મહિનામાં અકિંટગ હેડમાસ્તર' તરીકે નીમાયા. ત્યાંથી મે માસમાં ભરૂચમાં અકિટીંગ હેડમાસ્તર તરીકે ગયા. ૧૯૦૩ ના નવેમ્બર મહિનામાં તેઓ ખેડા જીલ્લામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે નીમાયા, અને તે જગા ઉપર તેમણે આઠ મહિના સુધી કામ કર્યું. ૧૯૦૨ થી એમ. એ., પરીક્ષાના ક્રમમાં ગુજરાતી ભાષા દાખલ થઈ ને તે માટે સ્વ. ગેાવનરામ તથા કેશવલાલ એએ પરીક્ષકા નીમાયા. હજી પણ કેશવલાલભાઇ એમ. એ., માં ગુજરાતીના પરીક્ષક તરીકે નીમાય છે. ૧૯૦૪ માં તે નડિયાદ હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે નિમાઇ આવ્યા તેથી ગેાવનરામના સૌંસમાં વધારે ને વધારે આવવા લાગ્યા, અને તેને પરિણામે તેઓ બંને વચ્ચેના સંબંધ વધારે તે વધારે નિકટ બનતા ગયા.
૧૯૦૫ માં અમદાવાદમાં ભરાયેલી પ્રથમ સાહિત્ય પરિષદ વખતે તેમણે વાગ્યાપાર” ઉપર લેખ વાંચ્યા હતા, અને તે છૂટા છપાયેા છે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા' સમક્ષ ત્યાર પછી તેમણે “પ્રેમાનંદ’ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.
૧૯૦૭ ના સપ્ટેમ્બરમાં મુંબાઈમાં સાહિત્ય પરિષદની બીજી બેઠક થઇ હતી, અને તે સમયે પ્રમુખસ્થાને કેશવલાલ વિરાજ્યા હતા. તેમનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ વખણાયું હતું. એ ઉપરાંત પદ્યરચના સબંધી લેખ પણ તેમણે લખ્યા હતા, જે બુદ્ધિપ્રકાશ' માં છપાયા હતા.
સન ૧૯૦૮ ની શરૂઆતમાં તેમની બદલી અમદાવાદ હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે થયલી અને ત્યાંથીજ હેડમાસ્તરના હોદ્દા પરથી સન ૧૯૧૫ માં નિવૃત્ત થયલા; અને એમના સેવાકાર્યની કદર કરી પાછળથી સરકારે તેમને રાવબહાદુરના ક્ષ્ામ ખલ્યે! હતા.
૩૧
Page #100
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
પેન્શન લીધા પછી પણ સાહિત્યના અભ્યાસ અને પ્રકાશનનું કાર્ય ચાલું હતું. ભાલણની કાદંબરી, ભાસનાં નાટકે વગેરે ગ્રંથનું કાર્ય ચાલતું હતું, એવામાં ગુજરાત કોલેજમાં ગુજરાતીના અધ્યાપકની જગ્યા નવી નિકળતાં તેમને એ સ્થાન પર નિયુકત કરવામાં આવ્યા હતા. કેટલોક સમય કામ કર્યા બાદ પેન્શન સંબંધમાં મતભેદ પડતાં, પોતે એ જગ્યાનું રાજીનામું મોકલી, બીજીવારના નિવૃત્ત થયા; પણ પાછળથી દબાણ થતાં,
એ જગ્યા ફરી સ્વીકારી છે અને અદ્યાપિ તે પદ પર છે. ઉપરોકત રાજીનામું આપ્યા પછી એમની વિદ્વત્તાની કદર બુજી સરકારે તેમને દીવાન બહાદુરનો ઈલ્કાબ બ હતો; અને હમણાં આપણું મુંબઈ યુનિવર્સિટીએ એમને ઠકકર વસનજી માધવજી લેકચર્સ (૧૯૩૦-૩૧) આપવાને નિયોજ્યા છે.
* સન ૧૯૨૦ થી તેઓ ગુ. વ. સોસાઇટીના પ્રમુખ દર વર્ષે ચૂંટાય છે અને તે પહેલાં પણ સાઈટી સાથે તેમનો સંબંધ બહુ ગાઢ, સક્રિય અને લાંબે છે; અને એ પદનું કર્તવ્ય–જવાબદારી લક્ષમાં લઈને એમણે સન ૧૯૨૧ માં સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલા ગુજરાતી કોષનું નવું સંસ્કરણ, શાસ્ત્રીય અને ઐતિહાસિક પદ્ધતિએ તૈયાર કરવાનું સૌને સહકાર મળશે એવી આશાથી આરંભેલુંપરંતુ મદદના અભાવે અને માત્ર એકલે હાથે કામ કરવાનું માથે પડવાથી ફકત ૫ કાર અને , મા, એમ ત્રણ અક્ષરે જ સળંગ નવેસર તૈયાર થઈ શક્યા છે, જે એ વિષયમાં કાર્ય કર્તાઓને અવશ્ય માર્ગદર્શક અને મદદગાર થશે.
એવી જ કર્તવ્યનિષ્ઠાથી એમણે પ્રાચીન ગુર્જર કાવ્યોની નવી આવૃત્તિઓ, બને તેટલી શુદ્ધ અને શાસ્ત્રીય રીતે તૈયાર કરવાની યોજના હાથમાં લીધેલી છે. આજદિન સુધીમાં એ માળાના ત્રણ પુસ્તકે પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને બીજા ગ્રંથનું સંશોધન કાર્ય આગળ ચાલુ છે અને તેનું એડિટિગ કાર્ય જુદે જુદે હાથે વહેંચી નાંખેલું છે.
વળી સન ૧૯૨૫ માં અમદાવાદમાં ભરાયેલા કળા-પ્રદર્શનના અંગે થયેલા નાટય સંમેલન પ્રસંગે એમણે આપેલું પ્રાચીન નાટયશાસ્ત્ર વિષે વ્યાખ્યાન એમને સંસ્કૃત સાહિત્યને ઉંડે અભ્યાસ અને સંશોધનને ઉત્તમ નમુને રજુ કરે છે.
૩૨
Page #101
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
સન ૧૯૨૮ માં એમણે દયારામ વિષે વ્યાખ્યાન આપેલું જે એમના “પ્રેમાનંદ” વિષેના લેખની પેઠે પ્રમાણભૂત થશે. સન ૧૯૨૯માં મુંબાઈમાં મળેલી કવિ પરિષદમાં પ્રમુખપદેથી આપેલું એમનું વ્યાખ્યાન પણ કાવ્યસાહિત્યના વાચકને એટલું જ ઉપકારક જણાશે.
આ પરથી જોઈ શકાશે કે એમનાં સંખ્યાબંધ પ્રકીર્ણ લેખોને સંગ્રહ પણ એમની અન્ય કૃતિઓની પેઠે એટલેજ મહત્વને અને કિંમતી છે.
એમના પુસ્તકો અને લેખોની યાદી: મેળની મુદ્રિકા
૧૮૮૯ અમરુ શતક
૧૮૯૨ ગીત ગોવિંદ
૧૮૯૫ મુદ્રારાક્ષસ (સં.)
૧૯૦૦ છાયાઘટકર્પર
૧૯૦૨ પ્રધાનની પ્રતિજ્ઞા
૧૯૧૫ વિધ્યવનની કન્યકા
૧૯૧૫ ભાલણ કૃત કાદંબરી–પૂર્વ ભાગ
૧૯૧૬ સ્વનિની સુંદરી
૧૯૧૬ મધ્યમ નાટક
૧૯૨૦ પદ્યપાઠ
૧૯૨૨ લઘુ ગીત ગોવિંદ
૧૯૨૪ પ્રાચીન ગુર્જર કાવ્ય
૧૯૨૭ રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન
૧૯૨૭ પ્રતિમા
૧૯૨૮ The Malayas of the Mudrarakshasa
1882,
[Indian Antiquary.] The Age of Visakhadatta
[Vieana Oriental Journal.] મુદ્રારાક્ષસ
૧૮૮૨ [બુદ્ધિપ્રકાશ.] મુગ્ધાવધ ઐકિતક ઉપર વારિક
૧૮૮૨ [ મ ક ] પદ્યરચનાના પ્રકાર
૧૯૦૭ [ ખ » ]
1882,
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૯૨૫ [
,,]
સંસ્કૃત નાટકની પ્રાચીનતા સમુદ્રÁમના ઉત્તરાધિકારી યારામ વિષે કંઇક
૧૯૨૮ [
,, ]
૧૯૨૯ [
]
પાલકા પચોસી
૧૯૨૯ [
1
,,
92
ચક્રવર્તી હને નામે ચડેલાં બે ભેદ સ્તાન્ત્રા—૧૯૧૮ [નવજીવન અને સત્ય] ગીત ગાવિંદ પવનદૂતને કોઁ ધાયી
૧૮૯૨ [કૃષ્ણ મહાદય] [પુરાતત્ત્વ પુ. ૧, અં. ૧] ૧૯૨૪ [બુદ્ધિપ્રકાશ]
ગીવાણુ કવિ જયદેવના સત્કર્તા સ્વપ્નવાસવદત્ત ઉપર નવા પ્રકાશ. મૃચ્છકટિકમાં સંદ્રિચ્છેદના અંક લલિતેંદુ ગુફાના લેખ
ઉત્તરરામ ચરિત્રમાંથી ચિત્રદર્શન વૃત્તાના વપરાટની કસેટી જોઇએ છિએ કે જોઇયે છે?
ગ્રંથકાર ચરિત્રાવળી
વાવ્યાપાર
ખીજી પરિાદનું ભાષણ વનવેલી.
જૂની ગુજરાતીના નમૂના
પ્રેમાનંદ
.......
.
૩૪
22
29
[વસંત] [સમાલેાચક]
,, ]
,]
[,
29
[,,
[સાબરમતી] ૧૯૦૮ [સાહિત્ય અને વાર્તા]
૧૯૦૫ પહેલી સાહિત્ય પરિષદના રીપોર્ટ] ૧૯૦૭ [બીજી સા. ૫. ને! રીપે]
૧૯૨૦ [છઠ્ઠી ગુ. સા. પિરષદના રીપોર્ટ ૧૮૮૭ [ગુજરાત શાળાપત્ર] ૧૯૦૫ [વસંત]
યુગપુરાણનાં ઐતિહાસિક તત્ત્વ [ગુજરાતી સાહિત્ય સભા રજત મહેાત્સવ.]
29
Page #103
--------------------------------------------------------------------------
________________
કનૈયાલાલ માણેકલાલ મુનશી
કનૈયાલાલ માણેકલાલ મુનશી
એએ જાતે ભાવ બ્રાહ્મણુ અને ભરૂચના વતની છે. એમના પિતાનું નામ માણેકલાલ નરભેરામ મુનશી અને માતાનું નામ તાપીલક્ષ્મી છે. એમના પિતા અને કાકાત્રી વગેરે સરકારી નાકરીમાં ઉંચે હૈ!દ્દે પહોંચી, મુત્સદી તરીકે મશહુર થયલા; અને વડિલાનું બુદ્ધિકૌશલ્ય અને મુત્સદીગીરી, એમનામાં એધાને ઉતરેલા પ્રત્યક્ષ થાય છે.
એમને જન્મ ભરૂચમાં તા. ૨૯-૧૨-૧૮૮૭ ના રાજ થયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, પિતાની નાકરીની ફેરફારીના અંગે, એકજ સ્થળે લેવાનું બનેલું નહિ. તેઓ સન ૧૯૦૨ માં મેટ્રિક થઇ, વડેાદરા કૅલેજમાં દાખલ થયલા; અને સન ૧૯૦૬ માં ખી. એ., ની પરીક્ષા પીલેાસેાષી ઐચ્છિક વિષય લઈને ઔન વર્ગમાં પસાર કરી હતી. સન ૧૯૧૦ માં તેઓ એલ એલ. ખી; અને સન ૧૯૧૩ માં એડવેાર્કેટ થયા હતા. વકીલાતના ધંધા શરૂ કર્યાં પણ તે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં રસ લેવાનું છેડયું નહેાતું. સન ૧૯૧૭માં સ્ટુડન્ટસ બ્રધરહુડ તરફથી સમાજસેવા વિષે ઇનામી નિબંધ લખી, મેાતીવાળા પ્રાઇઝ મેળવ્યું હતું અને તે સમયે મુંબાઈમાં નિકળેલી ગુર્જર સભામાં જોડાઇ, દેશના અનેકવિધ પ્રશ્ન ચવામાં તેએ અગ્રેસર ભાગ લેતા હતા. ઐતિહાસિક અને સામાજિક નવલકથા લખવાનું કા ત્યારથી આરંભેલું; અને તેમાં એમને સ્વસ્થ રણજીતરામ તરફથી સારૂં પ્રેોત્સાહન મળેલું. “પાટણની પ્રભુતા” લખીને તેમણે જનતામાં ગુજરાતન! ગૌરવ માટે એક પ્રકારનું અભિમાન પેદા કર્યું છે. એ નવલકથામાંનું મુખ્ય પાત્ર મુંજાલનું ચિત્ર એવી દક્ષતાથી અને હુબહુ દોર્યું છે કે આપણા સાહિત્યમાં એ એક જીવત પાત્ર બની રહ્યું છે. તે પછી એમણે સંખ્યાબંધ નવલકથાનાં પુસ્તકા રચ્યાં છે અને તે એટલાં સફળ નિવડયાં છે કે ગુજરાતી નવલકથાકારામાં તેમણે ગવનરામની સાથે સમાન સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની નવલકથાઓની માફ્ક એમનાં નાટકા, ‘પુરદર પરાજય’ અને અવિભક્ત આત્મા', ‘ધ્રુવ સ્વામિની દેવી’, વગેરે લેાકપ્રિય નિવડી, ઉત્તમ સાહિત્ય કૃતિ લેખાઇ છે અને એમનું છેલ્લું નાટક “કાકાની શશી'' તે સ્ટેજ પર ભજવાઈ, ચેતરફથી પ્રશંસા પામ્યું છે.
એએ! નવલકથાકાર અને નાટકકાર હેાત્રાની સાથે એક સુંદર વક્તા પણ છે અને એમની પ્રતિભાશાળી કલમની જેમ એમની વાણીનેા પ્રવાહ
૩૫
Page #104
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી એટલાજ એજસ્વી અને આકષ ક થઇ પડે છે.
સાહિત્ય સેવા માટેની ધગશ એમનામાં ન્હાનપણથી ઉછાળા મારતી હતી. અભ્યાસ પૂરા થતાંજ, પાતે એક જ્ઞાતિમાસિક કાઢેલું, નવજીવન અને સત્ય’ તેમ બ્યંગ ઇન્ડિયા' અઠવાડિકના સહતંત્રી નિમાયલા. વળી સુરતમાં મળેલી જ્ઞાતિ માસિકાના તંત્રીઓની પરિષદમાં, એમની ખાસ સૂચનાથી જ્ઞાતિ વાર્ષિક નામનું એક પુસ્તક કાઢવાને ઠરાવ થયલેા, જેના એ અંકા પ્રકટ થયા હતા.
પણ એ બધામાં એમની ખ્યાતિ “ગુજરાત”ના તંત્રી તરીકે વિશેષ જાણીતી છે, અને ગુજરાતી માસિક્રેામાં વીસમી સદી' પછી તેનું સ્થાન લઇ, એક સચિત્ર માસિક તરીકે જે સ્થાન અને પ્રતિષ્ઠા તેણે મેળવ્યાં છે તે તેના તંત્રો માટે મગરૂર થવા જેવું અને ગૌરવભર્યું છે.
સન ૧૯૨૨ માં એમણે મુંબાઇમાં સાહિત્ય સંસદ્ સ્થાપી, ગુજરાતી સાહિત્યમાં એક નવીન અને પ્રબળ શક્તિ દાખલ કરી છે; તે પ્રવૃત્તિ કેટલી ફળવતી, રસાળ અને ઉપયેાગી નિવડી છે, એ વિષે અન્ય કાઇના અભિપ્રાય કરતાં, એનું કાય અને એના ગ્રંથેાજ પુરતા ઉત્તર આપશે.
આઠમી સાહિત્ય પરિષદ મુંબાઇમાં સંસદ્ તરફથી નાત પછી, તે સાહિત્ય પરિષદની પ્રવૃત્તિ સાથે એકમેક થઇ રહેલા છે. નવું પિરષદ મંડળ એટલે મુનશી, જેમ ભડાળ કમિટી એટલે પ્રેા. બળવંતરામ હાર્કાર.
એ અરસામાંજ એમણે જુની પ્રણાલિકા તાડી, શ્રીમતી લીલાવતી સાથે લગ્ન કર્યું હતું. સમાજમાં એ લગ્ને જેમ પરિવર્ત્તન કર્યું છે તેમ સાહિત્યસૃષ્ટિમાં એ જોડું લાંખે। સમય સુધી અજોડ રહેશે.
સાહિત્ય અને સમાજ સુધારાની પેઠે કેળવણી અને રાજકીય વિષયેામાં પણ એમના હિસ્સા થાડે! નથી. મુંબાઇ યુનિવર્સિટીમાં તે અત્યારે મુખ્ય કાય કતાં-સિન્ડીક છે અને ધારાસભામાં પણ યુનિવરસિટિના પ્રતિનિધિ તરીકે એમણે પેાતાના વ્યક્તિત્વથી ઉત્તમ છાપ પાડેલી છે.
ખારડાલી સત્યાગ્રહની લડતમાં અણીના વખતે જોડાઈ, એ લડતને જેમ ઝોક આપ્યા હતા તેમ ચાલુ સીવીલ ડિસએબીડિઅન્સ-સત્યાગ્રહની લડતમાં મહાત્માની પડખે ઉભા રહી પુરા સાથ આપવાની તેએ શરૂઆત કરતા હતા, એટલામાં સરકારે એમને પકડી લઇ, છ માસની સજા કરી છે, એ પણ વિધિની અગમ્ય લીલા છે.
૩૬
Page #105
--------------------------------------------------------------------------
________________
કનૈયાલાલ માણેકલાલ મુનશી
એમના ગ્રંથની યાદી મારી કમલા ને બીજી વાતે વેરની વસુલાત ગુજરાતને નાથ પૃથિવી–વલભ કોને વાંક પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા રાજાધિરાજ કેટલાક લેખ ભા. ૧, ૨. તર્પણ સ્વપ્નદ્રષ્ટા ભગવાન કૌટિલ્ય કાકાની શશી ધ્રુવસ્વામિનીદેવી
સન ૧૯૧૭ , ૧૯૧૯ , ૧૯૧૯ છે : ૧૯૨૧
૧૯૨૪ ૧૯૨૪ ૧૯૨૫ ૧૯૨૬ ૧૯૨૬ ૧૯૨૭
છે ૧૯ર૯
૩૭.
Page #106
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, (દીવાન બહાદુર)
એમ. એ. એલએલ. બી. એએ ભરૂચના દશા મોઢ વણિક છે. રા. બા. મેહનલાલ રણછોડદાસ ઝવેરીને ત્યાં તા. ૩૦ મી ડીસેમ્બર સને ૧૮૬૮ સં. ૧૯૨૫ના પોષ વદ ૧ ને સમવારને દિવસે કૃષ્ણલાલભાઈનો જન્મ થયો હતો. એમનાં માતુશ્રીનું નામ રૂક્ષ્મણીબા હતું. રા. બા. મોહનલાલભાઈના એ કનિષ્ઠ પુત્ર છે. ગુજરાતી કેળવણીના એક સ્થંભ ગણાતા મોહનલાલભાઈ સામાન્યતઃ પિતાનાં સંતાને પર પિતે જ કેળવણીના પ્રથમ સંસ્કાર પાડતા. એ મુજબ કણલાલભાઈને અક્ષર જ્ઞાનને લાભ પિતા દ્વારા સુરતમાંજ મળેલો. ગુજરાતીને છેડો અભ્યાસ સુરતમાં કરાવી પછી એમને ભરૂચની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની સ્મરણ શક્તિ તથા ગ્રહણ શક્તિ તીવ્ર હોવાથી દશ વર્ષની વયે ગુજરાતી અભ્યાસ સંપૂર્ણ કરી એઓએ અંગ્રેજીને આરંભ હતા. ભરૂચમાં બે ધોરણ પુરાં કર્યો એટલે એમના વડીલ બધું મેતીલાલ જે તે સમયે ભાવનગરની હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક હતા અને પાછળથી એ રાજ્યના કેળવણું ખાતાના ઇન્સ્પેકટર થયા હતા, તેમણે એમને પિતાની પાસે બોલાવી લીધા. તે સમયના એમના સહાધ્યાયીમાં સર મનુભાઈ, દી. બા. ઠાકરરામ કપીલરામ મહેતા સી. આઈ. ઈ વગેરે હતા. અંગ્રેજી ત્રીજા ધોરણથી બી.એ. સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો હતો. એમના પ્રોફેસરો મહુમ આગા શેખ મહમદ ઈસ્ફહાની, મુંબાઈ યુનીવર્સીટીના હાલમાં જ નિવૃત્ત થયેલા રજીસ્ટ્રાર ખાનબહાદૂર પ્રોફેસર દસ્તુર વગેરે હતા. એ પ્રોફેસરની એમના પર અત્યંત પ્રીતિ હતી. એમણે મેટ્રિીકયુલેશનની પરીક્ષા પસાર કરી પરીવલ સ્કોલરશીપ મેળવી હતી.
પ્રથમ પ્રયત્ન ઈંટર આર્ટસની પરીક્ષામાં એઓ નિષ્ફળ થયા. આથી યુનીવર્સીટીની ખાસ પરવાનગી મેળવી એઓએ ઈન્ટર આર્ટસ તથા બી. એ. ની પરીક્ષા એકી સાથે આપી હતી. તેમાં સફળ થયા એટલુંજ નહિં પણ બી. એ., માં તે પહેલા વર્ગમાં પસાર થઈ ગવરીશંકર ગોલ્ડ મેડલ પણ મેળવ્યું. (ઈ. સ. ૧૮૮૮માં) આ સમયે એમનું વય માત્ર વીશ વર્ષનું હતું. ભાવનગરની સામળદાસ કોલેજમાં એમ. એ. નો વર્ગ નહિ હોવાથી વધુ અભ્યાસ માટે એઓ મુંબઈ આવ્યા ને એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને ત્યાંથી એમ. એ. ની પરીક્ષા પસાર કરી. એઓ ત્યાર પહેલાંજ એજ
Page #107
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
કોલેજમાં દક્ષિણ ફેલો ચૂંટાયા હતા. એમણે સને ૧૮૯૦-૯૧ સુધી એજ કેલેજમાં ફારસી અધ્યાપક તરીકે કામ કર્યું. બાદ કાયદાની બંને પરીક્ષાઓ પસાર કરી. એલએલ બી. ના અભ્યાસ વખતે સર રમણભાઈ એમના સહાધ્યાયી હતા.
યુનીવરસીટીમાં આવી ઉત્તમ રીતે હિમંદ થવાથી એમની ઈચ્છા વધુ અભ્યાસ માટે વિલાયન જવાની હતી. એ વિષયમાં એમણે ભાવનગર રાજ્યના ચીફ મેડીકલ ઓફીસર છે. બરજોરજી તથા ડો. શિવનાથની સલાહ લીધી પરંતુ એમનું શરીર તે સમયે એટલું તે કૃશ હતું કે એ બે અનુભવી ડાકટરોએ એમને વિલાયત જવા સલાહ આપી નહિં.
સને ૧૮૯૩માં એલએલ. બીની પરીક્ષા પસાર કર્યા પછી એમણે હાઈકેરટની એપેલેટ સાઈડ પર વકીલ તરીકે કામકાજ શરૂ કર્યું. તેને અંગે કેટલાંક વષ સ્વ. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીના મદદનીશ તરીકે કામ કર્યું અને પિતે નિવૃત્ત થતાં સ્વ. ગોવર્ધનભાઈએ પિતાનું સર્વ કામકાજ એમને સુપ્રત કર્યું. ગોવર્ધનભાઈને એમના ભેટ બંધું મેંતીલાલભાઈ સાથે ગાઢ નેહ હતો.
સને ૧૮૯૩ થી ૧૯ ૦૫ સુધી એમણે હાઈકોર્ટમાં વકીલાત કરી. તે વખતે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે સર લોરેન્સ જેન્ઝીન્સ હતા, તેમની એમને પર અત્યંત પ્રીતિ હતી. મુંબાઇની લકઝ કોર્ટમાં એ સમયે એક જડજની જગા ખાલી પડી. ગુજરાતી ભાષાના સારા જ્ઞાનવાળા તથા દેશી રીતે રાખવામાં આવતા ચેપડા સારી રીતે સમજી શકે એવા એક જડજની એ કોર્ટમાં જરૂર હતી તેથી વગર માગે સર લોરેન્સ એમની તે જગાએ નિમણુંક કરવા ખુશી બતાવી સરકારને ભલામણ કરી. હાઈકોર્ટમાં વકીલાતને વળગી રહેવાથી ભવિષ્યમાં સારા લાભની આશા હતી તે જતી કરી જેન્ટીન્સ સાહેબના આગ્રહને વશ થઈ તેમને નારાજ ન કરવા માટે એમણે એ જગાને સને ૧૯૦૫ માં સ્વીકાર કર્યો. ત્યાંથી ઉપર ચઢતાં ચઢતાં સને ૧૯૧૮માં તેઓ સ્મોલકેઝ કેર્ટીના વડા જડજ થયા. ત્યાર પહેલાં એટલે કે સને ૧૯૧૫માં એમની વડા જડજ તરીકે નિમણુંક ન. સરકારે કરી હતી. પરંતુ હાઈકોર્ટને તે વખતના ચીફ જસ્ટીસે વાંધો ઉઠાવ્યો કે કાયદા પ્રમાણે મોલકઝ કાર્ટના દા જડજ બેરીસ્ટર અથવા એવૉકટ હોવા જોઈએ. આથી અમને પાછું પાનાની બાળ જન જ પર જવું પડ્યું. પરંતુ
૩૯
Page #108
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળો
તે સમયની મુંબઇ ના. સરકારની કૌન્સિલના સભ્ય સર મહાદેવ ચૌખલે આ સંબંધે કાયદા સુધરાવ્યા અને વકીલા પણ એ એહ્વા માટે લાયક છે એવી કલમ દાખલ કરાવી. તેથી વખત આવે પાછા સરકારે એમને વડા જડજની જગાએ નીમ્યા. આ પછી એમણે સને ૧૯૨૮ના ડીસેખરની આખર સુધી એટલે પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી ભાગવી. સર લારેન્સ જેન્કીન્સના વચનનું માન રાખવા ખાતર એમને જે ભાગ આપવા પડયે તેનું સ્મરણ જ્યારે જ્યારે હાઈકામાં જડજની જગા ખાલી પડતી ત્યારે ત્યારે સૌને થયા કરતું; કારણ જો હાકેાની વકીલાતને વળગી રહ્યા હોત તે એ જડજની જગાને લાભ એમને મળ્યા વગર રહેત નહિં, એમ સૌનું ધારવું હતું; જો કે પાછળથી એએ હાઈ કાના જડજ પણ નીમાયા હતા. સને ૧૯૨૭માં હાઈ કાટના એક ખારીસ્ટર જડજની કામચલાઉ જગા ખાલી પડતાં પાતે વકીલ હાવા છતાં એમની એ જગાએ નિમણુંક કરવામાં આવી હતી. એમણે ચાર પાંચ માસ સૂધી એ આસને બેસી એરીજીનલ સાઇડ પરના કેસેાને એવી તે ખાહેાશી અને ત્વરાથી નીકાલ કરી આપ્યા કે જેથી પક્ષકાર, ખારીસ્ટર–સોલીસીટર દરેકને સંપૂર્ણ સતાષ થયા હતા.
સને ૧૯૨૯ ના જુન માસમાં સરકારે એમને દીવાન બહાદુરના ઈલ્કાબ આપ્યા.
સાક્ષરતા તા એમની ત્રણ પેઢીથી ચાલી આવે છે. પિતામહુ રણછેાડદાસ આખા ગુજરાતમાં કેળવણીના પિતાના નામથી ઓળખાય છે અને એમના પિતા રા. બા. મેાહનલાલ સને ૧૮૫૮ ની હેાપ વાચનમાળા કમિટીના સભ્ય હતા, અને એ વાચનમાળાના અમુક વિષય પરના પાઠ એમના લખેલા હતા. સુરત જીલ્લાનાં ગામડાંમાં તે આજે પણ જે કાઈ ડેપ્યુટી પરીક્ષા લેવા આવે તે “મા”લાલ” ના નામથી ઓળખાય છે. વંશ પર પરાથી ઉતરતી આવેલી કેળવણીની પ્રગતિમાં કૃષ્ણલાલભાઇના હિસ્સા સૌથી મેાટા છે, સને ૧૮૯૩ થી ૧૯૦૫ સૂધી યુનીવર્સીટીની ફારસીની પરીક્ષામાં એ પરીક્ષક નીમાતા હતા. એલએલ. બી. માં પણ એએ પરીક્ષક નીમાતા હતા. અને સને ૧૯૨૪ થી આજ પર્યંત કાઈ વખત બી. એ., કાઈ વખત એમ. એ., ની પરીક્ષામાં એએ ગુજરાતીના પરીક્ષક નીમાય છે. એમના પિતાના સ્વર્ગવાસ પછી તેમની જગાએ સરકારી કેળવણી ખાતા તરફથી એમને “જીક-કમિટી” માં નીમવામાં આવ્યા હત!.
४०
Page #109
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
આજે કેટલાં વર્ષોથી ગુજરાતી પુસ્તકની “મોડર્ન રીવ્યુ” માં એમના ૨ થી કરવામાં આવતી સમાલોચના તરફ ગુજરાતી વાચકોનું લક્ષ
ચાયા કરે છે. સને ૧૯૨૬ માં ગુજરાતી સાહિત્ય પરિષદુ જ્યારે મુંબાદમાં મળી ત્યારે એઓ તેના સ્વાગત મંડળના અધ્યક્ષ ચૂંટાયા હતા.
સાહિત્ય સેવા ઉપરાંત એમની બીજી સેવાઓ અનેકવિધ છે. મુંબાઈનાં અનેક ધર્માદા ખાતાઓ અને જાહેર સંસ્થાઓમાં, કાંતે પ્રમુખ, કાંતે વ્યવસ્થાપક કમિટીમાં, કાંતો ટ્રેઝરર તરીકે એઓ કામ કરે છે. એ જ-ટીસ વધી પીસ છે. મુંબઈ યુનીવર્સીટીના ફેલો હોવા ઉપરાંત
ઓ યુનિવર્સીટીની ગુજરાતી “બાર્ડ એ સ્ટડીઝ” ના પ્રમુખ તથા નીવસટી લાઈબ્રેરી કમિટીના એક સભ્ય છે.
લકોઝ કોર્ટના વડા જડજ તરીકે એમને પોતાના હક્કનું સંરક્ષણ કરવા ના. સરકાર સાથે અવારનવાર લડવું પડતું, છેલ્લે છેલ્લે નિવૃત્ત થયા પછી પણ પિશન બાબતમાં દેશીઓને અને યુરોપીઅોના પેન્શન નની રકમના ભેદને લઇને એમણે ચાર માસ સુધી પેન્શન લીધેલું નહિ. આ બાબતમાં હવે પછીના દરેક વડા જડજને પછી તે બેરીસ્ટર હોય કે વકીલ હોય તે પણ એક સરખું પેન્શન આપવાનો ઠરાવ સરકાર પાસે કરાવરાવીને એમણે એ પ્રશ્નનો અંત આણ્યો છે.
માતૃભાષા ઉપરાંત ફારસી, ઇંગ્રેજી, ઊદૂ, બંગાળી અને મરાઠી ભાષાનું એ સારું ગાન ધરાવે છે.
હાલમાં પાલણપુરના નવાબ સાહેબના આગ્રહને લઈને ત્યાંના જયુડોશીઅલ એડવાઈઝર તરીકે એઓ કામ કરે છે. સને ૧૯૨૯ માં સરકારે નબાઈનાં હુલ્લડની તપાસ સમિતિમાં એમની નિમણુંક કરી હતી. વળી અમદાવાદમાં એજ વર્ષમાં મીલમજુર અને મીલમાલીકે વચ્ચે પગારની રકમ સંબંધી વાંધે પડતાં તે વાંધે મહાત્મા ગાંધીજી અને શેઠ મંગળદાસ પાસે લવાદ -રીકે મૂકવામાં આવ્યો. તેમાં બંને લવાદો વચ્ચે મતભેદ થતાં સરપંચ તરીકે એમને નીમવામાં આવેલા, અને બેઉ પક્ષની તકરાર સાંભળી એ પ્રશ્નને અભ્યાસ કરી એમણે જે નિર્ણય આપો તેથી બંને પક્ષને સંતોષ થયો હતે.
જુની ફારસી સનદ અને હસ્તલિખિત પ્રતે ઉકેલવાનો એમને બહુ શેખ છે. જૂના ફારસી દરતાને ઉપર એમણે ઈગ્રેજી તથા ગુજ- તીમાં લેખ લખ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયના બીનાથજીના હાલના મહારાજના
Page #110
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પૂર્વજોને અકબર, શાહજહાન વગેરે બાદશાહો પાસેથી જે ફરમાને મળેલાં, તે ફરમાને અસલ ફારસીમાં છે. તે સર્વનું ઈગ્રેજી તથા ગુજરાતી ભાષાંતર કરી ટીપ સાથે હેટા પુસ્તકરૂપે એમણે એ ફરમાન બહાર પાડયાં છે.
એમનાં પુસ્તકેની યાદી
હૈદરઅલી ને ટીપુ સુલતાન
(૧૮૯૪) દયારામ ને હાફેઝ
(૧૮૯૫) ઔરંગજેબ અને રાજપૂત
(૧૮૯૬) મેહસીનીનાં નીતિ વચનો
(૧૮૯૭) કૃષ્ણચરિત્ર
(૧૯૦૮) ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક થંભે ભાગ ૧ (૧૯૨૭)
ભાગ ૨ (૧૯૩૦)
ફારસી-ઈગ્રેજી, Persian Prosody with Figures of Speech 1st Ed. (1890)
ઈગ્રેજી. Translation into English of Saadis Tayyabat (101-150)
(1890) Outlines of Essays for Higher Standards in High Schools
(1892) Translation into English of the Gazals of Hafez (101-300)
(1892) Introduction to the Anware Sohaili
(1892) Notes on the Akhlake Mohasini
(1892) Shivaji or The Dawn of Maratha Empire (1898) Milestones in Gujarati Literature
(1914) Further Milestones in Gujarati Literature (1924) Imperial Farmans
(1929) (in the press).
૪૨
Page #111
--------------------------------------------------------------------------
________________
કોશિકરામ વિહરરામ મહેતા
કૌશિકરામ વિનહરરામ મહેતા
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને સુરતના વતની છે. એમને જન્મ સં. ૧૯૩૦ (સન ૧૮૭૪) ના આ વદિ ૬ ના રોજ સુરતમાં થયો હતો. એમના પિતાનું પૂરું નામ વિદનહરરામ બલરામ મહેતા અને માતાનું નામ હરદયાગૌરી છે. સન ૧૮૮૯ માં એમણે મેટ્રીકની પરીક્ષા સુરત હાઈસ્કૂલમાંથી પસાર કરેલી અને પછી વડોદરા કોલેજમાં જોડાયેલા, ત્યાંથી સને ૧૮૯૨ માં બી. એ., ની પરીક્ષા ભાષા અને સાહિત્ય ઐચ્છિક વિષય લઇને બીજા વર્ગમાં પાસ કરી હતી. એમના પ્રિય વિષયો, શિસ્ત્રણ શાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્ય છે; અને એ વિષયોનો એમનો અભ્યાસ અને અનુભવ પણ બહાળે અને ઝીણે છે. એમણે જુદે જુદે સ્થળોએ એક શિક્ષક તરીકે કામ કરેલું છે; અને બધે સ્થળે એમના શિક્ષણની પ્રશંસા થયેલી છે. કાઠિયાવાડમાં તો એમનું નામ ઘરગથુ જેવું થઈ રહ્યું છે. એઓ જુનાગઢ હાઈસ્કૂલમાં લાંબા સમય સુધી હેડમાસ્તર હતા, ત્યાર પછી એક વર્ષ રાજકોટમાં, અને છેવટના ભાગમાં ભાવનગરમાં વિદ્યાધિકારીના હોદ્દે નિમાયા હતા; પણ કેન્સિલ સાથે મતભેદ ઉઠતાં, તેઓ પોતાના અધિકાર ઉપરથી નિવૃત્ત થયા હતા. કેટલાંક વર્ષોથી તેઓ અમદાવાદમાં રહે છે, અને શહેરનાં કેટલાંક જાણતાં શ્રીમંત કુટુંબ સાથે રીડર અને કંપેનિયન તરીકે એમને સંબંધ થયો છે. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈની આદર્શ કુટુંબશાળામાં અનેક વર્ષોથી તેઓ અધ્યાપક હોવા ઉપરાંત હાલ તેઓ અમદાવાદ વનિતાવિશ્રામમાં મુખ્ય અધ્યાપકના પદે છે. એમનું સંસ્કૃતનું જ્ઞાન પણ સારું છે. એ કઠિન ભાષામાં એ ઉત્તમ કાવ્યરચના કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે એમનાં રચેલાં પુસ્તક “સરલ સંસ્કૃત” ભાગ ૧-૨ નવા શિખાઉ વર્ગમાં લોકપ્રિય નિવડ્યાં છે.
આપણા વૈદિક ધર્મ અને તત્વજ્ઞાનના તેઓ ઉંડા અભ્યાસી છે, એમ એમના “મહાકાલ', સદુપદેશ શ્રેણુ વગેરેમાં પ્રકટ થયેલા લેખોના વાચન પરથી માલુમ પડશે, વળી એમના સવૈયા, જે એમની અનોખી કૃતિ છે, તે એમની સંસ્કારિતા, રસિકતા, ઉંડું મનન અને અભ્યાસને સરસ ખ્યાલ આપે છે.
કેટલાક સમય સુધી એમણે “સ્વધર્મ–જાગૃતિ” માસિક ચલાવ્યું હતું. તેમાં નીતિ, ધર્મ અને સાહિત્ય વિષયક લેખો આવતા હતા; પણ કેટલાક પ્રતિબંધને લીધે તે તેમને બંધ કરવું પડયું હતું.
૪૯
Page #112
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સન ૧૯૨૫ માં એમણે “સો ટચની વાતો” બાળક માટે છપાવી હતી, તે વાંચતાં જણાય છે કે બાળ સ્વભાવનું એમનું નિરીક્ષણ ઉં, ઝીણું અને સમભાવી છે.
ઘણું વર્ષો પર એમણે ગારીશંકર ઓઝાનું એક વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું હતું. સન ૧૯૦૧-૨ માં “પુરુષ અને સ્ત્રી’ નામનું પુસ્તક બે ભાગમાં લખ્યું હતું, અને માસિકમાં આપેલા એમના પ્રકીર્ણ લેખેને જશે પણ મેટ થવા જાય છે.
સુરત સાહિત્ય પરિષદમાં તેઓ પરિષદના એક મંત્રી નિમાયેલા; અને છઠ્ઠી સાહિત્ય પરિષદમાં જાહેર વ્યાખ્યાન આપવાને એમને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. તે પૂર્વે ઘણા સમય પર એમણે ગુજરાત સાહિત્ય સભાઅમદાવાદ તરફથી સાક્ષર જયંતિના અંગે “ધીરે અને તેની કવિતા” વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું, જે તે કવિ વિષે અભ્યાસ કરનારને ઉપયોગી થાય એમ છે.
અમદાવાદમાં અને બીજે સ્થળોએ અનેક વર્ષોથી એમની વ્યાખ્યાન પ્રવૃત્તિ ચાલુ રહેલી છે. આમ, એક આદર્શ શિક્ષક હોવાની સાથે તેઓ એક સારા ધર્મતત્ત્વચિંતક, સાહિત્યકાર અને વ્યાખ્યાતા તરીકે જાણીતા છે.
એમના ગ્રંથો નીચે મુજબ છેઃ મહાકાલ, સદુપદેશ શ્રેણી, વગેરેમાં લેખો સન ૧૮૯૧ થી ચાલુ ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર
સન ૧૮૯૯ પુરૂષ અને સ્ત્રી ભા. ૧
કે ૧૯૦૧ , ભા. ૨
, ૧૯૦૨ સવૈયા
, ૧૯૦૪ થી ચાલુ સરલ સંસ્કૃત ભા. ૧
૧૯૧૬ , ભા. ૨
, ૧૯૧૭ સો ટચની વાત
૧૯૨૫
Page #113
--------------------------------------------------------------------------
________________
ખુશવદનલાલ ચંદુલાલ ઠાકોર
ખુશવદનલાલ ચંદુલાલ ઠાકોર
એ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય અને ભરૂચના વતની હતા. એમનો જન્મ માર્ગશીર્ષ શુદ૬ સંવત ૧૯૫૬ ના રોજ ભરૂચમાં થયું હતું. એમના પિતાનું નામ ચંદુલાલ ઉમેદરામ ઠાકોર અને માતાનું નામ ચંદ્રમણિ હતું. એમને માબાપનું સુખ લાંબો સમય મળેલું નહિ અને સાથે ગરીબાઈ પણ આવેલી. તેમ છતાં અનેક મુશ્કેલીઓ વચ્ચે એઓ વડોદરા કોલેજમાંથી બી. એ. ની ડીગ્રી ઇગ્રેજી ઇચ્છિત વિષય લઈને આનર્સ સહ, મેળવવા શકિતમાન થયેલા, તે એમના ખંતપૂર્વક અભ્યાસ અને ઉત્તમ ચારિત્રનું ફળ હતું. તેઓ સુરત ખાદીધારી હતા; અને મહાત્માજીના આદર્શોને ઝીલવાને પૂરે પૂરે પ્રયત્ન કરતા. ભરૂચમાં એઓ જાહેર સેવા કાર્યથી આગળ આવી, વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય થઈ પડ્યા હતા, થોડાક વખત પર એમણે ભરૂચમાં એક સારી માધ્યમિક શાળાની ખોટ હતી તે પૂરી પાડવા, પાયોનિયર હાઇસ્કુલ નામની એક નવી ઈગ્રેજી નિશાળ કાઢી હતી. તે પગભર થાય, તેનું કંઈ ફળ આવે તે પૂર્વે તેઓ ભરયુવાન યે મૃત્યુ પામ્યા છે, એ એક દુઃખદાયક બનાવે છે.
એમણે સન ૧૯૨૪માં મેકસ્વીની કૃત “Principles of Freedom' એ પુરતકનો “ સ્વતંત્રતાના સિદ્ધાંત ' એ નામે અનુવાદ કર્યો હત; અને તે પુસ્તક “પ્રજાબંધુ' પડ્યું તેના ગ્રાહકેને ભેટ આપ્યું હતું. તે પછી ગયે વર્ષે ( સન ૧૯૨૯માં ) ગુ. વ. સોસાઈટીને લખી આપેલું પ્રો. બેરીકૃત “History of Freedom of Thought' એ નામના પુસ્તકનો “વિચાર વાતંત્ર્યનો ઈતિહાસ ' એ નામે અનુવાદનું પુસ્તક, બહાર પડયું હતું. એમને પ્રિયવિષય કાવ્યશાસ્ત્ર હતો.
ગ્રંથકાર ચરિત્રાવળીનું છાપેલું ફોર્મ એમના તરફથી ભરાઈ આવ્યું ત્યારે અમને સ્વપ્ન પણ ખ્યાલ નહિ કે આવું અણમૂલ્યું રત્ન આમ અકાળે તા. ૧૯ મી માર્ચ ૧૯૨૮ ને બુધવારે દૂર કાળના મુખમાં ઝપટાઈ જશે.
એમના પુસ્તકોની યાદી સ્વતંત્રતાના સિદ્ધાંતો.
સન ૧૯૨૪ [ Principles of Freedom ] ૨ વિચાર સ્વાતંત્રયને ઇતિહાસ. , ૧૯૨૯
[ History of Freedom of Thought ]
૪૫
Page #114
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ગજેન્દ્રશ કર લાલશંકર પંડયા.
એએ સુરતના વતની અને જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ-વૈદિક છે. એમના જન્મ નડિયાદમાં સં. ૧૯૫૧ ના ચૈત્ર વદ ૯/૧૦ ના રાજ થયેા હતા. એમના પિતાનું નામ લાલશંકર અભયશંકર અને માતાનું નામ રકતાંબરા હતું.
ગુજરાતી છ ધેારણ પૂરાં કર્યાં પછી એમણે ઈંગ્રેજી શિક્ષણ લેવા માંડેલું, સન ૧૯૧૧ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી તેઓ કાલેજમાં દાખલ થયા હતા. સન ૧૯૧૬ માં બી. એ. ઍનસની ડીગ્રી અંગ્રેજી સંસ્કૃત ઐચ્છિક વિષય લઇને મેળવી; અને સન ૧૯૨૦ માં એમ. એ., થયા અને સન ૧૯૨૬ માં ખી. ટી. ની પરીક્ષા પાસ કરી. સન ૧૯૨૪ માં તેએ મુંબાઇની વિનતા વિશ્રામમાં પ્રિન્સિપાલ નિમાયા; પણ ત્યાં લાંબે સમય રહેવાનું થાય તે અગાઉ ગુજરાત કાલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એમની પસંદગી થઇ; અને અહિં પેન્શનર અધ્યાપકેાના નવા નિયમને લીધે એ વથી વધુ રહેવાનું થયું નહિ.
એમના પ્રિય વિષયેા ગુજરાતી ભાષાશાસ્ત્ર અને સાહિત્ય છે.
સ. ૧૯૮૧ માં કૌમુદી' માં પ્રેમાનંદના “મામેરા' પર એક વિસ્તૃત, વિવેચનાત્મક નિબંધ એમણે પ્રથમ લખેલેા. તે પછી અવારનવાર પ્રાચીન કાવ્ય વિષે એક વા ખીજા માસિકમાં તેએ લખતા રહ્યા છે.
પણ વિશેષ ધ્યાન ખેંચે એવી બિના, એમના જીવનમાં એ છે કે તેઓ એક સારા નાટકકાર છે; અને એમના કેટલાંક નાટકા જેમકે ‘જમાનાના રંગ,’“કૅાલેજની કન્યા” ‘કાશ્મીરનું પ્રભાત,’ ‘વિજય કાના’ ‘કુલાંગાર કપૂત,’ ‘કુદરતના ન્યાય' વિગેરે રંગભૂમિ પર સફળ થયાં છે.
એમના ગ્રંથાની યાદીઃ
૧ સંક્ષિપ્ત સંસ્કૃત વ્યાકરણ [મેટ્રીક વર્ગ માટે.]
૨ એ આખ્યાન.
૩ વલ્લભનું જીવન ૪ નરસિંહનું જીવન,
૪૬
સ. ૧૯૭૮
સ. ૧૯૮૪
સ. ૧૯૮૫
સ. ૧૯૮૫
Page #115
--------------------------------------------------------------------------
________________
ગિજુભાઈ ભગવાનજી બધેકા ગિજુભાઈ ભગવાનજી બધેકા
એઓ વલ્લભીપુર-વળાના વતની; જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમને જન્મ તા. ૧૫ મી નવેમ્બર ૧૮૮૫ના દિવસે ભાવનગરમાં થયો હતે. એમના પિતાનું નામ ભગવાન શંકર બધેકા અને માતાનું નામ શ્રીમતી કાશીબહેન છે. એઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ લીધેલું. સન ૧૯૦૫ માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી પ્રિવિયસની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે કાયદો વાંચો શરૂ કર્યો અને પોતે ડિસ્ટ્રિકટ અને હાઈકોર્ટ વકીલ થયા; પણ કેળવણુ પ્રતિ જાણે કે નૈસર્ગિક આકર્ષણ ન હોય તેમ વકીલાત કરવાનું નાપસંદ કરી, તેઓ શ્રીયુત નસિંહપ્રસાદ ભટ્ટ નવા શરૂ કરેલા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં દાખલ થયા. સમસ્ત ગુજરાતમાં આજે એ સંસ્થા એક પ્રાથમિક કેળવણુનું જીવંત કેન્દ્ર અને પ્રયોગશાળા બની રહી છે, એનો યશ મુખ્યત્વે એમને છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને શિક્ષણશાસ્ત્ર છે. શિક્ષણશાસ્ત્રને એમણે પોતાનો ખાસ અભ્યાસ અને પ્રયોગનો વિષય કરી મુકેલો છે; કેળવણીના ક્ષેત્રમાં આજકાલ જે નવું ચેતન નજરે પડે છે, એ એમની સતત ખંત ભરી પ્રવૃત્તિને કેટલેક દરજે આભારી છે. ગુજરાતમાં મેન્ટેસરી શિક્ષણ પદ્ધતિ પ્રચલિત કરનાર, એજ છે, જો કે છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયત્નો કઈ કઈ સ્થળોએ પૂર્વે થયા હશે. જ્યારથી બાલમંદિર દક્ષિણામૂર્તિએ સ્થાપ્યું છે, ત્યારથી એ તેના પ્રાણ બની રહ્યા છે; એકલું શિક્ષણકાર્ય એમના માટે બસ નથી. તેઓ પ્રચારકાર્યમાં પણ એટલી જ શ્રદ્ધા ધરાવે છે, અને તે પાછળ એમણે ઉપાડેલ શ્રમ અપૂર્વ છે.
એમણે બાળકો માટે સંખ્યાબંધ પુસ્તકે લખેલાં છે. બાલસાહિત્યની આપણે અહિં જે ઉણપ જણાયા કરતી હતી, તે દક્ષિણામૂર્તિના પ્રકશનેથી ઘણે અંશે ઓછી થઈ છે. હમણાં તેમણે જનતામાંથી નિરક્ષરતા ટાળવાને મહાભારત અખતરે શરૂ કર્યો છે, અને તે માટેની એમની ધગશ અને પદ્ધતિસર કાર્ય કરવાની શક્તિ અને વ્યવસ્થા જતાં, એમને એ અખતર ફતેહમંદ થવાની આશા પડે છે.
આવા એમના નિઃસ્વાર્થ અને સરસ સેવાકાર્ય બદલ ગયે વર્ષે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો.
૪૭
Page #116
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
વળી એઓ “શિક્ષણ પત્રિકા” ના સહતંત્રી છે, જે માસિક પ્રાથમિક કેળવણમાં રસ લેનારાઓ માટે અગત્યનું છે અને તેનું લવાજમ પણ તેને બહોળો પ્રચાર થાય એ હેતુથી માત્ર એક રૂપિયો રખાયું છે.
એમના પુસ્તકની યાદી બાલ લોકગીત સંગ્રહ ભા. ૧, ૨
૧૯૨૮ બાળવાર્તાઓ ભા. ૧ થી ૫ (ત્રીજી આવૃત્તિ)
૧૯૨૯ કૈલાસ માનસ સરેવર દર્શન.
[મરાઠીનો ગુજરાતી અનુવાદ] મેન્ટેસોરી પદ્ધતિ
[અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર.] વાર્તાનું શાસ્ત્ર વાર્તા કહેનારને ઘરમાં બાળકે શું કરવું? બાળ ક્રીડાંગણ ધર્માત્માઓનાં ચરિતે [ત્રીજી આવૃત્તિ.]
૧૯૨૯ ભગવાન બુદ્ધ –
૧૯૩૦ કિશોર કથાઓ [બીજી આવૃત્તિ.]
૧૯૨૯ રખડુ ટોળી [અંગ્રેજી અનુવાદ.]
૧૯૨૮-૨૯ વસંતમાળાનાં પુસ્તકે – સ્વતંત્ર બાલશિક્ષણ
બાલજીયનમાં ડોકિયું શિક્ષણના વહેમ
બાળકોનું હોવું બાલ મંદિરમાં
બાળકોને ખોરાક બાળકની કુટેવો
તોફાની બાળક બાલગ્રહ
સાંજની મોજ દવાખાને જઈ ચઢયો
નવા આચારે બાલ સાહિત્યમાળાનાં પુસ્તક: ૧૯૨૮–૨૯ દરમિયાન. ગણપતિ બાપા
કબાટ ચેલે
બાળકોને બીરબલ–૧ ઉભું હતું, ઉભું હતું.
બાળનાટક-૧ હજામતી
હંસ અને હંસા
Page #117
--------------------------------------------------------------------------
________________
તિરાજ ગામડામાં મળજો બાલ પ્રવાસે
મારા ગેડીયા
જરા હસા
ક્યાંથી આવ્યાં ?
મદ્રા જે રાક્ષસ
રૂપસિંહ ને રામસિંહ
ટપાલની પેટી
ગધેડું
ચીડીયાખાનું મહાસભાએ
ઘરમાં
આંગણામાં
શેરીમાં
બાળશાળામાં
ગામમાં
ફરવા જઇએ
ભેાં ભેાં ભાં
ગધેડું ને ઘેાડું દાદા દર્શને
બાળનાટકા–ર
ગિજુભાષ ભગવાનજી બધેકા
પાઠ આપનારાઓને
મેાન્ટસેારી પતિ ખર્ચાળ છે ?
મેોન્ટેસરી શિક્ષકની દૃષ્ટિ
મેાતીયા રામજીભાઈ પડી ગયા ! ધાબીડેા ધુએ છે
પીરી અને મામાની ન્ય
વાડામાં
૪૯
રાજનીશી
આળકાના ખીરમલ ર
મારી ગાય
કાળા હાથ, કાળી દાઢી
ખળાવાડ
પૂછું ?
યુદ્ધ ચરિત્ર
ગુજરાત મહારાષ્ટ્ર (સયુક્ત) હરિશ્ચંદ્ર
નાના પાઠો
સવારથી માંડીને
મોટા પાઠા
કુદરતમાં
નાની વાતે
મેન્ટેસોરી શિક્ષણ પ્રચારમાળાનાં પુસ્તક:
કહેવતાનાં મૂળ
ગગાળા
આફ્રિકા સાંભર્યું
શબ્દપેાથી
વાક્યાથી
ચિઠ્ઠીપાથી
Page #118
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ગારીશ'કર ગોવરધનરામ જોશી.
એએ કાઠિયાવાડમાં આવેલા ગોંડલ ગામના વતની ખેડાવાળ બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ ગાવરધનરામ અને માતાનું નામ ગંગા મ્હેન છે. એમને જન્મ તા. મ્બર ૧૮૯૨ માં ગેાંડલ પાસ વીરપુરમાં થયેા હતેા.
એમણે પ્રાથમિક શિક્ષણ સાત ધારણ સુધી લીધેલું, પછી હાઇસ્કુલમાંથી સન ૧૯૨૪-૧૫ મા મેટ્રીક થયલા. ત્યાર બાદ જૂનાગઢ કૅલેજમાં જોડાયલા અને સન ૧૯૨૦ માં બી. એ, ની પરીક્ષા સાહિત્ય ઐચ્છિક વિષય લઈને પસાર કરી હતી.
એએ અત્યારે શિક્ષક છે. એમના પ્રિય વિષયે સાહિત્ય અને ઇતિહાસ છે.
ગુજરાતી સાહિત્યમાં ટુંકી વાર્તાનું સાહિત્ય છેલ્લાં વીસ પચીસ વર્ષથી ખેડાવા માંડયું છે, અને તેમાંના શરૂઆતના ઘણાખરા પ્રયત્ને અન્ય ભાષાઓમાંથી અનુવાદ માત્ર હતા. સ્વતંત્ર કૃતિએ ગણીગાંઠી નજરે પડતી. પણ એ શાખામાં—દિશામાં–કાઇએ નવી ભાત અને પ્રતિભા પાડી હોય; અને એક કુશળ અને સ્વતંત્ર લેખક તરીકે નામના મેળવી હાય તે! તેનું માન પ્રથમ, જેઓ ‘ધુમકેતુ’ના ઉપનામથી ટુંકી વાર્તાઓ લખે છે, તેમને ટે છે. ‘રાજમુગટ’ ‘પૃથ્વીશ' વગેરે લાંબી અને રાજકીય નવલકથાએ એમણે લખેલી છે; પણ તેની વસ્તુસંકલના જોઇએ તેવી સફળ થયલી જણાતી નથી તેમ તેના પાત્રા પણ આકર્ષીક નિવડે એટલાં વિકસેલાં જણાતાં નથી. પરંતુ એમની ખરી મહત્તા ઉપર જણાવ્યું તેમ એક ટુકી વાર્તાના લેખક તરીકે વધુ છે; અને ગુજરાતી સાહિત્યમાં એમનું ‘તણખા'નું પુસ્તક કાયમનું સ્થાન લેશે. આ ઉપરાંત એમણે એકાંકી તેમ ભજવી શકાય એવાં બાળનાટકા પણ લખેલાં છે. નવા સાહિત્યકારામાં તેએ! આગળ પડતું સ્થાન લે છે; અને એમના તરફથી હજુ વિશેષ મૂલ્યવાન અને તેજસ્તી સાહિત્યકૃતિએ આપણને મળતી રહેશે, એવી માન્યતા છે.
એમના ગ્રંથાની યાદી:
રાજમુગટ પૃથ્વીશ
તણખા તણખામંડળ ખીજું
પડવા
અને જાતે ખાજ જીવરામ જોશી ૧૨ મી ડિસે
પ્
સન ૧૯૨૪ સન ૧૯૨૫
સન ૧૯૨૬
સન ૧૯૨૮
સુન ૧૯૨૮
Page #119
--------------------------------------------------------------------------
________________
ચતુર્ભુ જ માર્કેશ્વર ભટ્ટે
ચતુર્ભુજ માણુકેશ્વર ભટ્ટ
એમને જન્મ સ. ૧૯૨૯ માં થયા હતા. માતાનું નામ લિલતાગવરી હતું. જ્ઞાતિએ તે ઉદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. માતૃપક્ષે શ્રી ચતુર્ભુજની માતાના પિતા જાની મેાતીરામ જ્યોતિષશાસ્ત્રમાં અને કમકાંડમાં નિપૂર્ણ હતા. એમના કુટુંબ વિષે નીચે મુજબ આખ્યાયિકા પ્રચલિત છેઃ
મૂળરાજ મહારાજ સ્થાપિત રૂદ્રમાળ પૂરા કરાવી સિદ્ધરાજે સિદ્ધપુરમાં મહારૂદ્ર કરાવ્યા, તેમાં ઔદિચ્ય બ્રાહ્મણે અધ્વર્યુ હતા; તેમને સિદ્ધપુરની દક્ષિણના ગામે અર્પણ કર્યું!. તેમાંના જે માંડલમાં વસ્યા તે માંડલીઆ રાવળ કહેવાયા. માંડલ ઉપરાંત તેમાંના કેટલાક વિરમગામમાં તેમજ ઇડરવાડાના ગામામાં જઇ વસ્યા. આ કર્મકાંડીએ ભટ્ટની અટકથી ઓળખાયા. આ માંડલી રાવળ કુટુંબના આંખેભટ નામના પુરુષ બારડેાલીમાં આવી રહ્યા. શીતળા સપ્તમીને દિવસે મૃત્યુ પામી પુનઃવિત થઇ વંશવૃદ્ધિ તેમણે કરેલી એવી આખ્યાયિકા ચાલતી હોવાથી હજુ પણ બારડેલીના માંડલીઆ રાવળનાં દોઢસા ધર શીળી સાતમને દિવસે તેમનું સ્મરણ કરે છે; એજ કુટુમ્બમાં અંબારામ ભટ્ટ થયા, જે ધાર સ્ટેટના દિવાન થયા. તે કુટુંબમાં કલેાભટ થયા, જે ઈડર સ્ટેટમાં પ્રખ્યાત થયા.
શ્રી ચતુર્ભુČજના પિતા માણુકેશ્વરજી મુંબાઈમાં મેટા વરામાં રસાઈ કરવા જતા અને રસદને સળેા સમય પ્રસિદ્ધ કથાકાર જયકૃષ્ણ મહારાની કથામાં ગાળતા. તેમને ત્રણ પુત્રા હતા. આ ત્રણ પુત્રાને ઉછેરવા ઉપરાંત ખર્ચોળ જમાનામાં કેળવવા એ તેમની આર્થિક શક્તિ બહાર હતું. ચતુર્ભુ જને તેમણે મુંબાઇ ખેલાવી અંગ્રેજી ભણવા બેસાડયા; પણ ખ ભારે થઇ પડયું. જયકૃષ્ણ મહારાજના શ્રોતાભક્ત સુરતી શેઠ ચુનીલાલ ખાંડવાળાએ ચતુર્ભુજને મદદ કરવા માંડી, અને પાછળથી તેમના પુત્ર ૐા. તુળજારામ ખાંડવાળાની સંપૂર્ણ સહાયતાથી ચતુર્ભુજે સન ૧૮૯૨માં મેટ્રાકની પરીક્ષા પાસ કરી. પછી સન ૧૮૯૯ માં હાઈકા વકીલની પરીક્ષા પાસ કરી.
વિદ્યાર્થી તરીકે તેઓ પકાયલા હતા. વર્ગમાં તેમનું સ્થાન ઉંચું રહેતું; એટલુંજ નિહ પણ ભવિષ્યના વક્તા અને લેખકની ઝાંખી તેમને કિશોર વયમાંજ કરાવેલી જણાય છે. અમદાવાદ મિશન હાઇસ્કુલના પ્રિન્સિપાલ મી. એન્ડરસને લખેલું મારા વના ઉત્તમ વિદ્યાર્થીઓમાં શ્રી ચતુર્ભુ જ
૫૧
66
Page #120
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એક છે.” વક્તા તરીકે તે સારી છાપ પાડે છે. મેટીકમાં પાસ થયેલા ત્યારે કવીશ્વર દલપતરામે લખેલું “તમે તીવ્ર બુદ્ધિવાળા છે, માટે કેળવણું પામીને ઇડર રાજ્યમાં એક રત્ન નિવડશે.” લો વર્ગના પ્રિન્સિપાલ મી. સંકે લખેલું “I have the highest opinion about Mr. Bhatt's intelligence -મી. ભટ્ટની બુદ્ધિ ઈ. બાબતમાં મારે અભિપ્રાય ઉચો છે.”
તે પછી ઈડરના મહારાજાધિરાજ સર કેસરીસિંહજીએ તેમને સ્ટેટ મુન્સફની જગા આપી હતી. સન ૧૯૦૧ના માર્ચ માસના અરસામાં ઈડર સ્ટેટે તેમની નોકરી છ માસની મુદતને માટે નામદાર અંગ્રેજ સરકારને ઉછીની આપી, ત્યારે તેમને અમદાવાદ રહેવાને પ્રસંગ પ્રાપ્ત થયેલ. તે રીચીડ પર સ્વ. ડાહ્યાભાઇ સેક્રેટરીના મકાન પાસે શા. ઉમેદરામ કાલિદાસના મકાનમાં તે વખતે રહેતા હતા. અહિં “ગુજરાતી પંચ”ના અધિપતિ અને માલિક શ્રીયુત સેમાલાલ મંગળદાસ શાહ સાથે પડોશમાં રહેતા હોવાથી મિત્રતા થયલી.
ઇડર સ્ટેટની દશ વર્ષની નોકરી દરમિયાન તેઓ સેશન્સ જડજ સુધીના હોદ્દે પહોંચેલા અને કાર્યદક્ષતા માટે પંકાયેલા. ત્યાર બાદ સાત વર્ષ તેમણે મહિકાંઠા એજન્સીમાં વકિલાત કરી. તંદુરસ્તી આદિ કારણ માટે કંઇક નિવૃત્તિ મેળવવાની સલાહ મળતાં તેઓ માણસા સ્ટેટના દિવાન નિમાયા. હાલ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી તેઓ દાંતા (ભવાનગઢ) રાજ્યના મુખ્ય દિવાનના પદે છે.
એમનાં પુસ્તકોની યાદી ઇગ્રેજી ભણીને શું કરવું ?
૧૮૮૯ શુરવીર રાયસિંહ
૧૮૯૧ પદ્માકુમારી વા આધુનિક નાટકોનો ઉદ્દેશ છે દેખાય છે તે
શે હે જોઈએ ? બાળગીત સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ
૧૯૮૪ [ ગુજરાતી પંચની ભેટ ] રત્નગ્રંથી
૧૯૧૦ સુવર્ણકુમારી [ ગુજરાતી પંચ'ની ભેટ.]
૧૯૧૪ નિર્મળા [
૧૯૨૪
પર
Page #121
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા,
બી. એ., એલ એલ. બી, ઍડકેટ, હાઈકોટ. એઓ નડિઆદના વતની છે અને જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. હેમનો જન્મ નડિઆદમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુમ્બમાં વિ. સં. ૧૯૪૦ ના પેક કૃષ્ણ ૮ મી, ઈ. સ. ૧૮૮૪ ના ન્યૂનની ૧૬ મી ને, સેમવારે થયો હતે. હેમનું કુટુમ્બ નડિયાદની નાગરી નાતમાં એક પ્રતિછિત અને શ્રીમંત કુટુમ્બ ગણાય છે. હેમના દાદા મણિશંકર ગિરિજાશંકર પંડયાની તથા હેમના પિતા નર્મદાશંકર મણિશંકર પંડયાની ગામમાં તથા નાતમાં સારી પ્રતિષ્ઠા હતી અને તેઓ બને અનેકને સલાહનું સ્થાન હતા. હેમનાં માતુશ્રી જતનલક્ષ્મી સાક્ષરશ્રી દોલતરામ કૃપારામ પંડયાના શબ્દમાં “હાલની વેલ” સમ હતાં અને ગામમાશી તરીકે સેવામય જીવન ગાળતાં. રા. ચન્દ્રશંકરને એમના પિતા તરફથી વારસામાં શાણપણ અને કાર્યકુશલતા મળ્યાં છે તે એમનાં માતા તરફથી હાલસોયો સ્વભાવ અને સેવાપરાયણતા મળ્યાં છે.
બાળપણથી જ તેઓ જ્યાં જાય ત્યાં ભાત પાડે એવા પાણીદાર હતા. તેઓ નવું નવું જાણવામાં તેમ રમવામાં બન્નેમાં એકકો હતા. તેથી “ફૂલીયા જમાદાર” નામે ઓળખાતા. હાનપણમાં બહુ તોફાની અને રમતીયાળ હતા. ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ નડિઆદમાં જ કર્યો હતે.
એઓ મૅટ્રિક્યુલેશન કલાસમાં સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી શ્રીયુત કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીના પ્રિય પટ્ટશિષ્ય હતા તેમજ હેમના શિક્ષકો અને સહાધ્યાયીઓને પ્રેમ પણ સંપાદન કરેલ.
એમનું લગ્ન ઈ. સ. ૧૮૯૬માં કાદંબરીના અનુવાદક સાક્ષર શ્રી છગનલાલ હરિલાલ પંડયાનાં છ પુત્રી શ્રીમતી વસન્તબા સાથે થયું હતું. માતલપક્ષમાં શ્રીયુત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી શ્રીમતી વસન્તબાના મામા થાય. ગોવર્ધનરામભાઈએ “સરસ્વતીચન્દ્ર”ના તૃતીય ભાગને અર્પણ પિતાનાં દ્વિતીય ભગિની સૌ. સમર્થલક્ષ્મીની સ્મૃતિને કરેલું છે. આ સંગોમાં આશ્ચર્ય નથી કે શ્રીમતી વસન્તબા સંસ્કારી હોય. રા. ચન્દ્રશંકરને અને શ્રીમતી વસન્તબાને વિવાહ બને પિતપોતાની માતાના ઉદરમાં ગર્ભ રૂપે હતાં ત્યારે તાત્કાલીન પદ્ધતિ પ્રમાણે થયું હતું. બન્ને બાળપણથી
૫૩
Page #122
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
એકબીજા સાથે રમતાં અને તેથી નહાનપણથી જ એકબીજામાં પ્રેમબીજ રેપાયેલાં અને પિષાયેલાં.
