________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ટ્રેનિંગ કૉલેજમાં હતા ત્યારે વિધાર્થીઓ માટે પાઠય પુસ્તકો રચેલાં; જેવાં કે, “અર્થશાસ્ત્ર,’ ‘રસાયનશાસ્ત્ર,' “વિદ્યાર્થીઓને મિત્ર', “પ્રાણી વર્ણન વગેરે અને બીજા સમયમાં “રણજીતસિંહ” અને “સરળ પદાર્થવિજ્ઞાન સોસાઈટી માટે લખી આપેલાં. પણ એ પુસ્તક વિદ્યાર્થી અને સામાન્ય જનતાની દૃષ્ટિએ લખાયાં છતાં લોકપ્રિય નિવડયાં છે; અને તેની બેથી વધુ આવૃત્તિઓ થયેલી છે.
પણ એ બધાં કરતાં એમની ખ્યાતિ એક કવિ તરીકે, બુલબુલ ના કર્તા તરીકે વિશેષ છે. “ચંબેલી' અને “બુલબુલ” એ બે કાવ્યો ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કાવ્યના ટાઈપમાં ફૈમની નવીન દિશા ઉઘાડે છે; અને એ કાવ્યોનાં માધુર્ય, લાલિત્ય અને ગયતાની મુક્તકંઠે પ્રશંસા થયેલી છે.
જ્ઞાતિકાર્યમાં પણ પોતે બનતી સેવા કરે છે અને જ્ઞાતિએ, બનારસમાં મળેલી ચોથી વિસનગરા જ્ઞાતિ કેન્ફરન્સના પ્રમુખ નીમી એમને અપૂર્વ માન આપ્યું હતું.
એમની સાહિત્ય સેવા સર્વદેશી છે. પિતે અનુવાદ કર્યા છે, જેમકે, રણજીતસિંહ.' પંચમ જ્યોર્જ; સ્વતંત્ર કૃતિઓ લખી છે; જેમકે, “સાડીનું સાહિત્ય,’ અને જુની ગુજરાતી કહાન્ડદે પ્રબંધ' નું અવલોકન કરી તે કાવ્યને શાસ્ત્રીય રીતે, ઊપઘાત અને નોટસ સાથે એડિટ કર્યું છે, જે બનારસ અને મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના ઉંચા અભ્યાસ માટે પાઠ્ય પુસ્તક તરીકે વંચાય છે. કહાન્ડદે પ્રબંધન સરળ અને રસિક ભાષામાં અનુવાદ કર્યો છે, જે વાંચતાં સ્વ. રા. બા. કમળાશંકર કહે છે તેમ, મૂળ કાવ્ય જ હેય નહિ એમ લાગે છે વળી પૌરાણિક કથા કેષ’ નું કાર્ય હમણાં તેઓ કરી રહ્યા છે. નર્મ કથા કષ' પછી આવું બીજું પુસ્તક થયું નથી. તે મરાઠીના આધારે તૈયાર થાય છે, તેમ છતાં તેમાં સુધારાવધારા અને ફેરફાર મહાટા અને વિસ્તૃત છે; અને તે એટલા મોટા પ્રમાણમાં છે કે મૂળ ગ્રંથ કરતાં એનું પૂર દોટું થયું છે અને પૌરાણિક આખ્યાયિકાઓને એ ભંડાર જ છે. | સરળ પદાર્થ વિજ્ઞાનની બીજી આવૃત્તિ ઘણું રસિકભાષામાં અને એ શાસ્ત્રના સંપૂર્ણ દિગ્દર્શન રૂપ થઈ છે. અને ગુજરાતી ટ્રેનિંગ કોલેજોમાં અને નિશાળોના અભ્યાસક્રમમાં તે દાખલ થઈ છે.
૮૮