________________
ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી
ચિમનલાલ દામેાદરદાસ ત્રિપાઠી (‘”)
તેઓ અમદાવાદ પાસે સરખેજના વતની છે. જ્ઞાતિએ ચાતુર્વેદી મેઢ બ્રાહ્મણ છે. સરખેજનાં માસ્તર દામેાદરદાસ રણછેાડભાઇ ત્રિપાઠીના તે વચલા પુત્ર છે. તેમનાં માતુશ્રીનું નામ રૂક્ષ્મણી દલસુખરામ છે. તેમને જન્મ ઇ. સ. ૧૮૮૭ માં અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં જ્યાં તેમના પિતા ગુજરાતી શાળામાં હેડમાસ્તર હતા, અને તેમનાં માતુશ્રી કન્યાશાળામાં હેડમિસ્ટ્રેસ હતાં, ત્યાં થયા હતા. તેમનાં માતા પિતાએ પેાતાની નોકરી દરમિયાન ઉચ્ચ કતવ્યનિષ્ઠા તથા બાહેાશીથી અપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને તેમના ઉચ્ચ ગુણા તેમના ત્રણે પુત્રામાં ઉતરેલા છે. જગન્નાથ, સ્વ માસ્તર દામેાદદાસના જ્યેષ્ઠ પુત્ર થાય, જેએ “ દીવાને સાગર”ના કર્તો તથા ગુજરાતી ગઝલિસ્તાન”ના સંગ્રહકાર “સાગર” ઉપ નામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે; ચિમનલાલ વચલા પુત્ર તથા મણિભાઇ કનિષ્ટ પુત્ર છે.
ઇ. સ. ૧૯૦૯ માં મુંબઇ યુનિવસિટિની પ્રીવીઅસની પરીક્ષામાં નિષ્ફળ થયા પછી ચિમનલાલે વિદ્યા પ્રત્યે અનન્ય પ્રીતિ છતાં “પ્રણયચિન્તા”ને લીધે અધ્યયનના ત્યાગ કરેલે અને શિક્ષક તરીકે જીવન શરૂ કરેલું. હાલ તે નડીઆદની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક છે.
એમના પ્રિય વિષયે સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય છે. તેઓએ એક કવિ તરીકે જાણીતા થયલા છે, અને એમને કાવ્યસંગ્રહ“હૃદયકુંજ” નામથી ઇ. સ. ૧૯૧૧ માં પ્રસિદ્ધ થયા છે. તેમાં ઇ. સ. ૧૯૦પ થી ૧૯૦૯ સુધીનાં કાવ્યાને સમાવેશ થાય છે. તેમની કવિતામાં નીતિ અને સ્નેહ પ્રતિ વિશેષ ક રહે છે, તેમજ દિવ્ય શ્રદ્ધા અને ઇશ્વરભક્તિનું પ્રાબલ્ય જણાય છે. તેમણે ઇ. સ. ૧૯૦૫ માં માસિકામાં લેખે, કાવ્યા વગેરે લખવાનું શરુ કરેલું. એમના લેખા, કાવ્યે, વગેરે બુદ્ધિપ્રકાશ,” “સુદર્શન,” સુન્દરી સુધ,” અને ‘જ્ઞાનસુધા”માં અવારનવાર પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. એમની લેખનશૈલી સરળ અને શિષ્ટ છે. એમણે એમના નિબન્ધામાં ચરેલા કેટલાક મુદ્દાઓ વિચારણીય જણાશે. હૃદય જ” જેવા બીજો એક સંગ્રહ થઇ શકે તેટલાં તેમનાં કાવ્યે છૂટક છૂટક પ્રસિદ્ધ થયેલાં છે.
એમના ગ્રંથઃ
66
‘ હૃદયકુંજ ’’
૬૧
ઇ. સ. ૧૯૧૧