એમનામાં સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી હતા. “બુદ્ધિપ્રકાશ”ની જૂની ફાઇલો વાંચતાં વાંચતાં હેમને તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે નિબન્ધ લખવાની પ્રથમ વૃત્તિ થયેલી અને તેથી પિતાના ગામ નડિઆદમાં તાબૂતનું સરઘસ જોઈ “તાબૂત” વિષે પહેલો નિબન્ધ લખ્યો હતા. તેઓ અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે હેમણે નાટક લખવા ને કવિતાઓ રચવા માંડેલી. હેમનું પહેલું ભાષણ પણ તેજ અરસામાં “શ્રી નડિઆદ વડનગરા નાગર યુવક મંડલ”માં કરેલું અને પિતાના વક્તત્વની છટાથી શાતાઓને ચકિત કરી નાંખેલા. હાઈસ્કૂલના હેમના એક મુખપાઠનું શ્રવણ કરીને સાક્ષર શ્રી કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ પ્રસન્ન થઈને ભવિષ્ય ભાખેલું કે “ ચન્દ્રશંકર આગળ જતાં જરૂર મ્હોટા વક્તા થશે.”
ઈ. સ. ૧૮૯૮ માં ગોવર્ધનરામભાઈ હાઈકેટની વકીલાત છોડી નડિઆદ રહેવા આવ્યા ત્યારથી તે હેમના નિકટ સંસર્ગમાં આવતા થયા અને હેમને તે સંબધ ઈ. સ. ૧૯૦૭ના જાન્યુઆરીમાં ગોવર્ધનરામભાઈના અવસાન સુધી રહે. ગોવર્ધનરામભાઈને ચન્દ્રશંકર ઉપર અત્યંત પક્ષપાત હતો અને હેમને ઘણું ખરું પિતાની પાસે જ રાખતા અને સાથેજ ફેરવતા. ચન્દ્રશંકરના આત્મવિકાસમાં ગોવર્ધનરામનું અર્પણ જેવું તેવું નથી. એમની સાત્ત્વિક ઉચાભિલાષિતા અને વિચારોની પરિપકવતા મહદંશે ગોવર્ધનરામભાઈ સાથેના નિકટ સંસર્ગને આભારી છે.
શ્રીયુત ગોવર્ધનરામ ઉપરાંત શ્રીયુત મનઃસુખરામના નિકટ સંસર્ગમાં પણ તેઓ પુષ્કળ આવેલા-ખાસ કરીને કોલેજના અરસામાં વધારે, હેમની અસર પણ ચન્દ્રશંકરની મનોરચનામાં ઘણું થયેલી.
એકંદરે, ચન્દ્રશંકર ઈ. સ. ૧૯૦૦માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પહેલે પ્રયાસે પાસ થયા ત્યાં સુધીમાં અનેકદેશીય સંસ્કારી જીવનનાં બીજ હેમનામાં રોપાયેલાં દષ્ટિગોચર થવા માંડયાં હતાં. રમતગમતમાં તેમ જ વિવાદમંડલોમાં તેઓ અગ્રેસરપદ ભોગવતા-જેમ વર્ગમાં અભ્યાસમાં ભેગવતા તેમ.
હેમનું કૉલેજ-જીવન પણ ઉજવલ અને સફલ હતું. તેઓએ મુંબાઈની
૫૪
Page #123
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા
એલ્ફિન્સ્ટન કૉલેજ તથા જૂનાગઢની બહાઉદ્દીન કૅાલેજમાં અભ્યાસ કર્યાં હતા. જેવી હેમની સજ્જનતાની તેવી જ હુંમની સ્વતંત્રતાની છાપ હેમના પ્રેફેસરે અને સહાધ્યાયીએ ઉપર તેઓએ પાડી હતી. મૅથેમૅટિક્સ વિના હેમના ભક્ત વિષયેા પાકા હતા અને હેમાં પણ હુમનું અંગ્રેજી અને સંસ્કૃતનું જ્ઞાન ખાસ સારૂં ગણાતું. કૅલેજમાં વ્હેમનું નિમન્ધલેખન ખાસ પ્રશંસાપાત્ર ગણાતું અને હુંમાં તેએ ઊંચે નંબરે આવતા. ક્રીકેટ, ટેનિસ, ફૂટોલ વગેરેને તેમ જ દેશી રમતાને હેમને ખૂબ શેખ હતા. તેઓ નાથ કૈટ શીલ્ડ”માં પે!તાની કાલેજ તરફથી રમતા. બી. એ. માં હેમને ઐચ્છિક વિષય ન્યાય અને તત્ત્વજ્ઞાન હતા. તેએ ઇ. સ. ૧૯૦૬ માં બી. એ. માં સેકન્ડ કલાસમાં ઉંચે નંબરે પાસ થયા હતા.
66
એમ. એ. માં કેમિસ્ટ્રી લઇ પ્રે. ગરની ટેકનાકેમિકલ લખેોરેટરીમાં અભ્યાસ કરેલા, પરન્તુ નાદુરસ્ત તબિયતે હેમને પરીક્ષામાં બેસવા દીધેલા નિહ. એમ. એ. તે અભ્યાસ કરતે કરતે તેએ સાથે સાથે એલ એલ. બી. ની ટર્મ્સ રાખતા. ઇ. સ. ૧૯૧૩માં તેઓ એલએલ. મો, થયા. એમના જીવનમાં તે બી. એ. થયા ત્યારથી હોમરૂલ લીગની ચળવળમાં અતિશ્રમ યુક્ત અગ્રેસર ભાગ જેમા તાં દમની બીમારીના કાયમી ભાગ થઇ પડયા ત્યાં સુધીના સમય દસકા વધારેમાં વધારે અગત્યના છે. ઈ.સ. ૧૯૦૬ થી ઈ.સ. ૧૯૩૭ ની સકે હેમાં ઈ.સ. ૧૯૦૭ થી ઇ.સ. ૧૯૧૩ સુધીના વોંધ ને ઈ.સ. ૧૯૧૪ થી ઇ.સ. ૧૯૧૭ સુધીનેા ઉત્તરાધ, હાઇસ્કૂલ અને કૅલેજમાં અભ્યાસ કરતે કરતે હેમણે જે અનેકદેશીય શક્તિએ બીજરૂપે દર્શાવેલી તે ઇ,સ. ૧૯૦૭ થી ઇ.સ. ૧૯૧૭ માં સર્વનું લક્ષ ખેંચે એમ પ્રકટ અને પ્રશ્ચિત થઇ.
તેઓ સિનિયર બી. એ. ના અભ્યાસ એલ્ફિન્સ્ટન કૅલેજમાં ૧૯૦૫ માં કરતા હતા ત્યારથી હેમણે ‘સમાલેચક” ત્રૈમાસિકનું તંત્ર પોતાના હાથમાં લીધું હતું. “સુમન–સંચય" નામની લેખમાલા તેએ. તન્મય’' ઉપનામથી લખતા. તે ઉપરાંત ચરિત્રકા, નેધા, લેખે વગેરે લખતા. તે અરસામાં હેમણે કાવ્યો પણ રચવા ને પ્રકટ કરવા માંડયાં હતાં. ટ્રકામાં, તેએ કાલેજમાં હતા ત્યારથી જ બી. ગે; તો પુર્વે લેખક તરીકે અને વા તરીકે ક્રમે ક્રમે પીતા ચતા તો
3] '!
Page #124
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
બી. એ. થયા પછી હેમના લેખે અને હેમનાં કાવ્યો “સમાલોચક” વસન્ત,” “સુન્દરી સુબોધ” વગેરે તે વખતનાં શિષ્ટ માસિકમાં તેમ જ “ગુજરાતી.” પ્રજાબંધુ,” “ગુજરાતી પંચ,” “સાંજવર્તમાન,” “મુંબાઇસમાચાર” “હિન્દુસ્તાન” વગેરેના ખાસ અંકમાં પ્રકટ થતાં અને રસથી વંચાતાં. તેમના લેખોના વિચારોની પરિપકવતા અને વ્યાવહારિકતા જેટલું લક્ષ ખેંચતાં તેટલી જ હેમની શૈલીની સંસ્કારિતા અને એજસ્વિતા ધ્યાન ખેંચતાં.
તેઓ માત્ર લેખક અને વક્તા જ ન હતા, પરંતુ અનેકદેશીય સાર્વજનિક કાર્યકર્તા હતા. તે દસ વર્ષમાં એવી સાર્વજનિક પ્રવૃત્તિ મહાગુજરાતમાં ભાગ્યે હશે, જેમાં તેઓએ અગ્ર ભાગ નહિ લીધે હેય. કોંગ્રેસમાં ખરા, કૅન્ફરન્સમાં ખરા, પરિષદમાં ખરા, સંમેલનોમાં ખરા, સભાઓમાં ખરા. તેઓની સાહિત્ય ભક્તિ જેવી ઉચ્ચ ભૂમિકાની અને જ્વલંત છે તેવી જ હેમની રાષ્ટ્રભક્તિ છે. ઈ.સ. ૧૯૦૭ થી ઈ.સ. ૧૯૧૭ સુધી મુંબાઈમાં “ધી યુનિઅન” અને “શ્રી ગુર્જર સભા” સ્થાપી હેમણે ગુજરાતી યુવાનોને એકત્ર કરી તૈયાર કરવા માંડ્યા હતા. ગાંધીજી પધાર્યા પૂર્વે મુંબાઈમાં અને ગુજરાતમાં “ગુર્જરસભા” એક પ્રેરકસંસ્થા હતી અને હેના મુખ્ય સંયોજક ચન્દ્રશંકર હતા.
અનેક દેશીય પ્રવૃત્તિઓએ, હેમનાં પત્નીના અને તેમના પિતાના મંદવાડોએ, ચન્દ્રશંકરને પોતાની શક્તિઓના પ્રમાણમાં પુસ્તકોના સ્થાયી રૂપમાં ઝાઝું લખવા દીધું નથી. તેમનાં પ્રિય પત્ની સૌ. વસન્તબા ઈ.સ. ૧૯૧૬ ના એંગસ્ટમાં ગુજરી ગયા. હેમની સ્નેહમય સારવારમાં ચન્દ્રશંકરે પિતાના વકીલાતના ધંધાનો ભોગ આપ્યો હતે, પિતાની પ્રવૃત્તિઓને ભોગ આપ્યો હતો, પિતાની તંદુરસ્તીને ભોગ આપ્યો હતો. પિતાનાં પ્રિય પત્નીના અકાલ અવસાને હેમના જીવનમાં જે શૂન્યતા ઉત્પન્ન કરી છે તે એમના જેવા નેહાપજીવી આત્મા માટે અપૂરાયેલી જ રહેશે. ઈ. સ. ૧૯૧૭ ના એપ્રિલમાં હેમના પૂજ્ય પિતાજી સ્વર્ગસ્થ થયા તેથી પણ હેમને તીવ્ર હૃદયાઘાત થવા ઉપરાંત હેમના ઉપર ગૃહવ્યવહારને ભાર આવ્યો. ઇ.સ. ૧૯૧૭ માં હોમરૂલની ચળવળ પ્રસંગના - અતિશ્રમથી હેમને ઈ.સ. ૧૯૧૮ ના જાન્યુઆરીથી દમનું દર્દ લાગુ પડયું છે, જેમાંથી છેલ્લાં બાર વર્ષ થયાં તેઓ ટા થઈ શકયા નથી. હેમના લાંબા અને અશક્તિકારક મંદવાડે અને હેમની કૌટુમ્બિક વિપત્તિ
૫૬
Page #125
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા
ઓએ હેમને જીવનને ચૂંથી નાંખ્યું છે અને તેથી તેમને માટે રાખવામાં આવેલી આશાઓ હજી સિદ્ધ થઈ શકી નથી.
ઇ.સ. ૧૯૧૪ માં હેમનાં ટૂંકાં ટૂંકાં ને મીઠાં મીઠાં કાવ્યોનો સંગ્રહ યુચિત નામથી “સ્નેહાંકર' રૂપે પ્રકટ થયો. રા. ચન્દ્રશંકરમાં દલપતરામની સરલતા અને દલપતરામની પ્રવાહિતા છે, કલાપીની ભાવમયતા છે. જે તેઓ વધારે અને વારંવાર લખી શકતા હતા તે હેમનાં કાવ્યોની સરલતા, પ્રવાહિતા, મનોરંજકતા, હૃદય સ્પર્શશિતા હેમને તે છે હેમના કરતાં વધારે લોકપ્રિય બનાવત.
હાલમાં હેમનાં પચીસેક કાવ્યોની સુન્દર એકાવલિ “કાવ્ય કુસુમાંજલિ” નામે આમ મંડલમાં વહેંચાઈ હતી અને તે અનેક અનુકૂલ અભિપ્રા માટે નિમિત્ત થઈ હતી.
જેમ “રા. ચન્દ્રશંકર લેખક તરીકે વધારે સફલ કે વક્તા તરીકે એ એક એમના સંબન્ધમાં વારંવાર પૂછાતા પ્રશ્ન છે તેમ એ પણ વારંવાર પૂછાતે બીજો પ્રશ્ન છે કે “તેઓ કવિ તરીકે વધારે સફલ કે ગદ્ય લેખક તરીકે,” એવા પ્રશ્ન પૂછાયાં જ કરવાના અને યથારૂચિ એના જવાબ અપાયે જવાના. રા. ચન્દ્રશંકરે (1) નિબન્ધ, (૨) વિવેચન, (૩) ચરિત્ર, (૪) કથા એ ચારે પ્રદેશોમાં ગદ્યલેખન કરેલું છે, હેમની ગદ્યશલિ અનેકરંગી છે. તેઓને ભાષા વશવર્તિની છે. જેમ ભાષણમાં તેમ લેખનમાં તેઓ પ્રસંગ પરીક્ષક હોઇ પ્રસંગ રક્ષક છે. જેવો પ્રસંગ તેવું ભાષણ; જેવો પ્રસંગ તેવો લેખ. શું બોલતાં કે શું લખતાં હેમને ખાસ તૈયારી કરવી પડતી નથી. હેમના સામયિક પત્રોમાં વેરાયલા ગદ્ય લેખો એકત્ર થાય તો તે એક ઉપયોગી સંગ્રહ થઈ પડે. હાલ તો માત્ર હેમની “પાંચ પ્રેમકથા” અને “પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર તથા હેમના લેખ” પુસ્તકરૂપે પ્રકટ થયેલ છે.
એમનાં નવા પત્ની શ્રીમતી સુધાદેવીએ પણ એમની સાથે સંસ્કારસહકાર કરી લોકસેવા આદરી છે.
એમના ગ્રંથોની યાદી: નેહાંકર
સન ૧૯૧૫ પાંચ પ્રેમકથાઓ
બ ૧૯૧૬ પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવન ચરિત્ર. , ૧૯૧૭ કાવ્ય કુસુમાંજલિ
૧૯૩૦
પ૭
Page #126
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ચશકર અમૃતલાલ બુચ, બી. એ.,
એઓ સાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. મૂળ વતની કચ્છ રાજ્યના મુન્દ્રા ગામના, અને જન્મ ભાદ્રપદ વદ ત્રીજ સં. ૧૯૫ર ના રોજ મુંબાઇમાં થયો હતો. એમના પિતાનું નામ અમૃતલાલ જટાશંકર બુચ છે. એઓએ મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા સન ૧૯૧૮ માં
નર્સ સહિત, ભાષા (સંસ્કૃત) વિષય લઈને બીજા વર્ગમાં પસાર કરી હતી; અને તે પછી પાંચ વર્ષ સુધી સેંટ ઝેવીઅર કૅલેજમાં તેમણે સંસ્કૃત અને અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. તેમજ મુંબઈની શ્રીમભગવદ્ગીતા પાઠશાળામાં ત્રણ વર્ષ શાસ્ત્રી તરીકે કામ કર્યું હતું. અત્યારે તેઓ સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપનીના કરાંચી ઍફીસના મેનેજર છે. એમને પ્રિય વિષય સમાજશાસ્ત્ર છે. સન ૧૯૨૦ માં સુરતમાંથી “ચેતન' માસિક બહાર પડયું હતું, તેના પાછલા વર્ષ માં તેઓ સહતંત્રી હતા–પ્રથમ બટુભાઈ અને વિજયરાય વગેરે મંડળ સાથે અને પછી શ્રીમતી જયસ્ના
હેન શુકલ સાથે. એમના છૂટક લેખ અને નાટિકાઓ તે પછી અવારનવાર માસિકમાં આવતા રહી, તે વિચારપૂર્ણ જણાયાં છે. વળી "નાગરિક નામનું એક ત્રિમાસિક તેઓ રા. ડેલરરાય માંકડ સાથે કરાંચીથી બહાર પાડે છે અને તેમાં પણ એમની વિદ્વત્તા અને સંસ્કારિતાની છાપ દૃષ્ટિગોચર થાય છે. હમણું બહાર પડેલો એમને રૂદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય વિષે નિબંધ, એઓ ઐતિહાસિક અન્વેષણમાં કેટલા ઝીણું અને ઉંડા ઉતરેલા છે, એને સરસ ખ્યાલ આપે છે અને એક મૌલિક લેખ તરીકે અભ્યાસી વર્ગમાં તેને સારો સત્કાર થયેલો, એના વિષે પ્રકટ થયેલા અભિપ્રાય કહી આપે છે.
એમને ગ્રંથ: રૂદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય
સને ૧૯૨૯
Page #127
--------------------------------------------------------------------------
________________
ચ'પકલાલ લાલભાઈ મહેતાં
ચ'પકલાલ લાલભાઇ મહેતા
એ સુરતના વતની અને જ્ઞાતિએ વાલ્મિકિ કાયસ્થ છે. એમને જન્મ તા. ૩ થી સપ્ટેમ્બર ૧૮૭૬ ના રાજ સુરતમાં થયા હતા. એમના પિતાનું નામ લાલભાઇ ડાહ્યાભાઇ મહેતા અને માતાનું નામ રૂક્મિણી ઉમેદરામ દીવાનજી છે.
એમણે પ્રાથમિક કેળવણી મુંબાઇમાં લીધેલી. ઈં ગ્રેજીના અભ્યાસ સુરતમાં શરૂ કરેલેા. પછી વડેદરા હાઇસ્કુલમાં દાખલ થયલા; અને બી. એ. ની પરીક્ષા વડાદરા કાલેજમાંથી સન ૧૮૯૫ માં પાસ કરેલી. સન ૧૯૦૧ માં એલએલ. બી. થયલા; અને સન ૧૯૦૪ માં મુંબાઈ સેક્રેટરીએ એરિય’ટલ ટ્રાન્સલેટરની આપીસમાં દાખલ થયા હતા. તેઓ અત્યારે એ ખાતામાં સીનીઅર ગુજરાતી ટ્રાન્સલેટરના હાદા પર છે. એમને પ્રિય વિષય ઇતિહાસ છે અને નેકરીના કામમાંથી મળતા અવકાશ તે ઇતિહાસના પુસ્તકાના વાચન અને તે ગ્રંથાના અનુવાદ કરવામાં વ્યતીત કરે છે. સન ૧૯૦૯ માં એમણે સર આલ્ફ્રેડ લાયલકૃત The Rise of British Dominion in India હિન્દુસ્તાનમાં ઈંગ્રેજી રાજ્યના ઉદય એ નામથી અનુવાદ ગુ. વ. સાસાયટીને કરી આપેલેા. સન ૧૯૧૧ માં ‘બ્રિટિશ રિયાસત નામનું મેટું ૮૦૦ પાનાનું પુસ્તક મરાઠીમાંથી એજ સંસ્થા માટે લખી આપ્યું હતું. તે પછી એમણે ઉદાર મતવા’ અને ‘સંરક્ષણવાદ' એ બે પ્રસિદ્ધ ઈંગ્રેજી પુસ્તકાના તરજુમા કર્યાં છે તેમજ જયસવાલકૃત IHindu Polity-હિન્દુ રાજ્ય વ્યવસ્થા એ નામનું પુસ્તક તૈયાર કરી આપવાનું કાંઇ સ્વીકારેલું છે.
એમના ગ્રંથેાની યાદી:
હિંદુસ્તાનમાં ઈંગ્રેજી રાજ્યના ઉદય
""The Rise of British Dom inion in India" તે અનુવાદ]
બ્રિટિશ રિયાસત-પૂર્વાધ-[મરાડીના અનુવાદ] નવીન જાપાનની ઉત્ક્રાંતિ.
[Evolution of New Japan' ને અનુવાદ
પ્રાચીન હિંદુસ્તાનમાં સ્થાનિક સ્વરાજ્ય
સન ૧૯૦૯
સન ૧૯૧૧
સન ૧૯૨૧
સન ૧૯૨૪
[‘Local Self Government in Ancient India'નું ભાંષાંતર
'૫
Page #128
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી
એએ કાઠિયાવાડમાં આવેલ ગોંડળના મૂળ વતની; પણ અત્યારે લાંબા સમયથી કલકત્તામાં વસે છે. તે જાતે ભાટીઆ છે. એમના પિતાનું પૂરૂં નામ વિઠ્ઠલદાસ દામેાદર ઉદેશી, અને તેમની માતાનું નામ ડાહીબ્ડેન ત્રીકમજી વે છે. એમના જન્મ સં. ૧૯૪૮ ના ચૈત્ર વદ ૧૨ ને રાજ ટંકારામાં થયા હતા.
એમણે મેટ્રીક સુધીના અભ્યાસ કર્યાં છે. સન ૧૯૦૭ માં ‘સુંદરી સુખાધમાં પ્રથમ લેખ લખી મેાકલેલા, તે પછી એમની કલમને પ્રવાહ સતત્ ચાલુ રહ્યા છે. છેલ્લાં નવ વર્ષથી ‘નવચેતન’ નામનું એક સચિત્ર માસિક છેક કલકત્તામાંથી કાઢે છે, તે જેમ ગુજરાતી સંસ્કૃતિને પગદ"ડા અને અસર એટલા દૂરના પ્રદેશમાં જીવંત અને ગતિમાન રાખવામાં જેવી મુશ્કેલીઓ છે તેવી ત્યાંથી એક ગુજરાતી માસિક ચલાવવામાં રહેલી છે.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ‘નવચેતન’ જેવું એક મોટું, સચિત્ર અને લેાકેાપયેાગી વાચન સાહિત્ય પૂરૂં પાડતું માસિક, ભારે ખર્ચ વેઠી અને પુષ્કળ શ્રમ લઇને નભાવવું, એ ખરે એક સાહસ છે; અને તે બદલ તેના તંત્રીને ખચિત્ અભિનંદન ધટે છે. વળી વિશેષ ખુશી થવા જેવું એ છે કે ત્યાં કલકત્તામાં તેમણે ગુજરાતીઓનું એક કેન્દ્ર સ્થાપ્યું છે; જેથી ગુજરાતી જીવન ચેતનવંતુ રહે અને તેની અસર વિસ્તરે.
‘નવચેતન' નિકળ્યું તે પહેલાં ‘કવિતા કલાપ' અને ‘કેટલાક સંવાદે,’ એ એ પ્રથા પ્રકટ કરી તેમણે એક સારા કવિ અને લેખક તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. એમની નવલકથાએ ‘જંજીરને ઝણકારે’ અને ‘તાતી તલ્વાર’ મધ્યકાલીન ભારતના રાજપુત જીવનની શૌય અને પ્રેમકથાના પ્રસંગે આલેખતી, વાચકવર્ગમાં વખણાઇ છે. પ્રથમ નવલકથાની ત્રણ અને બીજીની એ આવૃતિએ નીકળી ચૂકી છે. આ બેઉ કૃતિએ મુંબઇની કૃષ્ણ પીલ્મ કંપનીએ ચિત્રપટ પર ઉતારી છે.
એમને કળા પ્રતિ ખાસ આકર્ષીણુ છે; અને ‘નવચેતન’ દ્વારા પ્રજામાં એ શેાખ કેળવવાના એએ સ્તુત્ય પ્રયત્ન સેવી રહ્યા છે.
એમના ગ્રંથાની યાદી:
કવિતા કલાપ કેટલાક સંવાદો
જંજીરને ઝણકારે તાતી તલ્વાર
૬ ૦
સન ૧૯૧૮
૧૯૧૯
,,
29
,
૧૯૨૬
૧૯૨૯
Page #129
--------------------------------------------------------------------------
________________
ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી
ચિમનલાલ દામેાદરદાસ ત્રિપાઠી (‘”)
તેઓ અમદાવાદ પાસે સરખેજના વતની છે. જ્ઞાતિએ ચાતુર્વેદી મેઢ બ્રાહ્મણ છે. સરખેજનાં માસ્તર દામેાદરદાસ રણછેાડભાઇ ત્રિપાઠીના તે વચલા પુત્ર છે. તેમનાં માતુશ્રીનું નામ રૂક્ષ્મણી દલસુખરામ છે. તેમને જન્મ ઇ. સ. ૧૮૮૭ માં અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં જ્યાં તેમના પિતા ગુજરાતી શાળામાં હેડમાસ્તર હતા, અને તેમનાં માતુશ્રી કન્યાશાળામાં હેડમિસ્ટ્રેસ હતાં, ત્યાં થયા હતા. તેમનાં માતા પિતાએ પેાતાની નોકરી દરમિયાન ઉચ્ચ કતવ્યનિષ્ઠા તથા બાહેાશીથી અપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને તેમના ઉચ્ચ ગુણા તેમના ત્રણે પુત્રામાં ઉતરેલા છે. જગન્નાથ, સ્વ માસ્તર દામેાદદાસના જ્યેષ્ઠ પુત્ર થાય, જેએ “ દીવાને સાગર”ના કર્તો તથા ગુજરાતી ગઝલિસ્તાન”ના સંગ્રહકાર “સાગર” ઉપ નામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે; ચિમનલાલ વચલા પુત્ર તથા મણિભાઇ કનિષ્ટ પુત્ર છે.
ઇ. સ. ૧૯૦૯ માં મુંબઇ યુનિવસિટિની પ્રીવીઅસની પરીક્ષામાં નિષ્ફળ થયા પછી ચિમનલાલે વિદ્યા પ્રત્યે અનન્ય પ્રીતિ છતાં “પ્રણયચિન્તા”ને લીધે અધ્યયનના ત્યાગ કરેલે અને શિક્ષક તરીકે જીવન શરૂ કરેલું. હાલ તે નડીઆદની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક છે.
એમના પ્રિય વિષયે સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય છે. તેઓએ એક કવિ તરીકે જાણીતા થયલા છે, અને એમને કાવ્યસંગ્રહ“હૃદયકુંજ” નામથી ઇ. સ. ૧૯૧૧ માં પ્રસિદ્ધ થયા છે. તેમાં ઇ. સ. ૧૯૦પ થી ૧૯૦૯ સુધીનાં કાવ્યાને સમાવેશ થાય છે. તેમની કવિતામાં નીતિ અને સ્નેહ પ્રતિ વિશેષ ક રહે છે, તેમજ દિવ્ય શ્રદ્ધા અને ઇશ્વરભક્તિનું પ્રાબલ્ય જણાય છે. તેમણે ઇ. સ. ૧૯૦૫ માં માસિકામાં લેખે, કાવ્યા વગેરે લખવાનું શરુ કરેલું. એમના લેખા, કાવ્યે, વગેરે બુદ્ધિપ્રકાશ,” “સુદર્શન,” સુન્દરી સુધ,” અને ‘જ્ઞાનસુધા”માં અવારનવાર પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. એમની લેખનશૈલી સરળ અને શિષ્ટ છે. એમણે એમના નિબન્ધામાં ચરેલા કેટલાક મુદ્દાઓ વિચારણીય જણાશે. હૃદય જ” જેવા બીજો એક સંગ્રહ થઇ શકે તેટલાં તેમનાં કાવ્યે છૂટક છૂટક પ્રસિદ્ધ થયેલાં છે.
એમના ગ્રંથઃ
66
‘ હૃદયકુંજ ’’
૬૧
ઇ. સ. ૧૯૧૧
Page #130
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ચુનીલાલ વર્ધમાન શાહ - એઓ જ્ઞાતે દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન વણિક અને વઢવાણના વતની છે. તેમને જન્મ વઢવાણ શહેરમાં તા. ૨ જી મે ૧૮૮૭ ના રોજ થયેલો. પિતાનું નામ વર્ધમાન ફુલચંદ શાહ અને માતુશ્રીનું નામ નાથીબાઇ છે. તેઓ સને ૧૯૦૩ માં મેટ્રીક થયેલા, તે પછી તરત પત્રકારિત્વ Journalism ના ધંધામાં પડેલા. છેલ્લાં ૨૧ વર્ષથી તેઓ “પ્રજાબંધુ'ના ઉપતંત્રી છે; અને એક જવાબદાર અને કર્તવ્યનિષ્ઠ પત્રકાર તરીકે તેમણે સારી નામના પ્રાપ્ત કરેલી છે. ખાસ કરીને સદરહુ પત્રમાં ગયાં દસેક વર્ષથી દર પખવાડીએ સાહિત્યની ચર્ચા, “સાહિત્ય પ્રિય” એ સંજ્ઞા નીચે લખી, ગુજરાતી પત્રકારિત્વમાં એક નવું તત્ત્વ દાખલ કરવાને એમને યશ ઘટે છે. એ સાહિત્ય ચર્ચામાંના અભિપ્રાય જેમ તટસ્થ અને ન્યાયી તેમ ગંભીર અને વિચારશીલ હોય છે; અને તે કારણે તે સાહિત્ય રસિકમાં વિશેષ રસપૂર્વક અને હેસથી વંચાય છે; એટલું જ નહિ પણ અન્ય પત્રકારો અને લેખકેએ એ રીતિનું અનુકરણ કર્યું છે, તે એ કલમને માટે પત્રના પ્રયોજકે ખચિત મગરૂરી લેવા જેવું છે. “પ્રજાબંધું પત્રની સામાન્ય ખીલવણમાં પણ તેમને હિસ્સો મહત્ત્વનું છે.
એક પત્રકારનું જીવન અતિ વ્યવસાયી, શ્રમભર્યું અને દોડધામનું હોય છે, તેમ છતાં એઓ હમેશ પિતાનું વાચન અને અભ્યાસ આગળ વધારતા રહેલા છે. વળી વધારે સંતોષકારક એ છે કે જે કાંઈ ફાજલ વખત મળે તેને નિયમિત રીતે સદુપયોગ કરીને તેઓ એમની લેખન પ્રવૃત્તિ ટકાવી રાખવા શક્તિમાન થયા છે.
નીચે નેધેલી એમના ગ્રંથેની સૂચિ પરથી જોઈ શકાશે કે ગુજરાતી સાહિત્યમાં એમનો ફાળે, ખાસ કરીને ઐતિહાસિક વાર્તાઓમાં, હાસુને. નથી તેમ અવગણાય એમ નથી. તે ઉપરાંત તેમની નવલિકાઓ, કેટલીક નવલકથાઓ અને નિબંધે હજી પુસ્તકાકારે પ્રકટ થયા વિનાના રહ્યા છે.
એમના ગ્રંથોની યાદી: ૩ અઢારમી સદીનું મહારાષ્ટ્ર,
સન ૧૯૧૦ મિરાઠી “અજંક્ય તારા”ને આધારે ૨ કાશ્મીર અને કેસરી
સન ૧૯૦૮ હિંદી “કાશ્મીર પતનને આધારે) ૯ ગુજરાતની ગર્જના અથવા હેમાચાર્યનું જીવનસૂત્ર સન ૧૯૧૭
૬૨
Page #131
--------------------------------------------------------------------------
________________
૪ ધારાનગરીને મુંજ
ચુનીલાલ વમાન શાહ
[મરાઠી-અવિચારાચા પરિણામ’“ને આધારે]
છ પાટણની પડતીનેા પ્રારંભ [બંગાળીને આધારે ૧ પ્રમેાદા અથવા દિલેર દિલારામ
૬ સામનાથનું શિવલિંગ ૧૨ વિમળા
૧૩ લતા અને લલિતા ભા, ૧ થી ૫
૧૪ સુધરેલી સંગીતા
૧૫ ભાગ્યચક્રના મહામંત્ર ૧૬ નોકરીના ઉમેદવાર
[હિન્દી—“હીરામા”ને આધારે]
૧૧ માયાવી મસ્તક યાને સાહસની પ્રતિમા ભા. ૧ થી ૩ સન ૧૯૨૩-૨૪ [રેનેાલ્ડઝના Pope Joanને અનુવાદ]
૧૦ મૂળરાજ સોલ
સન ૧૯૨૦
૮ વસઇના ઘેરા [મરાઠી–વસચા વેઢા”−ને આધારે] સન ૧૯૧૬ ૫ સિંધ ઉપર સ્વારી
સન ૧૯૧૨
૧૭ ન્યાયના ખૂનમાં નીતિ! ૧૮ વિચિત્ર પ્રેમપખિણી
૧૯ ચાંપરાજ હાડા [નાટક] ૨૦ કામરૂ દેશની કુટીલ કામિની
સન ૧૯૧૧
સન ૧૯૧૫
સન ૧૯૦૭
૨૭ સવષ્ણુ–પ્રતિમા [ડિટેકટીવ નવલકથા] ૨૮ સચિત્ર પ્રેતાત્મ વિદ્યા
સન ૧૯૧૩
સન ૧૯૦૫
સન ૧૯૦૮ થી ૧૯૧૯
[Spiritualism ના ત્રÛાને આધારે ]
૬૩
સન ૧૯૧૧
સન ૧૯૧૪
સન ૧૯૧૫
[‘માયાવિની' ખેંગાળી પરથી−ડિટેકટીવ નવલકથા
સન ૧૯૧૬
સન ૧૯૧૦
સન ૧૯૦૬
સન ૧૯૦૯
૨૧ અંગ જાગૃતિ [મરાઠી પરથી-નાટક] ૨૨ કવ્ય-કામુદી [મૂળ સંસ્કૃત પરનું વિવેચન ૨૩ ભક્તામર મંત્ર મહાત્મ્ય [હિંદી પરથી] ૨૪ સુખાધક કથાપચક
૨૫ નવદંપતીને શિખામણ
[બંગાળી યુવક યુવતી'ને આધારે મ. જે. વ્યાસ સાથે] ૨૬ પિશાચ-મંદિર
સન ૧૯૦૯
સન ૧૯૧૪
સન ૧૯૧૫
સન ૧૯૧૬
સન ૧૯૧૮
[નાલ્ડઝના ‘Bronze statue' ને અનુવાદ]
સન ૧૯૧૮–૧૯
સન ૧૯૨૨
સન ૧૯૨૭
Page #132
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છગનલાલ વિધારામ રાવળ
એએ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. લુણાવાડાના વતની, અને જન્મ પણ ત્યાં ફાગણ સુદ ૮ સ. ૧૯૧૫ ના રાજ થયા હતા. એમના પિતાનું નામ વિદ્યારામ અને માતાનું નામ ઝવેરઆઇ છે. સન ૧૮૮૧ માં તે છે. રા. ટ્રેનિંગ ફૅાલેજમાંથી ત્રીજા વર્ષમાં પાસ થઈ, સરકારી કેળવણી ખાતામાં દાખલ થયેલા, તે સન ૧૯૧૫માં પાંત્રીસ વર્ષની નાકરી કર્યા પછી નિવૃત્ત થયેલા.
પ્રાચીન સાહિત્યના સંશોધક અને સગ્રહકાર તરીકે તે વધારે જાણીતા છે અને એક મહેતાજી તરીકે એમનું એ કા વિશેષ પ્રશંસાપાત્ર છે. આ પ્રકારની શેાધ માટે તેમને વડાદરા અને સુરતની સાહિત્ય પરિષદ સેાના અને રૂપાના મેડલ આપ્યા હતા.
એમણે લુણાવાડા, ઝઘડીઆ, નાંદોદ, છેટાઉદેપુર વગેરે ભાગામાં, જ્યાં જ્યાં નાકરી અંગે રહેવાનું થયેલું ત્યાં ત્યાંથી આસપાસ ફ્રી જુનાં હસ્તલિખિત પુસ્તકા મેળવ્યાં હતાં; અને સ્વ. શેઠ પુરૂષાત્તમ વિશ્રામ માવજી સંગ્રહસ્થાનને ગુજરાતી હસ્તલિખિત પુસ્તકસંગ્રહ છે, તે એમણે જ એકઠા કરી આપ્યા હતા; વળી તેમાંના અપ્રસિદ્ધ અને અગત્યના કાવ્યગ્રંથાના પ્રકાશનનું કાર્ય શેઠની સહાયતા વડે એમણે આરંભ્યું હતું, જેના પાંચ ગ્રંથ “ પ્રાચીન કાવ્યસુધા ” એ નામથી પ્રસિદ્ધ થયલાં છે અને ખીન્ન એ ભાગા પૈકી પ્રાચીન કાવ્યવિનાદ ભાગ ૧ લે। આદિત્ય મુદ્રણાલયમાં છપાય છે તે ખીજો ભાગ છપાવવાના બાકી છે. આ પરથી એ વિષય પ્રતિ એમને કેટલા બધા અનુરાગ અને એને અભ્યાસ છે, તેની પ્રતીતિ થશે.
એક શિક્ષક સામાન્ય રીતે ગામડામાં વૈદ પણ થઇ શકે છે; એ રીતે એ ક્ષેત્રમાં પણ એમણે સારૂં નાન પ્રાપ્ત કરેલું છે. જીનાં પુસ્તકામાંથી જે વૈદ્યકત્ર થા એમને મળી આવેલાં, તેને સારાહાર કરી, “ વૈદ્યવિલાસ '' એ નામથી ત્રણ-ભાગે “ગુજરાતી” પ્રેસ મારફત એમણે બહાર પાડેલા છે. ખાળગીત અને ખાળવાર્તા, એ વિષયેામાં તે। શિક્ષકે તૈયાર રહેવુંજ જોઇએ અને તે માટે એમણે તૈયાર કરી છપાવેલેા ગુજરાતના રસકલ્લાલ અને બાળવાર્તાઓના સંગ્રહ, ( ઠંડા પહેારની વાતા ભા. ૧ લેા ) શિક્ષકવને તેમજ બાળકાના માતિપતાને ખાસ ઉપકારક થઇ પડશે.
૬૪
Page #133
--------------------------------------------------------------------------
________________
છગનલાલ વિદ્યારામ રાવળ
એવી જ રીતે જુના સ્વરવિભાગના ગુજરાતી શબ્દને સંગ્રહ કરેલ તે ગોંડળ જ્ઞાનકેષમાં દાખલ કરવા એમણે મોકલી આપ્યો છે.
આમ એમની સાહિત્ય સેવા ઉપયોગી અને સ્તુત્ય છે; અને એક શિક્ષક તરીકે એમને જેબ આપે એવી છે.
એમના ગ્રંથની યાદી ૧ (ચોખવટ) સ્વચ્છતા [૭ આવૃત્તિઓ થઈ છે] સન ૧૮૯૧ ૨ ઋતુ વર્ણન કાવ્ય
૧૯૮૬ ૩ જાવજીનું જીવન ચરિત્ર [મરાઠી પરથી]
૧૮૯૭ ૪ પંચૅકિય ચરિત્ર [વિધવિધ હિન્દી કાવ્યસંગ્રહ]
૧૮૯૮ ૫ સજજન તે સજજન [મરાઠાને અનુવાદ]
૧૯૦૫ ૬ મનુનાં નીતિવચનં ભા. ૧ (મરાઠીનું ભાષાંતર) ૭ રાજપીપળા સ્ટેટની ભૂગોળવિદ્યા
૧૯૧૦ ૮ વૈદિક વિલાસ ભા. ૧
૧૯૧૫ ૯ , , ભા. ૨
૧૯૧૭ ૧૦ , , ભા. ૩
૧૯૨૬ ૧૧ જીવહિંસા નિષેધ ભા. ૧ (બે આવૃત્તિઓ
૧૯૧૩ ૧૨ ), ભા. રજે
૧૯૨૩ ૧૩ બ્રિટિશ રાજ્ય પહેલાં ગુજરાતની આર્થિક સ્થિતિ ૧૪ કવિ પ્રેમાનંદકત વિષ્ણુસહસ્ત્ર નામ [કાવ્ય] ,
૧૯૨૦ ૧૫ વિલાસિની અથવા સત્યને જય [મરાઠીને અનુવાદ] ૧૬ પ્રાચીન કાવ્ય સુધા ભા. ૧
૧૯૨૨ ૧૭ ) ભા. ૨
૧૯૨૨ ભા. ૩
૧૯૨૪ ભા. ૪
૧૯૨૪ ભા. ૫
૧૯૨૪ ૨૧ ઠંડા પહેરની વાતે ભા. ૧
૧૯૨૫ ૨૨ બાદશાહી વખતમાં કાજીઓના ઇન્સાફ ૨૩ ગુજરાતના રસ કલોલ
૧૯૨૯
૧૮
છે
૧૯૨૮
Page #134
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છગનલાલ હરિલાલ પંડયા
જાતે વડનગરા નાગર બ્રાહ્મણ, વતની નડિયાદના. એમને જન્મ. ઈ. સ. ૧૮૫૯ માં નડિયાદમાં થયો હતે. એમનાં માતુશ્રીનું નામ બેનબા કિરપાદત્ત પંડયા હતું. એમણે ગુજરાતી તથા અંગ્રેજી શિક્ષણ નડિયાદમાં જ લીધું હતું, અને મેટ્રીક પાસ થયા બાદ ઉચી કેળવણી મુંબઈની એલ્ટીન્સ્ટન કૅલેજમાં લીધી હતી.
એઓએ ઈ. સ. ૧૮૮૦ ના વર્ષમાં બી. એ. ની પરીક્ષા સેકન્ડ ક્લાસમાં “એનસ” સાથે પાસ કરી હતી. તે ઉપરાંત ઇતિહાસના વિષયમાં ઉંચામાં ઉંચા માર્ક મેળવવાથી તેમને જેમ્સ ટેલર પ્રાઈઝ, તથા ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં પ્રથમ સ્થાને આવવાથી ઇંગ્લંડન કૅન્ડન કલબ મૅડલ મુંબઈ યુનીવર્સીટી તરફથી મળ્યાં હતાં. આવી રીતે એલફન્સ્ટન કૉલેજમાંથી તેઓ ઉચ્ચ પદે ઉત્તીર્ણ થયેલા હોવાથી તેમને તે કોલેજમાં એનરરી દક્ષિણ ફેલ નીમવામાં આવ્યા હતા. . કૅલેજમાં એમના સહાધ્યાયીઓમાં પ્રોફેસર નરસિંહરાવ ભેળાનાથ દિવાટીઆ, ( હાલ દિવાન બહાદુર) કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ દ્વિવેદી, તથા સ્વ. રા. બ.કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વિ. વિખ્યાત પુરૂષ હતા.
એમનું પ્રથમ લગ્ન સ્વર્ગથે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનાં નાનાં બેન સૌ. સમર્થ લક્ષ્મી જોડે ઇ. સ. ૧૮૭૨ માં થયું હતું. એમના જ્યેષ્ઠ પુત્ર છે. કાન્તિલાલ પંડયા. (એમ. એ., પી. એચ. ડી, લંડન, વિ.) એક ગુજરાતી સાકર અને વિજ્ઞાન શાસ્ત્રના ઉંડા અભ્યાસી તરીકે સુપ્રસિદ્ધ છે. એમની પુત્રી સૌ. વસંતબાનું લગ્ન વિખ્યાત વક્તા અને વિદ્વાન ચંદ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ., એલ. એલ. બી, એડવોકેટ, જોડે થયું હતું, પરંતુ તેઓ નાની વયે ઈ. સ. ૧૯૧૬ માં મૃત્યુ પામ્યાં છે.
કોલેજમાંથી છુટા થયા બાદ તેઓ રાજકેટ, ભાવનગર તથા અમદાવાદ હાઈસ્કૂલમાં ક્રમસર શિક્ષક નીમાયા હતા. તે પ્રસંગે તેમને હાલના માનવંતા સર પ્રભાશંકર પટ્ટણી, સર મનુભાઈ (માજી દીવાન, વડોદરા,) તથા હાલના દિવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી વિગેરેને શિક્ષણ આપવાનું માન મળ્યું હતું.
Page #135
--------------------------------------------------------------------------
________________
છગનલાલ હરિલાલ પંડયા
. સ. ૧૮૮૫ માં તેઓ મુંબઈની મ્યુનીસીપલ ગુજરાતી શાળાએના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર નીમાયા હતા. ત્યાંથી ઈ. સ. ૧૮૮૭ માં તેમની નોકરી બ્રીટીશ સરકારે સંસ્થાન જુનાગઢને ઉછીની આપી હતી અને તે રાજ્યમાં તેઓ (હાલ સ્વર્ગસ્થ) દેસાઈ હરિદાસ વિહારીદાસ, દિવાન સાહેબની ઓફીસના સુપરિન્ટેનડેન્ટ નીમાયા હતા. તે કામ ઉપરાંત રાજ્યનાં અનેક ખાતાનાં કામો તેમને વખતેવખત સેંપાતાં હતાં, છતાં તેમણે પ્રમાણિકપણે અને એકનિષ્ઠાથી એજ ઓફીસમાં ઉત્તરોત્તર ઘણું દિવાન સાહેબના હાથ નીચે નોકરી કરીને સર્વનો સંતોષ મેળવ્યો હતે. કેટલીક વાર તેમને એકિંટગ દિવાન તરીકે કામ કરવાનો પણ અવસર પ્રાપ્ત થયો હતો. બે ત્રણ વર્ષ તેઓ મુંબઈ યુનીવસટીની સ્કૂલ ફાઇનલ તથા મેટ્ટીક્યુલેશનની પરીક્ષામાં “ગુજરાતી”ના વિષયમાં પરીક્ષક પણ નીમાયા હતા.
તે ઉપરાંત તેમણે જુનાગઢના ખુ. નવાબસાહેબ સર રસુલખાનજીની પણ સેવા ખરા દીલથી કરીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. નવાબ સાહેબને ઈંગ્લેંડ જવાનું ઠરતાં તેમની ગેરહાજરીમાં દિવાનપદ સ્વીકારવાનું તેમને તેઓશ્રીએ આગ્રહપૂર્વક કહેલું છતાં છગનલાલભાઇએ તેમની સહજ નમ્રતાથી તે પદને વિવેકપુર સર અસ્વીકાર કર્યો હતો.
ઈ. સ. ૧૯૧૦ માં તેઓ નામદારનો અકાલ સ્વર્ગવાસ થવાથી જાનાગઢમાં બ્રીટીશ એડમીનીસ્ટ્રેશનની સ્થાપના થઈ ત્યારે પણ છગનલાલને એડમીનીસ્ટ્રેટર મિ. રેડોલે તથા તેમના પછી મિ. રોબર્ટસને ઘણી ખમદારી ભરેલી નોકરી સોંપીને પોતાને વિશ્વાસ પ્રતીત કર્યો હતો. તે એટલે સુધી કે ઈ. સ. ૧૯૧૪ માં તેઓ બ્રીટીશ સર્વસમાંથી પંચાવન વર્ષની વયે પેન્શન પર નિવૃત્ત થયા તે છતાં એડમીનીસ્ટ્રેટર સાહેબે તેમની નોકરી જુનાગઢ સ્ટેટમાં ચાલુ રાખી હતી ને તેમને કેળવણી ખાતાના ઉપરી અધિકારી નીમ્યા હતા. આ પ્રમાણે દશ વર્ષ એડમીનીસ્ટ્રેશન ચાલ્યું તે દરમ્યાન તેમણે વિવિધ ખાતાના ઉપરી અમલદાર તરીકે કામ કરીને સર્વની પ્રીતિ સંપાદન કરી હતી, અને ગુજરાતી શિક્ષકોના પગારના ઉંચા ગ્રેડ બાંધીને તેમજ ગુજરાતી શાળાઓ સાથે ઈગ્રેજી વર્ગ, બાળક તથા બાલિકાઓ માટે જોડીને કેળવણીની પ્રગતિમાં સંગીન વધારો કર્યો હતે.
ઈ. સ. ૧૯૨૦ માં હાલના નામદાર નવાબ સાહેબ શ્રી મહાબત ખાનજી રાજ્યાસને આરૂઢ થયા ત્યારે તેઓશ્રીએ તેમની દીર્ધકાળની
Page #136
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સતાષકારક નેકરીની કદર કરીને તેમને રાજકાટ ખાતે કાઠીઆવાડના એજંટ ટુ ધી ગવર્ સાહેબતી પાસે પોતાના પ્રતિનિધિ તરીકે રૂ ૫૦૦) ના પગારથી નીમ્યા હતા. તે હાફા ઉપર તેઓ ચાર વર્ષી રહ્યા તે દરમ્યાન તેમણે મે. મેકાનેાટન સાહેબ–(એજંટ ગવર્)ની પ્રીતિ સંપાદન કરી હતી અને તેમને આંખની ઈજા દેખાવા માંડયાથી ઇ. સ. ૧૯૨૪ માં તેએએ જુનાગઢ સ્ટેટની નેકરીમાંથી નિવૃત્તિ મેળવી હતી.
તેમનું ખીજું લગ્ન મુંબઈના સુપ્રતિષ્ઠિત સાક્ષર-સ્વસ્થ ઝવેરીલાલ ઉમિયાશ’કર યાજ્ઞિકનાં પૌત્રી સૌ. નિ`ળલક્ષ્મી તેડે ઈ. સ. ૧૮૯૬ માં થયું હતું.
સસ્કૃત મહાકવિ શ્રીમદ્ બાણુભટ્ટ વિરચિત કાદમ્બરી નામે કઠિન પણ અતિ રસિક કથાનું ગુજરાતી ભાષાન્તર તેમણે ઇ. સ. ૧૮૮૨ માં પ્રથમ પ્રસિદ્ધ કર્યું ત્યારથી તેની એટલી પ્રશંસા થવા લાગી કે ઉત્તરાત્તર તેની વિવિધ આવૃત્તિયેા પ્રસિદ્ધ થવા પામી. હજી પણ એ ગ્રંથ મુંબઈની યુનીવર્સીટીએ ટેક્સ્ટ બુક તરીકે પસંદ કરેલેા છે અને કૅલેજના વિદ્યાર્થીએને તે અતિ ઉપયોગી થઈ પડેલે છે તેથી એક ઉત્તમ ગ્રંથ રૂપે તે ગુર્જર પ્રજાને આદરણીય થઇ પડેલે છે, અને તેના ઉપરથી કવિશ્રી લચંદભાઇએ મહાશ્વેતા-કાદમ્બરીનું અતિ મનેર નાટક રચીને તેની ખ્યાતિમાં વધારે કર્યો છે.
ઇ. સ. ૧૯૨૮ માં નડિયાદ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષની નવમી બેઠક ભરાઈ હતી તે પ્રસંગે એમને સ્વાગતમડળના અધ્યક્ષનું સ્થાન આપવામાં આવ્યું હતું.
નિવૃત્તિ સમયમાં તેએ સાહિત્યના વાચન તથા લેખનમાં આનંદ લે છે, અને ગુજરાતી વાચકોના મ્હોટા સમુદાયને તેમજ બાળવર્ગને રૂચિકર થઇ પડે એવી, ધ-નીતિને મેધ આપનારી વિવિધ આખ્યાયિકાએ વિગેરે અનેક માસિકામાં વારવાર પ્રકટ કરીને સાહિત્યની ઉન્નતિ પ્રતિ પેાતાના પ્રેમ હજી પણ દર્શાવે જાય છે તે તેમની ઉત્તરાવસ્થામાં હુ સતાષદાયક છે.
એમના ગ્રંથાની યાદીઃ
૧. કાદમ્બરી-સટીક-ગુ. ભા,
૨. ક્રાઇસ્ટનું અનુકરણ, પુ. ૧-૨ (અનુવાદ)
e
ઈ. સ. ૧૮૮૨
ઈ. સ. ૧૯૧૫
Page #137
--------------------------------------------------------------------------
________________
છગનલાલ હરિલાલ પંડયા
૩. સચિત્ર ગુજરાતી મૂળાક્ષરનાં પાનાંની પેટીઓ--
બાળકને આનંદ સાથે બેધ આપનારી - ઈ. સ. ૧૯૧૬ ૪. એક અપૂર્વ લગ્ન (નવલકથા) ઈગ્રેજી ઉપરથી સુચિત ઈ. સ. ૧૯૧૬ . ૫. મને રંજક વાર્તાવલિ–ભાગ ૧-૨
| ( ભિન્ન ભિન્ન લેખોને સંગ્રહ) ઈ. સ. ૧૯૧૮) ૬. બેટને ઉપદેશ (ભાષાન્તર) નામદાર ગાયકવાડ
સરકારના કેળવણુ ખાતાએ પ્રસિદ્ધ કરેલી ગ્રંથમાળાના મણકા રૂપે
ઈ. સ. ૧૯૧૮ ૭. વિશુદ્ધ સ્નેહ (નવલકથા) અંગ્રેજી ઉપરથી સૂચિત ઈ. સ. ૧૯૧૯ ૮. બાલ-કાદમ્બરી (વિદ્યાર્થીઓ માટે)
ઈ. સ. ૧૯૧૯ ૯, સંક્ષિપ્ત કાદમ્બરી અને વાસવદત્તા
ઈ. સ. ૧૯૨૫
Page #138
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
છોટાલાલ નરભેરામ ભટ્ટ
એમને જન્મ મહેમદાવાદમાં ઈ. સ. ૧૮૫૦ માં થયો હતો; જો કે તેમનું વતન અલીંદ્રામાં (તાલુકે માતર) છે. તેમના પિતાના સાધને સંકુચિત હોવાથી નાનપણમાં કેળવણી પિતાના મોસાળમાં–મહેમદાવાદમાં લીધી હતી. ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી શિક્ષકની નોકરી લીધેલી. તેમણે થોડે ઘણે અંગ્રેજી અભ્યાસ પણ કર્યો છે. સુરતની ટ્રેનિંગ સ્કુલમાં પાસ થઈ, ભરૂચ છલામાં નોકરી લીધી. તે વખતે કોઈ વિદ્વાનનો સમાગમ થવાથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદ્યક અને પુરાણોને અભ્યાસ તેમણે કરી લીધું. બચપણથી જ તેમને કવિતા કરવાને શેખ હતા અને તેને લીધે તેમને તે સમયમાં કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે મૈત્રી થઈ હતી. તેમણે એક શાસ્ત્રીની પાસેથી તક સંગ્રહાદિ તથા નાટક, ચંપુ વગેરે ગ્રન્થને અભ્યાસ કર્યો હતો. આ વખતથી તેમણે સંસ્કૃત કવિતાઓ લખવા માંડેલી. સાથે સાથે પોતાનો શિક્ષક ધર્મ પણ યથાર્થ બજાવતા હતા. એક ભીખ માગવા આવતા ફકીર પાસેથી થોડે ઉદુને અભ્યાસ કર્યો. પ્રથમ તેમણે સંવત, ૧૯૩૪ માં “સ્વદેશ વત્સલ'માં લેખ લખવાની શરૂઆત કરી. ત્યાર પછી તેમણે પહેલું પુસ્તક “કામકટાક્ષ” લખ્યું. તેમને ભરૂચવાળા અદ્વૈતાનંદ
સ્વામીની પાસેથી વેદાન્તના ગ્રન્થ વાંચવાનો સારો લાભ મળેલો. ગાયકવાડી રાજ્યમાં તેમણે કેટલીક મુદત સંસ્કૃત શિક્ષક અને હેડમાસ્તરની નોકરી કરી છે. હાલમાં તેઓ પેન્શનર થયા છે; અને પિતાનું શાન્ત જીવન વેદાન્ત મનન અને લેખનમાં વડોદરામાં ગાળે છે. “કેળવણું’ નામના માસિકના તેઓ અધિપતિ હતા; અને અત્યારે પણ વેદાન્તનાં જે જે પુસ્તક પિતે વાંચે છે, તેમના ઉપર સરલ ટીકા લખતા જાય છે. હાલ તેમને ચાર પુત્રો છે. પ્રાચીન કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકની ટીકા લખવા ઉપરાંત તેમણે લખેલાં ગ્રન્થને કંઇક ખ્યાલ, એમના એક શિષ્ય દયાશંકર રવિશંકરે લખેલા નીચેના છપ્પા પરથી મળી આવે છે.
છ પેય, સ્વતંત્ર ગ્રન્થ અઢાર રચ્યા રસભાવ ભરેલા, વિવિધ વિષયમય વિશદ કલ્પના યુક્ત કરેલા, બહુ વર્ષો લગી રહ્યા ત્રણ માસિકના સ્વામી, બે હઝાર લગી લેખ લખ્યા નહીં જેમાં ખામી,
(9
Page #139
--------------------------------------------------------------------------
________________
છોટાલાલ નરભેરામ ભટ્ટ
-=-
=
=
=
=
•
=
=
વળી ગહન ત્રીશ ગ્રન્થ તણું ભાષાતર ઉત્તમ કર્યું; વય વીત્યું આ વિદ્વાનનું વિદ્યાવ્યસન વિષે નર્યું.
એમના ગ્રંથોની યાદી ૧ રસશાસ્ત્ર.
૨૩ (રાષ્ટ્ર કથામાળા) ઇરાન. ૨ વૃત્ત નિરપણ.
૨૪ અષ્ટાંગહૃદય–વાગ્લટ. ૩ શાતિ સુધા.
૨૫ વિદ્યજીવન. ૪ કામકટાક્ષ.
૨૬ હિતોપદેશ. વૈદ્યક) . ૫ બ્રહ્મરાક્ષસ.
૨૭ વૈધવલ્લભ અને ચિકિત્સાંજન. ૬ ચિત્રપુરના ચમત્કાર. ૭ વહેમ ખંડન.
૨૮ હારીત સંહિતા. ૮ વિદ્યાર્થીઓની સાંસારિક તથા ૨૯ વ્યવહાર મયૂખ. | નીતિ વિષમક સ્થિતિ.
૩૦ શિવ કવચ. ૯ શેતરંજની ગમ્મત.
૩૧ શિવ ગીતા. ૧૦ વાજીકરણ કલ્પદ્રુમ.
૩ર સિદ્ધાંત દર્શન. ૧૧ સ્નાનવિધિ.
૩૩ વૈયાસિક ન્યાયમાળા.. ૧૨ બ્રાહ્મણ નિત્યકર્મ.
૩૪ આત્મપુરાણ સારાનુક્રમ. ૧૩ સંસ્કૃત પ્રથમ પુસ્તક.
૩૫ સ્વાનુભવાદર્શ *૧૪ મલયસુંદરી નાટિકા.
૩૬ વિચારસાગર. *૧૫ ત્રણ મૂarviાં સંક્ષિાવૃત્તિ
- ૩૭ યોગરત્ન. (Reત.)
૩૮ ચમત્કાર ચિંતામણિ. *18 श्रीमद्भगवद्गीतोपदेशो
૩૯ બહત્સંહિતા-દશાધ્યાય. વામિ: (રહ.)
૪૦ શંકર દિગ્વિજય-સાત સર્ગ. ૧૭ શ્રીમદ્ ભગવદ્ગીતોપદેશનું
૪૧ પ્રિયદર્શિકા નાટિકા. ગુજરાતી. ૧૦ પારિભાષિક શબ્દકોશ.
૪૨ દ્રષ્ટાન્ત શતક. ભાષાંતર
૪૩ શાળોપયોગી ભગવદ્ગીતા.
૪૪ પંચતંત્ર-મિત્રભેદ. ૧૯ માર્કંડેય પુરાણ ૨૦ ડંક માહાસ્ય.
૪૫ જ્ઞાનદીપ. ૨૧ મહાભારત-શાન્તિપર્વ.
*૪૬ સારસ્વત. ૨૨ વાલ્મિકી રામાયણમાંથી– ૪૭ ચંડ કૌશિક.
કિકિંધાકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ. ૨૪૮ પંચદશી.
* અપ્રકટ પુસ્તકો છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જન્મશકર મહાશંકર મુચ (ઉર્ફે લલિત)
તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. તેમના જન્મ ઈ. સ. ૧૮૭૭ માં તા. ૩૦ જૂને (સંવત ૧૯૩૩ ના બીજા જેઠ વદ ૫ ને શનિવારે) જુનાગઢમાં થયા હતા. માતાનું નામ સાક ગૌરી હતું. તેમણે સંગીત પાયેલું ને પિતાજીએ સાહિત્યનાં અંજન આંજેલાં. ગાંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઇસ્કુલમાં પ્રથમ સને ૧૯૦૩ માં કરી લીધેલી; તે પછી સને ૧૯૦૮ થી ૧૯૧૦ સુધી રાજકાટના તે વખતના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સનું તંત્રીપદ લીધેલું અને તે સાથે એજંસીની સનદથી અદાલતેામાં ભાષાંતર કરી આપવાનું કાર્યાં પણ તેઓ કરતા. પ્રથમ ચંદ્ર' માસિકમાં કવિતા લખી મેાકલવાનું સને ૧૮૯૫ થી શરૂ કરેલું; જો કે પ્રથમ કવિતાના છુવારા સને ૧૮૯૩ માં છુટેલા અને તે પછી ઘણાંખરાં ગુજરાતી માસિકે! અને વર્તમાન પત્રામાં એમની સ્વદેશભક્તિ, લગ્નસ્નેહ, બાલભાવ, પ્રભુની પ્રેમભક્તિ, જીવન સાંધ્ય વગેરે અનેક વિષયા સંબંધી કવિતા અવારનવાર આવતી રહે છે. એમના કાવ્યસંગ્રહો વડાદરાને વડલે” અને “લલિતનાં કાવ્યેા’ એ નામથી છપાયલા છે; પણ તે પછી એમની રચેલી છૂટક પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ કવિતા ઘણી મળી આવશે. અસહકારની હિલચાલ વખતે તેમણે મુંબાઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપકનું કાર્ય સને ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી કરેલું અને તે પહેલાં કેટલાંક વર્ષો સુધી વડેદરા રાજ્યમાં લાયબ્રેરી ખાતામાં તેમને લેાકેાપદેશ તરીકે સને ૧૯૧૩ થી ૧૯૨૦ સુધી રાકવામાં આવ્યા હતા.
એમના મૃદુ અને સ્નેહાળ સ્વાભાવથી અને એમના માય ભા સાહિત્યરસિક કીતના-કાવ્ય સંગીતથી અનેકનાં મન હરી લેતાજ નિહ પણ જીવન રસભર્યા પાછા કરી દેતા તે જણાશે.
એમના ગ્રંથાની યાદીઃ
ગીત સંગીત–સીતા વનવાસ લલિતનાં કાવ્યેા.
વડાદરાને વડલે.
૭૨
૧૯૦૩
૧૯૧૨
૧૯૧૪
Page #141
--------------------------------------------------------------------------
________________
જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર.
એએ જાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. એમનું મૂળ વતન કાઠિ યાવાડમાં પ્રભાસપાટણ છે; પરતુ એમને જન્મ સુરત જીલ્લામાં વલસાડ તાલુકે ઉંડાચમાં તા. ૮ મી જુન ૧૮૯૧ ના રાજ થયા હતા. તેઓ હમણાં ત્યાંજ વસે છે. એમના પિતાનું નામ ન્હાનાભાઇ વિષ્ણુરામ પ્રભાસ્કર અને માતાનું નામ શ્રીમતી ગંગાબાઈ છે.
જન્મશંકર મહાશ કર મુચ
એમણે ઈંગ્રેજી અભ્યાસ કરેલા છે; તે ભાષાનું જ્ઞાન કૅાલેજમાં લીધું નથી છતાં ઈંગ્રેજીનું વાચન વિશાળ છે; તેમજ, મરાઠીનું સારૂં જ્ઞાન ધરાવે છે. મુખ્ય વ્યવસાય ખેતી છે. એમના અભ્યાસના પ્રિય વિષયે કવિતા અને સાહિત્ય ગ્રંથ છે. ગુજરાતી કવિઓમાં એક રાસ લેખક તરીકે એમણે કીતિ મેળવેલી છે. તેમાંય એમના રાસનું પદ્યલાલિત્ય અને વાણીની મૃદુતા રૂચિકર થઈ વિશેષ ધ્યાન ખેંચે છે. એમના રાસનાં બે પુસ્તકા “વિહારિણી’’ અને “શદિની” વાચકવર્ગ માં લેાકપ્રિય નિવડયાં છે અને ત્રીજાં મન્દાકિની ટ્રેક વખતમાંજ પ્રગટ થનાર છે.
વળી “પ્રતાપ”માં આવતા એમનાં સાહિત્ય પત્ર આપણા સાહિત્યની પ્રવૃત્તિમાં રસ લેનારાઓને વાંચવા જેવા હાય છે. તેઓ હમણાંજ નવી સ્થપાયલી વલસાડ સાહિત્ય સભાના ઉપ-પ્રમુખ છે.
એમના ગ્રંથાની યાદીઃ
૧૦
વિહારિણી શનિી મન્દાકિની
ૐ
ઇ. સ. ૧૯૨૬
૧૯૨૮
૧૯૩૦
29
p
Page #142
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જયેન્દ્રરાય ભગવાનલાલ રકાબી
જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ ખેડા જીલ્લામાં ઠાસરા ગામે તા. ૧લી સપ્ટેમ્બર ૧૮૮૧ ને રોજ થયો હતો. એમનું વતન સ્થાન અમદાવાદ છે. શરૂઆતનો પ્રાથમિક અભ્યાસ કાઠિયાવાડમાં ગેંડળમાં કરેલો; પછીથી માધ્યમિક કેળવણુ વડેદરા હાઇસ્કુલમાં લીધેલી; અને ઉંચી કેળવણું વચમાં એક વર્ષ બહાઉદ્દીન કૅલેજ સિવાય ગુજરાત કૅલેજમાં; જ્યાંથી સન ૧૯૦૬ માં બી. એ; ની પરીક્ષા પાસ કરેલી. સન ૧૯૧૦ માં એમ. એ; થયેલા; અને સને ૧૯૦૮ના વર્ષમાં નારાયણ પરમાનંદ યુનિવરસિટી નિબંધ ઈનામ મેળવેલું.
આમ અભ્યાસ પૂરો થતાં, કલકત્તામાં ગુજરાતીઓની અ વર્નાકયુલર હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે નિમાયેલા. અહિ પણ એમની સાહિત્ય પ્રવૃત્તિ ચાલુ હતી. The Reviewધી રિવ્યુ-નામનું એક અંગ્રેજી માસિક સન ૧૯૧૨ માં અંગ્રેજી રિવ્યુ ઑફ રિવ્યુઝ-Review of Reviewsની ઢબે કાઢેલું. બી. એ. થયા પછી તેમનાં ઈગ્રેજી લખાણો પણ બોમ્બે ગેઝીટ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં અવારનવાર આવતાં. સન ૧૯૧૫માં એમનાં માતુશ્રી ગં. સ્વ. કસબ, જેઓ બહુ સંસ્કારી અને ધર્મનિષ્ઠ બાઈ છે, જેમનો વેદાંતને અભ્યાસ અને વકતૃત્વ ઉંચી શ્રેણનાં છે, એમનાં કાવ્યોને સંગ્રહ “હરિરસ ગીત” નામથી ઊપઘાત સહિત એમણે પ્રસિદ્ધ કર્યો હતો. કલકત્તાથી તેઓને અમદાવાદ સન ૧૯૧૬ માં પાછા. આવવાનું થયુંઅહિ તેઓ ધર્મિક પ્રવૃત્તિમાં ગુંથયા. પણ સન ૧૯૨૦ માં મગનલાલ ઠાંક - સ કૅલેજ સુરત–માં ગુજરાતી અને અંગ્રેજીના અયા ક લગે પર માત તે છે છે ત્યાંજ છે; અને સુરતની સાહિત્ય અને ધર્મવિષયક પ્રવૃત્તિમાં સારા ભાગ લે છે. સન ૧૯૨૭માં એમના છુટક લેખોનો સંગ્રહ “થે ડાંક છુટાં ફૂલ” નામથી પ્રકટ થયેલો અને એ ફુલની ફેરમ આલ્હાદક નિવડેલી. તે પછી સન ૧૯૨૮માં “ઝરણાં-ટાઢાં અને ઊહા” એ નામને એમની કવિતાઓને સંગ્રહ બહાર પડયો, અને હમણાં સન ૧૯૨૯ માં “પિયણાં” નામનું જૂદા જુદા વિષેનું રમુજી અને હળવી શિલીમાં, છતાં ગંભીર અને તાત્વિક વિચારે રમતિયાળ તથાપિ મામિક રીતે ચર્ચતા નિબંધોનું પુસ્તક છપાયું છે. તેમને બનારસના ભારત ધર્મ મહામંડળ તરફથી ધર્મ વિનોદીની
७४
Page #143
--------------------------------------------------------------------------
________________
જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ
અને જગન્નાથ પુરીના શ્રી શ`કરાચાર્ય તરફથી વિદ્યાવારિધિ'ની પૃથ્વી મળેલી છે.
