________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમેશ રંગનાથ ઘારેખાન
એ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ; પાટણના વતની છે. એમને જન્મ દ્વારકામાં સન ૧૪ ૯૮ના જાન્યુઆરીમાં થયો હતો. એમના પિતાનું નામ રંગનાથ શંભુનાથ ઘારેખાન અને માતાનું નામ અ. સૌ. સત્યભામાં (તે બળવંતરાય ગોપાળરાય મજમુદારના પુત્રી) છે.
એમણે ઘણુંખરું શિક્ષણ વડોદરામાં જ લીધું હતું. સન ૧૯૧૫માં મેટ્રિક થયા પછી તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયા હતા, અને સન ૧૯૧૯માં બી. એ., ની પરીક્ષા નર્સ સહિત સાહિત્ય અંછિક વિષય લઈને પાસ કરી હતી.
એમને પ્રિય વિષય પત્રકારિત્વ છે, એટલે કોલેજ છોડ્યા પછી એમણે જૂદા જૂદા દૈનિકે, સાપ્તાહિક અને માસિકોમાં લેખ લખવા માંડેલા; અને તેની સંખ્યા આજસુધીમાં બહુ મોટી થવા જાય છે.
તેઓ “રમાપતિ' “મનોરમ” વિ૦ ની સંજ્ઞાથી લેબ લખે છે. હમણાં તેઓ બમાં પ્રાંતિક મહાસભા સમિતિના મંત્રી છે અને રંગુનમાંથી બ્રહ્મદેશ' નામનું અઠવાડિક ચલાવે છે. તે અગાઉ તેમણે “બર્મા વર્તમાન', અને દૈનિક “હિન્દુસ્તાનમાં ઉપતંત્રી તરીકે–તથા “રંગુન મેલ'ના તંત્રી તરીકે કામ કરેલું. ડાંગેના ગાંધી અને લેનિન નામક એક ઉતમ ગ્રંથો અનુવાદ એમણે કર્યો છે; જે “હિંદુસ્તાનમાં ૧૯૨૧માં ક્રમિક પ્રકટ થયો હતો. પણ દુર્ભાગ્યે જ્યાં ત્યાં એમની ફેરફારી થતી રહેતી હોવાથી ગ્રંથરુપે છાપી શકાયો નથી. તે એક સ્વતંત્ર ગ્રંથ તરીકે છપાવવાની જરૂર છે; કારણકે તેમાં દુનિયાના બે મહાન ક્રાન્તિકારી વીર પુરુષો વિષે અત્યંત મનનીય વિચારો ચર્ચલા છે.
એક પત્રકાર તરીકે એમની લેખિનીનો પ્રવાહ સતત ચાલુ રહે છે. લગભગ વીશેક વાર્તાઓ, એક બે નાટકો અને તે ઉપરાંત બ્રહ્મદેશ અને બરમીઝ પ્રજા, એમનું જીવન અને સમાજરચના; એમના તહેવારો અને એમનું લોકસાહિત્ય વગેરે વિષયો પર ખાસ લેખ લખીને જાણવાયોગ્ય અને ઉપયોગી માહિતી એમના અઠવાડિક બ્રહ્મદેશમાં આપેલી છે.
અત્યારે બ્રહ્મદેશ”, બર્મામાં વસતી ગુજરાતી પ્રજાની કિમતી સેવા કર્યો જાય છેએટલું જ નહિ પણ તેમની ઓફીસ ગુજરાતી વિચાર, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રચારનું તે એક કેન્દ્ર થઈ પડી છે; અને બહદુ ગુજરાત માટેના મનોરથે ત્યાં રંગુનમાં સિદ્ધ થતાં પ્રત્યક્ષ થાય છે, તેમાં શ્રીયુત રમેશભાઈને હિસ્સો છેડો નથી.
૧૬૨