________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ડાલરરાય રંગીલદાસ માંકડ
જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ ઈ.સ. ૧૯૦૨ માં કચ્છમાં વાગડમાં જંગી ગામે થયા હતા. એમના માતુશ્રીનું નામ ઉમિયાગુવરી છે. એમનું મૂળ વતન કાઠિયાવાડમાં જોડીઆમાં છે. તેમણે માધ્યમિક શિક્ષણ જોડિયા તથા રાજકેટ ગામમાં લીધેલું અને ઉંચા શિક્ષણ માટે બહાઉદીન (જુનાગઢ) તથા દયારામ જેઠમલ સિંધ (કરાંચી) કાલેજમાં અભ્યાસ કરેલા. તેએએ સન ૧૯૨૪ માં બી. એ; ની પરીક્ષા ખીજા વર્ગોમાં પાસ કરેલી અને એમ. એ; ની પદ્રિ ખીન્ન વર્ગોમાં સન ૧૯૨૭ માં લીધેલી. હાલમાં તેએ કરાંચીમાં યારામ જેઠમલ સિંધ કાલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક છે. એમને પ્રથમ લેખ પૂરાતત્ત્વમાં (વર્ષ ૨,—અંક ૪) એ ત્રણ નાટક” નામને પ્રેમાનંદના નામકાના કર્તૃત્વ વિષે ઉંડી અભ્યાસપૂર્ણ ચર્ચા કરતા, છપાયા હતા અને તે લેખ સાતેમી ગુજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં પણ લેવાયા છે.
તે પછી એમની સાહિત્ય પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધતી અને ખીલતી ાય છે.
સી
ભાષાશાસ્ત્ર અને ગવેષણા એ એમના પ્રિય વિષયે છે અને ‘પ્રસ્થાન’ અને અન્ય માસિકામાં ભાષા વિષે લખાઈ આવતા એમના લેખા અભ્યાતરફથી આદરપૂર્વક વંચાય છે. વળી ‘નાગરિક' નામનાં કામી ત્રૈમાસિકના સહમ ́ત્રી તરીકે પણ એમની સેવા ધ્યાન ખેંચે છે. કરાંચીમાં તેઓએ ગુજરાતી મંડળ સ્થાપીને ભાષા, સાહિત્ય તેમજ સંસ્કૃતિ પ્રચારણનું સ્તુત્ય કાર્ય આદરી રહ્યા છે, જેને કઇંક ખ્યાલ તેમણે કરાંચી સાહિત્ય-કળા મહેાત્સવ અંક કાઢેલા છે તે પરથી આવશે.
એમના ગ્રંથાની યાદી:
Studies in Dasarupam ૧ શકાયઃ સ્તંત્રનું ભાષાંતર
૨ રૂદ્રાધ્યાય [મૂળ, ભાષાંતર, ટીકા] ૩ લવિવિધ (ભાષાંતર)
૯૦
1927
(સન ૧૯૨૯) (સન ૧૯૨૯) (સન ૧૯૨૯)