આ સિવાક વખતેાવખત ગુજરાતી તેમજ ઈંગ્રેજીમાં લેખે તેઓ લખતા રહે છે. સાહિત્ય, કેળવણી અને ધર્મના વિષયામાં તેઓ પ્રવૃત્ત રહે છે; અને જીવનનું સમગ્ર દર્શન એ એમના અધ્યયનના પ્રિય વિષય છે. એમના ગ્રંથાની યાદી:
૧ થાડાંક છુટાં ફૂલ. ૨ ઝરણાં ટાઢાં મૈં ઊન્હાં.
૩ ધર્મની ભૂમિકા.
૪ Indian Education. ૫ પાયાં.
૭૫
ઇ. સ.
ઇ. સ.
મ. સ.
ઈ. સ.
ઇ. સ.
૧૯૨૭
૧૯૨૮
૧૯૨૮
૧૯૨૮
૧૯૨૯
Page #144
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
જ્યાતીન્દ્ર હરિહરીકર છે.
એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ અને સુરતના વતની છે. એમના જન્મ સન ૧૯૦૧ના આટાબરમાં સુરતમાં થયા હતા. એમના પિતાનું નામ હરિહરશંકર ભાનુશંકર દવે અને માતાનું નામ ધનવિદ્યાગૌરી છે. મેટ્રીક્યુલેશનની પરીક્ષા સન ૧૯૧૯માં પાસ કર્યાં પછી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટસ કૉલેજમાં જોડાયલા અને સન ૧૯૨૩ માં બી. એ. ની પરીક્ષા બીજા વમાં સંસ્કૃત અને ગુજરાતી ઐચ્છિક વિષય લને પાસ કરી હતી. ત્યાર બાદ સુરત કાલેજમાં એએ એક વર્ષ માટે ફેલા નીમાયા હતા. એમ. એ. સન ૧૯૨૫માં સંસ્કૃત અને ગુજરાતી ઐચ્છિક વિષય લઇને થયા હતા.
66
99
66
અભ્યાસ પૂરા કર્યાં પછી સન ૧૯૨૧ થી વમાનપત્રા અને માસિકામાં લેખ લખવાનું તેમણે શરૂ કર્યું. એમને પ્રથમ લેખ લાટરીનું પરિણામ ” નામક સુરત કાલેજ મેગેઝિન ''માં છપાયા હતા. એમના પ્રકીણું` લેખા સારી સંખ્યામાં મળી આવશે. તેમણે ‘વિષપાન’ નામક નાટક પણ લખેલું છે. Benjamin Kidd ના Social Evolution નામક પુસ્તકના અનુવાદ (સામાજિક ઉત્ક્રાન્તિ) એમની તથા રા. પ્રસન્નવદન દીક્ષિત પાસે તૈયાર કરાવી વડાદરા સરકારની ભાષાંતર કચેરીએ ઇ. સ. ૧૯૩૦ માં પ્રસિદ્ધ કર્યો છે.
અત્યારે તેઓ સાહિત્ય સંસદ્ તરફથી ચેાાયલા ગુજરાતી સાહિત્યને ઇતિહાસ તૈયાર કરી રહ્યા છે તેમજ જાણીતા ગુજરાત” માસિકના ઉપતંત્રી હાઈ, તે કાય પાછળ પેાતાને સમય આપે છે.
હળવા—light–સાહિત્યમાં એક પ્રકારની શિષ્ટતા તેમજ વિઞાદ આણવાનાં એમના પ્રયત્ને સ્તુત્ય છે.
મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ગુજરાતીના
છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ પરીક્ષક નિમાય છે.
એમના પ્રિય અભ્યાસને વિષય સાહિત્ય છે.
એમના ગ્રંથઃ
સામાજિક ઉત્ક્રાન્તિ
૭૬
સન ૧૯૩૦
Page #145
--------------------------------------------------------------------------
________________
વનલાલ અમરશી મહત
જીવનલાલ અમરશી મહેતા
kr
"E
એએ જ્ઞાતિએ દશાશ્રીમાળી વાણી; સ્થાનકવાસા જૈન છે, એમના પિતાનું આખું નામ અમરશી સામજી અને માતાનું નામ કસ્તુરબાઇ છે. એમનેા જન્મ ડાદરા રાજ્યના અમરેલી પ્રાંતમાં ચલાળા ગામે સંવત્ ૧૯૩૯ માં થયે તે!. પ્રાથથિક શિક્ષણ છ ધેારણનું મળેલું અને તે પછી એક વર્ષ વડેાદરા ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેવામાં માત્ર સેાળ વર્ષની નાની વયમાં પતાનું મરણ થતાં વિદ્યાભ્યાસ છેડી સ્કુલમાં માસિક . ૫) બાબાશાઇની ઞાકરી લેવી પડી. ત્રણેક વરસ નિશાળની નાકરી કર્યો પછી વડાદરામાં પ્રસિદ્ધ થતા - દેશભક્ત ' પત્રમાં સબએડીટર તરીકે જોડાયા હતા અને સન ૧૮૯૯ માં તેમણે “ ધર્મને જય” એ નામનું વાર્તાનું પહેલું પુસ્તક લખ્યું હતું, જે વડાદરામાંથી પ્રસિદ્ધ થતા દેશભક્ત પત્રના ગ્રાહકાને ભેટ અપાયું હતું. તે પછી તેઓ ઈ. સ. ૧૯૦૬ ની સાલમાં ગુ. વ. સેાસાઇટીમાં કલાર્ક તરીકે દાખલ થયા હતા અને એમની જાત હૈાંશિયારી અને કાયેલીઅતથી સાસાટીના કાર્ય વાકાને વિશ્વાસ સોંપાદન કરી, આસિ સેક્રેટરીની જગા સુધી પહોંચ્ય! હતા. સન ૧૯૧૧ માં સાસાટીમાંથી છૂટ થયા પછી, જે ધંધા માટે પેાતાને પ્રથમથી અભિરૂચિ હતી અને સે સાઈટીમ દસ વર્ષ રહીને જે લાઈનના અનુભવ મેળવ્યે તે તે પુસ્તકપ્રકાશનનું કાર્ય હાથ ધર્યું; અને તેમાં તેમને અસાધારણ સંળતા મળેલી છે, એમ એમની “ જ્ઞાનવર્ધક ગ્રંથમાળા ''નાં ગ્રંથે સંચ બીĂ. ગુર્જર વિદ્વાનેાનાં પ્રકાશને કે જેની સંખ્યા . એસ . ઉપરાંતની થવા જાય છે. તે ઉપરથી જોનાર જરૂરી કહેશે. કેટલાક લેખાને તેમણે પ્રથમ પ્રકાશમાં આણ્યા છે. તેએ જાણીતું “ સ્ત્રીએધ ” માસિકપત્ર શ્રીયુત કેશવપ્રસાદ તથા પુતળા કાબરાજીન! તંત્રીપદ હેઠળ ચલાવે છે, અને તે વ અત્યારે આટલું લોકપ્રિય થયું છે તેમજ નવરા પાનાંનું અહે. વાચન, ત્રણ રુપિયાન! વાર્ષિક લવાજમમાં ભેટન! પુરતક સાથે ગ્રાહકને આપે છે. આ એમની કાર્યદક્ષત અને કરકસરભર્યાં હિવટનું જ પરિણામ છે. એમ કહેલ જોઇએ. વડેદર નથ! અમદાવાદમાં છાપખાનાના મેનેજર ( વ્યવસ્થાપક તરીકે પણ કામ કરેલું છે તેમજ “જ્ઞાનસુધા' માસિક પત્ર પણ કેટલાંક વર્ષ તેમણે ચલાવ્યું
ઃઃ
જ્ઞાનસુધા, છે. “ બુદ્ધિપ્રકાશ, માસિકૈમાં છુટાછવાયા લેખે! લખતા
વૈમ્યપત્રિકા ’’ વગેરે એ સિવાય એક ગુજરાતી
' ',
આપ વે.
સ્
Page #146
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પુસ્તક પ્રકાશક તથા બુકસેલરની પેઢી તરીકે પણ એમનું કામકાજ અમદાવાદમાં બહોળું ચાલે છે; અને હમણાં તેમણે મુંબઈમાં એક શાખા ખોલી છે. ઇ. સ. ૧૯૩૦ થી તેમણે બાળકે માટે “બાળ પુસ્તકમાળા ” ની યોજના હાથ ધરી છે.
એમનાં પુસ્તકોની યાદી ૧ ધર્મને જય (અનુવાદ).
છે. સ. ૧૮૯૯ ૨ વિકૃત બુદ્ધિને વિવાહ (અનુવાદ) ૩ મરાઠી રિયાસત, ભાગ ૧-૨
સ. ૧૯૨૪-૨૬ ૪ શ્રી કૃષ્ણજીવન (અનુવાદ).
સ. ૧૯૧૧ પ સત્યભામા ( , નાટક )
સ. ૧૯૧૬ ૬ ગોપાલકૃષ્ણ ગોખલે (અનુવાદ)
સ. ૧૯૧૫ ૭ વેપારપયોગી પાઠમાળા
સ, ૧૯૧૪ ૮ ગુજરાતી શબ્દાર્થ ચિતામણી (કેષ)
સ. ૧૯૨૬ ૯ જીવનચરિત્ર (ઈનામી નિબંધ) સ્વતંત્ર લેખઃ (વસન) સ. ૧૯૦૮
૭૮
Page #147
--------------------------------------------------------------------------
________________
ડૉ. સર જીવનજી જમશેદજી મેદી
ડી. સર જીવનજી જમશેદજી માદી,
શમ્સ ઉલઉલ્મ, બી. એ., પી. એચ. ડી, સી. આઈ. ઇ. એએ મૂળ નવસારીના વતની; પણ ઘણા વર્ષોથી મુંબઇમાં આવી વસેલા છે. એમના પિતાનું નામ જમશેદજી જીવનજી મેાદી અને માતાનું નામ આવાંબાઇ, તે રૂસ્તમજી ફરામજી માદનના મેટી છે. એમને જન્મ સન ૧૮૫૪ માં મુંબાઇમાં થયા હતા.
પ્રાથમિક કેળવણી એમણે કાલામાની શેઠ જીજીભાઈ દાદાભાઇ સ્કુલમાં અને માધ્યમિક ઇંગ્રેજી કેળવણી ફાટની બ્રાન્ચ સ્કુલમાં અને એલ્ફીન્સ્ટન હાઈસ્કુલમાં લીધી હતી. સન ૧૮૭૧ માં મેટ્રીક થયા પછી એલ્ફીન્સ્ટન કૅલેજમાં તેઓ ગયલા, જ્યાંથી બી. એ. ની પરીક્ષા (ક) તવારીખ (ખ) પોલીટીકલ શંકાનેમી અને (ગ) કેમીસ્ટ્રી ફ્રિઝસ ઐચ્છિક વિષય લઇને સન ૧૮૭૬ માં પાસ કરી હતી.
એમના પ્રિય વિષયે શરૂઆતમાં વાયુચક્ર અને કુદરતી બાબતેનું જ્ઞાન અને પાછળથી પૂભણીનું સાહિત્ય, પુરાણી બાબતે (antiquities), મનુષ્ય જાતિના આચાર વિચાર અને રાહરમ (authropology) અને જરથેાસ્તી ધર્મ વગેરે છે; અને એ સમાં એમણે સારી પ્રતિષ્ઠા અને માન પ્રાપ્ત કરેલાં છે; એટલું જ નહિ પણ એ વિષયેા પરતાં એમનાં લખાણ અને અભિપ્રાય પ્રમાણભૂત લેખાય છે,
તેઓ લાંબા સમયથી પારસી પંચાયતના સેક્રેટરીના હાદ્દા પર છે. તેનું કામકાજ એમણે એટલી કાબેલીયત અને કાર્યદક્ષતાથી કરેલું છે કે તેમના પ્રયાસના પરિણામે એ સંસ્થા અઢળક મિલ્કતવાળી થયેલી છે; અને એમની એ કિમતી સે.ની તારીક, હમણાંજ તા. ૬ ઠ્ઠી એપ્રિલે (૧૯૩) એમના સન્માના મુંબાઇમાં એક મેટા બહેર મેળાવડા કરવામાં આવ્યા હતા ત્યારે કામના મેાટા અગ્રેસર અને નણીતા ગૃહસ્થાએ પ્રશંસાભર્યાં સુંદર શબ્દોમાં, કામના સતેષ, આભાર અને માનની લાગણી પ્રદર્શિત કરી હતી.
જરથાસ્તી ધર્મનું એમનું જ્ઞાન અગાધ અને ઝીણું છે અને તે વિષે સંખ્યાબંધ લેખા, વ્યાખ્યા, નિબંધ અને ગ્રંથે એમણે લખેલાં છે.
એજ પ્રમાણે કુલે ૧૦૬) Anthropological વિષયેા પર છે. એમના તે લેખાનાં ચાર પુસ્તકેા પ્રગટ થયેલાં છે; અને પાંચમું પ્રગટ થાય છે અને
૭
Page #148
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એ સંસ્થાના–Bombay Anthropological society ના–આસરે ૩૦ વર્ષો સુધી તેઓ ઓનરરી સેક્રેટરી હતા. એ અરસામાં બે વખત તેના પ્રમુખ નિમાયા હતા.બેબે બ્રાંચ ઓફ રોયલ એશીઆટીક સોસાએટીના આસરે ૧૭ વર્ષ ઉપ-પ્રમુખ રહ્યા હતા અને હાલ બે વર્ષ થયાં પ્રમુખ છે. એ
સાઈટી સમક્ષ આશરે પ૦) વિષયો વાંચ્યા છે, જે ચાર પુસ્તકોમાં પ્રગટ થયાં છે.
ઈરાનની તવારિખને પણ એમણે સારો અભ્યાસ કરેલો છે. યુરોપ, એશિયા, આફ્રીકા અને તેમાં હિંદુસ્તાન, બરમા, ફ્રેંચ ચાના, ચીન અને જાપાનના જુદા જુદા ભાગોની અનેક વાર લાંબી મુસાફરી કરેલી છે; અને ત્યાંથી જાતમાહિતી મેળવેલી છે, એ જેમ માનસ્પદ તેમ મગરૂરી લેવા જેવી બીના છે. છેલ્લી ૧૯૨૫ માં કરેલી યુરોપ, આફ્રીકા અને એશિયા–અને તેમાં રશીઆ અને ઇરાનની મુસાફરીનું વર્ણન એક પુસ્તકમાં પ્રગટ કર્યું છે.
એઓ પ્રસ્તુત વિષયોમાં એટલા પારંગત થયેલા છે; એમણે એટલી બધી વિદ્વત્તા અને જ્ઞાન પ્રાપ્ત કરેલાં છે કે પૌર્વાત્ય વિષયોના અભ્યાસ કરનારી, યુરેપની જૂદી જૂદી જાણીતી મંડળીઓએ, એમને પિતાની સંસ્થાના ઓનરરી સભાસદ નીમીને અપૂર્વ માન આપ્યું છે તેમજ માન ભરી પીઓ બક્ષેલી છે, એ બધું એક હિન્દી વિદ્વાન માટે ખરે, અભિનંદનીય કહેવાય.
સ્વ ખરશેદજી રૂરતમજી કામા પછી જરસ્તી અને ઇરાનિયન વિષયમાં કેઈએ ઉંચું માનભર્યું સ્થાન મેળવ્યું હોય તે તે એઓ જ છે. હિન્દના વિદ્વાન વર્ગ એમને ચોથી ઓરિયંટલ કોન્ફરન્સ સન ૧૯૨૬માં અલ્હાબાદમાં મળેલી તેના પ્રમુખ નીમી, એમના પ્રત્યેનો પોતાનો અભાવ અને માનની લાગણી પ્રદર્શિત કર્યા હતા.
તેઓ ઉપર જણાવ્યું તેમ મુંબાઈ એશિયાટિક સોસાઈટીના પ્રમુખ છે; અને બીજી ઘણી સંસ્થાઓ સાથે નિકટ જોડાયેલા છે. કામા ઓરિયંટલા ઇન્સ્ટીટયુટની કૃતિમાં એમને મોટો હાથ રહેલો છે.
એમના ગ્રંથેની ટીપ માત્ર જેવાથી એમની પ્રવૃતિ કેટલી વિશાળ અને વિધવિધ છે, તે સમજાશે.
એમના મિત્ર, પ્રશંસકે અને વિદ્વ૬ વર્ગ તરફથી એમની સેવાની
Page #149
--------------------------------------------------------------------------
________________
3. સર જીવનછ જમશેદજી મોદી
કદર સનાશીને એક સ્મારક ગ્રંથ ચાલુ માસમાં (એપ્રિલ ૧૯૭૦) અર્પણ કરવામાં આવ્યો છે, એ પુરવાર કરે છે કે એમના અભ્યાસ, જ્ઞાન અને વિદ્વત્તાથી તેમજ કામની ઉત્તમ સેવા કરીને, સૌને કેવો અને કેટલો બધો ચાહ અને માન તેમણે સંપાદન કર્યો છે.
વિશેષમાં ચાલુ જુન માસમાં શહેનશાહના જન્મ દિવસે માનચાંદની યાદી પ્રકટ થઈ, તેમાં એઓને નાઈટને માનવંતે ઈલ્કાબ એનાયત થયો છે એ પણ ખુશી થવા જેવો બનાવ છે.
.. એમના ગ્રંથની યાદી ગુજરાતી. વાયુચક્ર શાસ્ત્ર
સન ૧૮૮૭ જમશેદ, હોમ અને આતશ
૧૮૮૪ અવસ્તા જમાનાનું એકરારનામું
, ૧૮૮૬ અવસ્તા જમાનાની ઘરસંસારી જીંદગી ભૂગોળ અને એકરારનામું . . . .
૧૮૮૭
. . .) << અવસ્તા જમાનાની ઘરસંસારી બાબદાર , ૧૮૮૬ અનાહીત અને ફરોહર
- ' , ૧૮૮૭ ભવિષ્યની જીંદગી અથવા આત્માનું અમરપણું . ૧૮૮૯ અવસ્તાની ભૂગોળ
૧૮૮૯ આદરણુશસ્પ
, ૧૮૯૩ શાહ જમશેદ અને જમશેદી નરેઝ એક અસલી ઇરાની બાનું અને તેણુને સંસાર , , , કદીમ ઈરાનીઓમાં બાળકની કેળવણી મેહેર અને જશને મેહંગાન -
- ૧૮૮૯ અવતાના વિશેષ નામોની રિહંગ
* ઇ ૧૮૯૨ ઈરાની વિષય ભા. ૧ લો
આ છે ૧૮૯૪ , , ભા. ૨ જે
, ૧૯૦૦ , , ભા. ૩ જે
૧૯૦૨ મેત ઉપર વાએજ ( ૧૨૭૧ ય. મ.) , ' , ૧૯૦૨ શાહનામું, મીન ચેહેરના રાજ્ય સુધી
૧૯૦૪ શાહનામું અને ફીરદેસી.
* ઇ ૧૮૯૭
Page #150
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯૧૫
રૂસ્તમનામું જ્ઞાનપ્રસારક વિષયો ભા. ૧ લો
૧૮૯૮ ભા. ૨ જે
૧૯૦૬ ભા. ૩ જે
૧૯૧૭ ભા. ૪ થે
૧૯૨૦ ઈરાનનું પેશદાદીઆન વંશ
૧૯૧૪ ઈરાનનું કેયાનીઅન વંશ જરથોસ્તી ધર્મસંબંધી ભાષણો અને વાએ ભા. ૧લો ૧૯૦૨
ભા. ૨ જે , ૧૯૦૫ ભા. ૩ જે ક ૧૯૦૭ ભા.૪ થે ૧૯૦૯ ભા. ૫ છે ૧૯૧૨
ભા.૬ ડ્રો , ૧૯૧૯ બુનદેવેશ (પહેલવી ભાષામાંથી તરજુમે)
ક ૧૯૦૧ કદીમ ઇરાનીએ, હીરડેટ્સ અને સ્ટ્રો મુજબ, અવસ્તા
અને બીજા પારસી પુસ્તકોની સરખામણી સાથે શાહનામાના દાસ્તાને ભા. ૧ લો
છે ભા. ૨ શાહનામાની સુંદરીઓ મારી મુંબાઈ બાહારની સેહેલ અર્ધવીસૂર અનાહીત.
, ૧૮૮૭ મુકતાદના દિવસે કેટલા છે ? તે બાબેની પહેલવી, પાજંદ, ફારસી વગેરે પુસ્તકોના આધારે તપાસ.
ક ૧૯૦૮ - મુંબઇના પારસી ધર્મ ખાતાઓ
, ૧૯૧૦ જરથોસ્તી ધર્મ સંબંધી કેળવણું આપનારી અને જ્ઞાન ફેલા
વનારી મંડળી હસ્તક પ્રગટ કરેલાં પુસ્તકે. જરથોસ્તી ધર્મ સંબંધી પ્રશ્નોત્તર
૧૯૦૭ : જરથોસ્તી ધર્મની તવારીખ.
૧૯૧૦ - જરસ્તી ધર્મનાં કામે અને ક્રિયાઓ.
૧૯૧૧ પુરાતન ઇરાનને ઇતિહાસ ભા. ૧ લો
૧૯૧૬
૧૯૦૪
૧૯૦૬
૧૯૦૭
૧૮૦૮
૧૮૨૬
૮૨
Page #151
--------------------------------------------------------------------------
________________
3. સર જીવનછ જમશેદજી મેંદી
ઇગ્રેજીઃ
૧૦૫
The Religious ceremonies and customs of the Parsees.
૧૯૨૩ The Religious System of the Parsees.
૧૮૯૩ A Catechism of the Zorostrian Religion. ૧૯૧૧ The Naojote ceremony of the Parsees. ૧૯૧૪
(2nd Edition) The Marriage ceremony of the Parsees. ૧૯૧૦ Marriage customs among the Parsees, their
comparison with similar customs of other Nations.
૧૯૦૦ Funeral Ceremonies of the Parsis. The Parsees at the Court of Akbar and Dastur Meherji Rana.
૧૦૩ Aiyadgar-i Zariran, Shatroiha-i Airan va
Afdya va Sahigiya-i-Seistan ( 1096 1841
પુસ્તકોને અંગ્રેજી અને ગુજરાતીમાં તરજુમો). ૧૮૯૯ Jamaspi (પહેલવીમાંથી તરજુમે)
૧૯૦૩ Asiatic Papers, Parts I
૧૯૦૫ Part II
૧૯૧૭ Part III
૧૯૨૭ Part IV
૧૯૨૯ Anthropological Papers, Part I
૧૯૧૧ Part II
૧૯૧૮ Part III
૧૯૨૪ Part IV
૧૯૨૯ Masonic Papers.
૧૯૧૩ Dante Papers.
૧૯૧૪ Memorial Papers
૧૯૨૨ Dastur Bahman Kaikobad and the Kisseh-iSanjan.
૧૯૧૭
૮ ૩
Page #152
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯૨૮
૧૯૦૫
Cama Oriental Institute Papers. Persian Farziat Nameh and Kholase-i-Din of 47: Dastur Darab Pahala.
૧૯૨૪ Anquetil Dau Perron and Dastur Darab. . ૧૯૧૬ Moral Extracts from Zorostrian Books. ૧૯૧૪ A few events in the Early History of the Parsees and their Dates.
૧૯૦૫ A Glimpse into the work of the Bombay Branch
Royal Asiatic Society during the last 100
years, from a Parsee point of view. A Glimpse into the Work of the Jarthoshti Dinnikhal karnari Mandla.
૧૯૨૨ Education among the Ancient Iranians. ૧૯૦૫
કંચ ભાષામાં લખેલા વિષયે Impressions d'un Parsi Sur La Ville De Paris. La Visite d'un Parsi a La Ville De Constantinople. 9608 La ceremonie Du Naojote Parmi les Parsis. . 9665
એડીટ કરેલાં પુસ્તક K. R. Cama Memorial Volume.
૧૯૦૦ The Pahlavi Madigan-i-Hazar Dadistan. ૧૯૦૧ K. R. Cama Masonic Jubilee Volume
૧૯૦૭ Spiegel Memorial Volume.
૧૯૦૮ Sir J. J. Madressa Jubilee Volume.
૧૯૧૪ મુંબઈની પારસી પંચાતની તવારીખ (બે વોલ્યુમ). ૧૯૩૦
८४
Page #153
--------------------------------------------------------------------------
________________
જેઠાલાલ ગોરધનદાસ શાહ
જેઠાલાલ ગોરધનદાસ શાહ
જ્ઞાતિએ દશા મેઢ માંડલીઆ વાણુઓ; વતન ખંભાત; અને જન્મ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામમાં તા. ૧૦ મી ઑકટોબર ૧૮૯૩ ના રોજ થયો હતો. જન્મભૂમિમાં ગુજરાતી સાત ધોરણને અભ્યાસ કરેલો અને માધ્યમિક અને ઉંચી કેળવણી અમદાવાદમાં વસ્ય બોર્ડિંગમાં રહીને મેળવેલી. સન ૧૯૧૭ માં બી. એ; ની પરીક્ષા નર્સ સહિત પાસ કરી અને સન ૧૯૨૩ માં એમ. એ; ની પદ્ધી આનસંસહિત મેળવી. અત્યારે તેઓ અમદાવાદના લાલશંકર ગુજરાતી મહિલા પાઠશાળામાં અધ્યાપક છે. કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી લેખનવાચનનો શેખ અને ખાસકરીને ભક્તિ સાહિત્ય પ્રતિ વિશેષ રૂચિ. એમનો પ્રથમ લેખ ભેજા કવિ વિષે સન ૧૯૧૮ માં બુદ્ધિપ્રકાશ' માં પ્રસિદ્ધ થયો હતો. એમના પ્રિય વિષયો તત્ત્વજ્ઞાન અને તેમાંય શુદ્ધાદ્વૈત અને અલંકારશાસ્ત્ર છે. વલ્લભ સંપ્રદાયના સાહિત્યને પ્રકાશમાં આણવાને એમણે સ્તુતિપાત્ર યત્ન સેવ્યો છે. અત્યારસુધી એ સાહિત્ય પ્રાથમિક અવસ્થામાં હતું; પણ એમણે પુષ્ટિમાર્ગ એટલે શું? તત્ત્વદીપ નિબંધ, સુબોધિની ત્રણ ખંડમાં, અનુભાષ્ય, રસેશ શ્રીકૃષ્ણ, બસે બાવન વૈષ્ણવોની વાતો વગેરે પુસ્તક રચીને એ સંપ્રદાયની કિમતી સેવા બજાવી છે; અને તે પણ કોઈ પણ પ્રકારના અંગત લાભ અર્થ નહિ પણ સંપ્રદાય પ્રતિની લાગણી અને સેવાભાવથી. એમની એ સેવા બદલ અમદાવાદ વણવ મહાસભા દ્વારા ચીમનલાલ રણછોડદાસ પારેખ સુવર્ણચંદ્રક સન ૧૯૨૯માં એમને અર્પણ કરવામાં આવ્યો હતો. વળી યુનિવર્સિટી તરફનું નારાયણ પરમાનંદ ઈનામ રૂ.ર૦૦) છે અને બાલકૃષ્ણ પારિતોષિક રૂ.૧પ૦) નું એમણે મેળવેલાં છે. તેમની સાહિત્ય સેવા બદલ ગોધરાના વૈષ્ણવ મંડળ તરફથી એક માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ એક ઉંચી કેટીના અભ્યાસી અને લેખક છેઃ ગુ. વ. સોસાઈટી તરફથી દયારામકૃત રસિક વલ્લભ જરૂરી નોટસ પોદ્દઘાત સાથે એડિટ કરી આપવાનું એમને સંપાયું છે.
એમના ગ્રંથની યાદી ૧ પુષ્ટિમાર્ગ એટલે શું?
(સ. ૧૯૮૦) ૨ તત્ત્વદીપ નિબંધ
(૧૯૮૧) બબાવન વૈષ્ણવની વાર્તા.
(૧૯૮૨)
L૮૫
Page #154
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
૪ સુબોધિની ખંડ. ૧
(૧૯૮૨) ૫ , ખંડ. ૨
(૧૯૮૨) ૬ , ખંડ. ૩
(૧૯૮૨) ૭ અણુભાષ્ય ભા. ૧
(૧૯૮૩) ૮ , ભા. ૨
(૧૯૮૫) ૯ રસેશ શ્રીકૃષ્ણ
(૧૯૮૪) ૧૦ સુરદાસ
(૧૯૮૦) ૧૧ પંચદંડ અને અન્ય કવિતા-નેટસ સાથે
(૧૯૮૫) [ કુલ લિવિંગ સરટીફીકેટ પરીક્ષાનું પાઠય પુસ્તક. ]
Page #155
--------------------------------------------------------------------------
________________
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી-બારિસ્ટર ઍટ-લે
જાતે વિસનગરા નાગર બ્રાહ્મણ છે. જન્મ ઈ. સ. ૧૮૫૭ માં ૧૧ મી ઓકટોબરના રોજ સુરતમાં થયો હતો. મૂળ વતની કપડવણજના પણ એમના દાદાના પિતા અમદાવાદમાં આવી રહેલા. એમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી અને પછીથી પુનાની સાયન્સ કોલેજમાં કેટલોક સમય અભ્યાસ કરેલો. ત્યાંથી એમની નિમણુંક રાજકેટમાં કાઠ્યિાવાડ ટ્રેનિંગ કૅલેજમાં થયેલી, જ્યાં તેઓ છેલ્લા એસિસ્ટંટથી એકટિંગ પ્રિન્સિપાલના હોદ્દા સુધી પહોંચેલા. સરકારી નોકરી સાથે સાર્વજનિક હિલચાલ અને જાહેર કાર્યોમાં પણ તેઓ રસપૂર્વક ભાગ લેતા, તેઓ લેંગ લાયબ્રેરી અને વૈટસન મ્યુઝિયમના ઘણાં વર્ષ સુધી એ. સેક્રેટરી હતા. હાલનું રાજકોટનું બાર્ટને મ્યુઝીઅમ અને લેંગ લાઇબ્રેરી, એ બે સંસ્થાઓને સમૃદ્ધ અને આબાદ કરવામાં એમનો ફાળે થડો નથી; એ કિમતી સેવા બદલ એ સંથાઓના કાર્યકર્તાઓએ એમની છબી ત્યાં મૂકેલી છે. ૧૮૯૩માં એમણે કાઠિયાવાડ સંગ્રહસ્થાન ભર્યું હતું. એક વર્ષ સુધીની જાત મહેનતના પરિણામે એ પ્રદર્શન ઘણું ફતેહમંદ થયું હતું. પ્રદર્શનમાં આવેલા સામાન વડે મ્યુઝીયમ ભરી નાંખ્યું હતું. એમની કાર્યદક્ષતા અને બાહોશીથી, તેમ માયાળુ અને હેતાળ સ્વભાવથી તેમના સમાગમમાં આવનાર સૌ કોઈના દિલ તેઓ હરી લેતા; અને યુરોપિયનમાં પણ તેઓ એટલા જ લોકપ્રિય હતા. એમની બુદ્ધિની ચંચળતા અને અભ્યાસ માટેની ધગશના કારણે, તેમને કાઠિયાવાડના કેટલાક રાજ તરફથી એમન યૂરોપિયન મિત્રોની સુચનાથી ઈગ્લાંડ ભુસ્તર વિદ્યાને અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા; ત્યાં એ વિષયના અભ્યાસ સાથે, પોતે બેરિસ્ટર પણ થઈ આવ્યા અને ગુજરાતમાં ભુસ્તર વિદ્યા મંડળના સભ્ય–ફલો તેઓ પ્રથમ જ હતા. વળી ત્યાંના વસવાટ દરમિયાન યલ એશિયાટિક સોસાઈટીના સભાસદની ઉપાધિ પ્રાપ્ત કરેલી. અહિં પાછા આવ્યા પછી સરકારી નોકરીનું રાજીનામું આપી, તેઓ પ્રેકટીશ કરે છે; અને જુદી જુદી જાહેર હિલચાલોમાં આગળ પડતો ભાગ લે છે અને રીલીઝડ પ્રિઝનર, મુંગા પ્રાણી પ્રત્યે દયા બતાવનારું મંડળ, એ બે સંસ્થાના પ્રાણ અને મુખ્ય સંચાલક છે. ગુજ રાત વર્નાકયુલર સેસાઈટીના સભાસદ પણ ઘણા વર્ષોથી છે અને તેની મેનેજીંગ કમિટીના કામકાજમાં ઉત્સાહપૂર્વક આગેવાનીમાં ભાગ લે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ટ્રેનિંગ કૉલેજમાં હતા ત્યારે વિધાર્થીઓ માટે પાઠય પુસ્તકો રચેલાં; જેવાં કે, “અર્થશાસ્ત્ર,’ ‘રસાયનશાસ્ત્ર,' “વિદ્યાર્થીઓને મિત્ર', “પ્રાણી વર્ણન વગેરે અને બીજા સમયમાં “રણજીતસિંહ” અને “સરળ પદાર્થવિજ્ઞાન સોસાઈટી માટે લખી આપેલાં. પણ એ પુસ્તક વિદ્યાર્થી અને સામાન્ય જનતાની દૃષ્ટિએ લખાયાં છતાં લોકપ્રિય નિવડયાં છે; અને તેની બેથી વધુ આવૃત્તિઓ થયેલી છે.
પણ એ બધાં કરતાં એમની ખ્યાતિ એક કવિ તરીકે, બુલબુલ ના કર્તા તરીકે વિશેષ છે. “ચંબેલી' અને “બુલબુલ” એ બે કાવ્યો ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કાવ્યના ટાઈપમાં ફૈમની નવીન દિશા ઉઘાડે છે; અને એ કાવ્યોનાં માધુર્ય, લાલિત્ય અને ગયતાની મુક્તકંઠે પ્રશંસા થયેલી છે.
જ્ઞાતિકાર્યમાં પણ પોતે બનતી સેવા કરે છે અને જ્ઞાતિએ, બનારસમાં મળેલી ચોથી વિસનગરા જ્ઞાતિ કેન્ફરન્સના પ્રમુખ નીમી એમને અપૂર્વ માન આપ્યું હતું.
એમની સાહિત્ય સેવા સર્વદેશી છે. પિતે અનુવાદ કર્યા છે, જેમકે, રણજીતસિંહ.' પંચમ જ્યોર્જ; સ્વતંત્ર કૃતિઓ લખી છે; જેમકે, “સાડીનું સાહિત્ય,’ અને જુની ગુજરાતી કહાન્ડદે પ્રબંધ' નું અવલોકન કરી તે કાવ્યને શાસ્ત્રીય રીતે, ઊપઘાત અને નોટસ સાથે એડિટ કર્યું છે, જે બનારસ અને મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના ઉંચા અભ્યાસ માટે પાઠ્ય પુસ્તક તરીકે વંચાય છે. કહાન્ડદે પ્રબંધન સરળ અને રસિક ભાષામાં અનુવાદ કર્યો છે, જે વાંચતાં સ્વ. રા. બા. કમળાશંકર કહે છે તેમ, મૂળ કાવ્ય જ હેય નહિ એમ લાગે છે વળી પૌરાણિક કથા કેષ’ નું કાર્ય હમણાં તેઓ કરી રહ્યા છે. નર્મ કથા કષ' પછી આવું બીજું પુસ્તક થયું નથી. તે મરાઠીના આધારે તૈયાર થાય છે, તેમ છતાં તેમાં સુધારાવધારા અને ફેરફાર મહાટા અને વિસ્તૃત છે; અને તે એટલા મોટા પ્રમાણમાં છે કે મૂળ ગ્રંથ કરતાં એનું પૂર દોટું થયું છે અને પૌરાણિક આખ્યાયિકાઓને એ ભંડાર જ છે. | સરળ પદાર્થ વિજ્ઞાનની બીજી આવૃત્તિ ઘણું રસિકભાષામાં અને એ શાસ્ત્રના સંપૂર્ણ દિગ્દર્શન રૂપ થઈ છે. અને ગુજરાતી ટ્રેનિંગ કોલેજોમાં અને નિશાળોના અભ્યાસક્રમમાં તે દાખલ થઈ છે.
૮૮
Page #157
--------------------------------------------------------------------------
________________
ડાહ્યાભાઈ પીતાબહાસ દેરાસરી
બુલબુલ હરિધર્મશતક. અમારાં આંસુ મધુભુત કહાન્ડદે પ્રબંધ-મૂળ
, અનુવાદ વિદ્યાર્થીને મિત્ર વનસ્પતિશાસ્ત્ર,
એમના શ્રેની યાદી ૧૮૮૦ સરળ સાયનશાસ્ત્ર.
સરળ અર્થશાસ્ત્ર - ૧૮૮૪ સરળ પદાર્થ વિજ્ઞાન ૧૮૯૬
રણજીતસિંહ - ૧૮ર્ષ ૧૯૧૩ સાઠીના સાહિત્યનું દિગ્દર્શને ૧૯૧૧ ૧૯૨૪ ભુસ્તરવિદ્યા
૧૯૦ . ચમેલી–વસો રજત મહત્સવ
સ્મારક ગ્રંથ ૧૯૨૮ શહેનશાહ પંચમ જ્યોર્જ ૧૯૩૦
Page #158
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ડાલરરાય રંગીલદાસ માંકડ
જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ ઈ.સ. ૧૯૦૨ માં કચ્છમાં વાગડમાં જંગી ગામે થયા હતા. એમના માતુશ્રીનું નામ ઉમિયાગુવરી છે. એમનું મૂળ વતન કાઠિયાવાડમાં જોડીઆમાં છે. તેમણે માધ્યમિક શિક્ષણ જોડિયા તથા રાજકેટ ગામમાં લીધેલું અને ઉંચા શિક્ષણ માટે બહાઉદીન (જુનાગઢ) તથા દયારામ જેઠમલ સિંધ (કરાંચી) કાલેજમાં અભ્યાસ કરેલા. તેએએ સન ૧૯૨૪ માં બી. એ; ની પરીક્ષા ખીજા વર્ગોમાં પાસ કરેલી અને એમ. એ; ની પદ્રિ ખીન્ન વર્ગોમાં સન ૧૯૨૭ માં લીધેલી. હાલમાં તેએ કરાંચીમાં યારામ જેઠમલ સિંધ કાલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક છે. એમને પ્રથમ લેખ પૂરાતત્ત્વમાં (વર્ષ ૨,—અંક ૪) એ ત્રણ નાટક” નામને પ્રેમાનંદના નામકાના કર્તૃત્વ વિષે ઉંડી અભ્યાસપૂર્ણ ચર્ચા કરતા, છપાયા હતા અને તે લેખ સાતેમી ગુજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં પણ લેવાયા છે.
તે પછી એમની સાહિત્ય પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધતી અને ખીલતી ાય છે.
સી
ભાષાશાસ્ત્ર અને ગવેષણા એ એમના પ્રિય વિષયે છે અને ‘પ્રસ્થાન’ અને અન્ય માસિકામાં ભાષા વિષે લખાઈ આવતા એમના લેખા અભ્યાતરફથી આદરપૂર્વક વંચાય છે. વળી ‘નાગરિક' નામનાં કામી ત્રૈમાસિકના સહમ ́ત્રી તરીકે પણ એમની સેવા ધ્યાન ખેંચે છે. કરાંચીમાં તેઓએ ગુજરાતી મંડળ સ્થાપીને ભાષા, સાહિત્ય તેમજ સંસ્કૃતિ પ્રચારણનું સ્તુત્ય કાર્ય આદરી રહ્યા છે, જેને કઇંક ખ્યાલ તેમણે કરાંચી સાહિત્ય-કળા મહેાત્સવ અંક કાઢેલા છે તે પરથી આવશે.
એમના ગ્રંથાની યાદી:
Studies in Dasarupam ૧ શકાયઃ સ્તંત્રનું ભાષાંતર
૨ રૂદ્રાધ્યાય [મૂળ, ભાષાંતર, ટીકા] ૩ લવિવિધ (ભાષાંતર)
૯૦
1927
(સન ૧૯૨૯) (સન ૧૯૨૯) (સન ૧૯૨૯)
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી તારાહુન મેટિક
એએ જાતે દક્ષિણી-કાંકણસ્થ બ્રાહ્મણ અને પુણાના વતની છે. એમના જન્મ મુંબાઇમાં ૧૯ મી એપ્રિલ ૧૮૯૨ ના દિવસે થયા હતા. એમના પિતાનું નામ સદાશિવ પાંડુરંગ કેળકર અને માતાનું નામ ઉમાબાઈ કેળકર છે. એએએ ઘણાખરા અભ્યાસ મુંબાઇમાં કર્યાં હતા. સન ૧૯૦૯ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, ૧૯૧૦ માં કાલેજમાં જોડાયલા; અને સન ૧૯૧૪ માં ખી. એ., ની ડીગ્રી ઐચ્છિક વિષય ફ્રિલાસેાપી લઇને મેળવેલી. આપણી અત્યારની સામાજિક પરિસ્થિતિમાં એક વ્હેન આ પ્રમાણે ખી. એ., સુધીની કેળવણી લેવાને શક્તિમાન થાય એ ચિત્ અભિનંદનીય છે. એએ સન ૧૯૨૧ માં રાજકાટની સ્ત્રીએ માટેની ખાન પીમેલ ટ્રેનીંગ કૅાલેજમાં પ્રિન્સિપાલ તરીકે પ્રથમ દાખલ થયેલા; પશુ માટીસારીની પદ્ધતિથી આકર્ષાઇને તે દક્ષિણામૂર્તિ ખાળમ ંદિરના શિક્ષણકા માં જોડાયા. તેમના પ્રિય વિષયેા સમાજશાસ્ત્ર અને બાળશિક્ષણ છે.
શ્રીમતી તારાન્હેન મેડક
શ્રીયુત ગીજુભાઇની સાથે ખાલશિક્ષણ અને મેન્ટેસરી શિક્ષણ પતિમાં એએ એટલા રસલીન અને પ્રવૃત્તિમય થઇ ગયલાં છે કે એ બંનેના કાય પ્રતિ શિક્ષિત ગુજરાત આતુર દષ્ટિએ જોઈ રહ્યુ છે અને એમના પ્રયત્નાને સત્કારી રહ્યું છે.
એક દક્ષિણી વ્હેન ગુજરાતના બાળકો માટે જ્ઞાનને યજ્ઞ કરે, એથી વિશેષ રૂડું આપણા માટે પણ એક અપૂર્વ સંયોગ છે.
બાળકાનાં રમકડાં
બાળકાના પહેરવેશ
શાળાના ચાલુ શિક્ષણકાર્ય સાથે એમણે ખાલસાહિત્ય નવું સર્જવામાં પણ સારા હિસ્સા આપેલેા છે; એટલુંજ નહિ પણ એમના બીજાં કાર્યોની પેડે ‘શિક્ષણ પત્રિકા'ના એએ શ્રીયુત ગિજુભાઈ સાથે સહત ત્રી છે.
એમના ગ્રંથાની યાદી:
શિવણ ભરત બાળવાર્તાની વેણીએ આલચારિત્ર્ય
પોતાની શક્તિ અને બીજું શું હાય! એ
૯૧
ઇ. સ. ૧૯૨૭
,,
,,
22
39
99
૧૯૨૯
22
,,
Page #160
--------------------------------------------------------------------------
________________
મગેશના પાપટ
છાણા થાપી આવ્યાં ગિરિ શિખર
સાજા રહીએ
ચરિત્ર કથન
નવી દષ્ટિ
બાલ પ્રેમ
બાલકની માગણી તે હઠ
ઢીંગલીની રમત ઘરમાં મેન્ટીસેારી
ગ્રંથકાર ચરિત્રાવળી
૯૨
39
,,
""
""
39
29
29
29
99
99
૧૯૨૮-૨૯
99
..
19
99
૧૯૨૯
99
99
99
29
Page #161
--------------------------------------------------------------------------
________________
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
એઓ જ્ઞાતિએ પ્રશ્નારા નાગર છે. એમનું મૂળ વતન જામનગર અને એમનો જન્મ સં. ૧૯૩૮ ના માઘ શુદ પાંચમના રોજ કાઠિયાવાડમાં આવેલા અમરેલી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ કેવળરામ લીલાધર શાસ્ત્રી અને માતાનું નામ જયકુમારી છે. એમના પિતા ગોંડલ સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય અધ્યાપક હતા; એટલે ઘણોખરે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે ગોંડલમાં કરેલો. પણ હાનપણમાં એમનું શરીર નબળું રહેતું અને એમનામાં ઝાઝી સ્કૂતિં જણાતી નહિ, તેથી એમના અભ્યાસ પાછળ વિશેષ ધ્યાન અપાયેલું નહિ. સં. ૧૯૫૭ માં ઇગ્રેજી છઠ્ઠા ધોરણમાંથી અભ્યાસ છોડી દઈ, તેઓ રાજકોટમાં લક્ષ્મણ મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં દાખલ થયા; અને ત્યાં લગભગ અઢી વર્ષ અભ્યાસ કરી, પ્રેકટીકલ ફાર્મસીસ્ટ તરીકે પાસ થયા.
પિતાની પાસે એમણે કેટલુંક સંસ્કૃતિનું જ્ઞાન મેળવ્યું હતું અને લેબોરેટરીમાં રહ્યા તે અરસામાં તે અભ્યાસ, ખાસ કરીને સાહિત્ય અને વેદાંતનો, ખૂબ વધાર્યો હતે.
સન ૧૯૦૪ માં તેઓ પહેલ પ્રથમ મુંબઈ આવ્યા હતા; જે વર્ષે ત્યાં ઇન્ડિયન નેશનલ કોન્ટેસ અને તેના અંગે એક ભવ્ય સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન ભરાયું હતું.
પ્રેકટીકલ ફાર્મસીસ્ટ થયા પછી એકદમ નોકરી મળેલી નહિ અને એ બધે સમય એમણે આપણા પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને ધર્મના વાચન અને અભ્યાસમાં વ્યતિત કર્યો, જેનું સુંદર પરિણામ આપણે એમના અનેકવિધ વિદ્વત્તાપૂર્ણ લેખમાં પ્રત્યક્ષ નિહાળીએ–અનુભવીએ છીએ.
સન ૧૯૧૦ માં ઝંડુ ફાર્માસ્યુટીકલ વર્કસમાં એમની નિમણુંક થઈ; ત્યારથી એઓ એ લાઇનમાં, જે માટે પોતે પ્રથમથી લાયકાત પ્રાપ્ત કરી હતી, તેમાં ચાલુ રહી, આયુર્વેદના જ્ઞાનપ્રચાર અને સંશોધન અર્થ સતત પ્રયત્ન કરતા રહ્યા છે; અને એ પ્રવૃત્તિના અંગે “આયુર્વેદ વિજ્ઞાન’ નામનું એક માસિક એડિટ કરે છે, જે આયુર્વેદમાં રસ લેનારાઓ માટે કિમતી વાચનસાહિત્ય, વધુ વિચાર, ચર્ચા અને અભ્યાસ અર્થે રજુ કરે છે.
વૈદકની લાઇનમાં પડેલા હોવાથી એ વિષયમાં એમની હુંશિયારી અને વિદ્વત્તા દેખાઈ આવે એ સમજાય એમ છે; પણ વૈદકની લાઈનની પેઠે આપણા પ્રાચીન ઇતિહાસ અને સાહિત્યના વિષયમાં પણ એમણે નિપૂણતા
Page #162
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અને વિદ્વતા દાખવ્યાં છે, એમ એમના લેખે વાચનાર કઈ પણ કહી શકશે.
ડે. ભાંડારકરના શિવધર્મ અને વૈષ્ણવ ધર્મ વિષેના પુસ્તકનો અનુવાદ એમણે કર્યો છે, પણ તે પુસ્તક માત્ર અનુવાદ નથી; તેમાં ઘટતા ફેરફાર અને જરૂરી સુધારા વધારા કરીને કેટલીક વિશિષ્ટતા આવ્યું છે, તેથી તે મૂળ પુસ્તક સાથે લાઇબ્રેરીમાં ભેગું રાખવું જ પડે. ગુજરાતમાં એ ધર્મના પ્રચાર અને વિસ્તાર અર્થે એમણે એક તદ્દન નવીન પ્રકરણ તેમાં ઉમેરેલું છે, તે બતાવી આપે છે કે એ વિષયમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે અને એમને અભ્યાસ કેટલો ઝીણો અને માર્મિક છે.
ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓ છેક બીજી સાહિત્ય પરિષદથી રસ લેતા આવ્યા છે; અને છેલ્લી પાંચેક પરિષદોમાં, એવી એકે નહિ મળી આવે કે જેમાં એમને લેખ આવ્યો હોય નહિ.
સાહિત્ય પરિષદની પેઠે વૈદક પરિષદમાં પણ તેઓ ખૂબ રસ ધરાવે છે અને જુદે જુદે સ્થળોએ ભરાયેલી પરિષદમાં હાજરી આપી, તેના કાર્યને વ્યવસ્થિત અને ઉપયોગી બનાવવા જરૂરી હિસ્સો આપતા રહ્યા છે.
એમને સાહિત્યને સંસ્કાર–રસ સ્વ. મણિશંકર રત્નજીએ લગાડેલ; અને એમની પ્રેરણા અને સૂચનાથી ઋગ્વદના ચાલીસેક સૂક્તનો ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યો હતે.
તે પછી એમના સાહિત્ય અને ઈતિહાસના અભ્યાસમાં સ્વ. રણજીતરામે વિશેષ રંગ લગાડેલો; અને એમના આગ્રહથી “નવજીવન અને સત્યમાં કેટલાક લેખો લખી આપેલા.
એ લેખમાં પછી દિન પ્રતિદિન વધારો થતો ગયો છે; અને ગુજરાતી ઉંચી કોટિના એવાં થોડાં માસિકો માલુમ પડશે, જેમાં એમના એક વા અન્ય વિષય પર એકથી વધુ નિબંધ પ્રકટ થયા નહિ હોય.
વૈવકલ્પતરૂ” માટે એમણે બાળકનો વૈદ્ય' એ નામનું એક ભેટનું પુસ્તક લખી આપેલું; તેમ પંડિત નારાયણ મૂળજી બુકસેલર માટે “માધવ નિદાન’ની નવી આવૃત્તિ સુધારા વધારા અને નવા પરિશિષ્ટ સાથે તૈયાર કરી આપી છે. ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર પણ ચરિત્ર ગ્રંથમાં વિશેષ ઉમેરે કરે છે. એમનું “ગુજરાતનાં તીર્થસ્થાને ' એ પુસ્તક ઇતિહાસપ્રેમીઓએ તેમજ યાત્રાળુઓએ અવશ્ય વાચવા વિચારવા જેવું છે. તેમાં આપણે પ્રાચીન ઈતિહાસનું ઉંડું નિરીક્ષણ અને અભ્યાસ નજરે પડે છે, તેથી તે વિશેષ મૂલ્યવાન થયું છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રો
ગુ. વ. સાસાઇટીએ તેમને ગુજરાતના પ્રાચીન ઇતિહાસ–ચાવડા અને સોલંકી વંશને—તેમજ આયુર્વેદના ઇતિહાસ એ એ પુસ્તકા લખવા સાંપ્યાં છે; અને ફ્ાસ સભા તરફથી તેઓ ‘પ્રબંધ ચિંતામણિ’ નામના જીને ઐતિહાસિક ગ્રંથ એડિટ કરે છે.
એમના ઐતિહાસિક નિબંધેના એક સંગ્રહ 'પુરાણ વિવેચન' એ નામથી ગુ. વ. સાસાઇટી તરફથી પ્રસિદ્ધ થનાર છે.
આ પરથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં અત્યારે આપણા પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના જે ગણ્યાગાંઠયા અભ્યાસી અને વિવેચકે છે. તેમાં એમનું સ્થાન છે; અને એમના લેખા વિશ્વસનીય અને અભ્યાસ યેાગ્ય જણાયા છે. એમના ગ્રંથાની યાદીઃ
૧ વૈષ્ણવ ધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ
૨ બાળકાના વૈદ્ય
૩ માધવ નિદાન
૪ ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર ૨ શવધમ ના
૬ ગુજરાતનાં તીર્થ સ્થાને
૯૫
સં. ૧૯૭૩
સં. ૧૯૭૪
સં. ૧૯૭૫
સં. ૧૯૭૬
સં. ૧૯૭૭
સં. ૧૯૮૫
Page #164
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
દેશળજી કાનજી પરમાર
એઓ જાતે રજપુત છે. એમનું વતન ગોંડલ સંસ્થાને તાબાનું ગણદ ગામ છે અને એમને જન્મ સરદારગઢ (સોરઠ) માં તા. ૧૨ મી જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કાનજીભાઈ જીવાભાઈ પરમાર અને માતાનું નામ જીવીબાઈ મેઘાજી મકવાણા છે. એમના પિતાશ્રી કાઠિયાવાડ એજન્સીમાં કેળવણ ખાતામાં હતા અને એક ઉચ્ચ કોટિના શિક્ષક તરીકે તેમનું નામ એ ભાગમાં હજી પ્રસિદ્ધ છે; અને વિશેષ જાણવા અને નેંધવા જેવું એ છે કે એમના દાદા છવાજીએ બહારવટું કરેલું, જેમના અમીરી ગુણે પૌત્રમાં ઉતરેલા છે.
એઓએ મેટ્રીકની પરીક્ષા રાજકેટની ફ્રેડ હાઈસ્કૂલમાંથી સન ૧૯૧૨ માં પસાર કરી હતી અને તે પછી ભાવનગરમાં સામળદાસ કૈલે. જમાં અભ્યાસ કરી સન ૧૯૧૬ માં અંગ્રેજી-સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને બી. એ. થયા હતા.
એમના પ્રિય વિષય સાહિત્ય અને કળા છે. તેઓ અમદાવાદના વનિતાવિશ્રામમાં લાંબા સમયથી એક શિક્ષક છે. પોતાના ચારિત્ર અને વર્તનથી સંચાલકોને તેમજ ત્યાં ભણતી બાળાઓને એમણે ચાહ અને વિશ્વાસ સંપાદન કરેલાં છે. એમ કહી શકાય કે એમના પિતાની પેઠે શિક્ષણના ધંધા માટેનું એમનું કર્તવ્ય-ભાન અને જવાબદારીનો ખ્યાલ, એટલો ઉંચો, તીવ્ર અને દઢ છે કે એક ઉત્તમ શિક્ષકના બધા અંશે એમનામાં દૃષ્ટિગોચર થાય છે.
શિક્ષણના વ્યવસાયમાં પરોવાયેલા રહેવા છતાં, સાહિત્ય અને કળા પ્રતિ પણ એ એટલો જ અનુરાગ ધરાવે છે, અને વિશેષમાં યુવકયુવતીએનાં વિચાર, લાગણું, અભિલાષ અને આદર્શ સમજવા અને તેમાં ઉઠા ઉતરવા યત્ન કરી, તેમના માનસને મૂર્ત સ્વરૂપ આપવા પ્રયાસ કરે છે, એ એમના ગીત અને લેખ વાંચનાર જોઈ શકશે.
એ સંબંધમાં એક વાત અહીં નોંધીશું કે એ અને એમનું મિત્રમંડળ દેશમાં–કાઠિયાવાડમાં સાહિત્ય, કળા અને રસિક જીવનના મનોરમ સ્વપ્ન કુમારાવસ્થામાં સેવતું હતું, તે અમદાવાદમાં આવી વસ્યા પછી, તેમના મનોરથ સિદ્ધ કરવામાં કેટલેક અંશે સફળ થયું છે, એમ એમનું પ્રવૃત્તિકેન્દ્ર “કુમાર' કાર્યાલયમાં થતું કામકાજ સાક્ષી પૂરશે.
Page #165
--------------------------------------------------------------------------
________________
દેશળજી કહાનજી પરમાર
નવું અને ઉગતું ગુજરાત કેવી ભાવના અને મને સેવી રહ્યું છે; તેના આદર્શ અને અભિલાષ શા શા છે, એનું ચિત્ર એમના લેખે અને કામાંથી મળી આવશે અને નવ ગુજરાતના પ્રતિનિધિ કવિ અને લેખક તરીકે એમને ઓળખવામાં એક પ્રકારનું જેમ માન છે, તેમ એમના લખાણની યોગ્ય કસેટી છે.
મહાત્માજી વિષે તેમજ શહીદ જતીન્દ્રનાથદાસ વિષે એમણે બે ખંડ કાવ્યો રચેલાં છે; અને પ્રકીર્ણ કાવ્ય “ગૌરીનાં ગીત” એ નામથી પ્રકટ થયેલાં છે. એમનું ગદ્ય લખાણ, એમના પદ્યની પેઠે ભાવનાભર્યું અને કવિત્વમય છે.
એમને ગ્રંથઃ
ગૌરીનાં ગીત
Page #166
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ધનશંકર હીરાશકર ત્રિપાઠી
6
"
એમના જન્મ ખેડા જીલ્લામાં નડીઆદમાં વિક્રમાક` સંવત્ ૧૯૪૫માં ભાદ્રપદ શુદ એકાદશી ને ગુરૂવારે થયા હતા. તેમના પિતાનું નામ હીરાશંકર મહાશંકર ત્રિપાઠી અને માતાનું નામ તુળજાલક્ષ્મી છે. જ્ઞાતિએ એએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. કેળવણી મેટ્રીક સુધી લીધી છે. લેખક તરીકે શરૂઆતમાં મેટ્રોકમાંથીજ તેમણે ‘સુન્દરી સુષેધ, ' · આ ધર્મ પ્રકાશ વગેરે માસિકામાં કવિતાએ અને લેખે આપવા શરૂ કર્યાં હતા. સુન્દરી સુખાધ’માં તે ‘સિદ્દેલાસી' ઉપનામથી લખતા. ૧૯૧૦ની સાલમાં ‘ગુજરાતી પંચ'માં પ્રુફ્ફરીડરની જગ્યા ખાલી પડતાં તે તે જગ્યાએ રહ્યા. ત્યારથી બન્ધુ સમાજ’ ના સભાસદેાના પરિચયમાં આવ્યા અને તેમાંના રા. ડાહ્યાભાઇએ ગુજરાતી પંચ' માં નાની નાની નાંધા લખવાના કામમાં તેમને શિક્ષણ આપ્યું. એકાદ વર્ષ બાદ ધનશંકર મુંબાઈના ‘ગુજરાતી પત્ર' માં જોડાયા, જ્યાં ભાષાન્તરે અને ખીજાં પત્રકારિત્વનું કામ કરવાની તેમને પુષ્કળ તક મળી. સાત વર્ષ` તેએ ત્યાં રહ્યા તે દરમ્યાન સાહિત્ય વ્યવસાય પણ વધી શક્યા. ગુજરાતી'ની ભારત લાકકથાના એ ભાગામાં તથા ‘ગુજરાતી’ના ચાલુ અંકમાં તેમને વાર્તાએ લખવાનું કામ પણ સોંપાયું હતું. ૧૯૧૭ માં ‘ગુજરાતી પંચ' માં તે ઉપતંત્રી તરીકે જોડાયા. આજ પણ તેઓ તે સ્થાને છે. તેમને પ્રિય વિષય ઇતિહાસ છે.
તેમના ગ્રંથાની યાદીઃ
૧ વાìવૃક્ષ (ટૂંકી વાર્તાઓ)
૨ ચાખેરવાલી (ટાગારની નવલકથાના અનુવાદ)
૩ અલકકિશારી. (સૂચિત)
૪ સ્વદેશ
(નિબંધા)
૫ સુમન સંચય (કાવ્યેા)
૬ ડૂબતું વહાણ (ટાગારની નવલકથાના અનુવાદ)
૭ ટાગારની ટૂંકી વાર્તાઓ (ભાષાન્તર)
૮ સત્તરમી સદીનું ક્રાન્સ (ભા. ૧ લેા)
(અલેકઝાંડર ડૂમાના થ્રી મસ્કેટીઅસનું ભાષાન્તર.)
૯૮
૧૯૧૪
૧૯૧૬
૧૯૧૬
૧૯૧૮
૧૯૧૮
૧૯૧૯
૧૯૨૦
૧૯૨૦
Page #167
--------------------------------------------------------------------------
________________
ધનશંકર હીરાશકર ત્રિપાઠી.
૧૯૨૨ ૧૨૩ ૧૯૨૩
૯ પ્રબોધકુમાર (સૂચિત ) ૧૦ સંસાર બંધન (સૂચિત ) ૧૧ દિવ્યજ્યોતિ (મૌલિક ) ૧૨ દિવાની કે શાણું? (વલ્કી કોલિન્સના
ધી વુમન ઇન બહાઇટનું ભાષાન્તર) ૧૩ અનુપમ-ઉષા (મૌલિક) ૧૪ લક્ષ્મી અથવા જન્મભૂમિની જય ગર્જના (0) ૧૫ સેરઠના ચિતારા (ઐતિહાસિક નવલકથા) ૧૬ રૂપેરી રાજહંસ (ડિટેકિટવ નવલકથા)
૧૯૨૫ ૧૯ર૭ ૧૯૨૮ ૧૯૨૯
Page #168
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ધનસુખલાલ કૃણુલાલ મહેતા
એઓ જાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. એમને જન્મ કાઠિયાવાડમાં વઢવાણ ગામે તા. ૨૦ મી ઓકટોબર ૧૮૯૦ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણલાલ ગોવિંદદાસ મહેતા, જેઓ ઝાલાવાડ પ્રાંતમાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર હતા અને પાછળથી ત્રણ વર્ષ પાલીતાણમાં નાયબ દિવાન નિમાયા હતા. તેમનું મૃત્યુ ૧૯૧૦ની સાલમાં થયું હતું. માતાનું નામ સૌ. કપિલાગૌરી હતું, જેઓ ૧૯૦૪ માં મરણ પામ્યાં. એમના મોટાભાઈ રા. જયસુખલાલ મહેતા મુંબઈની ધી ઈડીઅન મર્ચન્ટસ ચુંબરના સેક્રેટરી છે અને સ્વ. રણજીતરામ વાવાભાઇ મહેતા તેમના મામા થાય.
મેટ્રીકયુલેશન સુધીનો અભ્યાસ કર્યા પછી, નાદુરસ્ત તબીયતને લીધે તેમને અભ્યાસ છોડી દેવો પડ્યો અને વિકટોરિયા જ્યુબીલી ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં ચાર વર્ષના અભ્યાસ પછી ઇલેકટ્રીકલ એનજીનીયરની એલ ઈ. ઈને ડીપ્લોમા તેમણે મેળવ્યો. તેમાં પણ તેમની તબીયત ચાલી નહિં એથી એમને એ લાઈન બદલવી પડી છે. હાલમાં તેઓ સીંધીઆ ટીમ નેવિગેશન કંપનીમાં નોકરી કરે છે.
શિષ્ટ અંગ્રેજી પુસ્તકોના ભાષાંતર કરવાથી ભાષા ઉપર સારો કાબુ આવશે એવી સુચના એમના મામાની થઈ; તે ઉપરથી એમણે સર આરથર કૈનન ડોઈલના જગવિખ્યાત શેરલૅક હોમ્સના ત્રણ પુસ્તકોના સરલ ભાષાંતર તૈયાર કર્યો. ૧૯૦૮ ની સાલથી તેમના લેખે પ્રકટ થવા માંડેલા. જાણીતા બેલજીઅન કવિ મેટરલિંકના ત્રણ નિબંધેનું ભાષાંતર કરવા માટે એમને શ્રી ફાર્બસ સભા તરફથી રૂ. ૨૫૦) નું પારિતોષિક મળ્યું હતું. આ નાનકડું પુસ્તક “મેટરલિંકના નિબંધે વિદ્વાનેમાં સારો આદર પામ્યું હતું અને “નવજીવન અને સત્ય” માં એની સમાલોચના કરતાં તેના તંત્રી શ્રી ઇદુલાલ યાજ્ઞિકે લખ્યું હતું કેઃ
“ અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આ અતિશય વિરલ અને ગહન પુસ્તકનું ભાષાંતર કરવામાં રા.ધનસુખલાલે જે વિજય મેળવ્યો છે તેની કેાઈ પણ ભાષાંતરકાર અદેખાઈ કરી શકે. અમે આગળ જઈને કહીશું કે આ નિબંધેની અગાધ ફિલસુફી અને ઉંડા અનુભવને આપણું પ્રમાણમાં કંગાળ ભાષામાં ઉતારતાં તેમણે એક પાસ શબ્દો અને શૈલીનું અવનવું લાલિત્ય દાખવ્યું છે અને બીજી પાસ તેમણે પિતે કૈક નવો યશ સંપાદન કર્યો છે. આ ભાષાંતરના વખાણ કરવામાં સંયમ રાખવો એ ખરેખર મુશ્કેલ છે.”
Page #169
--------------------------------------------------------------------------
________________
ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા
આ સિવાય તેમણે બાલઝાક, ગોતીએ, ગેલીઅન, જેકઝ વગેરે અમર સાહિત્યકારોની વિવિધ કૃતિઓનાં ભાષાંતર તેમજ રૂપાંતર કર્યો છે.
તાં એમની ખાસ ખ્યાતિ તે હાસ્યરસના લેખક તરીકે વિશેષ છે. હાસ્યરસની વાતનો એમનો પહેલો સંગ્રહ “હું, સરલા અને મિત્રમંડળ” બહાર પડયો ત્યારે
તરફથી તેની પ્રશંસા થઈ હતી. એમની હાસ્યરસ ખીલવવાની શક્તિની કદર કરી ઍ. બલવંતરામ ઠાકરે, પરિષદ ભંડોળ કમિટી તરફથી મોલીએરનાં બે નાટકનો અનુવાદ કરવાનું કાર્ય એમને સોંપ્યું હતું, જેને પરિણામે “ભૂલના નાગ” અને “બિચારો” એ નામથી એક પુરતક પ્રસિદ્ધ થયું છે.
સન ૧૯૧૮ ના જાન્યુઆરીથી ૧૯૨૩ ના ડિસેંબર સુધી છ વર્ષ, મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ તરફથી ચલાવવામાં આવતાં સૈમાસિક
સ્ત્રીહિતોપદેશ” ના તંત્રી તરીકે એમણે કામ કર્યું હતું. સાહિત્ય સંસના આરંભથી જ તેના સભ્ય તેઓ ચૂંટાયા છે અને હાલ પણ ગુજરાતમાં તેમના હાસ્યરસિક લેખ નિયમિત પ્રકટ થાય છે. એક અચ્છા ભાષાંતરકાર તરીકે, ટુંકી વાર્તાના લેખક તરીકે અને ખાસ કરીને હાસ્યરસ પ્રધાન સ્કેન કર્તા તરીકે તેઓ જાણીતા છે અને દિવાન બહાદૂર કૃણલાલ મેહનલાલ ઝવેરી, રા. હિંમતલાલ ગણેશજી અંજારિયા અને રા. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય જેવા જાગતા વિવેચકોએ હાલના ગુજરાતી સાહિત્યના હાસ્યરસના લેખકોમાં તેમનું સ્થાન બહુ ઉંચું નકકી કર્યું છે. તેમની નીચે જણાવેલ પ્રસિદ્ધ થઈ ગયેલ કૃતિઓ ઉપરાંત, ચાલુ વર્ષમાં (૧૯૩૦માં) એમની હાસ્યરસની વાતોના બે સંગ્રહ પ્રસિદ્ધ થવાનું છે–એક “વિનોદ વિહાર' આર. આર. શેઠ, મુંબઈ તરફથી અને બીજો “અમારી નવલકથા અને બીજી વાતો' પ્રસ્થાન કાર્યાલય તરફથી.
' એમના ગ્રંથોની યાદી ૧ ડીટેકટીવ બહાદૂર શેરલૅક હોમ્સ
સન ૧૯૦૯ [ Study in Scarlet નું ભાષાંતર | ૨. ચંડાળ ચોકડી [Sign of Four નું ભાષાંતર ! સન ૧૯૧૩ ૩. મેટરલિંકના નિબંધ
સન ૧૯૧૭ ૪. શેરલૅક હેમ્સનાં સાહસકર્મો [ Adventures of Sherlock Holmes s ciuit?!
