________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
રામનારાયણ વિશ્વનાથ પાઠક
એ જાતે પ્રશ્નોરા નાગર છે; એમના પિતા વિશ્વનાથ સદારામ પાઠક શિક્ષક, અને નિવૃત્તિ પહેલાંનાં ચેડાં વરસે રિબંદર ટેટના ડેપ્યુટી એજ્યુ. ઈન્સ્પેકટર હતા. એમણે પંચદશી, નચિકેતા કુસુમગુચ્છ, ભગવદુગીતા-(શંકરાચાર્યને ભાગ અને બીજી ટીકા સહિત) મહિસ્રસ્તાત્ર વગેરે ધર્મગ્રંથના ગુજરાતીમાં અનુવાદ કરેલા છે, જે સુવાચ્ય અને પ્રાસાદિક થયેલા છે. એમનાં માતાનું નામ આદિતબાઈ કરસનજી મહેતા હતું. એમને જન્મ તા. ૮મી એપ્રિલ ૧૮૮૭ માં એમના મોસાળમાં ધોળકા તાલુકાના ગાણેલ ગામે થયો હતો. એમનું મૂળ વતન ભોળાદ (તા. ધોળકા) છે. એમણે સન ૧૯૦૮ માં બી એ, ની પરીક્ષા પહેલા વર્ગમાં ઐચ્છિક વિષય લૈંક અને મૉરલ ફિલસુફી લઈને પાસ કરી. તે પછી એક વરસ વિલસન કૉલેજમાં દક્ષિણ ફેલો તરીકે તેમણે સંસ્કૃતના અધ્યાપનનું કામ કર્યું. એલ એલ. બી. થયા પછી પ્રથમ અમદાવાદમાં તેમણે વકીલાત શરૂ કરી; પણ માંદા પડવાથી અને ગામડામાં જઈ રહેવાની પૅટરે ભલામણ કરવાથી તેઓ સાદરા, મહીકાંઠા એજન્સીમાં રહ્યા અને ત્યાં સાત વર્ષ વકીલાત કરી. પછી એઓ અહિં–અમદાવાદમાં આવી, ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક તરીકે દાખલ થઇ, ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં આચાર્ય તરીકે જોડાયેલા; અને તેને છએક માસ થયા નહિ હોય એટલામાં મહાત્મા ગાંધીજીએ વકીલ, વિદ્યાર્થીઓ વગેરેને સરકાર સાથે અસહકાર કરવા માગણું કરી, ત્યારે તેમણે એ શાળા, જે ગ્રાન્ટ લેતી હતી તેને છોડી દીધી; અને ગુજરાત વિદ્યાપીઠમાં જઈ ભળ્યા.
શરૂઆતથી જ એમની મહેચ્છા ધંધામાંથી નિવૃત્ત થઈ સાહિત્ય અને સમાજસેવા કરવાની હતી અને એ ભાવનામાં એમનાં પત્ની પણ એમનાં સહચારી હતાં. પણ એ અમલમાં મૂકવાનો પ્રસંગ આવ્યો તે પહેલાં એઓ મૃત્યુ પામ્યાં.
સાહિત્ય અને ફિલસુફી એમના પ્રિય વિષય છે. લેખનકાર્ય એમણે બહુ મોટું આરંભેલું. એમને પ્રથમ લેખ સંવત ૧૯૭૮માં “સાબરમતી'
આ કઠોપનિષદનું એક આખ્યાયિકા રૂપે નિરૂપણ છે. તેમાં મૂળ પાઠનો અનુવાદ અક્ષરશ: તરી આવે એવી રીતે આપે છે,
૧૫૭૦