SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી સન ૧૯૨૫ માં એમણે “સો ટચની વાતો” બાળક માટે છપાવી હતી, તે વાંચતાં જણાય છે કે બાળ સ્વભાવનું એમનું નિરીક્ષણ ઉં, ઝીણું અને સમભાવી છે. ઘણું વર્ષો પર એમણે ગારીશંકર ઓઝાનું એક વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું હતું. સન ૧૯૦૧-૨ માં “પુરુષ અને સ્ત્રી’ નામનું પુસ્તક બે ભાગમાં લખ્યું હતું, અને માસિકમાં આપેલા એમના પ્રકીર્ણ લેખેને જશે પણ મેટ થવા જાય છે. સુરત સાહિત્ય પરિષદમાં તેઓ પરિષદના એક મંત્રી નિમાયેલા; અને છઠ્ઠી સાહિત્ય પરિષદમાં જાહેર વ્યાખ્યાન આપવાને એમને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. તે પૂર્વે ઘણા સમય પર એમણે ગુજરાત સાહિત્ય સભાઅમદાવાદ તરફથી સાક્ષર જયંતિના અંગે “ધીરે અને તેની કવિતા” વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું, જે તે કવિ વિષે અભ્યાસ કરનારને ઉપયોગી થાય એમ છે. અમદાવાદમાં અને બીજે સ્થળોએ અનેક વર્ષોથી એમની વ્યાખ્યાન પ્રવૃત્તિ ચાલુ રહેલી છે. આમ, એક આદર્શ શિક્ષક હોવાની સાથે તેઓ એક સારા ધર્મતત્ત્વચિંતક, સાહિત્યકાર અને વ્યાખ્યાતા તરીકે જાણીતા છે. એમના ગ્રંથો નીચે મુજબ છેઃ મહાકાલ, સદુપદેશ શ્રેણી, વગેરેમાં લેખો સન ૧૮૯૧ થી ચાલુ ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર સન ૧૮૯૯ પુરૂષ અને સ્ત્રી ભા. ૧ કે ૧૯૦૧ , ભા. ૨ , ૧૯૦૨ સવૈયા , ૧૯૦૪ થી ચાલુ સરલ સંસ્કૃત ભા. ૧ ૧૯૧૬ , ભા. ૨ , ૧૯૧૭ સો ટચની વાત ૧૯૨૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy