________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
છે, તેમાંની એક પ્રત ગુ. વ, સોસાઈટી વા સાહિત્ય પરિષદ મંડળને ફરજિયાત આપવાનું દબાણ કરવામાં આવે; અને તે હક્કના બદલામાં બ્રિટિશ મ્યુઝીઅમની પેઠે તેના સંગ્રહ અને સાચવણું માટે એ સંસ્થાઓ જવાબદાર રહે.
થાણામાં આવેલું મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ દિશામાં સ્તુત્ય કાર્ય કરી રહેલું છે. વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી અને ગુ. વ. સોસાઈટીની લાયબ્રેરીના સંગ્રહ નાના નથી; પણ તેને સંપૂર્ણ કરવાને અને તેના કાયમ સંગ્રહ માટે ઉપર નિર્દિષ્ટ કર્યા મુજબ કાયદાથી કંઇક વ્યવસ્થા થાય, કંઇક સવડ અને મદદ મળે તોજ એ પ્રશ્નનો ઉકેલ સહેલાઈથી અને ઝટ થઈ શકે, એવું અમારું માનવું છે. આ પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં પડતી મુશ્કેલી પણ તે પુસ્તક એક
મધ્યસ્થ સ્થળે વાંચવા તપાસવાની સવડ મળતાં દૂર પુસ્તકનું વગી થાય; અને તે પછી પ્રો. બળવંતરાય સૂચવે છે તેમ કિરણ ગ્રંથનું વર્ગીકરણ, તે અનુવાદ છે કે સ્વતંત્ર ગ્રંથ છે;
અનુવાદ હોય તો કયી ભાષામાંથી અને તેનાં એકથી વધુ ભાષાંતરો થયાં હોય, જેમકે શાકુંતલ, તેને ઉલ્લેખ-નેધ કરવાનું બની શકે, અને તેને એકથી વધુ વિષય ખંડમાં બતાવવા ક્રોસ રેફરન્સ આપવાનું સુગમ બને. સન ૧૯૧૧-૧૨ માં રવ. ભાઈ ચીમનલાલ દલાલે એક હજાર ગુજરાતી પુસ્તકોની વગીકૃત યાદી, નમુના રૂપે તૈયાર કરી હતી અને હમણું જ પુસ્તકાલય સહાયક સહકારી મંડળે આઠ હજાર ગ્રંથની એક મોટી વર્ગીકૃત સૂચિ બહાર પાડી છે અને તે પુસ્તક લાઈબ્રેરીઅનને નવાં મળતાં પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં મોટે અંશે માર્ગદર્શક અને મદદગાર થાય જ; તેમ છતાં કેટલીક ગુંચ ઉભી રહેવાની જ. દાખલા તરીકે બારડોલી સત્યાગ્રહની લડત’ એ પુસ્તકને કયા વિષય વિભાગમાં દાખલ કરવું ? રાજકીય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કે કાયદા-કેસ તપાસમાં ? અમદાવાદનું ચિત્ર આલ્બમઃ ચિત્ર, સ્થાપત્ય, ઇતિહાસ, કે રેફરન્સમાં ? પણ તે વિષેની ચર્ચા “પુસ્તકાલય” જેવા માસિકમાં ઉપયોગી અને રસિક થઈ પડે. કેટલીક વાર ટીકારૂપે કહેવામાં આવે છે કે આપણું સાહિત્યમાં
ભાષાંતરગ્રંથોની સંખ્યા વધુ છે; અને મૌલિક પુસ્તકો ભાષાંતર ગ્રંથો પ્રમાણમાં જૂજ લખાય છે; પણ જેમને એ ભાષાંતર
ગ્રંથની સુગ છે તેમને અમે આપણે પરિસ્થિતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં લક્ષમાં લેવાની અને તપાસવાની વિનંતિ કરીશું.