સન ૧૯૨૦ ૫. હું, સરલા અને મિત્રમંડળ,
સને ૧૯૨૦ ૬. બિચારે અને ભૂલના ભોગ (મોલીએરનાં નાટકોનો અનુવાદ) સન ૧૯૨૧ છે. અસાધારણ અનુભવ અને બીજી વાતો
સન ૧૯૨૪
Page #170
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
એઓ જાતે લેઉઆ પાટીદાર, પેટલાદ તાલુકામાં આવેલા સોજીત્રાના વતની છે. એમને જન્મ સન ૧૮૭૪ માં આણંદ પાસે નાર ગામમાં થયો હતા. એમના માતાનું નામ હરખાબા છે. એમણે કોલેજના પ્રિવિયસ કલાસ સુધી અભ્યાસ કરેલો છે; પણ તે પરીક્ષા આપેલી નહિ. એમના પ્રિય વિષયો, સમાજશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને પુરાતત્ત્વ છે; અને વિશેષમાં બંગાળી અને જર્મન ભાષાઓનો બારીક અભ્યાસ કરેલો છે.
સન ૧૯૦૧ થી લેખનકાર્ય આરંભેલું. એમનું પ્રથમ પુસ્તક “સામાજિક પ્રોત્સાહ” નામે છે, જે એક ઈગ્રેજી ચોપાનિયાનો અનુવાદ છે. પછીથી “લતાકુમારી', “પદ્માલયા’, ‘મહારાષ્ટ્ર જીવન સંધ્યા”, “રાજપુત જીવન પ્રભાત', ગેરિબડી, વગેરે ગ્રંથે બંગાળીના આધારે રચેલાં પણ એમની ખ્યાતિ છેલ્લા પુસ્તક “ગેરિબડી થી વિશેષ થઈ હતી. તે પછી અંગ્રેજીના આધારે અમેરિકન પ્રેસિડન્ટ મહાવીર ગાફિલ્ડનું જીવનચરિત્ર અને ઈશ્વરે આ વિશ્વ રચ્યું,” એ બે પુસ્તકે બહાર પાડયાં હતાં. પણ તે અરસામાં સરકારની એમના પર અવકૃપા થવાથી એમને પરદેશ વેઠવો પડે. તે વર્ષે એમણે જર્મન ઈસ્ટ આફ્રિકામાં ગાળેલાં; અને તે સમયે લખાયેલાં એમના પત્ર, જેમ તે પ્રદેશની મહત્વની જાણવા યોગ્ય માહિતી આપે છે, તેમ માતૃભૂમિ માટે એમનું અંતર કેટલું બધું સીઝતું હતું તેની સરસ છાપ પાડે છે. તે પછી હિન્દમાં આવી તેઓ થોડોક સમય કવિવર ટાગોરના શાતિનિકેતન આશ્રમમાં જઈ રહ્યા હતા અને ત્યાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું.
ત્યારબાદ તેઓ પિતાના વતન નજદિક આવી વસ્યા છે. આણંદમાં પાટીદાર આશ્રમ કાઢી અને પાટીદાર’ માસિક ચલાવી, કોમના ઉત્કર્ષ અર્થે તેઓ અત્યારે ભારે સેવા કરી રહ્યા છે.
વયે પહોંચ્યા છતાં એક યુવકને જેબ આપે એ તેઓ જુસ્સો ધરાવે છે. એમના વિચાર અને આદર્શ પણ એટલા જ ક્રાંતિભર્યા છે.
સમાજસેવા અને કમસેવાના કાર્ય સાથે સાથે એમને સાહિત્ય વ્યવસાય પણ ચાલુ છે. થોડાંક વર્ષો પર “તરંગવતી' નામે એક પ્રાચીન જૈન વાર્તા ગ્રંથને એમણે અનુવાદ પ્રકટ કર્યો હતે. કવિવર ટાગોરના નૈવેદ્યની પ્રસાદી આપણને તાજી જ મળેલી છે અને તે આગમચ કવિ શિલરનું
૧૨
Page #171
--------------------------------------------------------------------------
________________
નરસિંહભાઇ ઇશ્વરભાઈ પટેલ
સુપ્રસિદ્ધ નાટક ‘દેશભક્ત વિલ્હેમ ટેલ’નું જનમાંથી ભાષાંતર કરી, એક લંબાણુ ઐતિહાસિક ઉપાદ્લાત તેમ જૂદા જૂદા આવશ્યક ટીપ્પણી સાથે છપાવ્યું હતું, તે એક કિમતી નાટક છે; અને દરેક સ્વદેશભક્તને અવસ્ય વાંચવા લાયક છે.
ટુંકાણમાં તેઓ એક સમાજસેવકનું જીવન જીવી રહ્યા છે અને પેાતાના અધા સમય અને શક્તિ, સાહિત્યના, દેશના અને કામના અભ્યુદય અને ઉન્નતિ માટે વાપરે છે.
એમના ગ્રંથાની યાદીઃ સામાજિક પ્રેાત્સાહન [અંગ્રેજીમાંથી અનુવાદ] લત્તાકુમારી [બંગાળીને આધારે] પદ્માલયા [ બંગાળીમાંથી અનુવાદ ] ગેરીબડી [ બંગાળી-ઈંગ્રેજીને આધારે ] મહારાષ્ટ્ર જીવનસઁધ્યા [ બંગાળીના અનુવાદ ] રાજપુત જીવન પ્રભાત [ બંગાળીના અનુવાદ ] મહાવીર ગાફિલ્ડ [ અંગ્રેજીને આધારે ] કયા ઈશ્વરે આ વિશ્વ રચ્યું’ ?
તરંગવતી [ મૂળ પ્રાકૃતમાંથી જનના અનુવાદ ] નૈવેદ્ય [ બંગાળીના અનુવાદ સન ૧૯૨૯ ] પાપીને પસ્તાવા [ ઇંગ્રેજીના અનુવાદ ] યુદ્ધ અને મહાવીર [ જમનના અનુવાદ ] વિલ્હેલ્મ ટેલ [ જનના અનુવાદ ] ઈટાલીના મુક્તિયજ્ઞ
૧૦૩
સન ૧૯૦૧
૧૯૦૩
૧૯૦૪
૧૯૦૫
૧૯૦૮
૧૯૦૮
૧૯૦૯
૧૯૧૦
૧૯૨૩
૧૯૨૩
૧૯૨૨
૧૯૨૪
29
- ૧૯૨૭
૧૯૨૯
22
29
99
99
"9
,,
,
3.
27
99
Page #172
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નરસિંહરાવ ભેળાનાથ દિવેટિયા, બી.એ., સી. એસ.
એમને જન્મ અમદાવાદમાં સન ૧૮૫૯ માં ૩જી સપ્ટેમ્બરના રોજ થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના પિતા ભોળાનાથભાઈનું નામ આખા ગુજરાતમાં એક આગેવાન સમાજસુધારક તથા ધર્મસુધારક તરીકે મશહુર છે. એમની માતાનું નામ શિવકાશી હતું. એમનું પ્રથમ લગ્ન સન ૧૮૭૨ માં થયેલું. બી. એ.ની પરીક્ષા સન ૧૮૮૦ માં બીજા વર્ગમાં અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાઓ ઐચ્છિક વિષય તરીકે લઈને પાસ કરેલી; એટલું જ નહિ પણ સંસ્કૃતમાં પ્રથમપદે આવેલા અને ભાઉ દાજી પ્રાઈઝ મેળવેલું. દી. બા. કેશવલાલ, સ્વ. મણિલાલ નભુભાઈ અને છે. શ્રીધર ભાષ્કારકર એમના સહાધ્યાયીઓ હતા. સન ૧૮૮૦માં એમનું બીજી વારનું લગ્ન સિા. સુશીલાબહેન સાથે થયું હતું. આગળ એમ. એ, અને એલ એલ. બી. નો અભ્યાસ કરવા માંડે; પણ તે અરસામાં સરકાર તરફથી સ્ટેટયુટરી સિવિલ સર્વિસમાં આસિસ્ટંટ કલેકટરની જગા મળવાથી તે પડતું મૂકેલો અને ઈ. સ. ૧૮૮૪ માં તેઓ આસિ. કલેકટર નિમાયા હતા; પ્રથમ ખેડામાં નીમાયા; પછી સોલાપુર બદલી થયેલી; ત્યાંથી બીજાપુર, પછી કારવાર અને પછીથી સિંધ હૈદરાબાદ, નાશિક, ખાનદેશ તથા રત્નાગિરિ ગયેલા; સન ૧૯૦૫ માં રત્નાગિરિમાં નિમાયેલા. નોકરીને ઘણોખરે. સમય દક્ષિણમાં જ વ્યતીત થયેલો. સન ૧૯૧૨ માં તેઓ નિવૃત્ત થયા હતા; પણ પાછળથી કૅલેજમાં ગુજરાતીને અભ્યાસ દાખલ થતાં, ઈ. સ. ૧૯૨૧ માં તેમને એલિફન્સ્ટન કૅલેજમાં ગુજરાતીના લેકચરર તરીકે નિમવામાં આવેલા છે અને તે કાર્ય હજુ આટલી વયે સરસ રીતે કર્યું જાય છે.
સન ૧૮૮૬-૮૭ માં શ્રીયુત નારાયણ હેમચંદ્રના સમાગમથી ગુજરાતીમાં કવિતા લખવાને વિશેષ વેગ મળેલો, જે “કુસુમમાળા'માં પરિણમ્યો. તે આગમચ છૂટક પદ્ય અને કાવ્યો લખેલાં, પણ તેમાંના થોડાંક જ રહેવા પામ્યાં છે; ઘણાંને તેમણે નાશ કર્યો છે.
કુસુમમાળા' પ્રથમ પ્રકટ થયેલી ત્યારે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ ખળભળાટ થયેલે; અને બે તડાં–પક્ષ બંધાઈ ગયેલાં; પણ એ કવિતાઓમાંના કાવ્યતત્ત્વના બળે એ નવાં કાવ્યોનાં પુસ્તકો અદ્યાપિ હોંશભર વંચાય છે.
૧૦૪
Page #173
--------------------------------------------------------------------------
________________
નરસિંહરાવ ભેાળાનાથ દિવેટિયા
સન ૧૮૯૬માં ‘ હૃદયવીણા ’ છપાયેલું; સન ૧૯૧૪ માં નૂપુરઝ કાર’; સન ૧૯૧૫ માં ‘સ્મરણ સંહિતા' એ રીતે ક્રમે ક્રમે કાવ્યગ્રંથ આપણને તેમના તરફથી મળતા રહ્યા છે; અને તે સઘળાં ગુજરાતી સાહિત્યમાં સદા ઊંચું સ્થાન જરૂર લેશે.
સન ૧૯૧૩ માં પ્રાંતિક સંસાર સુધારા પરિષદ અમદાવાદમાં એમના પ્રમુખપદ હેઠળ મળી હતી, તે પ્રસંગે પ્રમુખ તરીકે એમણે આપેલું વ્યાખ્યાન સમાજસુધારાના સિદ્ધાંતેા સ્પષ્ટ રીતે ચવાની સાથે, એ હિલચાલ વિષે નણવા જેવી હકીકત નોંધે છે.
એ વ્યાખ્યાનનું ગુજરાતી ભાષાન્તર રા. સાકરલાલ અમરતલાલ દવેએ કરેલું ફાલ્ગુન ૧૯૬૯ ના ‘વસન્ત'માં પ્રગટ થયું હતું.
સન ૧૯૧૫ માં સુરતમાં મળેલી પાંચમી ગુજરાતી સાહિત્યપરિષદ્ના પ્રમુખ તેએ નિમાયલા. સન ૧૯૧૫ માં મુંબાઇ યુનિવર્સિટી તરફથી વિલ્સન કાઇલાલેજીકલ વ્યાખ્યાને આપેલાં; જેનું પહેલું વાલ્યુમ સન ૧૯૨૧ માં બહાર પડયું હતું અને બીજું હજુ પ્રેસમાં છે.
વળી આ વર્ષની શરૂઆતમાં (ાન્યુઆરી, ૧૯૩૦) મુંબાઇ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાને ગુજરાતી સાહિત્યપર એમણે આપ્યાં હતાં; અને તે છપાઇને બહાર પડેથી, ગુજરાતી સાહિત્યના અભ્યાસીને એમના અન્ય લેખા મુજબ મૂલ્યવાન માલુમ પડશે.
જેમ નવીન કવિતા કરીને ગુજરાતી સાહિત્યમાં તેમણે નવીન ભાત પાડી છે, તેમ એમનું નામ એમના જોડણી નિયમા માટે હમેશ યાદ રહેશે. સન ૧૮૮૯ માં એ પ્રશ્ન એમણે ઉપાડેલે; તેમાંના કેટલાક મુદ્દાઓ પાછળથી સ્વીકારાઇ, સામાન્ય રીતે પ્રચલિત થઇ ગયા છેઃ માત્ર ‘'કાર અને થ’કાર વિષે સહેજ મતભેદ હજી ઊભા છે; પણ એટલું કહેવું જોઇએ કે એમની એ પ્રવૃત્તિના પરિણામે ગુજરાતી જોડણીમાં એક નિયમિતતા અને શુદ્ધિ દાખલ થયેલાં છે.
એજ રીતે પ્રેમાનંદનાં નાટકા વિષેને એમને નિબંધ, ત્રીજી સાહિત્ય પરિષદમાં રજુ થયલે, તેણે એ વિષય પ્રતિ સાનું સારી પેઠે ધ્યાન દોર્યું હતું અને તે કારણે એ ચર્ચામાંથી કેટલુંક નવતીત પ્રાપ્ત થયું છે, એમ બેશક કહેવું પડશે.
એમના અભિનયકલા વિષે નિબંધ બીજી
સાહિત્ય પરિષદમાં રજી
૧૦૫
૧૪
Page #174
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
થયો, તે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી જુદા પુસ્તકરૂપે છપાય છે અને થોડા સમયમાં બહાર પડશે.
એક વિવેચક અને ભાષાશાસ્ત્રી હોવા સાથે, તેઓ એક સમર્થ નિબંધ લેખક છે અને વર્તમાનપત્રો અને માસિકમાં કઈ અગત્યનો મુદ્દો આવતાં તે પર પિતાને વિચાર અને અભિપ્રાય દર્શાવવાનું તેઓ ભાગ્યેજ ભૂલતા હશે; એટલી બધી એમની નજર ચોતરફ ફરતી અને સર્વદેશી હોય છે.
પતે એકેશ્વરવાદમાં શ્રદ્ધા રાખે છે અને ચુસ્ત પ્રાર્થનાસમાજ છે. પ્રાર્થના મંદિરમાં કરેલા એમના ઉપદેશે અને વ્યાખ્યાનોની સંખ્યા પણ મેટી માલુમ પડશે.
એમના મોટા પુત્ર શ્રીયુત પ્રસન્નકુમાર અમદાવાદમાં પોલીસ ફોર્સમાં છે અને બીજા પુત્ર શ્રીયુત ભાઈ નલિનકાન્ત પુખ્ત ઉમરે પહોંચે તે અગાઉ મૃત્યુ પામેલા; પણ એટલી હાની વયે એમણે પિતાની પાસે જે જ્ઞાન અને સંસ્કારિતાને અમૂલ્ય વારસ મેળવેલો હતો તેને ઝાંખો પરિચય એમના લેખો અને પ્રો. બેઈનની વાર્તા (Digit of the Moon)નું “ઈન્દુકલા” નામે ભાષાન્તર; “નૂરજહાન' સરદાર જોગેન્દ્રસિંહની વાર્તાનું ભાષાન્તર; Poverty to Power નામના વિષમ ગ્રંથનાં પ્રકરણોનાં ભાષાન્તર, કેટલાંક કાવ્યો છે. દ્વારા કરાવેલો. એવુંજ શેકકારક મૃત્યુ એમની મહેટી પુત્રી સૌ. ઊર્મિલાબહેનનું હતું. તેઓએ પણ પ્રે. બેઇનની કથાનું ભાષાન્તર તથા કમલિની' વાર્તા (ભાષાન્તર) ગુજરાતને આપ્યાં છે. બીજી પુત્રી સૌ. લવંગિકા બહેન બી. એ, ( ફિલોસોફીના વિષય લઈને) થયેલા છે અને તેમણે “ગ્રીક સાહિત્યનાં કરૂણરસ પ્રધાન નાટકોની કથાઓ એ નામનું પુસ્તક અંગ્રેજી પરથી લખ્યું છે, તથા “સુવર્ણ કેશી' નામનું ભાષાન્તર વાર્તા પુસ્તક પ્રકટ કર્યું છે.
શ્રીયુત નરસિંહરાવના પ્રકીર્ણ નિબંધો અને વ્યાખ્યાનનો એક મોટો સંગ્રહ થવા જાય. એક ભાગ “ગુજરાતી” પ્રેસે મનોમુકુર' નામથી પ્રસિદ્ધ કર્યો છે; બીજા લેખોને સંગ્રહ પણ સંગ્રહાઈ છપાવાની આવશ્યક્તા કે સ્વીકારશે.
એમના પુસ્તકની યાદી કુસુમમાળા (કાવ્યો) . ઇ. સ. ૧૮૮૭ (પ્રથમ આવૃત્તિ);
ઈ. સ. ૧૯૧૮ (છઠ્ઠી આવૃત્તિ). ૧૦૬
Page #175
--------------------------------------------------------------------------
________________
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
જોડણ (ચર્ચા) ઈ. સ. ૧૮૮૮ (બુદ્ધિપ્રકાશને વધારે.) હૃદયવીણું (કાવ્યો) . સ. ૧૮૯૬ (પ્રથમ આવૃત્તિ);
ઈ. સ. ૧૯૧૦ (દ્વિતીય આવૃત્તિ) નૂપુર ઝંકાર (કાવ્યો) ઇ. સ. ૧૯૧૪ (પ્રથમ આવૃત્તિ).
ઇ. સ. ૧૯૨૯ (દ્વિતીય આવૃત્તિ). સ્મરણ સંહિતા (કાવ્ય) ઇ. સ. ૧૯૧૫. પાંચમી સાહિત્ય પરિષદમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન ઈ. સ. ૧૯૧૫. મનમુકુર ગદ્ય લેખોનો સંગ્રહ)
ઇ. સ. ૧૯૨૪. સમરણમુકુર (ગદ્ય રેખાચિત્રો)
ઇ. સ. ૧૯૨૬. જોડણી (સાહિત્ય પરિષદમાં સવિસ્તર નિબંધ) ઈ. સ. ૧૯૦૫. Gujarati Language and Literature vol I. (Wilson Philological Lectures.)
ઈ. સ. ૧૯૨૧. છે vol. II.
(છપાય છે.) Brahma Dharma (અંગ્રેજી વ્યાખ્યાન) ઇ. સ. ૧૮૯૧.
આ સિવાય છૂટક પુસ્તિકાઓઃ યા ક્ષમા શાન્તિ, ભક્તિ ને નીતિ (બે વ્યાખ્યાનો); લિપિ, શ્રુતિ સ્વર સિદ્ધાન્ત (સંગીતના એક કૂટ પ્રશ્નનું અન્વેષણ-ગ. ગે. બર્વેના નિબન્ધના અવલોકન રૂપે )..
અંગ્રેજી:1 Presidential address at the Provincial Social
Conference held at Ahmedabad in 1913 A. D. 2 Several Contributions to the India Antiquary
and J. B. B. R. A. S. on Gujarati Linguistics. 3 Kripabai, a short story in the East & West. 4 Introduction to Narayan Hemchandra's' Sayings
of Sages." 5 Thakkar Vasanji Madhavji Lectures(five)delivered
in January 1930.(To be published by the Bombay University. )
૧૦૭
Page #176
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ન દાશ'કર દેવશ’કર મહેતા
એએ જ્ઞાતિએ સાઠોદરા નાગર ગૃહસ્થ છે, એમના જન્મ તા. ૨૩ મી ગષ્ટ ૧૮૭૧ ના દિવસે થયા હતા. એમના પિતાનું નામ દેવશંકર નભુભાઇ, જે અમદાવાદ દસ્ક્રાઇના પહેલા વર્ગના મામલતદાર હતા. માતાનું નામ ખાઇ રૂક્ષ્મિણી, જે ઉલ્લાસરામ અર્જુનલાલના પુત્રી થાય. સ્વ. ઉલ્લાસરામે પણ મામલતદારી ભાગવી, સરકારની નેાકરી સરસ રીતે બજાવી, એમને વિશ્વાસ અને માન સંપાદન કર્યાં હતાં, તે એમને મળેલાં અનેક સરટીફીકેટ અને પત્રે પરથી સમજાય છે. સ્વ. કવિ બાલાશંકર એમના પુત્ર અને શ્રીયુત નર્મદાશંકરના મામા થાય.
સન ૧૮૮૯ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી, તેએ ગુજરાત કાલેજમાં દાખલ થયેલા. સન ૧૮૯૪માં બી., એ. ની પરીક્ષા ભાષા (English and Sanskrit Literature) ઐચ્છિક વિષય લઈને ઉંચે નંબરે વડાદરા કાલેજમાંથી પાસ થતાં, તેમને ગુજરાત કૅલેજમાં દક્ષિણા ફેલે નિમવામાં આવ્યા હતા. તે વખતે પ્રિન્સિપાલ આનંદશંકર કૅલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. તેમણે એમનામાં સંસ્કૃતિ માટે અભિરુચિ અને પ્રેમ જાગૃત કરેલા, તે કારણે તેએ અદ્યાપિ એમના માટે ગુરૂભાવ સેવે છે. ખી. એ., ની પરીક્ષામાં તેમને સંસ્કૃતમાં ભાઉદાજી ઇનામ રૂ. ૨૦૦) નું મળેલું, જે ઇનામ મેળવનાર ગણ્યાંગાંઠયાં ગુજરાતીએ મળી આવશે અને તેજ વર્ષે સુન ગાકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ મુંબાઇ યુનિવર્સિટી તરફથી હરીફાઇ નિબંધ માટે મળ્યું હતું. ત્યાર પછી બીજીવાર તેજ પ્રાઇઝ હરીફાઇમાં સને ૧૮૯૯ ની સાલનું “અદ્વૈત બ્રહ્મ સિદ્ધિ” નામના ગ્રંથના ઈંગ્રેજી ભાષાંતર બદલ તેમણે મેળવ્યું હતું.
એમના પ્રિય વિષયા ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેના અભ્યાસ અને અધ્યયનમાં એમને એમને સંસ્કૃતનું ઊંડું જ્ઞાન અને વિશાળ વાચન હુ મદદગાર નિવડયાં છે.
સન ૧૮૯૬ માં તે રેવન્યુ ખાતામાં કલાર્ક તરીકે જોડાયલા; અને એ કારકજામાંથી સતત ઉદ્યોગ, ખંત, ખબરદારી, જાત હુંશિયારી, જે તે વિષય પરનું પ્રભુત્વ અને વિદ્વત્તાને લઇને તેઓ સરકારી નેકરીમાં, ડેપ્યુટી કલેકટરના ઉંચા હાદ્દા સુધી પહોંચ્યા હતા. એમની એ તીવ્ર બુદ્ધિશક્તિ અને મુચિાપલ્ય તેમ બહેાળા અનુભવની ખ્યાતિથી ખેંચાઇ, મુંબાઈ
૧૦૮
Page #177
--------------------------------------------------------------------------
________________
નર્મદાશંકર દેવશંકર મહેતા
કારપરેશને એમની તેના ડેપ્યુટી કમિશનર તરીકે પસંદગી કરી હતી. ત્યાંનું કામકાજ એટલું સંતોષકારક નિવડયું હતું કે તેઓ નિવૃત્ત થયા પછી પણ કેરપરેશને તેમને રિફ્રેન્ચમેન્ટ (ખર્ચમાં કાપકુપ)ના કામ માટે ફરી નિમ્યા હતા, જે એક ઉત્તમ પ્રમાણપત્ર લેખાય; અને તેની વિશેષ પ્રતીતિ સિટિ
મૂવમેન્ટ બેડે રૂ. ૨૦૦૦ ના માસિક પગારથી એમને મુંબાઈ છોડી જતાં જતાં તેના એકિટંગ ચિફ ઓફીસર તરીકે નિમણુંક કરી હતી, તેથી થાય છે.
આથી જ્યાં જ્યાં અને જેમની હાથ નીચે અને જેમની સાથે એમને નોકરી કરવાના અને કામ કરવાના પ્રસંગો પડેલાં છે. ત્યાં ત્યાં એમને હિમેશ યશ મળેલો છે અને એમના કાર્યની ને સેવાની પ્રશંસા થયેલી છે, જેની ખાત્રી એમને મળેલાં સંખ્યાબંધ ઉપલા અધિકારીઓના પત્રો, ઠરાવ અને સરટીફીકેટ કરી આપશે.
રેવન્યુ ખાતું જ એવું છે કે ત્યાં ભલભલો સરસ્વતી દેવીને ઉપાસક, તેની આરાધના અને સેવામાં શિથિલ થઈ જાય; એટલી બધી તે કરી વ્યવસાયી, શ્રમભરી અને વ્યગ્રતા કરનારી છે. પણ એમના સંબંધમાં ખુશી થવા જેવું એ છે કે ચાલુ નિયત કાર્યો અને અન્ય વ્યવસાયમાંથી સમય મેળવી, સરસ્વતી દેવીની સતત આરાધના કરવાનું તેઓ વિસર્યા નથી.
દક્ષિણ ફેલ હતા ત્યારે સુજ્ઞ ગેકુળજી ઝાલા નિબંધ ઈનામ મળેલું તે પછી સન ૧૮૯૯ માં ચાલુ નોકરી સાથે ફરી હરીફાઈમાં ઉતરી “અદ્વૈત બ્રહ્મસિદ્ધિ' એ કઠિન ગ્રંથનો અનુવાદ કરી, સદરહુ ઇનામ બીજીવાર મેળવેલું.
આ વેદાંત પ્રાઇઝ બેવાર મેળવનાર તેજ ઇનામના સંબંધમાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ સાથે સને ૧૯૧૮--૧૮ ના અરસામાં મુંબઈ યુનીવસટી તરફથી પરીક્ષક નીમાયા હતા.
ત્યાર પછી એમને લેખિનિ પ્રવાહ સતત વહેતે રહ્યો છે. એમના પ્રકીર્ણ લેખેને સંગ્રહ સે સવાસોથી વધુ થવા જાય છે, જેમાંના ઘણખરા લેખે ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતાં છે. આ લેખ ઘણાખરા શ્રેયઃ સાધક અધિકારી વર્ગ તરફથી વર્ષમાં બે વાર પ્રકટ થતી “સદુપદેશ શ્રેણી” માં પ્રસિદ્ધ થયા છે.
શ્રીમન નૃસિંહાચાર્યને તેઓ પિતાના પૂજ્યગુરૂ માને છે અને શ્રી શ્રેયઃ સાધક અધિકારી વર્ગ-મંડળની પ્રવૃત્તિમાં ભાવપૂર્વક મુખ્ય ભાગ લે છે,
૧૦૯
Page #178
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જ્યાં એમનું પ્રતાપી વકતૃત્વ તેમ ગંભીર તાત્ત્વિક વિચારવાળું ધાર્મિક પ્રવચન, હમેશ અસરકારક અને આલ્હાદક અને મનનીય થઈ પડે છે.
સાહિત્ય પ્રતિ ખેંચાણ એમના મામા બાલાશંકરના સહેવાસથી થયેલું. સન ૧૮૮૫ માં તેમણે “સતીનાટક' લખેલું; સન ૧૮૯૨-૯૩ માં તોટકાચાર્યકૃત “શ્રુતિસાર સમુદ્ધરણ” નો અનુવાદ અને તે પછી મહાકાળમાં (વૈ. ૧૨) અપ્પય દિક્ષિતના વૈરાગ્ય શતક' નો તરજુમો છપાવેલો.
એમના સ્વતંત્ર ગ્રંથમાં ગુ. વ. સોસાઇટી માટે લખી આપેલાં ‘હિન્દ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ, બે ભાગમાં; “અખો', કમળાશંકર વ્યાખ્યાનમાળા અંગે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ, “સુપ્રજનન શાસ્ત્ર' સયાજી સાહિત્યમાળા માટે લખેલું અને “સંધ્યાકર્મ વિવરણું” “પ્રાતઃકાળ' ના તંત્રી તરફથી પ્રસિદ્ધ થયેલું એ ચારનો સમાવેશ થાય છે; અને તે બધાં ઉંચી કેટિનાં, મૂલ્યવાન અને સ્થાયી ઉપયોગનાં ગ્રંથ છે.
સુપ્રજનનશાસ્ત્ર એ પુસ્તકને મૂળ ખરડો અંગ્રેજીમાં એક હરીફાઈ નિબંધ માટે લખાય; અને ઈગ્લાંડની યુનિકસ સોસાઈટીએ તેને શ્રેષ્ઠ ગણી ઈનામ બક્યું હતું.
આ ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી, તથા અંગ્રેજી ઘણું પુસ્તકોની અંગ્રેજીમાં તેમણે સમાલોચના The Indian Social Reformer તથા Indian Daily Mail કરેલી છે.
સ્થાનિક સ્વરાજ્ય માટેનું એમનું કાર્ય જાણીતું છે. રેવન્યુ ખાતામાં હતા ત્યારથી તે માટે પ્રયત્ન કરતા રહ્યા છે.
તે પછી અમદાવાદ મ્યુનિસિપાલેટીમાં ચીફ ઓફીસર તરીકે બે વાર અને છેવટ મુંબાઈ કરપરેશનમાં, નિવૃત્તિ થતાં આગમચ ડેપ્યુટી કમિકરના ઓઠા પર રહી કામ કરેલું, જે એકમતે પ્રશંસનિય ગણાયું છે.
તત્ત્વજ્ઞાન અને ધર્મના ઉંડા અભ્યાસી અને સમર્થ ચિંતક તરીકે એમની ખ્યાતિ બહોળી છે, અને નવમી સાહિત્ય પરિષદે એમને ધર્મવિભાગના અધ્યક્ષ નીમીને, પરિષદનું ગૌરવ વધાર્યું હતું.
તે સાથે તેઓ પ્રખર વકતા છે; એટલે એમની વિદ્વત્તા અને જ્ઞાનની છાપ શ્રેતા પર ઉંડી પડી, તેમના પ્રત્યે માનની લાગણી ઉપજાવે છે.
એઓ હાલમાં નિવૃત્ત થયેલા છે. ઘણોખરો સમય અભ્યાસ અને લેખનકાર્યમાં અને જે કાર્યમાં પિતાને શરૂઆતથી શેખ હતો, તે સ્થાનિક
૧૧૦
Page #179
--------------------------------------------------------------------------
________________
નર્મદાશંકર દેવશંકર મહેતા
સ્વરાજ્યમ્યુનિસિપલ કાર્યમાં વ્યતીત કરે છે. તેઓ સરકાર નિયુક્ત મ્યુનિસિપલ સભ્ય છે; અને હમણું સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષપદે બિરાજે છે. સ્થાનિક સ્વરાજ્યની ઈલાકાની સંસ્થાના ( Local self Govt. Institute) તેઓ વાઈસ પ્રેસિડેન્ટ છે. અમદાવાદમાં સ્થાનિક સંસ્થાઓના નોકરોને શિક્ષણ આપવાનો કલાસ ઈલાકાની ઉપરની સંસ્થા તરફથી કાઢવામાં આવ્યો છે તેના તેઓ ચાલક છે, અને શિક્ષક પણ છે.
તેમણે સોસાઈટી તરફથી અખાત ગીતા, પંચીકરણ અને ગુરૂશિષ્ય એ કાવ્યોનું સંશોધન કરી, એક વિસ્તૃત ઊઘાત સાથે તે એડિટ કરવાનું તેમજ ઉપનિષદ્ વિષે એક સ્વતંત્ર ગ્રંથ લખી આપવાનું સ્વીકાર્યું છે.
તે સાથે એમના છૂટક લેખો એક સ્વતંત્ર ગ્રંથરૂપે છપાય તો તત્ત્વજ્ઞાનના વાચકને તેમાંથી ખચિત ઘણું જાણવાનું અને શિખવાનું મળી આવે.
એમના ગ્રંથોની યાદી ૧. સતી નાટક
સન ૧૮૮૫ ૨. શ્રુતિસાર સમુદ્રણ [તોટકાચાર્ય ]
સન ૧૮૯૨-૯૩ ૩. વૈરાગ્ય શતક ૪. સુપ્રજનનશાસ્ત્ર
સન ૧૯૨૨-૨૩ ૫. સંધ્યા કર્મ વિવરણ
સન ૧૯૨૦-૨૧ ૬. હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ પૂર્વાર્ધ
સન ૧૯૨૩-૨૪ ૭. , , ઉત્તરાર્ધ
સન ૧૯૨૪-૨૫ 6. Evolution of the conception of Pranave
૧૧૧
Page #180
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નદાશ કર બાલાશ કર પડયા
એએ રાજપીપળાના વતની છે; અને રાજપીપળા–નાંદોદમાં જ એમના જન્મ તા. ૩૦ મી ઑગષ્ટ ૧૮૯૩ ના રાજ થયા હતા. એમના પિતાનું નામ ખાલાશંકર કાળાભાઈ પંડયા અને માતાનું નામ ગ`ગામાઇ કૃપાશ કર પંડયા છે. એમણે બી. એ., સુધી અભ્યાસ કર્યો છે તેમજ સરકારી કેળવણી ખાતાને એસ. ટી. સી., ને ડિપ્થેામા પણ મેળવ્યેા છે. સન ૧૯૦૪ થી ૧૯૧૯ સુધી જજૂદી જૂદી સ્કુલામાં શિક્ષક તરીકે કામ કરેલું; પણ ગાંધીજીએ સરકારી શાળાએ અસહકાર જાહેર કરતાં ગ્રાન્ટ-ઇન-એઇડવાળી સ્કુલ સાથે સંબંધ ત્યજી દઇ, પોતે અસહકારી ચળવળમાં જોડાયલા. સન ૧૯૨૬ સુધી સુરતની વિનયમંદિર શાળાના હેડમાસ્તર તરીકે કામ કરેલું: તે પછી તેઓ જાહેર સેવાકાર્યોંમાં પડેલા છે. હાલમાં સત્યાગ્રહની લડાઈમાં સુરત જિલ્લા તરફથી એક મુખ્ય કા કર્તા તરીકે સરસ કામ કરી રહ્યા છે. એમના પ્રિય વિષય વૈષ્ણવ સાહિત્યના અભ્યાસ, ખાસ કરીને ચૈતન્ય સંપ્રદાયના અને તે માટે એમણે બંગાળા, એરિસા આદિ સ્થાને માં પ્રવાસ પણ કરેલા છે. એમનું પ્રથમ કાવ્ય સન ૧૯૦૪માં બુદ્ધિપ્રકાશ'માં આવેલું; અને પ્રથમ ગ્રંથ પાગલ હરનાથ’–એક બંગાળી સાધુ પુરુષના પત્રા— બંગાળી પરથી સન ૧૯૧૨માં બહાર પડયા હતા.
એમના ગ્રંથાની યાદીઃ
૧. પાગલ હેરનાથ
[બંગાળાના એક સતના ભક્તિ વિષયક પત્રાનું અંગાળીમાંથી ભાષાંતર.]
૨. શ્રીકૃષ્ણે ચૈતન્ય ભા. ૧
..
[સ્વ. શશિકુમાર ઘેષકૃત “અમીય નિમાઇ ચરિત” ના છ ભાગ પૈકી પ્રથમ ભાગને અનુવાદ.] ૩. સંસાર દણુ
[સ્વ. રમેશચંદ્ર દત્તની ‘સમાજ’ નવલકથાને અનુવાદ.] ૪. પ્રાણચિકિત્સા
૫. રાજાષ અશોક
[બંગાળી તથા વિસેન્ટ સ્મિથના ઈંગ્રેજી ગ્રંથના આધારે]
* અપ્રકટ છે.
ઇ. સ. ૧૯૧૨
૧૧૨
19
17
22
૧૯૧૩
૧૯૧૪
૧૯૧૫ ૧૯૧૬ –૧૭
Page #181
--------------------------------------------------------------------------
________________
નર્મદાશંકર બાલાશંકર પંડયા
૬. સ્વામી વિવેકાનંદ ભા. ૪–૫
૧૯૧૭–૧૮ ["From Almora to Colombo" 4641411
અંગ્રેજી પુસ્તકને અનુવાદ] ૭. રામકૃષ્ણ કથામૃત
૧૯૧૮–૧૯ [ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય માસ્ટર “જ” કૃત એજ નામના બંગાળી ત્રણ ગ્રંથે પિકી પહેલા
ત્રણને અનુવાદ] ૮. મહાન નેપોલિયન [એબટ, બંકિમચંદ્ર, લાહિડા તથા
બીજાં ઈગ્રેજી જીવનચરિત્રોના આધારે ] ૯. રાજગ [સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાને].
૧૯૨૪ ૧૦. યોગતત્વ.
૧૯૨૫ [ અમેરિકન લેખક રામચરકના કેટલાંક અંગ્રેજી
પુસ્તક પરથી સંકલિત.] ૧૧. ગૌરાંગ મહાપ્રભુ
૧૯૨૫ ૧૨. ભગવાન ચિતન્યદેવ ૧૩. પ્રેમાવતાર ચતન્યદેવ ૧૪. ધ્વજારોપણ અથવા બારડોલીને ધનુષ્ય ટંકાર
[બારડોલી સત્યાગ્રહની જૂદી જૂદી ઘટનાઓ નાટકરૂપે.]
૧૯૨૯
અપ્રકટ
૧૧૩
૧૫
Page #182
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી.
એ જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ છે. વતની કાઠિયાવાડ, ગેંડલ સંસ્થાનના સરસાઈ ગામના અને ત્યાંજ એમનો જન્મ તા. ૨૬ મી ઓકટોબર ૧૮૯૨ ના રોજ થયો હતો. એમના પિતાનું પૂરું નામ વલભજી કુંવરજી દ્વિવેદી અને માતાનું નામ રામકુંવર છે. એઓ મેટ્રીક થયેલા છે; તે પછી તેઓ પત્રકારના ધંધામાં જોડાયેલા છે. હાલમાં આઠ વર્ષથી મુંબાઈમાં જાણીતા અઠવાડિક પત્ર “ગુજરાતી માં મદદનીશ લેખકનું કામ કરે છે. એમને અભ્યાસનો પ્રિય વિષય ઇતિહાસ છે અને ફૉર્બસ સભાએ એ કારણે “ગુજરાતનાં ઐતિહાસિક સાધન સંગ્રહ ભા. ૧, ૨ એડિટ કરવાનું એમને સુપ્રત કર્યું હતું. “રાષ્ટ્રીય જીવન” એ નામની એક નવલકથા મરાઠી પરથી એમણે લખેલી છે, અને ગુજરાતી, બે ઘડી મોજ, હિન્દુસ્તાન, વગેરે પત્રોમાં તેઓ અવારનવાર ટુંકી વાર્તાઓ, નવલકથા, ડિટેકટીવ વાર્તા વગેરે લખતા રહે છે.
એમના ગ્રંથોની યાદી રાષ્ટ્રીય જીવન
સન ૧૯૨૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધને ભા. ૧, ૨
સન ૧૯૨૮
૧૧૪
Page #183
--------------------------------------------------------------------------
________________
નવલરામ જગન્નાથ ત્રિવેદી
નવલરામ જગન્નાથ ત્રિવેદી
એએ જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ છે; એમના પિતાનું નામ જગન્નાથ ઉમિયાશંકર ત્રિવેદી અને માતાનું નામ ખાઈ ઉજમ છે. એમનું વતન વઢવાણ સીટી છે; અને એમને જન્મ તા. ૧૧ મી એકટેમ્બર ૧૮૯૫ ના રાજ થયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે વઢવાણ કેમ્પની શાળામાંજ લીધું હતું. સન ૧૯૧૪ માં તેઓ મેટ્રિકમાં પાસ થઇ, ગુજરાત કાલેજઅમદાવાદ-માં વધુ અભ્યાસ માટે જોડાયા હતા. સન ૧૯૨૦ માં તે બી. એ., થયા; ને તે પછી લાલશ ંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક તરીકે રહ્યા, જ્યાં હજી કામ કરે છે. પાઠશાળાના કામકાજ સાથે એમ. એ., ને આગળ અભ્યાસ કરી સન ૧૯૨૬ માં તે ડીગ્રી મેળવી હતી; અને વચગાળે સન ૧૯૨૩માં મુંબાઇ યુનિવર્સિટીના ઇનામી નિબંધ “ગુજરાતમાં સને ૧૮૪૮ થી ૧૯૧૪ સુધીમાં થયેલ સમાજ સુધારાની પ્રગતિ” એ માટે હરીફાઇ કરી નારાયણુ પરમાનંદ પ્રાઈઝ મેળવ્યું હતું. એમના પ્રિય વિષયા સાહિત્ય, સમાજશાસ્ત્ર અને પોલિટીક્સ છે; તેમજ અંગાળી, મરાઠી, હિંદી અને સંસ્કૃત વગેરેને સારે। પરિચય ધરાવે છે. સાહિત્ય પ્રતિની એમની અભિરુચિ અને ગાઢ અભ્યાસના કારણે તેમને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી નિમવામાં આવ્યા હતા, જે પદે ગયે વર્ષે માંદા પડી, પેાતાના ગામ ગયા ત્યાં સુધી રહ્યા હતા. માસિકેામાં તેઓ અવારનવાર લેખ લખી મેાકલે છે.
એમના ગ્રંથામાં “ કારાવાસની કહાણી,'' શ્રૃંગાળી પુસ્તકાના આધારે લખાયલું રાજકીય વિષયનું પુસ્તક જાણીતું અને વાંચવા જેવું છે.
એમના ગ્રંથાની યાદીઃ
કારાવાસની કહાણી ખાટાદકરનાં કાવ્યા
૧૧૫
સન ૧૯૨૧ સન ૧૯૨૩
Page #184
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ન્હાનાલાલ દલપરામ કવિ એમ. એ.,
એએ અર્વાચીન ગુજરાતના એક મુખ્ય વિધાયક અને નામાંકિત કવિ દલપતરામ ડાહ્યાભાઇના ચેાથા પુત્ર, નાતે શ્રીમાળી બ્રાહ્મણ છે. એમને જન્મ સં. ૧૯૩૩ માં ચૈત્ર શુદ ૧ ગુડી પડવાના દિવસે અમદાવાદમાં થયા હતા.
એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાંજ લીધેલું; પણ વિદ્યાર્થી અવસ્થામાં એમણે માપતાને તેાફાન મસ્તીથી રંજાડેલાં, તેથી કેટલાક સમય એમને સ્વ. પ્રેા. કાશીરામ દવેની પાસે મેાબીમાં રાખવામાં આવેલા; અને એમની સાથેના સહવાસની અસરથી એમના જીવનપલટા થયા. પિતાને પેાતે ન્હાનપણમાં સંતાપેલા તેને પશ્ચાત્તાપ એમણે ‘ભગવદ્દગીતા'ને અનુવાદ તેમને અર્પણ કરતાં, અપણુ પત્રિકામાં, પૂજ્ય ઉંડી લાગણી ભર્યાં શબ્દોમાં કર્યાં છે, જે એની સરસતાથી ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેશે., તેમજ પ્રા. વેને કાવ્યાના બીજા ભાગના અણુમાં અર્પેલી નિવાપાંજલિ પણ એટલીજ સુંદર બની છે અને એમના પ્રત્યેની પૂજ્ય ગુરૂભક્તિ ભાવભીના હ્રદયે અસરકારક રીતે, તેમાં વ્યક્ત થઈ છે.
સન ૧૮૯૩ માં મેટ્રીક થઇ, એએ એલફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, ને ૧૮૯૬ માં ગુજરાત કાલેજમાં આવ્યા, ૧૮૯૮ માં પિતાના મૃત્યુ પછી ડેકન કાલેજમાં ગયા, અને સન ૧૮૯૯ માં ખી. એ. ની પરીક્ષા ફિલાસારી અને લાજીક ઐચ્છિક વિષય લઇને ખીજા વર્ગમાં પાસ કરી. સન ૧૯૦૧ માં એમ. એ., ની પરીક્ષા હિસ્ટ્રી, પોલિટિકલ ઈકાનાની અને પોલિટેક્સ વિષય લઈને પાસ કરી.
તે પછી સન ૧૯૦૨ માં એએ સાદરા રăાટ સ્કૉલેજમાં રૂ. ૮૦ ના પગારથી પ્રથમ હેડમાસ્તર નિમાયા અને સન ૧૯૦૪ માં એમની રાજકેાટ રાજકુમાર કૉલેજમાં પ્રેફેસર તરીકે રૂ. ૧૫૦ ના પગારથી બદલી થઇ.
આ જગા પર તેઓ સન ૧૯૧૩ સુધી રહ્યા હતા. તે અરસામાં એમના કાર્યથી પ્રસન્ન થઈ રાજકોટના નરેશ સ્વ. સર લાખાજી રાજે સરકાર પાસેથી એમની નાકરી ઉછીતી લઇ એમને સર ન્યાયાધિશ નિમ્યા. પ્રસંગેાપાત્ દિવાનનું કાય` એમને સાંપાતું હતું.ત્યાંથી પાછા ફરતાં રાજકુમાર કાલેજમાં તે વાસ પ્રિન્સિપાલ અને સન ૧૯૧૯ માં એજન્સી એજ્યુકેશન આપીસર થયા હતા. પણ સન ૧૯૨૧ માં દેશમાં રાષ્ટ્રીય હિલચાલનું જે પૂર ફરી વળ્યું તેમાં યથાશક્તિ ફાળા આપવા એએ પણ તત્પર બન્યા અને ૧૯૨૧ ના નવે
૧૧૬
Page #185
--------------------------------------------------------------------------
________________
હાનાલાલ દલપતરામ કવિ
અરમાં કલકત્તામાંના અત્યાચારોને કારણે સરકારની ત્યારની રાજનીતિના વિરોધ તરીકે પોતે પગાર કે પેન્શનની પરવા કર્યા વિના રાજીનામું આપ્યું. નિવૃત્ત થયા પછી તેઓ અમદાવાદમાં આવી રહ્યા છે.
એમનું લાંબુ કાવ્ય “વસન્તોત્સવ’ સન ૧૮૯૯ માં પ્રથમ “જ્ઞાન સુધા'માં ડોલન શૈલીમાં પ્રકટ થયું ત્યારે સાહિત્ય દુનિયામાં કંઇક આશ્ચર્ય સાથે પ્રત્યાઘાત થયો હતો. એ નવીન ડાલન શૈલીની સામે એકસ વર્ગ વિરુદ્ધ અભિપ્રાય ધરાવે છે તેમ છતાં ગુજરાતી કાવ્યસાહિત્યમાં, તેમણે નવીન માર્ગ ખોલ્યા છે, અને તે એમનાં કાવ્યની વિશિષ્ટતા થઈ પડી છે. એમના રાસ પણ દયારામની ગરબીની પેઠે ગુજરાતી જનતામાં અત્યંત આકર્ષક નિવડ્યા છે; અને બીજા અનેક લેખકોએ એનું અનુકરણ કર્યું છે, તે એમના રાસેની સફળતા તેમ લોકપ્રિયતા સૂચવે છે. વળી પ્રાશ્ચાત્ય ગેય કાવ્યનું એકલું અનુકરણ કે ભાષાંતર ન કરતાં, જનાં પ્રચલિત લોકગીતના રાહ લઈ નવીન કાવ્ય-ગરબી અને રાસ રચી એમણે ગુજરાતી કાવ્યસાહિત્યને તેમાં માધુર્ય, પ્રસાદ, પદલાલિત્ય અને તાલબદ્ધતા આણી, સમૃદ્ધ કર્યું છે; અને તેની રસિકતા અને ભાવ, રસ અને કલ્પનાની તરબોલતાના કારણે એમને અર્વાચીન ગુજરાતી કવિઓમાં અગ્રસ્થાને મૂકવામાં આવે છે.
એક કવિ તરીકે એમણે સારી કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યો છે; એટલું જ નહિ પણ ગુજરાતીમાં સ્વતંત્ર નાટક રચીને પોતે ચિરસ્થાયી સ્થાન મેળવ્યું છે. વાચકવર્ગમાં એવા થોડાક જ મનુષ્ય હશે, જેઓ એમની કૃતિઓ, ઈદુ કુમાર” અને “જયા જયન્તથી થોડા ઘણે અંશે પણ પરિચિત નહિ હોય. એ નામ ગુજરાતી જનતામાં સર્વ સામાન્ય થઈ પડ્યાં છે; અને એમના અન્ય ગ્રંથ, વિશ્વગીતા, પ્રેમકુંજ, રાજર્ષિ ભરત, જહાંગીર નૂરજહાંનમાં પણ એમની તેજસ્વી કલમ ઝળકી રહે છે તેમજ એમની બીજી કેટલીક કૃતિઓ હજુ અપ્રસિદ્ધ પડેલી છે, તે માટે રસિક વાચકવર્ગ ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે.
આપણે અહિં લાંબાં કે વીર રસનાં કાવ્યોના લેખકો થોડાક જ મળી આવે છે. પણ એમણે હમણાં કુરુક્ષેત્ર-મહાભારતના સંગ્રામનું એક વીર કાવ્ય ઈ. સ. ૧૯૨૬ થી છપાવવા માંડયું છે, જેના છ કાંડ પ્રકટ થઈ ચૂક્યા છે. એ મહાકાવ્યની કદર કરીને ભાવનગર રાજ્ય ઇ. સ. ૧૯૩૦ થી કવિશ્રીને રૂ. ૫૦૦ નું વર્ષાસન બાંધી આપ્યું છે. સન ૧૯૨૭માં એમની સુવર્ણ જ્યુબિલિ નિમિત, ગુજરાતના મુખ્ય
૧૧૭
Page #186
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મુખ્ય શહેરોમાં સમારંભ રચાઈ, એમને માન અપાયું હતું, તે દર્શાવે છે કે ગુજરાતી પ્રજાને એમના પ્રતિ કેટલે બધે ચાહ અને સદભાવ છે.
ખરે, એમની અપૂર્વ કવિત્વશક્તિ, સમર્થ લેખનશૈલી, તેજસ્વી બુદ્ધિ અને નૈસર્ગિક રચનાને કારણે એમનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અને ખું છે; અને વીસમી સદીના સાહિત્યની પ્રથમ ત્રીશીને ન્હાનાલાલ યુગનું ઉપનામ અપાય છે તે વાજબી છે અને તે લેખકના માટે ખચિત માનભર્યું છે.
નીચે એમના ગ્રંથની યાદી આપી છે, તે પરથી જોઈ શકાય છે કે અમુક અંતરે એમની કલમમાંથી નવીન કૃતિઓ નિયમિત રીતે ઝરતી રહી છે અને તે પ્રવાહ હજુ ચાલુ છે, એ ઓછું આનંદજનક નથી.
એમના ગ્રંથની યાદી ૧ કેટલાંક કાવ્ય, ભા. ૧ લે (બે આવૃત્તિઓ) સન ૧૯૦૩ ૨ રાજસૂત્રોની કાવ્ય ત્રિપુષ્ટિ
- ૧૯૦૩-૦૫-૧૧ ૩ વસૉત્સવ (ત્રણ આવૃત્તિઓ )
૧૯૦૫ ૪ કેટલાંક કાવ્યો ભા. ૨ જે (બે આવૃત્તિઓ )
૧૯૦૮ ૫ ઇન્દુ કુમાર, અંક ૧લો (ત્રણ આવૃત્તિઓ )
૧૯૦૯ ૬ બહાના બહાના રાસ, ભાગ ૧લો (છ આવૃત્તિઓ) ૧૯૧૦ ૭ શ્રીમદ્ ભગવદ્ગીતા, સમલોકી
૧૯૧૦ ૮ જયા-જયન્ત (ચાર આવૃત્તિઓ )
૧૯૧૪ ૯ મેઘદૂત સમોકી
૧૯૧૭ ૧૦ ઉષા (પાંચ આવૃત્તિઓ)
૧૯૧૮ ૧૧ ચિત્રદર્શને
૧૯૨૧ ૧૨ રાજર્ષિ ભરત (બે આવૃત્તિઓ )
૧૯૨૨ ૧૩ પ્રેમકુંજ (બે આવૃત્તિઓ ) ૧૪ પ્રેમભક્તિ-ભજનાવલિ ૧૫ સાહિત્ય મન્થન ૧૬ વૈષ્ણવી ષડશ ગ્રન્થ, સમશ્લોકી (બે આવૃત્તિઓ) ૧૯૨૫ ૧૭ શકુન્તલાનું સંભારણું, સમશ્લોકો (બે આવૃત્તિઓ) ૧૯૨૬ ૧૮-૧૯ યુગપલટો અને મહા સુદર્શન (બે આવૃત્તિઓ ) , ૧૯૨૭ ૨૦ ઉધન (બે આવૃત્તિઓ) ૨૧ અર્ધ શતાબ્દિના અનુભવ બેલ (બે આવૃત્તિઓ ) ,
૧૧૮
» ૧૯૨૪
Page #187
--------------------------------------------------------------------------
________________
નહાનાલાલ દલપતરામ કવિ
૧૯૨૮
૨૨ સંસાર મળ્યુન (બે આવૃત્તિઓ ) ૨૩ વિશ્વગીતા (બે આવૃત્તિઓ ) ૨૪ ઇન્દુ કુમાર, અંક ૨ (બે આવૃત્તિઓ ) ૨૫ ન્હાના ન્હાના રાસ, ભાગ ૨ (બે આવૃત્તિઓ ). ૨૬ ગીતમંજરી ૨૭ જહાંગીર-નૂરજહાન ૨૮-૨૯ યોધપર્વ અને પ્રતિજ્ઞાઠ% (બે આવૃત્તિઓ ) ૩૦ કુરુક્ષેત્ર એકાદશકાંડ, શરશયા ૩૧ કુરુક્ષેત્રઃ દ્વિતીયકાંડ, હસ્તિનાપુર નિર્દોષ
૧૯૨૯ ૧૯૩૦.
૧૧૯
Page #188
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નૃસિ’હપ્રસાદ કાલિદાસ ભટ્ટ
એએ જ્ઞાતિએ પ્રશ્નારા બ્રાહ્મણ; વતની ભાવનગરના અને જન્મ પણ ત્યાંજ સંવત્ ૧૯૩૯ ના કાર્તિક શુદ એકમ-નવા એસતા વર્ષે થયે હતા. એમના પિતાનું નામ કાલિદાસ છેટાલાલ ભટ્ટ અને માતાનું નામ આદિમ્હેન હીરાલાલ પડયા છે. એએએ ભાવનગરમાં જ બધું શિક્ષણ લીધેલું. સન ૧૮૯૯ માં મેટ્રીક થયા પછી શામળદાસ કાલેજમાં તેએ જોડાયલા. સન ૧૯૦૩ માં બી. એ. ની પરીક્ષા વેદાન્ત અને અંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષય લઇને પાસ કરી હતી. એમ. એ. માં એમને ઐચ્છિક વિષય શાંકરવેદાન્ત અને અંગ્રેજી સાહિત્ય હતા અને તે ડીગ્રી સન ૧૯૮૭માં લીધી, તે પછી તેઓએ કેળવણી ખાતા તરફથી એસ. ટી. સી. ડી. ને ડિપ્લામા મેળવ્યા હતા. સન ૧૯૦૮ માં એમની નિમણુંક ભાવનગરની શામળદાસ કાલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે થઈ હતી; પણ ચાલુ શિક્ષણપદ્ધતિ ખામીભરેલી અને અપૂણૅ જણાવાથી, તેમ તેમાં ધાર્મિક સંસ્કાર પાષવાને કંઇ પણ વ્યવસ્થા વા યેાજના નહિ હોવાથી તેમનું મન તે પરથી ઉઠી ગયલું; અને જેમણે એમના જીવન પર પ્રબળ અસર કરેલી અને એમના ધાર્મિક જીવનના વિકાસ કરેલા એવા જાણીતા આચાર્ય શ્રીમન્ નથુરામ શર્માની સહાનુભૂતિ અને સક્રિય સહાયતા મેળવી, સન ૧૯૧૦ માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શરૂઆત કરેલી. તે કાય માટે એમણે પેાતાની અધ્યાપક તરીકેની માનવાળી જગા છેાડી દઇ, સદરહુ સેવાકાર્યં એક જીવનકર્ત્તવ્ય તરીકે સ્વીકાર્યું; અને તે પાછળ એમને ભાગ-સ્વાપણુ-ખચિત એમના માટે અત્યંત માનની લાગણી તેમ પૂજ્ય
ભાવ પ્રકટ કરે છે.
તે પછી એ સંસ્થા એમના નેતૃત્વ નીચે ફૂલીફાલી છે; તે એક કેળવણીની પ્રયાગશાળા થઇ પડી છે; અને એ સંસ્થામાં થતું કાય નવી કેળવણી પ્રવૃત્તિનું એક કેન્દ્ર બની રહી, તેની અસર અને પ્રભાવ સમસ્ત ગુજરાત પર પડતા રહ્યા છે, તેને યશ વાસ્તવિક રીતે એમને અને એમના સાથીઓને ઘટે છે.
દક્ષિણામૂર્તિ ભવન એક સ્વતંત્ર શિક્ષણસંસ્થા છે. તે ગુજરાત વિદ્યાપીઠ સાથે નિકટ સંબંધ ધરાવે છે, જેના તેએ એક વખતે વાઇસ ચાન્સે લર-કુલનાયક હતા. દક્ષિણામૂર્તિ ભવનના ગૃહપતિ તરીકે એમને જે અનુ
૧૨૦
Page #189
--------------------------------------------------------------------------
________________
નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ
=
ભવ થયેલા, તેથી પ્રેરાઈને એમણે છાત્રાલય પ્રવૃત્તિ આરંભેલી; અને તેના અંગે એક માસિક પત્રિકા “છાત્રાલયના નામે કાઢે છે. વળી કેળવણું વિચાર અને સિદ્ધાંતના પ્રચાર અર્થે નિકળતું એમનું “દક્ષિણામૂર્તિ ત્રિમાસિક ખરેખર અજોડ છે; અને એનું મૂલ્ય આપણો શિક્ષકવર્ગ અને અને શિક્ષિત વર્ગ ધીમે ધીમે સમજતો થયો છે, એ આપણા ભાવિ ઉદયનું એક શુભ ચિહ્ન છે.
આ બધા વ્યવસાય સાથે, એ વિદ્યાર્થીઓને કેવાં પુસ્તકની જરૂર હોય છે, તે બરાબર સમજી લઈને પિતાને બચત સમય લેખનકાર્યમાં ગાળે છે; અને એમણે એ રીતે લખેલાં પુસ્તક નીચે મુજબ છેઃ સંસ્કૃત પ્રથમ પુસ્તક
ઈ. સ. ૧૯૧૯ આપણા દેશને ઇતિહાસ ભા. ૧
૧૯૧૯ સંસ્કૃત દ્વિતીય પુસ્તક
૧૯૨૦ આપણા દેશને ઇતિહાસ ભા. ૨
૧૨૦ સંસ્કૃત પરિચય પદ્ધતિ
૧૯૧૦ હઝરત મહમ્મદ પયગમ્બર
૧૯૨૦ છાત્રાલય કમિશનને અહેવાલ
૧૯૨૭ હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ
૧૯૨૮ સૂતપુત્ર કર્ણ
૧૯૨૯ પાંચાલી
૧૯૩૦
૧૨૧
Page #190
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
=
પાલનજી બરજોરજી દેસાઈ
એએ નવસારીનાં વતની છે; એમને જન્મ નવસારીમાં દેશાઈવાડમાં સન ૧૮૫૧ માં થયો હતો. એમના પિતાનું નામ બરજોરજી પાલન દેસાઈ અને માતાનું નામ બેહમનબાઈ નવરોજજી દેસાઈ છે. સન ૧૮૭૨ માં એમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. સન ૧૮૭૪ માં “રાસ્ત ગતારમાં જોડાયેલા તે નિવૃત્ત થયા સુધી એની સાથે સંબંધ જારી રહેલે. લગભગ અઠ્ઠાવીસ વર્ષ સુધી સબ-ઍડિટર તરીકે કામ કર્યું હતું અને સન ૧૯૦૨ થી ૧૯૧૬ માં રીટાયર થયા ત્યાં સુધી તેઓ તેના તંત્રી રહ્યા હતા. આ ૪૨ વર્ષની લાંબી મુદત દરમિયાન એક પત્રકાર તરીકે કઠિન કાર્ય–કર્તવ્ય કરવાની સાથે તેમણે સન ૧૮૮૦ થી ૧૯૦૦ સુધી નરે એમ’ નામનું માસિક ચલાવ્યું હતું; એટલું જ નહિ પણ એમના ગ્રંથો, જેની સંખ્યા આશરે તેત્રીસની છે, તે લખ્યા અને સાથે સાથે ભાષણ, પરચુરણ લેખો વગેરે લખ્યાં હતાં, એ બધા પરથી એમની શક્તિ, જ્ઞાન, વાચન અને ઉદ્યોગને સરસ ખ્યાલ મળશે. એમની એ લાંબી સાહિત્યસેવા અને એક પત્રકાર તરીકેની સેવાની કદર પ્રજાએ એમને સન ૧૯૨૬ માં એક જાહેર મેળાવડે કરી એમને રૂ. ૯૦૦૦ ની એક પર્સ અર્પણ કરીને કરી હતી; એ એમની બહોળી લોકપ્રિયતાની અને કીર્તિની અચૂક નિશાની છે. વળી એમને એમના ગ્રંથ માટે હિન્દુ, પારસી અને ઇસ્લામી ગૃહસ્થા તરફથી જૂદી જૂદી વખતે ઈનામની સારી રકમો મળી હતી; અને “રાસ્ત ગોફતાર પત્રના માલિક મેસર્સ બેહરામજી ફરદુનજી ની કંપનીએ પણ એમને છૂટા થતી વખતે રૂ. ૫૦૦) નું ઍનરેરીઅમ બક્ષી, એમના કાર્યથી સંતોષ દાખવ્યો હતો. એમના પ્રિય વિષયો ઇતિહાસ, દંતકથા અને ગુજરાતી ભાષા શુદ્ધિ છે. એમના ગ્રંથ જ એમના વિશાળ વાચન અને ઉંડા અભ્યાસની સાક્ષી પુરશે. વધારે ખુશી થવા જેવું એ છે કે ઘણાં વર્ષોથી શુદ્ધ ગુજરાતી લખવાની તેઓ હિમાયત કરતા આવ્યા છે; અને પારસી લેખકો પર એની સારી અસર નથી થઈ એમ તે નહિજ કહી શકાય.
ગુજરાતી પત્રકારિત્વને ખીલવવામાં અને તે પત્રકારિત્વની ઉચી પરંપરા ઉભી કરવામાં એમને હિસ્સે થડે નથી. એક બાહોશ તંત્રી તરીકે એમનું નામ જાણીતું છે; અને એક વિદ્વાન અને ગ્રંથકાર તરીકે પણ એમણે સારી પ્રતિષ્ઠા અને માન મેળવ્યાં છે.
૧૨૨
Page #191
--------------------------------------------------------------------------
________________
પાલનજી બરજોરજી દેસાઈ
એમના ગ્રંથે વિધવિધ અને અનેક છે, અને એ જ એમનું જીવંત સ્મારક છે. તેની યાદી નીચે પ્રમાણે છેઃ
ઐતિહાસિક ૧. તવારીખે સાસાનીઆન
૧૮૮૦ ૨. તવારીખે હખામનીઆન
1૧૮૮૯ ૩. તારીખે સાહાને ઈરાન
૧૮૯૬ ૪. તવારીખે કયાનીઆન
૧૯૧૬ ધાર્મિક ૫. સરોશ ઇજદ [ઇનામી નિબંધ)
. સ. ૧૮૮૩ ૬. જસ્તી જવાહરે [ઇનામી નિબંધ.]
૧૯૦૦ ૭. નવું જરાસ્ત નામુ [ઈગ્રેજી અનુવાદ.]
૧૯૦૦ ૮. અષો જરતોસ્ત
૧૯૧૫ ૯. હનવદ ગાથાનું જરસ્તી શિક્ષણ [ઇગ્રેજી ભાષાંતર.] ૧૯૨૧ ૧૦. ફરહરનામુ; યાને-ફવષિની ફિલસુફી
૧૯૨૯ પરચુરણ પારસી ગ્રંથા, ૧૧. શાહજાદો શાપુર (નાટક)
. સ. ૧૮૮૨ ૧૨. નવસારીના મોટા દેશાઈ ખાનદાનની તવારીખ
૧૮૮૭ ૧૩. પુરાતન જમાનાના પારસીઓ
૧૮૮૮ ૧૪. દિલખુશ અથવા રમુજે ફુરસત
૧૮૯૨ ૧૫. અરેખ્યન ટેલ્સ-દફતર ૧ લું
૧૮૯૭ ૧૬. , - , ૨ જે
૧૯૦૭ ૧૭. કીસ્સે સંજાણ અથવા સંજાણનું પારસી સંસ્થાન ૧૯૦૮ ૧૮. અહેવાલે રાહનુમાએ માજદયસ્નાન
૧૯૨૧ ૧૯. ગુલે અનાર (પારસી અને હિંદુસંસારસુધારાની વાર્તા-કાવ્યમાં) ૧૯૨૭
| નવલકથાઓ ૨૦. ફરંગીજ અથવા વાંધામાં પડેલાં વારે
૧૮૭૩ ૨૧. ચંડાળ ચોકડી
૧૮૭૫ ૨૨. પૈસાના પુજારીઓ યાને ચેરને પિટલે ધૂળ , ૧૯૧૭
* નં. ૨૦ થી ૩૩ સુધીની નવલકથાઓ જુદાં જુદાં માસિક અને વર્તમાનપત્રમાં પ્રકટ થયેલી છે.
૧૨૩
Page #192
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
૨૩. બેહરામ ગૂર યાને કનોજની રાજકુમારી
૧૯૧૮ ૨૪. ફરતે આસ્માન યાને અંતઃકરણને ડંખ
૧૯૧૯ ૨૫. શીરવાનની નેકનામી યાને મજદકી પંથકી નાબુદી , ૧૯૧૯ ૨૬. ખુદાનો લાલ યાને પસે વધતે કે બંદે?
૧૯૨૦ ૨૭. તકદીરને તીર યાને તકદીર ચઢે કે તદબીર ?
૧૯૨૧ ૨૮. અર્દશીર બાબેકાન
૧૯૨૧ ૨૯. ખુસર પવિંજ ભા. ૧
૧૯૨૨ ૩૦. , , ભા. ૨
૧૯૨૪ ૩૧. , , ભા. ૩
૧૯૨૫ ૩૨. બેહદેલું વાજું અથવા જાત પર ભાત
૧૯૨૩ ૩૩. જોડિયા ભાઈઓ અથવા એ તે બહેન
૧૯૨૫ આ ઉપરાંત તેમણે ૪૦ થી વધુ જાહેર વ્યાખ્યાનો ઇતિહાસ, ગુજરાતી ભાષા, જરસ્તી ધર્મ પર જુદી જુદી મંડળીઓ તરફથી આપેલાં છે તેમજ અનેક ઐતિહાસિક વગેરે લેબો લખ્યાં છે.
