SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા ઓએ હેમને જીવનને ચૂંથી નાંખ્યું છે અને તેથી તેમને માટે રાખવામાં આવેલી આશાઓ હજી સિદ્ધ થઈ શકી નથી. ઇ.સ. ૧૯૧૪ માં હેમનાં ટૂંકાં ટૂંકાં ને મીઠાં મીઠાં કાવ્યોનો સંગ્રહ યુચિત નામથી “સ્નેહાંકર' રૂપે પ્રકટ થયો. રા. ચન્દ્રશંકરમાં દલપતરામની સરલતા અને દલપતરામની પ્રવાહિતા છે, કલાપીની ભાવમયતા છે. જે તેઓ વધારે અને વારંવાર લખી શકતા હતા તે હેમનાં કાવ્યોની સરલતા, પ્રવાહિતા, મનોરંજકતા, હૃદય સ્પર્શશિતા હેમને તે છે હેમના કરતાં વધારે લોકપ્રિય બનાવત. હાલમાં હેમનાં પચીસેક કાવ્યોની સુન્દર એકાવલિ “કાવ્ય કુસુમાંજલિ” નામે આમ મંડલમાં વહેંચાઈ હતી અને તે અનેક અનુકૂલ અભિપ્રા માટે નિમિત્ત થઈ હતી. જેમ “રા. ચન્દ્રશંકર લેખક તરીકે વધારે સફલ કે વક્તા તરીકે એ એક એમના સંબન્ધમાં વારંવાર પૂછાતા પ્રશ્ન છે તેમ એ પણ વારંવાર પૂછાતે બીજો પ્રશ્ન છે કે “તેઓ કવિ તરીકે વધારે સફલ કે ગદ્ય લેખક તરીકે,” એવા પ્રશ્ન પૂછાયાં જ કરવાના અને યથારૂચિ એના જવાબ અપાયે જવાના. રા. ચન્દ્રશંકરે (1) નિબન્ધ, (૨) વિવેચન, (૩) ચરિત્ર, (૪) કથા એ ચારે પ્રદેશોમાં ગદ્યલેખન કરેલું છે, હેમની ગદ્યશલિ અનેકરંગી છે. તેઓને ભાષા વશવર્તિની છે. જેમ ભાષણમાં તેમ લેખનમાં તેઓ પ્રસંગ પરીક્ષક હોઇ પ્રસંગ રક્ષક છે. જેવો પ્રસંગ તેવું ભાષણ; જેવો પ્રસંગ તેવો લેખ. શું બોલતાં કે શું લખતાં હેમને ખાસ તૈયારી કરવી પડતી નથી. હેમના સામયિક પત્રોમાં વેરાયલા ગદ્ય લેખો એકત્ર થાય તો તે એક ઉપયોગી સંગ્રહ થઈ પડે. હાલ તો માત્ર હેમની “પાંચ પ્રેમકથા” અને “પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર તથા હેમના લેખ” પુસ્તકરૂપે પ્રકટ થયેલ છે. એમનાં નવા પત્ની શ્રીમતી સુધાદેવીએ પણ એમની સાથે સંસ્કારસહકાર કરી લોકસેવા આદરી છે. એમના ગ્રંથોની યાદી: નેહાંકર સન ૧૯૧૫ પાંચ પ્રેમકથાઓ બ ૧૯૧૬ પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવન ચરિત્ર. , ૧૯૧૭ કાવ્ય કુસુમાંજલિ ૧૯૩૦ પ૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy