________________
કાંતિલાલ છગનલાલ પંડ્યા.
વાનું ચૂકતા નથી. દુર પ્રાંતમાં વસવા છતાં, ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિથી પૂરતા વાકેફ રહેવા તેઓ પ્રયત્ન કરે છે, એ તે પ્રતિ એમને તીવ્ર અનુરાગ દાખવે છે.
સ્વ. ગોવર્ધનરામનું જીવનચરિત્ર આલેખી, ગુજરાતી સાહિત્યમાં એક લેખક તરીકે તેમણે સારી કીર્તિ સંપાદન કરી હતી. માસિકમાં એમના લેખ, ઉપર લખ્યું તેમ અવારનવાર પ્રસિદ્ધ થતાં જ રહે છે; અને તેને જે સંગ્રહ કરવામાં આવે તો બે ત્રણ વૅલ્યુમ થાય એટલું લખાણ મળી આવે.
એમના ગ્રંથની યાદી: ગોવર્ધનરામનું જીવન ચરિત્ર.
સન ૧૯૧૦.