૧૨૪
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રાંણજીવન વિશ્વનાથ પાઠેક
પ્રાણજીવન વિશ્વનાથ પાઠેક
એએ પ્રશ્નારા નાગર બ્રાહ્મણ; મૂળ વતતી ભેાળાદના (તા. ધેાળકા), અને જન્મ ગામ ખંભાળીઆ કાઠિયાવાડમાં તા. ૨૨ મી આગષ્ટ ૧૮૯૮ ના રાજ થયા હતા. રાજકાટ હંટર મેલ ટ્રેનિંગ કેલેજમાંથી જે ઉત્તમ સ્કેકરે નિકળ્યા છે અને નામ કાઢ્યું છે, તેમાં વિશ્વનાથ સદારામ પાઠક અગ્રસ્થાન લે છે. એમના સાથી ન્હાના પુત્ર તે પ્રાણજીવનભાઇ; અને રામનારાયણ પાઠક તે એમના વડિલ બંધુ. પિતાના બધા ઉન્નત્ત અને ઉત્તમ સંસ્કારે। તેમ લેખનવાચનના શેખ પુત્રાને સાંપડયાં છે. તેએ સન ૧૯૧૪ ના નવેમ્બરમાં મેટ્રીક થઇ કાલેજનું પહેલું દેઢ વ` તેમણે વડેદરામાં ગાળ્યું. યુનીવર્સીટીનાં ટમ બદલાયાં તેથી વધારાના છ માસ દરમીઆન તેમણે ત્યાંની લાયબ્રેરીનેા ખૂબ ઉપયાગ કર્યો તેની અસર તેમના જીવન ઉપર ઉંડી રહી ગઈ છે. કાલેજનાં છેલ્લાં ૩ વર્ષ તેમણે ક્ગ્યુસનમાં ગાળ્યાં અને સન ૧૯૧૯ માં તેમણે આનસ સાથે બી. એ., ની પરીક્ષા પાસ કરી હતી. એમને ઐચ્છિક વિષય ફિલસુરી હતેા વિદ્યાર્થી અવસ્થામાંથી તેએ બહુ ચંચળ અને બુદ્ધિશાળી માલુમ પડેલા; અને તે લક્ષમાં રાખીને સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટે, ખાનગીમાં એક પ્રસંગે કહેલું, એમના વિષે ભવિષ્ય ભાખેલું, કે આગળ જતાં એની વિદ્વત્તાથી એ ઝળકી ઉઠશે. એમ કહેવું અતિશયેાકિત ભર્યું નથી, કે નવા ઉગતા લેખકેામાં એમણે પોતાના લેખેાથી ઉત્તમ છાપ બેસાડી છે; જેમાં એમને સૂક્ષ્મ અભ્યાસ અને ચિંતન દૃષ્ટિગોચર થાય છે. એ પેાતાના વિષયમાં એટલા પારંગત છે કે તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, ભાતિકશાસ્ત્ર (આઇન્સ્ટાઇન) અને સંગીત જેવા ગૂઢ અને કઠિન વિષયેાનું સ્પષ્ટીકરણ તે બહુ સરલતાથી કરી શકે છે.
એમના પ્રિય વિષયે। સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને ચિત્ત-માનસશાસ્ત્ર છે, ખેદ માત્ર એ છે કે એમના અભ્યાસને અનુકૂળ અને ઉત્તેજક થઈ પડે, એવી નેાકરી એમને સાંપડી નધી; તેમ છતાં જેમને અભ્યાસ પ્રત્યે પ્રીતિ છે તે પેાતાને રૂચતી અને બંધબેસતી પ્રવૃત્તિ કાઇને કાઈ શેાધી લે છે. વળી મિજ લિસે ફિલસુફાનની સ્થાપના એમની એવી વૃત્તિનું પરિણામ છે. વસ્તુતઃ એને ઉભુ કરનાર એએ જ છે; અને એ એમનું પ્રિય બાળક− સંસ્થા છે.
જાણીતા નાટકકાર ઈબ્સનના ડીલ્સ હાઉસને અનુવાદ ઢીંગલી” એ
૧૨૫
Page #194
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નામથી એમણે સન ૧૯૨૫ માં પ્રકટ કરેલો છે; અને તે પુસ્તક લોકદર પામ્યું છે. એના આગલા વર્ષે સન ૧૯૨૪ માં “અનંતા” નામનું તેમનું બીજું એક નાટક પણ “આરણ્યક' ના નામથી યુગધર્મ ગ્રન્થમાળામાં પ્રસિદ્ધ થયું હતું, પણ તેમાંની વિષય-વસ્તુ કંઈક કઠિન હોઈને “ઢીંગલી” જેટલું તે જાણીતું થયું નથી.
એમના લેખમાં ચિંતન અને અભ્યાસ બને નજરે પડે છે અને એમનાં એકાંકી નાટકોને સંગ્રહ થઈ એક પુસ્તક રૂપે બહાર પડે તે તે જરૂર જનતાનું-વાચકનું ધ્યાન ખેંચે અને લોકપ્રિય નિવડે.
એમના ગ્રંથની યાદી: અનંતા (આરણ્યક) નાટક]
સન ૧૯૨૪ ઢીંગલી (અનુવાદ) [નાટક]
સન ૧૯૨૫
Page #195
--------------------------------------------------------------------------
________________
પિપટલાલ ગોવિંદલાલ શાહ
પપટલાલ ગેવિંદલાલ શાહ
એ મૂળ અમદાવાદના વતની; જ્ઞાતે વીશા પોરવાડ મેશ્રી વણિક છે. એમને જન્મ સન ૧૮૮૮ માં ૯ મી ડિસેમ્બરે વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ ગોવિદલાલ કશનદાસ અને માતાનું નામ બાઈ રુકિમણું છે.
એમણે શરૂઆતનું પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વડોદરા અને અમદાવાદ બંને શહેરમાં લીધેલું. સન ૧૯૦૨ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયેલા. સન ૧૯૦૭ માં વિલસન કેલેજમાંથી બી. એ. ની પરીક્ષા વિજ્ઞાન’ અછિક વિષય લઈને પહેલા વર્ગમાં પાસ કરી હતી, તે વખતે તેમને યુનિવર્સિટી તરફથી વિજ્ઞાનમાં પ્રથમ સ્થાન મેળવવા માટે નારાયણ વાસુદેવ સ્કોલરશીપ અને ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં ઉંચા માર્કસ મેળવવા માટે જેમ્સ ટેલર પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં. સન ૧૯૦૮ માં રસાયન ભૂ-વિદ્યા સાથે બી. એસસી. ની પરીક્ષા અને સને ૧૯૦૯માં એમ.એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. બી. એ. માં પહેલા વર્ગમાં આવ્યાથી બે વર્ષ સુધી વિલ્સન કોલેજમાં દક્ષિણ ફેલો નિમાયા હતા; એટલું જ નહિ પણ ત્રીજે વર્ષે કોલેજ તરફથી (સન ૧૯૧૦ માં) તેમને રસાયનવિદ્યા અને ભ્રવિદ્યા શિખવવાનું સોંપવામાં આવ્યું હતું. તે પછી લાહોરમાં ફેશન ક્રિશ્ચિયન કૅલેજમાં રસાયનશાસ્ત્રના વ્યાખ્યાતા તેઓ નિમાયા હતા અને ત્યાં સન ૧૯૧૪ સુધી નોકરીમાં રહ્યા હતા. એ કામની સાથે એમણે સરકારી ઈડિયન ઍડિટ અને એકાઉન્ટ ખાતાની હરીફાઈની પરીક્ષા ઉંચા નંબરે પાસ કરવાથી તેમને સરકારી નોકરીમાં લેવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ એ ખાતામાં મુંબાઇના ડેપ્યુટી એકાન્ટન્ટ જનરલને એધે ભગવે છે. એ માન મેળવનાર તેઓ પહેલા ગુજરાતી છે.
હિસાબી ખાતામાં પડવા છતાં એમનો વિજ્ઞાન પ્રતિને પ્રેમ વા અભ્યાસ એ છે થયો નથી; અને તે વિષયને જનતામાં લોકપ્રિય કરવા સારૂ તેઓ યથાશક્તિ પ્રયત્ન કરતા રહે છે.
સને ૧૯૧૦ માં એમને મુંબઈ યુનિવર્સિટી તરફથી સર જ્યોર્જ લ ગ્રાન્ડ જેકબ પ્રાઈઝ, “ઓગણસમા શતકનો હિન્દી ઉદ્યોગને ઇતિહાસ લખવા માટે, મળ્યું હતું. સન ૧૯૧૨ માં એસબર્નર પ્રાઈઝ હિન્દમાં ત્રાંબા, પીતળ અને એલ્યુમીનીઅમના ઉદ્યોગો વિષે નિબંધ લખવા માટે
૧૨૭
Page #196
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મળ્યું હતું. તે ઉપરાંત હિંદી રસાયનિક ઉદ્યોગ વગેરે વિષય ઉપર હિંદી ઔદ્યોગીક પરિષદમાં તેમણે નિબંધ લખી મોકલ્યા હતા. તે પરથી એ વિષયમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે અને પારંગત છે, એને સહજ
ખ્યાલ આવશે. | ગુજરાતી માસિકમાં પ્રસંગોપાત વિજ્ઞાન વિષે એમના લેખો આવતા રહે છે. એવા એમના લેખોને એક સંગ્રહ, પરિષદ ભંડોળ કમિટી તરફથી “વિજ્ઞાન વિનોદ” એ નામથી જૂદા પુસ્તક રૂપે પ્રકટ થયેલો છે. વિજ્ઞાનના વિચારો અને વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ, ઈતિહાસ અને તત્વજ્ઞાનની દષ્ટિએ સમજાવનારું તેમનું એક સ્વતંત્ર પુસ્તક ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી “વિજ્ઞાન વિચાર” એ નામથી પ્રસિદ્ધ થયું છે, તે ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના અંગે વિજ્ઞાન સમિતિ સ્થાપવામાં અને નિભાવવામાં તેમણે આગળ પડતે ભાગ લીધો હતો અને વિજ્ઞાનને લોકપ્રિય કરવાના એમના છૂટાછવાયા પ્રયત્ન નેંધવાયોગ્ય છે. હમણાં જ તેમના તરફથી વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર ઉત્તમ નિબંધ લખી મોકલનારને ચાર ઈનામો દરેક રૂ. ૧૦૦, ૧૦૦ ના આપવાની યોજના બહાર આવી હતી, તે બતાવે છે કે વિજ્ઞાનના પ્રચાર માટે તેઓ કેટલી ઉત્સુકતા ધરાવે છે.
એમના પુસ્તકોની યાદી વિજ્ઞાન વિનોદ
સન ૧૯૨૭ વિજ્ઞાન વિચાર
સન ૧૯૨૯
૧૨૮
Page #197
--------------------------------------------------------------------------
________________
બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા
બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા
એઓ અનાવિલ જ્ઞાતિના છે. એમના પિતા લાલભાઈ અંબારામ સુરતના ડિસ્ટ્રીકટ ડેપ્યુટી કલેકટર હતા અને હાલમાં પેનશન ઉપર છે. -સુરત પાસેના સચીન સ્ટેટના વેડછી ગામે એમના મોસાળમાં એમનો જન્મ સન ૧૮૯૯ માં તા. ૧૩ મી જુલાઈના રોજ થયો હતો. એમનું વતન સુરત છે. એઓએ પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી સુરત, ભરૂચ તથા અમદાવાદ જીલ્લાની તથા મુંબાઈની નિશાળોમાં લીધી હતી; અને એલ્ફીન્સ્ટન તથા વિલસન કોલેજોમાંથી સન ૧૯૧૯ માં બી. એ; ની ડીગ્રી મેળવી હતી. તેઓ એલ એલ. બી; થયા છે અને એડવોકેટ તરીકે સુરતમાં વકીલાતનો ધંધો કરે છે. તે અગાઉ કેટલાક સમય સરકારી ખાતામાં લેબર ઓફીસમાં અમદાવાદ અને મુંબઈમાં લેબર પેસ્પેકટરના હોદ્દા પર સને ૧૯૨૩ થી ૧૯૨૬ સુધી હતા પણ વધારે સારા ભવિષ્ય માટે એ નોકરી છોડી દઈ, એલ એલ. બીની પરીક્ષા આપી હતી. તે અગાઉ ખાનગી પેઢીઓમાં મેનેજર વગેરેનો હેદો તેમણે ભોગવેલો. કોલેજનો અભ્યાસક્રમ પૂરો થતાં પહેલાં તેમણે સાહિત્યક્ષેત્રમાં પ્રયાસ કરેલ; એટલો તીવ એ વિષય પ્રતિ એમનો અનુરાગ હતો. સન ૧૯૨૦ માં એમણે “ચેતન” નામનું માસિક સુરતમાંથી પ્રકટ કરવા માંડેલું; અને તેના નામ પ્રમાણે તેમાંના લેખમાંથી નવું ચેતન નિઝરતું હતું. વળી છેવટના ભાગમાં તેનું બાહ્ય અને આંતર અંગ-સ્વરૂપ સુધારવા એમણે પુષ્કળ શ્રમ અને ખર્ચ સેવ્યો હતો, પણ નવી યોજનાને એકજ અંક બહાર પડ્યો એટલામાં સરકારી નોકરી મળવાથી તે માસિક બંધ કરવું પડેલું.
ચેતન” સાથે શ્રીમતી સ્ના બેન સરખા સહતંત્રી મળેલા. વિદ’ નામનું બીજું નવું માસિક કાઢેલું તે પણ “ચેતન” સાથે બંધ થયેલું. સન ૧૯૨૯માં એમને તંત્રીપદ હેઠળ “સુદર્શન” નામનું સાપ્તાહિક સુરતમાંથી પ્રકટ થવા માંડેલું અને એમના વ્યકિતત્વની છાપ એમાં નજરે પડતી પણ ડાક માસમાં તેઓ કામના દબાણના કારણે તેમાંથી છૂટા થયા હતા. આ સમય દરમિયાન એમની ટૂંકી વાર્તાઓથી અને નાટકોથી એમણે સારી કીતિ અને નામના મેળવ્યાં હતાં; અને તેની મૌલિકતાના સબબે રા. રામમેહનરાયે, એમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, “સુંદરીસુબેધ” ના ગ્રાહકોને ભેટ આપવા સારૂ વાતનું વનએ નામથી પ્રકટ કર્યો હતે.
૧૨૯ ૧૭
Page #198
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એમનાં નાટકે મત્સ્યગંધા વગેરે એક પુસ્તકરૂપે પ્રકટ થયાં ત્યારે કૌમુદી' ના તંત્રીએ તેને શકવતી ગ્રંથ તરીકે સત્કાર કર્યો હત; જાણીતા સાક્ષર શ્રી નરસિંહરાવે, એમના “લોમહર્ષિણ નાટકની વસન્ત” માં સમાલોચના કરી, ગુજરાતી જનતાનું એમાંના નૈસર્ગિક તત્વ પ્રતિ ધ્યાન દોર્યું હતું. તે પછી રચાએલાં એમનાં નાટક કેમુદીકારે “માલાદેવી' એ નામથી પ્રસિદ્ધ કર્યો છે, અને તે બધાં લોકપ્રિય નિવડ્યાં છે. નવા લેખકેમાં એમનું સ્થાન ઉંચું જણાશે. એમની કેટલીક કૃતિઓ મુંબાઈ યુનિવરસીટીની એમ. એ., ની પરીક્ષા તથા સાહિત્ય ચન્દ્રક વિગેરે પરીક્ષા માટે નિયત કરવામાં આવે છે, એ લેખક માટે માનાસ્પદ કહેવાય.
એમના ગ્રન્થની યાદીઃ સંસાર
૧૯૧૮ રસ ગીત
૧૯૨૦ વાતનું વન
૧૯૨૪ મસ્યગંધા અને બીજાં નાટક
૧૯૨૫ માલાદેવી અને બીજાં નાટક
૧૯૨૭
૧૦
Page #199
--------------------------------------------------------------------------
________________
અળવ તરાય કલ્યાણરાય દાકાર
બળવંતરાય કલ્યાણરાય ઠાકર
એ
વીશા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના, ભરૂચના વતની છે. એમના પિતા કલ્યાણરાય ચતુર્ભુજદાસની અટક સેહેની હતી, તે પરથી એમ સમજાય છે કે એમણે શરૂઆતમાં પોતાના લેખે, કાવ્યા “ સેહેની ’' એ ઉપનામથી લખવા માંડેલાં. એમને જન્મ ભરૂચમાં આશા વદ ૩-૪ વિ. સં. ૧૯૨૫-૨૩ મી એકટાબર ૧૮૬૯ ને શનિવારે થયા હતા. એમના માતાનું નામ જમનાšન, જેએ વકીલ ગણપતરામ ગોવિંદરામ ઢાકારના મેટા પુત્રી થાય. પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં અને રાજકેટમાં એમના પિતાની ત્યાં તકરી હાઇ, લીધેલું. રાજકેટમાં એમની માતા પાસેથી કથાવાર્તા સાંભળવાને તેમને કેવા અજબ રંગ લાગેલેા તેને કઇંક પરિચય આપણને કાર્ડિયાવાડની લેાકવાર્તાઓ ભા. ૧ માં એમણે લખેલા ઊપાધ્ધાતમાં તેઓ કરાવે છે. માધ્યમિક શિક્ષણ ઘણુંખરૂં રાજકાટમાં લીધેલું અને ઉંચી-કાલેજ–કેળવણી તેમણે સામળદાસ, એલ્ફિન્સ્ટન અને ડેકન કૅાલેજમાં લીધેલી. તેમના સહાધ્યાયીએમાં હાઇસ્કૂલમાં સર પ્રભાશંકર પટ્ટણી, કાલેજમાં સર રમણભાઇ, મણિશ’કર રત્નજી ભટ્ટ, કાશીરામ દવે, સર મનુભાઇ નંદશંકર, કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી, પ્રેાસર ગંભીર, માનશકર પીતાંબરદાસ, વગેરે હતા. યુનિવરસિટીની મેટ્રિકયુલેશનની પરીક્ષા એમણે સન ૧૮૮૩માં પાસ કરેલી અને ખી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં, લેાજીક અને ફીલસુી, ઐચ્છિક વિષયે લઈને સન ૧૮૮૯માં માનભરી રીતે પસાર કરી હતી. ઇંગ્રેજીમાં ફર્સ્ટ કલાસ માર્કસ સાથે વ્હેલેા નંબર આવવાથી એમને યુનિવર્સિટી તરફથી એલિસ સ્કાલરશિપ મળી હતી. સન ૧૮૯૨માં તેઓ ડેક્કન કાલેજમાં દક્ષિણા ફેલા નીમાયા હતા અને બીજે વર્ષે તેમને રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડન્ટનું કામ સોંપવામાં આવ્યું હતું. એજ સમયમાં યુનિવર્સિટી ઇનામી નિબંધ માટે હરીફાઇ કરી તેમણે માણેકજી લીમજી સેનાને ચાંદ મેળબ્યા હતા. તે પછી સન ૧૮૯૫ ના બીજા ટમાં તેમને દયારામ જેટમલ સિંધ કાલેજ કરાંચીમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રેાફેસરની એક્ટિંગ જગેા મળી હતી અને સન ૧૯૦૬ માં એક ટ માટે વડાદરા કૅાલેજમાં અંગ્રેજી અને કિલસુપ્રીના પ્રેફેસર તરીકે કામ કર્યું હતું; અને સંજોગવશાત પાછા તા. ૧-૯-૧૯૨૭ થી તા. ૧૫-૨--૧૯૨૯ સુધી એજ સ્થાને, સરકારી નાકરીમાંથી નિવૃત્ત થયા બાદ ઇતિહાસ અને અશાસ્ત્રના પ્રેફેસર તરીકે ફરી કામ કરવાના સુયેાગ પ્રાપ્ત થયેા હતેા.
૧૩૧
Page #200
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
તા. ૧૩ મી ઑકટોબર ૧૮૯૬ થી તેઓ સરકારી નોકરીમાં જોડાયા ત્યારથી તે સન ૧૯૦૪ સુધી ગવર્મેન્ટ કૅલેજ અજમેરમાં હતા; અને ફકત વચ્ચે બે વર્ષ પૂણ ડેકકન કૅલેજમાં એકિટંગ પ્રેસર મેળે ગાળેલા. સન ૧૯૦૪ માં એમની નોકરી રાજકુમાર કોલેજ કાઠિયાવાડમાં ઉછીની અપાઈ હતી, જ્યાં તેઓ સન ૧૯૧૩ સુધી રહ્યા હતા, અને તે વર્ષના છેલ્લા આઠ માસ કાઠિયાવાડ એજન્સીના એજ્યુકેશન ઓફીસર તરીકે કામ કર્યું હતું. સન ૧૯૧૪ માં સરકારી નોકરીમાં પાછા ફરતાં, તેમની નિમણુંક પૂણામાં ડેક્કન કૉલેજમાં થઈ હતી, જયાંથી તેઓ સન ૧૯૨૪માં રીટાયર થયા. શરૂઆતમાં એમની નોકરી પ્રોવિન્સિયલ સર્વિસમાં હતી પણ પાછળથી સન ૧૯૧૭–૧૮માં હિન્દીઓને એજ્યુકેશનલ સર્વિસમાં જગાઓ આપવા માંડી ત્યારથી એમની નિમણુંક એ ગ્રેડમાં–આઈ. ઈ. એસ. માં થઈ હતી. - નોકરીના કામ સાથે બીજા વ્યવસાયમાં તેઓ રસ લેતા; પણ ઘણી ખરી પ્રવૃત્તિ અને સમય અભ્યાસ અને સાહિત્ય લેખનમાં જ વ્યતીત થત. અજમેરમાં હતા ત્યારે ત્રણ વર્ષ માટે તેઓ મ્યુનિસિપાલેટીના સભાસદ નિમાયા હતા અને રાજકોટમાં દુકાળ નિવારણ કમિટીમાં કેટલુંક જવાબ દારીવાળું કાર્ય ઉપાડી લીધું હતું. યુનિવર્સિટી સેનેટમાં સરકાર નિયુકત ફેલે લગભગ દશ કે વધુ વર્ષ માટે હતા, તે દરમિયાન ઇતિહાસના અભ્યાસ મંડળમાં, ગુજરાતીના અભ્યાસ મંડળમાં, (Board of studies) તેમની ઈસ્પેકશન કમિટીમાં તેમને ઘણું કામ કરવાનું આવતું; અને હિસ્ટોરિકલ રેકર્ડઝ કમિશનના આરંભથી સરકારે તેમને નિમ્યા તેમાં છ વર્ષ તેમણે એકસરખો ભાગ લીધો હતો. મુંબાઈ સરકારે શિવાજીના સમયના ઐતિહાસિક સાધનોનું એક અંગ્રેજી વાલ્યુમ બહાર પાડયું છે, તે હિસ્ટોરિકલ રેકડ કમિશન મારફત એમણે ચલાવેલી ચળવળનું એક સીધું પરિણામ હતું. ઉપર કહ્યું તેમ સાહિત્યસેવા એજ એમને પ્રિય અને અભ્યાસને વિષય હતે.
રાજકેટમાં ત્રીજી સાહિત્ય પરિષદ એમના પ્રયાસ અને શ્રમથી મળેલી; અને યશસ્વી નિવડેલી, ત્યાં પરિષદ ભંડોળ ફંડનો આરંભ કરી આપેલો અને તે મંડળને વહિવટ એમણે મંત્રી તરીકે સન ૧૯૨૬ સુધી, મુંબઈ પરિષદમાં પરિષદ મંડળ નિમાતાં સુધી કર્યો હતે. વળી એ ૧૯૦૯ ની પરિષદનું કાર્ય સફળ અને લોકપ્રિય થાય એ હેતુથી એમણે ગુજરાતમાં જૂદા જૂદા શહેરની મુલાકાત લીધેલી અને ત્યાં જુદા જુદા વિષયો પર
૧૩૨
Page #201
--------------------------------------------------------------------------
________________
બળવંતરાય કલ્યાણરાય ઠાકર
વ્યાખ્યાને આપેલાં, જે તેજ વર્ષે પુસ્તકરૂપે, પરિષદ વ્યાખ્યાનમાળા એ નામથી પ્રકટ થયેલાં અને તે જ વર્ષના અંત પહેલાં ખપી ગયાં હતાં. એ પ્રવૃત્તિને આગળ જારી રાખી, એ વિષય પર પ્રસંગોપાત ચર્ચાપ, લેખે વગેરે લખવા જરૂર પડેલી, તેના સંગ્રહ “પરિષદ પ્રવૃત્તિ ” ભા. ૨ અને ૩ એવા નામથી છપાવવામાં આવ્યા છે.
એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૦૫માં બહાર પડયું હતું અને તે અભિજ્ઞાન શકુન્તલાને અનુવાદ છે. એ નાટકને એમણે કેટલો બધે ઝીણ અને માર્મિક અભ્યાસ કરેલો છે, એ સમજવા સારૂ, એમણે પહેલી એરિવંટલ કોન્ફરન્સ પૂણામાં મળી હતી, તેમાં એ નાટકમાંના સંદિગ્ધ પાઠોની વિસ્તૃત ચર્ચાને જે નિબંધ અંગ્રેજીમાં લખ્યો હતો, તે વાંચી જવાની વાચકને ભલામણ કરીશું. એજ વર્ષમાં લુટાકના જીવનચરિત્રનું પુસ્તક ભા. ૧ એમના મિત્ર સ્વ. હરિલાલ માધવજી ભટ્ટ સાથે લખીને બહાર પાડયું હતું. આવું કિંમતી પુસ્તક અપૂર્ણ રહે, એ ખરેખર ખેદજનક છે. સન ૧૯૧૬માં તેમના કાવ્યોનો સંગ્રહ “ભણકાર' એ નામથી પ્રસિદ્ધ થયો; અને તેમને ઊપઘાત છંદશાસ્ત્રના અભ્યાસીને અવશ્ય મનનીય માલુમ પડશે. ગયે વર્ષે તે પછી લખાએલી કવિતાને સંગ્રહ, ભણકાર'ની પૂરવણરૂપે બહાર પડયો છે અને એ કાવ્ય સંગ્રહ, સામાન્ય વાચકને કંઈક કઠિન જણાશે પણ એક વાર તે સમજાયા પછી, તેનો આસ્વાદ લેવામાં કંઇ જૂદીજ મિઠાશ અનુભવવામાં આવશે.
સન ૧૯૨૩ માં “ઉગતી જુવાની ” એ નામનું નાટક અને સન ૧૯૨૪માં “દર્શનિયું ” એ નામનું એમની નવલિકાઓનું પુસ્તક, એ બે બહાર પડ્યાં હતાં. એમના પ્રકીર્ણ લેખ, નિબંધ વગેરે જે બહુ મોટી સંખ્યામાં છે, તે એમણે ફરી પુસ્તકરૂપે છપાવવાનું કાર્ય હમણાં હાથ ધરેલું છે અને તેમાંથી યુનાઈટેડ સ્ટેટ્સ, લિરિક, કવિતા શિક્ષણ, ઇતિહાસ દિગ્દર્શન, દી. બા. અંબાલાલભાઈ વગેરે પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
સન ૧૮૯૮માં સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ અબ્રાહમ લિંકનનું ચરિત્ર ગુ. વ. સોસાઇટીને લખી આપલું, તેને ઊપઘાત એમણે લખી આપેલો, તેજ ઉપર ગણાવેલી ચોપડીઓમાં “યુનાઈટેડ સ્ટેટસ”ને નામે છૂટો છપાવેલો છે. કાઠિયાવાડની જૂની વાર્તાઓ ભા. ૧ હરગોવિંદ પ્રેમજીએ બહાર પાડ્યો, તે માટે તેમણે એક વિસ્તૃત ઊપઘાત લખેલો; એજ ધોરણે ગોવર્ધનરામના સાક્ષરજીવન અને દી. બા. અંબાલાલભાઇના લેખના
૧૩૩
Page #202
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
સંગ્રહમાં વિસ્તૃત પ્રસ્તાવનાઓ લખી આપેલી છે, જે તે લેખક અને તેનું લખાણ સમજવા માટે કિમતી છે. સાતમી સાહિત્ય પરિષદમાં રજુ કરેલો
કવિતા શિક્ષણ” વિષેને નિબંધ તેમ લિરિક વિષે “ કૌમુદી' માં ઉપાડેલી ચર્ચા એ વિષયમાં રસ લેનારે અવશ્ય વાંચવા વિચારવા જેવા છે.
દક્ષિણ ફેલ હતા ત્યારે પહેલા માધવરાવ પેશ્વા વિષે નિબંધ લખેલો (માણેકજી ભીમજી ગોલ્ડ મેડલ નિબંધ) તે અદ્યાપિ મૂલ્યવાન અને મૌલિક જણાશે. હિન્દી રાજયબંધારણ અને વહિવટ વિષેનું એમનું પુસ્તક, જેની બે આવૃત્તિઓ થઈ છે, તે એ વિષય પર એક પ્રમાણભૂત ગ્રંથ લેખાય છે અને જૂદી જૂદી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેને એક પાઠયપુસ્તક તરીકે ઉપયોગ કરે છે, એ પરથી તે ગ્રંથની મહત્તા લક્ષમાં આવશે. | ગુજરાતી સાહિત્યમાં પ્રે. બળવંતરાયનું સ્થાન પ્રથમ પંકિતના વિદ્વાનામાં છે. સન ૧૯૨૦માં તેઓ અમદાવાદમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ચુંટાયા હતા.
એમના ગ્રંથોની યાદી અભિજ્ઞાન શકુંલા નાટક સમશ્લોકી અનુવાદ
૧૯૦૬ લૂટાર્કનાં જીવન ચરિત્ર
૧૯૦૬ ભણકાર ( કવિતા )
૧૯૧૭ છે બીજીધારા ,
૧૯૨૯ દર્શનિયું ( નવલિકાઓ )
૧૯૨૪ ઉગતી જુવાની ( નાટક )
૧૯૨૩ લગ્નમાં બ્રહ્મચર્ય ( નાટિકા )
૧૯૨૮ યુનાઈટેડ સ્ટેટસ ( ઇતિહાસ )
૧૯૨૮ ઇતિહાસ દિગ્દર્શન
૧૯૨૮ ( ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિભાગ પ્રમુખ લેખે વ્યાખ્યાન) અંબાલાલભાઇ (જીવનચરિત)
૧૯૨૮ લિરિક (સાહિત્ય વિષયક)
૧૯૨૮ કવિતા શિક્ષણ [ , ]
૧૯૨૪ પરિષદ પ્રવૃત્તિ વિભાગ ૨ જે (પરિષદ વિષયક)
૧૯૨૮ , વિભાગ ૩ જો [ )
૧૯૨૯ An Account of the First Madhav Rao Peshwa 1895 Text of the Shakuntala.
1920 Indian Administration to the Dawn of 1°, s 1921 Responsible Government
29, 1927 ૧૩૪
Page #203
--------------------------------------------------------------------------
________________
ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા
ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા
એઓ મૂળ સુરતના વતની છે. જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને એમનું ગોત્ર શાર્કરાસ, શાખા શાખાની અને વેદ ઋગ્વદ છે. એમને જન્મ વિ. સં. ૧૯૨૪ના વૈશાખ વદિ ત્રીજ-સન ૧૮૬૭ના જુનની ૧ લી તારીખે થયો હતો. એમના પિતા નિણરામ નિત્યારામ, એમને સવા બે વર્ષના મૂકીને મૃત્યુ પામ્યા હતા. તેઓ ગોપીપુરામાં આવેલી મિડલ સ્કૂલમાં શિક્ષક હતા અને વળી સાહિત્યના પણ શોખીન હતા. એઓ મોસાળમાં રહીને ઉછરી મોટા થયેલા. એમનાં માતાનું નામ ભવાનીમવરી–તે નરસિંહરામ વજેરામને પુત્રી, જેમણે પુત્રના ઉછેર અને કેળવણમાં ખાસ શ્રમ લીધેલો.
મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેઓ વડોદરા કૉલેજમાં ગયેલા અને ત્યાંથી પ્રિવિયસ અને ફસ્ટ ઈયર ઇન એગ્રીકલ્ચર, એ બે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હતા. સન ૧૮૯ને વૈશાખ માસમાં એમનું લગ્ન હરિસુખરામ માણેકરામ મુનસફના પુત્રી સૌ. સગુણાગવરી સાથે થયું હતું. એ બહેન પણ સાહિત્યરસિક છે અને “સગુણ સ્ત્રીઓ' વગેરે પુસ્તકે એમણે લખેલાં છે, તેમજ લલિત કળાનો ખાસ શોખ એઓ ધરાવે છે.
એમના માતુશ્રી ભવાની ગવરીનું સન ૧૮૯૧ના જુન માસમાં આવસાન થયું હતું. આર્થિક સ્થિતિ એવી સારી નહિ કે આગળ વધુ અભ્યાસ કરી શકે. માતાએ જેમ તેમ ઘરનો નિવાહ ચલાવેલો. આ સ્થિતિમાં એમને નોકરી શોધવાની જરૂર પડી. તુરતજ તેઓ કાઠિયાવાડમાં જામનગર હાઈકુલમાં રૂ. ૪૫)ને માસિક પગારે વિજ્ઞાન શિક્ષક નિમાયા. ત્યાં ત્રણેક માસ રહ્યા નહિ હોય એટલામાં રાજકોટની રાજકુમાર કોલેજમાં રૂ.૫૦ના પગારે તેમની કાયમ નિમણુંક થઈ. ત્યાં તેઓ સન ૧૯૦૪ સુધી રહ્યા હતા. એ પછી રાજકેટની એફ્રેડ હાઈસ્કૂલમાં સન ૧૯૦૯ સુધી વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કર્યું હતું. તે પછી છોટાઉદેપુરના રાજાના પ્રાઈવેટ સેક્રેટરી નિમાતાં, તેઓ ત્યાં ગયા હતા. પણ હવાપાણી અનુકૂળ નહિ આવવાથી, પાછા રાજકોટમાં આવી મિડલ સ્કુલમાં હેડ માસ્તરને પદ જોડાયેલા. પાછળથી ધાંગધ્રા રાજ્યમાં ગયા હતા. સન ૧૯૧૪માં કાઠિયાવાડ છોડી, સુરત ગયા અને પછી વડોદરામાં જૂદા જૂદા કાર્યોમાં ગુંથાયા હતા. હમણાં સુધી તેઓ દેવગઢ બારિયામાં રણજીતસિંહ હાઇસ્કુલમાં હેડમાસ્તરના પદે હતા પણ
૧૩૫
Page #204
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ડીક મુદતથી ત્યાંના રાજકુમારના શિક્ષક તથા કપેનિયન તરીકે નિમાયા છે.
આમ જીવનમાં અનેક પ્રકારના સંજોગોમાંથી પસાર થયા છતાં એમને સાહિત્ય પ્રતિને પ્રેમ, અભ્યાસ અને લેખન વ્યવસાય સતત ચાલુ રહ્યા છે. એમના સાહિત્યકાર્યમાં સ્વ. સર રમણભાઈ મદદ કરતા. એમને બાલાશંકરની કવિતાઓ પર વિવેચન કરવાની ઈચ્છા પ્રકટેલી; કંઈક પ્રયન પણ કરેલ અને કાવ્યો લખવા માંડેલાં; પણ તે બધાં દમ વિનાનાં અને સર રમણભાઈની સૂચના અને સલાહથી કાવ્ય લખવાનું મૂકી દઈને તેઓ ગદ્ય લેખન પ્રતિ વળેલા. પિતાને વિજ્ઞાનને શેખ પ્રથમથી એટલે તે વિષે એમણે પાંચ સાત પુસ્તકો રચેલાં છે. એ જ પ્રેમ એમને પ્રાચીન સાહિત્ય માટે છે. તેથી તે દિશામાં, વિષ્ણુદાસ, પ્રેમાનંદ, મીરાંબાઈ વિષે કેટલાંક ઉપયુકત લેખે અને ગ્રંથે રચેલાં છે, જે બધાં નીચેની યાદીમાં ને ધ્યાં છે. સને ૧૯ ૦૪-૦૫માં કેળવણું ખાતા તરફથી નવી વાચનમાળા તૈયાર કરવામાં આવી ત્યારે વિજ્ઞાનના વિષયો ઉપર પાઠે લખવાનું એમને સેપવામાં આવ્યું હતું. તે પ્રમાણે વાચનમાળાની ત્રીજી,ચેથી, પાંચમી અને છઠ્ઠી ચોપડીઓમાં વિજ્ઞાનના ઘણાખરા પાઠે એમના લખેલા છે. એ ઉપરાંત સાહિત્ય વિષયક કેટલાક પાઠ પણ એમણે લખી આપેલા છે. - વડોદરામાં આવી વસ્યા પછી બે ત્રણ વર્ષ “ચંદ્ર પ્રકાશ નામનું એક માસિક ચલાવેલું. વળી કેટલાંક વર્ષો સુધી સયાજી સાહિત્યમાળાના સંપાદકનું કાર્ય કરેલું, અને વૈજ્ઞાનિક પરિભાષા ઉપજાવવાનું કઠિન કાર્ય પણ કરેલું, છતાં એમનું મહત્વનું અને સ્થાયી કાર્ય તે ગુજરાતી અંગ્રેજી કોષ છે, જે એમનું જીવંત સ્મારક થઈ પડશે.
એમના પ્રકીર્ણ લેખ પણ ચેડાં નથી; માત્ર અહિં એમના પ્રકટ થયેલા ગ્રંથની યાદી આપી છેઃ સામાન્ય પદાર્થ જ્ઞાન
સન ૧૮૯૪ પ્રાણું માત્રનું વર્ગીકરણ (પ્રથમ આવૃત્તિ.)
, ૧૮૯૬ ( દ્વિતીય આવૃત્તિ. )
૧૯૦૪ હિંદુસ્તાનનાં આંચળવાળાં પ્રાણીઓ ભા. ૧ લો. ઉષ્ણતા
૧૯૦૦ પદાર્થ વિજ્ઞાન
૧૩૬
છે ૧૮૯૮
છે ૧૯૦૨
Page #205
--------------------------------------------------------------------------
________________
ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા
૧૯૦૮ ૧૯૧૧ ૧૯૧૬
૧૯૧૭ છે ૧૯૧૮
૧૯૧૯
૧૯૨૦
Matriculation Chemistry (English) પ્રેમાનંદની પ્રસાદી પાંડવાશ્વમેધ બબ્રુવાહન આખ્યાન પ્રેમાનંદ મીરાબાઈ પ્રાણુ વિદ્યાનું રેખાદર્શન માનવ દેહ ધર્મ વિદ્યા અને આરોગ્યવિજ્ઞાન કરોળીઆ ઋતુના રંગ મધપૂડા આરોગ્યવિજ્ઞાનની વાતો (પ્રેમાનંદ કૃત) સુદામા ચરિત્ર (ટીકા સહિત) વિષ્ણુદાસ શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ બોશેવિઝમ નવીન હિંદુસ્તાન પ્રાણુ સૃષ્ટિ ગ્રહણ (પ્રેમાનંદ કૃત) વિરાટ પર્વ કવિ વિષ્ણુદાસનાં કાવ્યો (સભા પર્વ, નળાખ્યાન, કુંવરબાઇનું
મામેરું અને હુંડી.) (પ્રેમાનંદ કૃત) મામેરું ( ) ભીષ્મ પર્વ સુરત ભૌતિક શાસ્ત્ર અને આરોગ્યવિજ્ઞાન ઘરધણી જગતની ભૂગોળ દરિયા કાંઠે ધ્રુવાખ્યાન (ભાલણ કૃત)
૧ ૩૭
૧૯૨૧
૧૯૨૨
૧૯૨૩
૧૯૨૪
Page #206
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છે ૧૯૨૫
રણયજ્ઞ (પ્રેમાનંદ કૃત ) આયુર્વેદને સંક્ષિપ્ત ઈતિહાસ સભા પર્વ (પ્રેમાનંદ કૃત) The Modern Gujarati English Dictionary કરોળીઆના કાવતરાં સરોવરનાં છ આરોગ્યવિજ્ઞાન અને ગૃહવ્યવસ્થા મહીપતરામ
૧૯૨૭
૧૯૨૯
૧૯૩૦
---
-
--
-----
-
૧૩૮
Page #207
--------------------------------------------------------------------------
________________
મગનભાઇ ચતુરભાઇ પટેલ
મગનભાઇ ચતુરભાઈ પટેલ
જાતે પાટીદાર; નડિયાદના વતની. એમનેા જન્મ સન ૧૮૭૬ માં નાંડયાદમાં થયલા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં જ લીધેલું અને કૅલેજ કેળવણી વિલસન અને ખરેડા કાલેજમાં મેળવેલી. તેઓએ સન ૧૮૯૮ માં ખી. એ; ની પરીક્ષામાં પાસ કરી, સન ૧૯૦૦ મ એલ એલ. ખી; ની પરીક્ષા આપી હતી. આના રીઝલ્ટ માટે રાહ લેતા હતા, એવામાં સન ૧૮૯૮-૯૯ ના દુકાળમાં રેવન્યુ નાકરાએ કરેલા અત્યાચારા સંબંધમાં તપાસ કરવા કમિશન નિમાયું, તેમાં સ્વસ્થ સર ગેાકળદાસની મદદે તેએ ગયા, ત્યારથી એમના જાહેર જીવનની રાઆત થાય છે. સન ૧૯૦૧ માં તેએ અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા અને અહિં પ્રથમ વાર ફ્રાન્ગ્રેસ ભરાઈ (૧૯૦૫) ત્યારે એમણે બહારગામ જઇ નાણાં ઉઘરાવવામાં તેમજ ખીજા કાર્યોંમાં સારી મહેનત ઉડાવી હતી; અને તે સમયથી અમદાવાદનું જાહેરકામ કાઈ એવું નહિ ડાય કે જેમાં મગનભાઈના હાથ કે હાજરી નહિ હોય.
તેઓ એક સારા વક્તા હતા, તેથી શ્રાતા પર સારા એમના પ્રભાવ પડતા અને એમના વ્યાખ્યાનની પણ તેમના પર ઉંડી અસર થતી જણાતી. એ અરસામાં દેશમાં સ્વદેશીનું મેાજું ફરી વળ્યું, તેમાં આગેવાનીભર્યાં ભાગ લીધેા; રવદેશી સ્ટેાસ કાઢવામાં સારી મદદ આપી; અને લેાકલાગણી તગૃત કરવા અને કેળવવા કાવ્યા લખવા માંડયાં, જેમાંનું ‘ એક દિન એવા આવશે ' એ નામનું કાવ્ય. બહુ પંકાયું હતું અને ક્ષાત્રપાળ–રાણા પ્રતાપ વિષેનું આખું કાવ્ય પણ પ્રશંસા પામ્યું હતું.
સ્વદેશી હિલચાલમાં તેએ અગ્રેસરભર્યાં ભાગ લેતા હતા તેથી સર. કાર પણ એમના પ્રતિ સંશયની નજરે જોતી હતી. તેએ એક સાચા અને શુદ્ધ દેશભક્ત હતા, એમ એમના પ્રસંગમાં આવનારી કાઇ પણ વિનાસ'કાચે કહી શકે; પાછળથી રાજકીય વિષયમાં મતભેદ ઉપસ્થિત થતાં, તેઓએ પેાતાના અભિપ્રાયને ખુલ્લી રીતે-નિખાલસપણે વ્યક્ત કરવામાં કદી પાછી પાની કરી નહતી. સન ૧૯૧૫ માં હેામલ લીગની ચળવળ પુષ્કળ ફેલાઈ હતી, ત્યારે અમદાવાદ જીલ્લા હોમરૂલ લીગના સેક્રેટરી તરીકે તેમણે જાદે જૂદે ગામે ભાષણા કરીને લગભગ ૯૦ શાખાએ સ્થાપી હતી, એ પરથી દેશ અને દેશ સેવા માટેની એમની ધગશ કેટલી ઉંડી હતી તે સહજ
૧૩૯
Page #208
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સમજાશે. સન ૧૯૨૯માં ખેડા જીલ્લામાં સત્યાગ્રહ શરૂ કરવામાં આવે, ત્યારે તેમણે પ્રથમ જ તે સામે પિતાને વિરોધ દર્શાવેલો; પરંતુ તે સાથે જમીન મહેસુલ સંબંધમાં ઈગ્રેજીમાં સંખ્યાબંધ લેખ લખી મોકલી, ખેડુતપક્ષનું પોતે સમર્થન કર્યું હતું. તે પછી તેઓ રાજકીય ક્ષેત્રમાંથી અલગ પડી જઈ, સાહિત્ય અને ધર્મના અભ્યાસમાં મચા રહ્યા, જેના પરિણામે તેઓ ગીતા, ઉપનિષદુ અને બ્રહ્મસૂત્રોને ગુજરાતીમાં અનુવાદ કરવાની સાથે તે પર “જ્યોતિ” નામની સ્વતંત્ર ટીકા લખવા શક્તિમાન થયા હતા. તે પૂર્વે એમણે પિતાને કાવ્યસંગ્રહ “કુસુમાંજલિ” એ નામથી છપાવ્યો હતો; અને સીલીકૃત ઇગ્રેજી રાજ્ય વિસ્તાર-Expansion of England એ જાણીતા પુસ્તકનું ભાષાંતર ગુ. વ. સોસાઈટી માટે કરેલું છે, તે હવે પછી છપાશે.
કવિ કાલિદાસના સુપ્રસિદ્ધ “શકુન્તલા”ને જોઈએ તે સારા અને ભાવવાહી અનુવાદ થયો નથી, એવી માન્યતાથી તેમણે સન ૧૯૧૫ માં તેને નવેસર ગુજરાતીમાં ઉતાર્યું હતું.
એમના ગ્રંથોની યાદી વૈદેહી વિજય
૧૮૯૯ ક્ષાત્રપાળ કાવ્ય [મહારાણા પ્રતા૫]
૧૯૦૯ કુસુમાંજલિ (કાવ્યસંગ્રહ)
૧૯૦૯ કાવ્યર્થ પ્રદિપ [ “સુદર્શનમાં પ્રકટ થયેલું ]
૧૯૧૦ શિક્ષકનું કર્તવ્ય (નિબંધ)
૧૯૦૭ સ્વદેશી હિલચાલ( , )
૧૯૦૮ અભિજ્ઞાન શાકુંતલ (ભાષાંતર)
૧૯૧૫ Studies in Land Revenue and Economics. ૧૯૨૫ ભગવદ્ ગીતા-જ્યોતિ
૧૯૨૭ ઉપનિષદ તિ ભા. ૧ લે
૧૯૨૯ છે , ભા. ૨ જે
૧૯૨૯ બ્રહ્મમીમાંસા જ્યોતિ
[ છપાય છે.]
• અમને નેધતાં ખેદ થાય છે કે પ્રસ્તુત ગ્રંથ છપાઈને બહાર પડે તે આગમચ તા. ૧૬ મી માર્ચ ૧૯૩૦ ને રવિવારે એમનું અવસાન થયું છે.
૧૪૦
Page #209
--------------------------------------------------------------------------
________________
મહમદ સાદીકા
મહમદ સાદીક
એ ઈરાક [ મેસોપોટેમીયા ] માં કરબલાના વતની અને જાતે આરબ છે. એમને જન્મ કરબલામાં ઈ. સ. ૧૯૦૧ માં થયો હતો. એમના પિતાનું નામ શેખ અહમદ સુલતાન સાહેબ અને માતાનું નામ મરિયમ બેગમ છે. એઓએ થોડેઘણે ગુજરાતી તેમ અંગ્રેજી અભ્યાસ મુંબાઈમાં કર્યો છે. તેઓ સન ૧૯૧૦ માં હિન્દુસ્તાનમાં આવે તે પહેલા ઇરાકથી ઈરાનની મુસાફરી કરી હતી. તે વખતે રેલ્વેનું સાધન નહિ, એટલે ઉંટ, ખચ્ચર, ઘેડા પર મુસાફરી કરવી પડી હતી. ત્યારે એમની ઉંમર આશરે આઠ વર્ષની હતી. હિંદમાં તેઓ પોતાના માતપિતા સાથે મુસાફર તરીકે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોતાના વતને પાછા ફરવા માંગતા હતા ત્યારે તેમના દેશના તુર્કી રાજા અને યુરોપિયન રાજ્યો વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી તેઓ હિંદમાંથી પાછા જઈ શક્યા નહોતા. અને તે પછી તરતજ મહા યુદ્ધ થવાથી હિંદમાં જ રહેવું પડ્યું હતું, એ મુદ્દત દરમીયાન તેઓએ ગુજરાતી અભ્યાસ કર્યો હતો.
એમની મૂળ ભાષા ફારસી છે અને મુંબઈમાં રહ્યા પછી ઉર્દૂ ઝબાન પર સાધારણ કાબુ મેળવ્યો; અને ગુજરાતી પુસ્તકો વાંચવાને એમને ખૂબજ શેખ હોવાથી તેમણે પિતાના વાંચન શેખથી ગુજરાતી ભાષા પણ શીખી લીધી. એમણે પ્રથમ લેખ સન ૧૯૧૫ માં લખ્યો હતો.
એમના અભ્યાસને પ્રિય વિષય ઈતિહાસ છે. લેખનવાચન તરફ અભિરુચિ થવાથી એક પત્રકારનું જીવન એમને વિશેષ રૂપ્યું; હિંદુસ્થાનમુંબઈ સમાચાર–સાંજ વર્તમાન અને ભારત પત્રના રીપોર્ટર તરીકે અને તે પછી એ પત્ર લેખક તરીકે કામ કરવા માંડયું. સન ૧૯૨૧ થી તેઓ હિદની રાજકીય લડતમાં જોડાયા છે અને આજ ઘડી સુધી તેઓ કેગ્રેસ પક્ષમાં રહ્યા છે. અને હમણાં સત્યાગ્રહની લડતમાં જોડાતાં તેમાં તેમને એક માસની સજા થયેલી; તે ભોગવી તાજાજ તેઓ જેલમાંથી છૂટા થયા છે. ૧૯૨૪ માં તેમણે શ્રી શયદા સાથે મળીને “બે ઘડી મોજ ” નામનું સાપ્તાહિક પત્ર કાવ્યું, જે જનતામાં લોકપ્રિય થઈ પડ્યું છે અને બહોળો ફેલાવો પામ્યું છે. ગુજરાતના અગ્રગણ્ય સંસ્કારી લેખક ભાઈબહેનોને એઓએ પિતાને નમ્ર મળતાવડા સ્વભાવને લીધે સારો સહકાર મેળવ્યો છે. ગુજરાતી પત્રકારિત્વમાં બે ઘડી મોજે' હળવું, રમુજી અને
૧૪૧
Page #210
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ઉપયોગી વાચનસાહિત્યક-સચિત્ર—આપવાની પહેલ કરી, એક નવીન માર્ગ ખેલે છે; અને તે પ્રયાસ એટલો સફળ થયો છે કે તે પછી બીજા ઘણાઓએ એનું અનુકરણ કરવા માંડયું હતું. તેનું આ પ્રમાણે અનુકરણ થયું, એ તે પત્રના સંચાલકો માટે ખચિત અભિનંદનીય લેખાય. ભાઈ સાદીકે એ પત્રમાં અનેક ઉપનામ ધારણ કરીને મામિક કટાક્ષ કરતા અને પ્રાસંગિક ચર્ચા કરતા લેખો લખ્યા છે.
એમનાં પુસ્તકોની યાદી નીચે આપેલી છે, તે પરથી જોઈ શકાશે કે અઠવાડિક પત્ર ચલાવવાનો શ્રમ ઉઠાવવાની સાથે, તેમનું અન્ય લેખનવાચન કાર્ય ચાલુ રહેલું છે અને એમાંનાં કેટલાંકની પ્રસ્તાવના જાણીતા સાક્ષરોએ લખી આપેલી છે; અને તે તે પુસ્તકની ઉપયોગિતાની સાથે લેખકની શકિત અને કાર્યનું એક ઉત્તમ પ્રમાણપત્ર છે. બંગાળી ભૂત [એનુવાદ]
ઈ. સ. ૧૯૨૨ મહાત્મા શેખ સાદી [ પ્રસ્તાવના: દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી.] , ૧૯૨૪ દિલ્હીના મેગલ સમ્રાટ બહાદુરશાહ ઝફર (પ્રસ્તાવનાઃ શ્રી. કનૈયાલાલ મુનશી.)
૧૯૨૫ રસ ઝરણા
૧૯૨૫ મહા કવિ ગાલિબ (સાંજ વર્તમાનમાં પ્રકટ.)
૧૯૨૬ સુલ્તાના રઝિયા (પ્રસ્તાવના: દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી.) ,, ૧૯૨૮ દરબારે અકબરી (પ્રસ્તાવના પ્રો. કેશવલાલ કામદાર) , ૧૯૩૦
૧૪૨
Page #211
--------------------------------------------------------------------------
________________
મટુભાઇ હરગોવિંદદાસ કાંટાવાળા
મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા. જ્ઞાતે તેઓ વિસા ખડાયતા વણિક છે. તેમનો જન્મ સન માં
માં થયો હતો. એમના પિતાશ્રી રા. બા. રાજ્યરત્ન હરગોવિંદદાસ ભાઈ, એ નવાં શિક્ષણનાં શરૂઆતના ફળ હતા અને તેમના જીવન પર કેળવણી અને સાહિત્યની ઉંડી છાપ અને સંસ્કાર પડ્યા હતા, જે સર્વ મટુભાઈમાં ઉતરી આવેલા દષ્ટિગોચર થાય છે. એમનો ઘણેખરો અભ્યાસ વડોદરામાં થયેલો. વડોદરા કોલેજમાંથી બી. એ; ની પરીક્ષા સન માં પાસ કરેલી; કેલેજની ડિબેટીંગ સોસાઈટીમાં સારો ભાગ લેતા, એટલું જ નહિ પણ કૅલેજ મેગેઝીનમાં વખતોવખત લેખ લખતા. અને તે સામાન્ય અને ચાલુ વિષયોમાં નહિ પણ તે કાળે જે પ્રતિ થેજ અથવા નહિ જેવું લક્ષ અપાતું હતું એવા ગુજરાતી સાહિત્યના વિષયો ચર્ચાતા હતા. આનંદ પામવાનું કારણ આપણને એ છે કે યુનિવર્સિટીએ એમ. એ; ની પરીક્ષામાં ગુજરાતીમાં સ્થાન અપાતાં, પ્રથમ તે પરીક્ષા પાસ કરવાનું માન એમને ઘટે છે, અને તે બદલ ગુ. વ.સોસાઈટી તરફથી એમને રૂ. ૨૦૦)નું ઈનામ મળ્યું હતું. ઉપર કહ્યું તેમ કેળવણી અને સાહિત્યના સંસ્કાર પિતા તરફથી એમને વારસામાં મળેલા છે; અને તે એમણે એટલા બધા સજીવન અને ચેતનવંતા રાખેલાં છે કે એક મિલ એજટ તરીકે વ્યવસાયી અને શ્રમભર્યું જીવન વ્યતિત કરે છે, તેમ છતાં સાહિત્ય પ્રત્યેનો એમને અનુરાગ અને વ્યાસંગ લેશ માત્ર ઓછો થયો નથી, એ તેઓ જે દક્ષતાથી અને કાળજીથી “સાહિત્ય” માસિક ચલાવે છે, તે પરથી સહજ સ્પષ્ટ થશે.
નરસિંહરાવભાઈએ પ્રેમાનંદના નાટકોને પ્રશ્ન ઉથમ ઉપસ્થિત કર્યો ત્યારે પ્રતિપક્ષ તરફથી જે રદ્દી અપાયા હતા તેમાં એમના લેખો, વિશેષ ધ્યાન ખેંચતા હતા અને મૂળ કેસને પાંગળો-લુલો કરવામાં એમને હિસ્સો હાસુનો નથી. તે બતાવી આપે છે કે એમનું જુના ગુજરાતી સાહિત્યનું વાચન અને અભ્યાસ કેટલો બધો વિશાળ અને ઝીણો છે.
તે સાથે એમણે ટૂંકી વાર્તાના લેખક તરીકે નામ મેળવેલું છે અને તેમાં આપણે સંસારના ચિત્રો આલેખેલાં છે તે આકર્ષક નિવડ્યાં છે, એમ એના ઘણા વાચકેએ જણાવ્યું છે.
અત્યારે સાહિત્યના ક્ષેત્રમાં એક free lance પત્રકાર તરીકે તેઓ સરસ કાર્ય કરે છે. “સાહિત્ય”માંની એમની નેંધ અને ગ્રંથોના અવલોકન
૧૪૩
Page #212
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સાહિત્ય રસિકામાં આતુરતાથી અને લક્ષપૂર્ણાંક વંચાય છે અને એમના અભિપ્રાય કેટલીક વાર એટલા સચાટ, મુદ્દાસર અને સ્પષ્ટ હોય છે કે તે ધારી અસર પેદા કરવામાં સફળ નિવડે છે.
આપણા માસિકામાં “સાહિત્ય” માસિકે ઉંચુ સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ એમની નિયમિતતા, માહેાશી, ઉંચા જ્ઞાન અને વિદ્વતાને આભારી છે. એમના લેખાના સંગ્રહ માટે થવા જાય; પણ હાલ તુરત પ્રેમાન૬નાં જ નાટકા,' એ પુસ્તક દ્વારા એમના એ વિષયપરના લેખા છપાવીને એમણે સાષ માનેલા છે.
પ્રેમાનંદનાં જ નાટકો ?
એમના ગ્રંથઃ
૧૪૪
૧૯૨૮
Page #213
--------------------------------------------------------------------------
________________
મણિલાલ નભુભાઈ દેશી મણિલાલ નથુભાઈ દોશી
એઓ જ્ઞાતિએ વિશા ઓસવાલ જૈન; અને અમદાવાદના વતની છે. એમને જન્મ ૨જી નવેમ્બર ૧૮૮૨માં-સં. ૧૯૩૮ના આસો વદ ૭ ના રોજ– વિજાપુરમાં થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ જીવરાજ દેશી અને માતાનું નામ માકોરબાઈ મયાચંદ છે.
એમણે બધું શિક્ષણ અમદાવાદમાં જ લીધેલું. સન ૧૮૯૮ માં મેટ્રીકયુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ગુજરાત કૅલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨માં ભાષા અને સાહિત્ય અચ્છિક વિષય લઈને બી. એ. ની ડીગ્રી મેળવી હતી; અને ઉચે નંબરે આવવાથી તેઓ દક્ષિણા ફેલો નિમાયા હતા. સન ૧૯૦૩માં તેમણે એક શિક્ષકનો ધંધે પસંદ કર્યો હતે. એમની શિક્ષણ આપવાની પદ્ધતિથી અને શિષ્યો પ્રતિના સમભાવ અને પ્રેમથી તેઓ વિદ્યાર્થી વર્ગમાં બહુ પ્રિય થઈ પડતા; અને એમના સાલસ સ્વભાવ અને ઉત્તમ ચારિત્ર્યથી, એમના સમાગમમાં આવનાર સૌ કોઈને પિતા પ્રતિ આકર્ષતા હતા. એમના પ્રિય વિષય માનસ શાસ્ત્ર, નીતિ અને ધર્મ છે. વળી એમ કહેવું વધારા૫ડતું નથી કે તેના અભ્યાસ અને પ્રચાર કાર્ય પાછળ એમણે પોતાનું જીવન સમર્પણ કરેલું છે. આખા ગુજરાતમાં તેઓ એક આગેવાન થિસીસ્ટ તરીકે જાણીતા છે. એમના એ સેવા કાર્યથી ઘણાંનાં જીવનમાં સુંદર ફેરફાર અને પલટો થયેલા અમારા જાણવામાં છે. શિક્ષણકાર્ય સાથે સમાજસેવાના કાર્યમાં તેમજ થિએસોફીના પ્રચારકાર્યમાં વખતોવખત મુશ્કેલીઓ નડવાથી સન ૧૯૧૯માં એમણે શિક્ષક તરીકેની નોકરી કાયમ માટે છેડી દીધી હતી અને તે સમયથી એક સમાજસેવક તરીકે અને થિએસેરીના પ્રચારક તરીકે પ્રવૃત્તિ આદરી રહ્યા છે. લેખનકાર્ય તો એમણે સન ૧૯૦૩ થી શરૂ કરેલું અને એ પ્રવાહ સતત વહેતા અને વિકસતે રહેલો છે. માત્ર નાના મોટા પુસ્તક લખીને એમણે સંતોષ માન્યો નથી; પણ જુદે જુદે સમયે એક વા બીજું માસિક ચલાવીને, તે દ્વારા જનતાની સેવા કરવાનો પ્રયત્નો કરેલાં છે. અત્યારે તેઓ બે માસિક ચલાવે છે. સ્ત્રીછવનના વિકાસ અને અભ્યદય અર્થે પણ એમની પ્રવૃત્તિ થતી નથી. સ્ત્રીઓ માટે તેઓ એક જૂદું માસિક કાઢે છે. એમનું “સખીના પત્રો” એ નામનું પુસ્તક ગુ. વ. સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલું છે, તે પરથી જોઈ શકાશે કે સ્ત્રીમાનસને સમજવામાં તેઓ કેટલા નિપૂણ અને ઉંડા ઉતરેલા છે.
૧૪૫
Page #214
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળો
છે ૧૯૦૮
લેખન વ્યવસાયમાં તેમ એક ઉપદેશક તરીકે એમનું ઘણું ખરું જીવન વ્યતીત થયેલું હોવાથી એમને લેખ સંગ્રહ બહુ મોટો જણાશે. અહિં માત્ર એમના ગ્રંથેની યાદી આપી છે – ૧ અહંનીતિ (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત પુસ્તકને ગુજરાતી અનુવાદ. )
ઈ. સ. ૧૯૦૬ ૨ ગુરદર્શન ૩ આત્મ પ્રદીપ (શ્રીમદ્ બુદ્ધિસાગરે રચેલા ૧૦૦ સંસ્કૃત લોકનું ભાષાંતર તથા વિવેચન.)
ક ૧૯૧૦ ૪ દયાને ઝરે (રાફ વોડે ટ્રાઈનના “Every Living Creature”નું ભાષાંતર)
૧૯૧૦ ૫ સ્વર શાસ્ત્ર
છે ૧૯૧૦ ૬ સુબોધચંદ્ર ( આધ્યાત્મિક નવલ કથા). ૭ લઘુ લેખસંગ્રહ
» ૧૯૧૧ ૮ શ્રી બુદ્ધચરિત્ર (પાંચ આવૃત્તિઓ થઇ છે.) , ૧૯૧૧ ૯ મહાન ગુરુને પ્રસાદ (At the feet of the Mas
[ter ને અનુવાદ) ૧૦ યોગમાર્ગને ભોમીઓ
છે ૧૯૧૨ ૧૧ શ્રી બુદ્ધપદેશ (ધમ્મપદના બુદ્ધ ગ્રંથનું પાલીમાંથી ભાષાંતર) , ૧૨ શ્રી ધર્મબિન્દુ (શ્રી હરિભદ્રસૂરિ કૃત ગ્રંથનું ભાષાંતર અને
વિવેચન.). ૧૩ આદર્શ પુરુષ (ડે. બેસન્ટના “Path to the Masters of Wisdom”ને અનુવાદ.
છે ૧૯૧૩ ૧૪ પ્રભુમય જીવન (ત્રણ આવૃત્તિ થઈ છે.) (In tune with the Infinte'નું ભાષાંતર.)
૧૯૧૬ ૧૫ થિએસફી લેખમાળા ૧૬ પ્રભુને નામે (સી. જીનરાજદાસના “In His Name'નું
ભાષાંતર) ૧૭ શ્રધ્ધા એ જીવન (સી. જીનરાજદાસના “Faith that
is Life’ને અનુવાદ.) ૧૮ શ્રી સીમંધર સ્વામીને ખુલ્લા પત્રો
ક ૧૯૨૦ ૧૪૬
- ૧૯૧૧
ઇ ૧૯૧૯
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૨૨
૧૯૨૪
મણિલાલ નથુભાઈ દેશી ૧૯ સંયમ સામ્રાજ્ય “Kingship of self-control’નું - ભાષાંતર ).
» » ૨૦ શ્રી ભગવદ્ ગીતા અધ્યયન (ડ. બેસન્ટના “Hints on
the study of Gita'નું ભાષાંતર) ૨૧ વિદ્યાથી બંધુઓની સેવામાં (ડ. એરંડેલના Talks to
Students'ને અનુવાદ) ૨૨ દિવ્ય જીવન ૨૩ સખીને પત્ર
૧૯૨૪ ૨૪ ઉપદેશ રત્નકલ (બે આવૃત્તિઓ) (માગધીમાંથી ભાષાંતર
અને વિવેચન. ) ૨૫ ઉચ્ચ જીવનના નિયમો (ઉં. બેસન્ટના “Laws of Higher Life'ને અનુવાદ.)
, ૧૯૨૬ ૨૬ દૈનિક ધ્યાનનાં સૂત્રો ( ડો. બેસન્ટના “Daily Meditations'નું ભાષાંતર)
, ૧૯૨૭ ૨૭ પવિત્રતાને પંથે (ચાર આવૃત્તિઓ) (જૈનધર્મ ગ્રંથ.) , ૨૮ મુક્તિનું રહસ્ય (સી. જીનરાજદાસના Release'નું ભાષાંતર) , ૧૯૨૮ ૨૯ ચારિત્ર મંદિર (વ્યાખ્યાનોને સંગ્રહ.) 30 dalt yolal z4ICH (Spirit of the Unborn'àı
અનુવાદ.). ૩૧ પ્રેમ અને સેવા
. ૧૯૨૯ ૩૨ શ્રાવક ધર્મ ૩૩ જ્ઞાન પ્રભાવ ૩૪ જીવન સંદેશ ( શ્રી કૃષ્ણ મૂર્તિના વ્યાખ્યાને તથા લેખે
અનુવાદ.) ૩૫ બાળશિક્ષણ (માબાપ અને શિક્ષણ સંઘની ચાર પત્રિકા
ઓને અનુવાદ. )
ક ૧૯૩૦
૧૪૭
Page #216
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મણિલાલ છબારામ ભટ્ટ
એમના પિતા છમ્મારામ નૃસિંહરામ જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ હતા; અને અમદાવાદની પાસે આવેલા કુબડથલ ગામમાં રહી, ગામઠી નિશાળ ચલાવતા અને પુરાણ કથા વાત્તાંના ઉદ્યાગ કરતા. સન ૧૮૬૯-૭૦ માં તેમને ઘેર મણિલાલને જન્મ થયે!. શરૂઆતમાં ન્હાનપણથી જ તેમને સ્તોત્રપ્રકીણ ક્ષેાક વગેરે ગામડાના બ્રાહ્મણભટુએને મુખપાઠ કરાવવામાં આવે છે તેમ મેઢે કરાવવામાં આવેલા અને ઉપનીત પહેલાં ગુજરાતીને શાળામાં અને સંસ્કૃત વ્યાકરણના (સારસ્વતને!) ઘેર અભ્યાસ કરાવવામાં આવ્યા. સારસ્વત પછી રહ્યુ અને બીજા કાવ્યેાને અભ્યાસ ચાલતે હતા એવામાં તેમનાં માતા અને પછી એકાદ વર્ષોમાં તેમના પિતા પરલેાકવાસી થયા; તેથી તેવા અમદાવાદમાં સ્વ॰ ભાઈશંકર નાનાભાઇને ઘેર તેમના મેાસાળમાં ઉછર્યાં. અહિં શિષ્ટ અને ઉચ્ચ નાગરમિત્રાના સહવાસથી નાગરિક ઉચ્ચ સંસ્કાર સાથે ઈંગ્રેજીના સાતમા ધારણ સુધીના અભ્યાસ સુધી પહોંચવાને તેમને અત્યુત્તમ પ્રસંગ પ્રાપ્ત થયા. હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેની જ સાથે સાથે ફાજલ સમયમાં ભાસ્કરશાસ્ત્રીને ત્યાં જઇ નૈષધ ચરિત ’ જેવા કઠિન કાવ્યનું તેમજ કૌમુદીનું અધ્યયન કરવા માંડયું; પણ તે પૂરું શિખી રહે તે પહેલાં અને મેટ્રીકની પરીક્ષામાં બેસવાને સમય આવી પહેાંચે તે પહેલાં એમનાં દાદી દેવલેાક પામ્યાં અને તેમના મેટા ભાઇ એક ભાડાનું ઘર રાખી જૂદા રહેવા લાગ્યા. આ સાંસારિક વિટંબણામાં આવી પડવાથી તેમની કેળવણીની પણ સમાપ્તિ થઈ; અને મુંબાઈમાં સેાલીસીટરની આપીસામાં કારકુન તરીકે નેાકરી સ્વીકારવી પડી. સંસ્કૃતના શેખ મૂળથી એટલે બાકીના વખતમાં ૫. ગટુલાલજીની સંસ્કૃત શાળામાં પણ જતા હતા. થોડા મહિના પછી રેલ્વેતારનું શિખવાના ઇરાદે તે સુરત ગયા; પણ ત્યાં તાવના સકંજામાં સપડાવાથી અને નાદુરસ્ત તબિયત રહેતી હાવાથી, અમદાવાદ પાછા ફર્યાં. ત્યાર પછી દોઢેક વર્ષે ગુજરાત ગેઝીટ' સાપ્તાહિક વર્તમાનપત્રમાં ભાગીદારો તરીકે જોડાયા; અને પેાતાની કલમ ચલાવા માંડી. સંસ્કૃત, ગુજરાતી, ઈંગ્રેજી, મરાઠી અને હિન્દી પુસ્તકાના વાચનથી તેમનું જ્ઞાન સર્વદેશીય બન્યું હતું. જન્મસિદ્ધ કાવ્યલેખન શક્તિમાં કઈ આર ઉમેરા થવા લાગ્યા. ‘બુદ્ધિપ્રકાશ’માં “સીતાહરણ' નાટક (અપૂર્ણ) તેમજ ૮ ભારતી ભૂષણ’માં “મૃગાવતી”ના ત્રણ અંકે લખ્યા. વળી એ અરસામાં
૧૪૮
((
Page #217
--------------------------------------------------------------------------
________________
મણિલાલ છબારામ ભટ્ટ
‘સ્વદેશ વત્સલ' માસિકમાં “ઋતુ વર્ણન', “અનિલદૂત' વગેરે કાવ્યો અને ‘કિશોરસુંદરી'ની વાતો એમણે લખી તે વખતના સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. “ગુજરાત ગેઝટ' બંધ પડતાં તેમણે મુંબઈ ગુજરાતી” પત્રમાં નોકરી લીધી. સન ૧૮૯૬માં તેમણે “સમાલોચક” નામનું ત્રિમાસિક કાવ્યું અને ૧૯૦૯ સુધી ચલાવ્યું. પૂરતો પગાર નહિ મળતો હોવાથી તેમને શિષ્યવૃત્તિ (Tutions) કરવા ઉપરાંત ભાષાંતરે અને લખાણો લખવા માંડયાં. થોડા પૈસા ભેગા થતાં, “ગુજરાતની જુની વાર્તાઓ પુસ્તક રચી પ્રકટ કર્યું અને તે એટલું લોકપ્રિય નિવડયું કે સરકારે સીવીલ સર્વિસના ગુજરાતી પાઠય પુસ્તક તરીકે મંજુર કર્યું; જે હજુ ચાલુ છે. વળી તેને ઉપાડ પણ સારે થયો.
