________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમણલાલ વસ’તલાલ દેસાઇ
એએ જાતે વડનગરા નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ) છે. એમના પિતાનું નામ વસંતલાલ સુંદરલાલ દેસાઇ અને માતાનું નામ સૌ. મણિબા છે. એમના જન્મ સન ૧૮૯૨ માં વડાદરા રાજ્યમાં શિનેર ગામમાં થયેા હતા, જો કે એમનું વતન સ્થાન પંચમહાલમાં આવેલું કાલેાલ છે. એમણે પ્રાથમિક કેળવણી શિનેરમાં અને માધ્યમિક કેળવણી વડાદરામાં લીધેલી. સન ૧૯૦૮ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, વડેાદરા કૅાલેજમાં જોડાયલા. ખી. એ., ની પરીક્ષા સન ૧૯૧૪ માં અને એમ. એ; ની પરીક્ષા ગુજરાતી ઐચ્છિક વિષય લઇને સને ૧૯૧૬ માં પાસ કરી હતી. એમના પ્રિય વિષયે સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.
અભ્યાસ પૂર્ણ થતાં, તે વડેદરા રાજ્યની નેકરીમાં જોડાયા. અત્યારે તે નવસારીમાં નાયબસુબા (પંચાયત શાખા) ની પદ્દી પર છે. સન ૧૯૧૭ થી માસિકેામાં લેખ લખવાનું શરૂ કરેલું; પણ તેએ સન ૧૯૨૦ માં એમના ‘સંયુકતા' નાટકથી એકદમ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. આ નાટક સને ૧૯૧૫ માં પ્રથમ ભજવાયું હતું, જોકે તે સને ૧૯૨૦ માં છપાયું. આપણે ત્યાં સારાં નાટકે બહુ ઓછા લખાય છે અને તેમાં ભજવી શકાય એવા એથી પણ જૂજ હેાય છે; પણ એમનું પ્રથમ નાટક સ્ટેજ પર સફળ નિવડયું હતું; અને એક સાહિત્યકૃતિ તરીકે પણ તેની તારીફ થઇ હતી. તે પછી એમણે “શકિત હ્રદય” નામનું એક સામાજિક નાટક સન ૧૯૨૫ માં રચ્યું હતું, તે એમના પ્રથમ નાટક કરતાં વધુ ખેંચાણુકારક નિવડયું હતું; અને ઘણાં સ્થળાએ તે હજી અમય્યાસ તરથી ભજવવામાં આવે છે, એથી લેખકે મગરૂર થવા જેવું છે. જેમ એએ એક કુશળ નાટકકાર જણાયા છે તેમ એક નવલકથાકાર તરીકે પણ એમની કલમ દીપી ઉઠી છે. ‘શિરિષ’ અને કૈાકિલા' જે પુસ્તકા વડાદરા માંથી પ્રસિદ્ધ થતા “સયાજીવિજય” પત્રના ગ્રાહકેાને ભેટ અપાયાં હતાં, તેમાં આપણા સામાજિક પ્રÀા જેમકે સંગીત અને ચિત્રકળાનેા પ્રશ્ન, પતિત સ્ત્રીના પ્રશ્ન, મૂડીવાદ અને મજુરને પ્રશ્ન, એક પત્રકારનું જીવન વગેરે સીફતથી ચર્ચી, તેનાં ગુણ દોષ પ્રતિ જનતાનું લક્ષ દોરવામાં એએ ક્રુતેહમંદ થયા છે. આપણા સામાજિક નવલકથાકારોમાં અમદાવાદના બંધુ સમાજમાંના લેખકે, શ્રીયુત ભેગીન્દ્રરાવ, રામમેાહનરાય, શિવુભાઇ પછી એએ જ સૌનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે.
૧૬૦