________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અંબાલાલ બુલાખીરામ જાની (ખી, એ., )
એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમના જન્મ નડિયાદમાં આસા સુદ ૧૫ ને સેામવારના રાજ સ. ૧૯૩૬ માં તા. ૧૮ મી ઓકટોબર ૧૮૮૦ ના રાજ થયા હતા. એમના પિતાનું પૂરૂં નામ બુલાખીરામ મનસુખરામ જાની અને માતાનું નામ ધનલક્ષ્મી (પિતા) મણિરામ પંડયા હતું. એમનું વતનસ્થાન નડિયાદ છે. ગુજરાતી સાત ધારણાને અભ્યાસ નડિયાદમાં કરેલા. હાઇસ્કુલનું શિક્ષણ નડિયાદ અને અમદાવાદમાં અને કાલેજ કેળવણી મુંબાઇ અને જુનાગઢમાં લઈ, બી. એ., ની પરીક્ષા સન ૧૯૦૭માં ફ્રીઝીકસ અને કેમીસ્ટ્રીના ઐચ્છિક વિષય સાથે પસાર કરી હતી. સા. શ્રી. ગેાવનરામ ત્રિપાઠી મરણ પામતાં વિજ્ઞાનનું ક્ષેત્ર છેાડી તેમને માસ્તરની લાઇનમાં પડવું પડયું. શરૂઆતમાં (૧૯૦૭) માં તે પન્નાલાલ હાઇસ્કુલમાં સાયન્સુ અને ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયલા; પણ ૧૯૦૯ ના એપ્રિલથી જાણીતા ગુજરાતી'' પત્રના સહતંત્રી તરીકે એમની નિમણુંક થતાં, તે જગાપર અદ્યાપિ કામ કરે છે. ત્રિમાસિક “સમાલેાચક''ના તંત્રી ખાતામાં કામ કર્યું અને ૧૯૧૪ માં તેમના સહ તંત્રીત્વ હેઠળ “સમાલેાચક” માસિક થયું હતું. ૧૯૧૪-૨૧ સુધી તેના સહતંત્રી હતા. એટલે કે એમનું આખુંય જીવન પત્રકારિત્વમાં ગયું છે. પત્રકારિત્વનું જીવન સખ્ત, શ્રમવાળુ અને વ્યવસાયી હાવા છતાં, અવકાશને સમય એમણે સાહિત્યના અભ્યાસ અને લેખન વાચનમાં ગાળેલા છે. એમના પ્રિય વિષયેા પ્રાચીન ગુજરાતી સાહિત્ય, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને વેદાંત પ્રથા છે.
સન ૧૯૦૭ માં તેમણે અખાભક્ત અને તેની કવિતા એ શિષ કવાળા એક લેખ લખ્યા હતા.
એમનાં લેખા અને ગ્રંથાની યાદી નીચે નોંધી છે તે પરથી જોઇ શકાશે કે એમની પ્રવૃત્તિ કેટલી વિવિધ છે. વળી તેએ! શ્રી॰ ફ્રાસ સભાના આસિ. સેક્રેટરી તરીકે પણ કેટલુંક ઉપયેાગી કાર્ય કરી રહ્યા છે. ફ્રાંસ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિના બે ભાગ એમણેજ તૈયાર કર્યાં છે, જે પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસ કરનાર માટે ખરેજ બહુ કિંમતી છે. પરિષદ ભંડાળકમિટી માટે એમણે કવિ સામળકૃત સિંહાસન, બત્રીસી તેમજ ગુ. વ. સેાસાઇટી માટે સુભદ્રાહરણ અને હરિલીલા
૧૪