તેમના મુંબઈના ૨૦ વર્ષને વસવાટ દરમિયાન તેમણે જે જે પુસ્તકે રચ્યાં તેની ટીપ નીચે આપવામાં આવેલી છે. સન ૧૯૦૯ માં “ગુજરાતી’ની નોકરી મૂકી દઈ અમદાવાદ આવ્યા અને સન ૧૯૧૦માં ગુજરાતી ભાષાનો કષ કરવાને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં જોડાયા.
તેમણે સન ૧૯૨૩માં ગુ. વ. સોસાઈટીમાંથી નોકરી છોડી ને વાનપ્રસ્થાવસ્થા લીધી છે તે ચાલુ છે. હજુ ઉત્તરાવસ્થામાં સાહિત્યક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી છે તો પણ, અવાનવાર વર્તમાનપત્રો અને માસિકમાં લેખ લખી સાહિત્યને લાભ આપતા રહે છે, તે જોઈ આપણને આનંદ થાય છે; અને તે થકી તેમને સાહિત્યપ્રેમ વ્યક્ત થાય છે.
અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના તેમના વિશાળ વાચનનું જ્ઞાન લોકોને ઘણું રુચિકર થયું છે, અને તેથી તે એક લોકપ્રિય લેખક બન્યા છે. તેમની ભાષા શૈલી શુધ્ધ, સરળ છતાં પ્રૌઢ, શિષ્ટ અને સંસ્કારી છે.
તેમણે સ્ત્રી ઉપયોગી પુસ્તકો “સ્ત્રીઓની રંગભૂમિ, “પતિવ્રતા સતીઓ” અને “સુંદર બહેન’ સરળ ભાષામાં રચી સ્ત્રી જગતને આપી છે; સુપથે દોર્યું છે. તેમની ઐતિહાસિક વાર્તાઓ તેમજ સામાજિક નવલકથાએથી સમાજનો સડો કંઇક અંશે દૂર થયે છે. તેમણે ઈગ્રેજી અને સંસ્કૃતનાં સુંદર ભાષાન્તરે કરેલાં છે. અને “કાવ્ય પીયૂષ” તથા “સીમંતિની આખ્યાને’નાં કાવ્ય રચ્યાં છે. આમ અનેક પુસ્તકો પ્રકટ કરી ગુજરાતી સાહિત્યમાં તેમણે સારો ફાળો આપી પ્રજાસેવા બજાવી છે.
૧૪૯
Page #218
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એમના ગ્રંથાની યાદી:
કાવ્ય.
ઋતુ વર્ણન ( ‘ સ્વદેશ વત્સલ' સાસાઈટીએ છપાવેલું) અનિલ ક્રૂત ( ખંડ કાવ્ય ) કાવ્ય પીયૂષ. ( પ્રકીણું કવિતા ) સીમંતિની આખ્યાન.
પ્રતિમા નાટક (ભાસકૃત-ભાષાન્તર)
ઐતિહાસિક વાર્તા.
ગુજરાતની જૂની વાર્તાઓ. પૃથ્વીરાજ ચૌહાણ ને ચંદ બરદાયી (પાઠય પુસ્તક)
ઝાંશીની રાણી (ભાષાંતર)
સામાજિક નવલકથા
રતિ સુંદરી મુંબાઈની શેઠાણી, ગુર્જરી. મડમ કે મધુરી.
વિષ્ણુ પુરાણું. આત્મ પુરાણ. અષ્ટાવક્ર ગીતા.
વૃદ્ધ ચાણાક્રય.
અર્નિયરને પ્રવાસ શહેનશાહ બાનુ મેરી લાડ લેરેન્સ
નાટક.
સ્ત્રીઓની રંગભૂમિ. પતિવ્રતા સતિએ. સુંદર બહેન.
સંસ્કૃત ભાષાન્તર
ઈંગ્રેજી ભાષાન્તર.
સ્રીયાચન.
૧૫૦
સંવત ૧૯૪૫
૧૯૪૫
,,
સને ૧૯૧૧ સંવત ૧૯૪૬
સન ૧૯૧૬
સન ૧૮૯૩-૪
૧૮૯૭
૧૮૯૨
99
,,
સન ૧૯૦૦
૧૯૧૫
૧૯૨૦
,,
29
સન ૧૯૧૨
૧૯૦૭
૧૯૨૯
,,
99
( ગુ. વ. સેાસાઇટી. ) સન ૧૮૯૮
,,)
સન ૧૯૧૧
(,, (ગુજરાતી પ્રેસ)
સન ૧૯૧૨
સન ૧૯૦૬
સન ૧૯૦૬
Page #219
--------------------------------------------------------------------------
________________
મોહનલાલ પાર્વતીશંકર દવે
મોહનલાલ પાવતીશકર દવે
એમને જન્મ સન ૧૮૮૩ માં ચૈત્ર સુદ તેરસને રોજ થયે હતો. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ, સુરતના વતની છે. એમને પિતા પાર્વતી
કર સારા મોટા હોદ્દા પર હતા અને બે પેસે સુખી હતા. એમના માતુશ્રી હિરાગૌરી તે દીનમણિશંકર શાસ્ત્રીના પુત્રી થાય. એમનું લગ્ન સ્વ. રા. બા. કમળાશંકરની પુત્રી સૌ. દમનગૌરી સાથે થયેલું છે. સન ૧૯૦૫માં એમ. એ; અને સન ૧૯૦૭ માં એલ એલ. બી. ની પરીક્ષા પાસ કરેલી. કેટલોક વખત તેમણે ગુજરાત કૅલેજમાં અભ્યાસ કરેલો, મુંબઈમાં એલ. એલ. બી, એમ. એ, વગેરે અભ્યાસ માટે પણ રહેલા. બી. એ; ની પરીક્ષા પાસ કર્યા પછી “બુદ્ધિપ્રકાશ,' “વસંત, ગુજરાત શાળાપત્ર' વગેરેમાં લેખ લખવા શરૂ કરેલા અને સન ૧૯૧૧-૧૨ માં ગુ. વ. સોસાઈટી માટે 'લેન્ડરના કાલ્પનિક સંવાદો એ નામનું પુસ્તક ગુજરાતીમાં બે ભાગમાં એક વિસ્તૃત ઉપઘાત સાથે તૈયાર કરી આપેલું. સાહિત્ય પરિષદમાં રસ લઈ, લેખ લખી મોકલતા અને આગળ પડતો ભાગ લેતા. વળી પરિષદ ભંડળ માટે તેમણે મેકડોનલકૃત “સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ’ બહુ કાળજી અર્વક લેખક પાસેથી તેમની નેંડ્રસ મેળવીને લખેલો છે; અને અવારનવાર નાદુરસ્ત તબિયતને લીધે કેટલાક સમયથી લેખનકાર્ય કંઇક મંદ છે, છતાં તે સાહિત્યમય જીવન ગાળે છે. પિતે સાર્વજનિક કોલેજમાં શરૂઆતથી સંસ્કૃતના અધ્યાપક તરીકે, સેવાભાવથી કાર્ય કરે છે અને સુરતની એવી દાઈ સાહિત્ય પ્રવૃતિ નહિ હોય, જેમાં એ જોડાયેલા નહિ હોય. ગુ. વ. નાસાઈટી માટે તેમણે ઉપનિષદ પર એક પુસ્તક લખી આપવાનું સ્વીકારેલું છે. એમના મુખ્ય લેખો અને પુસ્તકની યાદી નીચે પ્રમાણે છે – લૅન્ડારના કાલ્પનિક સંવાદ ભાગ ૧-૨
૧૯૧૧-૧૨ સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
૧૯૨૪ મહાભારતની સમાલોચના.
૧૯૧૩ ગ્રન્થાવલોકન કળા, હાસ્યરસ, કાવ્યકળા પર લેખો
(સા. પરિષદ માટે)
૧૫૧
Page #220
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
મંજુલાલ જમનારામ દવે
એ મૂળ પેટલાદના વતની; જાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ સંવત ૧૯૪૬ ના જેઠ વદી ૧૧ (તા. ૧૩–૬–૯૧) ના રોજ પેટલાદ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જમનારામ લાલરામ દવે તથા માતાનું નામ ઝીણુબા છે.
એમણે પ્રાથમિક અને માધ્યામિક કેળવણી પેટલાદ તથા વડોદરામાં લીધી હતી. સન ૧૯૦૬ માં મેટ્રિક થઈ વડોદરા કોલેજમાં જોડાયેલા. સન ૧૯૧૧ માં નેચરલ સાયન્સ-વનસ્પતિ શાસ્ત્ર તથા પ્રાણું વિજ્ઞાન શાસ્ત્રના ઐચ્છિક વિષય લઈને બીજા વર્ગમાં બી. એ., પાસ થયેલા. સન ૧૯૧૫ માં ગુજરાતી તથા ઈગ્રેજી ભાષાસાહિત્યના એચ્છિક વિષય લઈ અંગ્રેજીમાં પહેલા વર્ગના માર્કસ મેળવી એમ. એ. ની ડીગ્રી મેળવેલી.
ગુજરાતી, ઈંગ્રેજી તથા ફેન્ચ સાહિત્યના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કરેલું છે.
ભિન્ન ભિન્ન દેશનાં સાહિત્ય તથા સંસ્કૃતિ, એ એમનો પ્રિયતમ અભ્યાસક વિષય છે.
સન ૧૯૧૬ માં તેઓ પ્રથમ પાટણની ન્યુ ટ્રેનિગ કેલેજમાં ગુજ. રાતી ભાષાસાહિત્યના અધ્યાપક નીમાયેલા; અને તેજ સમયથી ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિની કે કે ભાવનાએ તેમણે સકુટુમ્બ સેવેલી: જે આજ નાટયે, નિબંધ, કાવ્યો, સમીક્ષાઓ, વાર્તાઓ, ચરિત, સંવેદને, વિગેરે રૂપે પ્રસિદ્ધ છે.
સન ૧૯૧૮ માં તેઓ સુરત એમ. ટી. બી. આર્ટસ કોલેજમાં ઈગ્રેજીના અધ્યાપક નિમાયા હતા. પાછળથી સન ૧૯૨૧ માં તેઓ કોલ્હાપરમાં રાજારામ કેલેજમાં ગયેલ. તે પછી ૧૯૨૬ માં ઇંગ્લેંડ, ફ્રાન્સ ઇત્યાદિ પાશ્ચાત્ય દેશોમાં વધુ અભ્યાસ માટે, તેમ તે તે દેશની સાર્વદેશીય સુસંસ્કૃત પ્રવૃત્તિ પ્રગતિના નિરીક્ષણ-સમીક્ષણ કાજે, જઈ ત્યાંથી પી. એચ ડી અને ડી. લીટ (ડોકટર ઑફ ફીલોસોફી તથા ડોકટર ઓફ લીટરે ચર) ની માનવંતી પદ્ધીઓ મેળવી આવ્યા છે. ઉપરાંત યુરોપખંડને એક છેડેથી બીજે છેડે–આટલાંટીક મહાસાગરમાંના એરન દ્વીપના જૂના જગતને ચારેથી તે તે ખંડની પ્રાચીન સંસ્કૃતિને વહતા ગ્રીસદેશના ક્રીટના
૧૫૨
Page #221
--------------------------------------------------------------------------
________________
મંજુલાલ જમનારામ દવે
દીપ સુધી પશ્ચિમ પૂર્વ તેમણે મુસાફરી આદરી છે, અને અનેકવિધ અનુભવો ઝીલી પશ્ચિમના મહાન સ્ત્રી પુરૂષોના નિકટ સંબંધમાં આવ્યા છે.
વિલાયતથી પાછા ફરતાં તેઓ મુંબઈની વિલસન કોલેજમાં કેન્ચ ભાષા સાહિત્યના મુખ્ય અધ્યાપક નિમાયેલા અને મુંબઈ યુનિવર્સીટી તરફથી સ્થપાયેલા ઈન્ટર–કોલેજીએટ વર્ગોમાં તેમણે પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સમક્ષ ફેન્ચ વાલ્મય તે સંસ્કૃતિ વિષયક વ્યાખ્યાનમાળા દીધેલ. સન ૧૯૨૯-૩૦ માં કલકત્તા યુનિવર્સીટીના ડો. કાલિદાસ નાગ સાથે ડો. મંજુલાલ દવે પણ મુંબઈ વિદ્યાપીઠના એકસ્ટેન્શન લેકચરર તરીકે નિમાયેલા; અને ફ્રાન્સના લક્ષ્ય સાહિત્ય (Symbolism) પર છ વ્યાખ્યાનો આપેલાં. સેન્ટ ઝેવીઅર કોલેજના પ્રીન્સીપાલ ફાધર ધુર તથા મુંબઈમાં રહેતા ફ્રેન્ચ કેન્સલ મ. શાલાં ઇત્યાદિ ફેન્ચવાડમય વિશારદો તરફથી એ વ્યાખ્યાને પ્રશંસાને પામેલાં.
સન ૧૯૦૮ માં તેમને પ્રથમ લેખ વડેદરા કોલેજ મિસેલેરીમાં છપાયલો. ત્યારબાદ ટાગોરના ડાક-ઘર–પોસ્ટ ઑફીસ નાટકને અનુવાદ કરેલ. ટાગોર વિષે એમણે ઉંડો અભ્યાસ કરેલો છે; અને પુરાણકાળથી પ્રખ્યાત એવી દક્ષિણ કાન્સના મુખ્ય નગર મેંપીલી એની યુનિવસીટીની સાહિત્યવિશારદ (ડૉકટર ઑફ લેટર્સ) ની પદવી, “લા પોઝી દ રવીન્દ્રનાથ ટાગોર”-રવીન્દ્રનાથ ટાગોરની કવિતાકલા–નામનો કેન્ય ભાષામાં અઢીસે પાનાને એક નિબંધ રજુ કરીને મેળવી છે. આ નિબંધ યુરોપ અમેરિકાના જાણીતા વિદ્વાનો તથા આંતરરાષ્ટ્રિય સન્માનને પામેલ સાક્ષરજનો તરફથી ઘણજ પ્રશંસાને પામેલ છે. ગાંધીજી જેમને “પશ્ચિમના પ્રજ્ઞ” એ નામે સંબોધે છે અને જેઓ સાચા જ સ્થિતપ્રજ્ઞ ને સાગ સિધ્ધ પુરૂષ છે, તેવા મ. રમેં રોલાંને એ નિબંધ (જે પુસ્તક રૂપે પ્રસિધ્ધ છે) પરને પ્રશંસાપત્ર આ રીતને છેવહાલા મિત્ર,
રવીન્દ્રનાથ ટાગોરની કવિતા” નામક સુસુન્દર પુસ્તક તમે મને મોકલાવ્યું તે માટે તમારો અત્યંત આભાર માનું છું. અતીવ ઉંડેરા ભાવે મેં તેને ઉકેલ્યું છે: કાન્સમાં તો તેની ખાસ જરૂર જ હતી, કારણ ત્યાં જેટલા ટાગોર પ્રખ્યાત છે તેટલા પરિચિત નથી જ. સારું થએ તમારું પુસ્તક એ મહાનુભાવ સાહિત્યકારને તેના સર્વોત્કૃષ્ટ પ્રકાશમાં તેની સર્વ
૧૫૩
Page #222
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળાં
ભદ્રં કલામયતામાં, આકાશ પૃથ્વીને સાંધતા ઇન્દ્રધનુના ર્ંગશકલાની જેમ, પ્રકટ–પ્રસિદ્ધ કરી રહે છે.
મને તે એમાંથી વિની માતૃભાષા બંગાળીનું સંગીત પણ સૂણામ શકેલ છે-જે અમારે ત્યાંના ટાગેારના અનુવાદકા, જેવા કે ઝીદ્ અને ઝૂ નથી જણાવી શકેલ. કારણ બંગાળી ભાષાના સંબંધ ભૂમધ્ય સમુદ્ર ફરતી ભાષાઓ સંગે છે-(દા. ત. દક્ષિણ ફ્રાન્સની તેમ દક્ષિણ ઇટલીની ભાષાએ સંગે છે, ટૂંકામાં સ` કાઇ રેશમાન્સ' ભાષાએ સંગે.)
કવિવર જ્યારે ગઈ સાલ વિનવ આવ્યા હતા ત્યારે માનસી’” તથા “અલાકા” માંના કાવ્યાના પરમ રસાસ્વાદ અમને ચખાડી ગયેલા.
હું તમારા આ કાને સહૃદયી સન્માન ભાવવડે વધાવી રહું છું, અને એ વ્હાલા સન્મિત્ર, તમને હું પ્રાર્થના કરૂં છું મ્હારા અંતરની ઉલ્થસિત એ ભાવના તમે સત્કારશેા...
(સહી) રામે રાલાં. લગભગ પાંચસે જેટલાં પાનાના ડાક્ટર-આફ-પીલેાસાઝીવાળા એમને બીજો નિબંધ “ યુરપ–એશિયાના સાહિત્યમાંના લક્ષ્યવાદ (Symbolism)'' એ પરત્વે છે. આની પ્રસ્તાવના યુપની ભિન્નભિન્ન ભાષામેના જાણકાર પ્રાફેસર ડાકટર રૂડમેાઝ બ્રાઉને લખી છે. આ નિબંધમાં દૂનિયાના લગભગ વીસેક સર્વોપરિ વાઙમય પર સમાક્ષેાચના આદરવામાં આવી છે, અને પૂર્વ પશ્ચિમના લક્ષ્યવાદી સાહિત્ય ભાવની તુલનાત્મક સમીક્ષા થયેલી છે.
એમના પ્રકીણ લેખાને સંગ્રહ પણ બહુ માટે થવા જાય છે. ઘણાખરા ગુજરાતી માસિકામાં એમના લેખા છપાયલા મળી આવશે; અને તે અનેકવિધ હશે. થેાડા સમયથી એમણે કેટલાંક ફ્રેન્ચ અને યુર।પીય નાટકોના ગુજરાતીમાં અનુવાદ કરવાનું પ્રશસ્ય કાં ઉપાડી લીધું છે. સાહિત્યમાં નવા નવા ટાઇપ-લેખનપ્રકાર–દાખલ કરવાને તેઓ બહુ ઉત્સુક રહે છે.
એમનાં પત્ની સ્વ. સૌ. કનુમ્હેન પણ આપણા સાહિત્યનાં એક સારાં અભ્યાસી અને લેખક હતાં. ગીતાંજલના અનુવાદ, ટાગરને તે માટે ઈનામ મળ્યું, તે અરસામાં એમણે ગુજરાતીમાં ઉતારી પ્રકટ કરેલા. એમની જીવનસ્મૃતિ” તથા “Àાંધપોથી’', જે માસિકેામાં પ્રસિધ્ધ થયેલાં છે તે ઉપરથી સમજાય છે કે એમની રસવૃત્તિ અને વિવેચનશક્તિ કેળવાયલી તથા વિકસેલી હતી. ભાવનગરની સાહિત્ય પરિષદ્માં ચૂંટાયલા સૌ. કનુ
૧૫૪
Page #223
--------------------------------------------------------------------------
________________
મંજુલાલ જમનાદાસ દવે
બહેનના કવન” સંબંધીનો ઉલ્લેખ પણ તેમને ગુજરાતનાં એક સાચાં કવિયત્રી તરીકે સ્થાપી રહે છે. સુરત અમદાવાદની સાહિત્ય પરિષદોમાંના પિતાના નિબંધો પણ તેટલાજ તલસ્પર્શી અને આકર્ષક નીવડેલા. આવાં એક સહૃદયી અને સાહિત્ય રસિક પત્નીનું અવસાન ખરે, દુ:ખદ નીવડે; અને એની અસર રા. મંજુલાલના કેટલાક લેખોમાં દષ્ટિગોચર થશે.
એમણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યનો માર્મિક તેમજ સૂક્ષ્મ અભ્યાસ કરેલો છે; અને એમના લખાણમાં તેમની છાયા અને છાપ સ્પષ્ટ ઉઠી આવે છે. પૂર્વ તથા પશ્ચિમને સંસ્કૃતિ-સુયોગ કઈ રીતે સુલભ થઈ રહે એ એમનાં સ્વમ મરથ અને આશાભિલાષ છે. | ગુજરાતીની પેઠે એમના અંગ્રેજી લખાણને જ પણ મોટો છે; પણ તે વિષે અહીં કાંઈ નહિં કહીએ. એટલી જ માત્ર અભિલાષા રાખીશું કે એમના ગુજરાતી લેખોમાંથી ચુંટણી થઈ તે સંગ્રહ સ્વતંત્ર પુસ્તક રૂપે જેમ બને તેમ જલદીથી પ્રસિદ્ધ થઈ રહે; કારણ લગભગ ચારેક હજાર પૃષ્ઠ જેટલું આ વિધાન પતિપત્નીનું સાહિત્ય માસિકનાં પાનાં પર વીખરાયેલું પડયું છે, જેને પુસ્તકાકારે પ્રકટ થયેલું જોવા હરકેઈ સાહિત્યવિલાસી ઈચ્છશે જ................. એમનું પુસ્તક
૧૯૧૫
ડાકઘર
N
૧૫૫
Page #224
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
એ મૂળ વતની નડિયાદ પાસે મહુધાના અને જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ એમના મોસાળ પેટલાદમાં સન ૧૮૯૭ ના સપ્ટેમ્બર માસમાં થયો હતો. એમના પિતાનું નામ રણછોડલાલ હીરાલાલ મજમુદાર અને માતાનું નામ ધનાબહેન જતનલાલ દેસાઈ છે.
એમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું, અને સન ૧૯૧૩ માં મેટ્રીકયુલેશનની પરીક્ષા વડોદરા હાઈસ્કૂલમાંથી પાસ કરી, બરોડા કૅલેજમાં દાખલ થયેલાં. સન ૧૯૧૮ માં બી. એ. ની ડીગ્રી સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ ઐચ્છિક વિષય તરીકે લઈને મેળવી હતી. સન ૧૯૨૧ માં એએ એલ એલ. બી. થયા અને વડોદરા રાજ્યની વરિષ્ઠ કોર્ટમાં વકીલાત કરવા માંડી; પણ એ ધંધે એમના સાહિત્ય પ્રિય સ્વભાવને અનુકૂળ થયે નહિ એટલે તેમાં વિદ્યાધિકારી કચેરીમાં જોડાયા છે, જ્યાં એમને એમનું રચતું સાહિત્યકાર્ય, સાહિત્યમાળા સંપાદન કરવાનું, સંપાયું છે.
એમને પ્રિય વિષય, પ્રાચીન સાહિત્યને અભ્યાસ સંપાદન તથા સંશોધન છે. એમને સંસ્કૃતને પરિચય ઠીક ઠીક છે. એમણે વડોદરા શ્રાવણમાસ સંસ્કૃત પરીક્ષા, કાવ્ય, અલંકાર અને પુરાણના વિષયમાં આપેલી છે.
“ગુજરાતની બ્રીટીશ અમલ પહેલાંની સંસ્કૃતિ” સંબંધી અંગ્રેજીમાં વિસ્તૃત નિબંધ રજુ કરીને એમ. એ. ની ડીગ્રી સને ૧૯૨૯ માં મેળવી છે, સમાજશાસ્ત્રના સિદ્ધાન્તની કસોટીએ ચડાવી ગુજરાતની સર્વદશીય સંસ્કૃતિને સમન્વય, ઘણું કરીને એમણે જ પહેલવહેલો કરી બતાવ્યા છે.
એમને પ્રથમ લેખ સન ૧૯૧૪ માં “વસંત' માં એક ટૂંકી વાર્તા રૂપે, તથા બરોડા કૅલેજ મીસેલેનીમાં નરસિંહ મહેતાની કવિતા વિષે એમ હતા. પુસ્તકરૂપે એમણે પહેલો પ્રયત્ન “સુદામાચરિત્ર” ની તુલનાત્મક સટીક આવૃત્તિને સને ૧૯૨૨ માં કર્યો હતો. ગુજરાતી પ્રાચીન સાહિત્યને એમને અભ્યાસ તે પછી બહુ તલસ્પર્શી અને વિસ્તૃત થવા પામ્યો છે, એમ એમણે સંશોધન કરેલાં કોઈ પણ કાવ્યો વાંચનાર કહી શકશે.
પ્રાચીન સાહિત્યનું સંશોધન અને સંપાદન કાર્ય કરવામાં એમણે નવું ઘેરણ અખત્યાર કરેલું છે; અને તે ઘેરણ, શાસ્ત્રીય, ઐતિહાસિક અને તુલનાત્મક છે. એમનું સુદામાચરિત્ર લે, કે અભિમન્યુ આખ્યાન લો; એમનું રણયજ્ઞ લો, કે પંચાંડની વાર્તાનું પુસ્તક લો, તે એમાંથી એમના વિશાળ
૧૫૬
Page #225
--------------------------------------------------------------------------
________________
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
સમદષ્ટિકોણનું; એમની વિદ્વત્તા અને પ્રાચીન સાહિત્યના વાચન અને અભ્યાસનું માપ કાઢી શકાશે. પ્રેમાનંદનાં આખ્યાનના અભ્યાસ સાથે સાથે, સામળભટ્ટને જવા માટે ગુજરાતી લોકકથા અને વાર્તા સાહિત્યની માપણું અને સમાન લોચના એમના જેવી અન્ય કોઈએ કરેલી જાણવામાં નથી. અને તેને વિશેષ પ્રકાશમાં આણવાનો યશ એમને છે.
એમના સાહિત્યકાર્યમાં એમનાં પત્ની સ્વ. સૌ. ચિતન્યબાળા બહેન પણ વિશેષ મદદગાર થતાં હતાં; દિલગીરી માત્ર એ છે કે એ સુભગ યુગલ લાંબો સમય સાથે રહી સાહિત્યની સેવા કરવા ભાગ્યશાળી નિવડયું નહિ. “અભિવન ઊંઝણુંનામના પંદરમા શતકના કાવ્યની મોક્ષની વાચના એમણે જ એકલે હાથે કરેલી પડી છે. તે અનુકૂળતાએ પ્રકટ થનાર છે. તેમના “લલિતકલા તથા બીજા સાહિત્ય-લેખો” નું સંપાદન એ કરી રહ્યા છે.
પ્રાચીન કાવ્યના સંશોધન અને સંપાદન કાર્ય ઉપરાંત એમણે “તિલોતમા–નામની અપ્સરા સૃષ્ટિની વાત્તાં-” લખી છે.
“લોકવાર્તાના સાહિત્ય” નાં બે વિસ્તૃત પ્રકરણ સંસદુના “મધ્યકાલીન સાહિત્યના પ્રવાહો તે ખંડ પમામાં એમણે લખ્યાં છે. સૌ. દીપકબા દેસાઈકૃત “સ્તવન મંજરી' તથા ખંડકાવ્યો' ના પુસ્તકનો અને રા. રમણલાલ વસંતલાલ દેસાઈકૃત “શંક્તિ હૃદય’ નાટકના ઉપઘાત એમણે લખ્યાં છે; જે સાહિત્યના અભ્યાસીએ વાંચવા વિચારવા જેવા છે. સૌ. દીપકબા દેસાઈની કવિતાકળાને ઉત્તેજનાર અને પ્રેરનાર તરીકે એમને ગણી શકાય.
હમણાં તેમણે તેમનાં સ્વ. પત્નીએ અધૂરા મૂકેલા રાસસાહિત્યનું સંપાદન કાર્ય “ગુજરાતણોને ગીતકલ્લોલ” એ નામથી હાથ ધર્યું છે; અને તેમાં રાસ, ગરબા તથા ગરબીનું શાસ્ત્રીય પૃથકરણ તથા વિવેચન પ્રાચીન અર્વાચીન કૃતિઓમાંથી ઉદાહરણ સહિત ચાર ભાગમાં બહાર પાડનાર છે. એમનાં અન્ય સંપાદનની પેઠે તે પણ સાહિત્યરસિક તેમજ સાહિત્યના અભ્યાસી એમ ઉભયને રસદાયક અને ઉપકારક થશે એમ આશા રહે છે.
મીરાંબાઈનાં અસલ પદોની શોધખોળ માટે એમણે મુંબઈ યુનિવસિટી તરફથી રીસર્ચ ગ્રાન્ટ મેળવી છે; અને તે શોધખોળ પૂરી થયે, “મીરાં-માધુરી” નામે સંગ્રહ તેઓ પ્રકટ કરવાના છે.
૧૫૭
Page #226
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એમના ગ્રંથાની યાદી:
૧ પ્રેમાનંદ તથા ખીજાં આઠ કવિનાં સુદામાચરિત્ર ૨ પ્રેમાનંદકૃત રણયજ્ઞ તથા વજીઆકૃત રણજંગ ૩ તિલેાત્તમા–એક અપ્સરા સથ્વિી વાર્તા—
૪ તાપીદાસકૃત ‘અભિમન્યુ આખ્યાન' તથા અભિમન્યુનું લેાક સાહિત્ય
૫ લાકવાર્તાનું સાહિત્ય
૬ કાવ્ય નવનીત તે નળાખ્યાન ૭ પંચડ'ડને ખીજા' કાવ્યેા ૮ રામાયણનું રહસ્ય
૧૫૩
સન ૧૯૨૨
૧૯૨૫
૧૯૨૬
..
19
99
.
..
99
,,
૧૯૨૬
૧૯૨૭
૧૯૨૭
૧૯૨૯
૧૯૩૦
Page #227
--------------------------------------------------------------------------
________________
યશ હરિહર શુકલ ( પીયષ”) યશ હરિહર શુકલ (પીયૂષ)
એઓ જ્ઞાતિએ ચાતુર્વેદીય મેઢ બ્રાહ્મણ અને વલસાડના વતની છે. એમનો જન્મ તા. ૧૩ મી માર્ચ ૧૯૦૯ ના રોજ વલસાડમાં થયો હતો. એમના પિતાનું નામ હરિહર ગણપતરામ શુકલ અને માતાનું નામ વિજ્યાબહેન છે. એઓએ મેટ્રીક સુધી અભ્યાસ કરેલો છે. તે પછી તેઓ વર્તમાનપત્રના ધંધામાં જોડાયેલા. હમણાં તેઓ ગુજરાતી પત્રમાં તંત્રી ખાતામાં કામ કરે છે; તેમજ સન ૧૯૨૯ના અપ્રિલથી ગુણસુંદરી’ સ્ત્રી માસિકના સહતંત્રી તરીકે ઉપયોગી સેવા બજાવે છે. તે ઉપરાંત “પીયૂષ” ના તખલુસથી જુદાં જુદાં સાપ્તાહિકો અને માસિકમાં અવારનવાર લેખો લખે છે.
૧૫૯
Page #228
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમણલાલ વસ’તલાલ દેસાઇ
એએ જાતે વડનગરા નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ) છે. એમના પિતાનું નામ વસંતલાલ સુંદરલાલ દેસાઇ અને માતાનું નામ સૌ. મણિબા છે. એમના જન્મ સન ૧૮૯૨ માં વડાદરા રાજ્યમાં શિનેર ગામમાં થયેા હતા, જો કે એમનું વતન સ્થાન પંચમહાલમાં આવેલું કાલેાલ છે. એમણે પ્રાથમિક કેળવણી શિનેરમાં અને માધ્યમિક કેળવણી વડાદરામાં લીધેલી. સન ૧૯૦૮ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, વડેાદરા કૅાલેજમાં જોડાયલા. ખી. એ., ની પરીક્ષા સન ૧૯૧૪ માં અને એમ. એ; ની પરીક્ષા ગુજરાતી ઐચ્છિક વિષય લઇને સને ૧૯૧૬ માં પાસ કરી હતી. એમના પ્રિય વિષયે સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.
અભ્યાસ પૂર્ણ થતાં, તે વડેદરા રાજ્યની નેકરીમાં જોડાયા. અત્યારે તે નવસારીમાં નાયબસુબા (પંચાયત શાખા) ની પદ્દી પર છે. સન ૧૯૧૭ થી માસિકેામાં લેખ લખવાનું શરૂ કરેલું; પણ તેએ સન ૧૯૨૦ માં એમના ‘સંયુકતા' નાટકથી એકદમ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. આ નાટક સને ૧૯૧૫ માં પ્રથમ ભજવાયું હતું, જોકે તે સને ૧૯૨૦ માં છપાયું. આપણે ત્યાં સારાં નાટકે બહુ ઓછા લખાય છે અને તેમાં ભજવી શકાય એવા એથી પણ જૂજ હેાય છે; પણ એમનું પ્રથમ નાટક સ્ટેજ પર સફળ નિવડયું હતું; અને એક સાહિત્યકૃતિ તરીકે પણ તેની તારીફ થઇ હતી. તે પછી એમણે “શકિત હ્રદય” નામનું એક સામાજિક નાટક સન ૧૯૨૫ માં રચ્યું હતું, તે એમના પ્રથમ નાટક કરતાં વધુ ખેંચાણુકારક નિવડયું હતું; અને ઘણાં સ્થળાએ તે હજી અમય્યાસ તરથી ભજવવામાં આવે છે, એથી લેખકે મગરૂર થવા જેવું છે. જેમ એએ એક કુશળ નાટકકાર જણાયા છે તેમ એક નવલકથાકાર તરીકે પણ એમની કલમ દીપી ઉઠી છે. ‘શિરિષ’ અને કૈાકિલા' જે પુસ્તકા વડાદરા માંથી પ્રસિદ્ધ થતા “સયાજીવિજય” પત્રના ગ્રાહકેાને ભેટ અપાયાં હતાં, તેમાં આપણા સામાજિક પ્રÀા જેમકે સંગીત અને ચિત્રકળાનેા પ્રશ્ન, પતિત સ્ત્રીના પ્રશ્ન, મૂડીવાદ અને મજુરને પ્રશ્ન, એક પત્રકારનું જીવન વગેરે સીફતથી ચર્ચી, તેનાં ગુણ દોષ પ્રતિ જનતાનું લક્ષ દોરવામાં એએ ક્રુતેહમંદ થયા છે. આપણા સામાજિક નવલકથાકારોમાં અમદાવાદના બંધુ સમાજમાંના લેખકે, શ્રીયુત ભેગીન્દ્રરાવ, રામમેાહનરાય, શિવુભાઇ પછી એએ જ સૌનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે.
૧૬૦
Page #229
--------------------------------------------------------------------------
________________
રમણલાલ વસંતલાલ દેસાઇ
વડાદરા રાજ્યની ‘સયાજી જ્ઞાનમાળા' માટે એમણે અવકાશ મેળવી આપ્યાં છે તે, એમના ગ્રંથાની યાદી નીચે આપી
કેટલાંક પુસ્તકા લખી છે, તેમાં નાંધ્યાં છે.
એમના પુસ્તકોની યાદીઃ
૧ મહારાણા પ્રતાપ (ટુંકું ચરિત્ર)
૨ સંયુકતા (નાટક)
( સામાજિક વાર્તા )
(
)
(
૩ પાવાગઢ (વર્ણન)
૪ નાના ફડનવીસ (ટુંકું ચરિત્ર)
૫ શકિત હૃદય (નાટક)
૬ જયંત
૭ શિરીષ
૮ કૈાકિલા
૯ હ્રદયનાથ
૧૦ સંસ્કૃતિની ઉત્પત્તિ [લાડ આવખરીકૃત Origin of Civilization નું ભાષાંતર]
39
")
,,
""
""
:)
""
૧૬૧
સન ૧૯૧૯
૧૯૨૦
૧૯૨૦
૧૯૨૨
૧૯૨૫
૧૯૨૫
૧૯૨૭
૧૯૨૯
૧૯૩૦
૧૯૨૮
&
99
,,
.
1,
29
22
2,
""
Page #230
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમેશ રંગનાથ ઘારેખાન
એ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ; પાટણના વતની છે. એમને જન્મ દ્વારકામાં સન ૧૪ ૯૮ના જાન્યુઆરીમાં થયો હતો. એમના પિતાનું નામ રંગનાથ શંભુનાથ ઘારેખાન અને માતાનું નામ અ. સૌ. સત્યભામાં (તે બળવંતરાય ગોપાળરાય મજમુદારના પુત્રી) છે.
એમણે ઘણુંખરું શિક્ષણ વડોદરામાં જ લીધું હતું. સન ૧૯૧૫માં મેટ્રિક થયા પછી તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયા હતા, અને સન ૧૯૧૯માં બી. એ., ની પરીક્ષા નર્સ સહિત સાહિત્ય અંછિક વિષય લઈને પાસ કરી હતી.
એમને પ્રિય વિષય પત્રકારિત્વ છે, એટલે કોલેજ છોડ્યા પછી એમણે જૂદા જૂદા દૈનિકે, સાપ્તાહિક અને માસિકોમાં લેખ લખવા માંડેલા; અને તેની સંખ્યા આજસુધીમાં બહુ મોટી થવા જાય છે.
તેઓ “રમાપતિ' “મનોરમ” વિ૦ ની સંજ્ઞાથી લેબ લખે છે. હમણાં તેઓ બમાં પ્રાંતિક મહાસભા સમિતિના મંત્રી છે અને રંગુનમાંથી બ્રહ્મદેશ' નામનું અઠવાડિક ચલાવે છે. તે અગાઉ તેમણે “બર્મા વર્તમાન', અને દૈનિક “હિન્દુસ્તાનમાં ઉપતંત્રી તરીકે–તથા “રંગુન મેલ'ના તંત્રી તરીકે કામ કરેલું. ડાંગેના ગાંધી અને લેનિન નામક એક ઉતમ ગ્રંથો અનુવાદ એમણે કર્યો છે; જે “હિંદુસ્તાનમાં ૧૯૨૧માં ક્રમિક પ્રકટ થયો હતો. પણ દુર્ભાગ્યે જ્યાં ત્યાં એમની ફેરફારી થતી રહેતી હોવાથી ગ્રંથરુપે છાપી શકાયો નથી. તે એક સ્વતંત્ર ગ્રંથ તરીકે છપાવવાની જરૂર છે; કારણકે તેમાં દુનિયાના બે મહાન ક્રાન્તિકારી વીર પુરુષો વિષે અત્યંત મનનીય વિચારો ચર્ચલા છે.
એક પત્રકાર તરીકે એમની લેખિનીનો પ્રવાહ સતત ચાલુ રહે છે. લગભગ વીશેક વાર્તાઓ, એક બે નાટકો અને તે ઉપરાંત બ્રહ્મદેશ અને બરમીઝ પ્રજા, એમનું જીવન અને સમાજરચના; એમના તહેવારો અને એમનું લોકસાહિત્ય વગેરે વિષયો પર ખાસ લેખ લખીને જાણવાયોગ્ય અને ઉપયોગી માહિતી એમના અઠવાડિક બ્રહ્મદેશમાં આપેલી છે.
અત્યારે બ્રહ્મદેશ”, બર્મામાં વસતી ગુજરાતી પ્રજાની કિમતી સેવા કર્યો જાય છેએટલું જ નહિ પણ તેમની ઓફીસ ગુજરાતી વિચાર, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રચારનું તે એક કેન્દ્ર થઈ પડી છે; અને બહદુ ગુજરાત માટેના મનોરથે ત્યાં રંગુનમાં સિદ્ધ થતાં પ્રત્યક્ષ થાય છે, તેમાં શ્રીયુત રમેશભાઈને હિસ્સો છેડો નથી.
૧૬૨
Page #231
--------------------------------------------------------------------------
________________
રવિશંકર ગણેશજી અંજારીઆ રવિશંકર ગણેશજી અંજારીઆ
એ જ્ઞાતિએ વડનગરા ગૃહસ્થ છે. મૂળ વતની રાજકોટના અને જન્મ પણ ત્યાં જ સંવત ૧૯૧૯ના વૈશાખ સુદ ૧૪ના રોજ થયો હતો. એમના પિતાનું પૂરું નામ ગણેશજી માંડણજી અંજારીઆ અને માતુશ્રીનું નામ નિર્ભયકુંવર, તે ધ્રોળના કુંવરજી અંદરજી ધોળકીઆની પુત્રી હતાં. પિતાજી સને ૧૮૮૮ના અકબર માસમાં રાજકોટમાં ગુજરી ગયા તે વખતે તેમની સારવાર માટે રવિશંકર રાજકોટ આવ્યા અને જેકે છેવટની એલ. એમ. એન્ડ એસની પરીક્ષામાં બેઠા પણ એક મીડવીફરીના વિષયમાં ઘેડા માર્ક માટે નાપાસ થયા. બીજા બધા વિષયોમાં તે પહેલા કલાસ જેટલા માર્ક હતા એટલું જ નહિ પણ જે પરીક્ષા પસાર કરી હોત તો જ્યુરીસ્યુડન્સને ગોલ્ડ મેડલ મેળવવા માત્ર એક માર્કની ત્રુટી હતી.
ગુજરાતી સાત ધોરણ પુરાં કર્યા બાદ અંગ્રેજીમાં મેટ્રીકની પરીક્ષા સન ૧૮ ૮૧માં ઊંચે નંબરે પસાર કરી. મેડીકલ કોલેજમાં જવા જ સંકલ્પ હતો. પણ પૈસાની તંગ સ્થિતિને લીધે કોલેજનું ખરચ ઉપડે તેવું ન હોવાથી બે વર્ષ નોકરી કરવી પડી. પ્રથમ રાજકેટ-કાઠિયાવાડ હાઇસ્કુલમાંજ નોકરી કરી. ત્યારબાદ ત્યાંનાજ પાંચમા ધોરણના ટીચર માણેકલાલ સાકરલાલ દેસાઈ કછ–હાઈસ્કુલ-ભૂજની હેડમાસ્તર નીમાતા તેની સાથે ભૂજ હાઈસ્કુલમાં નોકર રહ્યા. ત્યાં દશ મહીના નોકરી કરી. દરમિયાન મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા પૈસાની “લોન’ની વગર વ્યાજૂ સગવડ થતાં ૧૮૮૩ના નવેંબરમાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં મુંબઈમાં દાખલ થએલ. ઉપર નબર હોવાથી પાંચ વર્ષ માટે કોલેજમાંથી ગર્વમેન્ટ એક્ઝીબીશન માસિક રૂપીઆ દશનું મળ્યું ને છેવટની પરીક્ષા સુધીમાં ઉત્તરોત્તર બીજી પરીક્ષા પસાર કરી. છેવટની એલ. એમ. એન્ડ એસની પરીક્ષામાં ઉપર મુજબ નાપાસ થયા.
કુટુમ્બનાં ગુજરાનની ફિકર, નાના ભાઈઓની કેળવણીની ફીકર અને પૈસા વગર વ્યાજુ જેના લીધે તેને પાછા આપવાની તાલાવેલીમાં રાજકોટ નોકરી લેવી પડી. ત્યાંથી બે વરસ નાંદોદ નોકરી લેવી પડી. આ બન્ને નોકરી દાક્તરી લાઇનની નહોતી તેથી વધારે પગાર મળ છતાં દાક્તરી જ્ઞાન કટાય એ બીકે કોટડા સાંગાણીમાં નાના (પાંસઠ ૬૫ રૂ.) પગારથી ત્યાંના મેડીકલ ઓફીસરની જગ્યા લીધી. ત્યાં છ વર્ષ નોકરી કરી અને કેટડાના કા. સા. તથા વડીઆ દર
૧૬૩
Page #232
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
બાર સાહેબને હિંદુસ્તાનની મુસાફરીએ જવાનું થતાં સાથે મેડીકલ ઓફીસર તરીકે રવિશંકરને જવું પડયું તેથી એ મોટો લાભ થયો.
૧૮૯૮ના જુલાઈ માસથી મે. પિલીટીકલ એજન્ટ કર્નલ હંટરના પ્રયાસથી અંગ્રેજી બધી દવા કાઠીઆવાડમાં બનાવી શકાય એવા હેતુથી સ્ટેટને સમજાવી રાજકોટમાં લક્ષ્મણ કેમીકલ લેબોરેટરી અને ફાર્મસી સ્કુલ કહાડી, તેમાં અંગ્રેજ અમલદાર દાક્તર એચ. બી ની ડીરેક્ટર તરીકે અને રવિશંકરની આસિસ્ટન્ટ ડીરેક્ટર તરીકે નીમણુંક થઈ.
લેબોરેટરીમાં એક ફરજ રવિશંકરની એ હતી કે આયુર્વેદિક ગ્રન્થને તરજૂમો અંગ્રેજીમાં કરે. એક સારા વિદ્વાન દેશી વૈદ અને સંસ્કૃતના અભ્યાસી પ્રાણશંકર પ્રેમશંકર પટ્ટણીની સંસ્કૃત પુસ્તકનો ગુજરાતીમાં તરજૂ કરવાની નીમનાક થઈ હતી. રવિશંકરે તે ગુજરાતી તરજૂમાનું અંગ્રેજી કરવાનું હતું. આથી રવિશંકરને આયુર્વેદના જ્ઞાનને અલભ્ય લાભ મળ્યા, જે આખી જીંદગી દાક્તરી ધંધામાં ઉપયોગી નીવડ્યો.
રાજ્યની ખટપટને લીધે કર્નલ હંટર રીટાયર થયા પછી તુરત રાજકેટ કેમીકલ લેબોરેટરી બંધ પડી. ત્યારબાદ ૧૯૦૩ થી રવિશંકરને માંગરોળના મરહૂમ શેખસાહેબ દૂસેનમીયાએ માંગળ ચીફ મેડીકલ ઓફીસર તરીકે નીમી એમને માંગરોળ લાવ્યા.
માંગરોળમાં ૧૯૧૭ના એપ્રિલ સુધી નોકરી કરી. ઉમ્મર થવાથી વાનપ્રસ્થાવસ્થા માંગરોળમાંજ ગાળવા નિશ્ચય કર્યો અને ત્યાંજ બનતી લોકસેવા કરી પિતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.
એમના નિત્યજીવનની હકીકત “વગર દોકડાને વૈદ્ય” એ પુસ્તકમાં એમણે આપેલી છે; અને તેના વાચનથી જોઈ શકાય છે કે એમનું જીવન કેવું સેવાભાવી અને કર્તવ્યનિષ્ઠ છે તેમજ નિયમ અને વ્યવસ્થાના પાલનથી અને નિયમિત વ્યાયામથી શરીર તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્યવાળું થઈ શકે છે. વિશેષમાં નિવૃત્તિકાળમાં એક મનુષ્ય કેવી રીતે સમાજને ઉપયોગી અને ઉપકારક થઈ પડે, એનું પ્રત્યક્ષ પ્રમાણ એમનું જીવન પૂરું પાડે છે. તે જીવન ખરે અનુકરણીય છે. એવી સેવાભાવનાની વૃત્તિથી પ્રેરાઈને અને સાહિત્ય પ્રતિના પ્રેમથી આકર્ષાઈ, ગુજરાતી જનતાને વૈદક અને આરોગ્યને લગતું જ્ઞાન આપવાને તેઓ શરૂઆતથી પ્રયત્ન કરતા આવ્યા છે. રોગ મટાડવા કરતાં રોગ થતો અટકે અને કુદરતી નિયમને
૧૬૪
Page #233
--------------------------------------------------------------------------
________________
રવિશંકર ગણેશજી અંજારીઆ
અનુસરતા મંદવાડ કેમ ન આવે તેવી જાતને જ તેમને પ્રયત્ન છે. આજસુધીમાં એમણે સાતેક પુસ્તકો જાતે છપાવી પ્રકટ કર્યો છે અને તે માર્ગદર્શક ઉપયોગી ગ્રંથ છે, એમ તે વાચનાર કોઇપણ કહી શકશે.
. એમના ગ્રંથની યાદી: ૧ વહુને શિખામણ [ત્રણ આવૃત્તિઓ
સન ૧૮૯૧ ૨ મરકીની ટુંકી હકીકત
સન ૧૯૦૬ ૩ દીર્ધાયુ શી રીતે થવાય (બોર્ડ ઉપર ઘરમાં લટકાવી શકાય તેવું) સન ૧૯૧૪ ૪ નાગરના રિવાજે તથા તેમાં થવા જોઇતા ફેરફાર સન ૧૯૦૦ ૫ સુખમય જીંદગી
સન ૧૯૧૮ ૬ વગર દોકડાનો વૈદ્ય
સન ૧૯૨૮ ૭ વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તી
સન ૧૯૩૦
૧૬૫
Page #234
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રાજેન્દ્ર સામનારાયણ દલાલ
એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમને જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૯૮૩ ના રાજ થયા હતા. માતપિતા બંને સંસ્કારી અને ગભશ્રીમંત. પિતાનું નામ સામનારાયણ અને માતાનું નામ વિયાગૌરી હતું. એમના પિતાએ એલ્ફીન્સ્ટન કાલેજમાં પ્રિવિયસ સુધી અભ્યાસ કરેલે; તે પછી જુનાગઢ રાજ્યમાં નવાબના ખાનગી શિક્ષક તરીકે જોડાયલા; પણ નિખાલસ અને સ્વતંત્ર સ્વભાવના હાઇને, રાજ્યનું ખટપટી જીવન ફચ્યું નહિ; અને ત્યાંથી છૂટા થઈ મુંબાઈમાં આવી શેરના ધંધામાં પ્રવેશ કર્યાં. અહિં એમની વ્યવહારકુશળતા અને પ્રમાણિકપણાની સારી આંટ બંધાઈ અને એક આગેવાન શેરદલાલ તરીકે તેમની ગણના થવા લાગી. શેર ધધામાં પ્રવૃત્ત રહેવા છતાં એમનું સંસ્કારી જીવન એમને સંગીત અને સાહિત્ય તરફ હમેશ પ્રેરતું. પાછળથી એ ધંધામાં ખેાટ જતાં, એએ નબળી સ્થિતિમાં આવી પડયા. રાજેન્દ્રરાવ છ વર્ષના હતા ત્યારે તે દેવલેાક પામ્યા હતા. આવી વિપદ્ સ્થિતિમાં બે પુત્રા અને એક પુત્રીને ઉછેરી યેાગ્ય શિક્ષણ આપવાના અને તેમના પાલણપોષણની વ્યવસ્થા કરવાના ભાર વિયાગૌરી પર આવી પડયા, જે કત્તવ્ય તેમણે આપ હુંશિયારી અને ખબરદારીથી સારી રીતે પરિપૂર્ણ કર્યું. પાતાને ભરતગુથ
ને ભારે શાખ અને કઈંક ઈંગ્રેજીના અભ્યાસ પણ કરેલે. તેમના એ– ઉન્નત સંસ્કારા એમના પુત્રામાં પણ ઉતરેલા માલુમ પડે છે. તે પોતાના પુત્ર રાજેન્દ્રને પ્રસંગ પડે કહેતા કે જ્યાં સુધી તું ગ્રેજ્યુએટ નહિ થાય ત્યાં સુધી હું તને પરણાવવાની નથી.
એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણુ બધું સુરતમાં લીધેલું અને સન ૧૮૯૮ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. પછી વડાદરા કાલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨ માં ખી. એ. ની પઢી બીજા વર્ગોમાં બાયલાજીને વિષય લઇને મેળવી હતી. તે વખતે કૅાલેજના પ્રિન્સિપાલ અરવિંદ ધેાષ હતા અને એમના ઉત્તમ શિક્ષણની અસર અન્ય વિદ્યાર્થીઓની પેઠે રાજેન્દ્રપર પણ ઉંડી થયલી; અને તે સમયથી ‘Pride and Prejudice'-પ્રાઇડ અને પ્રેજ્યુડીશ–નું નવલકથાનું પુસ્તક શિક્ષતાં, ગુજરાતીમાં એવી એક નવલકથા લખવાના સંકલ્પ કરેલા, જે “ વિપિન ” માં પરિણમ્યા છે.
ખી. એ. થયા પછી તેએ સરકારી નોકરીમાં મુંબાઈ સેક્રેટરીએટમાં દાખલ થયેલા; પણ છ એક માસ થયા નહિ હાય એટલામાં એમના માતાએ એમને યાત્રાએ લઇ જવાનું કહ્યું. નેકરીના અંગેના લાભાના વધુ વિચાર
૧૬૬
Page #235
--------------------------------------------------------------------------
________________
રાજેન્દ્ર એમનારાયણ દલાલ
-હિ કરતાં તરત છૂટા થઈ, તેમણે માતાની ઈચ્છા પૂર્ણ કરી તેમને સંતળ્યા. તે જનનીએ અનેક સુખ:ખ વેઠીને એમને ઉછેરી મેટા કર્યા એમની - છાને તેઓ કેમ અવગણી શકે ?
તે પછી સ્વ. રા. બા. કમળાશંકર ત્રિવેદીની ભલામણ પરથી એમની 'કેળવણી ખાતામાં શિક્ષક તરીકે નિમણુંક થયેલી અને એક સાચા અને તેમભાવી શિક્ષક તરીકે કીર્તિ અને શિષ્યવર્ગને સારો ચાન્ડ સંપાદન કરેલો; પરંતુ એમના સ્વાતંત્ર્યપ્રિય અને ખરાબ સ્વભાવને સરકારી ખાતાનું વાતાવરણ માફક આવ્યું નહિ. તેથી તેઓ રાજીનામું આપી, સ્પીસી બેન્કમાં
ડાયા; અને ત્યાં પણ આગળ વધવા માટે સંકડામ | નડતાં, તેમણે પીકરીના બંધનો તોડી નાંખી, મુંબઈ શેરબજારમાં ઝંપલાવ્યું. એમના માએ એમને શરૂઆતમાં કેટલીક સગવડ કરી આપી. અત્યારે શેરબજારમાં જે માન મરતબો અને ઉપ-પ્રમુખને ઉચ્ચ હોદ્દે તેઓ ભોગવે છે તેમાં એમની હુંશિયારી અને કાબિલયત સાથે, એમના સરલ અને નિરાભિમાની સ્વભાવ અને સહૃદયતાને હિસ્સે થડ નથી.
એમના મહાટા ભાઈ વામનરાવે પણ ટુંક અંદગીમાં હિન્દુસ્તાનના ઈતિહાસ વિશે બે સ્વતંત્ર પુસ્તકે રચીને સારી નામના મેળવી છે અને એમના બહેન સુકીર્તિબહેન, જેઓ સરદાર જનાર્દન સાથે પરણ્યા હતા, તેમણે પણ, વારસામાં જે સંસ્કાર પ્રાપ્ત થયેલા, તે ખીલવીને દિપાવ્યા છે; પણ એ વિષે અહિં પ્રસંગ ન હોવાથી વિશેષ લખ્યું નથી.
રાજેન્દ્રરાવ એક શેરદલાલ તરીકે કામ કરે છે; તોપણ એમના સાહિત્યસંસ્કાર, નાણાંની ઉથલપાથલોમાં મચ્યા રહેવા છતાં, કેઈપણ રીતે ઝાંખા પડયા નથી. એમના લેખો, ભાષણ વગેરે પ્રસંગોપાત કઈ મિટિંગના સંચાલક તરીકે કે કોઈના પ્રમુખ તરીકે કરવામાં આવે છે, તેમાં એમનું વાચન અને નિરીક્ષણ, એમના વિચાર અને અભિપ્રાય કેટલા બધા અનુભવી અને પકવે છે, તે માલુમ પડી આવે છે.
સન ૧૯૧૦માં એમણે “વિપિન” નામની નવલકથાનું પુસ્તક લખ્યું હતું, તેની ચાર આવૃત્તિઓ થયેલી છે અને એક વર્ષ તે મેટ્રીક્યુલેશનની પરીક્ષા માટે પાઠયપુસ્તક તરીકે પસંદ થયું હતું. એમનું બીજું નવલકથાનું પુસ્તક “મોગલસંધ્યા’ પણ એવું આકર્ષક બન્યું છે.
એમના પુસ્તકની યાદી: વિપિન (ચાર આવૃત્તિ.)
સન ૧૯૧૮ મંગલસંધ્યા
સન ૧૯૨૦ ૧૬૭
Page #236
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રામલાલ ચુનીલાલ મેાદી
એએ પાટણના વતની અને જ્ઞાતિએ દશા વાયડા વિણક કામના છે. એમને જન્મ સંવત ૧૯૪૬ના શ્રાવણ સુદ ૭ ના દિન થયા હતા. એમના પિતાનું નામ ચુનીલાલ નરભેરામ અને માતાનું નામ ખાઇ જડાવ-તે ઇશ્વરદાસ રતનજીની પુત્રી છે. તેમના મામા પેાતાની પરમ વૈષ્ણવતા માટે ગુજરાતમાં જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ હતા. એમના ધાર્મિક વિચાર ઉપર તેમની ઊંડી અસર થઇ છે.
એમણે બધું શિક્ષણ પાટણમાં લીધું છે. તેમણે સન ૧૯૦૮માં પાટણ હાઇસ્કુલમાંથી મેટ્રિક્યુલેશન અને સ્કુલફાઇનલની પરીક્ષા પાસ કરી હતી. તે પછી તે વડેદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા હતા અને હાલમાં પાટણ હાઇસ્કુલમાં શિક્ષક છે. ઘેાડાં વર્ષ તેએ ઉંઝા અને ચાણુસ્માની મીડલ સ્કૂલમાં હેડમાસ્તર પણ હતા.
એમના પ્રિય વિષયે પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસનું સાધન છે અને એ ક્ષેત્રમાં કેટલુંક મહત્વનું તેમ ઉપયેાગી કાય કરવા તેએ શક્તિમાન થયા છે. એમનેા પ્રથમ લેખ “ ગુજરાતી શબ્દકોષ'' એ નામના સન ૧૯૦૯ ના મે અંકમાં “બુદ્ધિપ્રકાશ’'માં પ્રકટ થયા હતા. તે પછી એમના પ્રકણ લેખે, સાહિત્ય અને ઇતિહાસ વિષયક, જૂદા જૂદા માસિકા અને ગુજરાતી અઠવાડિકમાં પ્રકટ થયેલા છે; અને તેમાં ક છને કંઈ વિચારવાયેાગ્ય મુદ્દાઓ મળી આવશે.
પાટણના વતની હોઈ તે સ્થાનિક ગ્રંથકારા અને કવિએ માટે વિશેષ મમત્વ ધરાવે એ સ્વાભાવિક છે. અને એમના વિષે એમનું જ્ઞાન અને માહિતી પણ મહેાળી છે, તેની પ્રતીતિ એમણે પાંચમી વડાદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ, જે હમણાં પાટણમાં મળી હતી તે માટે તૈયાર કરેલા લેખ પરથી થશે. તેઓ ભાલણનાં કાવ્યેાના ખાસ અભ્યાસી છે. એમણે લખેલું ભાલણચરિત્ર પ્રાચીન કવિએના ચરિત્રગ્રંથામાં, પ્રમાણભૂત ગણાઇ, ઉંચુ સ્થાન લે છે. વળી ભાલકૃત ‘એ નળાખ્યાન 'નું સંશોધન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એમને રૂ. ૧૦૦)નું પારિતાષિક મળ્યું હતું. ગુ. વ. સાસાઇટી તરફથી ‘જાલંધર આખ્યાન, ભાલણ, વિષ્ણુદાસ અને શિવદાસ એ કવિઓએ લખેલું, એડિટ કરવાનું કાર્ય, એમને સોંપાયું હતું, જે લગભગ પુરૂં થવા આવ્યું છે.
૧૬૮
"
Page #237
--------------------------------------------------------------------------
________________
રામલાલ ચુનીલાલ મોદી
પ્રાચીન ઇતિહાસના વિષયમાં પણ એમને અભ્યાસ પ્રશંસનીય છે. ચાવડા વિષે સાતમી સાહિત્ય પરિષદ માટે લખેલેા નિર્બંધ, તેમ • ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ' એ એમના વિવેચન પદ્ધતિના સરસ નમુનાઓ છે. આ કૈાટિના બીજા લેખામાં અમરચન્દ્રસૂરિ તથા કાન્હડદે પ્રબંધ, કાદંબરી, સાચ્' સ્વપ્ન એનાં વિસ્તૃત અવલાકના પણ ગણી શકાય. તેમણે પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકારનું ચરિત્ર વીસમી સદી માં ૧૯૧૮ માં લખ્યું હતું અને તેનું મરાઠી ભાષાંતર થયું હતું.
એમના પુસ્તકોની યાદીઃ
પાટણ સિદ્ધપુરને પ્રવાસ
ભાલણ
એ નળાખ્યાન (ભાલણ)
૧૬૯
સન ૧૯૧૯
૧૯૧૯
૧૯૨૪
.
""
Page #238
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
રામનારાયણ વિશ્વનાથ પાઠક
એ જાતે પ્રશ્નોરા નાગર છે; એમના પિતા વિશ્વનાથ સદારામ પાઠક શિક્ષક, અને નિવૃત્તિ પહેલાંનાં ચેડાં વરસે રિબંદર ટેટના ડેપ્યુટી એજ્યુ. ઈન્સ્પેકટર હતા. એમણે પંચદશી, નચિકેતા કુસુમગુચ્છ, ભગવદુગીતા-(શંકરાચાર્યને ભાગ અને બીજી ટીકા સહિત) મહિસ્રસ્તાત્ર વગેરે ધર્મગ્રંથના ગુજરાતીમાં અનુવાદ કરેલા છે, જે સુવાચ્ય અને પ્રાસાદિક થયેલા છે. એમનાં માતાનું નામ આદિતબાઈ કરસનજી મહેતા હતું. એમને જન્મ તા. ૮મી એપ્રિલ ૧૮૮૭ માં એમના મોસાળમાં ધોળકા તાલુકાના ગાણેલ ગામે થયો હતો. એમનું મૂળ વતન ભોળાદ (તા. ધોળકા) છે. એમણે સન ૧૯૦૮ માં બી એ, ની પરીક્ષા પહેલા વર્ગમાં ઐચ્છિક વિષય લૈંક અને મૉરલ ફિલસુફી લઈને પાસ કરી. તે પછી એક વરસ વિલસન કૉલેજમાં દક્ષિણ ફેલો તરીકે તેમણે સંસ્કૃતના અધ્યાપનનું કામ કર્યું. એલ એલ. બી. થયા પછી પ્રથમ અમદાવાદમાં તેમણે વકીલાત શરૂ કરી; પણ માંદા પડવાથી અને ગામડામાં જઈ રહેવાની પૅટરે ભલામણ કરવાથી તેઓ સાદરા, મહીકાંઠા એજન્સીમાં રહ્યા અને ત્યાં સાત વર્ષ વકીલાત કરી. પછી એઓ અહિં–અમદાવાદમાં આવી, ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક તરીકે દાખલ થઇ, ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં આચાર્ય તરીકે જોડાયેલા; અને તેને છએક માસ થયા નહિ હોય એટલામાં મહાત્મા ગાંધીજીએ વકીલ, વિદ્યાર્થીઓ વગેરેને સરકાર સાથે અસહકાર કરવા માગણું કરી, ત્યારે તેમણે એ શાળા, જે ગ્રાન્ટ લેતી હતી તેને છોડી દીધી; અને ગુજરાત વિદ્યાપીઠમાં જઈ ભળ્યા.
શરૂઆતથી જ એમની મહેચ્છા ધંધામાંથી નિવૃત્ત થઈ સાહિત્ય અને સમાજસેવા કરવાની હતી અને એ ભાવનામાં એમનાં પત્ની પણ એમનાં સહચારી હતાં. પણ એ અમલમાં મૂકવાનો પ્રસંગ આવ્યો તે પહેલાં એઓ મૃત્યુ પામ્યાં.
સાહિત્ય અને ફિલસુફી એમના પ્રિય વિષય છે. લેખનકાર્ય એમણે બહુ મોટું આરંભેલું. એમને પ્રથમ લેખ સંવત ૧૯૭૮માં “સાબરમતી'
આ કઠોપનિષદનું એક આખ્યાયિકા રૂપે નિરૂપણ છે. તેમાં મૂળ પાઠનો અનુવાદ અક્ષરશ: તરી આવે એવી રીતે આપે છે,
૧૫૭૦
Page #239
--------------------------------------------------------------------------
________________
રામનારાયણ વિશ્વનાથ પાઠક
માસિકમાં “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆનાં કાવ્યો” વિષે લખાય હતું. તે પછી એમની સાહિત્ય પ્રવૃત્તિ બહુ ફૂલીફાલી છે. ગુજરાત વિદ્યા - પીઠમાં હતા તે દરમિયાન (સં. ૧૯૭૮માં) એમણે “પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા એ નામનો એક સ્વતંત્ર ગ્રંથ તર્કશાસ્ત્ર પર લખ્યો હતે; અને “કાવ્ય સમુચ્ચય’ નામનું આધુનિક કવિઓની કૃતિઓમાંથી સારાં કાવ્યો ચૂંટી કાઢેલું પુસ્તક, બે ભાગમાં સં. ૧૯૮૦ માં બહાર પાડયું હતું. તેમાં આધુનિક કાવ્યસાહિત્ય વિષેનો ઊપઘાત મૌલિક છે અને એ કાવ્યોની પસંદગીમાં અને પરીક્ષામાં જે ઉંચું ધોરણ, રસ અને કવિત્વનું દાખવ્યું હતું, તેના કારણે એ સંગ્રહની ખૂબ પ્રશંસા થયેલી છે; અને પા૨ેવની ગોલ્ડન ટેકરીની પેઠે તેણે ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કર્યું છે.
યુગધર્મ' માસિક ઉભું કરવામાં અને તેને ચાલુ રાખવામાં તેઓ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકના સહકારી હતા. તે બંધ પડ્યા પછી, એવા એક સારા માસિકની ઉણપ રહ્યા કરતી હતી, તે “પ્રસ્થાને’ પુરી પાડી છે અને અત્યારે ગુજરાતી માસિકમાં તે પ્રથમ સ્થાને છે, એમ કહેવામાં અતિશક્તિ થતી નથી. તેમાંય એમની નેધ સ્વૈરવિહારીની સંજ્ઞાથી લખાતી સારું ધ્યાન ખેંચે છે. વળી એમની વાર્તાઓ અને મનન પણ એટલાજ આકર્ષક નિવડ્યાં છે. એ સેવાકાર્ય એમણે ગુજરાત વિદ્યાપીઠના ચાલુ કાર્યનો ભાર માથે હતો ત્યારે હાથ ધરેલું અને અત્યારે બધો સમય એની પાછળ ગાળે છે.
