________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એમનાં નાટકે મત્સ્યગંધા વગેરે એક પુસ્તકરૂપે પ્રકટ થયાં ત્યારે કૌમુદી' ના તંત્રીએ તેને શકવતી ગ્રંથ તરીકે સત્કાર કર્યો હત; જાણીતા સાક્ષર શ્રી નરસિંહરાવે, એમના “લોમહર્ષિણ નાટકની વસન્ત” માં સમાલોચના કરી, ગુજરાતી જનતાનું એમાંના નૈસર્ગિક તત્વ પ્રતિ ધ્યાન દોર્યું હતું. તે પછી રચાએલાં એમનાં નાટક કેમુદીકારે “માલાદેવી' એ નામથી પ્રસિદ્ધ કર્યો છે, અને તે બધાં લોકપ્રિય નિવડ્યાં છે. નવા લેખકેમાં એમનું સ્થાન ઉંચું જણાશે. એમની કેટલીક કૃતિઓ મુંબાઈ યુનિવરસીટીની એમ. એ., ની પરીક્ષા તથા સાહિત્ય ચન્દ્રક વિગેરે પરીક્ષા માટે નિયત કરવામાં આવે છે, એ લેખક માટે માનાસ્પદ કહેવાય.
એમના ગ્રન્થની યાદીઃ સંસાર
૧૯૧૮ રસ ગીત
૧૯૨૦ વાતનું વન
૧૯૨૪ મસ્યગંધા અને બીજાં નાટક
૧૯૨૫ માલાદેવી અને બીજાં નાટક
૧૯૨૭
૧૦