________________
ગ્રંથ અને ગ્રંથકાર
ખરી રીતે સન ૧૮૫૫ સુધી દેશી ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્ત
કેનું કેટલોગ સરકાર તરફથી પ્રકટ થયેલું, તેમાંના વાર્ષિક સમાલોચના મરાઠી વિભાગની સમાલોચના સ્વર્ગસ્થ મહાદેવ ગોવિંદ
રાનડેએ જે ધોરણે અને વ્યાપક રીતે કરેલી છે, તે એટલી વિચારશીલ અને વિવેકપૂર્વક થયેલી છે કે મરાઠી વિવેચન સાહિત્યમાં તે લેખ અદ્યાપિ મનનીય લેખાય છે. તદનુસાર એ કાર્ય કઈ જાણીતા ગુજરાતી સાહિત્યના વિવેચકને સપાવું જોઈએ છીએ, અને વખતે તેમ કરવામાં સરકારની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગતી હોય તે તે કાર્ય દેશી ભાષાના કૅલેજ અધ્યાપકને સપાવું જોઈએ, જેઓ ચાલુ સાહિત્યપ્રવાહ સાથે નિકટ પરિચય અને સંસર્ગમાં હોઈને તેની યથાર્થ પરીક્ષા અને તુલના કરી શકે.
વળી કોઈ અભ્યાસને વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં પુસ્તકો જેવા
તપાસવાની જિજ્ઞાસા થઈ આવે તે કોઈ એવું સ્થળ મધ્યસ્થ પુસ્તક કે કોઈ એવી સંસ્થા નથી કે જેમાં તેને સંપૂર્ણ સંગ્રહ સંગ્રહ થયેલે અને સચવાયેલો હોય. ખાસ કરીને
પુસ્તકોના વર્ગીકરણ માટે આવા સંગ્રહની આવશ્યક્તા વિશેષ રહે છે; અને પ્રો. બળવંતરાયે “પુસ્તકાલય ' માસિકમાં (માર્ચ, ૧૯૩૦ ) આઠ હજાર પુસ્તકોના વર્ગીકૃત કેટલૈંગિની સમાલોચના કરતાં જે મહત્ત્વની સૂચનાઓ કરેલી છે, તે લક્ષમાં લેતાં આવા એકત્રિત સંગ્રહ વિના તેને અમલ જ થઈ ન શકે એ સ્પષ્ટ વાત છે; અને કદાચ એવો સંગ્રહ કરવાને કઈ તરફથી પ્રયત્ન થાય છે તેમાં મુખ્ય મુશ્કેલી જે તે પુસ્તક મેળવવામાં આવી પડે છે. પ્રથમ તે, કોઈ જાણતા પુસ્તક વેચનારને ત્યાંથી તે પુસ્તક મળી શકે નહિ; બીજું ગ્રંથકર્તાનું પૂરું સરનામું જાણવામાં હોય નહિ; ત્રીજું, પોટેજ ખર્ચ એટલું જાદે અને ભારે હોય છે કે બે આનાની ચોપડી પર પાંચ આના પટેજ નુરના ભરવા પડે છે અને છેલું પુસ્તકની ઉપયોગિતા કે ગુણદોષ વિષે કંઈ પણ માહિતી ઉપલબ્ધ નહિ અને કેટલીકવાર એવા નિરર્થક અને માલ વિનાનાં, કચરા પુસ્તકોનાં નામ મળી આવે છે કે જે મંગાવવાની ઇચ્છા જ થાય નહિ.
આ સંજોગોમાં વ્યવહારૂ અને વાજબી માર્ગ એ જણાય છે કે સાહિત્ય પરિષદ દ્વારા વારંવાર માગણી કરીને અને પ્રાંતિકધારાસભામાં ઠરાવ આણીને સરકારને જે ત્રણ પ્રતે પ્રેસ-છાપખાના તરફથી બક્ષિસ આપવામાં આવે