ગુજરાત વિદ્યાપીઠ અથવા તો મહાત્માજીએ જે અનેક કિમતી રત્ન ગુજરાતને આપ્યાં છે, તેમાં શ્રીયુત પાઠકની ગણના થયેલી છે; અને એમણે એમની વિદ્વત્તા અને જ્ઞાનથી, ચારિત્ર અને વર્તનથી એકલા વિદ્યાર્થસમૂહનજ નહિ પણ એમના પરિચયમાં આવનારને તેમજ “પ્રસ્થાન દ્વારા એના વાચકવર્ગ સૌને ચાહ મેળવ્યો છે, અને તેની ખાત્રી, નડિયાદમાં નવમી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષ તરીકે એમની ચૂંટણી થઈ હતી, તે પરથી થશે. તે પ્રસંગે આપેલું એમનું “કાવ્યશક્તિ” વિષેનું વ્યાખ્યાન મનનીય વિચારે રજુ કરે છે.
એમનાં પિતાનાં તેમજ બીજાની સહાયતા લઈને લખેલાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે:
૧૭૧
Page #240
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧ પ્રમાણુશાસ્ત્ર પ્રવેશિકા ૨ કાવ્ય સમુચ્ચય ભા. ૧ અને ૨ ૩ ગેવિંદ ગમનનું સંપાદન ૪ કાવ્યપ્રકાશ (ઉલાસ ૧થી૬) ૫ ધમ્મપદ ૬ દ્વિરેફની વાતે ૭ કાવ્યપરિચય ભા. ૧-૨
સંવત ૧૯૭૮
૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૦
૧૯૮૧ ઇ ૧૯૮૫
છે. ૧૯૮૫
૧૭૨
Page #241
--------------------------------------------------------------------------
________________
રામમોહનરાવ ઉર્ફે બિન્દુભાઈ જસવંતરાય દેસાઈ
રામમેહનરાવ (ઉર્ફ બિન્દુભાઈ) જસવંતરાય દેસાઈ
એઓ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના (ગૃહસ્થ વિભાગના) છે; અને એમને જન્મ તા. ૨૫ મી સપ્ટેમ્બર ૧૮૭૩માં અમદાવાદમાં થયો હતું. તેઓ પંચમહાલમાં હાલોલના જમીનદાર છે પણ સામાન્ય રીતે અમદાવાદમાં વસે છે. એમનાં માતુશ્રીનું નામ જામબા બહેન છે. એમણે કોલેજની ઉંચી કેળવણી લીધેલી નથી પણ ખાનગી અભ્યાસથી પિતાનું વાચન ખૂબ વધારેલું છે; અને કેટલોક સમય હાઈકોર્ટ લીડરની પરીક્ષા માટે કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો. સન ૧૯૦૪માં તેઓ ન્યાય-જ્યુડિશિયલ ખાતામાં જોડાયેલા પણ ત્યાં ઝાઝો વખત રહેલા નહિ. પરંતુ ઘરના સુખી હોઈ એમનું ઘણું ખરું જીવન સાહિત્યના અભ્યાસ અને લેખનકાર્યમાં પસાર થયેલું છે. સન ૧૯૦૯ થી ૧૯૧૧ સુધી ગુજરાતી પંચ'ના સહતંત્રી તરીકે જવાબદારી સ્વીકારેલી પણ એ પત્ર સાથે તેમને સમ્બન્ધ તે શરૂઆત થી લગભગ છે. લેખ, કાવ્યો વગેરે લખવાનું સન ૧૮૯૧ થી આરંભેલું. એમનું પ્રથમ કાવ્ય “બુદ્ધિપ્રકાશ'માં છપાયું હતું. તે કાળનાં અમદાવાદનાં ઘણાં ખરાં માસિકો તથા પત્રો જેમકે, આર્યાવત્સલ (૧૮૯૪–૯૫)-(માસિક, પાછળથી પાક્ષિક) વિદ્યુત નાગર ઉદય (૧૮૯૫–૯૭, વ્યાપાર અને ઉદ્યોગ (પાક્ષિક), વાર્તા વારિધિ (માસિક) (૧૮૯૭–૧૯૦૦), રાજપત્રિકા (સાપ્તાહિક) (૧૯૦૧–૦૨), વિનોદિની (માસિક) (૧૯૦૩), વગેરે સાથે એમને તત્રી સંબંધ હતો અને તેમાં ઘણીવાર લેખે, કાવ્ય, નવલકથાઓ, વાર્તા, વગેરે લખી મોકલતા; પણ “સુંદરી સુબોધ'ના તંત્રી તરીકે તેઓ વધુ જાણીતા થયેલા છે. આ પ્રમાણે પત્રકારિત્વ સાથે એમને સંબંધ બહુ ગાઢ અને જાને છે; અને ઉપર જણાવેલાંમાંથી કેટલાંક પત્ર એવાં માલુમ પડી આવશે કે જેનાં નામ સુદ્ધાંત (જે તેમના પ્રકાશન સમયમાં પ્રસિદ્ધ હતાં તે આજ ) ઘણાંની જાણમાંયે નહિ હોય
સન ૧૮૯૨માં એમણે બીજા મિત્રો સાથે અમદાવાદમાં બંધુસમાજ નામનું મંડળ કાઢેલું (જે હાલની અનેક બધુ સમાજમાં આદિ સંસ્થા છે અને ) જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કાયમ યાદગાર રહેશે; કેમકે તેમાંના સભ્યો જેવા કે, ભેગીન્દ્રરાવ દિવેટિયા, શિવુભાઈ દુકળ, ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, તથા રામમોહનરાય વગેરેએ ગુજરાતી સાહિત્યમાં રસ લઈ તેમજ તેને અભ્યાસ કરી, અને લેખો, નવલકથાઓ, વાર્તા, કાવ્યો
૧૭૩
Page #242
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નિબન્ધો, ઇત્યાદિ લખીને, તેની વૃદ્ધિ અને ખીલવણી માટે પ્રયાસ કરી, સારા ફાળા આપેલા છે; અને ખાસ કરીને સુંદરી સુમેાધ' નામનું સ્ત્રી, ઉપયાગી માસિક કાઢીને લગભગ ૨૦ વર્ષ સુધી સતત ગુજરાતી સ્ત્રીસમાજની અને સાહિત્યની સુંદર સેવા કરેલી છે તે કદી વિસરાશે નહિ. તેને યશ જો કાઇ એક વ્યક્તિને આપી શકાય તે તેનું માન રામમેાહનરાયને ઘટે છે. ‘સુંદરી સુખાધ' એટલે રામમેાહનરાય અથવા બિન્દુભાઇ એટલા બધા તેએ એની સાથે આતપ્રેત થયલાં છે.
એએ એક કુશળ નવલ કથાકાર હોવા ઉપરાંત એક સારા કવિ છે અને એમના કેટલાંક કાવ્યેા-રાસા તે સ્ત્રીએ।માં બહુ પ્રમથી વંચાય અને ગવાય છે. કવિતાની પેઠે ઇતિહાસ પણ એમના પ્રિય વિષય છે; અને તે વિષયનું એમનુ` વાચન વિશાળ છે.
એમના લેખાની સંખ્યા માટી છે; પણ એમનાં પ્રકાશનામાં યોગિની' અને ‘બાલા’ હમેશ વંચાશે તથા ‘તરંગાવલિ', એમનું કાવ્યનું પુસ્તક કાવ્ય રસિકવગ પાતાની વાચનની છાજલી પર જરૂર રાખશે. એમના લેખા અને ગ્રંથાની યાદીઃ
સતી ગૌરવ-પૂર્વાધ [નવલકથા]
ખંભાતના ખૂની (નવલ કથા ) [પ્રથમ આવૃત્તિ ખાખર (એક લઘુ ઐતિહાસિક નિબંધ) આશરે ત્રણ રત્ના* (ટુંકી નવલિકાએ ) યાગિની (નવલકથા) (પ્રથમ આવૃત્તિ.)
29
22
99
સન ૧૮૯૪
૧૨૯૯
૧૮૯૫
૧૮૯૭
૧૭૪
,,
૧૯૦૪
,,
ખાલા (નવલકથા)
સન ૧૯૧૨
રસિલી વાર્તાએ ભા. ૧ લેા (ટૂંકી વાર્તાએ) (પ્રથમા આવૃત્તિ.) સન ૧૯૦૪ ભા. ૨ જો (,, તરંગાવલિ (કાવ્યા ગીત–રાસ)
,,)
સન ૧૯૨૧
સન ૧૯૧૮
સન ૧૯૨૬
સન ૧૯૨૭
17
..
વીસમી સદીનું આપણું સ્ત્રી જીવન.
મહાકવિ શ્રી ન્હાનાલાલ.
સન ૧૯૦૮
બ્રહ્મર્ષિનું મનેારાજ્ય (ગાવન સ્મારક) (વસન્ત) અમદાવાદના સંક્ષિપ્ત ઇતિહાસ (અમદાવાદના ‘જીવનવિકાસ’’માં.) સન ૧૯૨૧
# છેલ્લી વાર્તા શિવાય.
Page #243
--------------------------------------------------------------------------
________________
રતિલાલ હરિલાલ પંડયા
રંજિતલાલ હરિલાલ પંડયા
જાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ નડિયાદમાં સન ૧૮૯૬ માં આશે વદ ૧૪ ના રોજ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધેલું. તેઓ એલ એલ. બી. ની પરીક્ષા પાસ કર્યા પછી ઇગ્લાંડ જઈને બારિસ્ટર થઈ આવેલા. અત્યારે મુંબાઇની હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરે છે. એમના પ્રિય વિષયો ચિત્રકળા અને તત્ત્વ જ્ઞાન છે. ગુજરાતી કવિતા પણ સારી લખે છે. તેમને સુરત સાહિત્ય પરિષદ તરફથી આધુનિક અને પ્રાચીન કાવ્ય પર નિબંધ લખવા માટે પારિતોષિક મળ્યું હતું. સન ૧૯૧૭ માં સ્વ. દેલતરામ વિષે એમણે બુદ્ધિ પ્રકાશ” માં લેખ લખેલો. સન ૧૯૨૬ માં “રામની કથા” એ નામનું કાવ્ય પ્રસિદ્ધ થયું હતું, જેને સાહિત્યકાર તરફથી સારો સત્કાર થયા હતા.
નવા લેખકેમાં એમનું સ્થાન આગળ પડતું છે. રામની કથા” કાવ્ય
સને ૧૯૨૬
૧૫
Page #244
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વિજયરાય કલ્યાણરાય વૈદ્ય
એએ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે; એમના પિતાનું નામ કલ્યાણરાય શંકરપ્રસાદ વૈદ્ય અને માતાનું નામ શિવચ્છિાલક્ષ્મી છે. એમના જન્મ ભાવનગરમાં સન ૧૮૯૭ માં થયા હતા. પ્રાથમિક શિક્ષણ એમણે ભાવનગર દરખારી નિશાળમાં મેળવ્યું હતું અને માધ્યમિક શિક્ષણ બહુધા ગાકળદાસ તેજપાળ હાઈસ્કુલ મુંબઈમાં લીધું હતુ. તેમણે સન ૧૯૧૪ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, પ્રીવિયસ વિલસન કૉલેજમાંથી અને પછી ભાવનગર કાલેજમાં જોડાયલા અને પાછળથી બી. એ; થતાં સુધી ફરીથી કૅાલેજ અભ્યાસ મુંબાઇમાં કરેલા, જ્યાંથી સન ૧૯૨૦માં તેએ ખી. એ; થયલા. કૈાલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ગુજરાતીમાં લેખા લખવા શરૂ કરેલા. એમના પ્રથમ લેખ વીસમી સદી'માં અને પ્રથમ કાવ્ય સન ૧૯૧૯ માં “વિનાદ કાન્ત” એ સંજ્ઞાથી ગુજરાતી” માં
છપાયા હતા.
કાલેજના અભ્યાસ પૂરો થતાંજ એમણે સાહિત્યક્ષેત્રમાં ઝંપલાવ્યું, જાણે એજ કામાં પેાતાનું સમગ્ર જીવન અણુ કરવાના હાય ! સન ૧૯૨૦ માં સુરતમાંથી નિકળેલા ચેતન” માસિકનું સહતંત્રીપદ સ્વીકાર્યું અને તે ત્રણ વર્ષ (એપ્રિલ ૧૯૨૩) સુધી ચલાવ્યું હતું. તે દરિમયાન તેએ “હિન્દુસ્તાન” અઠવાડિકના તંત્રી થયલા (સન ૧૯૧૧-૨૨) અને સન ૧૯૨૩ થી ૨૪ (માર્ચ આખર લગી) જાણીતા ગુજરાત” માસિકમાં ઉપતંત્રી તરીકે કાર્ય કરેલું. સન ૧૯૨૫ માં થાડા માસ “યુગ ધર્મ” માં ઉપતંત્રી નિમાયલા; પણ એ સ કાથી એમને સંતેાષ થયલા નહિ. જ્યારે સન ૧૯૨૪ માં (આકટોબર ત્રમાસિક “કૌમુદી” કાઢવાને તે શક્તિમાન થયા ત્યારે માલુમ પડયું કે એક ક્રમિક પત્ર માટે એમને આદર્શ કેટલા ઉચ્ચ હતા અને કેવા પ્રકારના માસિક સાહિત્ય માટે એમને જીવ તલસતા હતા. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ “કૌમુદી” (જે ૧૯૩૦ ની શરૂઆતથી માસિક રૂપે નીકળે છે) કેટકેટલી મુશ્કેલીઓમાં અને કેવી કેવી આશાનિરાશામાં નિભાવી રહ્યા છે, એ જેમ એક તેમ એ વિરલ ભાગ, પેાતાના ધ્યેયની પ્રાપ્તિ માટે, એ માટે ખચિત એમના માટે માન પેદા કરે છે.
રામાંચક કથા છે સાહિત્ય સેવાવ્રત
૧૭૬
Page #245
--------------------------------------------------------------------------
________________
વિજયરાય કલ્યાણુરાય વૈદ્ય
એક સમથ વિવેચક તરીકે એમણે પ્રતિષ્ઠા પાડેલી છે અને ગુજરાતી માસિકામાં આજે એમનું પત્ર “કૌમુદી' ઉંચું અને અને ખુ સ્થાન ભોગવે છે, એ પત્રકારત્વ વિષેના એમના ઉચ્ચ આદર્શો અને ભાવનાનું ફળ છે.
એમના ગ્રંથામાં અત્યારે, જૂદા જૂદા માસિકામાં લખેલાં રસકલ્પનાત્મક લખાણેાને સંગ્રહ, જે “પ્રભાતના ર્ગ' નામે સને ૧૯૨૦ માં પ્રકટ થયલેા તેજ છે.
એમનું પુસ્તકઃ
પ્રભાતના રંગ
૨૩
•
૧૭૭
૧૯૨૭
Page #246
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય
એએ જ્ઞાતિએ પ્રશ્નારા નાગર-બ્રાહ્મણ અને પારઅંદરના વતની છે; પણ લાંબી મુદતથી મુંબઈમાં રહે છે. એમનેા જન્મ સંવત ૧૯૧૯ ના ફાલ્ગુન સુદ ૮ તે દિને પોરબંદર ગામે થયા હતા. એમનાં માતાનું નામ સા. રળિઆત અને પિતાનું નામ પ્રભુરામ જીવનરામ વૈદ્ય, જેમણે એક અનુભવી અને કુશળ વૈદ્ય તરીકે સારી પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં હતાં.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી એમણે પારઅંદર અને મુંબાઈમાં અનુક્રમે લીધેલી. સને ૧૮૯૩ માં મેટ્રીકયુલેશનની પરીક્ષા પાસ કરી, સને ૧૮૮૪ માં એક્ષ્પીનસ્ટન કાલેજમાં જેડાયેલા. ખી. એ., ની પરીક્ષા (૧) ન્યાય (Logic) અને નીતિશાસ્ત્ર (Moral Philosophy), તેમજ (૨) અંગ્રેજી અને સંસ્કૃત (શાંકરભાષ્ય સાથે) અચ્છિક વિષય લખતે ત્રીજા વર્ગોમાં પાસ કરી હતી. સને ૧૮૯૪માં સેાલીસીટર થવા મેસસ ભાઈશંકર અને કાંગાની આફ્સિમાં જોડાયલા. પણ પછીથી સને ૧૯૦૧ માં ખારિષ્ટર થવા ઈંગ્લાંડ ગયા. સને ૧૯૦૨ માં એરિએન્ટલ કોંગ્રેસમાં ગયા અને સને ૧૯૦૪ માં ખારિષ્ટર થઇ મુંબઈ હાઇકામાં જોડાયા.
એમણે અન્ય રાકાણેા છતાં સાહિત્ય વાચન અને લેખન કા છેડયું નહતું.એમનું પ્રથમ પુસ્તક ‘સરસ્વતીચન્દ્રનું અવલોકન' સને ૧૮૯૦માં પ્રસિદ્ધ થયું હતું. એમણે એક પુરાતત્વજ્ઞ તરીકે સારી કીતિ મેળવેલી છે. તેએ મુંબાઈની ર્ાયલ એશિયાટિક સાસાયટીના ઘણા વર્ષોંથી સભ્ય છે અને તેના ઉપ-પ્રમુખ તરીકે પણ આજ દશ વર્ષ થયાં કામ કરી રહ્યા છે. એમની વિદ્વતા અને પુરાતત્વ વિષયેની પ્રીતિના કારણે પહેલી એરિયન્ટલ કાંગ્રેસ પૂણામાં સને ૧૯૧૯ માં મળેલી તેના સ્વાગતમડળના અધ્યક્ષનું પદ એમને અપાયું હતું, હમણાંજ સતે ૧૯૨૬ માં લડાઈ પછી ભરાયેલી ૧૭ મી ઈન્ટરનેશનલ એરિયન્ટલ કાંગ્રેસ (જે. આક્ષ –ઈંગ્લાંડ) માં ભરાઇ ત્યાં એએએ જાતે હાજર થઇને ફસાવાયો પનિષદૂ ઉપર નિબંધ વાંચ્યા હતા; જેમાંતે થોડાક ભાગ બહુ પ્રાચીન છે એવું બતાવવા તેમાં પ્રયત્ન કર્યાં હતા. વળી મહાભારતતી સંસ્કારવાળી સંશોધિત આવૃત્તિનું કામ તૈયાર કરાવવામાં હિન્દુસ્થાનના વિદ્રાને સારી રીતે કામ કરી શકે અને તેથી તેમના કામને ઉત્તેજન મળવું જોઇએ, એવું દર્શાવવા એવા ૧૭ મી ઈન્ટરનેશલ એરિએન્ટલ કાંગ્રેસમાં ગયા હતા. અને ત્યાં આગળ તેમના પ્રયાસથી કૉંગ્રેસના હિન્દી વિભાગની મદદથી
૧૭૮
Page #247
--------------------------------------------------------------------------
________________
તિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય
એમના મંતવ્યને અનુકૂળ ત્રણ ઠરાવા પસાર કરાવ્યા હતા. મહાભારતના કામમાં મદદ કરવા યુરપમાં જેટલી મહાભારતની પ્રતા હાય તેનું સંશોધન કરાવી પાઠાન્તરેાની વિગત પૂણાની ભાન્ડારકર એરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટને પહોંચાડવી એવા પણ ઠરાવ કરવામાં આવ્યા હતા.
વળી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે પણ સંસગ રાખી રહ્યા છે; અને તક મળે પરિષદમાં હાજરી આપે છે.
એમના ગ્રંથાની યાદીઃ (૧) સરસ્વતીચન્દ્રનું અવલાકન, પ્રથમ આવૃત્તિ. (ર) વેદાન્ત દર્શન પ્રથમ આવૃત્તિ
[જેમાં નીચે જણાવેલાં પાંચ લેખાને સમાવેશ છે.] ૪. તત્વવિવેક, ૪ ભૂતવિવેક, હ્ર ગૌરીશંકર ઓઝાના જીવન ઉપરવિચાર, રૂ. પા. ૐાયસનના વેદાન્ત વિચાર. ગ. મદ્રાસ્નાય. (૩) લાડ લારેન્સનું જીવનચરિત્ર. ( ગુજરાત વ. સા. ) (૪) અદ્વૈતામૃતઃ (વેદાન્ત ચર્ચાની વાર્તા). (૫) આ ધર્મ પ્રકાશ માસિકમાં આવેલા લેખે, (૧) પ્રમાણુ વિચાર (૨) ભક્તરાજ
સને ૧૮૯૦
૧૯૦૦
૧૭૯
""
સને ૧૮૯૫
૧૯૦૪
19
(૩) ન્યાયશાસ્ત્ર
(૪) આચારનીતિની પતિ.
(૬) ભાસČન ઉપર લેખ (એરિયન્ટલ કેૉંગ્રેસમાં) (૭) ન્યાયસારઃ પ્રથમ આવૃત્તિ
(૮) ફેશવોપનિષત્રમાં આકસફોડ ખાતે
ભરાયેલી ૧૭મી ઈન્ટરનેશનલ આરિયન્ટલ કાંગ્રેસ માટે નિબંધ,,
સ. ૧૯૫૫
સ. ૧૯૬૪
સ. ૧૯૫૮
સ. ૧૮૯૪
સને ૧૯૨૪
૧૯૦૯
19
૧૯૨૯
Page #248
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
એ જાતે ઔદિચ્ય બ્રાહ્મણ, શિહેાર સંપ્રદાય, ગાહિલવાડી વિભા ગના છે. એમના પિતાનું નામ મગનલાલ જયાનંદ ભટ્ટ અને માતાનું નામ ગામતી-હેન કકલભાઇ છે. એમને જન્મ ભાવનગર રાજયમાંના ઉમરાળા ગામમાં તા. ૨૦ મી માર્ચ ૧૮૯૮ ના રાજ થયા હતા. પ્રાથમિઃ ચાર ધારણના અભ્યાસ પોતાના વતન ગામ ઉમરાળામાં કર્યાં હતા; અને માધ્યમિક ઇંગ્રેજી કેળવણી પહેલા ત્રણ ધારણા અમદાવાદ, ચેાથુ ધેારણુ જુનાગઢ, પાંચમાથી સાતમું ધેારણ અમરેલી હાઇસ્કુલમાં અને ત્યાંથી સન ૧૯૧૬ માં તેમણે મેટ્રિકયુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ભાવનગર સામળ" દાસ કાલેજમાં તેઓ દાખલ થયલા અને એજ કૅાલેજમાંથી સન ૧૯૨૦ માં સંસ્કૃત અને ઈંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષયા લઇને ખી. એ. ની પરીક્ષા પાસ કરી હતી. એમ. એ., માટે મુંબાઈ જને છ એક માસ અભ્યાસ કરેલા પણ તે અરસામાં મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળે એમના વિચાર અને ભાવના પર ઉંડી અસર રેલી; અને ત્યારથી એમના જીવનમાં માટું પરિવર્ત્તન થયું હતું. સન ૧૯૨૪ના ફેબ્રુઆરીમાં તેઓ ભરૂચ કેળવણી મંડળમાં આજીવન સભ્ય તરીકે જોડાયા; અને ત્યાં એ* સાચા સેવાભાવી શિક્ષક તરીકે પ્રતિષ્ટા પાડી હતી; પણ પાછળની એ મંડળના શિક્ષણક્રમમાં અહેાળા ફેરફાર કરવામાં આવ્યા ત્યારે એએ તેમાંથી છૂટા થઇ “ કામુદી સેવકગણ”માં સાહિત્યસેવાની વૃત્તિથી જોડાયા. તે પૂર્વે એમણે ભરૂચ કેળવીમંડળ માટે ગદ્ય નવતીત' નામનું આપણા સાહિત્યમાંથી ઉત્તમ ગદ્યના નમુનાનું પુસ્તક સન ૧૯૨૬ માં સંપાદિત કર્યું હતું, જે જોતાં, એમા આપણા સાહિત્યના અભ્યાસ અને અવલેાકન કેટલું વ્યાપક અને ખારીક છે, તે સહજ સ્પષ્ટ થાય છે.
ભરૂચ હતા એ દરમિયાન એમણે વસન્ત''માં ઈંગ્રેજી શબ્દોના પર્યાય આપણા શિષ્ટ લેખકેાએ ગુજરાતીમાં યેાજેલા તેને એક સંગ્રહ કરી, વધુ ચર્ચા અને વિવેચન માટે લખી મેાકલેલે, તેની ઉપયેાગિતા સાએ સ્વીકારેલી. તે પરથી એક પારિભાષિક શબ્દકૈાષ તૈયાર કરી આપવાનું કા ગુ. વ. સાસાઈટી તરફથી એમને સોંપાયું છે અને તે પુસ્તક હાલમાં છપાય છે. કામુદીગણુની આર્થિક સ્થિતિ તંગ થઇ પડતાં, તેએ તેમાંથી છૂટા થયલા અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી જોડણી કાષના કામાં મદ
૧૮૦
Page #249
--------------------------------------------------------------------------
________________
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
કરવા એમની નિમણુંક થયેલી. “આવું કેમ સૂઝયું?” એ નામને ટૅલસ્ટયની વાર્તાને અનુવાદ એ સમયમાં લખી આપેલો અને ગંડલ રાજ્ય એક વિસ્તૃત ગુજરાતી કોષની યોજના કરી, તે કાર્ય આરંવ્યું તેમાં એમને પણ રોકવામાં આવ્યા હતા, પણ તેના ઘોરણ સંબંધે તીવ્ર મતભેદ ઉઠતાં, એકાદ વર્ષ કાર્ય કર્યા પછી તેમાંથી તેઓ છૂટા થયા છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને ભાષાશાસ્ત્ર છે; અને એ વિષયોને એમનો અભ્યાસ બારીક અને ઉડે છે. એઓએ એક લેખક તરીકે સારી આબરૂ મેળવેલી છે.
એમના ગ્રંથની યાદી ગદ્ય નવનીત આવું કેમ સૂઝયું?' પારિભાષિક શબ્દકોષ
સન ૧૯૨૬ , ૧૯૨૮ ક ૧૯૩૦
૧૮૧
Page #250
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
લેડી વિદ્યાગવરી રમણભાઇ નીલક
એમના જન્મ અમદાવાદમાં તા. ૧ લી જીત ૧૮૭૬ના રોજ થયે હતા. એમના માતુશ્રીનું નામ બાળાšન, જેઓ સરદાર ભેાળાનાથ સારાભાઇના પુત્રી થાય. એમના પિતા ગેાપીલાલ મણિલાલ ધ્રુવ, એ પણ અમદાવાદના વતની હતા અને તેએ સરકારી જ્યુડિશિયલ ખાતામાં નાઝરના મેાટા હેાદ્દા સુધી પહોંચ્યા હતા. એમણે પેાતાની છેકરીઓને, જે વખતે સ્ત્રી કેળવણી જેવું કંઇ નહેાતું અને તે સામે સખ્ત વિરોધ થતા હતા એ જમાનામાં, ઘણા શ્રમ અને ખર્ચ વેડીને, માત્ર પ્રાથમિક અને માધ્યમિકજ નહિં પણ ઘણા લેાકાપવાદ સહન કરીને કાલેજીએટ શિક્ષણ સુદ્ધાંત-લેવાને સગવડ કરી આપી હતી, એ એમની હિમ્મત અને અડગ નિશ્ચય માટે માન પેદા કરે છે.
લેડી વિદ્યાહેને કેળવણીની શરૂઆત રા. બા. મગનભાઈ કન્યાશાળામાંથી કરેલી, જે સંસ્થાના તેએ અત્યારે લાંબી મુદ્દતથી આનરરી સેક્રેટરી છે; અને ઈંગ્રેજી હાઈસ્કુલનું શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ ફૅલેજમાં લીધેલું; તે પછી સન ૧૮૯૧માં તેમણે મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી. દરમિયાન સને ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ સાથે થયું હતું; પણ લગ્ન સંબંધ થયા છતાં એમના અભ્યાસમાં અડચણ આવી નિહ. એએ અને એમના નાના મ્હેન સૌ. શારદામ્હેને ગુજરાત કૅાલેજમાં દાખલ થઈ, કૅલેજનું શિક્ષણ લઈ તે સ્ત્રીએ માટે માર્ગ મેકલે કર્યો. એએ બંને હેનેાએ સાંસારિક કવ્ય અદા કરવાની સાથે સન ૧૯૦૧માં બી. એ., ની પરીક્ષા પાસ કરી. ગુજરાતીમાં બી. એ. ની પદવી મેળવનાર એ બંને મ્હેના પ્રથમ જ હતા; અને અમદાવાદના શિક્ષિત વગે, એ પ્રસંગને, એમને માનપા અર્પીને, ઐતિહાસિક કર્યો છે.
તે પછી એક ઉત્તમ ગૃહિણી તરીકે પોતાનું કર્ત્તવ્ય કરવાની સાથે જાહેર જીવનમાં પણ એમણે પેાતાના ફાળેા આપવાનું ચાલુ રાખેલું છે; અને અત્યારે તેએ અમદાવાદની સંખ્યાબંધ જાહેર સસ્થા સાથે સેક્રેટરી, પ્રમુખ કે મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે સંબંધ ધરાવતા હશે.
જાહેર કાર્યોમાં ભાગ લેવાની સાથે-અને એ કાય ની જવાબદારી ઘેાડી વા એછી નથી,–એમને લેખન વ્યવસાય અને અભ્યાસ પણ ચાલુ છે.
સન ૧૮૯૬થી એમણે ‘જ્ઞાન સુધા’માં લેખા લખવાનું શરૂ કરેલું. સન ૧૯૦૭માં રમેશ દત્તની વાત્તાઁ Lake of the Palmsને સુધાહાસિની”
૧૮૨
Page #251
--------------------------------------------------------------------------
________________
લેડી વિદ્યાગૌરી રમણભાઇ નીલકંડ
નામથી અનુવાદ કરેલા અને તે પછી સન ૧૯૧૫માં વડાદરાના મહારાણીશ્રીએ Position of Women in India એ નામનું પુસ્તક ઈંગ્રેજીમાં લખેલું તેનું ‘હિન્દુસ્તાનમાં સ્ત્રીએનું સામાજિક સ્થાન’ એ નામથી તરજુમેા કર્યાં હતા; અને વળી એમના છૂટક લેખાને હાસ્ય મંદિર’માં સમાવેશ કરવામાં આવેલા છે.
એમની એ સાહિત્ય પ્રતિની અભિરુચિ અને જ્ઞાનના કારણે તેમજ એ કુટુંબને સામાટી સાથેને લાંખા સંબધ વિચારીને સર રમણભાઈ, જેએ ગુ. વ. સેાસાઇટીના એન. સેક્રેટરી હતા, એમની માંદગી દરમિયાન, એ જગાએ એમની પસંદગી કમિટીએ કરી હતી, જે સેવાકાય તે અદ્યાપિ સારી રીતે કરી રહ્યા છે. વળી તેઓ અમદાવાદ મ્યુનિસિપાલેટીના સરકાર નિયુક્ત સભાસદ અને સ્કુલબેાડના વાઇસ ચેરમેન છે.
એમના સાનિક કાર્યોની કદર ખુજી સરકાર તરફથી એમને એ વાર કામે મળેલા છે, સન ૧૯૧૮માં એમ. બી. ઈ ને અને સન ૧૯૨૬ માં કૈસરે હિન્દુ (સેકન્ડ કલાસ)ને; અને એએ કેટલા બધા જનતામાં લેાકપ્રિય અને માનીતા છે, તેની પ્રતીતિ એટલા પરથી થશે કે એ અને પ્રસંગેાએ એમને મળેલાં એ માનની ખુશાલીમાં જાહેર મેળાવડાઓ થઇ, માનપત્રા આપવામાં આવ્યાં હતાં.
એમના ગ્રંથેાની યાદીઃ સુધાહાસિની (Lake of Palmsને અનુવાદ.) હિંદુસ્તાનમાં સ્ત્રીનું સામાજિક સ્થાન
( Position of Women in Indiaને અનુવાદ. )
૧૮૩
સન ૧૯૦૭
,,
૧૯૧૫
Page #252
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
સો. વિમળાગવરી મોતીલાલ સેતલવાડ
એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય, વતની અમદાવાદના, રા. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિના પુત્રી, સ્વ. દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈને દોહિત્રી અને સર ચીમનલાલ સેતલવાડના પુત્રવધુ થાય છે.
પ્રાથમિક શિક્ષણ રણછોડલાલ છોટાલાલ ખાડીઆ કન્યાશાળામાં લીધેલું અને ઈંગ્રેજીનું જ્ઞાન સ્ત્રીઓ માટેની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ સાથેની હાઈસ્કૂલમાં લીધેલું; તે પાછળથી ખાનગી અભ્યાસ કરી ખૂબ વધારેલું છે.
એમને જન્મ તા. ૨૧ મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થયો હતો. અને લગ્ન સન ૧૯૦૭માં સર ચીમનલાલના જ્યેષ્ઠ પુત્ર મોતીલાલ, જેઓ મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ છે, એમની સાથે થયું હતું. શારીરિક સ્વસ્થતા બરોબર રહેતી નહિ હોવાથી તેઓ ઘણોખરે સમય મુંબાઈ બહાર હવાફેર માટે રહે છે અને જે સમય મળે છે તે બધે વાચન અનેં અભ્યાસમાં ગાળે છે. તેમને વિજ્ઞાન પ્રતિ વિશેષ અભિરૂચિ છે. એ વિષે કેટલાંક છૂટક લેખ લખેલાં, તે બધાં એકત્રિત કરી જૂદા પુસ્તકરૂપે છપાવા માંડયા છે, જે સંગ્રહ એક સુંદર પુસ્તક થઈ પડશે.
વળી તેમણે અંકલ ટમ્સ કેબિન નામના જગપ્રસિદ્ધ પુસ્તકને “ગુલામગીરીને ગજબ” એ નામથી અનુવાદ કરેલો છે અને એ બીજો અનુવાદ સ્કોટની સુપ્રસિદ્ધ કૃતિ “આઈવાન હાને કર્યો છે, જે ગ્રંથ ગુ. વ. સાઈટીએ બે ભાગમાં છપાવ્યો છે.
આપણે અહિં સ્ત્રીલેખિકાઓ ગણીગાંઠી છે; તેમાં આ બહેનને સમાવેશ થાય છે; અને એમના ગ્રંથમાં પણ સુસંસ્કાર અને જ્ઞાનની છાપ પડેલી જણાય છે. તેમણે ઈગ્લેંડ યૂરપની મુસાફરી કરેલી છે. બાળવાર્તાઓ પણ કેટલીએક લખી છે તેનો સંગ્રહ પ્રસિદ્ધ થાય તો તે એક સારું બાળોપયોગી પુસ્તક થાય.
એમના પુસ્તકોની યાદી ગુલામગીરીને ગજબ
સન ૧૯૧૮ આઈલેન્ડે ભા. ૧ લો
છે ૧૯૨૬ ભા. ૨ જે
૧૯૨૭ બાળવિજ્ઞાન ભા. ૧ લે
,, ૧૯૩૦
• પુસ્તકલાય સહાયક સહકારી મંડળી લી. તરફથી છપાય છે.
१८४
Page #253
--------------------------------------------------------------------------
________________
સૌ. શારદા સુમન્ત મહેતા
સં. શારદા સુમન્ત મહેતા
એઓ જ્ઞાતિએ વડનગરા નાગર છે. એમનો જન્મ તા. ૨૬ જુન સન ૧૮૮૨ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ ગોપીલાલ મણિલાલ ધ્રુવ, જેઓ દિવાની કોર્ટમાં લાંબો સમય સુધી નાઝર હતા અને માતાનું નામ બાળાબહેન, જેઓ સરદાર ભોળાનાથ સારાભાઈનાં પુત્રી હતાં.
એમણે પ્રાથમિક કેળવણી બહુધા રા. બા. મગનભાઈ કન્યાશાળામાં અને અંગ્રેજી માધ્યમિક કેળવણી મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેનના અંગેની સરકારી ગર્લાસ્ હાઈસ્કૂલમાં લીધેલી. હાનપણમાં પિતાની ઉમરેઠ બદલી થઈ, બહારગામ રહેવાનું થતાં, પિતાના પર કેવા સંસ્કાર પડેલા, તેમજ તે સમયે અંગ્રેજી કેળવણી લેનાર સ્ત્રીવર્ગ પ્રતિ હિન્દુ સમાજ તરફથી કેવા અને ઘટિત આક્ષેપ મૂકાઈ, તેમના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરવામાં આવતી હતી, એ બધી હકીકત “શારદા' માસિકમાં એમનું આત્મવૃત્તાંત આપે છે, તેમાં એમણે રોષ દાખવ્યા વિના રમૂજભરી રીતે વર્ણવી છે; અને તે સાથે સ્ત્રીકેળવણુ વિષે લોકભાવના અને વિચારમાં કેવું પરિવર્તન થવા પામ્યું છે, તેને તેમાંથી અચ્છો ચિતાર મળે છે.
ઈ. સ. ૧૮૯૭માં એ મેટ્રીકમાં પાસ થયેલા; અને ઈ. સ. ૧૮૯૮ થી૧૯૦૧ સુધી અમદાવાદમાં ગુજરાત કોલેજના અભ્યાસમાં એટલી વિશેષ અનુકૂળતા હતી કે એમના મોટા બહેન લેડી વિદ્યાગવરી એમની સાથે હતાં; અને એ બંને બહેનોએ સન ૧૯૦૧માં બી. એ. ની પરીક્ષા ફૈજીક અને મરલ ફીલોસોફી ઐચ્છિક વિષય લઈને પાસ કરેલી, જે ગુજરાતમાં સ્ત્રી કેળવણીના ઇતિહાસમાં એક અવન અને અપૂર્વ બનાવ હતો અને જે સદા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.
એમનું લગ્ન સન ૧૮૯૯ માં સુરતના જાણીતા સુધારક ડે. બટુકરામના જ્યેષ્ઠ પુત્ર શ્રીયુત સુમન્તભાઈ સાથે થયું હતું. એમના પતિના વિલાયતના વસવાટ દરમિયાન તેમજ વડોદરામાં આવી વસ્યા પછી, પતિ પત્ની વચ્ચેનો સંબંધ અને પ્રેમ કેવી રીતે વિકાસ પામતો જતો હતો અને એ જોતું વડોદરામાં સંસ્કારી જીવન ખીલવવા કેવા પ્રયત્નો કરતું તેમ સ્વદેશી માટે એમને કેવો રંગ શરૂઆતથી લાગેલે, એનું રસિક વૃત્તાંત ઉપર ઉલ્લેખ કરેલા એમના આત્મવૃત્તાંતમાં મળી આવે છે. જાહેર અને સામાજિક હિલચાલમાં તેઓ શરૂઆતથી રસપૂર્વક ભાગ
૧૮૫
Page #254
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
લેતા અને સ્ત્રી કેળવણી તેમજ સ્ત્રી જીવન વિકાસ માટે સતત પ્રયત્ન કરતા; ડે. સુમન્તભાઈએ છેલ્લાં દશ વર્ષથી દેશસેવા ખાતર વડોદરા રાજ્યની મોટી અને માનભરી નોકરી છોડી દીધી, ત્યારથી એ બંને પિતાનો બધે સમય જનહિતના કાર્યમાં ગાળે છે; અને બારડોલી સત્યાગ્રહની લડત વખતે તેમ અત્યારે મહાત્માજીએ શરૂ કરેલા સબરસના સંગ્રામમાં તેઓ કેટલો કિમતી ફાળો આપી રહેલા છે, એ બધી હકીકત જનતાને સુવિદિત છે.
એમનું કુટુંબ મેટું તેમ સંસ્કારી અને સુશિક્ષિત છે. ગૃહજીવન કેટલોક સમય માગી લે જ; અને જાહેર હિલચાલમાં પણ ઘણે સમય વ્યતિત થાય. તેમ છતાં નિયમિત વાચન અને અભ્યાસ તે ખરેજ. એ અભ્યાસવૃત્તિના પરિણામે, જે કાંઈ અવકાશ મળે તેમાં તેઓ કેટલુંક લેખન કાર્ય કરવા શક્તિમાન થયા છે; અને એમની પુસ્તક પ્રવૃત્તિ પણ એમના અન્ય કાર્યોની પેઠે યશસ્વી નિવડી છે.
એમના ગ્રંથોની યાદી પુરાણોની બાલબોધક વાર્તાઓ અને બાળકોનું ગૃહશિક્ષણ સન ૧૯૦૫ સુધાહાસિની ( લેડી વિદ્યાબહેન સાથે )
સન ૧૯૭૭ [શ્રી. રમેશચંદ્ર દત્તના The Lake of Palms નું ભાષાંતર ફલોરેન્સ નાઈટગેલનું જીવનચરિત્ર
સન ૧૯૦૭ હિંદુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન (લેડી વિદ્યાબહેન સાથે) ,, ૧૯૧૧
['The Position of women in India'al Hal]
૧૮૬
Page #255
--------------------------------------------------------------------------
________________
શંકરપ્રસાદ છગનલાલ રાવલ
શંકર પ્રસાદ છગનલાલ રાવલ
શંકર પ્રસાદ રાવળને જન્મ સને ૧૮૮૭ ના જાન્યુઆરીની છવ્વીસમી તારીખે એમની વતનભૂમિ વડેદરા (મહીકાંઠા એજન્સી) માં થયો હતો. વડોદરા ગામ અમદાવાદ પ્રાંતીજ રેલવેના ડભોડા સ્ટેશનથી એક માઈલને આસરે નાની ખારી નદીને કાંઠે આવેલું છે. એ જ્ઞાતિએ ઉદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમના કુટુંબને ધંધે ખેતીનો છે.
એમના પિતાનું નામ છગનલાલ જાદવજીએ બહોળા વસ્તારી હતા અને એમની સ્થિતિ સાધારણ હતી. શંકર પ્રસાદે એમના ગામની સરકારી ગુજરાતી નિશાળમાં પાંચ વર્ષની ઉમ્મરે અભ્યાસ શરૂ કર્યો. એમની નવ વર્ષની વયે એમના પિતાનું કોલેરાથી એકાએક અવસાન થયું. કુટુંબમાં બીજો કોઈ પુરૂષ ન હોવાથી એના નિર્વાહને ભાર એમની માતા જડાવબાઈને માથે પડયે.
વડોદરા ગામમાં ત્રણ ધારણા પુરાં કરી શંકરપ્રસાદ એમની બહેનને ત્યાં ભરૂચ વધુ અભ્યાસ કરવા ગયા. ભરૂચ મ્યુનીસીપાલીટીની છઠ્ઠા નંબરની (નવા દહેરાની) અને પહેલા નંબરની (લાલ બજારની) શાળામાં એમણે પાંચ ધારણુ પુરા કર્યા. આ પછી સરકારી શિષ્યવૃત્તિઓની હરિફાઈની પરીક્ષા પાસ કરવાથી માસિક રૂપીઆ ત્રણની મદદ મળવાથી એમણે ભરૂચની લૅકહિતેચ્છુ સભાની એ. વી. સ્કુલમાં અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો. અંગ્રેજી ત્રીજા ધોરણમાં હાઈસ્કુલ સ્કોલરશીપ રૂપીઆ પાંચની દર માસે મળવાથી એમણે ભરૂચની દલાલ હાઇસ્કુલમાં પ્રવેશ કર્યો. અને ૧૯૦૬ માં ઉપલે નંબરે મેટ્રીક અને સ્કુલ ફાઈનલ પરીક્ષા પાસ કરી.
પિતાનો અભ્યાસ જારી રાખવા એમને તીવ્ર ઈચ્છા હતી પણ કુટુંબ નિર્વાહની ચાલુ ચિતાને લીધે એ ઈચ્છાને દબાવી દેવા સિવાય બીજો માર્ગ નહે.
૧૯૦૮ માં મુંબાઈ જઈ એમણે રજીસ્ટ્રેશન ખાતામાં સરકારી નોકરી લીધી. પણ તેમની અભ્યાસિક વૃત્તિના ઊછાળાઓના દબાણથી તેનું રાજીનામું આપી સને ૧૯૦૮ માં મુંબઈની વિલ્સન કેલેજમાં એમણે અભ્યાસ કરી શરૂ કર્યો. પણ દિવસે દિવસે વધતી જતી કે ટુંબિક ચિન્તાઓએ વળી ફરી અભ્યાસમાં ખલેલ કર્યું ને તે વર્ષ નિષ્ફળ જવાથી શરીર બગડતાં મુંબાઈ
૧૮૭
Page #256
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છોડી ફરી ભરૂચ આવી ત્યાંની અંગ્રેજી શાળામાં સને ૧૯૦૯ માં શિક્ષકની નોકરી લીધી.
સને ૧૯૦૩ માં એમનું પ્રથમ લગ્ન થયું હતું. બીજી વારનું લગ્ન સને ૧૯૧૧ માં થયું હતું.
શંકરપ્રસાદને છેક બાલ્યાવસ્થાથી કવિતા તરફ ખાસ અભિરૂચિ હતી. ભરૂચમાં એ રસવૃત્તિને ઘણું જ પિષણ મળ્યું. પાઠયપુસ્તકોના અભ્યાસ ઉપરાંત બહારનું પુષ્કળ વાંચન વાંચવાની એમને ચાલુ ટેવ હતી. ભરૂચના નવા દહેરાના ઓટલે જામતી ભારત અને રામાયણની રસિક કથાઓ અને પ્રત્યેક ચાતુર્માસની ભાગવતકથા પ્રત્યે એમને અદભુત શેખ હતો. આપણી આ વીર સંહિતાઓના એકકે એક પ્રસંગથી એ છેક નાની ઉમરમાંજ સુપરિચિત થઈ ગયા હતા. “નર્મગદ્ય' એમનું ખાસ પ્રિય પુસ્તક હતું.
દલપતશાહી કાવ્ય જેવાં જોડકણાં જોડવાનો એમને એક નાની ઉમરથી પ્રેમ હતો અને હાઇસ્કુલમાં જતાં પિંગળ વગેરેના વાચનથી પ્રેરાઈ કાવ્યો લખવાનું એમણે શરૂ કરી દીધું હતું. ટુંકી વાર્તાઓ લખવાને પણ એમણે એજ અરસામાં આરંભ કર્યો હતો. શિક્ષક જીવનના સુયોગથી ગુજરાતી સાહિત્યનાં અંગોને રીતસર અભ્યાસ કરવા એ પ્રેરાયા હતા.
સાહિત્યની વાચન અને લેખન પ્રત્યે એમને પ્રેરણા કરનાર આવી વ્યક્તિઓમાં એ ઘણીવાર સ્વર્ગસ્થ માણેકલાલ જગજીવનદાસ સુરતી (ભરૂચના લોકો એમને “વિલાયતી' ઉપનામથી ઓળખતા) ને એ ખાસ પૂજ્યભાવથી યાદ કરે છે. એમના સંસ્કૃત અને અંગ્રેજી અભ્યાસની શરૂઆત કરનાર એ પુરૂષ હતા.
સમભાવી મિત્રમંડળ એમનું બીજું બળ પ્રેરક હતું અને એમાં ખાસ કરીને સ્વ. મૂલચંદ તેલીવાળા, રા. રા. હરિભાઈ અમીન અને તે વખતનાં ભાગૅવયુવક મંડળના સભ્યો રા. કનૈયાલાલ મુનશી વગેરે હતા. નર્મદાના સૌંદર્યતટ ઉપર ઉનાળાની ઘણી એક રમ્ય સંસ્થાઓ એમણે આ સાહિત્ય અને સંગીત રસિક મિત્રમંડળીમાં ગાળી હતી.
શંકર પ્રસાદે આ અરસામાં ભાષાંતરરૂપે અને સ્વતંત્રપણે ઘણું કાવ્ય લખ્યાં છે. અને ત્યારથી અત્યાર સુધી અવારનવાર એ કાવ્યલેખન ચાલુ રહ્યું છે. સન ૧૯૧૫માં એમણે ગોલ્ડસ્મીથના ડેઝર્ટ વિલેજનું
૧૮૮
Page #257
--------------------------------------------------------------------------
________________
શકરપ્રસાદ છગનલાલ રાવલ
"9
“ ભાગેલું ગામ એ નામથી ભાષાંતર પ્રગટ કર્યું. “ કથાવિહાર ’” નામથી એમના કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થનાર છે.
ગુજરાતનાં જુદાં જુદાં માસિકામાં એમની એમની કેટલીક નવલિકાએ પ્રસિદ્ધ થઇ છે અને આ પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ વાર્તાઓના એક સારા સંગ્રહ થઇ શકે તેમ છે.
ભક્તકવિ યારામભાઇનું જીવનચરિત્ર લખી તે સને ૧૯૧૯ માં પ્રસિદ્ધ કરાવ્યું છે.
""
99
મુંબાઇની ગુજરાતી સાહિત્ય સૌંસદના એ આરંભથી સભાસદ છે. એમના વિવેચનલેખાની સંખ્યા પણ મેાટી છે. ગુજરાતી ગદ્યસાહિત્યને વિકાસ “ યારામની ગેાપી,” “ સાહિત્યકલા અને શ્રીયુત મુનશીની સાહિત્યકૃતિઓ '' વગેરે વગેરે લેખા એમના ઉત્સાહ ને ઉંડી અભ્યાસવૃત્તિના પુરાવા છે.
એમના ગ્રંથાની યાદીઃ
ભાંગેલું ગામડું દયારામનું જીવનચરિત્ર પ્રમેાધ બત્રીસી
૧૮૯
સન ૧૯૧૫
૧૯૧૯
૧૯૩૦
',
39
Page #258
--------------------------------------------------------------------------
________________
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શિવપ્રસાદ દલપતરામ પંડિત
એએ જાતે વિસલનગરા નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ વિભાગના ) છે. એમના જન્મ અમદાવાદમાં તા. ૧૫ મી એગસ્ટ ૧૮૮૫ તે દિને થયે હતા. એમના પિતાનું નામ દલપતરામ હીમતરામ પંડિત અને માતાનું નામ મણિમ્હેન છે. એમના પિતા રાજપૂતાનામાં કાટારાજ્યમાં મ્હોટા અધિકાર ઉપર હતા અને ત્યાં એમણે એકનિષ્ઠા તથા પ્રમાણિકપણે રાજ્યની સેવા કરી, જકાત, બાગ, તથા કારખાનાના ખાતાંઓને સુવાસ્થિત પાયા ઉપર મૂક્યાં હતાં. કાટામાંજ લગભગ ૪૩ વર્ષની વયે એમના પિતાને ટાંગામાં બેસીને ફરવા જતાં અકસ્માત ઈજા થઈ અને હેને પરિણામે હેમનું મૃત્યુ નીપજ્યું. શિવપ્રસાદની ઉમર એ સમયે દોઢેક વર્ષની હતી.
પિતાના મૃત્યુ પછી એમને ઉછેરવાના ભાર્ એમનાં અપર માતુશ્રી સ્વસ્થ જમનાબાએ પેાતાના ઉપર લીધેા. એ સાવકી માતાનેા પુત્ર પ્રત્યે પ્રેમ અનન્ય અને અસાધારણ હતા. એટલે સુધી કે એમનાં જન્મદાતા માતુશ્રી હયાત હે!વા છતાં અપર માતાએ જ હેમને સ્તનપાન કરાવ્યું હતું. એ માતાની અસર એમના જીવન ઉપર ઘણી થઇ છે, અને એમના ઉપકારાનું સ્મરણ કરીને એમણે પોતાની પ્રથમ કૃતિ ‘મૈત્રેયી ' એમને સમપણ કરી છે.
પિતાનું મૃત્યુ થતાં એમનું કુટુંબ અમદાવાદ આવ્યું અને શિવપ્રસાદે સરકારી મિડલ સ્કૂલ તથા હાઈસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ કર્યાં. ઈ. સ. ૧૯૦૨ માં યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ તથા ઈ. સ. ૧૯૦૩માં મેટ્રીક્યૂલેશનની પરીક્ષા પાસ કરી. એમણે થોડે સમય અજમેરની ગવર્નમેન્ટ કાલેજ તથા મુંબાઇની વિલ્સન કાલેજમાં અભ્યાસ કર્યાં, એ અરસામાં એમનું કાટા જવું થયું અને ત્યાંજ નાકરી કરવાની ઇચ્છા થતાં ઈ. સ. ૧૯૦૪ થી ત્યાં નોકરીમાં જોડાયા. નિશાળમાં ભણતા હતા તે સમયે સ્વ. છેટુભાઇ શંકરજી દેસાઇ તમા અમદાવાદ હાઈસ્કૂલના હેડમાસ્તર ખા. બા. એદલજી દોરાબજી તલાટીના નૈતિક ઉપદેશેાની એમના ઉપર સચોટ અસર થઇ હતી. એ ઉપદેશાને પરિણામે તેએ અમલદાર તરીકેની નેાકરીમાં અનેક લાલચે માંથી બચ્યા છે. પચીસ રૂપિયાના માસિક પગારથી શરૂ કરી તે પોતાની પ્રામાણિકતા તથા સત્યપરાયણતાને લીધે એસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ એક એકસાઇઝના હાદ્દા સુધી પહેાંચ્યા છે.
૧૯૦
Page #259
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
હાનપણથી એમને સામાજિક સુધારા અને સાહિત્ય માટે અત્યંત પ્રીતિ હતી. પ્રાર્થના સમાજમાં સ્વર્ગસ્થ રમણભાઈના ધર્મોપદેશ એમને ઘણા હદયગ્રાહી લાગતા. ઠે. હરિપ્રસાદ તથા રા. રમણીક મહેતા સાથે અમદાવાદમાં હતા ત્યાં લગી, પ્રાર્થના સમાજમાં લગભગ નિયમિત હાજરી આપતા. ધાર્મિક વલણ એમનું એકેશ્વરવાદી હોવાથી મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજર્ષિ રામમોહનરાય અને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર માટે એમને બહુ પૂજ્ય બુદ્ધિ છે.
સાહિત્યની અને સંસાર સુધારાની એમના જીવન પર ઉંડી અસર થયેલી છે. સુધારક વિચારના હોઈને જ્ઞાતિ ઉત્કર્ષ અર્થે ઘણા સમયથી તેઓ ભારે પરિશ્રમ સેવે છે; અને પિતાની જ્ઞાતિનો મોટો સમૂહ જે ઉત્તર હિંદમાં વસે છે, તેમના નિકટ પરિચય અને સહવાસમાં આવી પરસ્પર જ્ઞાતિ સંબંધ દઢ કરી વિકસાવ્યો છે; એટલે સુધી કે પોતે પોતાની બીજી પુત્રીને મથુરામાં એક કેળવાયલા ગ્રેજ્યુએટ સાથે પરણાવી છે અને પિતાનું બીજું લગ્ન સુરતમાં કર્યું હતું. એમનો સુધારો સાચો, વ્યવહારૂ અને સમભાવી છે; અને તે વિચાર પ્રમાણે વર્તન કરે છે, એ તેની વિશેષ મહત્તા છે.
એજ પ્રમાણે સાહિત્યમાં એમની સેવા પ્રશંસનિય કહી શકાય.
એમને પ્રિય વિષય જીવનચરિત્ર છે; અને એ વિષયમાં ગુજરાતીમાં જેટલું વાચન સાહિત્ય એમણે પૂરું પાડયું છે, એટલું સ્વ. નારાયણ સિવાય બીજા કોઈએ આપ્યું હોય એવું અમારા જાણવામાં નથી.
વિશેષમાં એમનું અંગ્રેજી જ્ઞાન સારું છે. તે ઉપરાંત પરદેશ સેવવાથી હિન્દી અને બંગાળીમાં પણ નિપુણતા પ્રાપ્ત કરેલી છે, તેથી કેટલાંક સારા ગ્રંથે એ ભાષાઓમાંથી ગુજરાતીમાં ઉતારવા શક્તિમાન થયેલા છે અને તે ગ્રંથે બેધપ્રદ અને ઉંચી કેટીના છે, એમ કહેવું જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓ માટે વાચનસાહિત્ય આપીને એમણે સ્ત્રીવર્ગની વિશેષ સેવા કરી છે. “ભારતમાં સ્ત્રીરત્ન ” ના ત્રણ મોટા પુસ્તકો સાથે એમનું નામ સદા જોડાયેલું રહેશે. એ ગ્રન્થને હિન્દી ભાષામાં પણ અનુવાદ થયો છે.
ભારતવર્ષના મહાન પુરુષોના જીવન ચરિત્રો એક મોટો ગ્રન્થ અનેક ભાગોમાં લખવાને એમનો અભિલાષ છે અને એની કેટલાક તૈયારી પણ એમણે કરી રાખી છે.
૧૯૧
Page #260
--------------------------------------------------------------------------
________________
શિવપ્રસાદ ક્લપતરામ પતિ
એમના ગ્રંથાની યાદી:
૧ મૈત્રેયી [પ ંડિત સીતાનાથ તત્ત્વભૂષણનાં ગ્રંથા પરથી] ૨ દેવી અધાર કામિની
[શ્રીયુત અમૃતલાલ ચુસના બંગાળી લેખને અનુવાદ,] ૩ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર
૪ ભારતનાં સ્ત્રીરત્ના ભા. ૧
ભા. ૨
૫
ૐ
ભા. ૩
,,
૭ આનંદીબાઇ જોશીનું જીવનચરિત્ર
પ્રે!. સખારામ દેઉસ્કરના બંગાળી ગ્રંથને તરજુમે.]
૮ કથા ગુચ્છ
[ જૂદા જૂદા બંગાળી લેખકેાની ટુંકી વાર્તાએ. ]
""
૯ ભારતના સન્ત પુરુષા ભા. ૧
૧૦ ભારતની દેવીએ
૧૧ દેશબંધુ ચિત્તરંજનદાસ ૧૨ આદર્શો દૃષ્ટાંતમાળા ભા. ૧
ભા. ૨
૧૩
""
૧૪ મહાન સાધ્વીએ
૧૯૨
સન ૧૯૦૮
સન ૧૯૧૦
સન ૧૯૧૩
સન ૧૯૧૨
સન
,,,,
સન ૧૯૧૩
સન ૧૯૧૨
સન ૧૯૧૨
સન ૧૯૧૩
સન ૧૯૧૪
સન ૧૯૨૧
સન ૧૯૨૫
૧૯૨૮
૧૯૩૦
,,
Page #261
--------------------------------------------------------------------------
________________
શભુપ્રસાદ છેલશ કર
શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા ઉર્ફે કુસુમાકર
જાતે તેએ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના માતાનું નામ મહાકુંવર; વતન ગાંડલ અને જન્મ જામનગર-મેાસાળમાં તા. ૮મી જાન્યુઆરી ૧૮૯૨ના રાજ થયા હતા. ગોંડલમાં સંગ્રામજી હાઇસ્કુલમાં શ્રીયુત ‘લલિત’ ના સંસર્ગામાં આવ્યાથી, એમની કવિતા પ્રતિની રુચિ અને મમતા વિકસેલાં; એવીજ રીતે રાજકેટમાં આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શ્રીયુત કૌશિકરામ વિ. મહેતા તરફથી પણ એમને પ્રેાત્સાહન મળેલું. વળી એમના વિડેલ બંધુ રા. વૈકુ પ્રસાદે પણ એ જાગૃત થયેલા સંસ્કારાને પોષીને વિશેષ ઉત્તેજન આપ્યું હતું.
એમણે સન ૧૯૧૪ માં બી. એ., ની પરીક્ષા આનસ સાથે પુનાની ર્ગ્યુસન કૅાલેજમાંથી ઐચ્છિક વિષય તત્ત્વજ્ઞાન લઇ, પાસ કરેલી અને સન ૧૯૨૦ માં એસ. ટી. સી. ડી; ની કેળવણી ખાતા તરફથી લેવાતી પરીક્ષામાં ઉત્તીણ થયલા. ફરગ્યુસન કૅાલેજમાં પ્રેા. ભાટેએ પણ એમના પર વિશેષ અસર કરેલી; ત્યારથી પ્લેટાની ફિલસૂરી માટે પક્ષપાત બંધાયલા; અને એ અરસામાં સ્વર્ગીસ્થ રણજીતરામના પરિચયમાં આવતાં, તેમણે એમને સાહિત્ય પ્રતિ ખેચેલા, એટલુંજ નહિ પણ એમના જીવનપર ઉંડી છાપ પાડી હતી. આવી અનેકવિધ અસરેાના કારણે, શાળા તથા કાલેજમાં બીજી ભાષા ફ્રેન્ચ છતાં એમણે ઉપનિષદ્ સુધી સંસ્કૃત ગ્રંથના મહાસાગરમાં ઝંપલાવ્યું છે.
અત્યારે તેઓ સુરત મિડલ સ્કુલમાં શિક્ષક છે. એમના પ્રિય વિષયે કવિતા અને ફિલસૂરી છે. જન કિવ ગેટેના Sorrows of werther પરથી “અરવન્દના આંસુ” એ નામનું એક પુસ્તક તૈયાર કર્યું છે, જે હજી અપ્રકટ છે; તેમજ એમના ગદ્ય લેખાને એક સંગ્રહ થવા જાય છે, જે તેએ ‘સ્મૃતિ મન્દિર' એ નામથી પ્રકટ કરવાની અભિલાષા રાખે છે. એમને કાવ્ય સંગ્રહ જુલ-હિન્દેાળ” નામે તુર્તમાં પ્રકટ થવા સંભવ છે. સન ૧૯૧૫ થી લેખન વ્યવસાય શરૂ થાય છે; અને અવારનવાર જૂદાં જૂદાં માસિકામાં એમના કાવ્યે, લેખા વગેરે આવે છે.
૫
૧૯૩
Page #262
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
-
-
-
-
-
-
સાકરલાલ અમૃતલાલ દવે,
જ્ઞાતે બાજખેડાવાળ બ્રાહ્મણ વતની નડિયાદના; તેમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૬ મી મે એ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એજ સ્થળે પ્રાપ્ત કરેલું. સન ૧૯૦૫માં ગ્રેજ્યુએટ થયેલા. તે પછી સરકારી ખાતામાં જોડાયેલા અને અત્યારે મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ અંગેની ગર્જી હાઈસ્કૂલ અમદાવાદ-માં શિક્ષક છે.
પુનાની ડેકન કોલેજના પ્રોફેસર બેઈનનાં અતિ રસમય અને સુંદર ઈંગ્રેજી વાર્તા પુસ્તકનાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું કાર્ય એમણે હાથ ધરેલું અને તે અનુવાદ, કહેવું જોઈએ કે, મૂળ ગ્રંથને ન્યાય આપે એવા, સરળ અને શુદ્ધ છે. ગયે વર્ષે એમણે ટોલસ્ટોયને “The Christian Teaching' પુસ્તકને અનુવાદ જીવનસિદ્ધિ' એ નામથી છપાવ્યું છે.
સામાન્ય રીતે શાળાના કામકાજમાંથી જે કાંઈ સમય મળે તે તેઓ સાહિત્યના અભ્યાસવાચનમાં ગાળે છે અને પ્રસંગોપાત્ત સાહિત્યની ચર્ચામાં પણ ભાગ લે છે. અનુવાદ મૂળ ગ્રંથ
પ્રકાશનની સાલ અનંગભસ્મ Prof. Bain's
સને ૧૯૧૬ "The Ashes of a God” નીલનેની
,, “A Draught of the
Blue.” જીવનસિદ્ધિ Tolstoy's "The Christian Teaching"
ક ૧૯૨૯
૧૯૧૭
૧૯૪
Page #263
--------------------------------------------------------------------------
________________
સીતારામ જેશીંગભાઇ શાં
સીતારામ જેસીંગભાઇ શર્મા
જાતે બ્રહ્મભટ્ટ; મૂળ વતન કડી. એમનેા જન્મ પેાતાના મેાસાળ પ્રાંતિજમાં તા. ૧૬મી ઑગસ્ટ સન ૧૮૯૧ના રાજ થયા હતા. પિતા તેમને પાંચ વના મૂકીને મૃત્યુ પામેલા; એટલે તે મેાસાળમાંજ ઉછરી મેાટા થયેલા. સ્થિતિ ગરીબ તેથી અભ્યાસના સાધન પણ સંકુચિત. અમદાવાદમાંથી સ્વસ્થ સર ચીનુભાઇ માધવલાલ, પહેલા એરેનેટની મદદ મેળવવાને તજવીજ કરેલી; તેમજ પ્રાંતિજમાં એ સમયે મિશનરી સ્ટીવન્સન રહેતા હતા, તેમની સાથે મૈત્રી થયલી; પણ એ બધાનું ઇચ્છેલું પરિણામ નહિ આવેલું. માત્ર સાત ધારણ પૂરાં કરી, વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પાસ કરી. અંગ્રેજી પાંચ ધેારણ સુધી અભ્યાસ કરી સંતાપ માનેલેા. સ`જોગવશાત્ લેાકલ એની શાળામાં છએક માસ શિક્ષક તરીકે રહેલા અને પછી મુંબાઇ નસીબ અજમાવવા ગયલ!, જ્યાં શરૂઆતમાં એક વેપારીની પેઢીમાં નામુ લખવાને રહ્યા. એવામાં મુંબાઇ ગુજરાતી નાટક ક`પનીમાં ટીકીટ આપવાની નેાકરી મળી. અહિં એમના લેખન વાચનના શાખને ઉત્તેજન મળ્યું.
લેખનવાચનને શેખ શાળામાંથી શરૂ થયલેા. કાઇક વખત કવિતા લખવાને ઉર્મિ થઇ આવતી; એક એ વાર્તાએ પણ લખેલી; તેમજ કામી બ્રહ્મભટ્ટ શુભેચ્છક” પત્રમાં સન ૧૯૦૯ માં મરણ પછીની તેરમાની નાતાને વિરાધ કરતી ટુંકી વાર્તા અને એએક નિબંધા લખી મેાકલેલા. પણ હજુ ધંધામાં તરેહામ થયા નહાતા. એ અરસામાં વડાદરા વર્તમાન’ માં ચાલુ લાંખી વાર્તો લખવાનું કાર્ય આરંભેલું; મહિકાંઠા એજન્સીમાં સરકારી નેકરી લીધેલી પણ મનને નિરાંત થતી નહિ. વત્તમાનપત્ર માટે વિશેષ આકર્ષણ તેથી તે પ્રતિ ખેંચાતા, વડેાદરા વર્તમાનના તંત્રી મડળમાં થેાડાક દિવસ કામ કર્યું; અને સન ૧૯૧૪માં ‘ગુજરાતી પંચ'માં જોડાયા; તે પછી બધું જીવન એ ધંધામાં વ્યતીત થતું આવ્યું છે. સન ૧૯૧૭માં ‘હિન્દુસ્તાન' સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે રા; તે સાથે વાર્તા મંદિર' નામનું એક ટુંકી વાર્તાઓનું માસિક કાઢયું; પણ છ માસમાં તેને વહિવટ અન્યને સોંપી દીધેા. સન ૧૯૨૦ થી ૧૯૨૨ સુધીમાં કામી પત્ર બ્રહ્મભટ્ટ' પાતા હસ્તક લીધું, પહેલે વર્ષે તે ત્રિમાસિક રહ્યું; ખીજે વર્ષે માસિક કર્યું અને ત્રીજે વર્ષે તે માસિક થયું, એમ ઉત્તરાત્તર એની પ્રગતિ થતી ચાલી હતી.
૧૯૫
Page #264
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
દરમિયાન દૈનિક અને સાપ્તાહિક પત્રામાં લાંખી વાર્તાઓ લખવાનું કામ ચાલતું હતું. એ વાર્તાઓનાં નામ નીચે મુજબ છેઃ—
નિરંજન, સત્તરમી સદીનું બંગાળા, ગુજરવીર અણુહીલ, ભારતનું ભવિષ્ય, ઝાંઝવાનું જળ, ભવસાગર, સંસારયન, જીવતાં મૂડદાં, મરમના ધા અને જયસ્વદેશ.
પત્રકારિત્વના એમના અનુભવ અને સહવાસ લાંખે તેમજ વિધવિધ છે. મુંબઈના ઘણાખરા છાપાએમાં તેમણે કામ કરેલું છે.
ગયા વર્ષોંથી તેએ નવયુગ’ના તંત્રી નિમાયા છે, નવભારતને સાહસિક અને નિય, સ્વતંત્ર અને સ્વાશ્રયી કરવાના તેઓ ભારે કાડ ધરાવે છે; અને તે દિશામાં એમનું નાવ હંકારી રહ્યા છે. પ્રભુ એમના મનેરથા પાર પાડે.
એમના ગ્રંથાની યાદી:
૧ આપણા સંસાર સુખી કેમ થાય ? [નિબંધ]
૧૯૧૦
૨ પ્રસનાંજલિ [કાવ્યસંગ્રહ]
૧૯૧૫
૩ અમેરિકાના ગરીબ વિદ્યાર્થી એ [નિબંધ-હિંદી ઉપરથી] ૧૯૧૬ ૪ સ્વદેશ ગીતા
૧૯૨૦
૫-૬ વીણાવિહારી ભાગ-૧-૨ [નવલકથા-મરાઠી ઉપરથી] ૧૯૨૩-૨૪ ૭ જુવાનીમાંની વાતા [ટૂંકી વાર્તાઓને સંગ્રહ]
૧૯૨૮
---
૧૯૬
Page #265
--------------------------------------------------------------------------
________________
સારામજી મ. દેસાઇ
સારામજી મ. દેશાઈ
એએ નવસારીના જાણીતા દેશાઇ ખાંદાંનના નખીરા છે, પ્રખ્યાત દેશાઇજી ખુરશેદજી ટેમુલજીના છઠ્ઠી પેઢીના નખીરા છે. ગાયકવાડ સરકારનું ગુજરાતમાં રાજ્ય સ્થાપનારા એ ખુરશેદજી તથા તેમના આપ ટેમુલજી હતા. એ કારણે ખાંદાંનને મોટી જાગીરા, ઇનામી ગામ, રેાકડ તેમણુકેા, પાલકીમાં એશી ક્રરવાની આસામી, ગાડી મસાલની નિમણુંક વગેરે આપવામાં આવેલી તે આજે પણ ચાલુ છે. બ્રિટીશ સરકાર અને ગાયકવાડ સરકાર વચ્ચે તહનામાં કરાવેલાં હાવાથી તે સરકાર તરફથી પણ ઇનામી જમીનેા આપવામાં આવી, અંગ્રેજ સરકારે ગેરંટી આપી બાંહેધરીમાં એ કુટુંબને આજ સુધી રાખેલું છે.
દેસાઇજી ખુરસે∞ 2મુલજીએ પેાતાને હાથે પેાતાનું જીવનચરિત્ર (Autobiography) લખી રાખ્યું હતું જે “ દેસાઈ ખાંદાંન તવારીખ” માં છપાયું છે, તેવીજ રીતે આ ભાઇએ પેાતાનું વૃત્તાંત લખી રાખ્યું છે, જેમાંથી ટુંક ટુંક નોંધ નીચે આપી છે.
એવણુના જન્મ તા. ૧૫ મી આગષ્ટ ૧૮૬૫ માં થયા હતા. એટલે આજે ૬૫ વરસની ઉમર છે. ન્હાનપણથી શરીરે મજમ્મુત અને લાડકા હાવાથી તાકાની, મસ્તીખાર, અને તીખલી છેાકરા હતા. શિખવા ભણવા ઉપર ઝાઝુ લક્ષ ન હતું, પણ જો અભ્યાસ કરવા ઉપર આવે તે આસપાસના કંટાળે એટલી મહેનત લેતાં. એવણ ાતે લખે છે તેમ, પ્રખ્યાત થવાની અને કીતિ મેળવવાની હાંશ કાચી ઉમ્મરમાંજ એટલી બધી હતી કે, તે ઉંમરેજ લખાણ કરવાના શેખ લાગ્યા. “ અથેારનના શિવાય મેહદીનાથી કુસ્તી નહીં વણી શકાય, '' એ બાબતનું ૪ પાનાનુ હેન્ડખીલ લખી કાઢી, પાસે પૈસા ન હેાવાથી પેાતાની કલાસના ગઢિયાએ પાસે નકલા કરાવી ઇ.સ. ૧૮૮૧ માં નવસારીમાં વહે...ચાવ્યા હતાં, મેટ્રીક્યુલેશન સુધીતે! અભ્યાસ કરી નવસારીની સર કાવસજી જેહાંગીર હાઈસ્કુલમાં કેળવણી લીધી, પરંતુ નીચલા વર્ગીમાં હતા ત્યારથી ન્યુસપેપરે અને ચેાપાન્યામાં લખાણેા લખી વહેલા પ્રખ્યાત થવા માટે અભ્યાસના પુસ્તકા વાંચવાને બદલે, ઉમદા પુસ્તકે ઉજાગરા કરીને વાંચતાં. ઇ.સ. ૧૮૮૫ થી “મધુર વચન” ગુલ અશાંન” “હિન્દી ગ્રાીક'' વિગેરેમાં ન્હાની ન્હાની બાબતા છપાવવા લાગ્યા. ઈ. સ. ૧૮૮૭ થી એવણે અંગ્રેજી તથા કાયિાવાડ
૧૯૭
Page #266
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
તથા ગુજરાતનાં ગુજરાતી ૧૦ પેપરામાં લેખા લખ્યા, અને કેટલાંક ચેાપાન્યામાં ૪૫ વરસ લખાણા કર્યાં છે, તેની ટીપ પેાતાને હાથે લખી છે, જે પેપરા અને ચેાપાન્યાંની સંખ્યા ૫૦ ઉપર થાય છે. કાઇપેપરામાં ચાલુ ખખરપત્રી, તે કાઈમાં ચાલુ આર્ટીકલે! લખતા. ઇ. સ. ૧૮૮૮ થી વડાદરા વત્સલ” નામના વડેદરા રાજ્યનાં ગવનમેટ ગેઝેટમાં રૂા. ૧૦ ના પગારથી ગુજરાતી વિભાગ અધિપતિ તરીકે લેખા લખતાં, ઈ. સ. ૧૮૮૯ થી આનંદી” નવરંગ” અને “નવસારી પત્રિકા' માં પણ એજ મુજમ્ ૧૯૦૬ સુધી અધિપતિ હતા, જુદી જુદી બાબતેાના ન્હાનાં મેટાં ૩૮ પુસ્તક લખ્યાં, અને “દુઃખીને દિલાસા ” જે વિષયની હારમાળા હિન્દી બ્રાઝી” માં પ્રથમ છપાઇ હતી તેના બીજા પ૬ પુરતા હમણાં સુધી બહાર પાડયાં, અને ૬૦ પુરતકા સુધી છપાવવાના એવણુને ઇરાદો છે. પેાતાની ઉપર દુઃખા પડવાથી જ આ સાહસ એવણે માથે ઉઠાવ્યા છે.
તે કેટલાંક ખાતાંઓના સેક્રેટરી અને મંડળી” ના આજથી ૪૦ વરસ ઉપર સેક્રેટરી ૭૮ વરસ ચલાવ્યા બાદ હાલ છુટા થયાથી એ વાઇસ પ્રેસીડંટ નિમ્યા છે.
નવસારી જ્ઞાન પ્રસારક નિમાયા હતા તે એદ્દા મડળીએ તેમને કાયમના
t
પેાતાની નેકરીના અંગે અને જાહેર સેવા બજાવવાની મકસદે એવણ લગભગ ૨૦ ખાતાં સાથે, કાઇમાં સેક્રેટરી, કાઇમાં ટ્રસ્ટી, અને કાઇમાં કારોબારી કે ઉપપ્રમુખ રહેલા હતા. આ બધાં કામે નવસારી ડીસ્ટ્રીકટ લેાકલમેડ ના અકાઉન્ટન્ટ અને હેડકલાર્કની નેકરી પેાતાનાં કામેાની સાથે, અને કાર્ટૂના કેસેાની જંજાળા સાથે સાથે કરતા હતા.
"The Gaikwar and his relations with the British Government '' નામની વડેાદરા રેસીડટ કર્નલ આર. વાસતી ૭૨૦ પાનાની અંગ્રેજી ચેાપડીના તરજુમે કરવાનું કામ, દિવાન બહાદુર મણીભા જશભાઇએ રૂા. ૨૦૦૦ રાજ્ય તરફથી મદદના આપવા કહી કરાવ્યું, અને તેને ભાષાંતરના હક્ક મરહુમ પ્રેફેસર દાદાભાઇ નવરાજીએ મહા મહેનતે લન્ડન સુધી ખટપટ કરીને અપાવ્યા, ત્યારે કાઉન્સીલે એવું ઠરાવ્યું કે, કમિટી નિમીતે ભાષાંતર તપાસાવ્યા વગર મદદ આપી ન શકાય, ત્યારે ગુસ્સા આવ્યાથી આખું' કારસ્પાન્ડસ ફાડી નાંખી પેાતાનેજ ખરચે ૪૮ ભાગમાં છપાવવા ધાર્યું, અને ત્રણ વરસમાં આ ભાષાંતર પૂરું કરવાનું
૧૯૮
Page #267
--------------------------------------------------------------------------
________________
સોરાબજી કં. દેસાઈ
કરેલું છતાં રાતને દહાડે એજ કરીને છ મહિનામાં અને તેની વળી માત્ર એકજ કલમ વાપરીને પુરું કર્યું હતું. એવીજ ખંત પકડીને ઝીણા બારીક અક્ષરોના આઠ પોષ્ટ કાડે એવણે લખ્યા હતા, જેમાં એક લગભગ ૪૨ હજાર શબ્દનો કાર્ડ મેસસ ભમગરાની કંપની ઈ.સ. ૧૮૮૯ ના પારીસનાં પ્રદર્શનમાં લઈ ગઈ હતી, અને લંડન તથા મુંબઈના મ્યુઝીઅન, પ્રો. સ્ફોટને તથા નવસારીની મહરજી રાણા લાયબ્રેરીને, તથા રાસ્ત ગોફતારની ઓફીસને બીજા કાર્યો આપ્યા હતા.
મી. બેશિલ હોસન મ્ભીડ ઉફે ગેબી મદદગારના નામક સીરીલ ઉપરની ફીદાગીરીને લીધે જ એવણ થી સોફીસ્ટ થયા હતા, પરંતુ પોતાની નંધમાં જણાવ્યું છે તેમ, વેદાન્ત ઉપર વિશેષ ભાવ હોવાથી શ્રી. ગોસ્વામી દેવકીનંદનાચાર્યજી મહારાજનાં શિક્ષણ મેળવવાને ખાસ ઈન્તજાર રહી, તેમની સેબતમાં એમને ઘણું જાણવાનું મળ્યું.
મી. દેશાઈને જુના પુરાણું હસ્તલે, જુના સિક્કા, પૂરાણી વસ્તુએને બેહદ શેખ હેવાથી એમને આ સંગ્રહ મોટો અને સારો છે. પ્રથમ એમણે જરનાલીઝમમાં ઝીંપલાવ્યું, અને આજ ૨૫ વરસથી એ લાઈન એમણે છોડી દીધી છે. કવિતા કરવા અને કાવ્ય વાંચવાને ભારે શેખ હોવાથી, તેમજ તવારીખ ખાસ કરીને પારસી તારીખનો ઘણો ચરસ હોવાથી “ગંજે શાયરાન” “તવારીખે નવસારી,” “પારસી વિષયો” ના પુસ્તકો ખાસ રચ્યાં છે. સંસારનાં સુખ અને સંસારની નીતિ રીતિ વગર બધુ નકામું સમજી હાલ એમણે દશ નવાં પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજા ત્રણ છપાવવાની ઉમેદ રાખે છે. જનસેવા બજાવવાનો એવણને ભારે શોખ છે, પરંતુ હવે અનેક જંજાળ વધવાથી એવહુ પિતાનું કામ કમી કરતા જાય છે.
દાખીને દિલાસા” ના ૫૬ ભાગે પ્રગટ કીધા પછી સંસારસુખનાં ૧૦ અને જીવનચરિત્રોનાં ૬ પુસ્તકે પ્રસિદ્ધ કર્યો, જેમાં સદ્દગુરૂ શ્રી ઉપાસની મહારાજ જેવા પરમહંસનાં જીવનનાં બે વાલ વિશેષ વખણાયાં હતાં. આઠ વરસથી એ સશુરૂ શ્રી મહેરબાબા જેવા ખુદારસીલા સાહેબની સમાગમમાં આવ્યા પછી વેદાંતના ધોરણ ઉપર “ખુદા નામું ” નામનાં પાંચ વાલમ એમણે રચ્યાં છે, જે પૈકી ૨ દફતરે છપાઈ ચુક્યાં છે. નવસારીમાં ઈ. સ. ૧૯૧૦માં અને ઇ. સ. ૧૯૧૧માં ભરવામાં આવેલાં
૧૯૯
Page #268
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મેટાં પ્રદર્શનના એ જનરલ સેક્રેટરી હતા. છેલ્લાં પ્રદર્શનમાં એની મહેનતની કદર કરવામાં આવી સેનાને ચાંદ ભેટ કરવામાં આવ્યો હતે. તેમજ મુંબઈની “બઝમે રેઝે અહુરમઝદ” ની ઘણાંક વરસ સેવા બજાવ્યાથી ચાંદીનું કપ આપવામાં આવ્યું છે. હાલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં પેનશન ઉપરાંત એમને રૂ. ૧૫૦૦નું વિશેષ ઈનામ આપવામાં આવ્યું હતું. “દુઃખીને દિલાસા ” ના ૬૬ ભાગે સાથે ગણતાં એમનાં નાનાં મેટાં પુસ્તકે મળી સરવાળે ૯૫ સુધી થશે. નવસારી ડીસ્ટ્રીકટ લોકલર્ડમાં ઇનામદારો તરફે એઓ સભાસદ નિમાયા છે. આજે પણ સાત આઠ માસિક ચોપાનિયામાં પિતાના લેખ ચાલું પ્રસિદ્ધ કરતા રહે છે. અંગ્રેજી, ફારસી, ગુજરાતી, સંસ્કૃત, ઉરદુ, હિંદુસ્થાની, મરાઠી વિગેરે ભાષાઓના લગભગ છે છ હજાર પુસ્તકોનો સંગ્રહ એમણે કરેલો છે; તેમાં દુર્લભ પુસ્તકો (Rare books) પણ ઘણાં છે. નવસારી હાઈસ્કૂલમાં જરથોસ્તી ધર્મના અભ્યાસ માટે બે વાર સ્કોલરશીપ મેળવી હતી. હિન્દુઓના સ્નાન સુતક જેવાં સ્નાન સુતકે અસલ જરથોસ્તી ધર્મશાસ્ત્ર “વંદીદાદ”માં અનુક્રમવાર જણ વેલાં હોવા વિષે એમણે અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તક પ્રસિદ્ધ કર્યાથી પારીસ એકેડેમીના તેમજ અમેરિકન પાઠશાળાના વિદ્વાન અભ્યાસીઓએ ઉત્તમ અભિપ્રાય આપ્યા છે. “ખુદા નામા” નામના પુસ્તકમાં વિષ્ણુના ૧૦૦૦ નામોની સરખામણી કરીને જરથોસ્તીઓમાં ભણાતાં ૧૦૧ ખુદાના નામની અને મુસલમાનેમાં અલ્લાહના ૯૯ નામની સાથે એમણે પુસ્તકો અને માસિકોદ્વારા પ્રકટાવવા માંડી છે. કાવ્યરસનું પુસ્તક જુદા જુદા ૨૨૫ અલંકારોની ઘટનાવાળું વિશેષ ઉપયોગી છે, જેમાં અનેક ભાષાનાં દાંતે આપ્યાં છે.
એમના ગ્રંથોની યાદી ૧ પારસી અટકો અને નામો
સન. ૧૮૯૧ ૨ આતસબેહરામે દેશાઈ ખોરશેદ
૧૮૯૩ ૩ એયામે નાસાલો હિંગામે નૌરોઝ
૧૮૯૬ ૪ સીહા સંસાર (નાટક)
૧૮૯૭ ૫ તવારીખે નવસારી ૬ હિંદુસ્તાનના આતશબહરામો
૧૮૯૯ ૭ નવસારીની પારસી પ્રજાને અપીલ
૧૮૯૯ ૮ ગાયકવાડ અને બ્રિટાનિયા
૨૦૦
૧૮૯૭
> ૧૮૯૯
Page #269
--------------------------------------------------------------------------
________________
સોરાબજી મં. દેશાઈ
૯ ગંજે શાયરાન (કાવ્ય રસ)
૧૯૦૧ ૧૦ પારસીઓમાં લગ્નનું જોડું
૧૯૦૧ ૧૧ મહારાણી વિકટોરિયાનું જીવન ચરિત્ર
૧૯૦૨ ૧૨ બંદગી અને માથ્રવાણીની મોબરી
૧૯૦૨ ૧૩ પારસી સુતકે (વંદીદાદની ૧૨ મી પરગને ખુલાસો) , ૧૯૦૪ 98 Hindu Sutaks in the Zoroastrian
Scripture (Vandidad Pargard 12th). ૧૯૦૪ ૧૫ જમશેદની ઇતિહાસિક નિંદા
૧૯૦૫ ૧૬ નૂરજેહાન
૧૯૦૬ ૧૭ પ્રાણું મંડળ
૧૯૦૭ ૧૮ સરસ્વતી વિલાસ
૧૯૦૮ ૧૭ એડવર્ડ નામુ
૧૯૧૦ ૨૦ દાદાજીની દરબાર (નવી સુંદર આવૃત્તિ છે).
૧૯૧૧ ૨૧ પારસી વિષયો
૧૯૧૪ ૨૨ બેટી તું સાસરે કેમ સમાશે ? (ત્રીજી આવૃત્તિ છે) , ૧૯૧૯ ૨૩ મહારા દિકરાને !
૧૯૧૯ 88 Omens for auspicious and inauspicious horses
૧૯૧૯ ૨૫ મા-બાપની સેવા
૧૯૨૦ ૨૬ સાદી અંદગીની શોક, ફેશનની ફિસિયારી
, ૧૯૨૧ ૨૭ સલુકની માતા ૨૮ સંસારને સુકાની (બાપ બનવાને હુન્નર)
૧૯૨૨ ૨૯ દુઃખીને દિલાસો [૫૬ ભાગ]
૧૯૧૪ થી ૧૯૨૨ ૩૦ સગુણ સાસુ ૩૧ બંદો અને બંદગી (સુધારા વધારા સાથે ૨ જી આવૃત્તિ) , ૧૯૨૩ ૩૨ સાકેરીના સદગુરૂ (ભા. ૧ લો)
૧૯૨૩ ૩૩ સાકારીના સદગુરૂ (ભા. ૨ )
૧૯૨૪ ૩૪ વિધવા દુઃખ નિવારણ
, ૧૯૨૫ ૩૫ વહેમી દુનિયા
છે ૧૯ર૭ ૩૬ ખુદા નામુ (દફતર ૧ લું)
ક ૧૯૨૯
. ૧૯૨૧
૧૯૨૩
૨૦૧
Page #270
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રા. બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા
–સાહિત્ય માર્તડ– તેઓ ઉમરેઠના વતની; પણ નિવાસસ્થાન વડોદરા લાંબા સમયથી. જાતે વીસા ખડાયતા વણિક અને જન્મ દિવસ ઈ. સ. ૧૮૪૮, સંવત ૧૯૦૦, અષાડ વદ પાંચમ. તેમની માતાનું નામ જમુનાબાઈ હતું.
નાની વયમાં ગુજરાતીનું ઉંચું જ્ઞાન મેળવી તેમજ ગણિત, ભૂમિતિ, બીજગણિત અને ત્રિકોણમિતિને સારો અભ્યાસ કરી અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થયેલા. તે વખતે ટ્રેનિંગ કોલેજને વનયુલર કોલેજ કરવાથી તેમને ઉંચા પ્રકારનું જ્ઞાન દેશી ભાષા મારફત મેળવાને સારી તક મળી હતી. તે સાથે તેમણે સંસ્કૃત, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજીનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. શરૂઆતમાં તેઓ પ્રેકિટસિંગ સ્કુલમાં જોડાયેલા પણ રા. સા. મહીપતરામભાઈની સલાહ અને સૂચનાથી ઈગ્રેજીને વધુ અભ્યાસ કરી મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેથી એમને ભાગ્યોદય જલદી થયો. રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલને હોદ્દો મળ્યો અને તે પછી સર માધવરાવે તેમની સેવાની માંગણી કરતાં સન ૧૮૭૫-૭૬ માં તેઓ વડોદરા રાજ્યના કેળવણુ ખાતામાં જોડાયા અને લાંબી મુદત સુધી તે રાજ્યની એકનિષ્ઠાથી અને વફાદારીથી ચાકરી કરી.
ટ્રેનિંગ કૅલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી માસિકામાં લખાણું કરવાનો શેખ લાગેલ જે અદ્યાપિપર્યત ચાલુ છે. સન ૧૮૬ ૪માં “પાણીપત’ નામનું વીર રસથી છલકાતું કાવ્ય બહાર પાડયું હતું, જે ખૂબ પંકાયેલું. તે પછી શાળાપયોગી પુરતકે એમના મિત્ર સ્વ. લાલશંકર સાથે લખ્યાં, જેવાં કે, ગુજરાતી ભાષાનું વ્યાકરણ, નવું અંકગણિત, લેખ પદ્ધતિ, નામાની પદ્ધતિ. રાજકોટમાં હતા તે વખતથી સ્વદેશી માટે ખરો પ્રેમ લાગેલે; ત્યાં એક પ્રદર્શન ઉભું કરેલું અને તદર્થ “દેશી કારીગરીને ઉત્તેજન ”એ નામનાં બે પુસ્તકો પણ રચ્યાં હતાં.
શાસ્ત્રી નાથાશંકર પંજાશંકરને મદદમાં લઈ પ્રાચીન કાવ્યના છુટક ગ્રંથે ને પછીથી ત્રિમાસિકની યોજના શરૂ કરેલી, જે પાછળથી વડોદરા રાજ્ય તરફથી પ્રકટ થયેલી પ્રાચીન કાવ્યમાળામાં પરિણમી.
કાવ્યો એડિટ કરી પ્રસિદ્ધ કરવા ઉપરાંત એમણ કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા, ભૂતળવિદ્યા, મહીસુરની મુસાફરી, સંસાર સુધારા, ત્રીજાતિનાં
Page #271
--------------------------------------------------------------------------
________________
રા. મા. રાજરત્ન હરગેાવનદાસ દ્રારકાંદાસ કાંટાવાળા
કવ્ય તેમજ વાર્તાનાં પુસ્તકા, અંધેરી નગરીને ગવસેન, એ મ્હેતા અને રાણી રૂપસુંદરી એ પુસ્તક લખેલાં છે.
વળી તેમણે વડેદરા રાજ્યમાં મિલિટરી સેક્રેટરી તરીકે પણ કેટલાક સમય કામ કર્યું હતું.
સન ૧૯૦૩માં એમના કાર્યની કદર ખુજીને સરકારે એમને રાવ અહાદુરનેા ઈલ્કાબ આપ્યા હતા. સન ૧૯૦૫માં તેએ લુણાવાડાના દિવાન નિમાયા હતા.
પરંતુ દેશ અને સ્વદેશી માટે પ્રથમથી પ્રેમ એટલે ઉદ્યાગ તરફ પણ એમનું લક્ષ રહેતું; અને એ વૃત્તિના પરિણામે વડાદરામાં એમણે મીલ સ્થાપવાનું સાહસ ખેડેલું, તે ફતેહમદ નિવડયું છે.
નિવૃત્ત થયા પછી પણ તેઓ શાન્ત એસી રહ્યા નથી. કેવળપુરી કૃત કવિતા, વિશ્વની વિચિત્રતા, ગૃહ વિદ્યા વગેરે પુસ્તકે સવર્ડ લખી પ્રસિદ્ધ કયા છે; અને એમની ટચુકડી સે! વાતેાના પાંચ ભાગ માટે ખાળકવ એમને સદા આભારપૂર્વક યાદ કરશે.
સન ૧૯૨૦માં તેએ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયલા અને થાડાજ વખત પર શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે એમની લાંબી અને યશસ્વી સાહિત્યસેવાની કદર કરી સાહિત્ય માર્તંડ’ નામક સુવર્ણ ચંદ્રક પહેલવહેલા એમને અૌં છે.
વળી તેમની સખાવત પણ હેાળી અને સદેશી છે. સાહિત્ય પરિપને જેમ રૂ. ૧૦૦૦૦) આપ્યા તેમ પેાતાના દેવના ભંડોળ ખાતે રૂ. ૩૦૦૦) ભેટ ધર્યાં હતા; તેમજ જ્ઞાતિના તથા અન્ય કેળવણી મ ંડળાને સારી રકમ આપવાનું વિસર્યાં નથી.
66
એમના મેટા પુત્ર મટુભાઇ મીલ એજંટ હેાવા ઉપરાંત સાહિત્ય” નામનું માસિક છેલ્લાં ૧૭ વર્ષથી ચલાવે છે, તેમાં વખતોવખત એમના લેખા આવતા રહે છે અને તેમાંને! પ્રાચીન કાવ્ય વિભાગનું તંત્ર તેમનાજ હાથમાં છે.
સારા કેળવણીકાર, સાહિત્ય સેવક, સુધારક અને દેશપ્રેમી અગ્રેસર તરીકે એમણે સારી પ્રતિષ્ટા અને નામના મેળવ્યાં છે અને આજે ૮૬ વર્ષની ઉમ્મરે પણ એક યુવકને પાછે હઠાવે એવી નિયમિતતાથી ઉદ્યમ કરે છે.
૨૦૩
Page #272
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એમના ગ્રંથોની યાદી નાત સુધારો
અંકગણિત ભા. ૨ નીતિ અને લૌકિક ધર્મ
લેખ પદ્ધતિ નીતિ ધર્મ
નામાની પદ્ધતિ પાણપત અથવા કુરુક્ષેત્ર
કન્યાવાચનમાળા (પાઠય પુસ્તક અંગ્રેજી દેશી કારીગરીને ઉત્તેજન ભાગ ૧ રાજ્ય) પુસ્તક ૧, ૨, ૩ છે છે કે ભા. ૨
બાળા જ્ઞાનમાળા પુ. ૧, ૨, ૩. મહીસુરની મુસાફરી
(વડોદરા રાજ્ય પાઠય પુસ્તક) ભૂતળ વિદ્યા (પાઠય પુસ્તક
પ્રાચીન કાવ્યમાળા-૩૫ ભાગ વડેદરા તથા ઈગ્રેજી રાજ્ય)
રાણું રૂપસુંદરી બે બહેને
સ્ત્રી જાતિનાં કર્તવ્ય અંધેરી નગરીને ગર્ધવસેન
ઉદ્ધવ કૃત રામાયણ સંસાર સુધારે
ટચુકડી સો વાતે ૫ ભાગમાં કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ભા.૧
કેવળપુરી કૃત કવિતા ભા.૨
વિશ્વની વિચિત્રતા લઘુ વ્યાકરણ
ભાલણકૃત દમસ્કંધ મેટું વ્યાકરણ
સામળશાનો મોટો વિવાહ અંકગણિત ભા. ૧
ગૃહવિદ્યા,વગેરે
ન
=
૨૦૬
Page #273
--------------------------------------------------------------------------
________________
હરભાઇ દુર્લભજી ત્રિવેદી
હરભાઇ દુર્લભજી ત્રિવેદી
એએ ભાવનગર પાસે આવેલા વરતેજના મૂળ વતની અને જ્ઞાતિએ ચાતુર્વેદી મે!ઢ બ્રાહ્મણ છે. એમના જન્મ સં. ૧૯૪૯ ના કાર્તિક વદ છ ના રાજ વરતેજમાં થયેા હતેા. એમના પિતાનું નામ દુર્લભજી રૂધનાથજી ત્રિવેદી અને માતાનુ નામ જીવકુંવર છે. એમણે ઘણાખરા અભ્યાસ ભાવ નગરમાં જ કર્યાં હતા. તેએ સન ૧૯૧૬માં ખી. એ. થયા હતા. ખી. એ.,ની પરીક્ષામાં એમને ઐચ્છિક વિષય સંસ્કૃત તથા અંગ્રેજી હતા. અભ્યાસ પૂરા કર્યાં પછી તેમણે દોઢેક વર્ષોં સુધી મુંબઇમાં શિક્ષક તરીકે રહેલા. બાદ તેઓ દક્ષિણામૂર્તિ ભવનમાં આજીવન સભ્ય તરીકે જોડાયા છે અને અદ્યાપિ ત્યાંજ શિક્ષકનું કામ કરે છે. આજે તેએ વિનય મંદિરના આચાય તરીકે કામ કરે છે. કેળવણી અને પ્રત્યેાગિક માનસશાસ્ત્ર એ એમના પ્રિય વિષયા છે અને જાતીય પ્રશ્નની ચર્ચામાં પણ તેઓ ઉંડા ઉતરેલા છે. એમનાજ પ્રયત્નથી દક્ષિણામૂર્તિ ભવન સહ શિક્ષણુ coeducationને અખતરા અજમાવી રહ્યું છે; અને તેમાં સફળતા મેળવી શકયું છે, વિદ્યાર્થીઓના નિત્ય સહવાસમાં તેઓ વસે છે, એટલે વિદ્યાર્થી માનસનું એમનું જ્ઞાન પણ ઉંડું છે.
એમના ગ્રંથાની યાદી:
તથાગત
વિદ્યાર્થીઓનું માનસ શરીર વિકાસ
જાતક કથા
નૃસિંહ સાર
ગુજરાતી કવિતા વર્ષ, ૧, ૨, ૩, ૪,
જાતીય વિકૃતિનાં મૂળ ડાલ્ટન ચેાજના
ભયના ભેદ ગ્રામ પુનટના
૨૦૫
ઈ. સ. ૧૯૨૪
૧૯૨૪
""
99
,,
39
.
""
56
29
,,
૧૯૨૮
૧૯૨૯
""
""
Page #274
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ડા. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ
એએ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય છે. એએ મૂળ વતની ખેડા જીલ્લામાં નિડયાદ પાસે આવેલા અલીણા ગામના છે. એમના પિતાનું નામ નૃજરાય ખુશાલરાય દેસાઈ અને માતાનું નામ સુભદ્રા હૅન હતું. એએ સરકારી નાકરીમાં હાઈ, એમને જૂદે જૂદે ગામે ફરવાનું ઘણું થતું અને તે વખતે નોકરીમાં પગાર પણ શ્રૃજ. તેમ છતાં સુભદ્રા મ્હેન વરને કારભાર, કરકસર કરી કુશળતાથી ચલાવતા. તે બહુ સુશીલ સ્વભાવના અને સંસ્કારી બાઇ હતા; તેમ માયાળુ અને મમતાવાળા પણ એવા જ. એમના મેટા પુત્ર તે ડૉ. હરિપ્રસાદ. એમને જન્મ સન ૧૮૭૯ માં ગોધરામાં થયલે. પ્રાથમિક શિક્ષણ એમણે ગુજરાતની જુદી જુદી નિશાળામાં લીધેલું. તેએ સેકન્ડથી સેવન્થ સુધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ અમદાવાદમાં ભણેલા. ત્યાં ડી. કે. ગુપ્તે માસ્તર જેએ ન્યુ ઇંગ્લીશ સ્કૂલમાં હેડ માસ્તર હતા એમની અસર એમના જીવનપર બહુ સારી અને પ્રબળ થયેલી અને મેટ્રિક સુધી પહોંચેલા. બાદ અમદાવાદની મેડિકલ સ્કુલમાં જોડાઈ આસિસ્ટંટ સર્જન થયલા; પણ ત્યાં મતભેદ ઉઠતાં કલકત્તા જઇને એલ. સી. પી. એસ. ની ડીગ્રી મેળવી આવેલા. અત્યારે તેએ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર છે.
બચપણમાંથી માતા પાસેથી ઉન્નત સંસ્કાર પ્રાપ્ત થયલા, તે એમનામાં દિવસે દિવસે ખીલી ફાલ્યા છે. વાચનને, સભાએમાં જવાના, રમતામાં ભળવાના શાખ છેક ન્હાનપણથી; વિનેાદી સ્વભાવ પણ ખરા. ગરીબ સ્થિતિના એટલે હાથ પણ સંકુચિત રહે; તેમ છતાં મન એવી રીતે કેળવલું કે તેઓ સદા આઝાદી અનુભવે. જૂદા જૂદા પ્રકારના વાચનમાં અને મિત્રેાના સહચારમાં; અને એમના એ ન્હાનપણુ અને વિદ્યાર્થી અવસ્થાના સ્મરણા પણ સ્ફૂર્તિદાયક અને રમુજી માલુમ પડશે (જીએ કુમાર વા. ૫ મું.)
એમના ધંધા ડાક્ટરને; પરંતુ એમને શેાખ અને અભ્યાસ જોઇએ તે અનેકવિધ, જૂદા જૂદા ક્ષેત્રામાં એક સરખા, દરેકમાં ચંચુપાત કરેલે અને તેના મુખ્ય મુખ્ય અંશે ગ્રહણ કરેલાં દેખાશે.
તેથી એમના ભાષણેામાં અને એમના જીવનમાં રસિકતાની વિવિધતા ષ્ટિગેાચર થાય છે.
એકાદ વર્ષ માટે એમણે સન ૧૯૭૫-૬ માં એમની જ્ઞાતિનું ત્રિમાસિક એડિટ કરેલું અને તેને રસ્તે ચઢાવી આપેલું. વળી ઉદ્ધેધન નામના
२०६
Page #275
--------------------------------------------------------------------------
________________
ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેશાઇ
રાષ્ટ્રીય માસિકમાં પ્રસંગોપાત્ લેખા લખેલા. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી પણ તેઓ ઘણાં વર્ષોં સુધી હતા અને અત્યારે તેઓ તેના ઉપપ્રમુખ છે.
કળા અને સંગીતને શેખ પણ વિશેષ; પંચર’ગી લાવણી તે એમની; અને અમદાવાદના એક ચિત્રકાર સ્વ. મગનલાલના ચિત્રાની પહેલવહેલી કદર એમણે જ કરેલી અને કરાવેલી. તે પછી અમદાવાદ અને ગુજરાતની કળાનું એમણે પદ્ધતિસર અને ઐતિહાસિક અવલેાકન કરેલું છે.
અમદાવાદમાં ભરાયલી સંગીત પરિષદના સ્વાગત મંડળના તેઓ મુખ્ય સંચાલક હતા અને હાલ પણ રાષ્ટ્રીય સંગીત મંડળના પ્રમુખ છે. જાતે ડૅાકટર એટલે આરેાગ્ય વિષે સારૂં જ્ઞાન હોય જ. તે માત્ર પોથીમાંનું નહિ; પણ તે અનુભવજન્ય. અમદાવાદ શહેરની આદર્શ સફાઇ કરવાનું માન એમને પ્રાપ્ત થયલું છે અને તે કાય માં થયલે એમને અનુભવ બીજાને માદક થઈ એધપ્રદ નિવડશે.
આ પ્રમાણે જૂદી જૂદી પ્રવૃત્તિએમાં તેએ હમેશ તૈડાયલા રહે છે; તે સાથે સાહિત્યવાચન અને અભ્યાસ પણ ારી હોય છે. રાજ એ કલાક અભ્યાસમાં ખરા; તે ઉપરાંત વિશેષ અનુકરણિય તે, રાત્રે સુતા પહેલાં રાજના કામનું નિરીક્ષણ-આંતરપરીક્ષણ, એ બધું એમના જીવનની કુચીરૂપ છે.
વળી ડોકટરનું દવાખાનું એટલે માત્ર દવા મળવાનું સ્થળ નહિ; પણ જીદ્દી બ્લૂદી પ્રવૃત્તિનું અને તેને લગતી માહિતી મેળવવાનું એક જીવંત કેન્દ્ર
શરીર પણ એમણે શરૂઆતથી સારૂં ખીલવેલું, એટલે દરરે કે ઘણાં વર્ષો સુધી અહીંની ન્યુ ઇંગ્લિશ સ્કુલમાં એક કસરત શિક્ષક તરીકે એમણે કામ કરેલું; અને એમના એ વિષય પરના પ્રેમના કારણે પ્રથમ વ્યાયામ પરિષદ સન ૧૯૨૮ માં નિડયાદમાં ભરાયલી તેના પ્રમુખ એમને નિમવામાં આવ્યા હતા.
પણ સૌથી વિશેષ આકર્ષીક એમ.આશાવાદ; અને દરેકમાંથી કંઈક ને કંઈક રમુજ મેળવવાને આનંદી સ્વભાવ છે, જે તેમને અધિક ચેતન અને બળ બક્ષે છે, અને તેમના કાર્યને ગતિમાન કરવામાં મદદગાર થાય છે.
એમણે લખેલા પ્રથા પણ આવે છે. તે ફકત વક, આરગ્યને લગતાંજ નિહ પણ વાર્તા, ચરિત્ર વગેરે ભિન્ન ભિન્ન વિયેા પર છે. પ્રકાણું
૨૦૭
Page #276
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
લેખે પણ સારી સંખ્યામાં મળશે; તેમાં નૈતીતાલ, સાંચી, જર્મન કવિ ગિટિ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે.
એમનાં પુસ્તકોની યાદી મેલેરિયા તાવ. આરોગ્યની વાત. બાળ કલ્યાણ. સંસારનાં સુખ. ('Pleasures of Life' ને અનુવાદ) પાપીની દશા (ટાલસ્ટોયની “Forty years’ અનુવાદ] સાહિત્યને વિકાસ કેમ થાય સાહિત્યના પ્રેરક બળો દાદાભાઈ નવરોજજી (જીવનચરિત્ર) આરોગ્યશાસ્ત્ર
૨૦૮
Page #277
--------------------------------------------------------------------------
________________
હરિલાલ ભગવંતરાય બુચ
હરિરાય ભગવંતરાય બુચ
જ્ઞાતિએ (વડનગરા) નાગર ગૃહસ્થ. જન્મ, ઑગસ્ટ ૧૮૮૨માં. મૂળ વતન જુનાગઢ, હાલ ઘણાં વર્ષોથી વડોદરામાં નિવાસ કરે છે, સન ૧૯૦૯ થી “સયાજી વિજય’ના ઉપતંત્રી તરીકે કામ કરે છે. વડોદરાની સાહિત્ય વિષયક તેમજ અન્ય સાર્વજનિક હિલચાલોમાં આગળ પડતો ભાગ લે છે, એક જાહેર કાર્યકર્તા અને વક્તા તરીકે તેઓ સારી રીતે જાણતા છે; અને એક લેખક તથા પત્રકાર તરીકે પણ તેમણે ઉથી છાપ પાડેલી છે. “સયાજીવિજય” ગુજરાતના અઠવાડિકમાં જે લાગવગ અને બહોળા પ્રચાર ધરાવે છે, તેની લોકપ્રિયતામાં એમને હિસ્સો જે તે નથી. એમના પ્રિય વિષયો ઇતિહાસ અને પુરાતત્ત્વ છે. એમના પુસ્તકોની યાદી નીચે મૂંધી છે તે પરથી જોઈ શકાશે કે એમની કલમ કયા ક્યા ક્ષેત્રમાં ફરતી રહી છે
એમના ગ્રંથોની યાદી ૧ “હારમાળા અને તેને લેખક
સન ૧૯૧૨ ૨ કમલાકુમારી અથવા પૂર્વ એસ. એમ. મિત્રના “હિંદુપુર' પશ્ચિમનો હસ્તમિલાપ ) ઉપરથી અનુવાદ)
કે નામક અંગ્રેજી નવલકથાના સન ૧૯૧૨ ૩ પાર્લામેન્ટ અથવા તે
} [સયાજી-સાહિત્યમાળા તરફથી
જ બ્રિટિશ રાજ્યસભા [
સન ૧૯૧૯ જ ચક્રવર્તી અશોક [સયાજી સાહિત્યમાળા તરફથી
સને ૧૯૨૧ ૫ ,, ,, [બાલ સાહિત્યમાલા તરફથી]
સન ૧૯૨૬
૨૦૯
૨૭
Page #278
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી હિમતલાલ ગણેશજી અંજારિયા
એમને જન્મ ઈ. સ.૧૮૭૭માં ઓકટોબર મહિનાની રજી તારીખે (સંવત ૧૯૩૩ના ભાદરવા વદ ૧૦) રાજકોટમાં થયેલો; જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. માતાનું નામ નરભેકુંવર હતું. તેઓ સન ૧૮૯૮માં બી.એ., સન ૧૯૦૫માં એમ. એ; અને ત્યારપછી ૧૯૧૩માં એલ એલ.બી; સને ૧૮૯૯થી ગોંડલ રાજ્યના કેળવણી ખાતાની નોકરીમાં જોડાયા, અને એમ. એ થયા પછી સન ૧૯૦૬થી મુંબાઈ કેરપરેશનમાં સ્કુલ કમિટીમાં મુંબાઈની સ્કુલોના પ્રથમ આસીસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અને ૧૯૧૫થી ગુજરાતી સ્કૂલોના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલા અને તે હોદ્દા પર હજુ ચાલુ છે.
ગોંડલ રાજ્યમાં તે વખતે સન ૧૯૦૩માં ગાંડલ રાજ્યનો ઈતિહાસ પ્રકટ કરેલો અને તે અરસમાં જ “કાવ્ય માધુર્ય” નામનું અર્વાચીન કવિતામાંથી સારી સારી કવિતાઓના સંગ્રહનું પુસ્તક પાલ્ગવની ગેલ્ડન ટ્રેઝરીના ધોરણે એડિટ કરી સારી ખ્યાતિ મેળવી હતી. તે પછી “કવિતા પ્રવેશ', સંગીત મંજરી, “સાહિત્ય પ્રવેશિકા,” પદ્યસંગ્રહ અને શાળાશિક્ષણને લગતાં પાઠય પુસ્તક ભૂગોળ અને કેળવણીના વિષયો પર લખેલાં છે.
એમના ગ્રંથોની યાદી ગેડલનો વાતારૂપ ઇતિહાસ
૧૯૦૩ કાવ્ય માધુર્ય
૧૯૦૩ દેશભક્તિનાં કાવ્યો
૧૯૦૫ ગદ્યશૈલીના બે શિષ્ટ લેખકો (“વસન્ત' માસિકમાં) ૧૯૦૫ કવિતા પ્રવેશ (કરીમ મહમદ માસ્તર સાથે)
૧૯૦૮ સંગીત મંજરી
૧૯૦૯ મુંબઈ બેટની ભૂગોળ
૧૯૧૪ હિંદુસ્તાનની ભૂગોળ
૧૯૧૫ મધ્યબિન્દુ
૧૯૧૫ કિન્ડરગાર્ટન સંબંધી ૬ લેખ.
૧૯૧૬ બાળ સ્વભાવ અને બાળઉછેર
૧૯૨૦ સાહિત્ય પ્રવેશિકા.
૧૯૨૨ શિક્ષણ ચંદ્રિકા
૧૯૨૩ પદ્ય સંગ્રહ (શ્રી ગુ. વ. સોસાઇટી તરફથી) કવિતા વિનાદ.
૧૯૨૬
૧૯૨૬
૨૧૦
Page #279
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
પ્રેસ કંપી અને પ્રફ રીડિંગ ગ્રંથલેખનની સાથે સાથે જ તેના મુદ્રણની વ્યવસ્થાનું કામ પણ સંકળાએલું છે, એમ કહીએ તે ચાલે. છતાં આપણા લેખકેને મોટો ભાગ તેનાથી પૂર્ણ પરિચિત નહિ હોય. જે થોડેઘણે પરિચય હશે તે, એ ધંધા સાથેના સંબંધને અંગે બેળે બળે થઈ ગયો હોય તેટલે જ. એટલે તે પણ અધકચરો હોવાનો.
એ ધંધાની આંટીઘૂંટી અને વિગતોમાં ઉતરવાની સૌને જરૂર ન હોય, પરંતુ પુસ્તકના પ્રકાશનને અંગે જે બે બાબતોમાં પિતાને તેની જોડે સંસર્ગમાં આવવાનું હોય છે તે વિષયો પૂરતું તે સારું એવું જ્ઞાન પ્રત્યેક ગ્રંથકાર હોવું જોઈએ. પશ્ચિમના દેશો તો પ્રત્યેક ગ્રંથકાર એ બે બાબતમાં પારંગત હોય છે. પહેલું, છાપખાના માટે પોતાના ગ્રંથની હાથ-પ્રત તૈયાર કરવાનું, બીજું તેનાં પ્રફ વાંચવાનું. બંને બહુ નજીવા દેખાતાં કામ છે; પણ ઘણીવાર બને છે તેમ, આ બે નજીવી વસ્તુઓ ઉપર જ આખા પુસ્તકના ઉદ્ભવ–ઉઠાવ, સૌંદર્ય, ભૂલરહિતતા, સુઘડતા વગેરેનો આધાર છે.
એ ખરું છે કે આપણે ત્યાં મુદ્રણકળાનો વિકાસ હજી જોઇએ તેવો થયો નથી, એટલે મનમાન્યાં પુસ્તક-પ્રકાશને થઈ શકતાં નથી. પણ તેથી તે ગ્રંથકાર જેવા તેના સંબંધમાં આવતા સંસ્કારી વર્ગે એ ધંધા તરફ જરા વધુ કાળજી ધરાવવાની અગત્ય ઊભી થાય છે.
હાથ-પ્રત અને મુફ, એ બેમાં બીજાની સરળતાનો આધાર પહેલા ઉપર બહુ અવલંબે છે. તમે જે તમારી હાથ-પ્રત બરાબર ચીવટથી, સુઘડતાથી અને બધી બાબતેની એકસાઈ રાખીને તૈયાર કરી હશે તો પ્રફ વાંચવામાં જરા યે અગવડ નથી પડવાની. એકાએકીવાળું લખાણ, ગરબડિયા અક્ષરે, અશુદ્ધ અને ભૂલોવાળી જોડણી, ખોટાં લેખન-ચિહ્નો અને આડીઅવળી ગોઠવણવાળી પેરેગ્રાફ વગેરેની સૂચનાઓ–આ અથવા આમાંની કોઈપણ ખામી છાપખાનામાં આપવાની હાથ-પ્રતમાં હરગીઝ ન ચાલે.
હાથ-પ્રતમાં લખાણને પહેલો ને મુખ્ય મુદ્દો જે જોઈએ તે તો સામાન્ય રીતે સૌ જાણતા હશે, કે પ્રત્યેક લખાણ સ્વચ્છ, ઉકલે એવા
૨૧૧
Page #280
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
સ્પષ્ટ અક્ષરે, છુટી લીટીમાં, એકધારું અને કાગળની એક જ બાજુ લખેલું હોવું જોઈએ. કેટલાકને પિતાનાં લખાણ પુસ્તકના આકારમાં બાંધેલી નોટમાં કાગળની બંને બાજુએ લખવાની ટેવ હોય છે. પોતાની અંગત સંગ્રહપ્રતને માટે એ ચાલે, પણ છાપખાનામાં આપવા માટે તે છુટા છુટા કાગળ ઉપર અને એક જ બાજુએ લખેલી પ્રત તૈયાર કરવી જોઈએ; કેમકે ત્યાં કાંઈ એક જ બીબાં ગોઠવનારને આખું પુસ્તક કેપેઝ માટે આપવામાં નથી આવતું, પણ ઝડપી નિકાલ માટે જુદા જુદા કારીગરોને આખું કામ વહેંચી નાખવું પડે છે. એટલે તમે છુટાં પાનાંની પ્રતને બદલે આખી બાંધેલી નોટ આપી હોય તે તેને ફાડીને પાનાં છુટાં કરી લેવાં પડે છે. લખાણ એક જ બાજુએ એટલા માટે હેવું જોઈએ કે તેથી સુઘડતા જળવાય છે, અને બીબાં ગોઠવનારને એમાં સુગમતા પડતી હોવાથી કામ સ્વચ્છ અને ઝડપી થાય છે. એકબીજાની પાછળ લખેલાં લખાણ ઘણીવાર આરપાર ઊઠી આવે છે, ચેમાસા જેવી ઋતુમાં તો પાછળ ફૂટી નીકળે છે અને પરિણામે હાથ-પ્રત અસ્પષ્ટ અને ગંદી બની જાય છે.
બીજે મુદ્દે તે જોડણી અને લેખન-ચિહ્નોને. આપણે ત્યાં કેળવાએલા વર્ગમાં પણ જોડણીની અનિશ્ચિતતા અને અરાજકતા પ્રવર્તે છે ત્યાં છાપખાનાના અધકચરું ભણેલા કારીગરો પાસેથી તે બાબતની ચોકસાઈની આશા કેવળ વ્યર્થ છે. તેઓ તે સંચાની પેઠે નિર્જીવપણે તમારી હાથ-પ્રત પ્રમાણે જ બીબાં ગોઠવ્યે જાય છે. વિલાયતનાં છાપખાનાંઓમાં તો રૂફરીડર અને કારીગરે, લખાણમાં અજાણે રહી ગએલી જોડણીની કે એવી ગલતીએ આપમેળે સુધારી લે છે, એટલું જ નહિ પણ ત્યાંના રૂફરીડર તે વાયરચનાઓ, વ્યાકરણના નિયમો, શબ્દોના હળવાભારે પ્રયોગે, તેમની અર્થછાયાઓ વગેરેના પણ ઠીક નિષ્ણાત હોય છે, એટલે ત્યાં એ બાબતની ચિંતા લેખક બહુ ન કરે તો પણ ચાલે એવું હોય છે; છતાં ત્યાં પણ હાથપ્રત તે સંપૂર્ણ શુદ્ધ તૈયાર કરીને પહેલેથી જ આપવાની પદ્ધતિ છે. એને મુકાબલે આપણે ત્યાં તો એ બાબતમાં અત્યંત કાળજીની જરૂર દેખીતી છે.
પિતાની જ વિશિષ્ટ જોડણું રાખવાને જેમને આગ્રહ હોય તેમણે તે અવશ્ય તે મુજબ જ લખાણની હાથ-પ્રત તૈયાર કરવી, અને છાપખાનાવાળાને પણ તેમાં કશા સુધારાવધારા કર્યા વિના તેને ચુસ્તપણે વળગી રહેવાની પહેલેથી સૂચના આપવી. બીજાઓએ, પોતાને માન્ય હોય તેવા કોઈ પણ
૨૧૨
Page #281
--------------------------------------------------------------------------
________________
પ્રેસ કંપી અને પ્રફ રીડિંગ
જોડણીકોષના નિયમોને અનુરૂપ પણ સળંગ, એકધારી ને શુદ્ધ જોડણીવાળું જ લખાણ હાથ-પ્રતમાં તૈયાર કરી આપવું જોઇએ,
- ત્રીજો મુદ્દો તે લખાણમાં આવતાં અવતરણો, કાવ્ય, ફૂટનોટો, કોઈ વિષયને લગતા કાઠાઓ, હાંસિયામાં લેવાનાં લખાણો, પેટા મથાળાં અથવા પેરેગ્રાફના પડખામાં મૂકાતાં (માર્જિનલ) મથાળાં, અમુક વિષયમાં બતાવવાના ભારદર્શક કાળા અક્ષરે વગેરેની સૂચનાઓનો. આ બધાં લખાણમાં
જ્યાં જ્યાં આવતાં હોય ત્યાંત્યાં બરાબર તે મુજબ જ લખીને તૈયાર કરી આપવાં જોઈએ, અને ઉપરાંત તે વિષયની સ્પષ્ટ સૂચના પણ લખાણની બાજુએ પેન્સિલથી કરવી જોઈએ. અવતરણો કે કાવ્યોના ઉતારા, ચાલુ કાવ્યમાં આવતા છંદ, રાગ કે ઢાળનાં નામ, gટનોટો વગેરે પુસ્તકના ચાલુ ટાઈપ કરતાં જરા નાનાં બીબાંમાં ગોઠવવાનો રિવાજ છે. કાળજીથી હાથ-પ્રત તૈયાર કરનાર માણસ તો એ મુજબ એ બધા અક્ષરે, પિતાના ચાલુ અક્ષરોની લઢણ કરતાં નાની કરે જ. પણ તેમ ન બને તો તે નાના ટાઈપમાં લેવાની સૂચના અવશ્ય કરવી. વળી કેટલાક લેખકે અવતરણોને ચાલુ લખાણ કરતાં સાંકડા માપમાં –બંને બાજુ હાંસિયા રાખીને–પેટામાં લેવડાવે છે. તેવી ઈરછાવાળાઓએ તે મુજબની પણ સ્પષ્ટ સુચના હાથપ્રતમાં જ કરવી જોઈએ, અને તે મુજબ લખી પણ બતાવેલું હોવું જોઈએ; કેમકે આવા બધા સુધારા પાછળથી મુફ વખતે કરાવવામાં બેવડી મહેનત અને વખત લાગે છે, અને તે બદલ છાપખાનાંવાળા વધુ નાણું પણ માગી શકે છે.
કઈ ખાસ વિષયને લગતા કોઠાઓ હોય તો તે પિતાને જોઈએ એ મુજબ જ આબેદબ આંકી ગોઠવીને જ તૈયાર કરી આપવા જોઈએ, કે જેથી બીબાં ગોઠવનારને ઓછામાં ઓછી ગૂંચવણ અને મહેનત પડે, તથા પાછળથી એ કામમાં બહુ ફેરફાર કે ઉથામવાપણું ન રહે. કેમકે આવા કેઠાઓ ગોઠવવા એ બીબાં ગોઠવવામાં અઘરામાં અઘરું કામ હોય છે અને ઘણીવાર તે લાંબે કઠો એકેક કારીગરનો અરધે કે આ દિવસ ખાઈ જાય છે. એવા કામમાં પાછળથી તમે ઉથામણ કે ફેરફાર કરાવે તે મહેનત અને વખત બંને માગે, અને તેથી છાપખાનાવાળા તેને વધારે દામ માગે એ દેખીતું છે.
છેલ્લી વાત રહી તે સર્વસામાન્ય સુઘડતા, ઉઠાવ અને એકધારાપણા વિષેની. સામાન્ય રીતે પ્રત્યેક ગ્રંથકારે, પિતાનું પુરતક કેવું થવું જોઈએ
૨૧૩
Page #282
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
તેના કાંઇક ઝાંખા જેવા આદશ ઘડી રાખ્યા હેાય છે, અથવા એકાદ પુસ્તકને નમૂને નજર સામે રાખ્યા હોય છે. એ આદર્શો અથવા નમૂનાને બને તેટલે અનુરૂપ પાતાની હાથ-પ્રતને નમૂના તૈયાર કર્યાં હાય તે પછી જરા ઉત્સાહી છાપખાનાવાળા પાસેથી પોતાનું મનમાન્યું કામ લેતાં કશી મુશ્કેલી નથી આવતી.
સુધડતા જાળવવામાં તે, પેાતાના અક્ષરે જો સ્વચ્છ અને સ્પષ્ટ થતા હોય તે। કાંઇ હરકત નથી આવતી; નહિતર કાઈ સારા અક્ષર લખનાર પાસે હાથ-પ્રત તૈયાર કરાવી લેવી એ પિરણામે એઠું ખરચાળ નીવડે છે. ઘણાખરા શક્તિસંપન્ન તે હવે ગુજરાતી ટાઈપરાઈટર વસાવે છે.
એકધારાપણું જાળવવાને, ઉપર બતાવેલા મુદ્દાને ચીવટથી અનુલક્ષીને લખાણ તૈયાર કર્યુ હાય તેા બસ. કેટલાક ચીવટવાળા અને કુશળ લખનારાએ તે પેાતાના નમૂના માટે જે પુસ્તક ધાર્યું હોય તેની લીટીએ લીટી અને પાને પાના મુજબ, પહેલેથી ગણતરી કરીને લખાણ તૈયાર કરે છે. દાખલા તરીકે, છાપેલા પુસ્તકના એક પાનામાં પચીસ લીટી આવતી હાય અને એકેક લીટીમાં ત્રીસને શુમારે અક્ષરા આવતા હોય તેા, બરાબર તે જ મુજબ, કાળજીપૂર્વક દરેક લીટીમાં ત્રીસ ત્રીસ (અથવા તેની આસપાસ) અક્ષરે આવે અને એવી પચીસ લીટી દરેક પાનામાં લખાય એવી રીતે આખી હાથ-પ્રત તૈયાર કરવામાં આવે તે એ નમૂનેદાર હાથ-પ્રત ગણાય, એવી હાથ-પ્રતમાં જ્યાં અવતરણા, કાડા, પેટા મથાળાં વગેરે આવતાં હોય તે તે મુજબ મૂક્યાં હોય, નવાં પ્રકરણા શરૂ થતાં હોય ત્યાં પતિસર કારી જગ્યા રાખીને શરૂઆત કરી હોય, પ્રકરણના પ્રથમાક્ષરા ઇચ્છા મુજબ માપસર મેટા દર્શાવ્યા હાય, લખાણમાં આવતાં વિશેષ નામેા વગેરે જે કાઇના પ્રથમાક્ષરા કાળા લેવડાવવા હાય ત્યાંત્યાં નીચે લીટી દોરીને દર્શાવ્યું હાય, એટલે તે આદર્શ હાથ-પ્રત થઇ. એવી હાથ-પ્રત ઉપરથી, પહેલી જ નજરે, તમારૂં પુસ્તક કેટલાં પાનાંનું ઉતરશે તે નિશ્ચિત અંદાજ તમે કાઢી શકા, તેનું ખર્ચ ગણી શકે અને એ હાથ-પ્રત છાપખાનાવાળાને આશીર્વાદ રૂપ થઇ પડે. તમારૂં કામ હેાંશેહેાંશે, એછામાં ઓછી ભૂલાવાળું તે વધારેમાં વધારે ઝડપથી ચાલતું થાય અને એક જ વખતના સુધારાથી ઝાઝી મહેનત વિના તમને તરત સ્વચ્છ, સુધડ અને ભૂલરહિત, તમારા મનમાન્યા નમૂના મુજબનું કામ મળે.
૨૧૪
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રેસ કંપી અને યુફ રીડિંગ
ઉખડું ટોળી,
ડિતજ ૦૫] ગુuતા માં ઉનાના
ગિજુભાઈ
मारा अपनी
उपए।
2 4 ના ભાઈ સુમન ખાખu
WA MMMMMMMMM પu
અા ઋ ક મ પ WALAM ULM LAU LABA WW миллашила млмилалии м
I l વિણા
ખાન મંદિર છેajનગ૨
Rs wwwwwwwwwwwww w
ww wwww w w www wwww
મેં ? 5 5 ન wu wu wune www wy29 MAMLA WMM VAM WA
હાથ-પ્રતની સાથે પિતાની કલ્પના મુજબને, પુસ્તકના રૂપ ઉઠાવ તથા પાનાંની ગોઠવણનો નમૂનો છાપખાનાવાળાને કેમ કરી આપવો તેની ઢબ આ ઉપર બતાવી છે. કરકરિયાળી લાઈનથી દરેક પાનાનું માપ બતાવ્યું છે. મથાળાનું પહેલું ચિત્ર, પુસ્તકના પૂઠાનો નમૂનો બ્લોક વગેરેના સ્કેચ સાથે કેમ કરી આપ તે દર્શાવે છે. પછીના ચિત્રમાં નવું પ્રકરણ કેવી ઢબથી શરૂ કરવું તે દર્શાવ્યું છે. શણગારનો ગ્લૅક તથા પ્રકરણના અંક
૨૧૫
Page #284
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
અને ટાઈપની રચના કરીને મથાળું કેમ બાંધવું, પાનાને મથાળે તથા પ્રકરણના નામ અને લખાણ વચ્ચે કેટલી જગ્યા કરી મૂકવી, પ્રકરણને પ્રથમાક્ષર કેવડો મોટો લઈને તેના પિટામાં બરાબર લખાણની બે જ લીટી સપ્રમાણ કેમ સમાવવી અને સમસ્ત પૃષ્ઠની પ્રમાણબદ્ધ રચના કેમ કરવી તેનો એ નમૂનો છે.
પુસ્તકનાં બાકીના ચાલુ પાનાંઓની રચના કેમ કરવી તેનું સુચન નીચલા નમૂનામાં કર્યું છે. પુસ્તકનાં સામસામાં આવતાં બેકી તથા એકી ક્રમનાં પૃષ્ઠ ઉપર, રૂલ લાઇન મૂકીને પુસ્તકનું નામ તથા પ્રકરણનું નામ કેમ ગોઠવવું, પાનાને ક્રમના અંક કયાં ગોઠવવા, ક્યા અક્ષર ઘાટાઘેરા તથા ક્યા ચાલુ બીબાંમાં લેવા, દરેક પૃષ્ઠમાં કેટલી લીટીઓ લેવી, પેરેગ્રાફ કેટલી જગ્યાથી શરૂ કરવા, વચ્ચે કવિતા કે અવતરણ આવે તે સાંકડા માપમાં કેમ ગોઠવવાં વગેરે બધી બાબતોનો તેમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત, આખા પુસ્તકને ઉઠાવ દીપી નીકળે તે માટે, પુસ્તકની મથાળાની બાજુ તથા અંદરની બાંધણીની બાજુએ સાંકડા માર્જિન અને પડખેની તથા નીચેની (ધસારો લાગવાની) બંને બાજુએ પહોળી જગ્યાના મોટા માર્જિન છોડીને, પુસ્તક છાપવા માટે મશિને પર ચડાવતી વખતે તેનાં પાનાં ત્યાં કેવી રીતે ગોઠવવાં તેની સૂચના પણ સાથોસાથ એ નીચલા નમૂનામાં આવી જાય છે.
ઉપર જણાવ્યું તેમ, પુસ્તકના કદને વિચાર પણ હાથ-પ્રતની સાથેસાથે જ કરવો જોઈએ અને બને તે પોતાના ધારેલા નમૂનાના પુસ્તકના પાન પ્રમાણે જ હાથ-પ્રત તૈયાર કરવી જોઈએ. પુસ્તકનાં જુદાં જુદાં કદ હોય છે તેની ઝાઝી ઝીણવટમાં અહીં નહિ ઉતરીએ, પણ તે બધાંની જાત વાર ઓળખ મેળવવા સારૂ તેમનાં નામ અને નમૂના જાણી લઈશું એટલે સમજમાં આવી જશે.
પુસ્તકોનાં જે જુદાં જુદાં કદ કહેવાય છે તે ખરી રીતે તે કાગળનાં જુદાં જુદાં માપનાં નામ છે. તે તે માપના કાગળને ચોવડે, આઠવડે, સોળવડે કે બત્રીસવડો વાળતાં જે કદ આવે તે કદ અને માપનું એ પુસ્તક કહેવાય. અત્યારે ડેમી, ક્રાઉન, રૈયલ, સુપર રયલ અને ફુસકેપ એ પાંચ માપ પ્રચલિત છે. “સાહિત્ય’, ‘વસંત', બુદ્ધિપ્રકાશ' વગેરે માસિકો છપાય છે તે શયલ આઠ પેજ સાઈઝ –એટલેકે રોયલ માપના કાગળને આઠવો
૨૧૬
Page #285
--------------------------------------------------------------------------
________________
પ્રેસ કાપી અને ક્ રીડિંગ
વાળીએ તે આવે તે કદ, તેને એવડું વાળતાં તેનાથી અરધી અને તે રાયલ સાળ પે”. કવિ ખબરદારની ‘સંદેશિકા’, ‘કાવ્યમાય” વગેરે એ કદનાં પુસ્તકા છે. એ કદ પુસ્તકા માટે પહેલાં પ્રચલિત હતું; પણ આજકાલ તો ક્રાઉન સાળ પેન્ટ કદ જ સ્ટૅન્ડ' ગણાય છે. ધૂમકેતુ’ના ‘તણુખા', નવજીવન પ્રકાશન મંદિરનાં પુસ્તકા એ તે કદનાં. એનાથી બમણું મોટું—એટલેકે ક્રાઉન આઠ પેલ્ટ--કદ તે ‘કુમાર’ ‘નવચેતન’ વગેરે માસિકાનું. રૅાયલ જાતમાં પુસ્તકા માટે એક ત્રીજું કદ છેઃ રૅયલ ખાર પેજી, ગુજરાતી' પત્રની બધી ભેટ એ કદમાં છે. આ પુસ્તકનું કદ ડેમી આઠ પેન્ટ છે; અને તેનાથી બમણું તે ડેની ચાર પેક્ટઃ બે ઘડી મેાજ' વગેરે અઠવાડિકાનું. ‘નવજીવન’, ‘સૌરાષ્ટ્ર’ વગેરેનાં કદ પુલ્સકેપ ચાર પેન્ટ, અને બાલમિત્ર’, ‘શિક્ષણ પત્રિકા' વગેરે તેનાથી અરધાં તે લ્સકેપ આઠ પે. તેનાથી યે અરધાં સકેપ સેાળ પેજી તે ‘પૂર્વાલાપ’ વગેરે કદનાં પુસ્તકે. એવાં નાનાં કદમાં દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિરની બાળસાહિત્યમાળા' તે ડેમી સેાળ પેજી, આશ્રમભજનાવલિ' તે ક્રાઉન ત્રીસ પેજી અને ગીતાના ગુટકા આવે છે તે રૅયલ ત્રીસ પેજી.
પુસ્તકના કદના પરિચયની સાથેસાથે છાપવાનાં ખીમાંની જુદીજુદી જાતાની એળખ પણ કરી લઈએ એટલે એ પ્રદેશનું પ્રાથમિક જ્ઞાન પૂરું થયું. યૂરોપ-અમેરિકામાં તે મુદ્રણકળાની પ્રગતિ હમણાંહમણાં એટલી ઝડપથી થાય છે કે દર વર્ષે એકમે નવી મનાં ખીમાં ઢળ્યાં જ હોય છે. એટએટલું વૈવિધ્ય, માંદા અને નવીનતા એમાં હોય છે કે છક થઈ જઈ એ. આપણે ત્યાં તે આ ધંધે જ ખૂણે પડેલા છે, એટલે ગુજરાતી બીબાંમાં શરૂઆતથી જે થાડીક વિવિધતાએ ચાલતી આવી છે તે તે તે હજી કાયમ રહી છે. આ નીચે એ ખીમાંના નામની લીટીએ, તે તે જાતનાં બીબાંમાં ગાવીને જ આપી છે, એટલે વાચકને તેનાં નામ અને પ્રકાર બંનેનું જ્ઞાન એકીસાથે થઈ જશે.
२८
સ્માલ પાઈકા
માલ બ્લેક
પાઈકા
篱
પાઈકા ફેંક
સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ઇંગ્લિશ પાઈકા કૈંક
૨૧૭
Page #286
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ ગ્રેટ પ્રાઈમર ગ્રેટ પ્રાઈમર બ્લેક 18 પોઇન્ટ ગુજરાતી ટુ લાઈન થી લાઈન ફોર લાઈન ફાઈવ લાઈન આ પુસ્તક જે ટાઈપમાં છપાયું છે તેનું નામ પાઈકા. સામાન્ય રીતે બધાં પુસ્તકો, માસિક વગેરે સામાન્ય વાચન એ જ ટાઈપમાં છાપવાને રિવાજ છે. એ જ માપમાં વધારે કાળા લેવાના અક્ષરો તે પાઈક બ્લેક, રમૈલ ટાઈપ અવતરણે, નેટ વગેરેમાં વપરાય છે. વર્તમાનપત્રોમાં ઓછા અગત્યના લેખે, સમાચાર વગેરે પણ જગ્યા બચાવા માટે એ માલ પાકા ટાઈપમાં છપાય છે. એ જાતને ઘાટ ઉઠાવનાર ટાઈપ તે મૅલ બ્લેક. પિટા મથાળાં વગેરે જેવા કામ માટે તે ઠીક ઉપયાગને. . આમવર્ગ માટેનાં પુસ્તકો, ભજનના ગુટકા, બાળવાચનનાં પુસ્તકે વગેરે માટે ઇગ્લિશ પાઈક અથવા ગ્રેટ ઈમર વપરાય છે. વાંચનમાળા જેવાં બાળકોનાં પ્રાથમિક વાચન માટેનાં પુસ્તકા ગ્રેટ ગ્લૅકમાં પણ છપાય છે. 18 પોઈન્ટ ગુજરાતી સુંદર મરોડનો મધ્યમસરની મોટાઈનો ટાઈપ છે. નાનકડાં પુસ્તકનાં પ્રકરણમાં શાળા માટે તે અથવા ઈગ્લિશ બ્લેક ડીક દીપી નીકળે. તે સિવાય મથાળાં ટે સામાન્ય રીતે ટુ લાઈન જાત પ્રચલિતુ, છે. ‘નવજીવન’નાં સુઘડ અને પ્રાણશુદ્ધ લાગતાં મથાળાં એ ટાઈપમાં આવે છે. પછીના મોટા ટાપો તે વર્તમાનપત્રોનાં મથાળાં અને જાહેર ખબરે ગોઠવવા માટે જ ઘણાખરા ખપના છે. પુસ્તકમાં તે માત્ર શરૂઆતના 218