________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ડા. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ
એએ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય છે. એએ મૂળ વતની ખેડા જીલ્લામાં નિડયાદ પાસે આવેલા અલીણા ગામના છે. એમના પિતાનું નામ નૃજરાય ખુશાલરાય દેસાઈ અને માતાનું નામ સુભદ્રા હૅન હતું. એએ સરકારી નાકરીમાં હાઈ, એમને જૂદે જૂદે ગામે ફરવાનું ઘણું થતું અને તે વખતે નોકરીમાં પગાર પણ શ્રૃજ. તેમ છતાં સુભદ્રા મ્હેન વરને કારભાર, કરકસર કરી કુશળતાથી ચલાવતા. તે બહુ સુશીલ સ્વભાવના અને સંસ્કારી બાઇ હતા; તેમ માયાળુ અને મમતાવાળા પણ એવા જ. એમના મેટા પુત્ર તે ડૉ. હરિપ્રસાદ. એમને જન્મ સન ૧૮૭૯ માં ગોધરામાં થયલે. પ્રાથમિક શિક્ષણ એમણે ગુજરાતની જુદી જુદી નિશાળામાં લીધેલું. તેએ સેકન્ડથી સેવન્થ સુધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ અમદાવાદમાં ભણેલા. ત્યાં ડી. કે. ગુપ્તે માસ્તર જેએ ન્યુ ઇંગ્લીશ સ્કૂલમાં હેડ માસ્તર હતા એમની અસર એમના જીવનપર બહુ સારી અને પ્રબળ થયેલી અને મેટ્રિક સુધી પહોંચેલા. બાદ અમદાવાદની મેડિકલ સ્કુલમાં જોડાઈ આસિસ્ટંટ સર્જન થયલા; પણ ત્યાં મતભેદ ઉઠતાં કલકત્તા જઇને એલ. સી. પી. એસ. ની ડીગ્રી મેળવી આવેલા. અત્યારે તેએ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર છે.
બચપણમાંથી માતા પાસેથી ઉન્નત સંસ્કાર પ્રાપ્ત થયલા, તે એમનામાં દિવસે દિવસે ખીલી ફાલ્યા છે. વાચનને, સભાએમાં જવાના, રમતામાં ભળવાના શાખ છેક ન્હાનપણથી; વિનેાદી સ્વભાવ પણ ખરા. ગરીબ સ્થિતિના એટલે હાથ પણ સંકુચિત રહે; તેમ છતાં મન એવી રીતે કેળવલું કે તેઓ સદા આઝાદી અનુભવે. જૂદા જૂદા પ્રકારના વાચનમાં અને મિત્રેાના સહચારમાં; અને એમના એ ન્હાનપણુ અને વિદ્યાર્થી અવસ્થાના સ્મરણા પણ સ્ફૂર્તિદાયક અને રમુજી માલુમ પડશે (જીએ કુમાર વા. ૫ મું.)
એમના ધંધા ડાક્ટરને; પરંતુ એમને શેાખ અને અભ્યાસ જોઇએ તે અનેકવિધ, જૂદા જૂદા ક્ષેત્રામાં એક સરખા, દરેકમાં ચંચુપાત કરેલે અને તેના મુખ્ય મુખ્ય અંશે ગ્રહણ કરેલાં દેખાશે.
તેથી એમના ભાષણેામાં અને એમના જીવનમાં રસિકતાની વિવિધતા ષ્ટિગેાચર થાય છે.
એકાદ વર્ષ માટે એમણે સન ૧૯૭૫-૬ માં એમની જ્ઞાતિનું ત્રિમાસિક એડિટ કરેલું અને તેને રસ્તે ચઢાવી આપેલું. વળી ઉદ્ધેધન નામના
२०६