________________
અળવ તરાય કલ્યાણરાય દાકાર
બળવંતરાય કલ્યાણરાય ઠાકર
એ
વીશા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના, ભરૂચના વતની છે. એમના પિતા કલ્યાણરાય ચતુર્ભુજદાસની અટક સેહેની હતી, તે પરથી એમ સમજાય છે કે એમણે શરૂઆતમાં પોતાના લેખે, કાવ્યા “ સેહેની ’' એ ઉપનામથી લખવા માંડેલાં. એમને જન્મ ભરૂચમાં આશા વદ ૩-૪ વિ. સં. ૧૯૨૫-૨૩ મી એકટાબર ૧૮૬૯ ને શનિવારે થયા હતા. એમના માતાનું નામ જમનાšન, જેએ વકીલ ગણપતરામ ગોવિંદરામ ઢાકારના મેટા પુત્રી થાય. પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં અને રાજકેટમાં એમના પિતાની ત્યાં તકરી હાઇ, લીધેલું. રાજકેટમાં એમની માતા પાસેથી કથાવાર્તા સાંભળવાને તેમને કેવા અજબ રંગ લાગેલેા તેને કઇંક પરિચય આપણને કાર્ડિયાવાડની લેાકવાર્તાઓ ભા. ૧ માં એમણે લખેલા ઊપાધ્ધાતમાં તેઓ કરાવે છે. માધ્યમિક શિક્ષણ ઘણુંખરૂં રાજકાટમાં લીધેલું અને ઉંચી-કાલેજ–કેળવણી તેમણે સામળદાસ, એલ્ફિન્સ્ટન અને ડેકન કૅાલેજમાં લીધેલી. તેમના સહાધ્યાયીએમાં હાઇસ્કૂલમાં સર પ્રભાશંકર પટ્ટણી, કાલેજમાં સર રમણભાઇ, મણિશ’કર રત્નજી ભટ્ટ, કાશીરામ દવે, સર મનુભાઇ નંદશંકર, કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી, પ્રેાસર ગંભીર, માનશકર પીતાંબરદાસ, વગેરે હતા. યુનિવરસિટીની મેટ્રિકયુલેશનની પરીક્ષા એમણે સન ૧૮૮૩માં પાસ કરેલી અને ખી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં, લેાજીક અને ફીલસુી, ઐચ્છિક વિષયે લઈને સન ૧૮૮૯માં માનભરી રીતે પસાર કરી હતી. ઇંગ્રેજીમાં ફર્સ્ટ કલાસ માર્કસ સાથે વ્હેલેા નંબર આવવાથી એમને યુનિવર્સિટી તરફથી એલિસ સ્કાલરશિપ મળી હતી. સન ૧૮૯૨માં તેઓ ડેક્કન કાલેજમાં દક્ષિણા ફેલા નીમાયા હતા અને બીજે વર્ષે તેમને રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડન્ટનું કામ સોંપવામાં આવ્યું હતું. એજ સમયમાં યુનિવર્સિટી ઇનામી નિબંધ માટે હરીફાઇ કરી તેમણે માણેકજી લીમજી સેનાને ચાંદ મેળબ્યા હતા. તે પછી સન ૧૮૯૫ ના બીજા ટમાં તેમને દયારામ જેટમલ સિંધ કાલેજ કરાંચીમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રેાફેસરની એક્ટિંગ જગેા મળી હતી અને સન ૧૯૦૬ માં એક ટ માટે વડાદરા કૅાલેજમાં અંગ્રેજી અને કિલસુપ્રીના પ્રેફેસર તરીકે કામ કર્યું હતું; અને સંજોગવશાત પાછા તા. ૧-૯-૧૯૨૭ થી તા. ૧૫-૨--૧૯૨૯ સુધી એજ સ્થાને, સરકારી નાકરીમાંથી નિવૃત્ત થયા બાદ ઇતિહાસ અને અશાસ્ત્રના પ્રેફેસર તરીકે ફરી કામ કરવાના સુયેાગ પ્રાપ્ત થયેા હતેા.
૧૩૧