________________
ગ્રંથકાર ચરિત્રાવળી
બી. એ. થયા પછી હેમના લેખે અને હેમનાં કાવ્યો “સમાલોચક” વસન્ત,” “સુન્દરી સુબોધ” વગેરે તે વખતનાં શિષ્ટ માસિકમાં તેમ જ “ગુજરાતી.” પ્રજાબંધુ,” “ગુજરાતી પંચ,” “સાંજવર્તમાન,” “મુંબાઇસમાચાર” “હિન્દુસ્તાન” વગેરેના ખાસ અંકમાં પ્રકટ થતાં અને રસથી વંચાતાં. તેમના લેખોના વિચારોની પરિપકવતા અને વ્યાવહારિકતા જેટલું લક્ષ ખેંચતાં તેટલી જ હેમની શૈલીની સંસ્કારિતા અને એજસ્વિતા ધ્યાન ખેંચતાં.
તેઓ માત્ર લેખક અને વક્તા જ ન હતા, પરંતુ અનેકદેશીય સાર્વજનિક કાર્યકર્તા હતા. તે દસ વર્ષમાં એવી સાર્વજનિક પ્રવૃત્તિ મહાગુજરાતમાં ભાગ્યે હશે, જેમાં તેઓએ અગ્ર ભાગ નહિ લીધે હેય. કોંગ્રેસમાં ખરા, કૅન્ફરન્સમાં ખરા, પરિષદમાં ખરા, સંમેલનોમાં ખરા, સભાઓમાં ખરા. તેઓની સાહિત્ય ભક્તિ જેવી ઉચ્ચ ભૂમિકાની અને જ્વલંત છે તેવી જ હેમની રાષ્ટ્રભક્તિ છે. ઈ.સ. ૧૯૦૭ થી ઈ.સ. ૧૯૧૭ સુધી મુંબાઈમાં “ધી યુનિઅન” અને “શ્રી ગુર્જર સભા” સ્થાપી હેમણે ગુજરાતી યુવાનોને એકત્ર કરી તૈયાર કરવા માંડ્યા હતા. ગાંધીજી પધાર્યા પૂર્વે મુંબાઈમાં અને ગુજરાતમાં “ગુર્જરસભા” એક પ્રેરકસંસ્થા હતી અને હેના મુખ્ય સંયોજક ચન્દ્રશંકર હતા.
અનેક દેશીય પ્રવૃત્તિઓએ, હેમનાં પત્નીના અને તેમના પિતાના મંદવાડોએ, ચન્દ્રશંકરને પોતાની શક્તિઓના પ્રમાણમાં પુસ્તકોના સ્થાયી રૂપમાં ઝાઝું લખવા દીધું નથી. તેમનાં પ્રિય પત્ની સૌ. વસન્તબા ઈ.સ. ૧૯૧૬ ના એંગસ્ટમાં ગુજરી ગયા. હેમની સ્નેહમય સારવારમાં ચન્દ્રશંકરે પિતાના વકીલાતના ધંધાનો ભોગ આપ્યો હતે, પિતાની પ્રવૃત્તિઓને ભોગ આપ્યો હતો, પિતાની તંદુરસ્તીને ભોગ આપ્યો હતો. પિતાનાં પ્રિય પત્નીના અકાલ અવસાને હેમના જીવનમાં જે શૂન્યતા ઉત્પન્ન કરી છે તે એમના જેવા નેહાપજીવી આત્મા માટે અપૂરાયેલી જ રહેશે. ઈ. સ. ૧૯૧૭ ના એપ્રિલમાં હેમના પૂજ્ય પિતાજી સ્વર્ગસ્થ થયા તેથી પણ હેમને તીવ્ર હૃદયાઘાત થવા ઉપરાંત હેમના ઉપર ગૃહવ્યવહારને ભાર આવ્યો. ઇ.સ. ૧૯૧૭ માં હોમરૂલની ચળવળ પ્રસંગના - અતિશ્રમથી હેમને ઈ.સ. ૧૯૧૮ ના જાન્યુઆરીથી દમનું દર્દ લાગુ પડયું છે, જેમાંથી છેલ્લાં બાર વર્ષ થયાં તેઓ ટા થઈ શકયા નથી. હેમના લાંબા અને અશક્તિકારક મંદવાડે અને હેમની કૌટુમ્બિક વિપત્તિ
૫૬